15-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમને સ્મૃતિ આવી કે આપણે ૮૪ જન્મોનું ચક્ર પૂરું કર્યું , હવે જઈએ છીએ આપણા ઘરે શાંતિધામ , ઘર જવામાં બાકી થોડો સમય છે ”

પ્રશ્ન :-
જે બાળકોને ઘરે ચાલવાની સ્મૃતિ રહે છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે આ જૂની દુનિયાને જોવાં છતાં પણ નહીં જુએ. તેમને બેહદનો વૈરાગ્ય હશે, ધંધાદોરી માં રહેતાં પણ હલકા રહેશે. અહીંયા-ત્યાં ઝરમુઈ-ઝગમુઈ ની વાતોમાં પોતાનો સમય બરબાદ નહીં કરે. પોતાને આ દુનિયામાં મહેમાન સમજશે.

ઓમ શાંતિ!
ફક્ત આપ સંગમયુગી બ્રાહ્મણ બાળકો જ જાણો છો કે આપણે થોડાં સમયનાં માટે આ જૂની દુનિયાનાં મહેમાન છીએ. તમારું સાચું ઘર છે શાંતિધામ. એને જ મનુષ્ય ખુબ યાદ કરે છે, મનને શાંતિ મળે. પરંતુ મન શું છે, શાંતિ શું છે, આપણને મળશે ક્યાંથી, કાંઈ પણ સમજતા નથી. તમે જાણો છો હમણાં આપણા ઘરે જવા માટે બાકી થોડો સમય છે. આખી દુનિયાનાં મનુષ્યમાત્ર નંબરવાર ત્યાં જશે. એ છે શાંતિધામ અને આ છે દુઃખધામ. આ યાદ કરવું તો સહજ છે ને. કોઈ પણ ઘરડા હોય કે જવાન હોય, આ તો યાદ કરી શકો છો ને. આમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે. આખી ડિટેલ (વિસ્તાર) બુદ્ધિમાં આવી જાય છે. હમણાં તમે સંગમયુગ પર બેઠાં છો, આ બુદ્ધિમાં રહે છે આપણે જઈ રહ્યાં છીએ શાંતિધામ, ડ્રામા પ્લાન અનુસાર. આ બુદ્ધિમાં રહેવાથી તમને ખુશી થશે, સ્મૃતિ રહેશે. આપણને પોતાનાં ૮૪ જન્મોની સ્મૃતિ આવી છે. તે ભક્તિ માર્ગ અલગ છે, આ છે જ્ઞાન માર્ગ ની વાતો. બાપ સમજાવી રહ્યાં છે-મીઠા બાળકો, હવે આપણું ઘર યાદ આવે છે? કેટલું સાંભળતાં રહો છો, આટલી બધી વાતો સાંભળો છો. એક આ જ છે કે હમણાં આપણે શાંતિધામ જઈશું પછી સુખધામ આવશું. બાપ આવ્યાં જ છે પાવન દુનિયામાં લઈ જવાનાં માટે. સુખધામ માં પણ આત્માઓ સુખ અને શાંતિ માં રહે છે. શાંતિધામ માં ફક્ત શાંતિ છે, અહીંયા તો ખુબ હંગામા છે ને. અહીંયા મધુબન થી તમે જશો પોતાનાં ઘરમાં તો બુદ્ધિ ઝરમુઈ-ઝગમુઈ, પોતાનાં ધંધા વગેરે તરફ ચાલી જશે. અહીંયા તો તે ઝંઝટ નથી રહેતી. તમે જાણો છો આપણે આત્માઓ છીએ જ શાંતિધામની નિવાસી. અહીંયા આપણે પાર્ટધારી બન્યાં છીએ, બીજા કોઈને આ ખબર નથી કે આપણે પાર્ટધારી કેવી રીતે છીએ! આપ બાળકોને જ બાપ આવી ને ભણાવે છે, કોટોમાં કોઈ ભણે છે. બધાં તો નહીં ભણશે. તમે હમણાં કેટલાં સમજદાર બનો છો. પહેલાં બેસમજ હતાં. હમણાં તો જુઓ લડાઈ-ઝગડા વગેરે કેટલાં છે, આને શું કહેશું? આપણે આપસમાં ભાઈ-ભાઈ છીએ, તે ભૂલી ગયાં છે. ભાઈ-ભાઈ ક્યારેય ખૂન કરે છે શું? હા, ખૂન કરે પણ છે તો ફક્ત મિલકત માટે. હમણાં તમે જાણો છો-આપણે બધાં એક બાપનાં બાળકો ભાઈ-ભાઈ છીએ. તમે પ્રેક્ટીકલમાં સમજો છો, આપણને આત્માઓને બાબા આવી ને ભણાવે છે. ૫ હજાર વર્ષ પહેલાં માફક આપણને ભણાવે છે કારણ કે એ જ્ઞાન નાં સાગર છે, આ ભણતરને બીજું કોઈ પણ નથી જાણતું. આ પણ તમે બાળકો જાણો છો-બાપ જ સ્વર્ગ નાં રચયિતા છે. સૃષ્ટિને રચવા વાળા નહીં કહેશું. સૃષ્ટિ તો અનાદિ છે જ. સ્વર્ગને રચવા વાળા કહેશું. ત્યાં બીજા કોઈ ખંડ નહોતાં. અહીંયા તો ખુબ ખંડ છે. કોઈ સમય હતો જ્યારે કે એક જ ધર્મ હતો, એક જ ખંડ હતો. પાછળ પછી વેરાયટી (વિવિધ) ધર્મ આવ્યાં છે.

હમણાં બુદ્ધિ માં બેસે છે કે વેરાયટી ધર્મ કેવી રીતે આવે છે. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, સનાતન ધર્મ પણ અહીંયા કહે છે. પરંતુ અર્થ તો કંઈ સમજતાં નથી. તમે બધાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છો, ફક્ત પતિત બની ગયાં છો, સતોપ્રધાન થી સતો-રજો-તમો થાઓ છો. તમે સમજો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છીએ, આપણે બહુજ પવિત્ર હતાં, હમણાં પતિત બન્યાં છીએ. તમે બાપ થી વારસો લીધો હતો, પવિત્ર દુનિયાનાં માલિક બનવાનો. સમજો છો આપણે પહેલાં-પહેલાં પવિત્ર ગૃહસ્થ ધર્મનાં હતાં, હમણાં ડ્રામાનાં પ્લાન અનુસાર રાવણ રાજ્ય માં આપણે પતિત પ્રવૃત્તિ માર્ગ નાં બની ગયાં છીએ. તમે જ પુકારો છો-હેં પતિત-પાવન અમને સુખધામમાં લઈ જાઓ. કાલની વાત છે. કાલે તમે પવિત્ર હતાં, આજે અપવિત્ર બની પોકારો છો. આત્મા પતિત થઈ ગઈ છે. આત્મા પોકારે છે બાબા આવીને અમને ફરીથી પાવન બનાવો. બાપ કહે છે હમણાં આ અંતિમ જન્મ પવિત્ર બનો પછી તમે ૨૧ જન્મનાં માટે ખુબ સુખી થઈ જશો. બાબા તો ખુબ સારી વાતો સંભળાવે છે. ખરાબ વસ્તુ છોડાવે છે, તમે દેવતા હતાં ને. હવે ફરી બનવાનું છે. પવિત્ર બનો. કેટલું સહજ છે. કમાણી ખુબ ભારે છે. આપ બાળકોની બુદ્ધિમાં છે શિવબાબા આવ્યાં છે, દર ૫ હજાર વર્ષ પછી આવે છે. જૂની દુનિયા થી નવી થાય છે જરુર. આ કોઈ બીજું બતાવી ન શકે. શાસ્ત્રો માં કળયુગ ની આયુ ખુબ લાંબી કરી દીધી છે. આ છે આખી ભાવી ડ્રામાની.

હમણાં આપ બાળકો પાપો થી મુક્ત થવાનો પુરુષાર્થ કરો છો, ધ્યાન રહે બીજા કોઇ પાપ ન થઈ જાય. દેહ-અભિમાનમાં આવવાથી જ પછી બીજા વિકાર આવે છે, જેનાથી પાપ થાય છે એટલે ભૂતો ને ભગાવવા પડે છે. આ દુનિયા ની કોઈ પણ વસ્તુમાં મોહ ન હોય. આ જુની દુનિયા થી વૈરાગ્ય હોય. ભલે જુઓ છો, જૂનાં ઘર માં રહેવું પડે છે પરંતુ બુદ્ધિ નવી દુનિયામાં લાગેલી હોય. જ્યારે નવાં ઘર માં જશો તો નવાં ને જ જોશો. જ્યાં સુધી આ જુનું ઘર ખતમ થાય ત્યાં સુધી આંખો થી જૂનાં ને જોવાં છતાં યાદ નવાં ને કરવાનું છે. કોઈ પણ એવું કામ નથી કરવાનું જે પછી પસ્તાવું પડે. આજે ફલાણા ને દુઃખ આપ્યું, આ પાપ કર્યુ, બાબા થી પૂછી શકો છો બાબા આ પાપ છે? ઘુટકા કેમ ખાવા જોઈએ. પૂછશો નહીં તો ઘુટકા ખાતા રહેશો. બાબા થી પૂછશો તો બાબા ઝટ હલકા કરી દેશે. તમે ખુબ ભારે છો. પાપો નો બોજો બહુજ ભારે છે. ૨૧ જન્મ પછી પાપો થી હલકા થઇ જશો. જન્મ-જન્માંતર નો માથા પર બોજો છે. જેટલાં યાદ માં રહેશો, હલકા થતાં જશો. ખાદ નીકળતી જશે અને ખુશી ચઢી જશે. સતયુગમાં તમે ખુબ ખુશી માં હતાં પછી ઓછી થતાં-થતાં બધી ખુશી તમારી લોપ થઈ ગઈ છે. સતયુગ થી લઈને કળયુગ સુધી આ યાત્રા માં ૫ હજાર વર્ષ લાગ્યાં છે. સ્વર્ગ થી નરક માં આવવાની યાત્રાની હમણાં ખબર પડી છે કે આપણે સ્વર્ગ થી નરક માં કેવી રીતે આવ્યાં છીએ. હમણાં ફરી તમે નરક થી સ્વર્ગમાં ચાલો છો. એક સેકન્ડ માં જીવનમુક્તિ. બાપને ઓળખ્યાં. બાપ આવ્યાં છે તો જરુર આપણને સ્વર્ગમાં લઈ જશે. બાળક જન્મ્યો અને મિલકત નો માલિક બની ગયો. બાપનાં બન્યાં તો પછી નશો ચઢવો જોઇએ ને. ઉતરવો કેમ જોઈએ. તમે તો મોટાં છો ને. બેહદ બાપનાં બાળકો બન્યાં છો તો બેહદની રાજધાની પર તમારો હક છે એટલે ગાયન પણ છે - અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપી વલ્લભનાં ગોપ-ગોપીઓ થી પૂછો. વલ્લભ બાપ છે ને, એમનાથી પૂછો. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ ખુશી નો પારો ચઢશે. કોઈ તો ઝટ આપસમાન બનાવી દેશે. બાળકો નું કામ જ આ છે, બધુંજ ભુલાવી પોતાની રાજધાની ની યાદ અપાવવી.

તમે તો સ્વર્ગનાં માલિક હતાં. હમણાં કળયુગ જૂની દુનિયા છે ફરી નવી દુનિયા થશે. હમણાં આપ બાળકોની બુદ્ધિમાં છે કે દર ૫ હજાર વર્ષ પછી બાપ ભારતમાં જ આવે છે. એમની જયન્તી પણ મનાવે છે. તમે જાણો છો બાપ આવીને આપણને રાજધાની આપીને જાય છે પછી યાદ કરવાની દરકાર જ નથી રહેતી પછી જ્યારે ભક્તિ શરુ થાય છે ત્યારે યાદ કરીએ છીએ. આત્માએ માલ ખાધો છે, તો યાદ કરે છે બાબા ફરી આવીને અમને શાંતિધામ, સુખધામ માં લઈ જાઓ. હમણાં આપ બાળકો સમજો છો - એ આપણા બાપ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું ચક્ર ૮૪ જન્મોનું જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. અગણિત વખત ૮૪ જન્મ લીધાં છે અને લેતાં રહેશું. આનો એન્ડ (અંત) ક્યારેય થતો નથી. તમારી બુદ્ધિમાં જ આ ચક્ર છે, સ્વદર્શન ચક્ર ઘડી-ઘડી યાદ આવવું જોઈએ. આજ મનમનાભવ છે. જેટલું બાપને યાદ કરશો એટલાં પાપ ભસ્મ થશે.

તમે જ્યારે કર્માતિત અવસ્થા નાં સમીપ પહોંચી જશો તો તમારા થી કોઈ પણ વિકર્મ નહીં થશે. હમણાં થોડાં-થોડાં વિકર્મ થઈ જાય છે. સંપૂર્ણ કર્માતિત અવસ્થા હમણાં થોડી બની છે. આ બાબા પણ તમારી સાથે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છે. ભણાવવા વાળા છે શિવબાબા. ભલે આમનામાં પ્રવેશ કરે છે, આ પણ સ્ટુડન્ટ છે. આ છે જ નવી-નવી વાતો. હવે ફક્ત તમે બાપને અને સૃષ્ટિ ચક્રને યાદ કરો. તે છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. રાત-દિવસ નો ફર્ક છે! ત્યાં કેટલા જાંજ, ઘંટ વગેરે વગાડે છે. અહીંયા ફક્ત યાદમાં રહેવાનું છે.આત્મા તો અમર છે, અકાળ તખ્ત પણ છે. એવું નહીં કે અકાળમૂર્ત ફક્ત બાપ છે. તમે પણ અકાળમૂર્ત છો. અકાળમૂર્ત આત્મા નું આ ભ્રકુટી તખ્ત છે. જરુર ભ્રકુટી માં જ બેસશે. પેટમાં થોડી બેસશે. હમણાં તમે જાણો છો આપણું અકાળમૂર્ત આત્માનું તખ્ત ક્યાં છે. આ ભ્રકુટીનાં વચમાં આપણું તખ્ત છે. અમૃતસરમાં અકાળતખ્ત છે ને. અર્થ કાંઈ પણ નથી સમજતાં. મહિમા પણ ગાએ છે અકાળમૂર્ત. એમનાં અકાળતખ્ત ની કોઈને ખબર નથી. હમણાં તમને ખબર પડી છે, તખ્ત તો આજ છે, જેનાં પર બેસી ને સંભળાવે છે. તો આત્મા અવિનાશી છે, શરીર છે વિનાશી. આત્માનું આ અકાળતખ્ત છે, સદૈવ આ અકાળતખ્ત રહે છે. આ તમે સમજો છો. તેમણે પછી તે તખ્ત બનાવી નામ રાખી દીધું છે. વાસ્તવમાં અકાળઆત્મા તો અહીંયા બેઠી છે. આપ બાળકોની બુદ્ધિમાં અર્થ છે, એક ઓમકાર...આનો અર્થ તમે સમજો છો. મનુષ્ય મંદિરોમાં જઈને કહે છે અચુતમ કેશવમ...અર્થ કાંઈ નહીં. એવી રીતે જ સ્તુતિ કરતાં રહે છે. અચુતમ કેશવમ રામ નારાયણમ…..હવે રામ ક્યાં, નારાયણ ક્યાં. બાપ કહે છે તે બધું છે ભક્તિમાર્ગ. જ્ઞાન તો ખુબજ સિમ્પલ (સહજ) છે, કોઈ બીજી વાત પૂછવાના પહેલાં બાપ અને વારસાને યાદ કરવાનો છે, તે મહેનત કોઈથી થતી નથી, ભૂલી જાય છે. એક નાટક પણ છે-માયા આવું કરે, ભગવાન આવું કરે છે. તમે બાપ ને યાદ કરો છો, માયા તમને બીજા તોફાનમાં લઈ જાય છે. માયાનું ફરમાન છે-રુસતમ થી રુસતમ થઈને લડો, તમે બધાં લડાઈનાં મેદાનમાં છો. જાણો છો આમાં ક્યાં-ક્યાં પ્રકારનાં યોદ્ધા છે. કોઈ તો ખુબ કમજોર છે, કોઈ મધ્યમ કમજોર છે, કોઈ તો પછી મજબુત છે. બધાં માયા થી યુદ્ધ કરવા વાળા છે. ગુપ્ત જ ગુપ્ત અંડરગ્રાઉન્ડ. તેઓ પણ અંડરગ્રાઉન્ડ બોમ્સ ની ટ્રાયલ કરે છે. આ પણ આપ બાળકો જાણો છો, પોતાનાં મોત માટે બધું કરી રહ્યાં છે. તમે બિલકુલ શાંતિમાં બેઠાં છો, તેમનું છે સાયન્સ બળ. કુદરતી આપદાઓ પણ ખુબ જ છે. તેમાં તો કોઈનું વશ ચાલી ન શકે. હમણાં જુઠ્ઠા વરસાદ માટે પણ કોશિશ કરે છે. જુઠ્ઠો વરસાદ પડે તો પછી અનાજ વધારે થાય. આપ બાળકો તો જાણો છો કેટલો પણ વરસાદ પડે છતાં પણ નેચરલ કૈલેમિટીઝ (કુદરતી આપદાઓ) જરુર થવાની છે. મુશળધાર વરસાદ પડશે પછી શું કરી શકશો. આને કહેવાય છે નેચરલ કૈલેમિટીઝ. સતયુગમાં આ થતું નથી. અહીંયા થાય છે જે પછી વિનાશ માં મદદ કરે છે.

તમારી બુદ્ધિમાં છે આપણે જયારે સતયુગમાં હોઈશું તો જમુના નાં કાંઠા પર સોનાનાં મહેલ હશે. આપણે ખુબ થોડાં ત્યાંના રહેવાવાળા હોઈશું. કલ્પ-કલ્પ આવું થતું રહે છે. પહેલાં થોડાં હોય છે પછી ઝાડ વધે છે, ત્યાં કોઈ પણ ગંદકી ની વસ્તુ હોતી જ નથી. અહીંયા તો જુઓ ચકલીઓ પણ ગંદ કરતી રહે છે, ત્યાં ગંદકી ની વાત નથી, તેને કહેવાય જ છે સ્વર્ગ. હમણાં તમે સમજો છો આપણે આ દેવતા બનીએ છીએ તો અંદર માં કેટલી ખુશી થવી જોઈએ. માયારુપી જિન્ન થી બચવા માટે બાપ કહે છે આપ બાળકો આ રુહાની ધંધામાં લાગી જાઓ. મનમનાભવ. બસ આમાં જ જિન્ન બની જાઓ. જિન્ન નું દૃષ્ટાંત આપે છે ને. કહ્યું કામ આપો..તો બાબા પણ કામ આપે છે. નહીં તો માયા ખાઈ જશે. બાપનું પૂરું મદદગાર બનવાનું છે. એકલા બાપ તો નહીં કરશે. બાપ તો રાજ્ય પણ નથી કરતાં. તમે સર્વિસ (સેવા) કરો છો, રાજાઈ પણ તમારા માટે જ છે. બાપ કહે છે હું પણ મગધ દેશમાં આવું છું. માયા પણ મગરમચ્છ છે, કેટલાં મહારથીઓને હપ કરીને ખાઈ જાય છે. આ બધાં છે દુશ્મન. જેમ દેડકા નો દુશ્મન સર્પ હોય છે ને. તમને ખબર છે, એવી તમારી દુશ્મન છે માયા. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયંને પાપો થી મુક્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે, દેહ-અભિમાનમાં ક્યારેય નથી આવવાનું. આ દુનિયાની કોઈ પણ વસ્તુમાં મોહ નથી રાખવાનો.

2. માયા રુપી જિન્ન થી બચવા માટે બુદ્ધિને રુહાની ધંધામાં બીઝી (વ્યસ્ત) રાખવાની છે. બાપનું પૂરે-પૂરું મદદગાર બનવાનું છે.

વરદાન :-
હું અને મારાપણા ને સમાપ્ત કરી સમાનતા કે સંપૂર્ણતા નો અનુભવ કરવાવાળા સાચાં ત્યાગી ભવ

દર સેકન્ડ, દર સંકલ્પ માં બાબા-બાબા યાદ રહે, હું પણું સમાપ્ત થઈ જાય, જ્યારે હું નહીં તો મારું પણ નહીં. મારો સ્વભાવ, મારા સંસ્કાર, મારી નેચર (સ્વભાવ), મારું કામ અથવા ડ્યુટી, મારું નામ, મારી શાન...જ્યારે આ હું અને મારાપણું સમાપ્ત થઈ જાય તો આ જ સમાનતા અને સંપૂર્ણતા છે. આ હું અને મારાપણા નો ત્યાગ જ મોટાં માં મોટો સૂક્ષ્મ ત્યાગ છે. આ હું પણા નાં અશ્વને યજ્ઞમાં સ્વાહા કરો ત્યારે અંતિમ આહુતી પડશે અને વિજયનાં નગારાં વાગશે.

સ્લોગન :-
હા જી કરી સહયોગ નો હાથ વધારવો અર્થાત્ દુવાઓ ની માળાઓ પહેરવી.