19-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - હમણાં
તમારે નિંદા - સ્તુતિ , માન - અપમાન , દુઃખ - સુખ બધું સહન કરવાનું છે તમારાં સુખનાં
દિવસ હમણાં સમીપ આવી રહ્યાં છે ”
પ્રશ્ન :-
બાપ પોતાનાં
બ્રાહ્મણ બાળકોને કઈ એક વોર્નિંગ (ચેતવણી) આપે છે?
ઉત્તર :-
બાળકો ક્યારેય પણ બાપ થી રીસાતા નહીં. જો બાપ થી રીસાસો તો સદ્દગતિ થી પણ રિસાઇ જશો.
બાપ ચેતવણી આપે છે - રિસાવા વાળાને ખુબ આકરી સજા મળશે. આપસ માં અથવા બ્રાહ્મણી થી
પણ રીસાયા તો ફૂલ બનતાં-બનતાં કાંટા બની જશો, એટલે ખુબ-ખુબ ખબરદાર રહો.
ગીત :-
ધીરજ ધર મનુવા……..
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકીલીધા બાળકોએ ગીત સાંભળ્યું, આપ બાળકોનાં જે પણ જન્મ-જન્માંતરનાં દુઃખ છે બધાં
દૂર થઈ જવા જોઈએ. આ ગીત ની લાઇન સાંભળી, તમે જાણો છો હમણાં આપણો દુઃખનો પાર્ટ પૂરો
થાય છે અને સુખનો પાર્ટ શરું થાય છે. જે પૂરી રીતે નથી જાણતાં તે કોઈને કોઈ વાતમાં
દુઃખ જરુર જોવે છે. અહીંયા બાબાનાં પાસે આવવાથી પણ કોઇને કોઇ પ્રકારનું દુઃખ ભાસસે.
બાબા સમજી શકે છે, ઘણાં બાળકોને તકલીફ થતી હશે. જ્યારે તીર્થયાત્રા પર જાઓ છો તો
ક્યાંક ભીડ હોય છે, વરસાદ પડે છે, ક્યારેક તોફાન લાગી જાય છે. જે સાચાં ભગત હશે તે
તો કહેશે શું વાંધો છે, ભગવાન ની પાસે જઈએ છીએ. ભગવાન સમજી ને જ યાત્રા પર જાય છે.
અનેકા અનેક ભગવાન છે મનુષ્યો નાં. તો જે સારા મજબૂત હોય છે, તે તો કહે છે વાંધો નહીં,
સારા કામમાં હંમેશા વિઘ્ન પડે છે, પાછાં થોડી જઈશું. કોઈ-કોઈ તો પાછાં પણ જાય છે.
ક્યારેક વિઘ્ન પડે છે, ક્યારેક નથી પણ પડતાં. બાપ કહે છે બાળકો આ પણ તમારી યાત્રા
છે. તમે કહેશો અમે બેહદનાં બાપનાં પાસે જઈએ છીએ, એ બાપ બધાનાં દુઃખ હરવાવાળા છે. આ
નિશ્ચય છે, આજકાલ જુઓ મધુબન માં કેટલી ભીડ છે, બાબાને ફિકર રહે છે, અનેકોને તકલીફ
પણ થતી હશે. પટ પર સૂવું પડે છે. બાબા થોડી ઈચ્છે છે બાળકોને પટ પર સુવડાવે. પરંતુ
ડ્રામા અનુસાર ભીડ થઈ ગઈ છે, કલ્પ પહેલાં પણ થઈ હતી ફરી થશે, આમાં કોઈ દુઃખ ન થવું
જોઈએ. આ પણ જાણે છે ભણવાવાળા કોઈ તો રાજા બનશે કોઈ પછી રંક પણ બનશે. કોઈનું ઊંચું
પદ, કોઈનું નીચું. પરંતુ સુખ જરુર હશે. આ પણ બાબા જાણે છે, કોઈ ખુબ કાચા છે, જે
કાંઈ પણ સહન નથી કરી શકતાં. તેમને કંઈ તકલીફ થશે, કહેશે અમે તો નાહક આવ્યાંં અથવા
કહેશે અમને બ્રાહ્મણી દબાણ કરીને લઈ આવી છે. એવાં પણ હશે જે કહેશે અમને બ્રાહ્મણીએ
નાહક ફસાવ્યાં. પૂરી ઓળખ નથી કે વિશ્વ વિદ્યાલયમાં આવ્યાંં છે. આ સમય નાં ભણતર થી
કોઈ તો રાવ બનશે. કોઈક રંક પણ બનવા વાળા છે ભવિષ્યમાં. અહીંયાનાં રંક અને રાવ માં
અને ત્યાં નાં રંક, રાવ માં રાત-દિવસનો ફરક હોય છે. અહીંયાનાં રાવ પણ દુઃખી છે તો
રંક પણ દુઃખી છે. ત્યાં બંને સુખી રહે છે. અહીંયા તો છે જ પતિત વિકારી દુનિયા. ભલે
કોઈની પાસે ખુબ ધન છે, બાપ સમજાવે છે આ ધન માલ બધું માટીમાં મળી જવાનું છે. આ શરીર
પણ ખતમ થઇ જશે. આત્મા તો માટીમાં નથી મળતી, કેટલાં મોટાં-મોટાં સાહૂકાર છે, બિરલા
જેવાં, પરંતુ તેમને શું ખબર કે હવે આ જુની દુનિયા બદલાઈ રહી છે. ખબર હોત તો ફટ થી
આવી જાય. કહે છે અહીંયા ભગવાન આવેલાં છે છતાં પણ જશે ક્યાં? સિવાય બાપ વગર કોઈને
સદ્દગતિ મળી ન શકે. જો કોઈ રિસાઈ ગયા તો કહેશું સદ્દગતિ થી રિસાઈ ગયાં. એવાં ખુબ
રીસાતા રહેશે, પડતા રહેશે. આશ્ચર્યવત સુનન્તી, નિશ્ચય હોવન્તી…..કોઈ તો સમજે છે
બરાબર આનાં વગર કોઈ રસ્તો છે નહીં. આમનાથી તો સુખ અને શાંતિનો વારસો મળશે. આમનાં
વગર સુખ-શાંતિ મળવું અસંભવ છે. જ્યારે ધન ખુબ હોય ત્યારે તો સુખ મળે. ધનમાં જ સુખ
હોય છે ને. ત્યાં (મૂળવતનમાં) તો આત્માઓ શાંતિ માં બેઠી છે. કોઈ કહે અમારો પાર્ટ ન
હોત તો હંમેશા અમે ત્યાં રહેતા, પરંતુ એવું કહેવાથી થોડી થશે. બાળકોને સમજાવાયું
છે-આ બની-બનેલી રમત છે. ઘણાં છે જે કોઈને કોઈ સંશય માં આવી ને છોડી દે છે. બ્રાહ્મણી
થી રિસાઈ જાય છે કે આપસમાં રિસાઈ ને ભણતર છોડી દે છે.
હમણાં તમે અહીંયા ફૂલ બનવાં આવ્યાં છો. મહેસૂસ કરો છો-બરાબર આપણે કાંટા થી ફૂલ બની
રહ્યાં છીએ. ફૂલ જરુર બનવાનું છે. કોઈને કંઈક સંશય છે, ફલાણા આ કરે છે, આ એવાં છે,
એટલે અમે નહીં આવશું. બસ રિસાઈ ને ઘરમાં બેસી જાય છે. બાપ કહે છે બીજા બધાથી તો ભલે
રિસાઓ પરંતુ એક બાપ થી ક્યારેય નહીં રીસાતા. બાબા વોર્નિગ આપે છે સજાઓ બહુજ આકરી
છે. ગર્ભમાં પણ જે સજાઓ મળે છે, બધો સાક્ષાત્કાર કરાવે છે. વગર સાક્ષાત્કારે સજા મળી
ન શકે. અહીંયાનો પણ સાક્ષાત્કાર થશે. તમે ભણતાં-ભણતાં આપસમાં લડી-ઝઘડીને, રિસાઈ ને
ભણતર છોડી દીધું હતું. આપ બાળકો સમજો છો આપણે ફાધર (પિતા) થી ભણવાનું છે. ભણતર
ક્યારે છોડવાનું નથી. તમે અહીંયા પણ ભણો જ છો મનુષ્ય થી દેવતા બનવાં. એવાં ઊંચે થી
ઊંચાં બાપ ની પાસે તમે મળવા આવો છો. ક્યારેક વધારે આવી જાય છે, ડ્રામા અનુસાર કંઈક
તક્લીફ થઇ જાય છે. બાળકોને અનેક તોફાન આવે છે. ફલાણી ચીજ ન મળી, આ નહીં મળ્યું, આ
તો કાંઈ પણ નથી. જ્યારે મોતનો સમય આવશે તો અજ્ઞાની મનુષ્ય કહેશે અમે શું ગુનો કર્યો
છે, નાહક જો અમને મારે છે. તે અંત નાં પાર્ટ ને જ કહેવાય છે ખૂને નાહક પાર્ટ. અચાનક
બોમ્બસ પડશે. અનેકા અનેક મરશે. આ ખૂને નાહક થયું ને. અજ્ઞાની મનુષ્ય એવી રીતે
ચિલ્લાવશે. આપ બાળકો તો ખુબ ખુશ થાઓ છો, કારણ કે તમે જાણો છો આ દુનિયાનો વિનાશ થવાનો
જ છે, અનેક ધર્મો નો વિનાશ ન થાય તો એક સત ધર્મની સ્થાપના કેવી રીતે થશે. સતયુગમાં
એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. કોઈને શું ખબર સતયુગ આદિમાં શું હતું. આ છે
પુરુષોત્તમ સંગમયુગ. બાપ આવ્યાં જ છે બધાને પુરુષોત્તમ બનાવવાં. સર્વ નાં બાપ છે
ને. ડ્રામા ને તો તમે જાણી ગયાં છો. બધાં તો સતયુગ માં નહીં આવશે. આટલી કરોડો
આત્માઓ સતયુગ માં થોડી આવશે. આ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો. ઘણી બાળકીઓ છે જે કંઈ
પણ સમજતી નથી. ભક્તિમાર્ગ થી ટેવાયેલાં છે. જ્ઞાન બુદ્ધિ માં બેસી ન શકે. ભક્તિ ની
આદત પડી ગઈ છે. કહે છે ભગવાન શું નથી કરી શકતાં. મરેલાને જીવતા કરી શકે છે. બાબાની
પાસે આવે છે કહે છે ફલાણા મનુષ્યએ મરેલાને જીવાડ્યા તો શું ભગવાન નહીં કરી શકે.
કોઈએ સારું કામ કર્યું તો બસ તેમની મહિમા કરવા લાગી જાય છે. પછી તેમનાં હજારો
ફોલોઅર્સ (અનુયાયી) બની જશે. તમારી પાસે તો ખુબ થોડાં આવે છે. ભગવાન ભણાવે છે પછી
આટલાં થોડાં કેમ? એવું ઘણાં કહે છે. અરે, અહીંયા તો મરવાનું હોય છે. ત્યાં તો કનરસ
છે. બહુજ ભપકા થી બેસી ગીતા સંભળાવે છે, ભગત લોકો સાંભળે છે. અહીંયા કનરસ ની વાત નથી.
તમને ફક્ત કહેવાય છે બાપ ને યાદ કરો. ગીતામાં પણ આ અક્ષર છે મનમનાભવ. બાપ ને યાદ કરો
તો વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે અચ્છા બ્રાહ્મણી થી કે સેવાકેન્દ્ર થી રિસાઈ જાઓ
છો, અચ્છા આ તો કામ કરો બીજા સંગ તોડી સ્વયંને આત્મા સમજી, એક બાપ ને યાદ કરો. બાપ
જ પતિત પાવન છે. બસ બાપ ને યાદ કરતાં રહો. સ્વદર્શન ચક્ર ફરાવતાં રહો. આટલું યાદ
કર્યું તો પણ સ્વર્ગમાં જરુર આવશે. સ્વર્ગમાં ઊંચ પદ તો પુરુષાર્થ અનુસાર જ મળશે.
પ્રજા બનાવવી પડે. નહીં તો રાજાઈ કોના પર કરશો. જે ખુબ મહેનત કરે છે, ઊંચ પદ પણ તે
જ પામશે. ઊંચ પદ નાં માટે જ કેટલાં માથા મારે છે. પુરુષાર્થ વગર કોઈ રહી ન શકે. આપ
બાળકો જાણો છો ઊંચે થી ઊંચાં પતિત પાવન બાપ છે. મનુષ્ય મહિમા ભલે ગાએ છે પરંતુ અર્થ
નથી સમજતાં. ભારત કેટલો સાહૂકાર હતો, ભારત છે સ્વર્ગ, વન્ડર ઓફ વલ્ડ (વિશ્વની અજાયબી).
તે ૭ વન્ડર્સ માયાનાં. આખા ડ્રામા માં ઊંચે થી ઊંચું છે સ્વર્ગ, નીચે થી નીચું છે
નરક. હમણાં તમે બાપની પાસે આવ્યાં છો, જાણો છો મીઠાં બાબા એટલાં ઊંચે થી ઊંચા લઈ
જાય છે. એમને કોણ ભૂલશે. ભલે ક્યાંય પણ બહાર જાઓ ફક્ત એક વાત યાદ રાખો, બાપ ને યાદ
કરો. બાપ જ શ્રીમત આપે છે - ભગવાનુવાચ, ન કે બ્રહ્મા ભગવાનુવાચ.
બેહદનાં બાપ બાળકો થી પૂછે છે - બાળકો હું તમને આટલાં સાહૂકાર બનાવીને ગયો પછી તમારી
દુર્ગતિ કેવી રીતે થઈ? પરંતુ સાંભળે એવી રીતે છે જેમ કાંઇ પણ સમજતા નથી. તો બાળકોને
થોડીક તકલીફ થાય છે, દુઃખ-સુખ, સ્તુતિ-નિંદા પણ બધું સહન કરવું પડે છે. અહીંયાનાં
મનુષ્ય જુઓ કેવાં છે પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) ને પણ પથ્થર મારવામાં વાર નથી
કરતાં. કહે છે - સ્કૂલનાં બાળકોનું નવું લોહી છે. ખુબ મહિમા કરે છે તેમની. સમજે છે
આ ફ્યુચર (ભવિષ્ય) નું નવું લોહી છે. પરંતુ એ જ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) દુઃખ આપવાવાળા
નીકળે છે. કોલેજો ને આગ લગાવી દે છે. એક-બીજાને ગાળો આપતા રહે છે. બાપ સમજાવે છે
દુનિયાની શું હાલત છે. ડ્રામાનાં એક્ટર થઈને પણ ડ્રામાનાં આદિ-મધ્ય-અંત અને મુખ્ય
એક્ટર્સ વગેરેને નથી જાણતાં તો તેમને શું કહેશું! સૌથી મોટા કોણ છે એમની બાયોગ્રાફી
(જીવનકહાની) તો જાણવી જોઈએ ને. કાંઈ પણ નથી જાણતાં. બ્રહ્મા-વિષ્ણુ-શંકરનો શું
પાર્ટ છે, ધર્મ સ્થાપકો નો શું પાર્ટ છે. મનુષ્ય તો અંધશ્રદ્ધા માં આવીને બધાને
પ્રીસેપ્ટર (ગુરુ) કહી દે છે. ગુરુ તો તે જે સદ્દગતિ કરે છે. હવે સર્વનાં સદ્દગતિ
દાતા તો એક જ પરમપિતા પરમાત્મા છે. એ પરમગુરુ પણ છે, પછી નોલેજ પણ આપે છે. આપ
બાળકોને ભણાવે પણ છે, એમનો પાર્ટ જ વન્ડરફુલ છે. ધર્મ પણ સ્થાપન કરે છે અને બધાં
ધર્મોને ખલાસ પણ કરે છે. બીજા તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે, સ્થાપના અને વિનાશ
કરવાવાળાને જ ગુરુ કહેશે ને. બાપ કહે છે હું કાળો નો કાળ છું. એક ધર્મ ની સ્થાપના
અને બાકી બધાં ધર્મનો વિનાશ થઇ જશે અર્થાત્ આ જ્ઞાન યજ્ઞમાં સ્વાહા થઇ જશે. પછી નહિં
કોઈ લડાઈ લાગશે, ન યજ્ઞ રચાશે. તમે આખાં વિશ્વનાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. બીજા તો
બધાં નેતી-નેતી કહે છે. તમે એવું થોડી કહેશો. બાપ વગર બીજા કોઈ સમજાવી ન શકે. તો આપ
બાળકોને ખુબ ખુશી હોવી જોઈએ પરંતુ માયા નો સામનો એવો થાય છે જે યાદ પણ ભુલાવી દે
છે. આપ બાળકોને દુઃખ-સુખ, માન-અપમાન, સહન કરવાનું છે. આમ તો અહીંયા કોઈ અપમાન નથી
કરાતું. જો કોઇ પણ વાત છે તો બાપને રિપોર્ટ (સમાચાર) કરવી જોઈએ. રિપોર્ટ નથી કરતાં
તો બહુજ પાપ લાગે છે. બાપને સંભળાવવા થી ઝટ તેમને સાવધાની મળશે. આ સર્જન થી છૂપાવવું
ન જોઈએ. ખુબ મોટા સર્જન છે. જ્ઞાન ઇન્જેક્શન, આને અંજન પણ કહે છે. અંજન ને
જ્ઞાન-સુરમો પણ કહેવાય છે. જાદુ વગેરેની તો વાત જ નથી. બાપ કહે છે હું આવ્યો છું
તમને પતિત થી પાવન થવાની યુક્તિ બતાવવાં. પવિત્ર નહીં બનશો તો ધારણા પણ નહીં થશે. આ
જ કામ નાં કારણે જ પછી પાપ થાય છે. આના પર જીત પામવાની છે. પોતે જ વિકારમાં જતા હશે
તો બીજા કોઈને કહી નહીં શકે. એ તો મહાપાપ થઈ જાય. બાપ કહાની પણ સંભળાવે છે - પંડિતે
કહ્યું રામ-રામ કહેવાથી સાગર પાર થઈ જશો. મનુષ્ય સમજે છે પાણીનો સાગર. જેમ આકાશ નો
અંત નથી તેમ સાગર નો પણ અંત નથી પામી શકાતું. બ્રહ્મ મહત્વ નો પણ અંત નથી. અહીંયા
મનુષ્ય અંત પામવાનો પુરુષાર્થ કરે છે, ત્યાં કોઈ પુરુષાર્થ નથી કરતાં. અહીંયા કેટલાં
પણ દૂર જાય છે પછી પાછાં આવે છે. પેટ્રોલ જ નહીં હોય તો આવશે કેવી રીતે? આ છે
સાયન્સ (વિજ્ઞાન) વાળા નો અતિ અહંકાર, તેનાથી વિનાશ કરી દે છે. એરોપ્લેન (વિમાન) થી
સુખ પણ છે પછી તેનાથી અતિ દુઃખ પણ છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
કારણ થી ભણતર નથી છોડવાનું. સજાઓ ખુબ કઠીન છે તેનાથી બચવા માટે બીજા બધાં સંગ તોડી
એક બાપ ને યાદ કરવાનાં છે. રીસાવાનું નથી
2. જ્ઞાન ઇન્જેક્શન
અથવા અંજન આપવાવાળા એક બાપ છે, તે અવિનાશી સર્જન થી કોઈ વાત છુપાડવાની નથી બાપને
કહેવાથી થી ઝટ સાવધાની મળી જશે.
વરદાન :-
દરેક ની
વિશેષતા ને સ્મૃતિમાં રાખતાં ફેથફુલ ( વિશ્વાસ પાત્ર ) બની એક મત સંગઠન બનાવવા વાળા
સર્વનાં શુભચિંતક ભવ
ડ્રામા અનુસાર દરેક
ને કોઈને કોઈ વિશેષતા અવશ્ય પ્રાપ્ત છે, તે વિશેષતાને કાર્યમાં લગાવો તથા બીજાઓની
વિશેષતા ને જુવો. એકબીજા થી ફેથફુલ રહો તો તેમની વાતો નો ભાવ બદલાઈ જશે. જ્યારે
દરેક ની વિશેષતા ને જોશો તો અનેક હોવા છતાં પણ એક દેખાશો. એક મત સંગઠન થઇ જશે. કોઈ
કોઈની ગ્લાનિ ની વાત સંભળાવે તો તેને ટેકો આપવાનાં બદલે સંભળાવવા વાળા નું રુપ
પરિવર્તન કરી દો, ત્યારે કહેવાશે શુભચિંતક.
સ્લોગન :-
શ્રેષ્ઠ
સંકલ્પ નો ખજાનો જ શ્રેષ્ઠ પ્રાલબ્ધ અથવા બ્રાહ્મણ જીવનનો આધાર છે.