20-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારો
સમય ખુબ વેલ્યુએબલ ( મુલ્યવાન ) છે , એટલે ફાલતું વાતો માં પોતાનો સમય વ્યર્થ નહીં
કરો ”
પ્રશ્ન :-
મનુષ્ય થી
દેવતા બનવા માટે બાપ ની કઈ શ્રીમત મળેલી છે?
ઉત્તર :-
બાળકો, તમે જ્યારે કે મનુષ્ય થી દેવતા બનો છો તો કોઇ આસુરી સ્વભાવ ન હોવો જોઈએ, ૨.
કોઈ પર ક્રોધ નથી કરવાનો, ૩. કોઈને પણ દુઃખ નથી આપવાનું, ૪. કોઈ પણ ફાલતુ વાતો કાન
થી નથી સાંભળવાની. બાપની શ્રીમત છે હિયર નો ઈવિલ…...
ઓમ શાંતિ!
આપ બાળકોને
બેસવાનું સિમ્પલ (સાધારણ) છે. ક્યાંય પણ બેસી શકો છો. ભલે જંગલમાં બેસો, પહાડ પર
બેસો, ઘરમાં બેસો અથવા કુટિયામાં બેસો, ક્યાંય પણ બેસી શકો છો. આમ બેસવાથી આપ બાળકો
ટ્રાન્સફર થાઓ છો. આપ બાળકો જાણો છો હમણાં આપણે મનુષ્ય, ભવિષ્ય નાં માટે દેવતા બની
રહ્યાં છીએ. આપણે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. બાબા બાગવાન પણ છે, માળી પણ છે. આપણે
બાપ ને યાદ કરવાથી અને ૮૪ નું ચક્ર ફરાવવાથી ટ્રાન્સફર થઇ રહ્યાં છીએ. અહીંયા બેસો,
ભલે ક્યાંય પણ બેસો તમે ટ્રાન્સફર થતાં-થતાં મનુષ્ય થી દેવતા બનતાં જાઓ છો. બુદ્ધિ
માં લક્ષ-હેતુ છે, આપણે આ બની રહ્યાં છીએ. કાંઈ પણ કામ કાજ કરો, રોટલી બનાવો, બુદ્ધિ
માં ફક્ત બાપ ને યાદ કરો. બાળકોને આ શ્રીમત મળે છે - હરતાં-ફરતાં બધુંજ કરતાં ફક્ત
યાદ માં રહો. બાપની યાદ થી વારસો પણ યાદ આવે છે, ૮૪ નું ચક્ર પણ યાદ આવે છે. આમાં
બીજી શું તકલીફ છે, કાંઈ પણ નહીં. જ્યારે કે આપણે દેવતા બનીએ છીએ, તો કોઇ આસુરી
સ્વભાવ પણ ન હોવો જોઈએ. કોઈ પર ક્રોધ નહિં કરવો, કોઈને દુઃખ નહિં આપવું, કોઈ પણ
ફાલતુ વાતો કાન થી સાંભળવાની નથી. ફક્ત બાપને યાદ કરો. બાકી સંસારની ઝરમુઈ-ઝગમુઈ તો
ખુબ સાંભળી. અડધાકલ્પ થી આ સાંભળતાં-સાંભળતાં તમે નીચે ઉતર્યા છો. હવે બાપ કહે છે આ
ઝરમુઈ-ઝગમુઈ ન કરો. ફલાણા આવાં છે, આમનામાં આ છે. કોઈ પણ ફાલતુ વાતો નથી કરવાની. આ
જેમ કે પોતાનો સમય વ્યર્થ કરવાનો છે. તમારો સમય ખુબ વેલ્યુબલ (મુલ્યવાન) છે. ભણતર
થી જ પોતાનું કલ્યાણ છે, આનાથી જ પદ પામશો. તે ભણતરમાં ખુબ મહેનત કરવી પડે છે.
પરીક્ષા પાસ કરવા વિલાયત માં જાય છે. તમને તો કોઈ તકલીફ નથી આપતાં. બાપ આત્માઓને કહે
છે મુજ બાપ ને યાદ કરો, એક-બીજાને સામે બેસાડે છે, તો પણ બાપ ની યાદ માં રહો. યાદ
માં બેસતાં-બેસતાં તમે કાંટા થી ફૂલ બનો છો. કેટલી સારી યુક્તિ છે, તો બાપની શ્રીમત
પર ચાલવું જોઈએ ને. દરેક ની અલગ-અલગ બીમારી હોય છે. તો દરેક બીમારી નાં માટે સર્જન
છે. મોટાં-મોટાં વ્યક્તિઓનાં ખાસ સર્જન હોય છે ને. તમારો સર્જન કોણ બન્યું છે?
ભગવાન. એ છે અવિનાશી સર્જન. કહે છે હું તમને અડધાકલ્પ માટે નિરોગી બનાવું છું. ફક્ત
મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે ૨૧ જન્મનાં માટે નિરોગી બની જશો. આ ગાઠ બાંધી
લેવી જોઈએ. યાદ થી જ તમે નિરોગી બની જશો. પછી ૨૧ જન્મ માટે કોઈ પણ રોગ નહીં થશે. ભલે
આત્મા તો અવિનાશી છે, શરીર જ રોગી બને છે. પરંતુ ભોગવે તો આત્મા છે ને. ત્યાં
અડધોકલ્પ તમે ક્યારેય પણ રોગી નહીં બનશો. ફક્ત યાદમાં તત્પર રહો. સર્વિસ (સેવા) તો
બાળકો એ કરવાની જ છે. પ્રદર્શની માં સર્વિસ કરતાં-કરતાં બાળકોનાં ગળા ઘૂંટાઈ જાય
છે. ઘણાં બાળકો પછી સમજે છે અમે સર્વિસ કરતાં-કરતાં ચાલ્યા જઈશું બાબાની પાસે. આ પણ
ખુબ સારી છે સર્વિસ ની રીત. પ્રદર્શનીમાં પણ બાળકોને સમજાવવાનું છે. પ્રદર્શની માં
પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર દેખાડવું જોઈએ. આ એ વન ચિત્ર છે. ભારતમાં
આજ થી ૫ હજાર વર્ષ પહેલાં બરાબર આમનું રાજ્ય હતું. અથાહ ધન હતું. પવિત્રતા-સુખ-શાંતિ
બધું હતું. પરંતુ ભક્તિમાર્ગ માં સતયુગ ને લાખો વર્ષ કહી દીધા છે તો કોઈ પણ વાત યાદ
કેવી રીતે આવે, આ લક્ષ્મી-નારાયણનું ફર્સ્ટ ક્લાસ ચિત્ર છે. સતયુગ માં ૧૨૫૦ વર્ષ આ
ડિનાયસ્ટી (વંશ) એ રાજ્ય કર્યું હતું. પહેલાં તમે પણ નહોતા જાણતાં. હમણાં બાપે આપ
બાળકોને સ્મૃતિ અપાવી છે કે તમે આખા વિશ્વ પર રાજ્ય કર્યું હતું, શું તમે ભૂલી ગયાં
છો. ૮૪ જન્મ પણ તમે લીધા છે. તમે જ સૂર્યવંશી હતાં. પુનર્જન્મ તો લો જ છો. ૮૪ જન્મ
તમે કેવી રીતે લીધા છે, આ ખુબ જ સિમ્પલ (સહજ) વાત છે સમજવાની. નીચે ઉતરતા આવ્યાં,
હવે ફરી બાપ ચઢતી કળામાં લઈ જાય છે. ગાયન પણ છે ચઢતી કળા તેરે ભાણે સબકા ભલા. પછી
શંખ વગેરે વગાડે છે. હવે આપ બાળકો જાણો છો હાહાકાર થશે, પાકિસ્તાન માં જુઓ શું થઈ
ગયું હતું - બધાનાં મુખ થી આજ નીકળતું હતું હેં ભગવાન, હાય રામ હવે શું થશે. હવે આ
વિનાશ તો ખુબ મોટો છે, પછી જય જયકાર થવાનો છે. બાપ બાળકો ને સમજાવે છે-આ બેહદની
દુનિયાનો હવે વિનાશ થવાનો છે. બેહદનાં બાપ બેહદનું જ્ઞાન તમને સંભળાવે છે. હદ ની
વાતો હિસ્ટ્રી-જોગ્રોફી તો સાંભળતા આવ્યાં છો. આ કોઈને પણ ખબર નહોતી કે
લક્ષ્મી-નારાયણ એ રાજ્ય કેવી રીતે કર્યું. તેમની હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ પણ નથી જાણતું.
તમે સારી રીતે જાણો છો-આટલાં જન્મ રાજ્ય કર્યું પછી આ ધર્મ હોય છે, આને કહેવાય છે
સ્પ્રીચુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન), સ્પ્રીચુઅલ ફાધર બાળકોને બેસી આપે છે. ત્યાં
તો મનુષ્ય, મનુષ્યને ભણાવે છે, અહીંયા આપણને આત્માઓને પરમાત્મા આપ સમાન બનાવી રહ્યાં
છે. શિક્ષક જરુર આપ સમાન બનાવશે.
બાપ કહે છે હું તમને પોતાના થી પણ ઉચ્ચ ડબલ સિરતાજ બનાવું છું. લાઈટ નો તાજ મળે છે
યાદ થી, અને ૮૪ નાં ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી બનો છો, હમણાં આપ બાળકોને
કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ સમજાવી છે. સતયુગ માં કર્મ, અકર્મ હોય છે. રાવણ રાજ્ય
માં જ કર્મ, વિકર્મ થાય છે. સીડી ઉતરતા આવે છે, કળા ઓછી થતાં-થતાં ઉતરવાનું જ છે.
કેટલાં છી-છી બની જાય છે. પછી બાપ આવીને ભક્તો ને ફળ આપે છે. દુનિયામાં ભક્ત તો બધાં
છે. સતયુગ માં ભક્ત કોઈ હોતું નથી. ભક્તિ કલ્ટ અહીંયા છે. ત્યાં તો જ્ઞાનની
પ્રાલબ્ધ હોય છે. હમણાં તમે જાણો છો આપણે બાપ થી બેહદની પ્રાલબ્ધ લઇ રહ્યા છીએ.
કોઈને પણ પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવો. આજ થી ૫ હજાર વર્ષ
પહેલાં આમનું રાજ્ય હતું, વિશ્વમાં સુખ-શાંતિ-પવિત્રતા બધું હતું, બીજા કોઈ ધર્મ
નહોતાં. આ સમયે તો અનેક ધર્મ છે, તે પહેલો ધર્મ છે નહીં પછી આ ધર્મ ને આવવાનું છે
જરુર. હવે બાપ કેટલાં પ્રેમ થી ભણાવે છે. કોઈ લડાઈ ની વાત નથી, બેગર લાઈફ (ગરીબ
જીવન) છે, પારકું રાજ્ય છે, આપણું બધુંજ ગુપ્ત છે. બાબા પણ ગુપ્ત આવેલાં છે.
આત્માઓને બેસી સમજાવે છે. આત્મા જ બધું કરે છે. શરીર દ્વારા પાર્ટ ભજવે છે. તે હમણાં
દેહ-અભિમાનમાં આવી છે. હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. બાપ બીજી કાંઈ જરા પણ
તકલીફ નથી આપતાં. બાપ જ્યારે ગુપ્ત રુપમાં આવે છે તો આપ બાળકોને ગુપ્ત દાન માં
વિશ્વ ની બાદશાહી આપે છે. તમારું બધું ગુપ્ત છે એટલે રિવાજ નાં રુપમાં કન્યાને
જ્યારે દહેજ આપે છે તો ગુપ્ત જ આપે છે. વાસ્તવમાં ગવાય છે-ગુપ્ત દાન મહાપુણ્ય. બે-ચાર
ને ખબર પડી તો તે તાકાત ઓછી થઈ જાય છે.
બાપ કહે છે બાળકો તમે પ્રદર્શની માં પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર
બધાને સમજાવો. તમે ઈચ્છો છો ને - વિશ્વમાં શાંતિ થાય. પરંતુ તે ક્યારે હતી, આ કોઈની
બુદ્ધિમાં નથી. હમણાં તમે જાણો છો - સતયુગ માં પવિત્રતા, સુખ, શાંતિ બધું હતું, યાદ
પણ કરે છે ફલાણા સ્વર્ગવાસી થયાં, સમજતા કાંઈ નથી. જેમને જે આવ્યું કહી દે છે, અર્થ
કાંઈ નથી. આ છે ડ્રામા. મીઠા-મીઠા બાળકોની બુદ્ધિ માં જ્ઞાન છે કે અમે ૮૪ નું ચક્ર
લગાવીએ છીએ. હમણાં બાપ આવ્યાં છે-પતિત દુનિયા થી પાવન દુનિયામાં લઈ જવાં. બાપ ની
યાદ માં રહેતા ટ્રાન્સફર થતાં જઈએ છીએ. કાંટા થી ફૂલ બનીએ છીએ. પછી આપણે ચક્રવર્તી
રાજા બનશું. બનાવવા વાળા બાપ છે. એ પરમ આત્મા તો સદૈવ પ્યોર (પવિત્ર) છે. એ જ આવે
છે પવિત્ર બનાવવાં. સતયુગ માં તમે ખૂબસૂરત બની જશો. ત્યાં નેચરલ બ્યુટી (કુદરતી
સૌન્દર્ય) રહે છે. આજકાલ તો આર્ટિફિશિયલ શૃંગાર કરે છે ને. શું-શું ફેશન નીકળી છે.
કેવાં-કેવાં ડ્રેસ પહેરે છે. પહેલાં ફિમેલ્સ (સ્ત્રી) બહુજ પડદામાં રહેતી હતી, કે
કોઇની નજર ન પડે. હવે તો વધારે જ ખુલ્લું કરી દીધું છે, તો જ્યાં ત્યાં ગંદ વધી ગઈ
છે. બાપ કહે છે-હિયર નો ઈવિલ.
રાજા માં પાવર (શક્તિ) રહે છે. ઈશ્વર અર્થ દાન કરે છે તો તેમાં પાવર રહે છે. અહીંયા
તો કોઈમાં પાવર છે નહીં, જેમને જે આવ્યું કરતાં રહે છે. ખુબ ગંદા મનુષ્ય છે. તમે
ખુબ સૌભાગ્યશાળી છો જે ખેવૈયા એ હાથ પકડ્યો છે. તમે જ કલ્પ-કલ્પ નિમિત્ત બનો છો. તમે
જાણો છો પહેલાં મુખ્ય છે દેહ-અભિમાન, એના પછી જ બધાં ભૂત આવે છે. મહેનત કરવાની છે
પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, આ કોઈ કડવી દવા નથી. ફક્ત કહે છે પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરો. પછી કેટલું પણ પગપાળા બાબાની યાદ માં કરતાં જાઓ, ક્યારેય પગ
થાકશે નહીં. હલકા થઇ જશો. ખુબ મદદ મળે છે. તમે માસ્ટર સર્વશક્તિમાન બની જાઓ છો. તમે
જાણો છો આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ, બાપની પાસે આવ્યા છીએ, બીજી કોઈ તકલીફ નથી
આપતાં. ફક્ત બાળકો ને કહે છે હિયર નો ઈવિલ. જે સર્વિસએબુલ (સેવાધારી) બાળકો છે એમનાં
મુખ થી તો સદૈવ જ્ઞાન રત્ન જ નીકળશે. જ્ઞાનની વાતોનાં સિવાય બીજી કોઈ વાત મુખ થી ન
નીકળી શકે. તમારે વ્યર્થ ઝરમુઈ-ઝગમુઈ ની વાતો ક્યારેય નથી સાંભળવાની. સર્વિસ
કરવાવાળા નાં મુખ થી સદૈવ રત્ન જ નીકળશે . જ્ઞાન ની વાતોનાં સિવાય બાકી છે પથ્થર
મારવાં. પથ્થર નથી મારતાં તો જરૂર જ્ઞાન રત્ન આપે છે અથવા પથ્થર મારશે અથવા અવિનાશી
જ્ઞાન રત્ન આપશે, જેની વેલ્યુ કથન નથી કરી શકાતી. બાપ આવીને તમને જ્ઞાન રત્ન આપે
છે. તે છે ભક્તિ. પથ્થર જ મારતાં રહે છે.
બાળકો જાણે છે બાબા ખુબ-ખુબ મીઠા છે, અડધોકલ્પ ગાતા આવ્યા છીએ, તુમ માતા - પિતા ….
પરંતુ અર્થ કાંઈ પણ નહોતાં સમજતાં. પોપટ માફક ફક્ત ગાતા રહેતા હતાં. આપ બાળકોને
કેટલી ખુશી હોવી જોઈએ. બાબા આપણને બેહદ નો વારસો વિશ્વની બાદશાહી આપે છે. ૫ હજાર
વર્ષ પહેલાં આપણે વિશ્વનાં માલિક હતાં. હમણાં નથી, ફરી બનશું. શિવબાબા બ્રહ્મા
દ્વારા વારસો આપે છે. બ્રાહ્મણ કુળ જોઈએ ને. ભાગીરથ કહેવાથી પણ સમજી ન શકે એટલે
બ્રહ્મા અને તેમનો પછી બ્રાહ્મણ કુળ છે. બ્રહ્મા તન માં પ્રવેશ કરે છે એટલે એમને
ભાગીરથ કહેવાય છે. બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે ચોટી. વિરાટ રુપ પણ
એવું હોય છે, ઉપરમાં બાબા પછી સંગમયુગી બ્રાહ્મણ જે ઈશ્વરીય સંતાન બને છે. તમે જાણો
છો હમણાં આપણે ઈશ્વરીય સંતાન છીએ પછી દૈવી સંતાન બનશું તો ડિગ્રી (પદ) ઓછી થઈ જશે.
આ લક્ષ્મી-નારાયણ પણ ડિગ્રી ઓછી છે, કારણ કે તેમનામાં જ્ઞાન નથી. જ્ઞાન બ્રાહ્મણો
માં છે. પરંતુ લક્ષ્મી-નારાયણને અજ્ઞાની નહીં કહેશું. તેમણે જ્ઞાન થી આ પદ પામ્યું
છે. તમે બ્રાહ્મણ કેટલાં ઊંચા છો પછી દેવતા બનો છો તો કંઈ પણ જ્ઞાન નથી રહેતું,
એમનામાં જ્ઞાન હોત તો દૈવી વંશમાં પરંપરા થી ચાલતાં આવત. મીઠા-મીઠા સિકાલધા બાળકોને
બધું રહસ્ય, બધી યુક્તિઓ બતાવે છે. ટ્રેનમાં બેઠા પણ તમે સર્વિસ કરી શકો છો. એક
ચિત્ર પર જ આપસ માં બેસી વાત કરશો તો અનેક આવીને ભેગાં થશે. જે આ કુળનાં હશે તે સારી
રીતે ધારણ કરી પ્રજા બની જશે. ચિત્ર તો ખુબ સારા-સારા છે સર્વિસ (સેવા) માટે. આપણે
ભારતવાસી પહેલાં દેવી-દેવતા હતાં, હમણાં તો કાંઈ નથી. ફરી હિસ્ટ્રી રિપીટ થાય છે.
વચમાં આ છે સંગમયુગ, જેમાં તમે પુરુષોત્તમ બનો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાનની
વાતો નાં સિવાય બીજી કોઈ વાત મુખ થી નથી નીકાળવાની. ઝરમુઈ-ઝગમુઈ ની વાતો ક્યારેય નથી
સાંભળવાની. મુખ થી સદૈવ રત્ન નીકળતા રહે, પથ્થર નહીં.
2. સર્વિસ ની
સાથે-સાથે યાદ ની યાત્રા માં રહી સ્વયંને નિરોગી બનાવવાનાં છે. અવિનાશી સર્જન સ્વયં
ભગવાન આપણને મળ્યાં છે ૨૧ જન્મનાં માટે નિરોગી બનાવવાં…..આ જ નશા માં કે ખુશી માં
રહેવાનું છે.
વરદાન :-
યાદ નાં જાદૂ
મંત્ર દ્વારા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરુપ ભવ
બાપ ની યાદ જ જાદૂનો
મંત્ર છે, આ જાદૂ નાં મંત્ર દ્વારા જે સિદ્ધિ ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. જેમ
સ્થૂળ માં પણ કોઈ કાર્યની સિદ્ધિ નાં માટે મંત્ર જપે છે, એમ અહીંયા પણ જો કોઇ
કાર્યમાં સિદ્ધિ જોઈએ તો આ યાદનો મહામંત્ર જ વિધિ સ્વરુપ છે. આ જાદૂ મંત્ર સેકન્ડમાં
પરિવર્તન કરી દે છે. આને સદા સ્મૃતિ માં રાખો તો સદા સિદ્ધિ સ્વરુપ બની જશો કારણ કે
યાદ માં રહેવું મોટી વાત નથી, સદા યાદ માં રહેવું-આ મોટી વાત છે, આનાથી સર્વ
સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
સ્લોગન :-
સેકન્ડમાં
વિસ્તાર ને સાર રુપમાં સમાવી લેવું અર્થાત્ અંતિમ સર્ટિફિકેટ લેવું.