25-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બેહદ
નાં સુખ માટે તમને બેહદનું નોલેજ મળે છે , તમે ફરી થી રાજ્યોગ ની શિક્ષા થી રાજાઈ
લઈ રહ્યાં છો ”
પ્રશ્ન :-
તમારું
ઈશ્વરીય કુટુંબ કઈ વાતમાં બિલકુલ જ નિરાળું છે?
ઉત્તર :-
આ ઈશ્વરીય કુટુંબમાં કોઈ એક દિવસ નો બાળક છે, કોઈ ૮ દિવસનો પરંતુ બધાં ભણી રહ્યાં
છે. બાપ જ શિક્ષક બની પોતાનાં બાળકોને ભણાવી રહ્યાં છે. આ છે નિરાળી વાત. આત્મા ભણે
છે. આત્મા કહે છે બાબા, બાબા પછી બાળકોને ૮૪ જન્મોની વાર્તા સંભળાવે છે.
ગીત :-
દૂરદેશ કા રહને
વાલા ………..
ઓમ શાંતિ!
વૃક્ષપતિ વાર,
તેનું નામ રાખી દીધું છે બૃહસ્પતિ. આ તહેવાર વગેરે તો વર્ષે-વર્ષે મનાવીએ છીએ. તમે
દરેક સપ્તાહ બૃહસ્પતિ દિવસ મનાવો છો. વૃક્ષપતિ અથવા આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નાં
જે બીજરુપ છે, ચૈતન્ય છે, એ જ આ ઝાડ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. બીજા જે પણ વૃક્ષ
છે તે બધાં જડ હોય છે. આ છે ચૈતન્ય, આને કહેવાય છે કલ્પવૃક્ષ. આની આયુ છે ૫ હજાર
વર્ષ અને આ વૃક્ષ ૪ ભાગમાં છે. દરેક વસ્તુ ૪ ભાગ માં હોય છે. આ દુનિયા પણ ૪ ભાગમાં
છે. હવે આ જૂની દુનિયા નો અંત છે. દુનિયા કેટલી મોટી છે, આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય
માત્રની બુદ્ધિ માં નથી. આ છે નવી દુનિયાનાં માટે નવી શિક્ષા. અને પછી નવી દુનિયાનાં
રાજા બનવા માટે અથવા આદિ સનાતન દેવી-દેવતા બનવા માટે શિક્ષા પણ નવી છે. ભાષા તો
હિન્દી જ છે. બાબા એ સમજાવ્યું છે જ્યારે બીજી રાજાઈ સ્થાપન થાય છે તો તેમની ભાષા
અલગ હોય છે. સતયુગ માં કઈ ભાષા હશે? તે બાળકો થોડું-થોડું જાણે છે. પહેલાં બાળકીઓ
ધ્યાન માં જઈને બતાવતી હતી. ત્યાં કોઈ સંસ્કૃત નથી. સંસ્કૃત તો અહીંયા છે ને. જે
અહિયાં છે તે પછી ત્યાં હોય ન શકે. તો બાળકો જાણે છે આ છે વૃક્ષપતિ. આમને ફાધર રચતા
પણ કહે છે ઝાડનાં. આ છે ચૈતન્ય બીજરુપ. તે બધાં હોય છે જડ. બાળકોએ સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત ને પણ જાણવું જોઈએ ને. આ સમયે નોલેજ ન હોવાનાં કારણે મનુષ્યો ને સુખ
નથી. આ છે બેહદનું નોલેજ, જેનાથી બેહદ નું સુખ છે. હદનાં નોલેજ થી કાગ વિષ્ટા સમાન
સુખ મળે છે. તમે જાણો છો, આપણે બેહદ નાં સુખ માટે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છીએ
ફરીથી. આ ‘ફરીથી’ અક્ષર ફક્ત તમે સાંભળો છો. તમે જ ફરીથી મનુષ્ય થી દેવતા બનવા માટે
આ રાજયોગ ની શિક્ષા પ્રાપ્ત કરી રહ્યાં છો. આ પણ તમે જાણો છો જ્ઞાનનાં સાગર બાપ
નિરાકાર છે. નિરાકારી તો બાળકો આત્માઓ પણ છે, પરંતુ બધાને પોત-પોતાનું શરીર છે, આને
અલૌકિક જન્મ કહેવાય છે. બીજા કોઈ મનુષ્ય આવો જન્મ લઇ નથી શકતાં. જેમ આ લે છે અને
આમની પણ વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશ કરે છે. બાળકો (આત્માઓ) ને સમ્મુખ બેસી સમજાવે
છે, બીજું કોઈ આત્માઓ ને બાળકો-બાળકો કહી ન શકે. કોઈ પણ ધર્મ વાળા હોય-જાણે છે
શિવબાબા આપણી આત્માઓનાં બાબા છે, એ તો જરુર બાળકો-બાળકો જ કહેશે. બાકી કોઈ પણ
મનુષ્યાત્મા ને ઈશ્વર નથી કહી શકાતું, બાબા નથી કહી શકતાં. આમ તો ગાંધીને પણ બાપુ
કહેતાં હતાં. મ્યુનિસપાલ્ટી નાં મેયર ને પણ ફાધર કહી દે છે. પરંતુ તે ફાધર છે બધાં
દેહધારી. તમે જાણો છો આપણી આત્માઓનાં બાપ આપણને ભણાવે છે. બાપ ઘડી-ઘડી કહે છે
સ્વયંને આત્મા સમજો. એ બાપ આવી ને ભણાવે પણ આત્માઓને છે. આ છે ઈશ્વરીય કુટુંબ. બાપનાં
આટલાં અનેક બાળકો છે. તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ. આપ બાળકો થઈ ગયાં. કહે છે
બાબા હું એક દિવસ નો બાળક છું, ૮ દિવસનો બાળક છું, મહિનાનો બાળક છું. પહેલાં જરુર
નાનાં જ હશો. ભલે ૨-૪ દિવસનો બાળક જ છે પરંતુ ઓરગન્સ તો મોટાં છે ને એટલે બધાં મોટાં
બાળકોએ ભણવું જોઈએ. જે પણ આવે છે બધાને બાપ ભણાવે છે. તમે પણ ભણો છો. બાપનાં બાળક
બન્યાં પછી બાપ સમજાવે છે, તમે ૮૪ જન્મ કેવી રીતે લીધા છે? બાપ કહે છે હું પણ ખુબ
જન્મોનાં અંતમાં આમનામાં પ્રવેશ કરું છું અને પછી ભણાવું છું. બાળકો જાણે છે અહીંયા
આપણે મોટે થી મોટાં શિક્ષક ની પાસે આવ્યાં છીએ. જેનાથી જ પછી આ શિક્ષક નીકળ્યાં છે
જેમને પન્ડા કહે છે. તે પણ બધાં ને ભણાવતા રહે છે. જે-જે જાણતાં જશે, ભણાવતા રહેશે.
પહેલાં-પહેલાં સમજાવવાનું જ આ છે, બે બાપ છે ને. એક લૌકિક અને બીજા પારલૌકિક. મોટાં
તો જરુર પારલૌકિક બાપ થઈ ગયાં, જેમને ભગવાન કહેવાય છે. તમે જાણો છો હમણાં આપણને
પારલૌકિક બાપ મળ્યાં છે, બીજા કોઈને ખબર નથી. ધીરે-ધીરે જાણતાં જશે. આપ બાળકો જાણો
છો આપણને આત્માઓને બાબા ભણાવે છે. આપણે આત્માઓ જ એક શરીર છોડી પછી બીજું લઇશું. ઊંચે
થી ઊંચા દેવતા બનશું. ઊંચે થી ઊંચા બનવાનાં માટે આવ્યાં છીએ. ઘણાં બાળકો
ચાલતાં-ચાલતાં ઊંચે થી ઊંચા ભણતરને છોડી દે છે. કોઈને કોઈ વાતમાં સંશય આવી જાય છે
અથવા માયા નું કોઈ તોફાન સહન નથી કરી શકતાં, કામ મહાશત્રુ થી હાર ખાઈ લે છે, આવા જ
કારણો થી ભણતર છૂટી જાય છે. કામ મહાશત્રુ નાં કારણે જ બાળકોને ખુબ સહન કરવું પડે
છે. બાપ કહે છે કલ્પ-કલ્પ તમે અબલાઓ માતાઓ જ પોકારો છો. કહે છે બાબા અમને નંગન થવાથી
બચાવો. બાપ કહે છે યાદનાં સિવાય બીજો કોઈ રસ્તો નથી. યાદ થી જ બળ આવતું જશે. માયા
બળવાન ની તાકાત ઓછી થતી જશે. પછી તમે છૂટી જશો. એવાં ઘણાં બંધનમાંથી છૂટીને આવે છે.
પછી અત્યાચાર થવાનું બંધ થઈ જાય છે પછી આવીને શિવબાબા થી બ્રહ્મા દ્વારા વાતચીત કરે
છે. આ પણ આદત પડી જવી જોઇએ. બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે અમે શિવબાબા પાસે જઈએ છીએ.
એ આ બ્રહ્મા તનમાં આવે છે. અમે શિવબાબા ની આગળ બેઠાં છીએ. યાદ થી જ વિકર્મ વિનાશ થશે.
સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. આ જ શિક્ષા મળે છે. બાપ થી મળવા આવો તો
પણ સ્વયંને આત્મા સમજો. આત્મ-અભિમાની ભવ. આ જ્ઞાન પણ તમને હમણાં મળે છે. આ છે મહેનત.
તે ભક્તિમાર્ગમાં તો કેટલાં વેદ શાસ્ત્ર વગેરે વાંચો છો. આ તો એક જ મહેનત છે-ફક્ત
યાદ ની. આ ખુબ જ સહજ થી સહજ છે, ખુબ ડિફિકલ્ટ (મુશ્કિલ) થી ડિફિકલ્ટ પણ છે. બાપને
યાદ કરવાં - આનાથી સહજ કોઈ વાત હોતી નથી. બાળક પેદા થયો અને મુખ થી બાબા-બાબા નીકળશે.
બાળકીનાં મુખથી મા નીકળશે. આત્માએ ફીમેલ (સ્ત્રી) નું શરીર ધારણ કર્યું છે. ફીમેલ
મા ની પાસે જ જશે. બાળક ખાસ કરીને બાપ ને યાદ કરે છે કારણ કે વારસો મળે છે. હમણાં
તમે આત્માઓ તો બધાં બાળકો છો. તમને વારસો મળે છે બાપ થી. આત્માને બાપ થી વારસો મળે
છે, યાદ કરવાથી. દેહ-અભિમાની હશે તો વરસો પામવામાં મુશ્કિલ થશે. બાપ કહે છે હું
બાળકોને જ ભણાવું છું. બાળકો પણ જાણે છે અમને બાળકોને બાપ ભણાવે છે. આ વાતો બાપનાં
સિવાય કોઈ બતાવી ન શકે. એમની સાથે જ ભક્તિમાર્ગમાં તમારો પ્રેમ હતો. તમે બધાં આશિક
હતાં, એ માશૂક નાં. આખી દુનિયા આશિક છે એક માશૂક ની. પરમાત્મા ને બધાં પરમપિતા પણ
કહે છે. બાપને આશિક નથી કહેવાતું. બાપ સમજાવે છે તમે ભક્તિમાર્ગ માં આશિક હતાં. હમણાં
પણ છે ઘણાં, પરંતુ પરમાત્મા કોને કહેવાય, આમાં ખુબ મુંઝાય છે. ગણેશ, હનુમાન વગેરે
ને પરમાત્મા કહી એકદમ સૂત મૂંઝવી દીધું છે. સિવાઈ એક નાં કોઈ ઠીક કરી ન શકે. કોઈની
તાકાત નથી. બાપ જ આવીને બાળકો ને સમજાવે છે. બાળકો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર
સમજે છે અને સમજાવાનાં લાયક બને છે. રાજધાની સ્થાપન થઈ રહી છે. હૂબહૂ કલ્પ પહેલાં
માફક તમે અહીંયા ભણો છો. પછી પ્રાલબ્ધ નવી દુનિયામાં પામશો તેને અમરલોક કહેવાય છે.
તમે કાળ પર વિજય પામો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. નામ જ છે સ્વર્ગ.
આપ બાળકોને આ ભણતરમાં ખુબ ખુશી હોવી જોઈએ. બાપની યાદથી બાપની પ્રોપર્ટી (મિલકત) પણ
યાદ આવશે. સેકન્ડમાં આખાં ડ્રામાનું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે. મૂળવતન,
સૂક્ષ્મવતન, સ્થૂળવતન, ૮૪ નું ચક્ર બસ, આ નાટક આખું ભારત પર જ બનેલું છે. બાકી બધાં
છે બાઈપ્લોટ. બાપ નોલેજ પણ તમને સંભળાવે છે. તમે જ ઊંચે થી ઊંચા પછી નીંચ બનો છો.
ડબલ સિરતાજ રાવ અને પછી બિલકુલ જ રંક. હમણાં ભારત રંક ભિખારી છે. પ્રજાનું પ્રજા પર
રાજ્ય છે. સતયુગ માં હતું ડબલ સિરતાજ મહારાજા-મહારાણી નું રાજ્ય. બધાં માને છે
આદિદેવ બ્રહ્મા ને નામ ખુબ આપ્યાં છે. મહાવીર પણ તેમને કહે છે, મહાવીર હનુમાન ને પણ
કહે છે. વાસ્તવમાં તમે બાળકો જ સાચાં-સાચાં મહાવીર હનુમાન છો કારણ કે તમે યોગમાં
એટલાં રહો છો જે માયાનાં ભલે કેટલાં પણ તોફાન આવે પરંતુ તમને હલાવી નથી શકતાં. તમે
મહાવીર નાં બાળકો મહાવીર બનો છો કારણ કે તમે માયા પર જીત પામો છો. ૫ વિકાર રુપી
રાવણ પર દરેક જીત પામે છે. એક મનુષ્યની વાત નથી. તમારે દરેક ને ધનુષ તોડવાનું છે
અર્થાત્ માયા પર જીત પામવાની છે. આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી યુરોપવાસી કેવી રીતે
લડે છે, ભારતમાં કૌરવો અને યૌવનો ની લડાઈ છે. ગવાયું પણ છે લોહીની નદીઓ વહે છે.
દૂધની પણ નદીઓ વહેશે. વિષ્ણુને ક્ષીરસાગર માં દેખાડે છે, લક્ષ્મી-નારાયણ છે પારસનાથ.
તેમનું પછી નેપાળ તરફ પશુપતિ નામ રાખી દીધું છે. છે એક જ વિષ્ણુનાં બે રુપ, પારસનાથ
પારસનાથિની. એ છે પશુપતિનાથ પતિ, પશુપતિનાથ પત્ની. એમાં વિષ્ણુનું ચિત્ર બનાવે છે.
સરોવર પણ બનાવે છે. હવે લેક માં ક્ષીર (દૂધ) ક્યાંથી આવ્યું. મોટાં દિવસ પર તે લેક
માં દૂધ નાખે છે, પછી દેખાડે છે ક્ષીરસાગર માં વિષ્ણુ સૂતાં પડ્યાં છે. અર્થ કાંઈ
પણ નથી. ૪ ભુજાવાળા મનુષ્ય કોઈ હોતાં નથી.
હમણાં આપ બાળકો સોશિયલ વર્કર (સમાજસેવક) છો, રુહાની બાપનાં બાળકો છો ને. બાપ બધી
વાતો સમજાવે છે, આમાં કોઈ સંશય ન આવવો જોઈએ. સંશય એટલે માયાનું તોફાન. તમે મને
બોલાવો જ છો હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે મામેકમ યાદ કરો
તો તમે પાવન બની જશો. ૮૪ નાં ચક્રને પણ યાદ કરવાનું છે. બાપને કહેવાય છે પતિત-પાવન,
જ્ઞાન નાં સાગર, બે વસ્તુ થઈ ગઈ. પતિતો ને પાવન બનાવે છે અને ૮૪ નાં ચક્ર નું જ્ઞાન
સંભળાવે છે. આ પણ આપ બાળકો જાણો છો ૮૪ નું ચક્ર ચાલતું જ રહેશે, આનો એન્ડ (અંત) નથી.
આ પણ તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો-બાપ કેટલાં મીઠાં છે, એમને પતિઓનાં પતિ
પણ કહે છે. બાપ પણ છે. હવે બાપ કહે છે મારાથી આપ બાળકો ને બહુજ ભારે વારસો મળે છે.
પરંતુ એવાં મુજ બાપને પણ ફારકતી આપી દે છે. આ પણ ડ્રામા માં નોંધ છે, ભણતરને જ છોડી
દે છે. એટલે ફારકતી આપી દે છે, કેટલાં બેસમજ છે. જે અકલમંદ બાળકો છે તે સહજ બધી
વાતોને સમજી બીજાઓને ભણાવવા લાગી જશે. તે તરત નિર્ણય લેશે કે તે ભણતર થી શું મળે છે
અને આ ભણતરથી શું મળે છે. શું ભણવું જોઈએ. બાબા બાળકો થી પૂછે છે, બાળકો સમજે પણ છે
કે આ ભણતર ખુબ સારું છે. છતાં પણ કહે છે શું કરીએ, શારીરિક ભણતર નહીં ભણશું તો
મિત્ર-સબંધી વગેરે નારાજ થશે. બાપ કહે છે - દિવસ-પ્રતિદિવસ સમય ખુબ થોડો થતો જાય
છે. આટલું ભણતર તો ભણી નહીં શકશો. ખુબ જોર થી તૈયારીઓ થઈ રહી છે. દરેક પ્રકાર થી
તૈયારી થાય છે ને. દિવસ-પ્રતિ દિવસ એક-બીજામાં દુશ્મની વધતી જાય છે. કહે પણ છે
એવી-એવી વસ્તુ બનાવી છે જે ફટ થી બધાને ખતમ કરી દઈશું. આપ બાળકો જાણો છો ડ્રામા
અનુસાર હમણાં લડાઈ લાગી નથી શકતી, રાજાઈ સ્થાપન થવાની છે ત્યાં સુધી આપણે પણ તૈયારી
કરી રહ્યાં છીએ. આ પણ તૈયારી કરતાં રહે છે. તમારો પાછળ થી ખુબ પ્રભાવ નીકળવાનો છે.
ગવાય પણ છે અહો પ્રભુ તમારી લીલા. આ આજ સમય નું ગાયન છે. આ પણ ગવાયેલું છે તમારી ગત
મત ન્યારી. બધી આત્માઓનો પાર્ટ ન્યારો છે. હમણાં બાપ તમને શ્રીમત આપી રહ્યાં છે કે
મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ક્યાં શ્રીમત, ક્યાં મનુષ્યો ની મત. તમે જાણો
છો વિશ્વમાં શાંતિ સિવાય પરમપિતા પરમાત્માનાં કોઈ કરી ન શકે. ૧૦૦ ટકા
પવિત્રતા-સુખ-શાંતિ ૫ હજાર વર્ષ પહેલાં માફક ડ્રામા અનુસાર સ્થાપન કરી રહ્યાં છે.
કેવી રીતે? તે આવી ને સમજો. આપ બાળકો પણ મદદગાર બનો છો. જે ખુબ મદદ કરશે તે વિજય
માળાનાં દાણા બની જશે. આપ બાળકોનાં નામ પણ કેટલાં રમણીક હતાં. તે નામ ની લીસ્ટ (યાદી)
આલ્બમમાં રાખી દેવી જોઈએ. તમે ભઠ્ઠીમાં હતાં, ઘરબાર છોડી બાપનાં આવીને બન્યાં. એકદમ
ભઠ્ઠીમાં આવીને પડ્યાં. એવી પાક્કી ભઠ્ઠી હતી જે અંદર કોઈ આવી ન શકે. જ્યારે બાપનાં
બની ગયાં તો પછી નામ જરુર હોવાં જોઈએ. બધુંજ સરેન્ડર કરી દીધું, એટલે નામ રાખી દીધાં.
વન્ડર છે ને-બાપે બધાનાં નામ રાખ્યાં. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
વાતમાં સંશય બુદ્ધિ નથી બનવાનું, માયાનાં તોફાનો ને મહાવીર બની પાર કરવાનાં છે, એવાં
યોગ માં રહો જે માયાનાં તોફાન હલાવી ન શકે.
2. અકલમંદ બની પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં લગાડવાનું છે. સાચાં-સાચાં રુહાની
સોશિયલ વર્કર બનવાનું છે. રુહાની ભણતર ભણવાનું અને ભણાવવાનું છે.
વરદાન :-
સંકલ્પ રુપી
બીજ ને કલ્યાણ ની શુભ ભાવના થી ભરપૂર રાખવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જેમ આખાં વૃક્ષનો સાર
બીજમાં હોય છે એવી રીતે સંકલ્પ રુપી બીજ દરેક આત્માનાં પ્રતિ, પ્રકૃતિનાં પ્રતિ શુભ
ભાવનાવાળા હોય. સર્વને બાપ સમાન બનાવવાની ભાવના, નિર્બળ ને બળવાન બનાવવાની, દુઃખી
અશાંત આત્માને સદા સુખી શાંત બનાવવાની ભાવના નો રસ અથવા સાર દરેક સંકલ્પમાં ભરાયેલો
હોય, કોઈ પણ સંકલ્પ રુપી બીજ આ સાર થી ખાલી અર્થાત્ વ્યર્થ ન હોય, કલ્યાણ ની ભાવના
થી સમર્થ હોય ત્યારે કહેશે બાપ સમાન વિશ્વ કલ્યાણકારી આત્મા.
સ્લોગન :-
માયાનાં ઝમેલા
થી ગભરાવા નાં બદલે પરમાત્મ મેળાની મોજ મનાવતાં રહો.