08-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમને હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે , એટલે હવે તમારી આંખ કોઈના માં પણ ડુબવી ન જોઈએ ”

પ્રશ્ન :-
જેમને જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ્ય હશે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે પોતાનું બધુંજ બાપ ને અર્પણ કરી દેશે, અમારું કાંઈ પણ નથી. બાબા અમારું આ દેહ પણ નથી, આ તો જુનું દેહ છે, આને પણ છોડવાનું છે. એમનો મોહ સૌથી તૂટતો જશે, નષ્ટોમોહા હશે. તેમની બુદ્ધિમાં રહે કે અહીંયા નું કાંઈ પણ કામ નથી આવવાનું, કારણ કે આ બધું હદનું છે.

ઓમ શાંતિ!
બાપ બાળકોને બ્રહ્માંડ અને સૃષ્ટિ ચક્રનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવી રહ્યા છે. જે બીજા કોઈ પણ સંભળાવી નથી શકતાં. એક ગીતા જ છે, જેમાં રાજયોગનું વર્ણન છે, ભગવાન આવીને નર થી નારાયણ બનાવે છે. આ સિવાય ગીતાનાં બીજા કોઈ શાસ્ત્રમાં નથી. આ પણ બાપે બતાવ્યું છે, કહે છે મેં તમને રાજ્યોગ શીખવાડ્યો હતો. આ સમજાવ્યું હતું કે આ જ્ઞાન કોઈ પરંપરા નથી ચાલતું. બાપ આવીને એક ધર્મની સ્થાપના કરે છે. બાકી બીજા બધાં ધર્મ વિનાશ થઈ જાય છે. કોઈ પણ શાસ્ત્ર વગેરે પરંપરા નથી ચાલતાં. બીજા જે પણ ધર્મ સ્થાપન કરવા આવે છે તે સમયે કોઈ વિનાશ નથી થતો, જે બધું ખલાસ થઈ જાય. ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર વાંચતા જ આવ્યાં છે, આમનું (બ્રાહ્મણ ધર્મનું) ભલે શાસ્ત્ર છે ગીતા, પરંતુ તે પણ ભક્તિમાર્ગમાં જ બનાવે છે કારણ કે સતયુગમાં તો કોઈ શાસ્ત્ર રહેતું જ નથી, બીજા ધર્મો નાં સમયે વિનાશ તો થતો જ નથી. જૂની દુનિયા ખતમ થતી નથી જે પછી નવી થાય. એ જ ચાલતી આવે છે. હમણાં આપ બાળકો સમજો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે. આપણને બાપ ભણાવી રહ્યાં છે. ગાયન પણ એક ગીતાનું જ છે. ગીતા જયંતી પણ મનાવે છે. વેદ જયંતી તો છે નહીં. ભગવાન એક છે, તો એકની જ જયંતી મનાવી જોઈએ. બાકી છે રચના, એનાથી કાંઈ મળી નથી શકતું. વારસો બાપ થી જ મળે છે. ચાચા, કાકા વગેરે થી કોઈ વારસો નથી મળતો. હમણાં આ છે તમારાં બેહદનાં બાપ, બેહદ નું જ્ઞાન આપવા વાળા. આ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતાં. કહે છે આ બધું ભક્તિમાર્ગ નું છે. આ બધાનો સાર તમને સમજાવું છું. શાસ્ત્ર કોઈ ભણતર નથી. ભણતર થી તો પદ પ્રાપ્ત થાય છે, આ ભણતર બાપ ભણાવી રહ્યાં છે બાળકોને. ભગવાનુવાચ બાળકો પ્રતિ-પછી ૫ હજાર વર્ષ પછી પણ આવું જ થશે. બાળકો જાણે છે અમે બાપ થી રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છીએ. આ કોઈ બીજું તો સમજાવી ન શકે સિવાય બાપ નાં. આ મુખ કમળ થી સંભળાવે છે. આ ભગવાનનું લોન લીધેલું મુખ છે ને, જેને ગૌમુખ પણ કહે છે. મોટી માતા છે ને. આમનાં મુખથી જ્ઞાનના વર્શન્સ (સંસ્કરણ) નીકળે છે, ન કે જળ વગેરે. ભક્તિમાર્ગ માં પછી ગૌમુખ થી જળ દેખાડી દીધું છે. હમણાં આપ બાળકો સમજો છો ભક્તિમાર્ગ માં શું-શું કરે છે. કેટલાં દુર ગૌમુખ વગેરે પર જાય છે પાણી પીવા. હમણાં તમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. આ તો જાણો છો-બાપ કલ્પ-કલ્પ આવીને મનુષ્ય થી દેવતા બનાવવા માટે ભણાવે છે. જુઓ છો કેવી રીતે ભણાવી રહ્યાં છે. તમે બધાને આ બતાવો છો-ભગવાન અમને ભણાવી રહ્યાં છે. કહે છે મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય. તમે જાણો છો સતયુગમાં થોડા મનુષ્ય હોય છે. કળયુગમાં કેટલાં અસંખ્ય મનુષ્ય છે. બાપ આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યાં છે. આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. મનુષ્ય થી દેવતા બનવા વાળા બાળકોમાં દૈવીગુણ દેખાઈ આવશે. એમનામાં ક્રોધનો અંશ પણ નહીં હશે. જો ક્યારેય ક્રોધ આવી ગયો તો ઝટ બાપને લખશે, બાબા આજે અમારા થી આ ભૂલ થઈ ગઈ. અમે ક્રોધ કરી લીધો, વિકર્મ કરી લીધું. બાપ થી તમારું કેટલું કનેક્શન (સંબંધ) છે. બાબા ક્ષમા કરજો. બાબા કહેશે ક્ષમા વગેરે હોતી નથી. બાકી આગળ થી આવી ભૂલ નહીં કરતાં. શિક્ષક કોઈ ક્ષમા નથી કરતાં. રજીસ્ટર દેખાડે છે-તમારા મેનર્સ (શિષ્ટાચાર) સારા નથી. બેહદનાં બાપ પણ કહે છે- તમે પોતાનાં મેનર્સ જોઈ રહ્યા છો. રોજ પોતાનો પોતામેલ જુઓ, કોઈને દુઃખ તો નથી આપ્યું, કોઈને હેરાન તો નથી કર્યા? દૈવીગુણ ધારણ કરવામાં સમય તો લાગે છે ને. દેહ-અભિમાન બહુ જ મુશ્કેલી થી તૂટે છે. જ્યારે પોતાને દેહી સમજે ત્યારે બાપ માં પણ લવ જાય. નહીં તો દેહનાં કર્મ બંધનમાં જ બુદ્ધિ લટકી રહે છે. બાપ કહે છે તમારે શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે, એમાંથી સમય નીકાળી શકો છો. ભક્તિ નાં માટે પણ સમય નીકાળે છે ને. મીરા કૃષ્ણની જ યાદ માં રહેતી હતી ને. પુનર્જન્મ તો અહીંયા જ લેતી ગઈ.

હમણાં આપ બાળકોને આ જૂની દુનિયા થી વૈરાગ્ય આવે છે. જાણો છો આ જૂની દુનિયામાં ફરી પુનર્જન્મ લેવાનો જ નથી. દુનિયા જ ખતમ થઇ જાય છે. આ બધી વાતો તમારી બુદ્ધિમાં છે. જેમ બાબામાં જ્ઞાન છે તેમ બાળકો માં પણ છે. આ સૃષ્ટિનું ચક્ર બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારા માં પણ નંબરવાર છે, જેમની બુદ્ધિ માં આ રહે છે ઊંચે થી ઊંચા પતિત-પાવન બાપ છે, એ અમને ભણાવે છે. આ પણ તમે જ જાણો છો. તમારી બુદ્ધિ માં આખું ૮૪ નું ચક્ર છે. સ્મૃતિ રહે છે-હમણાં આ નર્ક માં આ અંતિમ જન્મ છે, આને કહેવાય છે રૌરવ નર્ક. ખુબ ગંદકી છે, એટલે સન્યાસી લોકો ઘરબાર છોડી જાય છે. તે થઈ જાય છે શારીરિક વાત. તમે સન્યાસ કરો છો બુદ્ધિ થી કારણ કે તમે જાણો છો આપણે હવે પાછાં જવાનું છે. બધાને ભૂલવું પડે છે. આ જૂની છી-છી દુનિયા ખતમ થયેલી છે. મકાન જૂનું થાય છે, નવું બનીને તૈયાર થાય છે તો દિલમાં આવે છે ને-આ મકાન તૂટી જ જશે. હમણાં આપ બાળકો ભણી રહ્યાં છો ને. જાણો છો નવી દુનિયા ની સ્થાપના થઇ રહી છે. હમણાં થોડી વાર છે. ખુબ બાળકો આવીને ભણશે. નવું મકાન હમણાં બની રહ્યું છે, જૂનું તૂટતું જઈ રહ્યું છે. બાકી થોડાંક દિવસ છે. તમારી બુદ્ધિ માં આ બેહદ ની વાતો છે. હવે આપણું આ જૂની દુનિયા થી દિલ નથી લાગતું. આ કાંઈ પણ છેવટે કામમાં નથી આવવાનું, આપણે અહીંયા થી જવા ઈચ્છીએ છીએ. બાપ પણ કહે છે જૂની દુનિયા થી દિલ નથી લગાવવાનું. મુજ બાપ ને અને ઘર ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. નહીં તો ખુબ સજાઓ ખાશો. પદ પણ ભ્રષ્ટ થઇ જશે. આત્માને ફૂરના લાગેલી છે અમે ૮૪ જન્મ ભોગવ્યાં છે. હવે બાપ ને યાદ કરવાનાં છે, ત્યારે વિકર્મ વિનાશ થશે. બાપની મત પર ચાલવાનું છે ત્યારે જ શ્રેષ્ઠ જીવન બનશે. બાપ છે ઊંચે થી ઊંચા. આ પણ તમે જ જાણો છો. બાપ સારી રીતે સ્મૃતિ અપાવે છે, એ બેહદનાં બાપ જ જ્ઞાન નાં સાગર છે, એ જ આવી ને ભણાવે છે. બાપ કહે છે આ ભણતર પણ ભણો, શરીર નિર્વાહ અર્થ પણ બધુંજ કરો. પરંતુ ટ્રસ્ટી થઈને રહો.

જે બાળકોને જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ્ય હશે તે પોતાનું બધુંજ બાપ ને અર્પણ કરી દેશે. અમારું કંઈ પણ નથી. બાબા અમારું આ દેહ પણ નથી. આ તો જુનું દેહ છે, આને પણ છોડવાનું છે, બધાથી મોહ તૂટતો જાય છે. નષ્ટોમોહા થઈ જવાનું છે. આ છે બેહદ નો વૈરાગ્ય. તે હદનો વૈરાગ્ય હોય છે. બુદ્ધિ માં છે અમે સ્વર્ગમાં જઈને પોતાનો મહેલ બનાવીશું. અહીંયા નું કાંઈ પણ કામ નહિં આવશે કારણ કે આ બધું હદનું છે. તમે હમણાં હદ થી નીકળી બેહદ માં જાઓ છો. તમારી બુદ્ધિ માં આ બેહદ નું જ્ઞાન જ રહેવું જોઈએ. હમણાં બીજા કોઈમાં પણ આંખ નથી ડૂબતી. હવે તો પોતાનાં ઘરે જવાનું છે. કલ્પ-કલ્પ બાપ આવીને આપણને ભણાવી પછી સાથે લઈ જાય છે. તમારાં માટે આ કોઈ નવું ભણતર નથી. તમે જાણો છો કલ્પ-કલ્પ આપણે ભણીએ છીએ. તમારામાં પણ નંબરવાર છે. આખી દુનિયામાં કેટલાં અસંખ્ય મનુષ્ય છે, પરંતુ તમે થોડી જાણો છો, ધીમે-ધીમે આ બ્રાહ્મણોનું ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. ડ્રામા પ્લાન અનુસાર સ્થાપના થવાની જ છે. બાળકો જાણે છે આપણી રુહાની ગવર્મેન્ટ છે. આપણે દિવ્ય દૃષ્ટિ થી નવી દુનિયાને જોઈએ છીએ. ત્યાં જ જવાનું છે. ભગવાન પણ એક છે, એજ ભણાવવા વાળા છે, રાજયોગ બાપે જ શીખવાડ્યો હતો. તે સમયે લડાઈ પણ બરાબર લાગી હતી અનેક ધર્મોનો વિનાશ, એક ધર્મની સ્થાપના થઇ હતી. તમે પણ એ જ છો, કલ્પ-કલ્પ તમે જ ભણતાં આવ્યા છો, વારસો લેતા આવ્યાં છો. પુરુષાર્થ દરેકે પોતાનો કરવાનો છે. આ છે બેહદ નું ભણતર. આ શિક્ષા કોઈ મનુષ્ય માત્ર આપી ન શકે.

બાપે શ્યામ અને સુંદર નું પણ રહસ્ય સમજાવ્યું છે. તમે પણ સમજો છો હમણાં આપણે સુંદર બની રહ્યાં છીએ. પહેલાં શ્યામ હતાં. કૃષ્ણ કોઈ એકલા થોડી હતાં. આખી રાજધાની હતી ને. હમણાં તમે સમજો છો આપણે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. હમણાં તમને આ નર્ક થી નફરત આવે છે. તમે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર આવી ગયાં છો. આટલાં બધાં આવે છે, એમાંથી નીકળશે પછી પણ એજ જે કલ્પ પહેલાં નીકળ્યાં હશે. સંગમયુગ ને પણ સારી રીતે યાદ કરવાનું છે. આપણે પુરુષોત્તમ અર્થાત્ મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. મનુષ્ય તો આ પણ નથી સમજતાં કે નર્ક શું છે અને સ્વર્ગ શું છે? કહે છે બધું અહીંયા જ છે, જે સુખી છે તે સ્વર્ગ માં છે, જે દુઃખી છે તે નર્ક માં છે. અનેક મત છે ને. એક ઘર માં પણ અનેક મતો થઈ જાય છે. બાળકો વગેરેમાં મોહની રગ છે, તે તૂટતી નથી. મોહવશ કાંઈ સમજે થોડી છે કે અમે કેવી રીતે રહીએ છીએ. પૂછે છે બાળકો નાં લગ્ન કરાવીએ? પરંતુ બાળકોને આ પણ લો (નિયમ) સમજાવાય છે કે તમે સ્વર્ગવાસી થવાનાં માટે એક તરફ નોલેજ લઈ રહ્યાં છો, બીજી તરફ પૂછો છો તેમને નરક માં નાખીએ? પૂછો છો તો બાબા કહેશે જઈને કરો. બાબા થી પૂછે છે તો બાબા સમજાવે છે એમનો મોહ છે. હવે ના કહીશું તો પણ અવજ્ઞા કરી દેશે. બાળકીઓનાં તો કરાવવાનાં જ છે, નહીં તો સંગદોષ માં ખરાબ થઈ જાય છે. બાળકનાં ન કરાવી શકાય. પરંતુ હિંમત જોઈએ ને! બાબાએ આમનાથી એક્ટ (કર્મ) કરાવ્યું ને. આમને જોઇને પછી બીજા કરવા લાગી ગયાં. ઘર માં પણ ખૂબ ઝઘડા થઇ જાય છે. આ છે જ ઝઘડાઓ ની દુનિયા, કાંટાનું જંગલ છે ને. એક-બીજાને કાપતા રહે છે. સ્વર્ગ ને કહેવાય છે ગાર્ડન. આ છે જંગલ. બાપ આવીને કાંટા થી ફૂલ બનાવે છે. કોઈ વિરલા નીકળે છે, પ્રદર્શની માં ભલે હા હા કરે છે પરંતુ સમજતા કાંઈ પણ નથી. એક કાન થી સાંભળે છે અને બીજા કાન થી નીકાળી દે છે. રાજધાની સ્થાપન કરવામાં સમય તો લાગે છે ને. મનુષ્ય પોતાને કાંટા સમજે થોડી છે. આ સમયે ચહેરો મનુષ્ય નો ભલે છે પરંતુ સીરત વાંદરા થી પણ બદતર છે. પરંતુ પોતાને એવાં સમજતાં નથી તો બાપ કહે છે પોતાની રચનાને સમજાવાનું છે. જો નથી સમજતા તો પછી ભગાવી દેવા જોઈએ. પરંતુ તે તાકાત જોઈએ ને. મોહ નો કીડો એવો લાગેલો રહે છે જે નીકળી જ ન શકે. અહીંયા તો નષ્ટોમોહા બનવાનું છે. મારા તો એક બીજું ન કોઈ. હવે બાપ આવ્યા છે, લઈ જવા માટે. પાવન બનવાનું છે. નહીં તો ખુબ સજા ખાશો, પદ પણ ભ્રષ્ટ થઇ જશે. હવે પોતાને સતોપ્રધાન બનાવવાની જ ફુરના લાગેલી છે. શિવનાં મંદિરમાં જઈને તમે સમજાવી શકો છો-ભગવાને ભારતને સ્વર્ગ નાં માલિક બનાવ્યા હતાં, હવે એ ફરી થી બનાવી રહ્યાં છે, કહે છે ફક્ત મામેકમ યાદ કરો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયાથી બેહદ નાં વૈરાગી બની પોતાનું બધુંજ અર્પણ કરી દેવાનું છે. આપણું કંઈ પણ નથી, આ દેહ પણ આપણું નથી. આનાથી મોહ તોડી નષ્ટોમોહા બનવાનું છે.

2. ક્યારેય પણ એવી કોઈ ભૂલ નથી કરવાની જે રજીસ્ટર પર ડાઘ લાગી જાય. સર્વ દૈવી ગુણ ધારણ કરવાના છે, અંદર ક્રોધનો જરા પણ અંશ ન હોય.

વરદાન :-
ડબલ લાઈટ બની સર્વ સમસ્યાઓને હાઈ જમ્પ ( છલાંગ ) મારી પાર કરવાવાળા તીવ્ર પુરુષાર્થી ભવ

સદા સ્વયંને અમૂલ્ય રત્ન સમજી બાપદાદાનાં દિલની ડબ્બી માં રહો અર્થાત્ સદા બાપની યાદ માં સમાયેલા રહો તો કોઈ પણ વાતમાં મુશ્કેલીનો અનુભવ નહીં કરશો, બધો બોજ સમાપ્ત થઈ જશે. આ જ સહજ્યોગ થી ડબલ લાઈટ બની, પુરુષાર્થમાં હાઈ જમ્પ મારીને તીવ્ર પુરુષાર્થી બની જશો. જ્યારે પણ કોઈ મુશ્કેલીનો અનુભવ થાય તો બાપનાં સામે બેસી જાઓ અને બાપદાદા નાં વરદાનો નો હાથ સ્વયં પર અનુભવ કરો આનાથી સેકન્ડમાં સર્વ સમસ્યાઓનું હલ (સમાધાન) મળી જશે.

સ્લોગન :-
સહયોગ ની શક્તિ અસંભવ વાત ને પણ સંભવ બનાવી દે છે, આ જ સેફટી (સુરક્ષા) નો કિલ્લો છે.