30-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
હમણાં પુજારી થી પૂજ્ય બની રહ્યાં છો , પૂજ્ય બાપ આવ્યાં છે તમને આપ સમાન પૂજ્ય
બનાવવાં ”
પ્રશ્ન :-
આપ બાળકોની
અંદર કયો દૃઢ વિશ્વાસ છે?
ઉત્તર :-
તમને દૃઢ વિશ્વાસ છે કે અમે જીવતે જીવ બાપ થી પૂરો વારસો લઈને જ છોડશું. બાબાની
યાદમાં આ જુનું શરીર છોડી બાપનાં સાથે જઈશું. બાબા અમને ઘરનો સહજ રસ્તો બતાવી રહ્યાં
છે.
ગીત :-
ઓમ નમો શિવાય……….
ઓમ શાંતિ!
ઓમ શાંતિ. ઓમ
શાંતિ તો ઘણાં મનુષ્ય કહેતા રહે છે. બાળકો પણ કહે છે, ઓમ શાંતિ. અંદર જે આત્મા
છે-તે કહે છે ઓમ શાંતિ. પરંતુ આત્માઓ તો યથાર્થ રીતે પોતાને જાણતી નથી, ન બાપ ને
જાણે છે. ભલે પોકારે છે પરંતુ બાપ કહે છે હું જે છું, જેવો છું યથાર્થ રીતે મને કોઈ
નથી જાણતું. આ (બ્રહ્મા) પણ કહે છે કે હું પોતાને નહોતો જાણતો કે હું કોણ છું,
ક્યાંથી આવ્યો છું! આત્મા તો મેલ (પુરુષ) છે ને. બાળક છે. ફાધર છે પરમાત્મા. તો
આત્માઓ આપસમાં બ્રધર્સ (ભાઈ) થઈ ગઈ. પછી શરીરમાં આવવાનાં કારણે કોઈને મેલ (પુરુષ),
કોઈ ને ફીમેલ (સ્ત્રી) કહે છે. પરંતુ યથાર્થ આત્મા શું છે, આ કોઈ પણ મનુષ્ય માત્ર
નથી જાણતાં. હમણાં આપ બાળકોને આ નોલેજ મળે છે જે પછી તમે સાથે લઈ જાઓ છો. ત્યાં આ
નોલેજ રહે છે, આપણે આત્મા છીએ આ જૂનું શરીર છોડી બીજું લઈએ છીએ. આત્માની ઓળખ સાથે
લઈ જઈએ છીએ. પહેલાં તો આત્માને પણ નહોતા જાણતા. આપણે ક્યાર થી પાર્ટ ભજાવીએ છીએ,
કાંઈ નહોતા જાણતા. હમણાં સુધી પણ કોઈ પોતાને પૂરું ઓળખતા નથી. મોટા રુપ થી જાણે છે
અને મોટા લિંગ રુપ ને જ યાદ કરે છે. હું આત્મા બિંદી છું. બાપ પણ બિંદી છે, એ રુપમાં
યાદ કરે, એવા ખુબ થોડાં છે. નંબરવાર બુદ્ધિ છે ને. કોઈ તો સારી રીતે સમજી ને બીજાઓને
પણ સમજાવવા લાગી જાય છે. તમે સમજાવો છો પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરવાનાં
છે. એજ પતિત-પાવન છે. પહેલાં તો મનુષ્યોને આત્માની જ ઓળખ નથી, તો તે પણ સમજાવવું પડે.
પોતાને જ્યારે આત્મા નિશ્ચય કરે ત્યારે બાપને પણ જાણી શકે. આત્માને જ નથી ઓળખતા એટલે
બાપને પણ પૂરું જાણી નથી શકતાં. હમણાં આપ બાળકો જાણો છો આપણે આત્મા બિંદી છીએ. આટલી
નાની એવી આત્મામાં ૮૪ જન્મો નો પાર્ટ છે, આ પણ તમારે સમજાવવું પડે. નહીં તો ફક્ત કહે
જ્ઞાન ખુબ સારું છે. ભગવાન થી મળવા નો રસ્તો ખુબ સારો બતાડે છે. પરંતુ હું કોણ છું,
બાપ કોણ છે, આ નથી જાણતા. ફક્ત સારું-સારું કહી દે છે. કોઈ તો પછી એવું પણ કહે છે
કે આ તો નાસ્તિક બનાવી દે છે. તમે જાણો છો-જ્ઞાન ની સમજ કોઈ માં પણ છે નહીં. તમે
સમજાવો છો હમણાં અમે પૂજ્ય બની રહ્યાં છીએ. અમે કોઈની પૂજા નથી કરતાં કારણ કે જે
સૌનાં પૂજ્ય છે ઊંચે થી ઊંચા ભગવાન, એમનાં આપણે સંતાન છીએ. એ છે જ પૂજ્ય પિતાશ્રી.
હમણાં આપ બાળકો જાણો છો - પિતાશ્રી આપણને પોતાનાં બનાવી ને ભણાવી રહ્યાં છે. સૌથી
ઊંચે થી ઊંચા પૂજ્ય એક જ છે, એમના સિવાય બીજું કોઈ પૂજ્ય બનાવી ન શકે. પુજારી જરુર
પુજારી જ બનાવશે. દુનિયામાં બધાં છે-પુજારી. તમને હમણાં પૂજ્ય મળ્યાં છે, જે આપ
સમાન બનાવી રહ્યાં છે. તમારા થી પૂજા છોડાવી દીધી છે. પોતાની સાથે લઈ જાય છે. આ
છી-છી દુનિયા છે. આ છે જ મૃત્યુલોક. ભક્તિ શરુ જ ત્યારે થાય છે જ્યારે રાવણ રાજ્ય
હોય છે. પૂજ્ય થી પુજારી બની જાય છે. પછી પુજારી થી પૂજ્ય બનાવવા માટે બાપને આવવું
પડે છે. હમણાં તમે પૂજ્ય દેવતા બની રહ્યાં છો. આત્મા શરીર દ્વારા પાર્ટ ભજવે છે.
હમણાં બાપ આપણને પૂજ્ય દેવતા બનાવી રહ્યાં છે, આત્માને પવિત્ર બનાવવા માટે. તો આપ
બાળકોને યુક્તિ આપી છે-બાપ ને યાદ કરવાથી તમે પુજારી થી પૂજ્ય બની જશો કારણ કે એ
બાપ છે સર્વ નાં પૂજ્ય. જે અડધોકલ્પ પુજારી બને છે, તે પછી અડધોકલ્પ પૂજ્ય બને છે.
આ પણ ડ્રામા માં પાર્ટ છે. ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને કોઈ પણ નથી જાણતું. હમણાં
બાપ દ્વારા આપ બાળકો જાણો છો અને બીજાઓને પણ સમજાવો છો. પહેલી-પહેલી મુખ્ય વાત આ
સમજાવવાની છે-પોતાને આત્મા બિંદી સમજો. આત્માનાં બાપ એ નિરાકાર છે, એ નોલેજફુલ જ આવી
ને ભણાવે છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય- અંત નું રહસ્ય સમજાવે છે. બાપ આવે છે એક વાર.
એમને જાણવાનું પણ એક જ વાર હોય છે. આવે પણ એક જ વાર સંગમયુગ પર છે. જૂની પતિત
દુનિયાને આવીને પાવન બનાવે છે. હમણાં બાપ ડ્રામા પ્લાન અનુસાર આવેલાં છે. કોઈ નવી
વાત નથી. કલ્પ-કલ્પ આવી જ રીતે આવું છું. એક સેકન્ડ પણ આગળ-પાછળ થઈ નથી શકતી. આપ
બાળકોની દિલમાં બેસે છે કે બરોબર બાબા અમને આત્માઓને સાચું જ્ઞાન આપી રહ્યાં છે, પછી
કલ્પ પછી પણ બાપને આવવું પડશે. બાપ દ્વારા જે આ સમયે જાણ્યું છે તે પછી કલ્પ બાદ
જાણશો. આ પણ જાણો છો હવે જૂની દુનિયાનો વિનાશ થશે પછી અમે સતયુગમાં આવીને પોતાનો
પાર્ટ ભજવશું. સતયુગી સ્વર્ગવાસી બનીશું. આ તો બુદ્ધિમાં યાદ છે ને. યાદ રહેવાથી
ખુશી પણ રહે છે. સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) છે ને. આપણે સ્વર્ગવાસી બનવા માટે
ભણી રહ્યાં છીએ. આ ખુશી સ્થાયી રહેવી જોઈએ, જ્યાં સુધી ભણતર પૂરું થાય. બાપ સમજાવતાં
રહે છે કે ભણતર પૂરું ત્યારે થશે જ્યારે વિનાશ માટે સામગ્રી તૈયાર થશે. પછી તમે સમજી
જશો-આગ જરુર લાગશે. તૈયારીઓ થતી રહે છે ને. એક-બીજા પર કેટલાં ગરમ થતાં રહે છે.
ચારેય તરફ ભિન્ન-ભિન્ન પ્રકારની સેનાઓ છે. બધાં લડવા માટે તૈયાર થતાં રહે છે. કોઈને
કોઈ તણખો એવો નાખશે જે લડાઇ જરુર લાગે. કલ્પ પહેલાં માફક વિનાશ તો થવાનો જ છે. આપ
બાળકો જોશો. પહેલાં પણ બાળકોએ જોયું છે એક ચિનગારી થી કેટલી લડાઈ લાગી હતી.
એક-બીજાને ડરાવતા રહે છે કે આવું કરો નહીં તો અમારે આ બોમ્બસ હાથમાં ઉઠાવવાં પડશે.
મોત સામે આવી જાય છે તો પછી બનાવ્યા વગર રહી નથી શકતાં. પહેલાં પણ લડાઈ લાગી હતી તો
બોમ્બસ લગાવી દીધા. ભાવી હતી ને. હમણાં તો હજારો બોમ્બસ છે.
આપ બાળકોએ આ જરુર સમજાવવાનું છે કે હમણાં બાપ આવેલાં છે, બધાને પાછાં લઈ જવાં. બધાં
પોકારી રહ્યાં છે, હેં પતિત-પાવન આવો. આ છી-છી દુનિયા થી અમને પાવન દુનિયામાં લઈ
ચાલો. આપ બાળકો જાણો છો પાવન દુનિયાઓ છે બે - મુક્તિ અને જીવનમુક્તિ. બધાની આત્માઓ
પવિત્ર બની મુક્તિધામ ચાલી જશે. આ દુઃખધામ વિનાશ થઇ જશે, જેને મૃત્યુલોક કહેવાય છે.
પહેલાં અમરલોક હતું, પછી ચક્ર લગાવી હવે મૃત્યુલોક માં આવ્યાં છો. પછી અમરલોક ની
સ્થાપના થાય છે. ત્યાં અકાળે મૃત્યુ કોઈ હોતું નથી એટલે તેને અમરલોક કહેવાય છે.
શાસ્ત્રો માં પણ ભલે અક્ષર છે, પરંતુ યથાર્થ રીતે કોઈ પણ સમજતા નથી. આ પણ તમે જાણો
છો-હવે બાબા આવેલાં છે. મૃત્યુલોક નો વિનાશ જરુર થવાનો છે. આ ૧૦૦ ટકા નિશ્ચિત છે.
બાપ સમજાવી રહ્યાં છે કે પોતાની આત્માને યોગબળ થી પવિત્ર બનાવો. મને યાદ કરો તો
વિકર્મ વિનાશ થઈ જશે. પરંતુ આ પણ બાળકો યાદ નથી કરી શકતાં. બાપ થી વારસો અથવા રાજાઈ
લેવામાં મહેનત તો જોઈએ ને. જેટલું થઈ શકે યાદ માં રહેવાનું છે. પોતાને જોવાનું છે-કેટલો
સમય અમેં યાદમાં રહીએ છીએ અને કેટલાને યાદ અપાવીએ છીએ? મનમનાભવ, આને મંત્ર પણ નહીં
કહેવાય, આ છે બાપ ની યાદ. દેહ-અભિમાન ને છોડી દેવાનું છે. તમે આત્મા છો, આ તમારો રથ
છે, આનાથી તમે કેટલું કામ કરો છો. સતયુગ માં તમે દેવી-દેવતા બની કેવી રીતે રાજ્ય કરો
છો ફરી તમે આ જ અનુભવ પામશો. એ સમયે તો પ્રેક્ટીકલ માં આત્મ-અભિમાની રહો છો. આત્મા
કહે છે અમારું આ શરીર ઘરડું થયું છે, આ છોડી નવું લઈશું. દુઃખની વાત જ નથી. અહીંયા
તો શરીર ન છૂટે તેનાં માટે પણ કેટલી ડૉક્ટરની દવાઓ વગેરેની મહેનત કરે છે. આપ બાળકોએ
બીમારી વગેરેમાં પણ જૂનાં શરીર થી ક્યારેય હેરાન નથી થવાનું કારણ કે તમે સમજો છો આ
શરીરમાં જ જીવતા રહીને બાપ થી વારસો પામવાનો છે. શિવબાબા ની યાદ થી જ પવિત્ર બની જશો.
આ છે મહેનત. પરંતુ પહેલાં તો આત્માને જાણવી પડે. મુખ્ય તમારી છે જ યાદ ની યાત્રા.
યાદ માં રહેતાં-રહેતાં પછી આપણે ચાલ્યા જઈશું મૂળવતન. જ્યાંના આપણે નિવાસી છીએ, એજ
આપણું શાંતિધામ છે. શાંતિધામ, સુખધામ ને તમે જાણો છો અને યાદ કરો છો. બીજા કોઈ નથી
જાણતાં. જેમણે કલ્પ પહેલાં બાપ થી વારસો લીધો છે, તેજ લેશે.
મુખ્ય છે યાદ ની યાત્રા. ભક્તિમાર્ગ ની યાત્રાઓ હવે ખતમ થવાની છે. ભક્તિમાર્ગ જ
ખલાસ થઈ જશે. ભક્તિમાર્ગ શું છે? જ્યારે જ્ઞાન હોય ત્યારે સમજે. સમજે છે ભક્તિ થી
ભગવાન મળશે. ભક્તિનું ફળ શું આપશે? કાંઈ પણ ખબર નથી. આપ બાળકો હવે સમજો છો બાપ
બાળકોને જરુર સ્વર્ગની બાદશાહી નો જ વારસો આપશે. બધાને વારસો આપ્યો હતો, યથા
રાજા-રાણી તથા પ્રજા બધાં સ્વર્ગવાસી હતાં. બાપ કહે છે ૫૦૦૦ વર્ષ પહેલાં પણ તમને
સ્વર્ગવાસી બનાવ્યા હતાં. હવે ફરી તમને બનાવું છું. ફરી તમે આમ ૮૪ જન્મ લેશો. આ
બુદ્ધિ માં યાદ રહેવું જોઈએ, ભૂલવું ન જોઈએ. જે નોલેજ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું
બાપની પાસે છે તે બાળકોની બુદ્ધિ માં ટપકે છે. અમે કેવી રીતે ૮૪ જન્મ લઈએ છીએ, હમણાં
ફરી બાબા થી વારસો લઈએ છીએ, અનેક વખત બાપ થી વારસો લીધો છે, બાપ કહે છે જેમ લીધો હતો
ફરી લો. બાપ તો બધાને ભણાવતાં રહે છે. દૈવીગુણ ધારણ કરવા માટે પણ સાવધાની મળતી રહે
છે. પોતાની તપાસ કરવા માટે સાક્ષી થઈ જોવું જોઈએ કે ક્યાં સુધી અમે પુરુષાર્થ કરીએ
છીએ, કોઈ સમજે છે અમે ખુબ સરસ પુરુષાર્થ કરી રહ્યાં છીએ. પ્રદર્શની વગેરેનો પ્રબંધ
કરતો રહું છું જેથી કે બધાને ખબર પડી જાય કે ભગવાન બાપ આવેલાં છે. મનુષ્ય બિચારા બધાં
ઘોર નિંદ્રા માં સૂતેલાં છે. જ્ઞાનની કોઈને ખબર જ નથી તો જરુર ભક્તિ ને ઉંચી જ સમજશે.
પહેલાં તમારા માં પણ કઈ જ્ઞાન હતું કે? હમણાં તમને ખબર પડી છે, જ્ઞાન નાં સાગર બાપ
જ છે, એજ ભક્તિનું ફળ આપે છે, જેમણે વધારે ભક્તિ કરી છે, તેમને વધારે ફળ મળશે. તે જ
સારી રીતે થી ભણે છે ઊંચું પદ પામવા માટે. આ કેટલી મીઠી-મીઠી વાતો છે. વૃદ્ધ વગેરે
માટે પણ ખુબ સહજ કરી સમજાવે છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. ઊંચે થી ઊંચા છે
ભગવાન શિવ. શિવ પરમાત્માય નમઃ કહેવાય છે, એ કહે છે મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ
વિનાશ થાય. બસ. બીજી કોઈ તકલીફ નથી આપતાં. આગળ જતાં શિવબાબા ને પણ યાદ કરવા લાગી જશે.
વારસો તો લેવાનો છે, જીવતે જીવ બાપ થી વારસો લઈને જ છોડશું. શિવબાબા ની યાદ માં
શરીર છોડી દે છે, તો તે પછી સંસ્કાર લઈ જાય છે. સ્વર્ગમાં જરુર આવશે, જેટલો યોગ એટલુ
ફળ મળશે. મૂળ વાત છે - ચાલતાં-ફરતાં જેટલું થઈ શકે યાદમાં રહેવાનું છે. પોતાનાં માથા
પર થી બોજો ઉતારવાનો છે, ફક્ત યાદ જોઈએ બીજી કોઈ તકલીફ બાપ નથી આપતાં. જાણે છે
અડધાકલ્પ થી બાળકો એ તકલીફ જોઈ છે એટલે હમણાં આવ્યો છું, તમને સહજ રસ્તો
બતાવવા-વારસો લેવાનો. બાપ ને ફક્ત યાદ કરો. ભલે યાદ તો પહેલાં પણ કરતા હતાં પરંતુ
કોઇ જ્ઞાન નહોતું, હમણાં બાપે જ્ઞાન આપ્યું છે કે આ રીતે મને યાદ કરવાથી તમારા
વિકર્મ વિનાશ થશે. ભલે શિવની ભક્તિ તો દુનિયામાં ખુબ કરે છે, ખુબ યાદ કરે છે પરંતુ
ઓળખ નથી. આ સમયે બાપ પોતે જ આવીને ઓળખાણ આપે છે કે મને યાદ કરો. હમણાં તમે સમજો છો
અમે સારી રીતે જાણીએ છીએ. તમે કહેશો અમે જઈએ છે બાપદાદા ની પાસે. બાપે આ ભાગીરથ લીધો
છે, ભાગીરથ પણ પ્રસિદ્ધ છે, આમનાં દ્વારા બેસી જ્ઞાન સંભળાવે છે. આ પણ ડ્રામા માં
પાર્ટ છે. કલ્પ-કલ્પ આ ભાગ્યશાળી રથ પર આવે છે. તમે જાણો છો કે આ એ જ છે જેમને
શ્યામસુંદર કહીએ છીએ. આ પણ તમે સમજો છો. મનુષ્યોએ પછી અર્જુન નામ રાખી દીધું છે.
હમણાં બાપ યથાર્થ સમજાવે છે - બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને
છે. બાળકોમાં હવે સમજ છે કે અમે બ્રહ્માપુરી નાં છીએ પછી વિષ્ણુપુરી નાં બનશું.
વિષ્ણુપુરી થી બ્રહ્માપુરી માં આવવામાં ૮૪ જન્મ લાગે છે. આ પણ અનેક વાર સમજાવ્યું
છે જે તમે ફરી થી સાંભળો છો. આત્માને હવે બાપ કહે છે ફક્ત મામેકમ યાદ કરો તો તમારા
વિકર્મ વિનાશ થશે એટલે તમને ખુશી પણ થાય છે. આ એક અંતિમ જન્મ પવિત્ર બનવાથી અમે
પવિત્ર દુનિયા નાં માલિક બનીશું. તો કેમ ન પવિત્ર બનીએ. આપણે એક બાપ નાં બાળક
બ્રહ્મકુમાર કુમારી છીએ, છતાં પણ તે શારીરિક વૃતિ બદલવામાં સમય લાગે છે. ધીરે-ધીરે
અંત માં કર્માતીત અવસ્થા થવાની છે. આ સમયે કોઈની કર્માતીત અવસ્થા થવી અસંભવ છે.
કર્માતીત અવસ્થા થઈ જાય પછી તો આ શરીર પણ ન રહે, આને છોડવું પડે. લડાઈ લાગી જાય, એક
બાપની જ યાદ રહે, આમાં મહેનત છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સાક્ષી થઈ
પોતાને જોવાનું છે કે અમે ક્યાં સુધી પુરુષાર્થ કરીએ છીએ? ચાલતાં-ફરતાં, કર્મ કરતાં
કેટલો સમય બાપ ની યાદ માં રહીએ છીએ?
2. આ શરીર થી ક્યારે
પણ હેરાન નથી થવાનું. આ શરીરમાં જ જીવી ને બાપ થી વારસો પામવાનો છે. સ્વર્ગવાસી બનવા
માટે આ લાઇફ (જીવન) માં પૂરી સ્ટડી (અભ્યાસ) કરવાની છે.
વરદાન :-
માસ્ટર રચયિતા
નાં સ્ટેજ દ્વારા આપદાઓમાં પણ મનોરંજન નો અનુભવ કરવાવાળા સંપૂર્ણ યોગી ભવ
માસ્ટર રચયિતા નાં
સ્ટેજ પર સ્થિત રહેવાથી મોટાં માં મોટી આપદા એક મનોરંજન નું દૃશ્ય અનુભવ થશે. જેમ
મહાવિનાશ ની આપદાઓ ને પણ સ્વર્ગનાં ગેટ ખોલવાનું સાધન કહો છો, એમ કોઈ પણ પ્રકારની
નાની-મોટી સમસ્યા કે આપદા મનોરંજન નું રુપ દેખાય, હાય-હાય નાં બદલે ઓહો શબ્દ નીકળે
- દુઃખ પણ સુખનાં રુપ માં અનુભવ થાય. દુઃખ-સુખનું નોલેજ હોવા છતાં પણ તેનાં પ્રભાવ
માં ન આવો, દુઃખને પણ બલિહારી સુખનાં દિવસો આવવાની સમજે - ત્યારે કહેશું સંપૂર્ણ
યોગી.
સ્લોગન :-
દિલતખ્ત ને
છોડી સાધારણ સંકલ્પ કરવો અર્થાત્ ધરણી પર પગ રાખવો.