09-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સદા ખુશી માં રહો કે અમને કોઈ દેહધારી નથી ભણાવતાં , અશરીરી બાપ શરીર માં પ્રવેશ કરી ખાસ અમને ભણાવવા આવ્યાં છે ”

પ્રશ્ન :-
આપ બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર કેમ મળ્યું છે?

ઉત્તર :-
આપણને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે પોતાનાં શાંતિધામ અને સુખધામ ને જોવા માટે. આ આંખો થી જે જૂની દુનિયા, મિત્ર-સંબંધી વગેરે દેખાય છે તેમાંથી બુદ્ધિ નીકાળી દેવાની છે. બાપ આવ્યાં છે કાદવ થી નીકાળી ફૂલ (દેવતા) બનાવવા, તો એવાં બાપનો પછી રીગાર્ડ (આદર) પણ રાખવાનો છે.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ, બાળકો પ્રતિ. શિવ ભગવાન ને સાચાં બાબા તો જરુર કહીશું કારણ કે રચયિતા છે ને. હમણાં આપ બાળકો જ છો જેમને ભગવાન ભણાવે છે - ભગવાન ભગવતી બનાવવાનાં માટે. આ તો દરેક સારી રીતે જાણે છે, એવાં કોઈ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) હોતાં નથી જે પોતાનાં શિક્ષક ને, ભણતર ને અને તેમની રીઝલ્ટ (પરિણામ) ને ન જાણતા હોય. જેમને ભગવાન ભણાવે છે તેમને કેટલી ખુશી હોવી જોઈએ! આ ખુશી સ્થાઈ કેમ નથી રહેતી? તમે જાણો છો આપણને કોઈ દેહધારી મનુષ્ય નથી ભણાવતાં. અશરીરી બાપ શરીર માં પ્રવેશ કરી ખાસ આપ બાળકોને ભણાવવા આવ્યાં છે, આ કોઈને પણ ખબર નથી કે ભગવાન આવીને ભણાવે છે. તમે જાણો છો આપણે ભગવાન નાં બાળકો છીએ, એ આપણને ભણાવે છે, એ જ જ્ઞાનનાં સાગર છે. શિવબાબાનાં સમ્મુખ તમે બેઠાં છો. આત્માઓ અને પરમાત્મા હમણાં જ મળે છે, આ ભૂલો નહીં. પરંતુ માયા એવી છે જે ભુલાવી દે છે. નહીં તો તે નશો રહેવો જોઈએ ને - ભગવાન અમને ભણાવે છે! એમને યાદ કરતાં રહેવું જોઈએ. પરંતુ અહીંયા તો એવાં-એવાં છે જે બિલકુલ જ ભૂલી જાય છે. કાંઈ પણ નથી જાણતાં. ભગવાન સ્વયં કહે છે કે ઘણાં બાળકો આ ભૂલી જાય છે, નહીં તો તે ખુશી રહેવી જોઈએ ને. આપણે ભગવાન નાં બાળકો છીએ, એ આપણને ભણાવી રહ્યાં છે. માયા એવી પ્રબળ છે જે બિલકુલ જ ભુલાવી દે છે. આ આંખોથી આ જે જૂની દુનિયા, મિત્ર-સંબંધી વગેરે જુઓ છો તેમાં બુદ્ધિ ચાલી જાય છે. હમણાં આપ બાળકોને બાપ ત્રીજું નેત્ર આપે છે. તમે શાંતિધામ-સુખધામ ને યાદ કરો. આ છે દુઃખધામ, છી-છી દુનિયા. તમે જાણો છો ભારત સ્વર્ગ હતું, હમણાં નરક છે. બાપ આવીને ફરી ફૂલ બનાવે છે. ત્યાં તમને ૨૧ જન્મોનાં માટે સુખ મળે છે. એનાં માટે જ તમે ભણી રહ્યાં છો. પરંતુ પૂરું ન ભણવાનાં કારણે અહીંયાનાં ધન-સંપત્તિ વગેરેમાં જ બુદ્ધિ લટકી જાય છે. તેમાંથી બુદ્ધિ નીકળતી નથી. બાપ કહે છે શાંતિધામ, સુખધામ તરફ બુદ્ધિ રાખો. પરંતુ બુદ્ધિ ગંદી દુનિયા તરફ એકદમ જેમ ચટકી ગઈ છે. નીકળતી નથી. ભલે અહીંયા બેઠાં છે તો પણ જૂની દુનિયા થી બુદ્ધિ તૂટતી નથી. હમણાં બાબા આવેલાં છે - ગુલ-ગુલ પવિત્ર બનાવવા માટે. તમે મુખ્ય પવિત્રતા માટે જ કહો છો-બાબા અમને પવિત્ર બનાવી પવિત્ર દુનિયામાં લઈ જાય છે તો એવાં બાપનો કેટલો રીગાર્ડ રાખવો જોઈએ. એવાં બાબા પર તો કુરબાન જવાય. જે પરમધામ થી આવીને આપણને બાળકોને ભણાવી રહ્યાં છે. બાળકો પર કેટલી મહેનત કરે છે. એકદમ કાદવ થી નીકાળે છે. હવે તમે ફૂલ બની રહ્યાં છો. જાણો છો કલ્પ-કલ્પ આપણે એવાં ફૂલ (દેવતા) બનીએ છીએ. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર. હમણાં આપણને બાપ ભણાવી રહ્યાં છે. આપણે અહીંયા મનુષ્ય થી દેવતા બનવા આવ્યાં છીએ. આ હમણાં તમને ખબર પડી છે, પહેલાં આ ખબર નહોતી કે આપણે સ્વર્ગવાસી હતાંં. હવે બાપે બતાવ્યું છે તમે રાજ્ય કરતાં હતાંં પછી રાવણે રાજ્ય લીધું છે. તમે જ ખુબ સુખ જોયાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં સીડી નીચે ઉતરો છો. આ છે જ છી-છી દુનિયા. કેટલાં મનુષ્ય દુઃખી છે. કેટલાક તો ભૂખે મરતા રહે છે, કાંઈ પણ સુખ નથી. ભલે કેટલાં પણ ધનવાન છે, તો પણ આ અલ્પકાળ નું સુખ કાગવિષ્ટા સમાન છે. આને કહેવાય છે વિષય વૈતરણી નદી. સ્વર્ગમાં તો આપણે ખુબ સુખી હોઈશું. હમણાં તમે શ્યામ થી સુંદર બની રહ્યાં છો.

હવે તમે સમજો છો આપણે જ દેવતા હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં વેશ્યાલય માં આવીને પડ્યાં છીએ. હવે ફરી તમને શિવાલય માં લઈ જાય છે. શિવબાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છે. તમને ભણતર ભણાવી રહ્યાં છે તો સારી રીતે ભણવું જોઈએ ને. ભણીને, ચક્ર બુદ્ધિ માં રાખીને દેવીગુણ ધારણ કરવાં જોઈએ. આપ બાળકો છો રુપ-વસંત, તમારા મુખ થી સદા જ્ઞાન રત્ન જ નીકળે, કાદવ નહીં. બાપ પણ કહે છે હું રુપ-વસંત છું... હું પરમ આત્મા જ્ઞાનનો સાગર છું, ભણતર સોર્સ ઓફ ઈનકમ (આવકનું સાધન) હોય છે. ભણીને જ્યારે બેરિસ્ટર, ડોક્ટર વગેરે બને છે, લાખો કમાય છે. એક-એક ડોક્ટર મહિના માં લાખ રુપિયા કમાય છે. ખાવાની પણ ફુરસદ નથી રહેતી. તમે પણ હમણાં ભણી રહ્યાં છો. તમે શું બનો છો? વિશ્વનાં માલિક. તો આ ભણતર નો નશો હોવો જોઈએ ને. આપ બાળકોમાં વાતચીત કરવાની કેટલી રોયલ્ટી હોવી જોઈએ. તમે રોયલ બનો છો ને. રાજાઓની ચલન જુવો કેવી હોય છે. બાબા તો અનુભવી છે ને. રાજાઓને નજરાણું આપે છે, ક્યારેય એમ હાથમાં લેશે નહીં. જો લેવું હશે તો ઈશારો કરશે-સેક્રેટરી ને જઈને આપો. ખુબ રોયલ હોય છે. બુદ્ધિમાં આ વિચાર રહે છે, આમનાથી લઈએ છે તો એમને પાછું પણ આપવાનું છે, નહીં તો લેશે નહીં. કોઈ રાજાઓ પ્રજા થી બિલકુલ લેતાં નથી. કોઈ તો ખુબ લૂંટે છે. રાજાઓમાં પણ ફરક હોય છે. હમણાં તમે સતયુગી ડબલ સિરતાજ રાજાઓ બનો છો. ડબલ તાજ નાં માટે પવિત્રતા જરુર જોઈએ. આ વિકારી દુનિયાને છોડવાની છે. આપ બાળકોએ વિકારોને છોડ્યાં છે, વિકારી કોઈ આવીને બેસી ન શકે. જો વગર બતાવે આવીને બેસી જાય છે તો પોતાનું જ નુકસાન કરે છે. કોઈ ચાલાકી કરે છે, કોઈને ખબર થોડી પડશે. બાપ ભલે જુવે, ન જુવે, સ્વયં જ પાપ આત્મા બની જાય છે. તમે પણ પાપ આત્મા હતાં. હવે પુરુષાર્થ થી પુણ્ય આત્મા બનવાનું છે. આપ બાળકોને કેટલું નોલેજ મળ્યું છે. આ નોલેજ થી તમે કૃષ્ણપુરી નાં માલિક બનો છો. બાપ કેટલાં શ્રુંગારે છે. ઊંચે થી ઊંચા ભગવાન ભણાવે છે તો કેટલી ખુશી થી ભણવું જોઈએ. આવું ભણતર તો કોઈ સૌભાગ્યશાળી ભણે છે અને પછી સર્ટિફિકેટ પણ લેવાનું છે. બાબા કહેશે તમે ભણો ક્યાં છો. બુદ્ધિ ભટકતી રહે છે. તો શું બનશો! લૌકિક બાપ પણ કહે છે આ હાલત માં તો તમે નપાસ થઈ જશો. કોઈ તો ભણીને લાખ કમાય છે. કોઈ જુઓ તો ધક્કા ખાતા રહેશે. તમારે ફોલો (અનુસરણ) કરવાનું છે, મધર ફાધરને. બીજા જે બ્રધર્સ સારી રીતે ભણે ભણાવે છે, આજ ધંધો કરે છે. પ્રદર્શની માં અનેકોને ભણાવે છે ને. આગળ ચાલીને જેટલું દુઃખ વધતું જશે એટલો મનુષ્યોને વૈરાગ્ય આવશે પછી ભણવા લાગી જશે. દુઃખ માં ભગવાનને ખુબ યાદ કરશે. દુઃખ માં મરવાનાં સમયે હેં રામ, હાય ભગવાન કરતાં રહે છે ને. તમારે તો કંઈ પણ કરવાનું નથી. તમે તો ખુશી થી તૈયારી કરો છો. ક્યાં આ જૂનું શરીર છૂટે તો અમે પોતાનાં ઘરે જઈએ. પછી ત્યાં શરીર પણ સુંદર મળશે. પુરુષાર્થ કરી ભણાવવા વાળા થી પણ ઊંચા જવું જોઈએ. એવાં પણ છે ભણાવવા વાળાથી ભણવાવાળા ની અવસ્થા ખુબ સારી રહે છે. બાપ તો દરેક ને જાણે છે ને. આપ બાળકો પણ જાણી શકો છો સ્વયં ની અંદર જોવું જોઈએ-અમારા માં કઈ કમી છે? માયા નાં વિઘ્નો થી પાર જવાનું છે, તેમાં ફસાવાનું નથી.

જે કહે છે માયા તો ખુબ જબરજસ્ત છે, અમે કેવી રીતે ચાલી શકીશું, જો એવું વિચાર્યું તો માયા એકદમ કાચ્ચા ખાઈ લેશે. ગજ કો ગ્રાહ ને ખાયા (હાથી ને મગરે હપ કર્યું). આ હમણાં ની વાત છે ને. સારા-સારા બાળકોને પણ માયારુપી ગ્રાહ એકદમ હપ કરી લે છે. પોતાને છોડાવી નથી શકતાં. સ્વયં પણ સમજે છે - અમે માયાનાં થપ્પડ થી છૂટવા ઈચ્છે છે. પરંતુ માયા છૂટવા નથી દેતી. કહે છે બાબા માયાને કહો-આમ પકડે નહીં. અરે, આ તો યુદ્ધનું મેદાન છે ને. મેદાનમાં એવું થોડી કહેશું આમને કહો અમને આંગળી ન લગાવે. મેચમાં કહેશે શું અમને બોલ નહીં મારતાં. ઝટ કહી દેશે યુદ્ધ નાં મેદાનમાં આવ્યાં છો તો લડો, તો માયા ખુબ પછાડશે. તમે બહુજ ઊંચું પદ પામી શકો છો. ભગવાન ભણાવે છે, ઓછી વાત છે શું! હમણાં તમારી ચઢતી કળા થાય છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. દરેક બાળકએ શોખ રાખવાનો છે કે અમે ભવિષ્ય જીવન હીરા જેવું બનાવીએ. વિઘ્નો ને મટાવતા જવાનું છે. કાંઈ પણ કરીને બાપ થી વારસો જરુર લેવાનો છે. નહીં તો આપણે કલ્પ-કલ્પાન્તર નાપાસ થઈ જશું. સમજો કોઈ સાહૂકાર નો બાળક છે, બાપ તેમને ભણવામાં અટક (રુકાવટ) નાખે છે તો કહેશે અમે આ લાખ પણ શું કરીશું, અમારે તો બેહદ નાં બાપ થી વિશ્વની બાદશાહી લેવાની છે. આ લાખ-કરોડ તો બધાં ભસ્મીભૂત થઈ જવાનાં છે. કિનકી દબી રહેગી ધૂલ મેં, કિનકી જલાયે આગ, આખી સૃષ્ટિ રુપી ભમ્ભોર ને આગ લાગવાની છે. આ આખી રાવણની લંકા છે. તમે બધી સીતાઓ છો. રામ આવેલાં છે. આખી ધરતી એક ટાપુ છે, આ સમયે છે જ રાવણ રાજ્ય. બાપ આવીને રાવણ રાજ્યને ખલાસ કરાવી તમને રામ રાજ્યનાં માલિક બનાવે છે. તમને તો અંદર માં અથાહ ખુશી થવી જોઈએ-ગવાયેલું છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો બાળકો થી પૂછો. તમે પ્રદર્શની માં પોતાનું સુખ બતાવો છો ને. આપણે ભારતને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. શ્રીમત પર ભારતની સેવા કરી રહ્યાં છીએ. જેટલાં-જેટલાં શ્રીમત પર ચાલશો એટલાં તમે શ્રેષ્ઠ બનશો. તમને મત આપવા વાળા અનેક નીકળશે એટલે તે પણ પારખવાનું છે, સંભાળવાનું છે. ક્યાંક-ક્યાંક માયા પણ ગુપ્ત વેશમાં પ્રવેશ થઈ જાય છે. તમે વિશ્વનાં માલિક બનો છો, અંદર માં બહુજ ખુશી રહેવી જોઈએ. તમે કહો છો બાબા અમે તમારાં થી સ્વર્ગ નો વારસો લેવા આવ્યાં છીએ. સત્યનારાયણ ની કથા સાંભળીને અમે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીશું. તમે બધાં હાથ ઉઠાવો છો બાબા અમે તમારા થી પૂરો વારસો લઈને જ છોડીશું, નહીં તો અમે કલ્પ-કલ્પ ગુમાવી દેશું. કોઈ પણ વિઘ્નો ને અમે ઉડાવી દઈશું, આટલી બહાદુરી જોઈએ. તમે આટલી બહાદુરી કરી છે ને. જેનાથી વારસો મળે છે એમને થોડી છોડશો. કોઈ તો સારી રીતે રહી ગયાં, કોઈ પછી ભાગન્તી થઈ ગયાં. સારા-સારા ને માયા ખાઈ ગઈ. અજગરે ખાઈને બધું હપ કરી લીધું.

હવે બાપ કહે છે હેં આત્માઓ, ખુબ પ્રેમ થી સમજાવે છે. હું પતિત દુનિયાને આવીને પાવન દુનિયા બનાવું છું. હવે પતિત દુનિયાનું મોત સામે ઊભું છે. હવે હું તમને રાજાઓનો રાજા બનાવું છું. પતિત રાજાઓ નો પણ રાજા. સિંગલ તાજવાળા રાજા ડબલ તાજવાળા રાજાઓને માથું કેમ ઝુકાવે છે, અડધાકલ્પ પછી જ્યારે તેમની તે પવિત્રતા ઉડી જાય છે, તો રાવણ રાજ્ય માં બધાં વિકારી અને પૂજારી બની જાય છે. તો હવે બાપ બાળકો ને સમજાવે છે-કોઈ ગફલત નહીં કરો. ભૂલી ન જાઓ. સારી રીતે ભણો. રોજ ક્લાસ એટેન્ડ નથી કરી શકતાં તો પણ બાબા બધાં પ્રબંધ કરી શકે છે. ૭ દિવસ નો કોર્સ લો, જેથી મુરલીને સહજ સમજી શકો. ક્યાંય પણ જાઓ ફક્ત બે અક્ષર યાદ કરો. આ છે મહામંત્ર. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. કોઈ પણ વિકર્મ કે પાપકર્મ દેહ-અભિમાન માં આવવાથી જ થાય છે. વિકર્મો થી બચવા માટે બુદ્ધિ ની પ્રીત એક બાપ થી જ લગાવવાની છે. કોઈ દેહધારી થી નહીં. એક થી બુદ્ધિનો યોગ લગાવવાનો છે. અંત સુધી યાદ કરવાનાં છે તો પછી કોઇ વિકર્મ નહીં થશે. આ તો સડેલું દેહ છે. આનું અભિમાન છોડી દો. નાટક પૂરું થાય છે, હવે આપણા ૮૪ જન્મ પૂરા થયાં. આ જૂની આત્મા જૂનું શરીર છે. હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે પછી શરીર પણ સતોપ્રધાન મળી જશે. આત્માને સતોપ્રધાન બનાવવાની છે-આજ લગન લગી રહે. બાપ ફક્ત કહે છે મામેકમ યાદ કરો. બસ આજ ફિકર રાખો. તમે પણ કહો છો ને-બાબા અમે પાસ થઈને દેખાડશું. ક્લાસમાં જાણે છે બધાને સ્કોલરશીપ તો નહીં મળશે. તો પણ પુરુષાર્થ તો ખુબ કરે છે ને. તમે પણ સમજો છો અમારે નર થી નારાયણ બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. ઓછો કેમ કરીએ. કોઈ પણ વાતની પરવા નથી. વારીયર્સ (યોદ્ધા) ક્યારેય પરવા નથી કરતાં. કોઈ કહે છે બાબા ખુબ તોફાન, સ્વપ્ન વગેરે આવે છે. આ તો બધું થશે. તમે એક બાપ ને યાદ કરતાં રહો. આ દુશ્મન પર જીત પામવાની છે. કોઈ સમયે એવાં-એવાં સ્વપ્ન આવશે ન મન, ન ચિત્ત, એવાં-એવાં ઘુટકા આવશે. આ બધી માયા છે. આપણે માયા ને જીતીએ છીએ. અડધાકલ્પ માટે દુશ્મન થી રાજ્ય લઈએ છીએ, આપણને કોઈ પરવા નથી. બહાદુર ક્યારેય ચુ-ચા નથી કરતાં. લડાઈ માં ખુશી થી જાય છે. તમે તો અહીંયા બહુજ આરામ થી બાપ થી વારસો લો છો. આ છી-છી શરીર છોડવાનું છે. હવે જઈએ છીએ સ્વીટ સાઈલેન્સ હોમ. બાપ કહે છે હું આવ્યો છું તમને લઈ જવાં. મને યાદ કરો તો પાવન બનશો. ઈમ્પ્યોર (અપવિત્ર) આત્મા જઇ ન શકે. આ છે નવી વાતો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિકર્મો થી બચવા માટે બુદ્ધિ ની પ્રીત એક બાપ થી લગાવવાની છે, આ સડેલા દેહનું અભિમાન છોડી દેવાનું છે.

2. આપણે વારીયર્સ છીએ, આ સ્મૃતિ થી માયારુપી દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવાની છે, તેની પરવા નથી કરવાની. માયા ગુપ્ત રુપમાં બહુજ પ્રવેશ કરે છે એટલે તેને પારખવાની અને સંભાળવાનું છે.

વરદાન :-
જ્ઞાન કળશ ધારણ કરી તરસ્યાની તરસ બુઝાવવા વાળા અમૃત કળશધારી ભવ

હમણાં મેજોરીટી (અધિકાંશ) આત્માઓ પ્રકૃતિનાં અલ્પકાળનાં સાધનો થી, આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટે બનેલાં અલ્પજ્ઞ સ્થાનો થી, પરમાત્મા મિલન મનાવતા ઠેકેદારો થી થાકી ગયાં છે, નિરાશ થઈ ગયાં છે, સમજે છે સત્ય કંઈ બીજું છે, પ્રાપ્તિ નાં તરસ્યા છે. એવી તરસી આત્માઓને આત્મિક પરિચય, પરમાત્મા પરિચય ની યથાર્થ બુંદ (ટીપું) પણ તૃપ્ત આત્મા બનાવી દેશે એટલે જ્ઞાન કળશ ધારણ કરી તરસ્યાની તરસ બુઝાઓ. અમૃત કળશ સદા સાથે રહે. અમર બનો અને અમર બનાવો.

સ્લોગન :-
એડજસ્ટ થવાની કળા ને લક્ષ્ય બનાવી લો તો સહજ સંપૂર્ણ બની જશો.