27-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હવે તમે નવાં સંબંધમાં જઇ રહ્યાં છો , એટલે અહીંયા નાં કર્મબંધની સંબંધો ને ભૂલી , કર્માતીત બનવાનો પુરુષાર્થ કરો ”

પ્રશ્ન :-
બાપ કયા બાળકોની વાહ-વાહ કરે છે? સૌથી અધિક પ્રેમ કોને આપે છે?

ઉત્તર :-
બાબા ગરીબ બાળકોની વાહ-વાહ કરે છે, વાહ ગરીબી વાહ! આરામથી બે રોટલી ખાવાની છે, હબચ (લાલચ) નહીં. ગરીબ બાળકો બાપ ને પ્રેમ થી યાદ કરે છે. બાબા અભણ બાળકોને જોઈ ખુશ થાય છે કારણ કે તેમને ભણેલું ભૂલવાની મહેનત નથી કરવી પડતી.

ઓમ શાંતિ!
હવે બાપે બાળકોનાં પ્રતિ રોજ-રોજ બોલવાની દરકાર નથી રહેતી કે સ્વયંને આત્મા સમજો. આત્મ-અભિમાની ભવ અથવા દેહી-અભિમાની ભવ...અક્ષર છે તો એજ ને. બાપ કહે છે સ્વયંને આત્મા સમજો. આત્મામાં જ ૮૪ જન્મો નો પાર્ટ ભરાયેલો છે. એક શરીર લીધું, પાર્ટ ભજવ્યો પછી શરીર ખલાસ થઈ જાય છે. આત્મા તો અવિનાશી છે. આપ બાળકોને આ જ્ઞાન હમણાં જ મળે છે બીજા કોઈને આ વાતોની ખબર નથી. હવે બાપ કહે છે-કોશિશ કરી જેટલું થઇ શકે બાપ ને યાદ કરો. ધધાંદોરી માં લાગી જવાથી તો એટલી યાદ નથી રહેતી. ગૃહસ્થ વ્યવહાર માં રહીને કમળ ફૂલ સમાન પવિત્ર બનવાનું છે. પછી જેટલું થઈ શકે મને યાદ કરો. એવું નહીં કે અમારે નેષ્ઠા માં બેસવાનું છે. નેષ્ઠા અક્ષર પણ રોંગ (ખોટો) છે. વાસ્તવ માં છે જ યાદ. ક્યાંય પણ બેઠાં છો, બાપ ને યાદ કરો. માયા નાં તોફાન તો ખુબ આવશે. કોઈને શું યાદ આવશે, કોઈને શું. તોફાન આવશે જરુર પછી તે સમયે તેને ભગાડવા પડે છે કે ન આવે. અહીંયા બેઠાં-બેઠાં પણ માયા ખુબ જ હેરાન કરતી રહેશે. આ જ તો યુદ્ધ છે. જેટલાં હલકા થશો એટલાં બંધન ઓછાં થશે. પહેલા તો આત્મા નિર્બન્ધન છે, જ્યારે જન્મ લે છે તો મા-બાપ માં બુદ્ધિ જાય છે પછી સ્ત્રીને એડોપ્ટ કરે છે, જે વસ્તુ સામે નહોતી તે સામે આવી જાય, પછી બાળકો જન્મશે તો તેમની યાદ વધશે. હવે તમારે બધાએ આ ભૂલી જવાનું છે, એક બાપ ને જ યાદ કરવાનાં છે, એટલે જ બાપની મહિમા છે. તમારા માતા-પિતા વગેરે બધું એ જ છે, એમને જ યાદ કરો, એ તમને ભવિષ્યનાં માટે બધું નવું આપે છે. નવાં સંબંધમાં લઈ આવે છે. સંબંધ તો ત્યાં પણ હશે ને. એવું તો નથી કે કોઈ પ્રલય થઈ જાય છે. તમે એક શરીર છોડી પછી બીજું લો છો. જે ખુબ સારા-સારા છે તે જરુર ઉંચા કુળમાં જન્મ લેશે. તમે ભણો જ છો ભવિષ્ય ૨૧ જન્મનાં માટે. ભણતર પૂરું થયું અને પ્રાલબ્ધ શરું થશે. સ્કૂલમાં ભણી ને ટ્રાન્સફર થાય છે ને. તમે પણ ટ્રાન્સફર થવાનાં છો-શાંતિધામ પછી સુખધામ માં. આ છી-છી દુનિયા થી છૂટી જશો. આનું નામ જ છે નર્ક. સતયુગ ને કહેવાય છે સ્વર્ગ. અહીંયા મનુષ્ય કેટલાં ઘોર અંધકારમાં છે. ધનવાન જે છે તે સમજે છે અમારી માટે અહીંયા જ સ્વર્ગ છે. સ્વર્ગ હોય જ છે નવી દુનિયામાં. આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે. જે કર્માતીત અવસ્થા વાળા હશે તે કોઈ ધર્મરાજ પુરી માં સજાઓ થોડી ભોગશે. સ્વર્ગમાં તો સજા હશે જ નહીં. ત્યાં ગર્ભ પણ મહેલ રહે છે. કોઈ દુઃખની વાત નથી. અહીંયા તો ગર્ભ જેલ છે જે સજાઓ ખાતા રહે છે. તમે કેટલી વખત સ્વર્ગવાસી બનો છો- આ યાદ કરો તો પણ આખું ચક્ર યાદ રહે. એક જ વાત લાખો રુપિયાની છે. આ ભૂલી જવાથી, દેહ-અભિમાનમાં આવવાથી માયા નુકસાન કરે છે. આ જ મહેનત છે. મહેનત વગર ઉંચ પદ નથી પામી શકાતું. બાબાને કહે છે-બાપ અમે અભણ છીએ, કાંઈ નથી જાણતાં. બાબા તો ખુશ થાય છે કારણ કે અહીંયા તો ભણેલું બધું ભૂલવાનું છે. આ તો થોડાં સમય માટે શરીર નિર્વાહ વગેરે માટે ભણવાનું છે. જાણો છો ને-આ બધું ખલાસ થવાનું છે. જેટલું થઇ શકે બાપને યાદ કરવાનાં છે અને રોટલી ટુકડો ખુશીથી ખાવાની છે. વાહ ગરીબી આ સમયની. આરામ થી રોટલી ટુકડો ખાવાનો છે. હબચ (લાલચ) નહીં. આજકાલ અનાજ મળે ક્યાં છે. ખાંડ વગેરે પણ ધીરે-ધીરે કરીને મળશે જ નહીં. એવું નહીં, તમે ઈશ્વરીય સર્વિસ (સેવા) કરો છો તો તમને ગવર્મેન્ટ (સરકાર) આપી દેશે. તેઓ તો કાંઈ પણ જાણતાં નથી. હા, બાળકોને કહેવાય છે-ગવર્મેન્ટ ને સમજાવો કે અમે બધાં મળીને મા-બાપ ની પાસે જઈએ છીએ, તેમનાં બાળકો માટે ટોલી (પ્રસાદ) મોકલવાની હોય છે. અહીંયા તો સ્પષ્ટ કહી દે છે કે છે જ નહીં. લાચારી થોડી આપી દે છે. જેમ ફકીર લોકોને કોઈ સાહૂકાર હશે તો મુઠ્ઠી ભરીને આપી દેશે. ગરીબ હશે તો થોડું કંઈક આપી દેશે. ખાંડ વગેરે આવી શકે છે પરંતુ બાળકોનો યોગ ઓછો થઈ જાય છે. યાદ ન રહેવાનાં કારણે, દેહ-અભિમાનમાં આવવાનાં કારણે કોઈ કામ થઇ નથી શકતું. આ કામ ભણતર થી એટલું નહીં થાય જેટલું યોગ થી થશે. તે ખુબ ઓછા છે. માયા યાદ ને ઉડાવી દે છે. રુસતમ ને ખુબ જ સારી રીતે પકડે છે. સારા-સારા ફર્સ્ટ ક્લાસ બાળકો પર પણ ગ્રહચારી બેસે છે. ગ્રહચારી બેસવાનું મુખ્ય કારણ યોગ ની કમી છે. ગ્રહચારી નાં કારણે જ નામ-રુપ માં ફસાઈ જાય છે. આ મોટી મંજિલ છે. જો સાચ્ચી મંજિલ પામવી છે, તો યાદ માં રહેવું પડે.

બાપ કહે છે - ધ્યાન થી પણ જ્ઞાન સારું. જ્ઞાન થી યાદ સારી. ધ્યાન માં વધારે જવાથી માયાનાં ભૂતોની પ્રવેશતા થઈ જાય છે. એવા ઘણાં છે જે ફાલતુ ધ્યાનમાં જાય છે. શું-શું બોલે છે, તેમનાં પર વિશ્વાસ નહિં કરતાં. જ્ઞાન તો બાબાની મુરલી માં મળતું રહે છે. બાપ ખબરદાર કરતાં રહે છે. ધ્યાન કોઈ કામનું નથી. ખુબ માયાની પ્રવેશતા થઈ જાય છે. અહંકાર આવી જાય છે. જ્ઞાન તો બધાને મળતું રહે છે. જ્ઞાન આપવા વાળા શિવબાબા છે. મમ્માને પણ અહીંયા થી જ્ઞાન મળતું હતું ને. એમને પણ કહેશું મનમનાભવ. બાપ ને યાદ કરો, દેવીગુણ ધારણ કરો. સ્વયંને જોવાનું છે અમે દેવીગુણ ધારણ કરીએ છીએ? અહીંયા જ દેવીગુણ ધારણ કરવાનાં છે. કોઈને જુઓ હમણાં ફર્સ્ટક્લાસ અવસ્થા છે, ખુશીથી કામ કરે, કલાક પછી ક્રોધનું ભૂત આવ્યું, ખતમ. પછી સ્મૃતિ આવે છે, આ તો અમે ભૂલ કરી. પછી સુધરી જાય છે. ઘડી-ઘડીનાં મગર - બાબા પાસે ખુબ છે, હમણાં જુઓ ખુબ મીઠાં, બાબા કહેશે આવાં બાળકો પર તો કુરબાન જાઉં. કલાક પછી કોઈ ને કોઈ વાતમાં બગડી પડે. ક્રોધ આવ્યો, બધી કરેલી કમાણી ખતમ થઈ ગઈ. હમણાં-હમણાં કમાણી, હમણાં-હમણાં નુકસાન થઈ જાય છે. બધો આધાર યાદ પર જ છે. જ્ઞાન તો ખુબ સહજ છે. નાનાં બાળકો પણ સમજાવી લે. પરંતુ હું જે છું, જેવો છું યથાર્થ રીતે જાણે. સ્વયં ને આત્મા સમજે, આવી રીતે નાનાં બાળકો થોડી યાદ કરી શકશે. મનુષ્યો ને મરવાનાં સમયે કહેવાય છે ભગવાનને યાદ કરો. પરંતુ યાદ કરી ન શકે કારણ કે યથાર્થ કોઈ પણ જાણતા નથી. કોઈ પણ પાછાં જઈ નથી શકતાં. ન વિકર્મ વિનાશ થાય છે. પરંપરાથી ઋષિ-મુની વગેરે બધાં કહેતાં આવ્યાં છે કે રચતા અને રચનાને અમે નથી જાણતાં. તેઓ તો છતાં પણ સતોગુણી હતાં. આજ નાં તમોપ્રધાન બુદ્ધિ પછી કેવી રીતે જાણી શકે. બાપ કહે છે આ લક્ષ્મી-નારાયણ પણ નથી જાણતાં. રાજા-રાણી જ નથી જાણતા તો પછી પ્રજા કેવી રીતે જાણશે. કોઈ પણ નથી જાણતું. હમણાં ફક્ત આપ બાળકો જ જાણો છો. તમારામાં પણ કોઈ છે જે યથાર્થ રીતે જાણે છે, કહે છે બાબા ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. બાપ કહે છે-ક્યાંય પણ જાઓ ફક્ત બાપ ને યાદ કરો. ખુબ ભારે કમાણી છે. તમે ૨૧ જન્મોનાં માટે નિરોગી બનો છો. એવા બાપને અંતર્મુખ થઈ યાદ કરવાં જોઈએ ને. પરંતુ માયા ભૂલાવી તોફાનમાં લાવી દે છે, આમાં અંતર્મુખ થઈ વિચાર સાગર મંથન કરવાનું છે. વિચાર સાગર મંથન કરવાની વાત પણ હમણાં ની છે. આ છે પુરુષોત્તમ બનવાનો સંગમયુગ. આ પણ વન્ડર છે, આપ બાળકોએ જોયું છે-એક જ ઘરમાં તમે કહો છો અમે સંગમયુગી છીએ અને હાફ પાર્ટનર કે બાળક વગેરે કળયુગી છે. કેટલો ફરક છે. ખૂબ સુક્ષ્મ વાત બાપ સમજાવે છે. ઘરમાં રહેવાં છતાં પણ બુદ્ધિ માં છે કે અમે ફૂલ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. આ છે અનુભવની વાતો. પ્રેક્ટીકલમાં મહેનત કરવાની છે. યાદની જ મહેનત છે. એક જ ઘરમાં એક હંસ તો બીજો બગલો. પછી કોઈ બહુજ ફર્સ્ટ ક્લાસ હોય છે. ક્યારેય વિકારનો વિચાર પણ નથી આવતો. સાથે રહેતાં પણ પવિત્ર રહે છે, હિંમત દેખાડે છે તો તેમને કેટલું ઊંચું પદ મળશે. એવાં પણ બાળકો છે ને. કોઈ તો જુઓ વિકારનાં માટે કેટલું મારે ઝઘડા કરે છે, અવસ્થા એ હોવી જોઈએ જે સંકલ્પ માં પણ ક્યારેય અપવિત્ર બનવાનો વિચાર ન આવે. બાપ દરેક પ્રકાર થી સલાહ આપતા રહે છે. તમે જાણો છો શ્રી શ્રી ની મત થી આપણે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ બનીએ છીએ. શ્રી એટલે જ શ્રેષ્ઠ. સતયુગ માં છે નંબરવન શ્રેષ્ઠ. ત્રેતામાં બે ડિગ્રી ઓછી થઈ જાય છે. આ જ્ઞાન આપ બાળકોને હમણાં મળે છે.

આ ઈશ્વરીય સભા નો કાયદો છે - જેમને જ્ઞાન રત્નોની કદર છે, ક્યારેય બગાસા વગેરે નથી લેતાં તેમણે આગળ-આગળ બેસવું જોઈએ. કોઈ-કોઈ બાળકો બાપની સામે બેઠાં પણ જોકું ખાતા, બગાસા ખાતા રહે છે. તેમણે પછી પાછળ જઈને બેસવું જોઈએ. આ ઈશ્વરીય સભા છે બાળકોની. પરંતુ કોઇ બ્રાહ્મણીઓ એવાં-એવાં ને પણ લઈ આવે છે, આમ તો બાપ થી ધન મળે છે, એક-એક વરશન્સ લાખો રુપિયાનાં છે. તમે જાણો છો જ્ઞાન મળે જ છે સંગમ પર. તમે કહો છો બાબા અમે ફરીથી આવ્યાં છીએ બેહદ નો વારસો લેવાં. મીઠાં-મીઠાં બાળકો ને બાબા વારંવાર સમજાવે છે આ છી-છી દુનિયા છે, તમારો છે બેહદનો વૈરાગ્ય, બાપ કહે છે આ દુનિયામાં તમે જે કાંઈ જુઓ છો તે કાલે હશે નહીં. મંદિરો વગેરે નું નામ નિશાન જ નહીં રહેશે. ત્યાં સ્વર્ગમાં તેમને જૂની વસ્તુ જોવાની દરકાર નથી. અહીંયા તો જૂની વસ્તુ નું કેટલું મૂલ્ય છે. વાસ્તવમાં કોઈ વસ્તુ નું મૂલ્ય નથી સિવાય એક બાપનાં. બાપ કહે છે હું ન આવું તો તમે રાજાઈ કેવી રીતે લો. જેમને ખબર છે એ જ આવીને બાપ થી વારસો લે છે, એટલે કોટો માં કોઈ કહેવાય છે. કોઈ પણ વાતમાં સંશય ન આવવો જોઈએ. ભોગ વગેરે ની પણ રીત-રિવાજ છે. આનાંથી જ્ઞાન અને યાદ નું કોઈ કનેક્શન (સંબંધ) નથી. બીજી કોઈ વાત થી તમારે લેવાદેવા નથી. ફક્ત બે વાતો છે અલફ અને બે, બાદશાહી. અલફ ભગવાનને કહેવાય છે. આંગળીથી પણ આમ ઈશારો કરે છે ને. આત્મા ઇશારો કરે છે ને. બાપ કહે છે ભક્તિ માર્ગમાં તમે મને યાદ કરો છો. તમે બધાં મારા આશિક છો. આ પણ જાણો છો બાબા કલ્પ-કલ્પ આવીને બધાં મનુષ્ય માત્રને દુઃખ થી છોડાવી શાંતિ અને સુખ આપે છે, ત્યારે બાબાએ કહ્યું હતું કે ફક્ત આ બોર્ડ લખી દો કે વિશ્વ માં શાંતિ બેહદ નાં બાપ કેવી રીતે સ્થાપન કરી રહ્યાં છે તે આવી ને સમજો. એક સેકન્ડમાં વિશ્વનાં માલિક ૨૧ જન્મોનાં માટે બનવું છે તો આવીને સમજો. ઘરમાં બોર્ડ લગાવી દો, ત્રણ પગ પૃથ્વી પર તમે મોટી થી મોટી હોસ્પિટલ, યુનિવર્સિટી ખોલી શકો છો. યાદ થી ૨૧ જન્મ માટે નિરોગી અને ભણતર થી સ્વર્ગની બાદશાહી મળી જાય છે. પ્રજા પણ કહેશે કે અમે સ્વર્ગનાં માલિક છીએ. આજે મનુષ્યો ને લજ્જા આવે છે કારણ કે નર્કવાસી છે. પોતે કહે છે અમારા બાપ સ્વર્ગવાસી થયા, તો નર્કવાસી છો ને. જયારે મરશો તો સ્વર્ગમાં જશો. કેટલી સહજ વાત છે. સારું કામ કરવાવાળા માટે ખાસ કહે છે આ ખુબ મહાદાની હતાં. આ સ્વર્ગ ગયાં. પરંતુ જતું કોઈ પણ નથી. નાટક જયારે પૂરું થાય છે તો બધાં સ્ટેજ પર આવીને ઉભાં રહે છે. આ લડાઈ પણ ત્યારે લાગશે જ્યારે બધાં એક્ટર્સ અહીંયા આવી જશે પછી જશે. શિવની બારાત કહે છે ને. શિવબાબા ની સાથે બધી આત્માઓ જશે. મૂળ વાત હમણાં ૮૪ જન્મ પૂરા થયાં. હવે આ જુત્તી ને છોડવાની છે. જેમ સર્પ જૂની ખાલ છોડી નવી લે છે. તમે નવી ખાલ સતયુગ માં લેશો. શ્રીકૃષ્ણ કેટલાં ખૂબસૂરત છે, કેટલી તેમનામાં કશિશ છે. ફર્સ્ટ ક્લાસ શરીર છે. એવું આપણે લઈશું. કહે છે ને-અમે તો નારાયણ બનીશું. આ તો સડેલી છી-છી ખાલ છે. આ આપણે છોડીને જઈશું નવી દુનિયામાં. આ યાદ કરતાં ખુશી કેમ નથી થતી, જ્યારે કહો છો અમે નર થી નારાયણ બનીએ છીએ! આ સત્યનારાયણ ની કથા ને સારી રીતે સમજો. જે કહો છો તે કરીને દેખાડો. કહેવું, કરવું એક જોઈએ. ધંધો વગેરે પણ ભલે કરો. બાપ કહે છે હાથે થી કામ કરો, દિલ બાપ ની યાદ માં રહે. જેટલી-જેટલી ધારણા કરશો એટલી તમારી પાસે નોલેજ ની વેલ્યુ થતી જશે, નોલેજ ની ધારણા થી તમે કેટલા ધનવાન બનો છો. આ છે રુહાની નોલેજ. તમે આત્મા છો, આત્મા શરીર થી બોલે છે. આત્મા જ જ્ઞાન આપે છે. આત્મા જ ધારણ કરે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયાની જૂની વસ્તુ ને જોવા છતાં પણ નથી જોવાની. નર થી નારાયણ બનવા માટે કહેવું, કરવું એક સમાન બનાવવાનું છે.

2. અવિનાશી જ્ઞાન રત્નો ની કદર રાખવાની છે, આ ખુબ ઊંચી કમાણી છે, આમાં બગાસા અથવા જોકું ન આવવું જોઈએ. નામ-રુપ ની ગ્રહચારી થી બચવા માટે યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સાથી અને સાક્ષીપણા નાં અનુભવ દ્વારા સદા સફળતામૂર્ત ભવ

જે બાળકો સદા બાપની સાથે રહે છે તે સાક્ષી સ્વતઃ બની જાય છે કારણ કે બાપ સ્વયં સાક્ષી થઈને પાર્ટ ભજવે છે તો એમની સાથે રહેવાવાળા પણ સાક્ષી થઈને પાર્ટ ભજવશે અને જેમનાં સાથી સ્વયં સર્વશક્તિમાન બાપ છે તે સફળતામૂર્ત પણ સ્વતઃ બની જ જાય છે. ભક્તિ માર્ગમાં તો પોકારે છે કે થોડાં સમય નાં સાથ નો અનુભવ કરાવી દો, ઝલક દેખાડી દો પરંતુ તમે સર્વ સંબંધો થી સાથી થઈ ગયાં-તો આ ખુશી અને નશામાં રહો કે પાના થા સો પા લિયા.

સ્લોગન :-
વ્યર્થ સંકલ્પોની નિશાની છે-મન ઉદાસ અને ખુશી ગાયબ.