04-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હમણાં તમારે બેહદ ની પવિત્રતા ને ધારણ કરવાની છે , બેહદ ની પવિત્રતા અર્થાત્ એક બાપનાં સિવાય બીજું કોઈ યાદ ન આવે ”

પ્રશ્ન :-
બાપ થી વારસો લેવાનાં પહેલાનો પુરુષાર્થ અને તેના પછીની સ્થિતિ માં શું અંતર હોય છે?

ઉત્તર :-
જ્યારે તમે બાપ થી વારસો લો છો તો દેહનાં બધાં સંબંધો ને છોડી એક બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરો છો અને જ્યારે વારસો મળી જાય છે તો બાપને જ ભૂલી જાઓ છો. હમણાં વારસો લેવાનો છે એટલે કોઈ થી પણ નવાં સંબંધ નથી જોડવાનાં. નહીં તો ભૂલવામાં મુસીબત થશે. બધુંજ ભૂલી એક ને યાદ કરો તો વારસો મળી જશે.

ગીત :-
યહ વક્ત જા રહા હૈ ………

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ બાપ સમજાવે છે-જ્ઞાની અને અજ્ઞાની કોને-કોને કહેવાય છે, આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો. જ્ઞાન છે ભણતર જેનાથી તમે જાણી ગયા છો કે અમે આત્મા છીએ, એ પરમપિતા પરમાત્મા છે. તમે જ્યારે ત્યાંથી મધુબન માં આવો છો તો પહેલાં જરુર પોતાને આત્મા સમજો છો. અમે જઈએ છીએ પોતાનાં બાપની પાસે. બાબા, શિવબાબા ને કહે છે, શિવબાબા છે પ્રજાપિતા બ્રહ્મા નાં તન માં. તે પણ બાબા થઈ ગયાં. તમે ઘરે થી નીકળો છો તો સમજો છો અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. તમે ચિઠ્ઠીમાં પણ લખો છો “બાપદાદા” શિવબાબા, બ્રહ્માદાદા. અમે બાબાની પાસે જઈએ છીએ. બાબા કલ્પ-કલ્પ અમને મળે છે. બાબા અમને બેહદ નો વારસો આપે છે, બેહદ પવિત્ર બનાવી. પવિત્રમાં હદ અને બેહદ છે. તમે પુરુષાર્થ કરો છો બેહદ પવિત્ર સતોપ્રધાન બનવાનાં માટે. નંબરવાર તો હોય જ છે. બેહદ પવિત્ર અર્થાત્ સિવાય એક બેહદનાં બાપનાં, બીજા કોઈની યાદ ન આવે. એ બાબા ખુબ મીઠા છે. ઊંચે થી ઊંચા ભગવાન છે અને બેહદનાં બાપ છે. બધાનાં બાપ છે. આપ બાળકોએ જ ઓળખ્યા છે. બેહદનાં બાપ સદૈવ ભારતમાં જ આવે છે. આવીને બેહદનો સંન્યાસ કરાવે છે. સંન્યાસ પણ મુખ્ય છે ને, જેને વૈરાગ્ય કહેવાય છે. બાપ આખી જૂની છી-છી દુનિયાથી વૈરાગ્ય અપાવે છે. બાળકો આનાથી બુદ્ધિનો યોગ હટાવી દો. આનું નામ જ છે નર્ક, દુઃખધામ. પોતે પણ કહેતા રહે છે, કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા, તો નર્કમાં હતાં ને. હમણાં તમે સમજો છો આ જે કહે છે તે પણ રોંગ (ખોટું) છે. બાપ રાઈટ (સત્ય) વાત બતાવે છે, સ્વર્ગવાસી બનવાનાં માટે. હમણાં જ પુરુષાર્થ કરવાનો હોય છે. સ્વર્ગવાસી બનવાનાં માટે પણ સિવાય બાપનાં બીજા કોઈ પુરુષાર્થ કરાવી ન શકે. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો- ૨૧ જન્મોનાં માટે સ્વર્ગવાસી બનીએ. બનાવવા વાળા છે બાપ. એમને કહેવાય જ છે હેવનલી ગોડ ફાધર. સ્વયં આવીને કહે છે બાળકો-હું પહેલાં તમને શાંતિધામ લઈ જઈશ. માલિક છે ને. શાંતિધામ જઈને પછી આવશું સુખધામ માં પાર્ટ ભજવવાં. આપણે શાંતિધામ જઈશું તો બધાં ધર્મવાળા શાંતિધામ જશે. બુદ્ધિમાં આ આખું ડ્રામાનું ચક્ર રાખવાનું છે. આપણે બધાં જઇશું શાંતિધામ પછી આપણે જ પહેલાં આવીને બાપ થી વારસો પામીએ છીએ. જેમનાથી વારસો પામવાનો હોય છે તેમને યાદ જરૂર કરવાનાં છે. બાળકો જાણે છે વારસો મળી જશે તો પછી બાપની યાદ ભૂલાઈ જશે. વારસો ખૂબ સહજ રીતે મળે છે. બાપ સમ્મુખ કહે છે-મીઠા બાળકો, તમારા જે પણ દેહનાં સંબંધ છે, બધું ભૂલી જાઓ. હમણાં કોઈ પણ નવાં સંબંધ નથી જોડવાનાં. જો કોઈ પણ સંબંધ જોડશો તો પછી તેને ભૂલવો પડશે. સમજો બાળક કે બાળકી પેદા થયા તો તે પણ મુસીબત થઈ. એક્સ્ટ્રા યાદ વધી ને. બાપ કહે છે બધા ને ભૂલી એકને જ યાદ કરવાનાં છે. એ જ આપણાં માત, પિતા, શિક્ષક, ગુરુ વગેરે બધું જ છે, એક બાપ નાં બાળક આપણે ભાઈ-બહેન છીએ. કાકા-મામા વગેરે નો કોઈ સંબંધ નથી. આ એક જ સમય છે જ્યારે કે ભાઈ-બહેન નો સંબંધ જ રહે છે. બ્રહ્મા નાં બાળકો શિવ બાબા નાં બાળકો પણ છે તો પૌત્ર-પૌત્રીઓ પણ છે. આ તો પાકકું બુદ્ધિ માં યાદ આવે છે ને. નંબરવાર પુરુષાર્થ અનુસાર. સ્વદર્શન ચક્રધારી આપ બાળકો હરતાં-ફરતાં બનો છો.

આપ બાળકો આ સમયે ચૈતન્ય લાઈટ હાઉસ છો, તમારી એક આંખમાં મુક્તિધામ, બીજી આંખમાં જીવન મુક્તિધામ છે. તે લાઈટ હાઉસ જડ હોય, તમે છો ચૈતન્ય. તમને જ્ઞાનનું નેત્ર મળેલું છે. તમે જ્ઞાનવાન બની બધાને રસ્તો દેખાડો છો. બાપ પણ તમને ભણાવી રહ્યાં છે. તમે જાણો છો-આ દુઃખધામ છે. આપણે હમણાં સંગમ પર છીએ. બાકી આખી દુનિયા કળયુગમાં છે. સંગમ પર બાપ બાળકોની સાથે બેસી વાત કરે છે અને બાળકો જ અહીંયા આવે છે. કોઈ-કોઈ લખે છે બાબા ફલાણા ને લઈ આવીએ? સારું છે ગુણ ઉઠાવશે, કદાચ તીર લાગી જાય. તો બાબાને પણ રહેમ પડે છે, બની શકે છે કલ્યાણ થઈ જાય. આપ બાળકો જાણો છો આ છે પુરુષોત્તમ સંગમયુગ. આ સમયે જ તમે પુરુષોત્તમ બનો છો. કળયુગમાં બધાં છે કનિષ્ઠ પુરુષ, જે ઉત્તમ પુરુષ લક્ષ્મી-નારાયણને નમન કરે છે. સતયુગમાં કોઈ પણ કોઈ ને નમન નથી કરતાં. અહીંયાની આ બધી વાતો ત્યાં હોતી નથી. આ પણ બાપ સમજાવે છે-સારી રીતે બાપ ની યાદ માં રહી સર્વિસ કરશો તો આગળ ચાલી તમને સાક્ષાત્કાર પણ થતા રહેશે. તમે કોઈ ની પણ ભક્તિ વગેરે નથી કરતાં. તમને બાપ ફક્ત ભણાવે છે. ઘરે બેઠા જાતે જ સાક્ષાત્કાર વગેરે થતાં રહે છે. અનેકોને બ્રહ્મા નો સાક્ષાત્કાર થાય છે, એમનાં સાક્ષાત્કાર માટે કોઈ પુરુષાર્થ નથી કરતાં. બેહદ નાં બાપ આમનાં દ્વારા સાક્ષાત્કાર કરાવે છે. ભક્તિમાર્ગમાં જે જેમનામાં જેવી ભાવના રાખે છે, એમનો સાક્ષાત્કાર થાય છે. હમણાં તમારી ભાવના સૌથી ઊંચે થી ઊંચા બાપ માં છે. તો વગર મહેનતે બાપ સાક્ષાત્કાર કરાવતાં રહે છે. શરુમાં કેટલાં ધ્યાનમાં જતા હતાં, જાતે જ પરસ્પર બેસી ધ્યાનમાં ચાલ્યા જતાં હતાં. કોઈ ભક્તિ થોડી કરી. બાળકો ક્યારે ભક્તિ કરે છે શું? જેમ એક રમત થઇ ગઈ હતી, ચાલો વૈકુંઠ જઈએ. એક-બીજા ને જોતાં ચાલ્યા જતાં હતાં, જે કાંઈ પણ પાસ્ટ (ભૂતકાળ) થયું તે પછી રીપીટ (પુનરાવર્તન) કરશે. તમે જાણો છો આપણે જ આ ધર્મ નાં હતાં. સતયુગમાં પહેલાં-પહેલાં આ ધર્મ છે, આમાં બહુજ સુખ છે. પછી ધીરે-ધીરે કળાઓ ઓછી થતી જાય છે. જે સુખ નવાં મકાન માં હોય છે તે જુનામાં નથી. થોડા સમય પછી એ ભપકો ઓછો થઈ જાય છે. સ્વર્ગ અને નર્ક માં તો ખુબ ફર્ક છે ને. ક્યાં સ્વર્ગ, ક્યાં આ નર્ક! તમે ખુશી માં રહો છો, આ પણ જાણો છો બાપની યાદ પણ પાક્કી રહેશે. આપણે આત્મા છીએ-આ જ ભૂલી જાઓ છો તો પછી દેહ-અભિમાન માં આવી જાઓ છો. અહીંયા બેઠા છો તો પણ કોશિશ કરીને પોતાને આત્મા નિશ્ચય કરો. તો બાપ ની યાદ પણ રહેશે. દેહમાં આવવાથી પછી દેહનાં બધાં સંબંધ યાદ આવશે. આ એક લૉ (કાયદો) છે. તમે ગાઓ પણ છો મારાં તો એક બીજું ન કોઈ. બાબા અમે બલિહાર જઈશું. તે હમણાં સમય છે, એક ને જ યાદ કરવાનાં છે. આંખો થી ભલે કોઈને પણ જુઓ, હરો-ફરો ફક્ત આત્માએ બાપ ને યાદ કરવાનાં છે. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનાં છે. પરંતુ હાથે થી કામ કરતાં, દિલ બાપ ની યાદ માં રહે, આત્માએ પોતાના માશૂકને જ યાદ કરવાનાં છે. કોઈને કોઈ સખી થી પ્રીત થઈ જાય છે તો પછી તેમની યાદ રહી જાય છે. પછી તે રગ તૂટવામાં ખૂબ મુશ્કેલાત થાય છે. પૂછે છે બાબા આ શું છે! અરે, તમે નામ-રુપ માં કેમ ફસાઓ છો. એક તો તમે દેહ-અભિમાની બનો છો અને બીજું પછી તમારા કોઈ પાસ્ટ (ભૂતકાળ) નો હિસાબ-કિતાબ છે, તે દગો આપે છે. બાપ કહે છે આ આંખો થી જે કાંઈ જુઓ છો તેમાં બુદ્ધિ ન જાય. તમારી બુદ્ધિમાં આ રહે કે અમને શિવબાબા ભણાવે છે. એવા ઘણાં બાળકો છે જે અહીંયા બેઠા પણ બાપને ક્યારેય યાદ નથી કરતાં. કોઈ તો અહીંયા બેઠા પણ યાદ માં નથી રહી શકતાં. તો પોતાને જોવું જોઈએ-અમે કેટલું શિવબાબા ને યાદ કર્યું? નહીં તો ચાર્ટ માં રોલો (ઘાટો) પડી જશે.

ભગવાન કહે છે-મીઠા બાળકો, મને યાદ કરો. પોતાની પાસે નોંધ કરો, જ્યારે ઈચ્છો યાદમાં બેસી જાઓ. ખાવાનું ખાઈ ને ચક્કર લગાવી ૧૦-૧૫ મિનિટ આવીને બેસી જાઓ યાદમાં કારણ કે અહીં કોઈ ગોરખધંધો તો છે નહીં. પછી પણ જે કામ-કાજ છોડી ને આવ્યા છો તે કોઈ-કોઈની બુદ્ધિમાં આવતું રહે છે. ખુબ જબરજસ્ત મંજિલ છે, ત્યારે બાબા કહે છે પોતાની તપાસ કરો. આ તમારો મોસ્ટ વેલ્યુએબલ (ખુબ મુલ્યવાન) સમય છે. ભક્તિમાર્ગ માં તમે કેટલો ટાઈમ વેસ્ટ કર્યો છે. દિવસ-પ્રતિદિવસ ઉતરતાં જ રહો છો. કૃષ્ણનો દીદાર થયો, ખુબ ખુશી થઇ જાય છે. મળતું તો કાંઈ પણ નથી. બાપનો વારસો તો એક જ વખત મળે છે, હવે બાપ કહે છે મારી યાદ માં રહો તો તમારા જન્મ-જન્માન્તરનાં પાપ ભુસાઈ જાય. સ્વર્ગ નો પાસપોર્ટ તેજ બાળકોને મળે છે જે યાદ માં રહી પોતાના વિકર્મો નો વિનાશ કરી કર્માતીત અવસ્થાને પામે છે. નહીં તો ખૂબ સજા ખાવી પડે છે. બાબા બીજી પણ સલાહ આપે છે પોતાનાં તાજ અને તખ્ત નો ફોટો પોતાનાં પોકેટ માં રાખી દો તો યાદ રહેશે. આનાથી અમે આ બનીએ છીએ. જેટલું જોશો એટલું યાદ કરશો. પછી તેમાં જ મોહ લાગી જશે. અમે આ બની રહ્યા છીએ-નર થી નારાયણ, ચિત્ર જોઈને ખુશી થશે. શિવબાબા યાદ આવશે. આ બધી પુરુષાર્થ ની યુક્તિઓ છે. કોઈ ને પણ તમે પૂછો સત્ય નારાયણની કથા સાંભળવાથી શું થાય છે? અમારા બાબા અમને સત્ય નારાયણની કથા સંભળાવી રહ્યાં છે. કેવી રીતે ૮૪ જન્મ લીધા છે, તે પણ હિસાબ તો જોઈએ ને. બધાં તો ૮૪ જન્મ લેશે નહીં. દુનિયાને તો કાંઈ પણ ખબર નથી. એમ જ મુખ થી ફક્ત કહી દે છે-આને કહેવાય છે થ્યોરીટીકલ (સિદ્ધાંતિક). આ છે તમારું પ્રેક્ટીકલ (પ્રાયોગિક). હમણાં જે થઈ રહ્યું છે એનાં પછી ભક્તિમાર્ગમાં પુસ્તક વગેરે બનશે. તમે સ્વદર્શન ચક્રધારી બની ને વિષ્ણુપુરી માં આવો છો. આ છે નવી વાત. રાવણ રાજ્ય જુઠ્ઠ ખંડ, પછી સચ ખંડ રામરાજ્ય હશે. ચિત્રોમાં ખૂબ ક્લિયર (સ્પષ્ટ) છે. હમણાં આ જૂની દુનિયાનો અંત છે, ૫ હજાર વર્ષ પહેલાં પણ વિનાશ થયો હતો. સાઈન્સદાન (વૈજ્ઞાનિક) જે પણ છે તેમને વિચાર માં આવે છે કે અમને કોઈ પ્રેરે છે, જે અમે આ બધું કરતાં રહીએ છીએ. સમજે પણ છે અમે આ કરશું તો આનાથી બધું ખતમ થઇ જશે. પરંતુ પરવશ છે, ડર લાગેલો છે. સમજે છે ઘરે બેઠા એક બોમ છોડશું તો ખતમ કરી દેશું. એરોપ્લેન, પેટ્રોલ વગેરે ની પણ દરકાર નહીં રહેશે. વિનાશ તો જરુર થવાનો જ છે. નવી દુનિયા સતયુગ હતું, ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું ફરી હવે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. આગળ ચાલી સમજશે-તમે જાણો છો સ્થાપના જરુર થવાની છે. આમાં તો પાઈ નો પણ સંશય નથી.

આ ડ્રામા ચાલતો રહે છે કલ્પ પહેલાં માફક. ડ્રામા જરુર પુરુષાર્થ કરાવશે. એવું પણ નથી, જે ડ્રામા માં હશે તે થશે….. પૂછે છે પુરુષાર્થ મોટો કે પ્રાલબ્ધ મોટી? પુરુષાર્થ મોટો કારણ કે પુરુષાર્થની જ પ્રાલબ્ધ બનશે. પુરુષાર્થ વગર ક્યારેય કોઈ રહી ન શકે. તમે પુરુષાર્થ કરી રહ્યાં છો ને. ક્યાંય-ક્યાંથી બાળકો આવે છે, પુરુષાર્થ કરે છે. કહે છે બાબા અમે ભૂલી જઈએ છે. અરે, શિવબાબા તમને કહે છે મને યાદ કરો, કોને કહ્યું? મુજ આત્માને કહ્યું. બાપ આત્માઓ થી જ વાત કરે છે. શિવબાબા જ પતિત-પાવન છે, આ આત્મા પણ એમનાથી સાંભળે છે. આપ બાળકોને આ પાક્કો નિશ્ચય રહેવો જોઈએ કે બેહદનાં બાપ અમને વિશ્વનાં માલિક બનાવે છે. એ છે ઊંચે થી ઊંચા, પ્રિય થી પ્રિય બાપ. ભક્તિમાર્ગ માં એમને જ યાદ કરતા હતાં, ગાએ પણ છે તમારી ગતિ-મતિ ન્યારી. તો જરુર મત આપી હતી. હવે તમારી બુદ્ધિમાં છે-આટલાં બધાં મનુષ્ય માત્ર પાછાં ઘરે જશે. વિચાર કરો કેટલી આત્માઓ છે, બધાનો સિજરો (વિભાગ) છે. બધી આત્માઓ પછી નંબરવાર જઈને બેસશે. ક્લાસ ટ્રાન્સફર થાય છે તો નંબરવાર બેસે છે ને. તમે પણ નંબરવાર જાઓ છો. નાની બિંદી (આત્મા) નંબરવાર જઈને બેસશે પછી નંબરવાર આવશે પાર્ટમાં. આ છે રુદ્રમાળા. બાપ કહે છે આટલાં કરોડ આત્માઓની મારી માળા છે. ઉપરમાં હું ફૂલ છું પછી પાર્ટ ભજવવા માટે બધાં અહીંયા જ આવે છે. આ ડ્રામા બનેલો છે. કહેવાય પણ છે બન્યો બનેલો ડ્રામા છે. કેવી રીતે આ ડ્રામા ચાલે છે તે તમે જાણો છો. બધાને આ જ બતાવો કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે પછી તમે ચાલ્યા જશો. આ મહેનત છે. બધાને રસ્તો બતાવવાનો છે, તમારી ફરજ છે. તમે કોઈ દેહધારીમાં નથી ફસાવતાં. બાપ તો કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઇ જશે. બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે તે તો કરવું પડશે. પૂછવાની શું વાત. કાંઈ પણ કરીને યાદ જરુર કરો, આમાં બાબા શું કૃપા કરશે. યાદ તમારે કરવાનું છે, વારસો તમારે લેવાનો છે. બાપ સ્વર્ગ નાં રચયિતા છે તો જરુર સ્વર્ગ નો વારસો મળશે. હમણાં તમે જાણો છો આ ઝાડ જૂનું થઈ ગયું છે એટલે આ જૂની દુનિયા થી વૈરાગ્ય છે. આને કહેવાય છે બેહદ નો વૈરાગ્ય. તે હઠયોગીઓ નો છે હદનો વૈરાગ્ય. તેઓ બેહદનો વૈરાગ્ય શીખવાડી ન શકે. બેહદનો વૈરાગ્ય વાળા પછી હદ નો કેવી રીતે શીખવાડશે. હવે બાપ કહે છે સિકિલધા બાળકો, તમે પણ કહો છો કેટલાં સિકિલધા બાપ છે. ૬૩ જન્મ બાપ ને યાદ કર્યા છે, બસ અમારા તો એક બાપ બીજું ન કોઈ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વર્ગ માં જવાનો પાસપોર્ટ લેવાનાં માટે બાપની યાદ થી પોતાનાં વિકર્મો નો વિનાશ કરી કર્માતીત અવસ્થા બનાવવાની છે. સજાઓ થી બચવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. જ્ઞાનવાન બની બધાને રસ્તો બતાવવાનો છે, ચૈતન્ય લાઈટ હાઉસ બનવાનું છે. એક આંખ માં શાંતિધામ, બીજી આંખ માં સુખધામ રહે. આ દુઃખધામ ને ભૂલી જવાનું છે.

વરદાન :-
પોતાનાં ડબલ લાઈટ સ્વરુપ દ્વારા આવવાવાળા વિઘ્નો ને પાર કરવાવાળા તીવ્ર પુરુષાર્થી ભવ

આવવા વાળા વિઘ્નો માં થાકવા કે દિલશિકસ્ત થવાનાં બદલે સેકન્ડ માં સ્વયં ને આત્મિક જ્યોતિ સ્વરુપ અને નિમિત્ત ભાવ નાં ડબલ લાઈટ સ્વરુપ દ્વારા સેકન્ડ માં હાઈ જમ્પ (છલાંગ) આપો. વિઘ્ન રુપી પથ્થરને તોડવામાં સમય નહીં ગુમાવો. જમ્પ લગાવો અને સેકન્ડ માં પાર થઈ જાઓ. થોડીક વિસ્મૃતિ ને કારણે સહજ માર્ગ ને મુશ્કેલ નહીં બનાવો. પોતાનાં જીવનની ભવિષ્ય શ્રેષ્ઠ મંજિલને સ્પષ્ટ જોતાં તીવ્ર પુરુષાર્થી બનો. જે નજર થી બાપદાદા કે વિશ્વ તમને જોઈ રહ્યું છે એવાં શ્રેષ્ઠ સ્વરુપ માં સદા સ્થિત રહો.

સ્લોગન :-
સદા ખુશ રહેવું અને ખુશી વહેંચવી-આ જ સૌથી મોટી શાન છે.