06-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - આ બેહદની રમત માં તમે આત્મા રુપી એક્ટર પાર્ટધારી છો , તમારું નિવાસસ્થાન છે - સ્વીટ સાઈલેન્સ હોમ , જ્યાં હવે જવાનું છે ”

પ્રશ્ન :-
જે ડ્રામાની રમતને યથાર્થ રીતે જાણે છે, તેમનાં મુખ થી કયા શબ્દ નથી નીકળી શકતાં?

ઉત્તર :-
આ એવાં ન હોત તો આવું હોત…..આ થવું ન જોઈએ-આવાં શબ્દ ડ્રામાની રમતને જાણવા વાળા નહીં કહેશે. આપ બાળકો જાણો છો આ ડ્રામા ની રમત જું માફક ફરતી રહે છે, જે કાંઈ થાય છે બધું ડ્રામામાં નોંધ છે, કોઈ ફિકર ની વાત નથી.

ઓમ શાંતિ!
બાપ જ્યારે પોતાનો પરિચય બાળકોને આપે છે તો બાળકોને પોતાનો પરિચય પણ મળી જાય છે. બધાં બાળકો લાંબો સમય દેહ-અભિમાની થઈને રહે છે. દેહી-અભિમાની થાય તો બાપનો યથાર્થ પરિચય થાય. પરંતુ ડ્રામા એવું છે નહીં. ભલે કહે પણ છે ભગવાન ગોડ ફાધર છે, રચતા છે, પરંતુ જાણતાં નથી. શિવલિંગ નાં ચિત્ર પણ છે, પરંતુ એટલાં મોટા તો એ છે નહીં. યથાર્થ રીતે ન જાણવાનાં કારણે બાપ ને ભૂલી જાય છે. બાપ છે પણ રચતા, જરુર રચશે પણ નવી દુનિયા, તો જરુર આપણને બાળકોને નવી દુનિયાની રાજધાની નો વારસો હોવો જોઈએ. સ્વર્ગનું નામ પણ ભારતમાં પ્રસિદ્ધ છે, પરંતુ સમજતાં કાંઈ પણ નથી. કહે છે ફલાણા મર્યા સ્વર્ગ પધાર્યા. હવે એવું ક્યારે હોય છે શું. હમણાં તમે સમજો છો આપણે બધાં તુચ્છબુદ્ધિ હતાં, નંબરવાર તો કહેશે ને. મુખ્યનાં માટે જ સમજાવવાનું છે કે હું આમનામાં આવું છું, અનેક જન્મોવાળા અંતિમ શરીરમાં. આ છે નંબરવન. બાળકો સમજે છે હમણાં અમે એમનાં બાળકો બ્રાહ્મણ બની ગયાં. આ બધી છે સમજવાની વાતો. બાપ આટલાં સમય થી સમજાવતા જ રહે છે. નહિં તો સેકન્ડ ની વાત છે બાપને ઓળખવાં. બાપ કહે છે મને યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે. નિશ્ચય થઈ ગયા પછી કોઈ પણ વાતમાં પ્રશ્ન વગેરે ઉઠી નથી શકતો. બાપે સમજાવ્યું છે-તમે પાવન હતાં જ્યારે શાંતિધામ માં હતાં. આ વાતો પણ તમે જ બાપ દ્વારા સાંભળો છો. બીજા કોઈ સંભળાવી ન શકે. તમે જાણો છો આપણે આત્માઓ ક્યાંની રહેવાસી છીએ. જેમ નાટક નાં એક્ટર્સ કહેશે અમે અહીંયા નાં રહેવાસી છીએ, કપડાં બદલી ને સ્ટેજ પર આવી જશે. હમણાં તમે સમજો છો આપણે અહીંયા નાં રહેવાસી નથી. આ એક નાટક શાળા છે. આ હમણાં બુદ્ધિમાં આવ્યું છે કે આપણે મૂળવતન નાં નિવાસી છીએ, જેને સ્વીટ સાઈલેન્સ હોમ (શાંતિધામ) કહેવાય છે. આનાં માટે જ બધાં ઈચ્છે છે કારણ કે આત્મા દુઃખી છે ને. તો કહે છે અમે કેવી રીતે પાછાં ઘરે જઈએ. ઘરની ખબર ન હોવાનાં કારણે ભટકે છે. હવે તમે ભટકવા થી છૂટ્યાં. બાળકો ને ખબર પડી ગઈ છે, હવે તમારે સાચે જ ઘરે જવાનું છે. અહમ આત્મા કેટલી નાની બિંદી છે. આ પણ વન્ડર છે જેને કુદરત કહેવાય છે. આટલી નાની બિંદીમાં આટલો પાર્ટ ભરેલો છે. પરમપિતા પરમાત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે, આ પણ તમે જાણી ગયાં છો. સૌથી મુખ્ય પાર્ટધારી એ છે, કરનકરાવનહાર છે ને. આપ મીઠા-મીઠા બાળકોને આ હવે સમજમાં આવ્યું છે કે આપણે આત્માઓ શાંતિધામ થી આવીએ છીએ. આત્માઓ કોઈ નવી થોડી નીકળે છે, જે શરીરમાં પ્રવેશ કરે છે. ના. આત્માઓ બધી સ્વીટ હોમ માં રહે છે. ત્યાંથી આવે છે પાર્ટ ભજવવાં. બધાએ પાર્ટ ભજવવાનો છે. આ રમત છે. આ સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે શું છે! આ બધી બત્તીઓ છે, જેમાં રાત અને દિવસ ની રમત ચાલે છે. ઘણાં કહે છે સૂર્ય દેવતાય નમઃ, ચંદ્રમા દેવતાય નમઃ…...પરંતુ વાસ્તવમાં આ કોઈ દેવતાઓ છે નહીં. આ રમત ની કોઈને ખબર નથી. સૂર્ય ચંદ્ર ને પણ દેવતા કહી દે છે. વાસ્તવમાં આ બધાં વિશ્વ નાટક માટેની બત્તીઓ છે. આપણે રહેવાસી છીએ સ્વીટ સાઈલેન્સ હોમ નાં. અહીંયા આપણે પાર્ટ ભજવી રહ્યાં છીએ, આ જૂ માફક ચક્ર ફરતું રહે છે, જે કંઈ થાય છે ડ્રામા માં નોંધ છે. એવું ન કહેવું જોઈએ કે એવું ન હોત તો આવું થાત. આ તો ડ્રામા છે ને. ઉદાહરણ જેમ કે તમારી માં હતી, વિચારમાં તો નહોતું ને કે ચાલી જશે. સારું, શરીર છોડી દીધું-ડ્રામા. હવે પોતાનો નવો પાર્ટ ભજવી રહી છે. ફિકરની કોઈ વાત નથી. અહીંયા આપ સર્વ બાળકો ની બુદ્ધિ માં છે આપણે એક્ટર્સ છીએ, આ હાર અને જીત ની રમત છે. આ હાર-જીત ની રમત માયા પર આધારિત છે. માયા થી હારે હાર છે અને માયા થી જીતે જીત. આ ગાએ તો બધાં છે પરંતુ બુદ્ધિ માં જ્ઞાન જરા પણ નથી. તમે જાણો છો માયા શું વસ્તુ છે, આ તો રાવણ છે, જેને જ માયા કહેવાય છે. ધન ને સંપત્તિ કહેવાય. ધનને માયા નહીં કહેશું. મનુષ્ય સમજે છે આમની પાસે ખુબ ધન છે. તો કહી દે છે માયા નો નશો છે. પરંતુ માયા નો નશો હોય છે કે! માયાને તો આપણે જીતવાની કોશિશ કરીએ છીએ. તો આમાં કોઇ પણ વાતમાં સંશય ન ઉઠવો જોઇએ. કાચ્ચી અવસ્થા હોવાનાં કારણે જ સંશય ઊઠે છે. હમણાં ભગવાનુવાચ છે-કોના પ્રતિ? આત્માઓનાં પ્રતિ. ભગવાન તો જરુર શિવ જ જોઈએ જે આત્માઓનાં પ્રતિ કહે. કૃષ્ણ તો દેહધારી છે. તે આત્માઓનાં પ્રતિ કેવી રીતે કહેશે. તમને કોઈ દેહધારી જ્ઞાન નથી સંભળાવતાં. બાપને તો દેહ છે નહીં. બીજા તો બધાને દેહ છે, જેમની પૂજા કરે છે એમને યાદ કરવું તો સહજ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને કહેશે દેવતા. શિવને ભગવાન કહે છે. ઊંચે થી ઊંચા ભગવાન, એમને દેહ છે નહીં. આ પણ તમે જાણો છો જ્યારે મૂળવતન માં આત્માઓ હતી તો તમને દેહ હતું? ના. તમે આત્માઓ હતી. આ બાબા પણ આત્મા છે. ફક્ત એ પરમ છે, એમનો પાર્ટ ગવાયેલો છે. પાર્ટ ભજવીને ગયાં છે, ત્યારે જ પૂજા થાય છે. પરંતુ એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર હોય-૫ હજાર વર્ષ પહેલાં પણ પરમપિતા પરમાત્મા રચતા આવ્યા હતાં, એ છે જ હેવનલી ગોડફાધર. દર ૫ હજાર વર્ષ પછી કલ્પ નાં સંગમ પર એ આવે છે, પરંતુ કલ્પની આયુ લાંબી-પહોળી કરી દેવાથી બધાં ભૂલી ગયા છે. આપ બાળકોને બાપ બેસી સમજાવે છે, તમે પોતે કહો છો બાબા અમે તમારા થી કલ્પ-કલ્પ મળીએ છીએ, અને તમારા થી વારસો લઈએ છીએ, પછી કેવી રીતે ગુમાવીએ છીએ - આ બુદ્ધિ માં છે. જ્ઞાન તો અનેક પ્રકાર નાં છે પરંતુ જ્ઞાન નાં સાગર ભગવાન ને જ કહેવાય છે. હવે આ પણ બધાં સમજે છે- વિનાશ થશે જરુર. પહેલાં પણ વિનાશ થયો હતો. કેવી રીતે થયો હતો-આ કોઈને પણ ખબર નથી. શાસ્ત્રો માં તો વિનાશનાં માટે શું-શું લખી દીધું છે. પાંડવ અને કૌરવો ની યુદ્ધ કેવી રીતે થઈ શકે!

હમણાં તમે બ્રાહ્મણ છો સંગમયુગ પર. બ્રાહ્મણોની તો કોઈ લડાઈ છે નહીં. બાપ કહે છે તમે મારાં બાળકો છો નોનવાયોલેન્સ, ડબલ અહિંસક. હમણાં તમે નિર્વિકારી બની રહ્યાં છો. તમે જ બાપ થી કલ્પ-કલ્પ વારસો લો છો. આમાં કંઈ પણ તકલીફ ની વાત નથી. નોલેજ ખુબ સહજ છે. ૮૪ જન્મોનું ચક્ર તમારી બુદ્ધિ માં છે. હમણાં નાટક પૂરું થાય છે, બાકી થોડો સમય છે. તમે જાણો છો-હમણાં એવો સમય આવવા વાળો છે જે સાહૂકારો ને પણ અનાજ નહીં મળશે, પાણી નહીં મળશે. આને કહેવાય છે દુઃખનાં પહાડ, ખૂને નાહક રમત છે ને. આટલાં બધાં ખતમ થઇ જશે. કોઈ ભૂલ કરે છે તો તેમને દંડ મળે છે, આમણે શું ભૂલ કરી છે? ફક્ત એક જ ભૂલ કરી છે, જે બાપને ભૂલ્યાં છે. તમે તો બાપ થી રાજાઈ લઈ રહ્યાં છો. બાકી મનુષ્ય તો સમજે છે મર્યા કે મર્યા. મહાભારત લડાઈ થોડી પણ શરુ થઈ તો મરી જશે. તમે તો જીવતા છો ને. તમે ટ્રાન્સફર થઇ ને અમરલોક માં જાઓ છો, આ ભણતર ની તાકાત થી. ભણતર ને સોર્સ ઓફ ઈનકમ (આવકનું સાધન) કહેવાય છે. શાસ્ત્રો નું પણ ભણતર છે, એનાથી પણ ઈનકમ થાય છે, પરંતુ તે ભણતર છે ભક્તિ નું. હવે બાપ કહે છે હું તમને આ લક્ષ્મી-નારાયણ જેવાં બનાવું છું. તમે હમણાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. તમે જાણો છો આપણે ઊંચે થી ઊંચા બનીએ છીએ, પછી પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ઉતરીએ છીએ. નવાં થી જુનું થાય છે. સીડી જરુર ઉતરવી પડે ને. હમણાં સૃષ્ટિની પણ ઉતરતી કળા છે. ચઢતી કળા હતી તો આ દેવતાઓનું રાજ્ય હતું, સ્વર્ગ હતું. હમણાં નર્ક છે. હમણાં તમે ફરીથી પુરુષાર્થ કરી રહ્યાં છો-સ્વર્ગવાસી બનવા માટે. બાબા-બાબા કરતાં રહો છો.

ઓ ગોડફાધર કહીને પોકારે છે પરંતુ આ થોડી સમજે છે કે એ આત્માઓનાં બાપ ઊંચે થી ઊંચા છે, આપણે એમનાં બાળકો પછી દુઃખી કેમ? હમણાં તમે સમજો છો દુઃખી પણ થવાનું જ છે. આ સુખ અને દુઃખની રમત છે ને. જીત માં સુખ છે, હાર માં દુઃખ છે. બાપે રાજ્ય આપ્યું, રાવણે છીનવી લીધું. હમણાં આપ બાળકોની બુદ્ધિ માં છે-બાપ થી અમને સ્વર્ગનો વારસો મળતો રહે છે. બાપ આવેલાં છે, હમણાં ફક્ત બાપ ને યાદ કરવાનાં છે તો પાપ કપાઈ જાય. જન્મ-જન્માન્તર નો માથા પર બોજો છે ને. આ પણ તમે જાણો છો, તમે કોઈ બહું દુઃખી નથી થતાં. કાંઈક સુખ પણ છે - આટે મેં નમક (લોટ માં મીઠું). જેને કાગ વિષ્ટા સમાન સુખ કહેવાય છે. તમે જાણો છો સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. જગત નાં ગુરુ પણ એક થયાં. વાનપ્રસ્થ માં ગુરુ કરાય છે. હમણાં તો નાનપણ માં પણ ગુરુ કરાવી દે છે કે જો મરી જાય તો સદ્દગતિ ને પામશે. બાપ કહે છે વાસ્તવમાં કોઈને પણ ગુરુ ન કહી શકાય. ગુરુ તે જે સદ્દગતિ આપે. સદ્દગતિ દાતા તો એક જ છે. બાકી ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે કોઈ પણ ગુરુ નથી. તેઓ આવે છે તો બધાને સદ્દગતિ મળે છે શું! ક્રાઈસ્ટ આવ્યા, તેમના પાછળ બધાં આવવા લાગ્યાં. જે પણ તે ધર્મ નાં હતાં. પછી તેમને ગુરુ કેવી રીતે કહેશો, જ્યારે કે લઈ આવવા માટે નિમિત્ત બન્યા છે. પતિત-પાવન એક જ બાપને કહે છે, તે બધાને પાછાં લઈ જવા વાળા છે. સ્થાપના પણ કરે છે, ફક્ત બધાને લઈ જાય તો પ્રલય થઈ જાય. પ્રલય તો થતી નથી. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી શ્રીમદ્દ ભગવદગીતા ગવાયેલી છે. ગાયન છે-યદા યદાહિ………. ભારતમાં જ બાપ આવે છે. સ્વર્ગની બાદશાહી આપવા વાળા બાપ છે એમને પણ સર્વવ્યાપી કહી દે છે. હમણાં આપ બાળકોને ખુશી છે કે નવી દુનિયામાં આખા વિશ્વ પર એક આપણું જ રાજ્ય હશે. તે રાજય ને કોઇ છીનવી નથી શકતું. અહીંયા તો ટુકડા-ટુકડા પર આપસમાં કેટલું લડતા રહે છે. તમને તો મજા છે. ખગીઓ (ખુશી માં નાચવાનું) મારવાની છે. કલ્પ-કલ્પ બાબા થી આપણે વારસો લઈએ છીએ તો કેટલી ખુશી થવી જોઈએ. બાપ કહે છે મને યાદ કરો છતાં પણ ભૂલી જાઓ છો. કહે છે-બાબા યોગ તૂટી જાય છે. બાબાએ કહ્યું છે યોગ અક્ષર નીકાળી દો. તે તો શાસ્ત્રો નો અક્ષર છે. બાપ કહે છે-મને યાદ કરો. યોગ ભક્તિમાર્ગ નો અક્ષર છે. બાપ થી બાદશાહી મળે છે સ્વર્ગની, એમને તમે યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે. રાજાઈ કેવી રીતે મળશે. યાદ નહીં કરશો તો પદ પણ ઓછું થઈ જશે, સજા પણ ખાશો. આ પણ અક્કલ નથી. એટલાં બેસમજ બની ગયાં છો. હું કલ્પ-કલ્પ તમને કહું છું-મામેકમ યાદ કરો. જીવતે જીવ આ દુનિયાથી મરી જાઓ. બાપની યાદ થી તમારા વિકર્મ વિનાશ થશે અને તમે વિજય માળાનો દાણો બની જશો. કેટલું સહજ છે. ઊંચે થી ઊંચા શિવબાબા અને બ્રહ્મા બંને હાઈએસ્ટ (ઊંચા) છે. એ પારલૌકિક અને આ અલૌકિક. બિલકુલ સાધારણ શિક્ષક છે. તે શિક્ષક તો પણ સજા આપે છે, આ તો પુચકાર આપતા રહે છે. કહે છે-મીઠા બાળકો, બાપ ને યાદ કરો, સતોપ્રધાન બનવાનું છે. પતિત-પાવન એક જ બાપ છે. ગુરુ પણ તે જ થયા બીજા કોઈ ગુરુ થઇ ન શકે. કહે છે બુદ્ધ પાર નિર્વાણ ગયા-આ બધાં ગપોડા છે. એક પણ પાછું જઈ ન શકે. બધાનો ડ્રામામાં પાર્ટ છે. કેટલી વિશાળ બુદ્ધિ અને ખુશી રહેવી જોઈએ. ઉપર થી લઈને બધું જ્ઞાન બુદ્ધિ માં છે. બ્રાહ્મણ જ જ્ઞાન ઉઠાવે છે. ન શુદ્રોમાં, ન દેવતાઓમાં આ જ્ઞાન છે. હવે સમજવા વાળા સમજે. જે ન સમજે એમનું મોત છે. પદ પણ ઓછું થઈ જશે. સ્કૂલમાં પણ નથી ભણતાં તો પદ પણ ઓછું થઈ જાય છે. અલ્ફ બાબા, બે બાદશાહી. આપણે ફરીથી પોતાની રાજધાનીમાં જઈ રહ્યા છીએ. આ જૂની દુનિયા ખતમ થઇ જશે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ આપણને એવાં નવાં વિશ્વની રાજાઈ આપે છે જેને કોઈ પણ છીનવી નથી શકતું-આ ખુશીમાં ખગીયાં મારવાની છે.

2. વિજયમાળા નો દાણા બનવા માટે જીવતે જીવ આ જૂની દુનિયા થી મરવાનું છે. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ કરવાનાં છે.

વરદાન :-
એકની સાથે સર્વ સંબંધ નિભાવવા વાળા સર્વ કિનારા થી મુક્ત સંપૂર્ણ ફરિશ્તા ભવ

જેમ કોઇ વસ્તુ બનાવો છે જ્યારે તે બનીને તૈયાર થઈ જાય છે તો કિનારો છોડી દે છે, એમ જેટલાં સમ્પન્ન સ્ટેજ નાં સમીપ આવતાં જશો એટલો સર્વ થી કિનારો થતો જશે. જ્યારે બધાં બંધનો થી વૃત્તિ દ્વારા કિનારો થઈ જાય અર્થાત્ કોઈ માં પણ લગાવ ન હોય ત્યારે સંપૂર્ણ ફરિશ્તા બનશો. એકની સાથે સર્વ સંબંધ નિભાવવાં - આ જ ઠેકાણું છે, આનાથી જ અંતિમ ફરિશ્તા જીવનની મંજિલ સમીપ અનુભવ થશે. બુદ્ધિનું ભટકવાનું બંધ થઈ જશે.

સ્લોગન :-
સ્નેહ એવું ચુંબક છે જે ગ્લાનિ કરવા વાળા ને પણ સમીપ લઇ આવે છે.