16-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારી પહેલી પહેલી સિખ છે - હું આત્મા છું , શરીર નહીં , આત્મ - અભિમાની થઈને રહો તો બાપ ની યાદ રહેશે ”

પ્રશ્ન :-
આપ બાળકો ની પાસે કયો ગુપ્ત ખજાનો છે, જે મનુષ્યોની પાસે નથી?

ઉત્તર :-
તમને ભગવાન બાપ ભણાવે છે, એ ભણતર ની ખુશીનો ગુપ્ત ખજાનો તમારી પાસે છે. તમે જાણો છો આપણે જે ભણી રહ્યાં છીએ, ભવિષ્ય અમરલોક માટે ન કે આ મૃત્યુલોક માટે. બાપ કહે છે સવારે-સવારે ઊઠીને હરો-ફરો, ફક્ત પહેલો-પહેલો પાઠ યાદ કરો તો ખુશીનો ખજાનો જમા થતો જશે.

ઓમ શાંતિ!
બાપ બાળકો થી પૂછે છે-બાળકો, આત્મ-અભિમાની થઈને બેઠાં છો? પોતાને આત્મા સમજી બેઠાં છો? આપણને આત્માઓને પરમાત્મા બાપ ભણાવી રહ્યાં છે, બાળકોને આ સ્મૃતિ આવી છે અમે દેહ નહિં, આત્મા છીએ. બાળકોને દેહી-અભિમાની બનાવવા માટે જ મહેનત કરવી પડે છે. બાળકો આત્મ-અભિમાની રહી નથી શકતાં. ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જાય છે એટલે બાબા પૂછે છે - આત્મ-અભિમાની થઈને રહો છો? આત્મ-અભિમાની થશો તો બાપ ની યાદ આવશે, જો દેહ-અભિમાની હશો તો લૌકિક સંબંધી યાદ આવશે. પહેલાં-પહેલાં આ શબ્દ યાદ રાખવો પડે, આપણે આત્મા છીએ. મુજ આત્મામાં જ ૮૪ જન્મોનો પાર્ટ ભરેલો છે. આ પાકું કરવાનું છે. આપણે આત્મા છીએ. અડધોકલ્પ તમે દેહ-અભિમાની થઈને રહ્યાં છો. હમણાં ફક્ત સંગમયુગ પર જ બાળકોને આત્મ-અભિમાની બનાવાય છે. પોતાને દેહ સમજવાથી બાપ યાદ નહીં આવશે, એટલે પહેલાં-પહેલાં આ શબ્ક (પાઠ) પાક્કો કરી લો-અમે આત્મા બેહદ બાપનાં બાળકો છીએ. દેહનાં બાપ ને યાદ કરવાનું ક્યારે શીખવાડાતું નથી. હવે બાપ કહે છે મુજ પારલૌકિક બાપ ને યાદ કરો, આત્મ-અભિમાની બનો. દેહ-અભિમાની બનવાથી દેહનાં સંબંધો યાદ આવશે, પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરો, આ જ મહેનત છે. આ કોણ સમજાવી રહ્યું છે, આપણા આત્માઓનાં બાપ, જેમને બધાં યાદ કરે છે બાબા આવો, આવીને આ દુઃખ થી લિબરેટ (મુક્ત) કરો. બાળકો જાણે છે આ ભણતર થી આપણે ભવિષ્ય માટે ઊંચું પદ પામીએ છીએ.

હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો. આ મૃત્યુલોકમાં હવે બિલકુલ રહેવાનું નથી. આ આપણું ભણતર છે જ ભવિષ્ય ૨૧ જન્મ માટે. આપણે સતયુગ અમરલોક માટે ભણી રહ્યાં છીએ. અમર બાબા આપણને જ્ઞાન સંભળાવી રહ્યાં છે તો અહીંયા જ્યારે બેસો છો પહેલાં-પહેલાં પોતાને આત્મા સમજી બાપની યાદ માં રહેવાનું છે તો વિકર્મ વિનાશ થશે. આપણે હમણાં સંગમયુગ પર છીએ. બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે. કહે છે મને યાદ કરો તો તમે પુરુષોત્તમ બની જશો. હું આવ્યો છું મનુષ્ય થી દેવતા બનાવવાં. સતયુગ માં તમે દેવતા હતાં, હવે જાણો છો કેવી રીતે સીડી ઉતર્યા છીએ. આપણી આત્મામાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. દુનિયામાં કોઈ નથી જાણતું, તે ભક્તિ માર્ગ અલગ છે, આ જ્ઞાન માર્ગ અલગ છે. જે આત્માઓને બાપ ભણાવે છે તે જાણે, બીજું ન જાણે કોઈ. આ છે ગુપ્ત ખજાનો ભવિષ્યનાં માટે. તમે ભણો છો જ અમરલોક માટે, ન કે આ મૃત્યુલોક માટે. હવે બાપ કહે છે સવારે ઊઠીને હરો, ફરો. પહેલો-પહેલો શબ્ક આ યાદ કરો કે અમે આત્મા છીએ, ન કે શરીર. અમારા રુહાની બાબા અમને ભણાવે છે. આ દુઃખની દુનિયા હવે બદલવાની છે. સતયુગ છે સુખ ની દુનિયા, બુદ્ધિમાં બધું જ્ઞાન છે. આ છે રુહાની સ્પ્રીચુયલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન). બાપ જ્ઞાન નાં સાગર સ્પ્રીચુયલ ફાધર છે. એ છે જ દેહી (આત્મા) નાં બાપ. બાકી તો બધાં દેહ નાં જ સંબંધી છે. હવે દેહ નાં સંબંધ તોડી એક થી જોડવાનો છે. ગવાય પણ છે મારા તો એક બીજું ન કોઈ. આપણે એક બાપને જ યાદ કરીએ છીએ. દેહ ને પણ યાદ નથી કરતાં. આ જુનું દેહ તો છોડવાનું છે. આ પણ તમને જ્ઞાન મળે છે. આ શરીર કેવી રીતે છોડવાનું છે. યાદ કરતાં-કરતાં શરીર છોડી દેવાનું છે એટલે બાબા કહે છે દેહી-અભિમાની બનો. પોતાની અંદર ઘૂંટતા રહો-બાપ, બીજ અને ઝાડ ને યાદ કરવાનું છે. શાસ્ત્રો માં આ કલ્પવૃક્ષનું વૃત્તાંત છે.

આ પણ બાળકો જાણે છે આપણને જ્ઞાન સાગર બાપ ભણાવે છે. કોઈ મનુષ્ય નથી ભણાવતાં. આ પાકું કરી લેવાનું છે. ભણવાનું તો છે ને. સતયુગ માં પણ દેહધારી ભણાવે છે, આ દેહધારી નથી. આ કહે છે હું જૂનાં દેહનો આધાર લઇ તમને ભણાવું છું. કલ્પ-કલ્પ હું તમને આમ ભણાવું છું. પછી કલ્પ બાદ પણ આમ ભણાવીશ. હવે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે, હું જ પતિત-પાવન છું. મને જ સર્વ શક્તિમાન કહે છે. પરંતુ માયા પણ ઓછી નથી, તે પણ શક્તિમાન છે, ક્યાંથી પાડ્યાં છે. હવે યાદ આવે છે ને. ૮૪ નાં ચક્રનું પણ ગાયન છે. આ મનુષ્યોની જ વાત છે. ઘણાં પૂછે છે, જનાવરો નું શું થશે? અરે અહીંયા જનાવર ની વાત નથી. બાપ પણ બાળકો થી વાત કરે છે, બહાર વાળા તો બાપને જાણતા જ નથી, તો તે શું વાત કરશે. કોઈ કહેશે અમે બાબા ને મળવા ઈચ્છીએ છે, હવે જાણતા કાંઈ પણ નથી, બેસીને ઉલ્ટા-સુલ્ટા પ્રશ્ન કરશે. ૭ દિવસ નો કોર્સ કર્યા પછી પણ પૂરું કઈ સમજતા નથી કે આ અમારા બેહદ નાં બાપ છે. જે જૂનાં ભક્ત છે, જેમણે ખુબ ભક્તિ કરેલી છે તેમની બુદ્ધિ માં તો જ્ઞાનની બધી વાતો બેસી જાય છે. ભક્તિ ઓછી કરી હશે તો બુદ્ધિમાં ઓછું બેસશે. તમે છો સૌથી વધારે જૂનાં ભક્ત. ગવાય પણ છે ભગવાન ભક્તિનું ફળ આપવા માટે આવે છે. પરંતુ કોઈને આ થોડી ખબર છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ બિલકુલ જ અલગ છે. આખી દુનિયા છે ભક્તિમાર્ગ માં. કોટો માં કોઈ આવીને આ ભણે છે. સમજાની (જ્ઞાન) તો ખુબ મીઠી છે. ૮૪ જન્મોનું ચક્ર પણ મનુષ્ય જ જાણશે ને. તમે પહેલાં કાંઈ નહોતાં જાણતાં, શિવને પણ નહોતાં જાણતાં. શિવનાં મંદિર કેટલાં અસંખ્ય છે. શિવની પૂજા કરે છે, જળ ચઢાવે છે, શિવાય નમઃ કરે છે, કેમ પૂજે છે, કાંઈ ખબર નથી. લક્ષ્મી-નારાયણ ની પૂજા કેમ કરે છે, તે ક્યાં ગયા, કાંઈ ખબર નથી. ભારતવાસી જ છે જે પોતાનાં પૂજ્ય ને બિલકુલ જાણતાં નથી. ક્રિશ્ચન જાણે છે, ક્રાઈસ્ટ ફલાણા સંવત માં આવ્યાં, આવીને સ્થાપના કરી. શિવબાબા ને કોઈ પણ નથી જાણતાં. પતિત-પાવન પણ શિવને જ કહે છે. એ જ ઊંચે થી ઊંચા છે ને. એમની સૌથી વધારે સેવા કરે છે. સર્વ નાં સદ્દગતિ દાતા છે. તમને જુવો કેવી રીતે ભણાવે છે. બાપ ને બોલાવે પણ છે કે આવી ને પાવન બનાવો. મંદિરમાં કેટલી પૂજા કરે છે, કેટલી ધૂમધામ, કેટલો ખર્ચો કરે છે. શ્રીનાથજી નાં મંદિર માં, જગન્નાથ નાં મંદિર માં જઈને જુઓ. છે તો એક જ. જગન્નાથ (જગત નાથ) નાં પાસે ચોખાનો હાંડો ચઢાવે છે. શ્રીનાથ પર તો ખુબ વાનગી બનાવે છે. ફરક કેમ હોય છે? કારણ જોઈએ ને. શ્રીનાથ ને પણ કાળા, જગન્નાથ ને પણ કાળા કરી દે છે. કારણ તો કાંઈ પણ નથી સમજતાં. જગત-નાથ લક્ષ્મી-નારાયણ ને જ કહે છે કે રાધે-કૃષ્ણ ને કહેશે? રાધે-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ નો સંબંધ શું છે, આ પણ કોઈ નથી જાણતાં. હવે આપ બાળકોને ખબર પડી છે કે અમે પૂજ્ય દેવતા હતા પછી પૂજારી બન્યાં છીએ. ચક્કર લગાવ્યું. હવે ફરી દેવતા બનવા માટે આપણે ભણીએ છે. આ કોઈ મનુષ્ય નથી ભણાવતાં. ભગવાનુવાચ છે. જ્ઞાન સાગર પણ ભગવાનને કહેવાય છે. અહીંયા તો ભક્તિ નાં સાગર ખુબ છે જે પતિત-પાવન જ્ઞાન સાગર બાપ ને યાદ કરે છે. તમે પતિત બન્યાં ફરી પાવન જરુર બનવાનું છે. આ છે જ પતિત દુનિયા. આ સ્વર્ગ નથી. વૈકુંઠ ક્યાં છે, આ કોઈને ખબર નથી. કહે છે વૈકુંઠ ગયાં. તો પછી નરક નું ભોજન વગેરે તમે એમને કેમ ખવડાવો છો. સતયુગ માં તો ખુબજ ફળ-ફૂલ વગેરે હોય છે. અહીંયા શું છે? આ છે નરક. હમણાં તમે જાણો છો બાબા દ્વારા આપણે સ્વર્ગવાસી બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. પતિત થી પાવન બનવાનું છે. બાપે યુક્તિ તો બતાવી છે - કલ્પ-કલ્પ બાપ પણ યુક્તિ બતાવે છે. મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હમણાં તમે જાણો છો આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. તમે જ કહો છો બાબા અમે ૫ હજાર વર્ષ પહેલાં આ બન્યાં હતાં. તમે જ જાણો છો કલ્પ-કલ્પ આ અમરકથા બાબા થી સાંભળીએ છીએ. શિવબાબા જ અમરનાથ છે. બાકી એવું નથી કે પાર્વતી ને બેસી કથા સંભળાવે છે. તે છે ભક્તિ. જ્ઞાન અને ભક્તિ ને તમે સમજ્યું છે. બ્રાહ્મણોનો દિવસ અને પછી બ્રાહ્મણોની રાત. બાપ સમજાવે છે તમે બ્રાહ્મણ છો ને. આદિ દેવ પણ બ્રાહ્મણ જ હતાં, દેવતા નહીં કહેશું. આદિદેવ ની પાસે પણ જાય છે, દેવીઓનાં પણ કેટલાં નામ છે. તમે સર્વિસ (સેવા) કરી છે ત્યારે તમારું ગાયન છે, ભારત જે વાઈસલેસ (નિર્વિકારી) હતો તે પછી વિશશ (વિકારી) બની જાય છે. હમણાં રાવણ રાજ્ય છે ને.

સંગમયુગ પર આપ બાળકો હમણાં પુરુષોત્તમ બનો છો, તમારા પર બ્રહસ્પતિની દશા અવિનાશી બેસે છે ત્યારે તમે અમરપુરી નાં માલિક બની જાઓ છો. બાપ તમને ભણાવી રહ્યાં છે, મનુષ્ય થી દેવતા બનાવવા માટે. સ્વર્ગનાં માલિક બનવું એ બ્રહસ્પતિની દશા કહેવાય છે. તમે સ્વર્ગ અમરપુરીમાં તો જરુર જશો. બાકી ભણતર માં દશાઓ નીચે-ઉપર થતી રહે છે. યાદ જ ભૂલી જવાય છે. બાપએ કહ્યું છે મને યાદ કરો. ગીતામાં પણ છે ભગવાનુવાચ-કામ મહાશત્રુ છે. વાંચે પણ છે પરંતુ વિકારને જીતે થોડી છે. ભગવાને ક્યારે કહ્યું? ૫ હજાર વર્ષ થયાં. હવે ફરી ભગવાન કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર જીત પામવાની છે. આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળું છે. મુખ્ય છે કામ ની વાત, આને જ પતિત કહેવાય છે. હવે ખબર પડી છે, આ ચક્ર ફરે છે. આપણે પતિત બનીએ છીએ, પછી બાપ આવીને પાવન બનાવે છે-ડ્રામા અનુસાર. બાબા ઘડી-ઘડી કહે છે પહેલાં-પહેલાં અલફ ની વાત યાદ કરો, શ્રીમત પર ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બનશો. આ પણ તમે સમજો છો આપણે પહેલાં શ્રેષ્ઠ હતા પછી ભ્રષ્ટ બન્યાં. હવે ફરી શ્રેષ્ઠ બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. દેવીગુણ ધારણ કરવાનાં છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બધાને રસ્તો બતાવતા જાઓ, બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જાય. પતિત-પાવન તમે મને જ કહો છો ને. આ કોઈને ખબર નથી કે પતિત-પાવન કેવી રીતે આવી ને પાવન બનાવે છે. કલ્પ પહેલાં પણ બાપે કહ્યું હતું મામેકમ યાદ કરો. આ યોગ અગ્નિ છે, જેનાથી પાપ દગ્ધ થાય છે. ખાદ નીકળવાથી આત્મા પવિત્ર બની જાય છે. ખાદ સોનામાં જ નાખે છે. પછી ઘરેણું પણ એવું બને છે. હમણાં આપ બાળકોને બાપે સમજાવ્યું છે આત્મા માં કેવી રીતે ખાદ પડી છે, એને નીકાળવાની છે. બાપ નો પણ ડ્રામામાં પાર્ટ છે જે આપ બાળકોને આવીને દેહી-અભિમાની બનાવે છે. પવિત્ર પણ બનવાનું છે. તમે જાણો છો સતયુગમાં આપણે વૈષ્ણવ હતાં. પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતું. હમણાં આપણે પવિત્ર બની અને વિષ્ણુપુરી નાં માલિક બનીએ છીએ. તમે ડબલ વૈષ્ણવ બનો છો. સાચાં-સાચાં વૈષ્ણવ તમે છો. તે છે વિકારી વૈષ્ણવ ધર્મનાં. તમે છો નિર્વિકારી વૈષ્ણવ ધર્મનાં. હમણાં એક તો બાપ ને યાદ કરો છો અને નોલેજ જે બાપમાં છે, તે તમે ધારણ કરો છો. તમે રાજાઓનાં રાજા બનો છો. તે રાજાઓ બને છે અલ્પકાળ, એક જન્મનાં માટે. તમારી રાજાઈ છે ૨૧ પેઢી અર્થાત્ ફુલ એજ (પૂરું આયુષ્ય) પસાર કરો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નહીં થશે. તમે કાળ પર જીત પામો છો. સમય જ્યારે થાય છે તો સમજો છો હવે આ જૂની ખાલ છોડી નવી લેવાની છે. તમને સાક્ષાત્કાર થશે. ખુશીના વાજા વાગતા રહે છે. તમોપ્રધાન શરીરને છોડી સતોપ્રધાન શરીર લેવું આ તો ખુશી ની વાત છે. ત્યાં ૧૫૦ વર્ષ આયુ એવરેજ (સરેરાશ) હોય છે. અહીંયા તો અકાળે મૃત્યુ થતી રહે છે કારણકે ભોગી છે. જે બાળકોનો યોગ યથાર્થ છે તેમની સર્વ કર્મેન્દ્રિયો યોગબળ થી વશમાં હશે. યોગ માં પૂરું રહેવાથી કર્મેન્દ્રિયો શીતળ થઇ જાય છે. સતયુગ માં તમને કોઈ પણ કર્મેન્દ્રિયો દગો નથી આપતી, ક્યારેય એવું નહીં કહેશે કે કર્મેન્દ્રિયો વશમાં નથી. તમે ખુબ ઉચ્ચ થી ઉચ્ચ પદ પામો છો. આને કહેવાય છે બૃહસ્પતિની અવિનાશી દશા. વૃક્ષપતિ મનુષ્ય સૃષ્ટિનું બીજરુપ છે બાપ. બીજ છે ઉપર માં, એમને યાદ પણ ઉપર માં કરીએ છીએ. આત્મા બાપ ને યાદ કરે છે. આપ બાળકો જાણો છો બેહદ નાં બાપ આપણને ભણાવે છે, એ આવે જ છે એક જ વખત અમરકથા સંભળાવવાં. અમરકથા કહો, સત્યનારાયણની કથા કહો, તે કથાનો પણ અર્થ નથી સમજતાં. સત્યનારાયણની કથા થી નર થી નારાયણ બને છે. અમરકથા થી તમે અમર બનો છો. બાબા દરેક વાત ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગબળ થી પોતાની સર્વ કર્મેન્દ્રિયો ને વશમાં કરવાની છે. એક વૃક્ષપતિ બાપની યાદ માં રહેવાનું છે. સાચાં વૈષ્ણવ અર્થાત્ પવિત્ર બનવાનું છે.

2. સવારે ઉઠી ને પહેલો પાઠ પાક્કો કરવાનો છે કે હું આત્મા છું, શરીર નહીં. અમારા રુહાની બાબા અમને ભણાવે છે. આ દુઃખ ની દુનિયા હવે બદલવાની છે…..આમ બુદ્ધિ માં બધું જ્ઞાન સિમરણ થતું રહે.

વરદાન :-
સ્વય નાં પ્રતિ ઈચ્છા માત્રમ અવિદ્યા બની બાપ સમાન અખંડદાની , પરોપકારી ભવ

જેમ બ્રહ્મા બાપે સ્વયં નો સમય પણ સેવામાં આપ્યો, સ્વયં નિર્માણ બની બાળકોને માન આપ્યું, કામ નાં નામ ની પ્રાપ્તિનો પણ ત્યાગ કર્યો. નામ, માન, શાન બધામાં પરોપકારી બન્યાં, પોતાનો ત્યાગ કરી બીજાઓનું નામ કર્યુ, સ્વયં ને સદા સેવાધારી રાખી, બાળકોને માલિક બનાવ્યાં. સ્વયં નું સુખ બાળકોનાં સુખ માં સમજ્યાં. એવાં બાપ સમાન ઈચ્છા માત્રમ અવિદ્યા અર્થાત્ મસ્ત ફકીર બની અખંડદાની, પરોપકારી બનો તો વિશ્વ કલ્યાણ નાં કાર્ય માં તીવ્રગતિ આવી જશે. કેસ અને કિસ્સા સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
જ્ઞાન, ગુણ અને ધારણા માં સિંધુ બનો, સ્મૃતિ માં બિંદુ બનો.