07-06-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  20.01.86    બાપદાદા મધુબન


“ પુરુષાર્થ અને પરિવર્તનનાં ગોલ્ડન ચાન્સ ( સ્વર્ણિમ તક ) નું વર્ષ ”
 


આજે સમર્થ બાપ પોતાનાં સમર્થ બાળકોને જોઈ રહ્યાં છે. જે સમર્થ આત્માઓએ સૌથી મોટામાં મોટું સમર્થ કાર્ય વિશ્વને નવું શ્રેષ્ઠ વિશ્વ બનાવવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. દરેક આત્માને શાંત કે સુખી બનાવવાનું સમર્થ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે અને એ જ શ્રેષ્ઠ સંકલ્પ ને લઈને દૃઢ નિશ્ચયબુદ્ધિ બની કાર્યને પ્રત્યક્ષ રુપમાં લાવી રહ્યાં છે. બધાં સમર્થ બાળકોનો એક જ આ શ્રેષ્ઠ સંકલ્પ છે કે શ્રેષ્ઠ કાર્ય થવાનું જ છે. આનાથી પણ વધારે આ નિશ્ચિત છે કે આ કાર્ય થયેલું જ છે. ફક્ત કર્મ અને ફળનાં પુરુષાર્થ અને પ્રાલબ્ધનાં નિમિત્ત અને નિર્માણનાં કર્મ ફિલોસોફી (તત્વજ્ઞાન) નાં અનુસાર નિમિત્ત બની કાર્ય કરી રહ્યાં છે. ભાવી અટલ છે. પરંતુ ફક્ત તમે શ્રેષ્ઠ ભાવના દ્વારા, ભાવનાનું ફળ અવિનાશી પ્રાપ્ત કરવાનાં નિમિત્ત બનેલાં છો. દુનિયાની અજાણ આત્માઓ આ વિચારે છે - કે શાંતિ થશે, શું થશે, કેવી રીતે થશે! કોઈ ઉમ્મીદ નથી દેખાતી. શું સાચે જ થશે! અને તમે કહો છો, થશે તો શું પરંતુ થયેલું જ છે કારણ કે નવી વાત નથી. અનેક વખત થયેલું છે અને હમણાં પણ થયેલું જ છે. નિશ્ચયબુદ્ધિ નિશ્ચિત ભાવી ને જાણો છો. આટલો અટલ નિશ્ચય કેમ છે? કારણ કે સ્વ પરિવર્તનનાં પ્રત્યક્ષ પ્રમાણ થી જાણો છો કે પ્રત્યક્ષ પ્રમાણ ની આગળ બીજા કોઈ પ્રમાણ ની આવશ્યકતા જ નથી. સાથે-સાથે પરમાત્મા કાર્ય સદા સફળ છે જ છે. આ કાર્ય આત્માઓ, મહાન આત્માઓ કે ધર્મ આત્માઓનું નથી. પરમાત્મા કાર્ય સફળ થયેલું જ છે, એવાં નિશ્ચયબુદ્ધિ, નિશ્ચિત ભવિષ્યને જાણવા વાળા નિશ્ચિંત આત્માઓ છો. લોકો કહે છે અથવા ડરે છે કે વિનાશ થશે અને તમે નિશ્ચિંત છો કે નવી સ્થાપના થશે. કેટલું અંતર છે - અસંભવ અને સંભવનું. તમારી સામે સદા સ્વર્ણિમ દુનિયાનો, સ્વર્ણિમ સૂર્ય ઉદય થયેલો જ છે અને તેમની સામે છે વિનાશનાં કાળા વાદળો. હમણાં તમે બધાં તો સમય સમીપ હોવાનાં કારણે સદા ખુશીનાં ઘુંઘરુ પહેરી નાચતાં રહો છો કે આજે જૂની દુનિયા છે, કાલે સ્વર્ણિમ દુનિયા થશે. આજ અને કાલ આટલાં સમીપ પહોંચી ગયાં છો.

હવે આ વર્ષ “સંપૂર્ણતા અને સમાનતા” ને સમીપ અનુભવ કરવાની છે. સંપૂર્ણતા આપ સર્વ ફરિશ્તાઓનો વિજય માળા લઈ આહવાન કરી રહી છે. વિજય માળાનાં અધિકારી તો બનવું છે ને. સંપૂર્ણ બાપ અને સંપૂર્ણ સ્ટેજ બન્નેવ જ આપ બાળકોને બોલાવી રહ્યાં છે કે આવો શ્રેષ્ઠ આત્માઓ આવો, સમાન બાળકો આવો, સમર્થ બાળકો આવો, સમાન બની પોતાનાં સ્વીટ હોમ માં વિશ્રામી બનો. જેમ બાપદાદા વિધાતા છે, વરદાતા છે એમ તમે પણ આ વર્ષ વિશેષ બ્રાહ્મણ આત્માઓ પ્રતિ કે સર્વ આત્માઓનાં પ્રતિ વિધાતા બનો, વરદાતા બનો. કાલે દેવતા બનવા વાળા છો હવે અંતિમ ફરિશ્તા સ્વરુપ બનો. ફરિશ્તા શું કરે? વરદાતા બની વરદાન આપે છે. દેવતા સદા આપે છે, લેતા નથી. લેવતા નથી કહેતાં. તો વરદાતા અને વિધાતા, ફરિશ્તા સો દેવતા... હમણાં આ મહામંત્ર અમે ફરિશ્તા સો દેવતા, આ મંત્રને વિશેષ સ્મૃતિ સ્વરુપ બનાવો. મનમનાભવ તો થઇ જ ગયાં, આ આદિ નો મંત્ર રહયો. હમણાં આ સમર્થ મંત્ર ને અનુભવ માં લાવો. “આ થવું જોઈએ, આ મળવું જોઈએ” આ બંનેવ વાતો લેવતા બનાવે છે. લેવતા-પણા નાં સંસ્કાર દેવતા બનવામાં સમય લગાડી દેશે, એટલે આ સંસ્કારોને સમાપ્ત કરો. પહેલાં જન્મમાં બ્રહ્માનાં ઘરે થી દેવતા બની નવાં જીવન, નવાં યુગનાં વન નંબર માં આવો. સવંત પણ વન-વન-વન હોય. પ્રકૃતિ પણ સતોપ્રધાન નંબરવન હોય. રાજ્ય પણ નંબરવન હોય. તમારી ગોલ્ડન સ્ટેજ પણ નંબરવન હોય. એક દિવસનાં ફરક માં પણ વન-વન-વન થી બદલાઈ જશે. હમણાં થી ફરિશ્તા સો દેવતા બનવાનાં માટે બહુજકાળ (લાંબાકાળ) નાં સંસ્કાર પ્રેક્ટીકલ કર્મમાં ઈમર્જ (જાગૃત) કરો કારણકે બહુજકાળ નું જે ગાયન છે, તે બહુજકાળ ની સીમા હવે સમાપ્ત થઈ રહી છે. તેની તારીખ ની ગણતરી નહિ કરો.

વિનાશ ને અંતકાળ કહેવાશે, તે સમયે બહુજકાળ નો ચાન્સ (તક) તો સમાપ્ત છે જ, પરંતુ થોડાં સમય નો પણ ચાન્સ સમાપ્ત થઈ જશે એટલે બાપદાદા બહુજકાળ ની સમાપ્તિ નો ઈશારો આપી રહ્યાં છે. પછી બહુજકાળ ની ગણતરી નો ચાન્સ સમાપ્ત થઈ થોડો સમય પુરુષાર્થ, થોડો સમય પ્રાલબ્ધ, આ જ કહેવાશે. કર્મો નાં ખાતામાં હવે બહુજકાળ ખતમ થઈ થોડો સમય કે અલ્પકાળ આરંભ થઇ રહ્યો છે એટલે આ વર્ષ પરિવર્તન કાળ નું વર્ષ છે. બહુજકાળ થી થોડાં સમય માં પરિવર્તન થવાનું છે, એટલે આ વર્ષનાં પુરુષાર્થ માં બહુજકાળ નો હિસાબ જેટલો જમા કરવાં ઈચ્છો તે કરી લો. પછી ઉલ્હના (ફરિયાદ) નહીં આપતા કે અમે તો અલબેલા થઈને ચાલી રહ્યાં હતાં. આજે નહીં તો કાલે બદલાઈ જ જઈશું એટલે કર્મની ગતિને જાણવા વાળા બનો. નોલેજફુલ બની તીવ્ર ગતિ થી આગળ વધો. એવું ન થાય બે હજાર નો હિસાબ જ લગાવતા રહો. પુરુષાર્થ નો હિસાબ અલગ છે અને સૃષ્ટિ પરિવર્તન નો હિસાબ અલગ છે. એવું નહીં વિચારો-કે હજું ૧૫ વર્ષ પડયાં છે, હજું ૧૮ વર્ષ પડયાં છે. ૯૯ માં થશે...આવું નહીં વિચારતા રહેજો. હિસાબ ને સમજો. પોતાનો પુરુષાર્થ અને પ્રાલબ્ધ નાં હિસાબ ને જાણી તે ગતિ થી આગળ વધો. નહીં તો બહુજકાળ નાં જૂનાં સંસ્કાર જો રહી ગયાં તો આ બહુજકાળ ની ગણતરી ધર્મરાજપુરી નાં ખાતામાં જમા થઈ જશે. કોઈ-કોઈનો બહુજકાળનું વ્યર્થ, અયથાર્થ કર્મ-વિકર્મ નું ખાતું હમણાં પણ છે, બાપદાદા જાણે છે ફક્ત આઉટ (બહાર) નથી કરતાં. થોડોક પડદો નાખે છે. પરંતુ વ્યર્થ અને યથાર્થ, આ ખાતું હમણાં પણ ઘણું છે એટલે આ વર્ષ એક્સ્ટ્રા ગોલ્ડન ચાન્સ નું વર્ષ છે - જેમ પુરુષોત્તમ યુગ છે તેમ આ પુરુષાર્થ અને પરિવર્તન નાં ગોલ્ડન ચાન્સ નું વર્ષ છે એટલે વિશેષ હિંમત અને મદદ નાં વિશેષ વરદાન નાં વર્ષ ને સાધારણ ૫૦ વર્ષનાં સમાન નહીં ગુમાવતાં. હમણાં સુધી બાપ સ્નેહ નાં સાગર બની સર્વ સંબંધનાં સ્નેહમાં, અલબેલાપણું, સાધારણ પુરુષાર્થ આને જોતાં-સાંભળતાં પણ ન સાંભળી, ન જોઈ બાળકોને સ્નેહની એક્સ્ટ્રા મદદ થી, એક્સ્ટ્રા માર્કસ આપીને વધારી રહ્યાં છે. લિફ્ટ આપી રહ્યાં છે. પરંતુ હવે સમય પરિવર્તન થઇ રહ્યો છે એટલે હવે કર્મોની ગતિ ને સારી રીતે સમજી સમય નો લાભ લો. સંભળાવ્યું હતું ને - કે ૧૮ મો અધ્યાય આરંભ થઇ ગયો છે. ૧૮ માં અધ્યાય ની વિશેષતા - હવે સ્મૃતિ સ્વરુપ બનો. હમણાં સ્મૃતિ, હમણાં વિસ્મૃતિ નહીં. સ્મૃતિ સ્વરુપ અર્થાત્ બહુજકાળ સ્મૃતિ સ્વતઃ અને સહજ રહે. હવે યુદ્ધ નાં સંસ્કાર, મહેનત નાં સંસ્કાર, મન ને મૂંઝાવા નાં સંસ્કાર આની સમાપ્તિ કરો. નહીં તો આ જ બહુજકાળ નાં સંસ્કાર બની અંત મતિ સો ગતિ ભવિષ્ય ગતિ પ્રાપ્ત કરવાનાં નિમિત્ત બની જશે. સંભળાવ્યું ને - હવે બહુજકાળ નાં પુરુષાર્થ નો સમય સમાપ્ત થઈ રહ્યો છે અને બહુજકાળ ની કમજોરી નો હિસાબ શરું થઇ રહ્યો છે. સમજ માં આવ્યું! એટલે આ વિશેષ પરિવર્તન નો સમય છે. હમણાં વરદાતા છે પછી હિસાબ-કિતાબ કરવાવાળા બની જશે. હમણાં ફક્ત સ્નેહ નો હિસાબ છે. તો શું કરવાનું છે! સ્મૃતિ સ્વરુપ બનો. સ્મૃતિ સ્વરુપ સ્વતઃ જ નષ્ટોમોહા બનાવી જ દેશે. હવે તો મોહ ની લિસ્ટ (યાદી) બહુજ લાંબી થઈ ગઈ છે. એક સ્વ ની પ્રવૃત્તિ, એક દેવી પરિવાર ની પ્રવૃત્તિ, સેવા ની પ્રવૃત્તિ, હદ ની પ્રાપ્તિઓ ની પ્રવૃત્તિ - આ બધાથી નષ્ટોમોહા અર્થાત્ ન્યારા બની પ્યારા બનો. હું-પણું અર્થાત્ મોહ, આનાથી નષ્ટોમોહા બનો ત્યારે બહુજકાળ નાં પુરુષાર્થ થી બહુજકાળનાં પ્રાલબ્ધ ની પ્રાપ્તિ નાં અધિકારી બનશો. બહુજકાળ અર્થાત્ આદિ થી અંત સુધીની પ્રાલબ્ધ નું ફળ. આમ એક-એક પ્રવૃત્તિ થી નિવૃત્ત થવાનું રહસ્ય પણ સારી રીતે જાણો છો અને ભાષણ પર સારું કરી શકો છો. પરંતુ નિવૃત્ત થવું અર્થાત્ નષ્ટોમોહા થવું. સમજયાં! પોઇન્ટસ તો તમારી પાસે બાપદાદા થી પણ વધારે છે એટલે પોઇન્ટસ શું સંભળાવે, પોઈન્ટસ તો છે હવે પોઇન્ટ બનો. અચ્છા!

સદા શ્રેષ્ઠ કર્મોની પ્રાપ્તિની ગતિને જાણવાવાળા, સદા બહુજકાળનાં તીવ્ર પુરુષાર્થ નાં, શ્રેષ્ઠ પુરુષાર્થ નાં શ્રેષ્ઠ સંસ્કાર વાળા, સદા સ્વર્ણિમ યુગનાં આદિ રત્ન, સંગમયુગ નાં પણ આદિ રત્ન, સ્વર્ણિમ યુગનાં પણ આદિ રત્ન, એવાં આદિદેવ નાં સમાન બાળકોને, આદિ બાપ, અનાદિ બાપની સદા આદિ બનવાની શ્રેષ્ઠ વરદાની યાદપ્યાર અને સાથે-સાથે સેવાધારી બાપ નાં નમસ્તે.

દાદીઓ થી - ઘરનો ગેટ (દ્વાર) કોણ ખોલશે? ગોલ્ડન જુબલી વાળા કે સિલ્વર જુબલી વાળા, બ્રહ્માની સાથે ગેટ તો ખોલશો ને. કે પાછળ થી આવશો? સાથે જશો તો સજની બની જશો અને પાછળ જશો તો બારાતી બની જશો. સંબંધી પણ તો બારાતી કહેવાશે. નજીક તો છો પરંતુ કહેવાશે - બારાત આવી છે. તો કોણ ગેટ ખોલેશે? ગોલ્ડન જુબલી વાળા કે સિલ્વર જુબલી વાળા? જે ઘર નો ગેટ ખોલશે તે જ સ્વર્ગ નો ગેટ પણ ખોલશે. હમણાં વતનમાં આવવાની કોઈ ને મનાઈ નથી. સાકારમાં તો છતાં પણ બંધન છે, સમય નું સરકમસ્ટાંસ (પરિસ્થિતિ) નું. વતનમાં આવવા માટે તો કોઈ બંધન નથી. કોઈ નહીં રોકશે, ટર્ન લગાવવાની પણ જરુરત નથી. અભ્યાસ થી એવો અનુભવ કરશો, જેમ અહીંયા શરીરમાં હોવા છતાં એક સેકન્ડમાં ચક્કર લગાવી પાછાં આવી ગયાં. જે અંતઃ વાહક શરીર થી ચક્કર લગાવવાનું ગાયન છે, આ અંતર ની આત્મા વાહન બની જાય છે. તો એવો અનુભવ કરશે જેમ બિલકુલ બટન દબાવ્યું, વિમાન ઉડયું, ચક્કર લગાવીને આવી ગયાં અને બીજા પણ અનુભવ કરશે કે આ અહીંયા હોવા છતાં પણ નથી. જેમ સાકારમાં જોયું ને-વાત કરતાં-કરતાં પણ સેકન્ડમાં છે અને હમણાં નથી. હમણાં-હમણાં છે, હમણાં-હમણાં નથી. આ અનુભવ કર્યો ને. એવો અનુભવો કર્યા ને. આમાં ફક્ત સ્થૂળ વિસ્તારને સમેટવાની આવશ્યકતા છે. જેમ સાકાર માં જોયું-આટલો વિસ્તાર હોવા છતાં પણ અંતિમ સ્ટેજ શું રહી? વિસ્તારને સમેટવાની, ઉપરામ રહેવાની. હમણાં-હમણાં સ્થૂળ ડાયરેક્શન (માર્ગદર્શન) આપી રહ્યાં છે અને હમણાં-હમણાં અશરીરી સ્થિતિનો અનુભવ કરાવી રહ્યાં છે. તો આ સમેટવાની શક્તિ ની પ્રત્યક્ષતા જોઈ. જે તમે લોકો પણ કહેતાં હતાં કે બાબા અહીંયા છે કે નથી. સાંભળી રહ્યાં છે કે નથી સાંભળી રહ્યાં. પરંતુ તે તીવ્રગતિ એવી હોય છે, જે કાર્ય મિસ (છૂટવું) નહીં કરશે. તમે વાત સંભળાવી રહ્યાં છો તો વાત મિસ નહીં કરશે. પરંતુ ગતિ એટલી તીવ્ર છે જે બંને જ કામ એક મિનિટ માં કરી શકે છે. સાર પણ કેચ (પકડી) કરી લેશે અને ચક્ર પણ લગાવી લેશે. એવાં પણ અશરીરી નહીં થશે જે કોઈ વાત કરી રહ્યું છે તમે કહો કે સાંભળી જ નથી. ગતિ ફાસ્ટ થઈ જાય છે. બુદ્ધિ એટલી વિશાળ થઈ જાય છે જે એક જ સમય પર બંને કાર્ય કરે છે. આ ત્યારે થાય જ્યારે સમેટવાની શક્તિ યુઝ કરો. હમણાં પ્રવૃત્તિનો વિસ્તાર થઈ ગયો છે. તેમાં રહેતાં આ જ અભ્યાસ ફરિશ્તાપણ નો સાક્ષાત્કાર કરાવશે! હમણાં એક-એક નાની-નાની વાતો ની પાછળ આ જે મહેનત કરવી પડે છે, તે સ્વતઃ જ ઉંચા જવાથી આ નાની વાતો વ્યક્ત ભાવ ની અનુભવ થશે. ઊંચા જવાથી નીચાપણું સ્વયં જ છૂટી જશે. મહેનત થી બચી જશો. સમય પણ બચશે અને સેવા પણ ફાસ્ટ થશે, નહીં તો કેટલો સમય આપવો પડે છે. અચ્છા.

સિલ્વર જુબલી માં આવેલાં ભાઈ બહેનો પ્રતિ અવ્યક્ત બાપદાદાનો મધુર સંદેશ - રજત જયંતિ નાં શુભ અવસર પર રુહાની બાળકો પ્રતિ સ્નેહ નાં સુખદ પુષ્પ

આખાં વિશ્વમાં ઊંચે થી ઊંચા મહાયુગ નાં મહાન પાર્ટધારી યુગ પરિવર્તક બાળકોને શ્રેષ્ઠ સુખદ જીવનની મુબારક છે. સેવામાં વૃદ્ધિનાં નિમિત્ત બનવાનાં વિશેષ ભાગ્ય ની મુબારક છે. આદિ થી પરમાત્મ સ્નેહી અને સહયોગી બનવાની, સેમ્પલ બનવાની મુબારક છે. સમયની સમસ્યાઓનાં તોફાન ને તોફો (ભેટ) સમજી સદા વિઘ્ન-વિનાશક બનવાની મુબારક છે.

બાપદાદા સદા પોતાનાં એવાં અનુભવોનાં ખજાનાથી સંપન્ન સેવાનાં ફાઉન્ડેશન બાળકોને જોઈ હર્ષિત થાય છે અને બાળકોનાં સાહસ નાં ગુણોની માળા સિમરણ કરે છે. આવાં લકી (ભાગ્યશાળી) અને લવલી (પ્રેમાળ) અવસર પર વિશેષ સુખદ વરદાન આપતા સદા એક બની, એક ને પ્રત્યક્ષ કરવાનાં કાર્યમાં સફળ ભવ. રુહાની જીવન માં અમર ભવ. પ્રત્યક્ષ ફળ અને અમર ફળ ખાવાનાં પદ્મા-પદમ ભાગ્યવાન ભવ.

વરદાન :-
વાહ ડ્રામા વાહ ની સ્મૃતિ થી અનેકો ની સેવા કરવાવાળા સદા ખુશનુમઃ ભવ

આ ડ્રામાની કોઈ પણ સીન (દૃશ્ય) જોતાં વાહ ડ્રામા વાહ ની સ્મૃતિ રહે તો ક્યારેય પણ ગભરાશો નહીં કારણ કે ડ્રામા નું જ્ઞાન મળ્યું કે વર્તમાન સમય કલ્યાણકારી યુગ છે, આમાં જે પણ દૃશ્ય સામે આવે છે તેમાં કલ્યાણ ભરેલું છે. વર્તમાન માં કલ્યાણ દેખાય ન પણ, પરંતુ ભવિષ્યમાં સમાયેલું કલ્યાણ પ્રત્યક્ષ થઇ જશે-તો વાહ ડ્રામા વાહ ની સ્મૃતિ થી સદા ખુશનુમઃ રહેશો, પુરુષાર્થ માં ક્યારેય પણ ઉદાસી નહી આવે. સ્વતઃ જ આપ દ્વારા અનેકો ની સેવા થતી રહેશે.

સ્લોગન :-
શાંતિ ની શક્તિ જ મન્સા સેવાનું સહજ સાધન છે, જ્યાં શાંતિ ની શક્તિ છે ત્યાં સંતુષ્ટતા છે.