01-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી ભણવાનું અને ભણાવવાનું છે , ખુશી અને પદ નો આધાર છે ભણતર ”

પ્રશ્ન :-
સર્વિસ (સેવા) ની સફળતાનાં માટે મુખ્ય ગુણ કયો જોઈએ?

ઉત્તર :-
સહનશીલતા નો. દરેક વાતમાં સહનશીલ બનીને આપસ માં સંગઠન બનાવી સર્વિસ કરો. ભાષણ વગેરે નાં પ્રોગ્રામ લઈને આવો. મનુષ્યો ને નિંદ્રા થી જગાડવા માટે અનેક પ્રબંધ નીકળશે. જે તકદીરવાન બનવા વાળા છે તે ભણતર પણ રુચી થી ભણશે.

ગીત :-
હમેં ઉન રાહો પર ચલના હૈ ….

ઓમ શાંતિ!
શું વિચાર કરીને અહીંયા મધુબનમાં આપ બાળકો આવો છો! શું ભણતર ભણવા આવો છો? કોની પાસે? (બાપદાદાની પાસે) આ છે નવી વાત. ક્યારેય એવું પણ સાંભળ્યું છે કે બાપદાદાની પાસે ભણવા જઈએ છીએ, એ પણ બાપદાદા બંને ભેગા છે. વન્ડર (અદ્દભુત) છે ને. તમે વન્ડરફુલ બાપની સંતાન છો. આપ બાળકો પણ ન રચતા, ન રચના નાં આદિ-મધ્ય-અંતને જાણતા હતાં. હવે એ રચતા અને રચનાને તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણ્યાં છે. જેટલાં જાણ્યાં છે અને જેટલું જેમને સમજાવો છો એટલી ખુશી અને ભવિષ્યનું પદ હશે. મૂળ વાત છે હમણાં આપણે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણીએ છીએ. ફક્ત આપણે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ જ જાણીએ છીએ. જ્યાં સુધી જીવવાનું છે, પોતાને નિશ્ચય કરવાનો છે કે અમે બી.કે. છીએ અને શિવબાબા થી વારસો લઈ રહ્યાં છીએ આખા વિશ્વનો. પૂરી રીતે ભણો છો કે ઓછું ભણો છો, તે વાત અલગ છે, છતાં પણ જાણો તો છો ને. આપણે એમનાં બાળકો છીએ પછી પ્રશ્ન ઊઠે છે ભણવા અથવા ન ભણવાનો. તે અનુસાર જ પદ મળશે. ખોળામાં આવ્યાં નિશ્ચય તો હશે અમે રાજાઈ ના હકદાર બનીએ. પછી ભણતર માં પણ રાત-દિવસનો ફરક પડી જાય છે. કોઈ તો સારી રીતે ભણે છે અને ભણાવે છે બીજું કંઈ સૂઝતું જ નથી. બસ ભણવાનું અને ભણાવવાનું છે, આ અંત સુધી ચાલવાનું છે. સ્ટુડન્ટ લાઇફ (વિદ્યાર્થી જીવન) માં કોઈ અંત સુધી ભણતર નથી ચાલતું. સમય હોય છે. તમારે તો જ્યાં સુધી જીવવાનું છે ભણવાનું અને ભણાવવાનું છે. પોતાના થી પૂછવાનું છે કેટલાને બાપ રચયિતા નો પરિચય આપો છો? મનુષ્ય તો મનુષ્ય જ છે. જોવામાં કોઈ ફરક નથી પડતો. શરીર માં ફરક નથી. આ અંદર બુદ્ધિ માં ભણતર ગુંજતું રહે છે. જેટલું જે ભણશે, એટલી તેમને ખુશી પણ રહેશે. અંદર માં આ રહે છે કે અમે નવાં વિશ્વનાં માલિક બનશું. હવે આપણે સ્વર્ગ દ્વાર જઈએ છીએ. પોતાનાં દિલથી સદૈવ પૂછતા રહો, અમારા માં કેટલો ફરક છે? બાપએ અમને પોતાનાં બનાવ્યાં છે, અમે શું થી શું બનીએ છીએ. ભણતર પર જ આધાર છે. ભણતર થી મનુષ્ય કેટલા ઊંચા બને છે. તે તો બધાં અલ્પકાળ ક્ષણભંગુર નાં પદ છે. તેમાં કાંઈ પણ રાખ્યું નથી. જેમ કે કોઈ કામના નથી. લક્ષણ કાંઈ પણ નહોતાં. હવે આ ભણતર થી કેટલાં ઊંચા બનીએ છીએ. બધું એટેન્શન (ધ્યાન) ભણતર પર આપવાનું છે. જેમની તકદીરમાં છે તેમનું દિલ ભણતર માં લાગે છે. બીજાઓને પણ ભણતર માટે ભિન્ન-ભિન્ન રીતે પુરુષાર્થ કરાવતાં રહે છે. દિલ થાય છે તેમને ભણાવીને વૈકુંઠનાં માલિક બનાવીએ. મનુષ્યો ને નિંદ્રા થી જગાડવા માટે કેટલું માથું મારતાં રહો છો અને મારતાં રહેશો. આ પ્રદર્શની વગેરે તો કાંઈ નથી, આગળ ચાલીને બીજા પ્રબંધ નીકળશે સમજવા માટે. હમણાં બાપ પાવન બનાવી રહ્યાં છે તો બાપ ની શિક્ષા પર અટેન્શન આપવું જોઈએ. દરેક વાતમાં સહનશીલ પણ થવું જોઈએ. આપસ માં મળીને સંગઠન કરી ભાષણ વગેરે નો પ્રોગ્રામ રાખવો જોઈએ. એક અલ્ફ પર પણ આપણે ખુબ સારું સમજાવી શકીએ છીએ. ઊંચે થી ઊંચા ભગવાન કોણ? એક અલ્ફ પર તમે બે કલાક ભાષણ કરી શકો છો. આ પણ તમે જાણો છો અલ્ફ ને યાદ કરવાથી ખુશી રહે છે. જો બાળકોને યાદની યાત્રામાં અટેન્શન ઓછું છે, અલ્ફ ને યાદ નથી કરતાં તો નુકસાન જરુર થાય છે. બધો આધાર યાદ પર છે. યાદ કરવાથી એકદમ હેવન (સ્વર્ગ) માં ચાલ્યાં જાય છે. યાદ ભુલવા થી જ નીચે પડો છો. આ વાતોને બીજા કોઈ સમજી ન શકે. શિવબાબા ને તો જાણતાં જ નથી. ભલે કેટલાં પણ કોઈ ભપકા થી પૂજા કરતાં હોય, યાદ કરતાં હોય છતાં પણ સમજતા નથી.

તમને બાપ થી ખુબ મોટી જાગીર મળે છે. ભક્તિમાર્ગ માં કૃષ્ણનો દીદાર કરવા માટે કેટલાં માથા મારે છે, સારા દર્શન થયાં પછી શું? ફાયદો તો કાંઈ પણ થયો નહીં. દુનિયા જુઓ કઈ વાતો પર ચાલી રહી છે. તમે જેમકે શેરડીનો રસ શુગર પીવો છો, બાકી બધાં મનુષ્ય છોતરા ચૂસે છે. તમે હમણાં શુગર પીને પૂરું પેટ ભરી અડધો કલ્પ સુખ પામો છો, બાકી બધાં ભક્તિમાર્ગનાં છોતરા ચૂસતા નીચે ઉતરતા આવે છે. હવે બાપ કેટલાં પ્રેમ થી પુરુષાર્થ કરાવે છે. પરંતુ તકદીરમાં છે નહીં તો અટેન્શન નથી આપતાં. ન પોતે અટેન્શન આપે છે, ન બીજાઓને આપવા દે છે. ન પોતે અમૃત પીવે છે, ન પીવા દે છે. અનેકો ની આવી એક્ટિવિટી (પ્રવૃત્તિ) ચાલે છે. જો પૂરી રીતે ભણતાં નથી, રહેમદિલ નથી બનતાં, કોઈનું કલ્યાણ નથી કરતાં તો તે તો શું પદ પામશે! ભણવા અને ભણાવવા વાળા કેટલું ઊંચ પદ પામે છે. ભણતાં નથી તો શું પદ હશે-તે પણ આગળ ચાલી રીઝલ્ટ (પરિણામ) ની ખબર પડી જશે. પછી સમજશે-બરાબર બાબા અમને કેટલી વોર્નિંગ (ચેતવણી) આપતા હતાં. અહીંયા બેઠાં છો, બુદ્ધિમાં રહેવું જોઈએ-અમે બેહદ નાં બાપ ની પાસે બેઠાં છીએ. એ આપણને ઉપરથી આવીને આ શરીર દ્વારા ભણાવે છે કલ્પ પહેલાં માફક. હવે આપણે ફરીથી બાપ ની સામે બેઠાં છીએ. એમની સાથે જ આપણે જવાનું છે. છોડી ને નથી જવાનું. બાપ આપણને સાથે લઈ જશે. આ જૂની દુનિયા વિનાશ થઇ જશે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. આગળ ચાલીને જાણશે, બરાબર જૂની દુનિયા ખતમ થવાની છે. મળી તો કાંઈ પણ નહિં શકે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. ટૂ લેટ (ખુબ મોડું) થઇ જશે. હિસાબ-કિતાબ ચૂકતું કરી બધાએ પાછાં જવાનું છે. આ પણ જે સેન્સિબલ (સમજદાર) બાળકો છે તે જાણે છે. બાળકો તે જે સર્વિસ પર ઉપસ્થિત છે. માં-બાપ ને ફોલો (અનુસરણ) કરે છે. જેમ બાપ રુહાની સેવા કરે છે તેમ તમારે કરવાની છે. ઘણાં બાળકો છે જેમને આ ધૂન લાગી રહે છે, જેમની બાબા મહિમા કરે છે, તેમના જેવાં બનવાનું છે. શિક્ષક મળે તો બધાને છે. અહીંયા પણ બધાં આવે છે. અહીંયા તો મોટાં શિક્ષક બેઠાં છે. બાપ ને યાદ જ નથી કરતાં તો સુધરશે કેવી રીતે. નોલેજ તો ખુબ સહજ છે. ૮૪ જન્મોનું ચક્ર છે કેટલું સહજ. પરંતુ કેટલું માથું મારવું પડે છે. બાપ કેટલી સહજ વાત સમજાવે છે. બાપને અને ૮૪ નાં ચક્રને યાદ કરો તો બેડો પાર થઇ જશે. આ મેસેજ (સંદેશ) બધાને આપવાનો છે. પોતાનાં દિલથી પૂછો-ક્યાં સુધી મેસેન્જર (સંદેશ વાહક) બન્યો છું? જેટલાં અનેકો ને જગાડશું એટલાં ઈનામ મળશે, જો જગાડતો નથી તો જરુર ક્યાંય સૂતેલો છું પછી મને એટલું ઊંચું પદ તો મળશે નહીં. બાબા રોજ-રોજ કહે છે સાંજે પોતાનો આખા દિવસનો પોતામેલ નીકાળો. સર્વિસ પર પણ રહેવાનું છે. મૂળ વાત છે બાપ નો પરિચય આપવો. બાપે જ ભારતને સ્વર્ગ બનાવ્યું હતું. હમણાં નર્ક છે પછી સ્વર્ગ હશે. ચક્ર તો ફરવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ ને યાદ કરો તો વિકાર નીકળી જશે. સતયુગ માં ખુબ થોડાં હોય છે. પછી રાવણ રાજ્યમાં કેટલી વૃદ્ધિ થાય છે. સતયુગ માં ૯ લાખ પછી ધીરે-ધીરે વૃદ્ધિને પામશે. જે પહેલાં પાવન હતાં તેજ પછી પતિત બને છે. સતયુગ માં દેવતાઓનો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. તેજ પછી અપવિત્ર પ્રવૃત્તિવાળા બની ગયાં છે. ડ્રામા અનુસાર આ ચક્ર ફરવાનું જ છે. હવે ફરી તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ નાં બની રહ્યાં છો. બાપ જ આવીને પવિત્ર બનાવે છે. કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે અડધોકલ્પ પવિત્ર હતાં પછી રાવણ રાજ્યમાં તમે પતિત બન્યાં છો. આ પણ તમે હમણાં સમજો છો. અમે પણ બિલકુલ વર્થ નોટ એ પેની (કોડી તુલ્ય) હતાં. હમણાં કેટલું નોલેજ મળ્યું છે. જેનાથી આપણે શું થી શું બનીએ છીએ! બાકી જે પણ આટલાં ધર્મ છે, આ ખતમ થઈ જવાનાં છે. બધાં મરશે એવી રીતે જેમ જનાવર મરે છે. જેમ બરફ પડે છે તો કેટલાં જનાવર પક્ષી વગેરે મરી જાય છે. નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ) પણ આવશે. આ બધું ખતમ થઇ જશે. આ બધાં મરેલાં પડ્યાં છે. આ આંખો થી જે તમે જુઓ છો તે પછી નહીં હશે. નવી દુનિયામાં બિલકુલ જ થોડાં જ રહેશે. આ જ્ઞાન તમારી બુદ્ધિમાં છે, જ્ઞાનનાં સાગર બાપ જ તમને જ્ઞાનનો વારસો આપી રહ્યાં છે. તમે જાણો છો આખી દુનિયામાં કાદવ જ કાદવ છે. આપણે પણ કાદવ માં મેલા પડ્યાં હતાં. બાબા કાદવ થી કાઢીને હવે કેટલાં ગુલ-ગુલ બનાવી રહ્યાં છે. આપણે આ શરીર છોડીશું, આત્મા પવિત્ર થઈ જશે.

બાપ બધાને એકરસ ભણતર ભણાવે છે પરંતુ ઘણાં ની બુદ્ધિ બિલકુલ જડ છે, કાંઈ પણ સમજી નથી શકતાં. આ પણ ડ્રામા માં નોંધ છે. બાપ કહે છે એમની તકદીરમાં નથી તો હું પણ શું કરી શકું. હું તો બધાને એકરસ ભણાવું છે. ભણે નંબરવાર છે. કોઈ સારી રીતે સમજી અને સમજાવે છે, બીજાઓનું પણ જીવન હીરા જેવું બનાવે છે. કોઈ તો બનાવતાં જ નથી. ઉલટો અહંકાર કેટલો છે. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા ને માઈન્ડ (બુદ્ધિ) નો કેટલો ઘમંડ છે, દૂર-દૂર આકાશને, સમુદ્ર ને જોવાં ઈચ્છે છે. બાપ કહે છે આનાથી કોઈ ફાયદો જ નથી. મફત સાયન્સ ઘમંડી પોતાનું માથું ખરાબ કરી રહ્યાં છે. મોટો-મોટો પગાર તેમને મળે છે, બધું વેસ્ટ કરતાં રહે છે. એવું નહીં કે સોનાની દ્વારિકા કોઈ નીચેથી નીકળી આવશે. આ તો ડ્રામા નું ચક્ર છે જે ફરતું રહે છે. પછી આપણે સમય પર પોતાનાં મહેલ જઈને બનાવશું-નવી દુનિયામાં. કોઇ આશ્ચર્ય ખાય છે, શું એવાં જ મકાન ફરી બનશે. જરુર, બાપ દેખાડે છે તમે ફરી એવાં સોનાનાં મહેલ બનાવશો. ત્યાં તો સોનુ ખુબ રહે છે. હમણાં સુધી પણ કોઈ-કોઈ તરફ સોનાની પહાડીઓ ખુબ છે પરંતુ સોનું નીકાળી નથી શકતાં. નવી દુનિયામાં તો સોનાની અથાહ ખાણો હતી, તે ખતમ થઈ ગઈ. હમણાં હીરાનો ભાવ પણ જુવો કેટલો છે. આજે આટલાં ભાવ, કાલે પથ્થરો માફક થઇ જશે. બાપ આપ બાળકોને ખુબ વન્ડરફુલ વાતો સંભળાવે છે અને સાક્ષાત્કાર પણ કરાવે છે. આપ બાળકોની હવે બુદ્ધિમાં આજ રહેવાનું છે - આપણે આત્માઓએ પોતાનું ઘર છોડે ૫ હજાર વર્ષ થયાં છે જેને મુક્તિધામ કહે છે. ભક્તિમાર્ગમાં મુક્તિ માટે કેટલું માથુ મારે છે પરંતુ હમણાં તમે સમજો છો સિવાય બાપનાં કોઈ મુક્તિ આપી નથી શકતું. સાથે લઈ નથી જઈ શકતું. હમણાં આપ બાળકોની બુદ્ધિમાં નવી દુનિયા છે, જાણો છો આ ચક્ર ફરવાનું છે, તમારે બીજી કોઈ વાતોમાં જવાનું નથી. ફક્ત બાપ ને યાદ કરવાનાં છે, બધાને આ જ કહેતાં રહો-બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બાપે તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં ને. તમે મારી શિવજયંતી પણ મનાવો છો. કેટલાં વર્ષ થયાં? ૫ હજાર વર્ષની વાત છે. તમે સ્વર્ગવાસી બન્યાં હતાં પછી ૮૪ નું ચક્ર લગાવ્યું છે. આ પણ ડ્રામા બનેલો છે. તમને આ સૃષ્ટિ ચક્ર આવીને સમજાવું છું. હમણાં આપ બાળકોને સ્મૃતિ આવી છે, ખૂબ સારી રીતે થી. આપણે સૌથી ઊંચા પાર્ટધારી છીએ. આપણો પાર્ટ બાબાની સાથે છે, આપણે બાબાની શ્રીમત પર બાબા ની યાદ માં રહીને બીજાઓને પણ આપસમાન બનાવીએ છીએ. જે કલ્પ પહેલાં હતાં તે જ બનશે. સાક્ષી થઈને જોતાં રહેશે અને પુરુષાર્થ પણ કરાવતાં રહેશે. સદા ઉમંગમાં રહેવા માટે રોજ એકાંતમાં બેસી પોતાની સાથે વાતો કરો. બાકી થોડો સમય આ અશાંત દુનિયા માં છીએ, પછી તો અશાંતિ નું નામ જ નહીં રહેશે. કોઈ મુખ થી કહી ન શકે કે મનની શાંતિ કેવી રીતે મળે. શાંતિનાં માટે તો જાય છે પરંતુ શાંતિ નાં સાગર તો એક બાપ જ છે, બીજા કોઈ પાસે આ વસ્તુ છે નહીં. તેમ આપ બાળકોની બુદ્ધિમાં ગુંજવું જોઈએ-રચતા અને રચનાને જાણવું - આ છે જ્ઞાન. તે શાંતિનાં માટે, તે સુખનાં માટે. સુખ હોય છે ધનથી. ધન નથી તો મનુષ્ય કામ નાં નથી. ધનનાં માટે મનુષ્ય કેટલાં પાપ કરે છે. બાપે અથાહ ધન આપ્યું છે. સ્વર્ગ સોનાનું, નર્ક પથ્થરોનું.

અચ્છા!મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સમય નીકાળી એકાંતમાં પોતે પોતાથી વાતો કરી પોતાને ઉમંગમાં લાવવાનાં છે. આપસમાન બનાવવાની સેવાની સાથે-સાથે સાક્ષી થઈને દરેક નાં પાર્ટને જોવાનો અભ્યાસ કરવાનો છે.

2. બાપ ને યાદ કરી પોતે પોતાને સુધારવાનાં છે. પોતાનાં દિલથી પૂછવાનું છે કે હું મેસેન્જર બન્યો છું, કેટલાં ને આપસમાન બનાવ્યાં છે?

વરદાન :-
સાઈલેન્સ ( શાંતિ ) ની શક્તિ દ્વારા વિશ્વમાં પ્રત્યક્ષતા નાં નગારાં વગાડવા વાળા શાંત સ્વરુપ ભવ

ગાવાયેલું છે “સાયન્સ નાં ઉપર સાઈલેન્સ ની જીત,” ન કે વાણીની. જેટલો સમય કે સંપૂર્ણતા સમીપ આવતી જશે એટલાં ઓટોમેટીક (આપોઆપ) અવાજ માં અધિક આવવાથી વૈરાગ્ય આવતો જશે. જેમ હમણાં ઇચ્છતા હોવા છતાં પણ આદત અવાજ માં લઈ આવે છે તેમ ઇચ્છતા હોવા છતાં પણ અવાજ થી પરે થઈ જશો. પ્રોગ્રામ બનાવીને અવાજ માં આવશો. જ્યારે આ ચેન્જ (પરિવર્તન) દેખાય ત્યારે સમજો હવે વિજયનાં નગારાં વાગવાનાં છે, એનાં માટે જેટલો સમય મળે-શાંત સ્વરુપ સ્થિતિમાં રહેવાનાં અભ્યાસી બનો.

સ્લોગન :-
ઝીરો બાપ ની સાથે રહેવા વાળા જ હીરો પાર્ટધારી છે.