05-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
હમણાં જ્ઞાનની દૃષ્ટિ મળી છે , એટલે તમારું ભટકવાનું બંધ થયું , તમે શાંતિધામ -
સુખધામ ને યાદ કરો છો ”
પ્રશ્ન :-
દેવતાઓમાં કઈ
તાકાત છે અને એ તાકાત કઈ વિશેષતાને કારણે છે?
ઉત્તર :-
દેવતાઓમાં આખાં વિશ્વ પર રાજ્ય કરવાની તાકાત છે. એ તાકાત વિશેષ એક મત ની વિશેષતા ને
કારણે છે. ત્યાં એક મત હોવાનાં કારણે વજીર વગેરે રાખવાની દરકાર નથી. દેવતાઓએ સંગમ
પર બાપ થી એવી શ્રીમત લીધેલી છે જે ૨૧ જન્મ રાજ્ય કરે છે. ત્યાં એક રાજાની એક દેવી
ફેમિલી (પરિવાર) હોય, બીજી મત હોતી નથી.
ગીત :-
નયન હીન કો
રાહ દિખાઓ પ્રભૂ …….
ઓમ શાંતિ!
બાળકોને નયન
મળ્યાં છે, પહેલાં નયન નહોતાંં, કયા નયન. જ્ઞાન નાં નયન નહોતાંં. અજ્ઞાન નાં નયન તો
હતાંં. બાળકો જાણે છે જ્ઞાન સાગર તો એક જ બાપ છે. બીજા કોઈ માં આ રુહાની જ્ઞાન છે
નહીં, જે જ્ઞાનથી સદ્દગતિ થાય અર્થાત્ શાંતિધામ-સુખધામ જવાનું થાય. હમણાં આપ બાળકોને
દૃષ્ટિ મળી છે-કેવી રીતે સુખધામ બદલાઈ પછી માયાનું રાજ્ય કે દુઃખધામ બને છે. પોકારવા
લાગે છે કે નયનહીન ને રાહ બતાવો. ભક્તિમાર્ગ નાં યજ્ઞ, દાન-પુણ્ય વગેરે થી કોઈ રાહ
(માર્ગ) નથી મળતી-શાંતિધામ-સુખધામ જવાની. દરેક ને પોતાનો પાર્ટ ભજવવાનો જ છે. બાપ
કહે છે મને પણ પાર્ટ મળેલો છે. ભક્તિમાર્ગ માં પોકારે છે મુક્તિ-જીવનમુક્તિ ની રાહ
બતાવો. તેનાં માટે કેટલાં યજ્ઞ-તપ, દાન-પુણ્ય વગેરે કરે છે, કેટલાં ભટકે છે.
શાંતિધામ-સુખધામ માં ભટકવાનું હોતું જ નથી. આ પણ તમે જાણો છો, તે તો ફક્ત શાસ્ત્રોનું
ભણતર અને શારીરિક ભણતરને જ જાણે છે. આ રુહાની બાપને તો બિલકુલ જાણતા જ નથી. રુહાની
બાપ જ્ઞાન ત્યારે આવી ને આપે છે જ્યારે કે સર્વની સદ્દગતિ થાય છે. જૂની દુનિયા
બદલાવાની હોય છે. મનુષ્ય થી દેવતા બને છે પછી આખી સૃષ્ટિ પર એક જ રાજ્ય હોય છે
દેવી-દેવતાઓનું, જેને જ સ્વર્ગ કહે છે. આ પણ ભારતવાસી જાણે છે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ ભારતમાં જ હતો. તે સમયે કોઈ બીજો ધર્મ નહોતો. આપ બાળકોનાં માટે હમણાં છે
સંગમયુગ. બાકી બધાં છે કળયુગમાં. તમે પુરુષોત્તમ સંગમયુગ પર બેઠાં છો. જે-જે બાપ ને
યાદ કરે છે, બાપ ની શ્રીમત પર ચાલે છે, તે સંગમયુગ પર છે. બાકી કળયુગમાં છે. હમણાં
કોઈ સાવરન્ટી (રાજાઈ), કિંગડમ (રાજધાની) તો છે નહીં. અનેકમતો થી રાજ્ય ચાલે છે,
સતયુગમાં તો એક મહારાજા ની જ મત ચાલે છે, વજીર નથી હોતાં. એટલી તાકાત રહે છે. પછી
જ્યારે પતિત બને છે તો વજીર વગેરે રાખે છે કારણ કે તે તાકાત નથી રહેતી. હમણાં તો છે
જ પ્રજા નું રાજ્ય, સતયુગ માં એક મત હોવાથી તાકાત રહે છે. હમણાં તમે તે તાકાત લઈ
રહ્યાં છો, ૨૧ જન્મ ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) રાજાઈ કરો છો. પોતાનું જ દેવી ફેમિલી
છે. હમણાં જ આ છે તમારો ઈશ્વરીય પરિવાર. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ની યાદ
માં રહો છો તો તમે ઈશ્વરીય પરિવારનાં છો. જો દેહ-અભિમાન માં આવી ને ભૂલી જાઓ છો તો
આસુરી પરિવારનાં છો. એક સેકન્ડમાં ઈશ્વરીય સંપ્રદાયનાં અને પછી એક સેકન્ડમાં આસુરી
સંપ્રદાયનાં બની જાઓ છો. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનું કેટલું સહજ છે. પરંતુ
બાળકોને મુશ્કિલ લાગે છે.
બાપ કહે છે સ્વયંને આત્મા સમજી અને બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. દેહ દ્વારા
કર્મ તો કરવાનાં જ છે. દેહ વગર તો તમે કર્મ કરી નહિં શકશો. કોશિશ કરવાની છે કામકાજ
કરતાં પણ અમે બાપ ને યાદ કરીએ. પરંતુ અહીંયા તો વગર કામે પણ યાદ નથી કરી શકતાં. ભૂલી
જાય છે. આજ મહેનત છે. ભક્તિ માં એવું કાંઈ થોડી કહેવાય કે આખો દિવસ ભક્તિ કરો. તેમાં
ટાઈમ હોય છે સવાર, સાંજ કે રાતનો. પછી મંત્ર વગેરે જે મળે છે, તે બુદ્ધિમાં રહે છે.
અનેકાનેક શાસ્ત્ર છે. તે ભક્તિમાર્ગમાં વાંચે છે. તમારે તો કોઈ પુસ્તક વગેરે નથી
વાંચવાનું, ન બનાવવાનું છે. આ મુરલી છપાવે પણ છે રિફ્રેશ થવા માટે. બાકી કોઈ પણ
પુસ્તક વગેરે નહીં રહેશે. આ બધું ખતમ થઈ જવાનું છે. જ્ઞાન તો છે જ એક બાપ માં. હમણાં
જુઓ જ્ઞાન-વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે, જેમ કે ત્યાં યોગ અને જ્ઞાન શીખવાડાય છે.
વગર અર્થ એવાં-એવાં નામ રાખી દે છે. કાંઈ પણ ખબર નથી કે જ્ઞાન શું છે, વિજ્ઞાન શું
છે. હમણાં તમે જ્ઞાન અને વિજ્ઞાન ને જાણો છો. યોગ થી થાય છે હેલ્થ, જેને વિજ્ઞાન
કહેવાય છે અને આ છે જ્ઞાન, જેમાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવાય છે. વર્લ્ડ
ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે તે જાણવાનું છે. પરંતુ તે ભણતર છે હદનું,
અહીંયા તો તમને બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી બુદ્ધિમાં છે. અમે કેવી રીતે રાજ્ય લઈએ
છે, કેટલો સમય અને ક્યારે રાજ્ય કરતાં હતાં, કેવી રીતે રાજધાની મળી હતી - આ વાતો
બીજા કોઈની બુદ્ધિમાં નથી આવતી. બાપ જ નોલેજફુલ છે. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે
છે, બાપ જ સમજાવે છે. બન્યો-બનેલ ડ્રામાને ન જાણવાનાં કારણે મનુષ્ય કહી દે છે-ફલાણા
નિર્વાણ ગયાં કે જ્યોતિ જ્યોત સમાયા.
તમે જાણો છો બધાં મનુષ્ય માત્ર આ સૃષ્ટિ ચક્ર માં આવે છે, આનાંથી કોઈ એક પણ છૂટી નથી
શકતું. બાપ સમજાવે છે મનુષ્ય ની આત્મા એક શરીર છોડી બીજું લે છે, કેટલો મોટો ડ્રામા
છે. બધામાં આત્મા છે, તે આત્મામાં અવિનાશી પાર્ટ ભરેલો છે. આને કહેવાય જાય છે બની
બનેલી…. હવે ડ્રામા કહે છે તો જરુર તેનો ટાઈમ પણ જોઈએ. બાપ સમજાવે છે આ ડ્રામા ૫
હજાર વર્ષનો છે. ભક્તિ માર્ગનાં શાસ્ત્રો માં લખી દીધું છે ડ્રામા લાખો વર્ષનો છે.
આ સમયે જ જયારે કે બાપે આવીને સહજ રાજ્યોગ શીખવાડ્યો હતો, આ સમયનાં માટે જ ગાયન છે
કે કૌરવ ઘોર અંધકાર માં હતાં અને પાંડવ પ્રકાશ માં હતાં. તે લોકો સમજે છે કળયુગ માં
તો હજું ૪૦ હજાર વર્ષ છે. તેમને આ ખબર નથી પડતી કે ભગવાન આવ્યાં છે, આ જૂની દુનિયા
નું મોત સામે ઊભું છે. બધાં અજ્ઞાન નિંદ્રા માં સૂતાં પડ્યાં છે. જયારે લડાઈ જુએ છે
તો કહે છે આ તો મહાભારત લડાઈ ની નિશાની છે. આ રિહર્સલ (પૂર્વપ્રયોગ) થતી રહેશે. પછી
ચાલતાં-ચાલતાં બંધ થઈ જશે. તમે જાણો છો હમણાં આપણી પૂરી સ્થાપના થઈ થોડી છે. ગીતામાં
આ થોડી છે કે બાપ એ સહજ રાજયોગ શીખવાડી અહીંયા જ રાજાઈ સ્થાપન કરી. ગીતામાં તો
પ્રલય દેખાડી દીધી છે. દેખાડે છે બીજા બધાં મરી ગયાં, બાકી ૫ પાંડવ બચ્યાં. તે પણ
પહાડો પર જઈને ગળી મર્યા. રાજયોગ થી શું થયું, કાંઈ પણ ખબર નથી. બાપ દરેક વાત
સમજાવતા રહે છે. તે છે હદ ની વાત, હદ ની રચના હદનાં બ્રહ્મા રચે છે, પાલના પણ કરે
છે બાકી પ્રલય નથી કરતાં. સ્ત્રીને એડોપ્ટ કરે છે. બાપ પણ આવીને એડોપ્ટ કરે છે. કહે
છે હું આમનામાં પ્રવેશ કરી બાળકોને નોલેજ સંભળાવું છું, આમનાં દ્વારા બાળકોને રચું
છું. બાપ પણ છે, ફેમિલી પણ છે, આ વાતો ખુબ ગુહ્ય છે. ખુબ ગંભીર વાતો છે. મુશ્કિલ થી
કોઈની બુદ્ધિમાં બેસે છે. હવે બાપ કહે છે પહેલાં-પહેલાં તો સ્વયંને આત્મા સમજો,
આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. શરીર પર જ ભિન્ન-ભિન્ન નામ પડે છે. નામ, રુપ,
ફિચર્સ બધાં ભિન્ન-ભિન્ન છે. એક નાં ફિચર્સ બીજાથી ન મળે. દરેક આત્માનાં
જન્મ-જન્માન્તરનાં પોતાના ફિચર્સ છે. પોતાની એક્ટ ડ્રામામાં નોંધાયેલી છે એટલે આને
બન્યો-બનેલો ડ્રામા કહેવાય છે, હમણાં બેહદનાં બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ
વિનાશ થાય. તો આપણે કેમ ન બાપ ને યાદ કરીએ. આજ મહેનત ની વાત છે.
આપ બાળકો જ્યારે યાદ ની યાત્રા માં બેસો છો તો માયાનાં તોફાન આવે છે, યુદ્ધ ચાલે
છે, તેનાથી ગભરાવાનું નથી. માયા ઘડી-ઘડી યાદને તોડશે. સંકલ્પ-વિકલ્પ એવાં-એવાં આવશે
જે એકદમ માથું ખરાબ કરી દેશે. તમે મહેનત કરો. બાપે સમજાવ્યું છે આ લક્ષ્મી-નારાયણ
ની કર્મેન્દ્રિયો વશ કેવી રીતે થઈ. આ સંપૂર્ણ નિર્વિકારી હતાં. આ શિક્ષા તેમને
ક્યાંથી મળી? હમણાં આપ બાળકોને આ બનવાની શિક્ષા મળી રહી છે. આમનામાં કોઈ વિકાર નથી
હોતાં. ત્યાં રાવણ રાજ્ય જ નથી. અંત માં રાવણ રાજ્ય હોય છે. રાવણ શું ચીજ છે, આ કોઈ
પણ નથી જાણતાં. ડ્રામા અનુસાર આ પણ નોંધ છે. ડ્રામાનાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં,
એટલે જ નેતી-નેતી કરતાં આવ્યાં છે. હવે તમે સ્વર્ગવાસી બનવાનાં માટે પુરુષાર્થ કરી
રહ્યાં છો. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક છે ને. આમની આગળ માથું ટેકવા વાળા
તમોપ્રધાન કનિષ્ઠ પુરુષ છે. બાપ કહે છે પહેલાં-પહેલાં તો એક વાત પાક્કી કરી લો-સ્વયંને
આત્મા સમજી બાપ ને યાદ કરો. આમાં જ મહેનત છે. જેમ ૮ કલાક સરકારી નોકરી હોય છે ને.
હમણાં તમે બેહદની સરકાર નાં મદદગાર છો. તમારે ઓછામાં ઓછું ૮ કલાક પુરુષાર્થ કરી યાદ
માં રહેવાનું છે. આ અવસ્થા તમારી એવી પાક્કી થઈ જશે જે કોઈની પણ યાદ નહીં આવશે. બાપ
ની યાદ માં જ શરીર છોડશો. પછી તે જ વિજય માળાનાં દાણા બનશો. એક રાજાની પ્રજા કેટલી
અસંખ્ય હોય છે. અહીંયા પણ પ્રજા બનવાની છે. તમે વિજય માળા નાં દાણા પૂજવાનાં લાયક
બનશો. ૧૬,૧૦૮ ની માળા પણ હોય છે. એક મોટા બોક્સમાં પડી રહે છે. ૮ ની માળા છે, ૧૦૮
ની પણ છે. અંત માં પછી ૧૬,૧૦૮ ની પણ બને છે. આપ બાળકોએ જ બાપ થી રાજયોગ શીખી આખા
વિશ્વને સ્વર્ગ બનાવ્યું છે એટલે તમે પૂજાઓ છો. તમે જ પૂજ્ય હતાં, પછી પૂજારી બન્યાં
છો. આ દાદા કહે છે મેં પોતે માળા ફેરવી છે, લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં આમ તો
રુદ્ર માળા હોવી જોઈએ. તમે પહેલા રુદ્ર માળા પછી રુંડ માળા બનો છો. પહેલાં નંબર માં
છે રુદ્ર માળા જેમાં શિવ પણ છે રુંડ માળા માં શિવ ક્યાંથી આવે. તે છે વિષ્ણુ ની માળા.
આ વાતોને પણ કોઈ સમજે થોડી છે. હમણાં તમે કહો છો અમે શિવબાબાનાં ગળાનો હાર જઈને
બનીએ છીએ. બ્રાહ્મણોની માળા નથી બની શકતી. બ્રાહ્મણોની માળા હોતી નથી .તમે જેટલાં
યાદ માં રહો છો પછી ત્યાં પણ નજીકમાં જ આવીને રાજ્ય કરશો. આ ભણતર બીજી કોઈ જગ્યાએ
મળી ન શકે. તમે જાણો છો હવે આપણે આ જૂનાં શરીર ને છોડી સ્વર્ગવાસી બનીશું. આખું
ભારત સ્વર્ગવાસી બનશે. ઈનપર્ટિક્યુલર (ખાસ), ભારત જ સ્વર્ગ હતું. ૫ હજાર વર્ષની વાત
છે, લાખો વર્ષની વાત હોઈ નથી શકતી. દેવતાઓને જ ૫ હજાર વર્ષ થયા, સ્વર્ગને મનુષ્ય
ભૂલી ગયાં છે. તો એમ જ કહી દે છે. બાકી છે કાંઈ નહીં. આટલું જૂનું સવંત વગેરે છે
થોડી. છે જ સૂર્યવંશી-ચંદ્રવંશી પછી બીજા ધર્મવાળા આવે છે. જૂની વસ્તુ કામ શું આવશે.
કેટલી ખરીદી કરે છે, જૂની વસ્તુ ની ખુબ વેલ્યુ કરે છે. સૌથી વેલ્યુએબલ (મુલ્યવાન)
છે શિવબાબા, કેટલાં શિવલિંગ બનાવે છે. આત્મા આટલી નાની બિંદી છે, આ કોઈને પણ સમજમાં
નથી આવતું. અતિ સૂક્ષ્મ રુપ છે. બાપ જ સમજાવે છે આટલી નાની બિંદી માં આટલો પાર્ટ
નોંધાયેલો છે, આ ડ્રામા રીપીટ થતો રહે છે, આ જ્ઞાન તમને ત્યાં નહીં રહેશે. આ
પ્રાયઃલોપ થઈ જાય છે. તો પછી કોઈ સહજ રાજયોગ શીખવાડી કેવી રીતે શકે. આ બધું
ભક્તિમાર્ગ નાં માટે બેસીને બનાવ્યું છે. હમણાં બાળકો જાણે છે બાપ દ્વારા બ્રાહ્મણ,
દેવતા, ક્ષત્રિય - ત્રણ ધર્મ સ્થાપન થઇ રહ્યાં છે ભવિષ્ય નવી દુનિયાનાં માટે. તે
ભણતર જે તમે ભણો છો તે છે આ જન્મનાં માટે. આની પ્રાલબ્ધ તમને નવી દુનિયામાં મળવાની
છે. આ ભણતર હોય છે સંગમયુગ પર. આ છે પુરુષોત્તમ સંગમયુગ. મનુષ્ય થી દેવતા તો જરુર
સંગમ પર બન્યા હશે. બાપ બાળકોને બધું રહસ્ય સમજાવે છે. આ પણ બાબા જાણે છે તમે આખો
દિવસ આ યાદમાં રહી નહિં શકો, ઇમ્પોસિબલ (અસંભવ) છે એટલે ચાર્ટ રાખો, જુઓ અમે ક્યાં
સુધી યાદમાં રહી શકીએ છીએ? દેહનું અભિમાન હશે તો યાદ કેવી રીતે રહી શકશે! પાપો નો
બોજો માથા પર ખુબ છે એટલે બાબા કહે છે યાદ માં રહો. ત્રિમૂર્તિ નું ચિત્ર પોકેટ માં
મૂકી રાખો, પરંતુ તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો. અલફ ને યાદ કરવાથી બે વગેરે બધું યાદ આવી
જાય છે. બેજ તો સદા લગાવેલો રહે. લિટરેચર (સાહિત્ય) પણ હોય, કોઈ પણ સારા વ્યક્તિ
હોય તો તેમને આપવું જોઈએ. સારા વ્યક્તિ ક્યારે મફતમાં લેશે નહીં. પૂછે, આના શું પૈસા
છે? બોલો-આ ગરીબો ને તો મફતમાં અપાય છે, બાકી જે જેટલાં આપે. રોયલ્ટી હોવી જોઈએ.
તમારી રીત-રિવાજ દુનિયાથી બિલકુલ ન્યારી હોવી જોઈએ. રોયલ વ્યક્તિ જાતે જ કંઈ ને કંઈ
આપી દેશે. આ તો આપણે બધાને આપીએ છીએ કલ્યાણ માટે. કોઈ વાંચીને પણ તમને પૈસા મોકલી
દેશે. ખર્ચો તો તમે કરો છો ને. બોલો, અમે પોતાનું તન-મન-ધન ભારત ની સેવામાં ખર્ચ
કરીએ છીએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ બેહદની
સરકારને મદદ કરવાનાં માટે ઓછામાં ઓછો ૮ કલાક યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.
યાદ માં જે માયા વિઘ્ન નાખે છે તેનાથી ગભરાવાનું નથી.
2. આ પુરુષોત્તમ
સંગમયુગ પર ઈશ્વરીય સંપ્રદાય નાં બની, ઈશ્વર ની મત પર ચાલવાનું છે. કર્મ કરતાં પણ
એક બાપ ની યાદ માં રહેવાનો અભ્યાસ કરવાનો છે.
વરદાન :-
બેગર ટૂ
પ્રિન્સ નો પાર્ટ પ્રેક્ટીકલ માં ભજવવા વાળા ત્યાગી અથવા શ્રેષ્ઠ ભાગ્યશાળી આત્મા
ભવ
જેમ ભવિષ્યમાં વિશ્વ
મહારાજન દાતા હશે. એવા હમણાં થી દાતાપણા નાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) કરો. કોઇનાથી
કોઇ સેલવેશન લઈને પછી સેલવેશન આપો-એવું સંકલ્પ માં પણ ન હોય-આને જ કહેવાય છે બેગર
ટૂ પ્રિન્સ. સ્વયં લેવાની ઈચ્છા વાળા નહીં. આ અલ્પકાળની ઈચ્છા થી બેગર. એવાં બેગર જ
સમ્પન્ન મૂર્ત છે. જે હમણાં બેગર ટૂ પ્રિન્સ નો પાર્ટ પ્રેક્ટીકલ માં ભજવે છે તેમને
કહેવાય છે સદા ત્યાગી અથવા શ્રેષ્ઠ ભાગ્યશાળી. ત્યાગ થી સદાકાળ નું ભાગ્ય સ્વતઃ બની
જાય છે.
સ્લોગન :-
સદા હર્ષિત
રહેવાનાં માટે સાક્ષીપણા ની સીટ પર દૃષ્ટા બનીને દરેક ખેલ (રમત) જુઓ.