18-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
તમને નવી દુનિયાનાં માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે , એટલે આ જૂની દુનિયાનો વિનાશ પણ
જરુર થવાનો છે ”
પ્રશ્ન :-
મનુષ્યો માં
કઈ એક સારી આદત પડેલી છે પરંતુ એનાથી પણ પ્રાપ્તિ નથી થતી?
ઉત્તર :-
મનુષ્યો માં ભગવાનને યાદ કરવાની જેમ કે આદત પડેલી છે, જ્યારે કોઈ વાત હોય છે તો કહી
દે છે-હેં ભગવાન! સામે શિવલિંગ આવી જાય છે પરંતુ પરિચય યથાર્થ ન હોવાનાં કારણે
પ્રાપ્તિ નથી થતી પછી કહી દે છે સુખ-દુઃખ બધું એજ આપે છે. આપ બાળકો હવે એવું નહીં
કહેશો.
ઓમ શાંતિ!
બાપ જેમને રચતા
કહેવાય છે, શેના રચતા? નવી દુનિયાનાં રચતા. નવી દુનિયાને કહેવાય છે સ્વર્ગ કે
સુખધામ, નામ કહે છે પરંતુ સમજતાં નથી. કૃષ્ણનાં મંદિરને પણ સુખધામ કહે છે. હવે તે
તો થઈ ગયું નાનું મંદિર. કૃષ્ણ વિશ્વનાં માલિક હતાં. બેહદનાં માલિક ને જેમ કે હદનાં
માલિક બનાવી દે છે. કૃષ્ણનાં નાનકડા મંદિર ને સુખધામ કહે છે. બુદ્ધિમાં આ નથી આવતું
કે એ તો વિશ્વનાં માલિક હતાં. ભારતમાં જ રહેવાવાળા હતાં. તમને પણ પહેલાં કંઇ ખબર
નહોતી. બાપને તો બધીજ ખબર છે, એ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. હમણાં આપ બાળકો
જાણો છો, દુનિયામાં તો આ પણ કોઈને ખબર નથી - બ્રહ્મા-વિષ્ણુ-શંકર કોણ છે? શિવ તો છે
ઊંચે થી ઊંચાં ભગવાન. અચ્છા, પછી પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવ્યાં? છે તો મનુષ્ય
જ. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીંયા જ જોઈએ ને જેમનાથી બ્રાહ્મણ પેદા થાય.
પ્રજાપિતા એટલે જ મુખ થી એડોપ્ટ કરવાવાળા, તમે છો મુખ વંશાવલી. હવે તમે જાણો છો કે
કેવી રીતે બ્રહ્માને બાપે પોતાનાં બનાવીને મુખ વંશાવલી બનાવ્યાં છે, આમનામાં પ્રવેશ
પણ કર્યો પછી કહ્યું કે આ મારો બાળક પણ છે. તમે જાણો છો બ્રહ્મા નામ કેવી રીતે પડ્યું,
કેવી રીતે પેદા થયાં, આ બીજા કોઈ નથી જાણતાં. ફક્ત મહિમા ગાએ છે કે પરમપિતા પરમાત્મા
ઊંચે થી ઊંચાં છે, પરંતુ આ કોઈની બુદ્ધિ માં નથી આવતું કે ઊંચે થી ઊંચાં બાપ છે.
આપણે સૌ આત્માઓનાં એ પિતા છે. એ પણ બિંદુ રુપ જ છે, એમનામાં સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. આ નોલેજ પણ તમને હમણાં મળ્યું છે. પહેલાં જરા પણ આ
જ્ઞાન નહોતું. મનુષ્ય ફક્ત કહેતાં રહે છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પરંતુ જાણતાં કંઈ પણ
નથી. તો એમને જ સમજાવવાનું છે. હવે તમે સમજદાર બન્યાં છો. જાણો છો કે બાપ જ્ઞાનનાં
સાગર છે, જે આપણને જ્ઞાન સંભળાવે છે, ભણાવે છે. આ રાજ્યોગ છે જ સતયુગ નવી દુનિયાનાં
માટે તો જરુર જૂની દુનિયાનો વિનાશ થવો જોઈએ. એનાં માટે આ મહાભારત લડાઈ છે. અડધાકલ્પ
થી લઈને તમે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર વાંચતા આવ્યાં છો. હવે તો બાપ થી ડાયરેક્ટ
સાંભળો છો. બાપ કોઈ શાસ્ત્ર નથી બેસીને સંભળાવતાં. જપ તપ કરવું, શાસ્ત્ર વગેરે
વાંચવું આ બધું છે ભક્તિ. હવે ભક્તોને ભક્તિનું ફળ જોઈએ કારણ કે મહેનત કરે જ છે
ભગવાન થી મળવા માટે. પરંતુ જ્ઞાન થી જ છે સદ્દગતિ. જ્ઞાન અને ભક્તિ બંને સાથે ચાલી
ન શકે. હમણાં છે જ ભક્તિ નું રાજ્ય. બધાં ભગત છે. દરેક નાં મુખ થી ઓ ગોડ ફાધર (હેં
ભગવાન) જરુર નીકળશે. હવે આપ બાળકો જાણો છો કે બાપે પોતાનો પરિચય આપ્યો છે કે હું
નાની બિંદી છું. મને જ જ્ઞાનનાં સાગર કહે છે. મુજ બિંદુમાં બધું જ્ઞાન ભરેલું છે.
આત્મા માં જ નોલેજ રહે છે. હમણાં આપ બાળકો સમજો છો કે એમને પરમપિતા પરમાત્મા કહેવાય
છે. એ છે સુપ્રીમ સોલ અર્થાત્ સૌથી ઊંચે થી ઊંચાં પતિત-પાવન બાપ જ સુપ્રીમ (સર્વોચ્ચ)
છે ને. મનુષ્ય હેં ભગવાન કહેશે તો શિવલિંગ જ યાદ આવશે. તે પણ યથાર્થ રીતે નહીં. એક
જેવી કે આદત પડી ગઈ છે કે ભગવાન ને યાદ કરવાનાં છે. ભગવાન જ સુખ-દુઃખ આપે છે. હમણાં
આપ બાળકો એવું નહીં કહેશો. તમે જાણો છો કે બાપ તો સુખદાતા છે. સતયુગ માં સુખધામ હતું.
ત્યાં દુઃખ નું નામ નહોતું. કળયુગ માં છે જ દુઃખ, અહીંયા સુખનું નામ જ નથી. ઊંચે થી
ઊંચાં ભગવાન, એ છે સર્વ આત્માઓનાં બાપ. આ કોઈને ખબર નથી કે આત્માઓના બાપ પણ છે, કહે
પણ છે અમે બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. તો જરુર બધાં એક બાપનાં બાળક થયાં ને. કોઈ
પછી કહી દે છે કે એ તો સર્વવ્યાપી છે-તારા માં પણ છે, મારા માં પણ છે…... અરે, તમે
તો આત્મા છો, આ તમારું શરીર છે, પછી ત્રીજી વસ્તુ કેવી રીતે હોઈ શકે છે! આત્માને
પરમાત્મા થોડી કહેશું. જીવ આત્મા કહેવાય છે. જીવ પરમાત્મા નથી કહેવાતું. પછી
પરમાત્મા સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે! બાપ સર્વવ્યાપી હોત તો પછી ફાધરહુડ (પિતૃત્વ)
થઈ જાય, ફાધર ને ફાધર થી વારસો થોડી મળશે. બાપ થી તો બાળક જ વારસો લે છે. બધાં ફાધર
કેવી રીતે થઈ શકે. આટલી નાની-એવી વાત પણ કોઈની સમજમાં નથી આવતી. ત્યારે બાપ કહે છે-બાળકો,
મેં આજ થી ૫ હજાર વર્ષ પહેલાં તમને કેટલાં સમજદાર બનાવ્યા હતાં, તમે એવરહેલ્થી,
વેલ્થી, સમજદાર હતાં. આનાથી વધારે સમજદાર કોઈ હોઈ નથી શકતું. તમને હમણાં જે સમજ મળે
છે એ પછી ત્યાં નહીં હશે. ત્યાં આ થોડી ખબર હોય છે કે અમે પાછાં ઉતરશું. આ ખબર હોય
તો પછી સુખની ભાસના જ ન આવે. આ જ્ઞાન પછી પ્રાયઃ લોપ થઈ જાય છે. આ ડ્રામાનું જ્ઞાન
ફક્ત હમણાં તમારી બુદ્ધિમાં છે. બ્રાહ્મણ જ અધિકારી રહે છે. તમારી બુદ્ધિમાં છે કે
હવે અમે બ્રાહ્મણ વર્ણનાં છીએ. બ્રાહ્મણોને જ બાપ જ્ઞાન સંભળાવે છે. બ્રાહ્મણ પછી
બધાને સંભળાવે છે. ગાયન પણ છે કે ભગવાને આવીને સ્વર્ગની સ્થાપના કરી હતી, રાજયોગ
શીખવાડ્યો હતો. જુઓ કૃષ્ણજયંતી મનાવે છે, સમજે છે કે કૃષ્ણ વૈકુંઠનાં માલિક હતાં,
પરંતુ એ વિશ્વનાં માલિક હતાં-આ બુદ્ધિમાં નથી આવતું. જ્યારે એમનું રાજ્ય હતું તો
બીજો કોઈ ધર્મ નહોતો. એમનું જ આખા વિશ્વ પર રાજ્ય હતું અને જમુનાનાં કિનારે હતું.
હવે તમને આ કોણ સમજાવી રહ્યું છે? ભગવાનુવાચ. બાકી તેઓ જે પણ વેદ-શાસ્ત્ર વગેરે
સંભળાવે તે છે ભક્તિમાર્ગનાં. અહીંયા તો સ્વયં ભગવાન તમને સંભળાવી રહ્યાં છે. હમણાં
તમે સમજો છો આપણે પુરુષોત્તમ બની રહ્યાં છીએ. તમને જ આ બુદ્ધિ માં છે કે આપણે
શાંતિધામનાં રહેવાવાળા છીએ પછી આપણે આવીને ૨૧ જન્મોની પ્રાલબ્ધ ભોગવશું.
આપ બાળકોને અંદર માં ખુશી થી ગદ્દગદ્દ થવું જોઈએ કે બેહદનાં બાબા શિવબાબા અમને ભણાવી
રહ્યાં છે, એ જ્ઞાનનાં સાગર છે, સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એવાં બાબા
અમારે માટે આવ્યાં છે તો ખુશી થી ગુદગુદી થાય છે. બાબા ને કહે છે બાબા અમે તમને
અમારા વારીસ બનાવ્યાં છે. બાપ બાળકો પર વારી જાય છે. બાળકો પછી કહે છે કે ભગવાન તમે
જ્યારે આવશો તો અમે તમારાં પર વારી જઈશું અર્થાત્ બાળક બનાવશું. આ પણ પોતાનાં
બાળકોને જ વારીસ બનાવે છે. બાબાને વારીસ કેવી રીતે બનાવશો. આ પણ ગુહ્ય વાત છે.
પોતાનું બધુંજ એક્સચેન્જ (બદલી) કરવું-આમાં બુદ્ધિનું કામ છે. ગરીબ તો ઝટ એક્સચેન્જ
કરી લેશે, સાહૂકાર મુશ્કિલ કરશે. જ્યાં સુધી કે પૂરી રીતે જ્ઞાન ન ઉઠાવે. એટલી
હિંમત નથી રહેતી. ગરીબ તો ઝટ કહી દેશે-બાબા અમે તો તમને જ વારીસ બનાવશું. અમારી પાસે
રહ્યું જ શું છે. વારીસ બનાવીને પછી શરીર નિર્વાહ પણ પોતાનું કરવાનું છે. ફક્ત
ટ્રસ્ટી સમજી ને રહેવાનું છે. યુક્તિયો ઘણી બતાવતા રહે છે. બાપ તો ફક્ત જુએ છે કે
કોઈ પાપ કર્મ માં તો પૈસા ખરાબ નથી કરતાં? મનુષ્યને પુણ્ય આત્મા બનાવવા માં પૈસા
લગાવે છે? સર્વિસ (સેવા) પણ કાયદેસર કરે છે? આ પૂરી તપાસ કરશે, પછી બધી સલાહ આપશે.
આ પણ ધંધામાં ઈશ્વર અર્થ નીકાળતા હતાં ને. તે તો હતું ઇનડાયરેક્ટ. હમણાં બાપ
ડાયરેક્ટ આવ્યાં છે. મનુષ્ય સમજે છે અમે જે કાંઈ કરીએ છે એનું ફળ ઈશ્વર બીજા જન્મ
માં આપે છે. કોઇ ગરીબ દુ:ખી છે તો સમજશે કર્મ જ એવાં કરેલાં છે. સારા કર્મ કર્યા છે
તો સુખી છે. બાપ આપ બાળકોને કર્મો ની ગતિ પર સમજાવે છે, રાવણ રાજ્ય માં તમારા બધાં
કર્મ વિકર્મ જ થઈ જાય છે. સતયુગ અને ત્રેતામાં રાવણ જ નથી એટલે ત્યાં કોઈ કર્મ
વિકર્મ નથી થતાં. અહીંયા જે સારા કર્મ કરે છે તેનું અલ્પકાળ નાં માટે સુખ મળે છે.
છતાં પણ કોઈ ને કોઈ રોગ ખીટપીટ તો રહે જ છે કારણ કે અલ્પકાળ નું સુખ છે. હવે બાપ કહે
છે આ રાવણ રાજ્ય જ ખતમ થવાનું છે. રામ રાજ્ય ની સ્થાપના શિવબાબા કરી રહ્યાં છે.
તમે જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે. ભારત જ પછી ગરીબ થઇ જાય છે. ભારત આજ થી ૫
હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું, આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. પહેલાં ગાદી આમની
ચાલી હતી. કૃષ્ણ પ્રિન્સ પછી સ્વયંવર કર્યો તો રાજા બન્યાં. નારાયણ નામ પડ્યું. આ
પણ તમે હમણાં સમજો છો તો તમને વન્ડર (આશ્ચર્ય) લાગે છે. બાબા તમે રચતા અને રચનાનું
બધુંજ નોલેજ સંભળાવો છો. તમે અમને કેટલું ઊંચું ભણાવો છો. બલિહાર જાઉં, આપણે તો
સિવાય એક બાપનાં બીજા કોઈ ને યાદ નથી કરવાનાં. અંત સુધી ભણવાનું છે તો જરુર શિક્ષકને
યાદ કરવાનાં છે. સ્કૂલમાં શિક્ષક ને યાદ કરે છે ને. એ સ્કૂલોમાં તો કેટલાં શિક્ષક
હોય છે. દરેક દરજ્જા નાં શિક્ષક અલગ હોય છે, અહીંયા તો એક જ શિક્ષક છે. કેટલો લવલી
(પ્રેમાળ) છે. બાપ લવલી, શિક્ષક લવલી…. પહેલાં ભક્તિમાર્ગમાં અંધશ્રદ્ધા થી યાદ કરતા
હતાં. હમણાં તો ડાયરેક્ટ બાપ ભણાવે છે તો કેટલી ખુશી હોવી જોઈએ તો પણ કહે છે બાબા
ભૂલી જઈએ છે. ખબર નહિં અમારી બુદ્ધિ તમને કેમ નથી યાદ કરતી. ગાયન પણ છે ઈશ્વરની
ગતિ-મતિ ન્યારી છે. બાબા તમારી ગતિ અને સદ્દગતિ ની મત તો ખુબ વન્ડરફુલ છે. આવાં બાપ
ને યાદ કરવાં જોઈએ. સ્ત્રી પોતાનાં પતિ નાં ગુણ ગાએ છે ને. ખુબ સારા છે, આ-આ તેમની
મિલકત છે, અંદર માં ખુશી રહે છે ને. આ તો પતિઓનાં પતિ, બાપોનાં બાપ છે, આમના થી
કેટલું આપણને સુખ મળે છે. બીજા બધાથી તો દુઃખ મળે છે. હા, શિક્ષક થી સુખ મળે છે
કારણ કે ભણતર થી ઈનકમ (આવક) થાય છે. ગુરુ હંમેશા કરાય છે વાનપ્રસ્થ માં. બાપ પણ કહે
છે હું વાનપ્રસ્થ માં આવ્યો છું. આ પણ વાનપ્રસ્થી, હું પણ વાનપ્રસ્થી. આ બધાં મારા
બાળકો પણ વાનપ્રસ્થી છે. બાપ શિક્ષક ગુરુ ત્રણેવ ભેગાં છે. બાપ શિક્ષક પણ બને છે પછી
ગુરુ બની સાથે લઈ જાય છે. એ એક બાપની જ મહિમા છે, આ વાતો બીજા કોઈ શાસ્ત્ર વગેરે
માં નથી. બાબા દરેક વાત સારી રીતે સમજાવે છે. આનાથી ઊંચું નોલેજ કોઈ હોતું નથી, ન
જાણવાની દરકાર રહે છે. આપણે બધુંજ જાણીને વિશ્વનાં માલિક બની જઈએ છે હજું વધારે શું
કરશે. બાળકોની બુદ્ધિ માં આ હોય ત્યારે ખુશી માં અને એમની યાદમાં રહે. પુણ્ય આત્મા
બનવા માટે યાદમાં જરુર રહેવું જોઈએ. માયા નો ધર્મ છે તમારા યોગ ને તોડવાનો. યોગ માં
જ માયા વિઘ્ન નાખે છે. ભૂલી જાઓ છો. માયા નાં તોફાન ખુબ આવે છે. આ પણ ડ્રામામાં
નોંધ છે. સૌથી આગળ તો આ છે, તો આમને બધો અનુભવ થાય છે. મારી પાસે જ્યારે આવે ત્યારે
તો બધાને સમજાવું ને. આ બધાં માયાનાં તોફાન આવશે. બાબાનાં પાસે પણ આવે છે. તમને પણ
આવશે. માયાનાં તોફાન જ ન આવે, યોગ લાગ્યો જ રહે તો કર્માતીત અવસ્થા થઈ જાય. પછી આપણે
અહીંયા રહી ન શકીએ. કર્માતીત અવસ્થા થઈ જશે તો પછી બધાં ચાલ્યા જશે. શિવની બારાત
ગવાયેલી છે ને. શિવબાબા આવે ત્યારે આપણે બધી આત્માઓ જઈએ. શિવબાબા આવે જ છે બધાને લઈ
જવાં. સતયુગ માં આટલી આત્માઓ થોડી હશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવબાબા ને
પોતાનાં વારિસ બનાવીને બધુંજ એક્સચેન્જ કરી દેવાનું છે. વારિસ બનાવીને શરીર નિર્વાહ
પણ કરવાનું છે, ટ્રસ્ટી સમજી ને રહેવાનું છે. પૈસા કોઈ પણ પાપકર્મ માં નથી લગાડવાનાં.
2. અંદર ખુશીમાં
ગુદગુદી થતી રહે કે સ્વયં જ્ઞાન નાં સાગર બાબા અમને ભણાવી રહ્યાં છે. પુણ્ય આત્મા
બનવાનાં માટે યાદ માં રહેવાનું છે, માયાનાં તોફાન થી ડરવાનું નથી.
વરદાન :-
રુહાનીયત ની
સ્થિતિ દ્વારા વ્યર્થ વાતો નો સ્ટોક ખતમ કરવા વાળા ખુશી નાં ખજાના થી સંપન્ન ભવ
રુહાનીયત ની સ્થિતિ
દ્વારા વ્યર્થ વાતોનાં સ્ટોકને સમાપ્ત કરો, નહીં તો એકબીજા નાં અવગુણોનું વર્ણન કરતાં
બીમારી નાં જર્મસ (કીટાણું) વાયુમંડળ માં ફેલાવતાં રહેશો, આનાથી વાતાવરણ પાવરફુલ નહીં
બનશે. તમારી પાસે અનેક ભાવો થી અનેક આત્માઓ આવશે પરંતુ તમારા તરફ થી શુભભાવના ની
વાતો જ લઈ જાય. આ ત્યારે થશે જ્યારે સ્વયં ની પાસે ખુશીની વાતો નો સ્ટોક જમા હશે.
જો દિલમાં કોઈ નાં પ્રતિ કોઈ વ્યર્થ વાતો હશે તો જ્યાં વાત છે ત્યાં બાપ નથી, પાપ
છે.
સ્લોગન :-
સ્મૃતિ ની
સ્વીચ ઓન હોય તો મૂડ ઓફ થઈ નથી શકતું.