11-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - આ રુદ્ર જ્ઞાન યજ્ઞ સ્વયં રુદ્ર ભગવાને રચ્યો છે , આમાં તમે પોતાનું બધુંજ સ્વાહા કરો કારણ કે હવે ઘરે જવાનું છે ”

પ્રશ્ન :-
સંગમયુગ પર કઈ વન્ડરફુલ (અદ્દભુત) રમત ચાલે છે?

ઉત્તર :-
ભગવાને રચેલા યજ્ઞમાં જ અસુરોનાં વિઘ્ન પડે છે. આ પણ સંગમ પર જ વન્ડરફુલ રમત ચાલે છે. આવો યજ્ઞ પછી આખા કલ્પમાં નથી રચાતો. આ છે રાજસ્વ અશ્વમેઘ યજ્ઞ, સ્વરાજ્ય પામવાનાં માટે. આમાં જ વિઘ્ન પડે છે.

ઓમ શાંતિ!
તમે ક્યાં બેઠાં છો? આને સ્કૂલ અથવા યુનિવર્સિટી પણ કહી શકો છો. વિશ્વવિદ્યાલય છે, જેની ઈશ્વરીય બ્રાન્ચેજ (શાખાઓ) છે. બાપે મોટામાં મોટી યુનિવર્સિટી ખોલી છે. શાસ્ત્રોમાં રુદ્ર યજ્ઞ નામ લખી દીધું છે, આ સમયે આપ બાળકો જાણો છો શિવબાબા એ આ પાઠશાળા અથવા યુનિવર્સિટી ખોલી છે. ઊંચે થી ઊંચા બાપ ભણાવે છે. આ તો બાળકોની બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ-ભગવાન આપણને ભણાવે છે. એમનો આ યજ્ઞ રચેલો છે, આનું નામ પણ પ્રસિધ્ધ છે. રાજસ્વ અશ્વમેઘ રુદ્ર જ્ઞાન યજ્ઞ, રાજસ્વ અર્થાત્ સ્વરાજ્ય નાં માટે. અશ્વમેઘ, આ જે કંઈ પણ જોવામાં આવે છે, તે બધાં ને સ્વાહા કરી રહ્યાં છીએ, શરીર પણ સ્વાહા થઇ જાય છે. આત્મા તો સ્વાહા થઇ નથી શકતી. બધાં શરીર સ્વાહા થઇ જશે. બાકી આત્માઓ પાછી ભાગશે. આ છે સંગમયુગ. ખુબ આત્માઓ ભાગશે, બાકી શરીર ખતમ થઇ જશે. આ છે આખો ડ્રામા, તમે ડ્રામાનાં વશ ચાલી રહ્યાં છો. બાપ કહે છે મેં રાજસ્વ યજ્ઞ રચ્યો છે. આ પણ ડ્રામા પ્લાન અનુસાર રચાયેલો છે. એવું નહીં કહેશે કે મેં યજ્ઞ રચ્યો છે. ડ્રામા પ્લાન અનુસાર આપ બાળકો ને ભણાવવા માટે કલ્પ પહેલાં માફક જ્ઞાન યજ્ઞ રચાયેલો છે. મેં રચ્યો છે, આ પણ અર્થ નથી નીકળતો. ડ્રામા પ્લાન અનુસાર રચાયેલો છે. કલ્પ-કલ્પ રચાય છે. આ ડ્રામા બનેલો છે ને. ડ્રામા પ્લાન અનુસાર એક જ વખત યજ્ઞ રચાય છે, આ કોઈ નવી વાત નથી. હમણાં બુદ્ધિમાં બેઠું છે-બરાબર ૫ હજાર વર્ષ પહેલાં પણ સતયુગ હતું, હવે ચક્ર ફરી રિપીટ થઈ રહ્યું છે. ફરી થી નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. તમે નવી દુનિયામાં સ્વરાજ્ય પામવાનાં માટે ભણી રહ્યાં છો. પવિત્ર પણ જરુર બનવાનું છે. બને પણ તેજ જે ડ્રામા અનુસાર કલ્પ પહેલાં બન્યાં હતાં. હમણાં પણ બનશે. સાક્ષી થઈ ડ્રામાને જોવાનો હોય છે અને પછી પુરુષાર્થ પણ કરવાનો છે. બાળકોને માર્ગ પણ બતાવવાનો છે, મુખ્ય વાત છે પવિત્રતા ની. બાપ ને બોલાવો જ છો કે આવો પવિત્ર બનાવીને અમને આ છી-છી દુનિયા થી લઈ જાઓ. બાપ આવ્યાં જ છે ઘરે લઈ જવાનાં માટે. બાળકોને પોઇન્ટસ તો ખુબ અપાય છે. મુખ્ય વાત છતાં પણ બાપ કહે છે મનમનાભવ. પાવન બનવાનાં માટે બાપ ને યાદ કરીએ છીએ, આ ભૂલવું ન જોઈએ. જેટલું યાદ કરશો એટલો ફાયદો થશે, ચાર્ટ રાખવો જોઈએ. નહીં તો પછી અંતમાં નપાસ થઈ જશો. બાળકો સમજે છે, આપણે જ સતોપ્રધાન હતાં, નંબરવાર પુરુષાર્થ અનુસાર જે ઉંચ બને છે, એમને મહેનત પણ વધારે કરવી પડશે. યાદમાં રહેવું પડશે. આ તો સમજો છો બાકી થોડો સમય છે, પછી સુખનાં દિવસ આવવાનાં છે. બરાબર આપણા અથાહ સુખનાં દિવસ આવવાનાં છે. બાપ એક જ વખત આવે છે, દુઃખ ધામ ખલાસ કરી આપણા સુખધામ માં લઇ જાય છે. આપ બાળકો જાણો છો હમણાં આપણે ઈશ્વરીય પરિવાર માં છીએ, પછી દેવી પરિવાર માં જઈશું. આ સમયનું જ ગાયન છે-આ સંગમ જ પુરુષોત્તમ ઉંચ બનવાનો યુગ છે. આપ બાળકો જાણો છો આપણને બેહદનાં બાપ ભણાવી રહ્યાં છે. પછી આગળ જઈ સન્યાસી લોકો પણ માનશે. તે પણ સમય આવશે ને. હમણાં તમારો પ્રભાવ એટલો નથી નીકળી શકતો. હમણાં રાજધાની સ્થાપન થઈ રહી છે, ટાઈમ પડ્યો છે. અંતમાં આ સન્યાસી વગેરે પણ આવીને સમજશે. સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, આ નોલેજ કોઈ માં છે નહીં. આ પણ બાળકો જાણે છે પવિત્રતા પર કેટલાં વિઘ્ન પડે છે. અબળાઓ ઉપર અત્યાચાર થાય છે. દ્રોપદીએ પોકાર્યા છે ને. વાસ્તવમાં તમે બધી દ્રોપદીઓ, સીતાઓ, પાર્વતીઓ છો. યાદ માં રહેવાથી અબલાઓ, કુબ્જાઓ પણ બાપ થી વારસો પામી લે છે. યાદમાં તો રહી શકે છે ને. ભગવાને આવીને યજ્ઞ રચ્યો છે, આમાં કેટલાં વિઘ્ન પડે છે. હમણાં પણ વિઘ્ન પડતાં રહે છે, કન્યાઓને જબરજસ્તી લગ્ન કરાવે છે, નહીં તો મારી ને કાઢી મુકે છે એટલે પોકારે છે હેં પતિત-પાવન આવો તો જરુર એમને રથ જોઈએ, જેમાં આવીને પાવન બનાવે. ગંગાનાં પાણી થી પાવન નહીં બનશું. બાપ જ આવીને પાવન બનાવી પાવન દુનિયાનાં માલિક બનાવે છે.

તમે જુઓ છો આ પતિત દુનિયા નો વિનાશ સામે ઊભો છે. કેમ નહીં બાબાનાં બની જઈએ, સ્વાહા થઈ જઈએ. પૂછે છે સ્વાહા કેવી રીતે થવાય? ટ્રાન્સફર કેવી રીતે કરીએ? બાબા કહે-બાળકો, તમે આ (સાકાર) બાબા ને જુઓ છો ને. આ પોતે કરીને શીખવાડી રહ્યાં છે. જેસા કર્મ હમ કરેંગે હમકો દેખ ઔર કરેંગે. બાપે આમનાં થી કર્મ કરાવ્યાં ને. બધું યજ્ઞમાં સ્વાહા કરી દીધું. સ્વાહા થવામાં કોઈ તકલીફ થોડી છે. આ ન ખુબ સાહૂકાર, ન ગરીબ હતાં. સાધારણ હતાં. યજ્ઞ રચાય જાય છે તો તેમાં ખાન-પાનની બધી સામગ્રી જોઈએ ને. આ છે ઈશ્વરીય યજ્ઞ. ઈશ્વરે આવીને આ જ્ઞાન યજ્ઞની સ્થાપના કરી છે. તમને ભણાવે છે, આ યજ્ઞની મહિમા બહુજ ભારે છે. ઈશ્વરીય યજ્ઞ થી જ તમારું શરીર નિર્વાહ થાય છે. જે પોતાને અર્પણમય સમજે છે, અમે ટ્રસ્ટી છીએ. આ બધુંજ ઈશ્વરનું છે, અમે શિવબાબાનાં યજ્ઞ થી ભોજન ખાઈએ છીએ-આ સમજની વાત છે ને. અહીંયા તો બધાએ આવીને નથી બેસવાનું. આમનું સેમ્પલ તો જુઓ-કેવી રીતે બધુંજ સ્વાહા કર્યુ. બાબા કહે છે જેવાં કર્મ આ કરે છે, આમને જોઈ બીજાને પણ આવડયું. ખુબ જ સ્વાહા થયાં. જે-જે થયા તે પોતાનો વારસો લે છે. બુદ્ધિ થી પણ સમજાય છે-આત્મા તો ચાલી જશે, બાકી શરીર બધાં ખતમ થઇ જશે. આ બેહદ નો યજ્ઞ છે, આમાં બધાં સ્વાહા થશે. આપ બાળકોને સમજાવાય છે કેવી રીતે બુદ્ધિ થી સ્વાહા થઇ નષ્ટોમોહા બની જાઓ. આ પણ જાણો છો આ બધી સામગ્રી ખાખ થઈ જવાની છે. કેટલો મોટો યજ્ઞ છે, ત્યાં પછી કોઈ યજ્ઞ નથી રચાતો. ન કોઈ ઉપદ્રવ હોય છે. આ બધા જે ભક્તિમાર્ગનાં અનેક યજ્ઞ છે તે બધા ખતમ થઈ જાય છે. જ્ઞાન સાગર એક જ ભગવાન છે. એજ મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ, સત ચૈતન્ય છે. શરીર તો જડ છે, આત્મા જ ચૈતન્ય છે. એ જ્ઞાન સાગર છે, આપ બાળકોને જ્ઞાન સાગર બેસી ભણાવે છે. તે ફક્ત ગાતા રહે છે અને તમને બાબા બધું જ્ઞાન સંભળાવી રહ્યાં છે. જ્ઞાન કોઈ બહુજ તો છે નહીં. વર્લ્ડનું ચક્ર કેવી રીતે ફરે છે, આ ફક્ત સમજાવાનું છે.

અહીંયા બાપ તમને સ્વયં ભણાવી રહ્યાં છે. કહે પણ છે સાધારણ તનમાં પ્રવેશ કરું છું. ભાગીરથ પણ પ્રસિદ્ધ છે, જરુર મનુષ્ય જ હશે જેમાં બાપ આવશે. એમનું એક જ નામ ચાલ્યું આવે છે શિવ બીજા બધાનાં નામ બદલાય છે, એમનું નામ નથી બદલાતું. બાકી ભક્તિમાં અનેક નામ રાખી દીધા છે. અહીંયા તો છે જ શિવબાબા. શિવ કલ્યાણકારી કહેવાય છે. ભગવાન જ આવીને નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરે છે. તો કલ્યાણકારી થયાં ને. તમે જાણો છો ભારત માં સ્વર્ગ હતું. હમણાં નરક છે પછી સ્વર્ગ જરુર થશે. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે કે બાપ ખેવૈયા બની તમને આ પાર થી પેલી પાર લઈ જાય છે. આ છે જૂની દુઃખ ની દુનિયા ફરી જરુર નવી દુનિયા થશે, ડ્રામા અનુસાર, જેના માટે તમે હમણાં પુરુષાર્થ કરો છો. બાપ ની યાદ જ ઘડી-ઘડી ભૂલાય જાય છે, આમાં છે મહેનત બાકી તમારા થી જે વિકર્મ થયા છે, તેની સજા કર્મભોગ નાં રુપમાં ભોગવવી જ પડે છે, કર્મ ભોગ અંત સુધી ભોગવવાનો જ છે, તેમાં માફી નથી મળી શકતી. એવું નહીં, બાબા ક્ષમા કરો. કાંઈ પણ નહીં. ડ્રામા અનુસાર બધું થાય છે. ક્ષમા વગેરે હોતી જ નથી. હિસાબ-કિતાબ ચૂકતું કરવાનાં જ છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે, એનાં માટે શ્રીમત પણ મળે છે, શ્રી શ્રી શિવબાબા ની શ્રીમત થી તમે શ્રી બનો છો. ઊંચેથી ઊંચા બાપ તમને ઉંચ બનાવે છે. તમે હમણાં બની રહ્યાં છો, હમણાં તમને સ્મૃતિ આવી છે-બાબા કલ્પ-કલ્પ આવીને આપણને ભણાવે છે. અડધોકલ્પ એમની પ્રાલબ્ધ મળે છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, તે નોલેજ ની દરકાર નથી રહેતી. કલ્પ-કલ્પ એક જ વખત આવીને બતાવે છે કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે.

તમારું કામ છે ભણવાનું અને પવિત્ર બનવાનું. યોગમાં રહેવાનું છે. બાપનાં બનીને અને પવિત્ર નહીં બનશો તો સો ગુણા દંડ પડી જશે. નામ પણ બદનામ થઈ જાય છે. ગાયન પણ છે સદ્દગુરુ કાં નીંદક ઠૌર ન પાયે. મનુષ્યોને ખબર જ નથી કે આ કોણ છે! સત બાપ જ સદ્દગુરુ, સત શિક્ષક હશે ને. તમને ભણાવે એ છે, સાચાં સદ્દગુરુ પણ છે. જેમ બાપ જ્ઞાન નાં સાગર છે, તમે પણ જ્ઞાન નાં સાગર છો ને. બાપે તો બધું જ્ઞાન આપી દીધું છે, જેમણે જેટલું કલ્પ પહેલાં ધારણ કર્યું છે, એટલું જ કરશે. પુરુષાર્થ કરવાનો છે, કર્મ વગર તો કોઈ રહી ન શકે. કેટલાં પણ હઠયોગ વગેરે કરે છે, તે પણ કર્મ છે ને. આ પણ એક ધંધો છે, આજીવિકા નાં માટે. નામ થાય છે, ખુબ પૈસા મળે છે, પાણી પર, આગ પર ચાલ્યાં જાય છે. ફક્ત ઉડી નથી શકતાં. એમાં તો પેટ્રોલ વગેરે જોઈએ ને. પરંતુ એનાથી ફાયદો તો કાંઈ નથી. પાવન તો બનતાં નથી. સાયન્સ વાળા (વૈજ્ઞાનિક) ની પણ રેસ (દોડ) છે. તેમની છે સાયન્સ ની રેસ અને તમારી છે સાઈલેન્સ ની. બધાં શાંતિ જ માંગે છે. બાપ કહે છે શાંતિ તો તમારો સ્વધર્મ છે, સ્વયંને આત્મા સમજો, પોતાનાં ઘરે જવાનું છે શાંતિધામ. આ છે દુઃખધામ. આપણે શાંતિધામ થી પછી સુખધામ માં આવશું. આ દુઃખધામ ખલાસ થવાનું છે. આ સારી રીતે ધારણ કરી પછી બીજાઓને ધારણ કરાવવાનું છે. બાકી થોડાં દિવસ છે, તે ભણતર ભણીને પછી શરીર નિર્વાહ અર્થ માથું મારવું પડે છે. તકદીરવાન બાળકો તરત નિર્ણય લઇ લે છે કે અમારે કયું ભણતર ભણવાનું છે. તે ભણતર થી શું મળે છે અને આ ભણતર થી શું મળે છે. આ ભણતર થી તો ૨૧ જન્મોની પ્રાલબ્ધ બને છે. તો વિચાર કરવો જોઈએ કે અમારે કયું ભણતર ભણવાનું છે! જેમણે બેહદ નાં બાપ થી વારસો લેવાનો છે, તે બેહદ નાં ભણતર માં લાગી જાય છે. પરંતુ ડ્રામા પ્લાન અનુસાર કોઈની તકદીર માં નથી તો પછી તે ભણતર માં લાગી જાય છે. આ ભણતર નથી ભણતાં. કહે છે સમય નથી મળતો. બાબા પૂછે છે, કયું નોલેજ સારું? એનાથી શું મળશે અને આનાથી શું મળશે? કહે છે બાબા શારીરિક ભણતર થી શું મળશે, થોડું કમાશું. અહીંયા તો ભગવાન ભણાવે છે. આપણે તો ભણીને રાજાઈ પદ પામવાનું છે તો વધારે ધ્યાન કઈ વાત પર આપવું જોઈએ. કોઈ તો પછી કહે બાબા તે કોર્સ પૂરો કરી પછી આવશું. બાબા સમજી જાય છે આમની તકદીરમાં નથી. શું થવાનું છે તે આગળ ચાલી જોવાનું છે. સમજે છે શરીર પર ભરોસો નથી, તો પછી સાચ્ચી કમાણી માં લાગી જવું જોઈએ. જેમની તકદીરમાં છે એ જ પોતાની તકદીર જગાવશે. પૂરું જોર લગાડવાનું છે, અમે તો બાપથી વારસો લઈને જ છોડીશું. બેહદ નાં બાબા અમને રાજાઈ આપે છે તો કેમ નહીં આ એક અંતિમ જન્મ અમે પવિત્ર બનશું. આટલાં બધાં બાળકો પવિત્ર રહે છે. જુઠ્ઠું થોડી બોલે છે. બધાં પુરુષાર્થ કરી રહ્યાં છે. ભણી રહ્યાં છે, છતાં પણ વિશ્વાસ નથી કરતાં. બેહદ નાં બાપ આવે જ ત્યારે છે જ્યારે જૂની દુનિયાને નવી બનાવવાની હોય છે. જૂની દુનિયાનો વિનાશ તો સામે ઊભો છે. આ બહુજ ક્લિયર (સ્પષ્ટ) છે. સમય પણ બરાબર એજ છે, અનેક ધર્મ પણ છે, સતયુગ માં હોય જ છે એક ધર્મ. આ પણ તમારી બુદ્ધિમાં છે. તમારામાં પણ કોઈ છે જે નિશ્ચય હજું કરી રહ્યાં છે. અરે નિશ્ચય કરવામાં સમય લાગે છે શું. શરીર પર પણ ભરોસો થોડી છે, જરા પણ ચાન્સ ગુમાવવો ન જોઈએ. કોઈની તકદીરમાં નથી તો જરા પણ બુદ્ધિમાં આવતું નથી. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચ્ચી કમાણી કરી ૨૧ જન્મોનાં માટે પોતાની તકદીર બનાવવાની છે. શરીર પર કોઈ ભરોસો નથી એટલે જરા પણ ચાન્સ નથી ગુમાવવાનો.

2. નષ્ટોમોહા બની પોતાનું બધુજ રુદ્ર યજ્ઞમાં સ્વાહા કરવાનું છે. પોતાને અર્પણ કરી ટ્રસ્ટી થઈ સંભાળવાનું છે. સાકાર બાપને ફોલો કરવાનાં છે.

વરદાન :-
ગ્લાનિ કરવા વાળા ને પણ ગુણમાળા પહેરાવવા વાળા ઇષ્ટ દેવ , મહાન આત્મા ભવ

જેમ આજકાલ આપ વિશેષ આત્માઓ નું સ્વાગત કરતાં સમયે કોઈ ગળામાં સ્થૂળ માળા પહેરાવે છે તો તમે પહેરાવવા વાળાનાં ગળા માં રિટર્ન કરી દો છો, એવી રીતે ગ્લાનિ કરવાવાળા ને પણ આપ ગુણમાળા પહેરાવો તો તે સ્વતઃ જ તમને ગુણમાળા રિટર્ન કરશે કારણ કે ગ્લાનિ કરવા વાળાને ગુણમાળા પહેરાવવી અર્થાત્ જન્મ-જન્મનાં માટે ભક્ત નિશ્ચિત કરી દેવા. આ આ આપવું જ અનેક વખત નું લેવાનું થઈ જાય છે. આ જ વિશેષતા ઇષ્ટ દેવ, મહાન આત્મા બનાવી દે છે.

સ્લોગન :-
પોતાની મન્સા વૃત્તિ સદા સારી પાવરફુલ બનાવો તો ખરાબ પણ સારાં થઈ જશે.