22.06.2020 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન
"મીઠા બાળકો - પોતાની ઉન્નતિ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં પોતાનો પોતામેલ જુઓ, ચેક કરો - અમે આખા દિવસ માં કોઈને દુઃખ તો નથી આપ્યું ”
પ્રશ્ન :-
મહાન સૌભાગ્યશાળી બાળકોમાં કઈ બહાદુરી હશે?
ઉત્તર :-
જે મહાન સૌભાગ્યશાળી છે તે સ્ત્રી-પુરુષ સાથે રહેતા ભાઈ-ભાઈ થઈને રહેશે. સ્ત્રી-પુરુષનું ભાન નહીં હશે. પાક્કા નિશ્ચયબુદ્ધિ હશે. મહાન સૌભાગ્યશાળી બાળકો ઝટ સમજી જાય છે- હું પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી), આ પણ સ્ટુડન્ટ, ભાઈ-બહેન થઈ ગયા, પરંતુ આ બહાદુરી ચાલી ત્યારે શકે છે જ્યારે પોતાને આત્મા સમજો.
ગીત :-
મુખડા દેખ લે પ્રાણી ……...
ઓમ શાંતિ ! આ વાત રોજ-રોજ બાપ બાળકો ને સમજાવે છે કે સૂતાં સમયે પોતાનો પોતામેલ અંદર જુઓ કે કોઈને દુઃખ તો નથી આપ્યું અને કેટલો સમય બાપ ને યાદ કર્યા? મૂળ વાત આ છે. ગીત માં પણ કહે છે પોતાની અંદર જુઓ-અમે કેટલા તમોપ્રધાન થી સતોપ્રધાન બન્યા છીએ? આખા દિવસમાં કેટલો સમય યાદ કર્યા પોતાનાં મીઠા બાપને? કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. બધી આત્માઓને કહેવાય છે પોતાનાં બાપ ને યાદ કરો. હવે પાછાં જવાનું છે. ક્યાં જવાનું છે? શાંતિધામ થઈને નવી દુનિયામાં જવાનું છે. આ તો જૂની દુનિયા છે ને. જ્યારે બાપ આવે ત્યારે સ્વર્ગ નાં દ્વાર ખુલે. હમણાં આપ બાળકો જાણો છો આપણે સંગમયુગ પર બેઠા છીએ. આ પણ વન્ડર (અદ્દભુત) છે જે સંગમયુગ પર આવીને સ્ટીમર માં બેસી ને પછી ઉતરી જઈએ છીએ. હવે તમે સંગમયુગ પર પુરુષોત્તમ બનવા માટે નાવ માં આવીને બેઠા છો, પાર જવા માટે. પછી જૂની કળયુગી દુનિયાથી દિલ ઉઠાવી લેવાનું હોય છે. આ શરીર દ્વારા ફક્ત પાર્ટ ભજવવાનો હોય છે. હમણાં આપણે પાછું જવાનું છે ખુબ ખુશીથી. મનુષ્ય મુક્તિ માટે કેટલું માથુ મારે છે પરંતુ મુક્તિ-જીવનમુક્તિનો અર્થ નથી સમજતાં. શાસ્ત્રોનાં અક્ષર ફક્ત સાંભળેલા છે પરંતુ તે શું વસ્તુ છે, કોણ આપે છે, ક્યારે આપે છે, આ કાંઈ પણ ખબર નથી. આપ બાળકો જાણો છો બાબા આવે છે મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપવા માટે. તે પણ કાંઈ એકવાર થોડી, અનેકવાર. બેઅંત વાર તમે મુક્તિ થી જીવનમુક્તિ પછી જીવન બંધમાં આવો છો. તમને હમણાં આ સમજ પડી કે આપણે આત્મા છીએ, બાબા આપણને બાળકોને શિક્ષા ખુબ આપે છે. તમે ભક્તિમાર્ગમાં દુઃખ માં યાદ કરતા હતાં, પરંતુ ઓળખતા નહોતાં. હમણાં મેં તમને પોતાનો પરિચય આપ્યો છે કે કેવી રીતે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. હમણાં સુધી કેટલા વિકર્મ થયા છે, તે પોતાનો પોતામેલ રાખવાથી ખબર પડશે. જે સર્વિસ (સેવા) માં લાગેલા રહે છે તેમને ખબર પડે છે, બાળકોને સર્વિસ નો શોખ હોય છે. આપસમાં મળીને સલાહ કરી નીકળે છે સર્વિસ પર, મનુષ્યોનું જીવન હીરા જેવું બનાવવાં. આ કેટલું પુણ્યનું કાર્ય છે. આમાં ખર્ચા વગેરેની પણ કોઈ વાત નથી. ફક્ત હીરા જેવું બનવા માટે બાપને યાદ કરવાનાં છે. પોખરાજ પરી, સબ્જ પરી પણ જે નામ છે, તે તમે છો. જેટલા યાદમાં રહેશો એટલાં હીરા જેવા બની જશો. કોઈ માણેક જેવા, કોઈ પોખરાજ જેવા બનશે. ૯ રત્ન હોય છે ને. કોઈ ગ્રહચારી હોય છે તો ૯ રત્ન ની અંગૂઠી (વીંટી) પહેરે છે. ભક્તિમાર્ગ માં અનેક ટોટકા (સલાહ) આપે છે. અહીંયા તે બધાં ધર્મવાળાઓ માટે એક જ ટોટકા છે-મનમનાભવ કારણ કે ગોડ ઇઝ વન (ભળવાન એક છે). મનુષ્ય થી દેવતા બનવા કે મુક્તિ-જીવનમુક્તિ પામવાની તદબીર એક જ છે, ફક્ત બાપને યાદ કરવાનાં છે, તકલીફ ની કોઈ વાત નથી. વિચારવું જોઈએ મારી યાદ કેમ નથી રહેતી. આખા દિવસમાં આટલું ઓછું કેમ યાદ કર્યું? જ્યારે આ યાદ થી આપણે એવરહેલ્થી, નિરોગી બનશું તો કેમ નહિં પોતાનો ચાર્ટ રાખી ઉન્નતી પામીએ. ઘણાં છે જે ૨-૪ દિવસ ચાર્ટ રાખી પછી ભૂલી જાય છે. કોઈને પણ સમજાવવું ખુબ સહજ હોય છે. નવી દુનિયાને સતયુગ અને જૂની દુનિયાને કળયુગ કહેવાય છે. કળયુગ બદલાઇ સતયુગ થશે. બદલી થાય છે ત્યારે અમે સમજાવી રહ્યા છીએ.
ઘણાં બાળકોને આ પણ પાક્કો નિશ્ચય નથી કે આ એજ નિરાકાર બાપ આપણને બ્રહ્મા તનમાં આવીને ભણાવી રહ્યાં છે. અરે બ્રાહ્મણ છો ને. બ્રહ્માકુમાર-કુમારીઓ કહેવાઓ છો, તેનો અર્થ જ શું છે, વારસો ક્યાંથી મળશે! એડોપ્શન (દત્તક) ત્યારે થાય છે જ્યારે કંઈ પ્રાપ્તિ થાય/હોય છે. તમે બ્રહ્માનાં બાળકો બ્રહ્માકુમાર-કુમારી કેમ બન્યાં છો? સાચેજ બન્યાં છો અથવા આમાં પણ કોઈને સંશય થઈ પડે છે. જે મહાન સૌભાગ્યશાળી બાળકો છે તે સ્ત્રી-પુરુષ સાથે રહેતા ભાઈ-ભાઈ થઈને રહેશે. સ્ત્રી-પુરુષનું ભાન નહીં હશે. પાક્કા નિશ્ચયબુદ્ધિ નથી તો સ્ત્રી-પુરુષની દૃષ્ટી બદલવામાં પણ સમય લાગે છે. મહાન સૌભાગ્યશાળી બાળકો ઝટ સમજી જાય છે-અમે પણ સ્ટુડન્ટ, આ પણ સ્ટુડન્ટ ભાઈ-બહેન થઈ ગયાં. આ બહાદુરી ચાલી ત્યારે શકે છે જ્યારે પોતાને આત્મા સમજે. આત્માઓ તો બધાં ભાઈ-ભાઈ છે, પછી બ્રહ્માકુમાર-કુમારીઓ બનવાથી ભાઈ-બહેન થઈ જાય છે. કોઈ તો બંધનમુક્ત પણ છે, તો પણ ક્યાંક ને ક્યાંક બુદ્ધિ જાય છે. કર્માતીત અવસ્થા થવામાં સમય લાગે છે. આપ બાળકોની અંદર ખુબ ખુશી રહેવી જોઈએ. કોઈ પણ ઝંઝટ નહીં. આપણે આત્માઓ હવે બાબાની પાસે જઈએ છીએ જુનું શરીર વગેરે બધું છોડીને. આપણે કેટલો પાર્ટ ભજવ્યો છે. હવે ચક્ર પૂરું થાય છે. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની હોય છે. જેટલી વાત કરતા રહેશો, એટલાં હર્ષિત પણ રહેશો અને પોતની ચલન ને પણ જોતા રહેશો-ક્યાં સુધી અમે લક્ષ્મી-નારાયણને વરવા નાં લાયક બન્યાં છીએ? બુદ્ધિ થી સમજાય છે-હમણાં થોડાક સમયમાં જુનું શરીર છોડવાનું છે. તમે એક્ટર્સ પણ છો ને. પોતાને એક્ટર્સ સમજો છો. પહેલાં નહોતા સમજતાં, હમણાં આ નોલેજ મળ્યું છે તો અંદર માં ખુશી ખૂબ રહેવી જોઈએ. જૂની દુનિયા થી વૈરાગ્ય, નફરત આવવી જોઈએ.
તમે બેહદનાં સંન્યાસી, રાજયોગી છો. આ જૂનાં શરીરનો પણ બુદ્ધિ થી સન્યાસ કરવાનો છે. આત્મા સમજે છે-આનાથી બુદ્ધિ નથી લગાડવાની. બુદ્ધિ થી આ જૂની દુનિયા, જૂનાં શરીરનો સન્યાસ કર્યો છે. હમણાં આપણે આત્માઓ જઈએ છીએ, જઈને બાપ ને મળશું. તે પણ ત્યારે થશે જ્યારે એક બાપ ને યાદ કરશો. બીજા કોઈને યાદ કર્યા તો સ્મૃતિ જરુર આવશે. પછી સજા પણ ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઇ જશે. જે સારા-સારા સ્ટુડન્ટ હોય છે તે પોતાની સાથે પ્રતિજ્ઞા કરી લે છે કે અમે સ્કોલરશીપ લઈને જ છોડશું. તો અહીંયા પણ દરેકે આ ખ્યાલમાં રાખવાનું છે કે અમે બાપ થી પૂરું રાજ્ય-ભાગ્ય લઈને જ છોડશું. તેમની પછી ચલન પણ એવી જ રહેશે. આગળ ચાલી પુરુષાર્થ કરતાં-કરતાં ગેલપ કરવાની છે. તે ત્યારે થશે જ્યારે રોજ સાંજે પોતાની અવસ્થા ને જોશો. બાબા ની પાસે સમાચાર તો દરેક નાં આવે છે ને. બાબા દરેક ને સમજી શકે છે, કોઈને તો કહી દે છે કે તમારામાં તે નથી દેખાતું. આ લક્ષ્મી-નારાયણ બનવા જેવી શકલ દેખાતી નથી. ચલન, ખાન-પાન વગેરે તો જુઓ. સર્વિસ ક્યાં કરો છો! પછી શું બનશો! પછી દિલમાં સમજે છે-અમે કાંઈ કરીને દેખાડીએ. આમાં દરેકે ઇન્ડિપેન્ડટ (સ્વેચ્છાએ/સ્વતંત્ર) પોતાની તકદીર ઉચ્ચ બનાવવા માટે ભણવાનું છે. જો શ્રીમત પર નથી ચાલતા તો પછી આટલું ઊંચું પદ પણ નહીં પામી શકે. હમણાં પાસ નહીં થયા તો કલ્પ-કલ્પાન્તર નહીં થશો. તમને બધો સાક્ષાત્કાર થશે-અમે કયું પદ પામવાનાં લાયક છીએ? પોતાનાં પદ નો પણ સાક્ષાત્કાર કરતા રહેશો. શરું માં પણ સાક્ષાત્કાર કરતા હતાં પછી બાબા સંભળાવવા માટે મનાઈ કરી દેતા હતાં. અંત માં બધી ખબર પડશે કે અમે શું બનશું પછી કાંઈ નહીં કરી શકો. કલ્પ-કલ્પાન્તર આ હાલત થઇ જશે. ડબલ સિરતાજ, ડબલ રાજ્ય-ભાગ્ય પામી નહીં શકો. હમણાં પુરુષાર્થ કરવાની માર્જિન (તક) ઘણી છે, ત્રેતા નાં અંત સુધી ૧૬,૧૦૮ ની મોટી માળા બનવાની છે. અહીંયા તમે આવ્યા જ છો નર થી નારાયણ બનવાનો પુરુષાર્થ કરવાં. જ્યારે ઓછા પદ નો સાક્ષાત્કાર થશે તો તે સમયે જાણે નફરત આવવા લાગશે. મુખ નીચું થઇ જશે. અમે તો કાંઈ પણ પુરુષાર્થ નહીં કર્યો. બાબા એ કેટલું સમજાવ્યું કે ચાર્ટ રાખો, આ કરો એટલે બાબા કહેતા હતાં જે પણ બાળકો આવે છે બધાનાં ફોટો હોય. ભલે ગ્રુપનો જ ભેગો ફોટો હોય. પાર્ટીઓ લઇ આવો છો ને. પછી એમાં તારીખ ફોટો વગેરે બધું લાગેલું હોય. પછી બાબા બતાવતાં રહેશે કોણ પડ્યાં? બાબા ની પાસે સમાચાર તો બધાં આવે છે, બતાવતા રહેશે. કેટલાને માયા ખેંચી લઈ ગઈ. ખતમ થઈ ગયાં. બાળકીઓ પણ ખુબ પડે છે. એકદમ દુર્ગતિને પામી લે છે, વાત નહીં પૂછો એટલે બાબા કહે છે - બાળકો, ખબરદાર રહો. માયા કોઈને કોઈ રુપ ધરીને પકડી લે છે. કોઈ નાં નામ-રુપ ની તરફ જુઓ પણ નહીં. ભલે આ આંખો થી જુઓ છો પરંતુ બુદ્ધિ માં એક બાપની યાદ છે. ત્રીજું નેત્ર મળ્યું છે, એટલે કે બાપને જ જુઓ અને યાદ કરો. દેહ-અભિમાન ને છોડતા જાઓ. એવું પણ નહીં આંખો નીચે કરીને કોઈ થી વાત કરવાની છે. એવાં કમજોર નથી બનવાનું. જોવા છતાં બુદ્ધિનો યોગ પોતાનાં બિલવેડ (પ્રિય) માશૂક ની તરફ હોય. આ દુનિયાને જોવા છતાં અંદરમાં સમજો છે આ તો કબ્રિસ્તાન (શમશાન) થવાનું છે. આનાથી શું કનેક્શન (સંબંધ) રાખશું. તમને જ્ઞાન મળે છે-તેને ધારણ કરી તેનાં પર ચાલવાનું છે.
આપ બાળકો જ્યારે પ્રદર્શની વગેરે સમજાવો છો તો હજાર વખત મુખ થી બાબા-બાબા નીકળવું જોઈએ. બાબાને યાદ કરવાથી તમારો કેટલો ફાયદો થશે. શિવબાબા કહે છે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. શિવબાબા ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. બાબા કહે છે મને યાદ કરો. આ ભૂલો નહીં. બાપનું ડાયરેક્શન (માર્ગદર્શન) મળ્યું છે મનમનાભવ. બાપ એ કહ્યું છે આ ‘બાબા’ શબ્દ ખુબ સારી રીતે ઘોટતા રહો. આખો દિવસ બાબા-બાબા કરતાં રહેવું જોઈએ. બીજી કોઈ વાત નહિં. નંબરવન મુખ્ય વાત જ આ છે. પહેલાં બાપને જાણો, આમાં જ કલ્યાણ છે. આ ૮૪ નાં ચક્રને સમજવું તો ખુબ ઈજી (સહજ) છે. બાળકોને પ્રદર્શની માં સમજાવવાનો ખુબ શોખ હોવો જોઈએ. જો ક્યાંય જુઓ અમે નથી સમજાવી શકતાં તો કહી શકાય છે અમે અમારી મોટી બહેનને બોલાવીએ છીએ કારણ કે આ પણ પાઠશાળા છે ને. આમાં કોઈ ઓછું, કોઈ વધારે ભણે છે. આવું કહેવામાં દેહ અભિમાન ન આવવું જોઈએ. જ્યાં મોટા સેન્ટર હોય ત્યાં પ્રદર્શની પણ લગાવી દેવી જોઈએ. ચિત્ર લાગેલું હોય-ગેટ વે ટૂ હેવન (સ્વર્ગનાં દ્વાર). હવે સ્વર્ગ નાં દ્વાર ખુલી રહ્યાં છે. આ હોવનહાર લડાઇ થી પહેલાં જ પોતાનો વારસો લઈ લો. જેમ મંદિરમાં રોજ જવાનું હોય છે, તેમ તમારા પાછળ પાઠશાળા છે. ચિત્ર લાગેલા હશે તો સમજાવવામાં સહજ થશે. કોશિશ કરો અમે પોતાની પાઠશાળા ને ચિત્રશાળા કેવી રીતે બનાવીએ? ભભકો પણ હશે તો મનુષ્ય આવશે. વૈકુંઠ જવાનો રસ્તો, એક સેકન્ડ માં સમજવાનો રસ્તો. બાપ કહે છે તમોપ્રધાન તો કોઈ વૈકુંઠમાં જઈ ન શકે. નવી દુનિયામાં જવા માટે સતોપ્રધાન બનવાનું છે, આમાં કાંઈ પણ ખર્ચો નથી. ન કોઈ મંદિર કે ચર્ચ વગેરેમાં જવાની દરકાર છે. યાદ કરતાં-કરતાં પવિત્ર બની સીધાં ચાલ્યા જશો સ્વીટ હોમ. અમે ગેરન્ટી કરીએ છીએ તમે ઈમ્પ્યોર (અપવિત્ર) થી પ્યોર (પવિત્ર) આવી રીતે બની જશો. ગોળામાં ગેટ (દ્વાર) મોટો રહેવો જોઈએ. સ્વર્ગ નો ગેટ કેવી રીતે ખુલે છે. કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. નર્ક નો ગેટ બંધ થવાનો છે. સ્વર્ગમાં નર્ક નું નામ નથી હોતું. કૃષ્ણને કેટલું યાદ કરે છે. પરંતુ આ કોઈને ખબર નથી પડતી કે તે ક્યારે આવે છે, કાંઈ પણ નથી જાણતાં. બાપને જ નથી જાણતાં. ભગવાન આપણને ફરી થી રાજયોગ શીખવાડે છે-આ યાદ રહે તો પણ કેટલી ખુશી થશે. આ પણ ખુશી રહે અમે ગોડ ફાધરલી સ્ટુડન્ટ છીએ. આ ભૂલવું કેમ જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- આખો દિવસ મુખ થી બાબા-બાબા નીકળતું રહે, ઓછા માં ઓછું પ્રદર્શની વગેરે સમજાવતા સમયે મુખ થી હજાર વખત બાબા-બાબા નીકળે.
- આ આંખો થી બધુંજ જોવા છતાં, એક બાપ ની યાદ હોય, આપસમાં વાત કરતા ત્રીજા નેત્ર દ્વારા આત્માને અને આત્માનાં બાપ ને જોવા નો અભ્યાસ કરવાનો છે.
વરદાન :-
નીરસ વાતાવરણ માં ખુશીની ઝલક નો અનુભવ કરાવવા વાળા એવર હેપ્પી ( સદા ખુશ ) ભવ .
એવર હેપ્પી અર્થાત્ સદા ખુશ રહેવાનું વરદાન જે બાળકોને પ્રાપ્ત છે તે દુઃખની લહેરો ઉત્પન્ન કરવાવાળા વાતાવરણ માં, નીરસ વાતાવરણ માં, અપ્રાપ્તિ નો અનુભવ કરાવવાવાળા વાતાવરણ માં સદા ખુશ રહેશે અને પોતાની ખુશી ની ઝલક થી દુઃખ અને ઉદાસી નાં વાતાવરણ ને એવું પરિવર્તન કરશે જેમ સૂર્ય અંધકારને પરિવર્તન કરી દે છે. અંધકાર ની વચ્ચે પ્રકાશ ફેલાવવો, અશાંતિની અંદર શાંતિ લાવવી, નીરસ વાતાવરણ માં ખુશી ની ઝલક લાવવી આને કહેવાય છે એવર હેપ્પી. વર્તમાન સમયે આવી સેવા ની આવશ્યકતા છે.
સ્લોગન :-
અશરીરી એ છે જેમને શરીર નું કોઇપણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત ન કરે.