28-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.02.86
બાપદાદા મધુબન
“ નિરંતર સેવાધારી તથા
નિરંતર યોગી બનો ”
આજે જ્ઞાનસાગર બાપ
પોતાની જ્ઞાન ગંગાઓને જોઈ રહ્યાં છે. જ્ઞાન સાગર થી નીકળેલી જ્ઞાન ગંગાઓ કેવી રીતે
અને ક્યાં-ક્યાં થી પાવન કરતી આ સમયે સાગર અને ગંગાનું મિલન મનાવી રહી છે. આ ગંગા
સાગર નો મેળો છે, જે મેળામાં ચારે બાજુની ગંગાઓ પહોંચી ગઈ. બાપદાદા પણ જ્ઞાન ગંગાઓ
ને જોઈ હર્ષિત થાય છે. દરેક ગંગાની અંદર આ દૃઢ નિશ્ચય અને નશો છે કે પતિત દુનિયાને,
પતિત આત્માઓને પાવન બનાવવાની જ છે. આ જ નિશ્ચય અને નશા થી દરેક સેવાનાં ક્ષેત્રમાં
આગળ વધતા જઈ રહ્યાં છે. મનમાં આ જ ઉમંગ છે કે જલ્દી થી જલ્દી પરિવર્તન નું કાર્ય
સંપન્ન થાય. બધી જ્ઞાન ગંગાઓ જ્ઞાન સાગર બાપ સમાન વિશ્વ-કલ્યાણી, વરદાની અને મહાદાની
રહેમદિલ આત્માઓ છે એટલે આત્માઓનાં દુઃખ, અશાંતિનો અવાજ અનુભવ કરી આત્માઓનાં દુઃખ
અશાંતિને પરિવર્તન કરવાની સેવા તીવ્રગતિ થી કરવાનો ઉમંગ વધતો રહે છે. દુઃખી આત્માઓનાં
દિલની પોકાર સાંભળીને રહેમ આવે છે ને. સ્નેહ ઊઠે છે કે બધાં સુખી બની જાય. સુખની
કિરણો, શાંતિની કિરણો, શક્તિની કિરણો વિશ્વને આપવાનાં નિમિત્ત બનેલાં છો. આજે આદિ
થી હમણાં સુધી જ્ઞાન ગંગાઓની સેવા ક્યાં સુધી પરિવર્તન કરવાનાં નિમિત્ત બની છે, આ
જોઈ રહ્યા હતાં. હમણાં પણ થોડા સમયમાં અનેક આત્માઓ ની સેવા કરવાની છે. ૫૦ વર્ષોની
અંદર દેશ-વિદેશ માં સેવાનું ફાઉન્ડેશન (પાયો) તો સારું નાખ્યું છે. સેવા સ્થાન
ચારેબાજુ સ્થાપન કર્યા છે. અવાજ ફેલાવવાના સાધન ભિન્ન-ભિન્ન રુપ થી અપનાવ્યાં છે. આ
પણ ઠીક જ કર્યું છે. દેશ-વિદેશમાં છૂટા પડેલાં બાળકોનું સંગઠન પણ બન્યું છે અને બનતું
રહેશે. હવે બીજું શું કરવાનું છે? કારણ કે હવે વિધિ પણ જાણી ગયાં છો. સાધન પણ અનેક
પ્રકારનાં ભેગાં કરતાં જઈ રહ્યાં છો અને કર્યા પણ છે. સ્વ-સ્થિતિ, સ્વ-ઉન્નતી એનાં
પ્રતિ પણ અટેન્શન (ધ્યાન) આપી રહ્યાં છો અને અપાવી રહ્યાં છો. હવે બાકી શું રહ્યું
છે? જેમ આદિમાં બધાં આદિ રત્નો એ ઉમંગ-ઉત્સાહ થી તન-મન-ધન, સમય-સંબંધ, દિવસ-રાત
બાપનાં હવાલે અર્થાત્ બાપનાં આગળ સમર્પણ કર્યુ, જે સમર્પણ નાં ઉમંગ-ઉત્સાહ નાં
ફળસ્વરુપ સેવામાં શક્તિશાળી સ્થિતિ નું પ્રત્યક્ષ રુપ જોયું. જ્યારે સેવાનો આરંભ
કર્યો તો સેવાના આરંભમાં અને સ્થાપના નાં આરંભમાં, બંને સમયે આ વિશેષતા જોઈ. આદિમાં
બ્રહ્મા બાપને ચાલતાં-ફરતાં સાધારણ જોતા હતાં કે કૃષ્ણ રુપમાં જોતા હતાં? સાધારણ
રુપમાં દેખાતા પણ નહોતાં દેખાતાં, આ અનુભવ છે ને! દાદા છે આ વિચારતા હતાં?
ચાલતાં-ફરતાં કૃષ્ણ જ અનુભવ કરતાં હતાં. એવું કર્યુ ને? આદિમાં બ્રહ્મા બાપમાં આ
વિશેષતા જોઈ, અનુભવ કરી અને સેવાનાં આદિમાં જ્યારે પણ જ્યાં પણ ગયા, બધાએ દેવીઓ જ
અનુભવ કર્યો. દેવીઓ આવી છે, આ જ બધાનાં બોલ સાંભળતા, આ જ બધાનાં મુખથી નીકળતું કે આ
અલૌકિક વ્યક્તિઓ છે. એવું જ અનુભવ કર્યુ ને? આ દેવીઓની ભાવના બધાને આકર્ષિત કરી
સેવાની વૃદ્ધિનાં નિમિત્ત બની. તો આદિમાં પણ ન્યારાપણ ની વિશેષતા રહી. સેવાનાં આદિમાં
પણ ન્યારાપણા ની, દેવીપણા ની વિશેષતા રહી. હવે અંતમાં પણ તેજ ઝલક અને ફલક પ્રત્યક્ષ
રુપમાં અનુભવ કરશે, ત્યારે પ્રત્યક્ષતાનાં નગારાં વાગશે. હમણાં રહેલો થોડોક એવો સમય
નિરંતર યોગી, નિરંતર સેવાધારી, નિરંતર સાક્ષાત્કાર સ્વરુપ, નિરંતર યોગી, નિરંતર
સાક્ષાત બાપ - આ વિધિ થી સિદ્ધિ પ્રાપ્ત કરશો. ગોલ્ડન જુબલી મનાવી અર્થાત્ ગોલ્ડન
દુનિયાનાં સાક્ષાત્કાર સ્વરુપ સુધી પહોંચ્યા. જેમ ગોલ્ડન જુબલી મનાવવાનાં દ્રશ્ય
માં સાક્ષાત દેવીઓ અનુભવ કર્યો, બેસવા વાળાઓએ પણ, જોવા વાળાઓએ પણ. ચાલતાં-ફરતાં હવે
આ જ અનુભવ સેવામાં કરાવતા રહેજો. આ છે ગોલ્ડન જુબલી મનાવવી. બધાએ ગોલ્ડન જુબલી મનાવી
કે જોઈ? શું કહેશો? આપ સર્વ ની પણ ગોલ્ડન જુબલી થઈને. કે કોઈની સિલ્વર થઈ, કોઈની
તાંબાની થઈ? બધાની ગોલ્ડન જુબલી થઈ. ગોલ્ડન જુબલી મનાવવી અર્થાત્ નિરંતર ગોલ્ડન
સ્થિતિ વાળા બનવું. હમણાં ચાલતાં-ફરતાં આ જ અનુભવ માં ચાલો કે હું ફરિશ્તા સો દેવતા
છું. બીજાઓને પણ તમારી આ સમર્થ સ્મૃતિ થી તમારું ફરિશ્તા રુપ કે દેવી-દેવતા રુપ જ
દેખાશે. ગોલ્ડન જુબલી મનાવી અર્થાત્ હવે સમય ને, સંકલ્પ ને, સેવા માં અર્પણ કરો. હવે
આ સમર્પણ સમારોહ મનાવો. સ્વ ની નાની-નાની વાતો ની પાછળ, તન ની પાછળ, મન ની પાછળ,
સાધનો ની પાછળ, સંબંધ નિભાવવાની પાછળ, સમય અને સંકલ્પ નહીં લગાવો. સેવામાં લગાડવું
અર્થાત્ સ્વ ઉન્નતી ની ગિફ્ટ સ્વતઃ જ પ્રાપ્ત થવી. હવે પોતાનાં પ્રતિ સમય લગાડવાનો
સમય પરિવર્તન કરો. જેમ ભક્ત લોકો શ્વાસ-શ્વાસ માં નામ જપવાનો પ્રયત્ન કરે છે. એમ
શ્વાસો-શ્વાસ સેવાની લગન હોય. સેવામાં મગન હોય. વિધાતા બનો વરદાતા બનો. નિરંતર
મહાદાની બનો. ૪ કલાકનાં ૬ કલાકનાં સેવાધારી નહીં હવે વિશ્વ કલ્યાણકારી સ્ટેજ પર છો.
દરેક ઘડી વિશ્વ કલ્યાણ પ્રતિ સમર્પિત કરો. વિશ્વ કલ્યાણમાં સ્વ કલ્યાણ સ્વતઃ જ
સમાયેલું છે. જ્યારે સંકલ્પ અને સેકન્ડ સેવામાં બીઝી (વ્યસ્ત) રહેશો, ફુરસદ નહિં હશે,
માયાને પણ તમારી પાસે આવવાની ફુરસદ નહિં હશે. સમસ્યાઓ સમાધાન નાં રુપમાં પરિવર્તન
થઇ જશે. સમાધાન સ્વરુપ શ્રેષ્ઠ આત્માઓની પાસે સમસ્યા આવવાની હિંમત નથી રાખી શકતી.
જેમ શરુંમાં સેવામાં જોયું દેવી રુપ, શક્તિ રુપ નાં કારણે આવેલી પતિત દૃષ્ટિ વાળી
પણ પરિવર્તન થઈ પાવન બનવાનાં જિજ્ઞાસુ બની જતાં. જેમ પતિત પરિવર્તન થઈ તમારી સામે
આવ્યાં, એમ સમસ્યા તમારી સામે આવતા સમાધાન નાં રુપમાં પરિવર્તન થઈ જાય. હવે પોતાનાં
સંસ્કાર પરિવર્તન માં સમય નહીં લગાવો. વિશ્વ કલ્યાણની શ્રેષ્ઠ ભાવના થી શ્રેષ્ઠ
કામના નાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) કરો. આ શ્રેષ્ઠ સંસ્કાર પરિવર્તન માં સમય નહીં
ગુમાવો. આ શ્રેષ્ઠ સંસ્કારની આગળ હદનાં સંસ્કાર સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. હવે યુદ્ધમાં
સમય નહીં ગુમાવો. વિજયીપણા નાં સંસ્કાર ઈમર્જ કરો. દુશ્મન વિજયી સંસ્કારોની આગળ
સ્વતઃ જ ભસ્મ થઈ જશે, એટલે કહ્યું તન-મન-ધન નિરંતર સેવામાં સમર્પિત કરો. ભલે મન્સા
કરો, ભલે વાચા કરો, ભલે કર્મણા કરો પરંતુ સેવાનાં સિવાય બીજી કોઈ સમસ્યાઓ માં નહીં
જાઓ. દાન આપો વરદાન આપો તો સ્વ નું ગ્રહણ સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. અવિનાશી લંગર લગાવો
કારણ કે સમય ઓછો છે અને સેવા આત્માઓની, વાયુમંડળની, પ્રકૃતિની, ભૂત પ્રેત આત્માઓની,
બધાની કરવાની છે. તે ભટકતી આત્માઓને પણ ઠેકાણું આપવાનું છે. મુક્તિધામ માં તો મોકલશો
ને! તેમને ઘર તો આપશો ને! તો હમણાં કેટલી સેવા કરવાની છે. કેટલી સંખ્યા છે આત્માઓની!
દરેક આત્મા ને મુક્તિ કે જીવનમુક્તિ આપવાની જ છે. બધુંજ સેવામાં લગાવો તો શ્રેષ્ઠ
મેવા ખુબ ખાઓ. મહેનત નાં મેવા નહીં ખાઓ. સેવા નાં મેવા, મહેનત થી છોડાવવા વાળા છે.
બાપદાદાએ રીઝલ્ટ માં
જોયું વધારે કરીને જે પુરુષાર્થ માં પોતાનાં પ્રતિ સંસ્કાર પરિવર્તન નાં પ્રતિ સમય
આપે છે. ભલે ૫૦ વર્ષ થઇ ગયા છે, ભલે એક મહિનો થયો છે પરંતુ આદિથી હમણાં સુધી
પરિવર્તન કરવાનાં સંસ્કાર મૂળ રુપમાં એ જ હોય છે, એક જ હોય છે. અને એ જ મૂળ સંસ્કાર
ભિન્ન-ભિન્ન રુપમાં સમસ્યા બનીને આવે છે. સમજો દૃષ્ટાંત નાં રુપમાં કોઈનાં બુદ્ધિનાં
અભિમાન નાં સંસ્કાર છે, કોઈનાં ઘૃણા ભાવ નાં સંસ્કાર છે, કે કોઈનાં દિલશિકસ્ત થવાનાં
સંસ્કાર છે. સંસ્કાર એજ આદિ થી હમણાં સુધી ભિન્ન-ભિન્ન સમય પર ઈમર્જ થતા રહે છે. ભલે
૫૦ વર્ષ લાગ્યાં છે, ભલે એક વર્ષ લાગ્યું છે, આ કારણ તે મૂળ સંસ્કાર ને જે સમય પ્રતિ
સમય ભિન્ન-ભિન્ન રુપ માં સમસ્યા બનીને આવે છે, એમાં સમય પણ ખુબ લગાવ્યો છે, શક્તિ
પણ ખુબ લગાવી છે. હવે શક્તિશાળી સંસ્કાર દાતા, વિધાતા, વરદાતા નાં ઈમર્જ કરો. તો આ
મહાસંસ્કાર કમજોર સંસ્કારને સ્વતઃ સમાપ્ત કરી દેશે. હવે સંસ્કારને મારવામાં સમય નહીં
લગાવો. પરંતુ સેવા નાં ફળ થી, ફળની શક્તિ થી સ્વતઃ જ મરી જશે. જેમ અનુભવ પણ છે કે
સારી સ્થિતિ થી જ્યારે સેવામાં બીઝી રહો છો તો સેવાની ખુશી તે સમય સુધી સમસ્યા સ્વતઃ
જ દબાઈ જાય છે કારણકે સમસ્યાઓને વિચારવાની ફુરસદ જ નથી. દર સેકન્ડ, દર સંકલ્પ સેવામાં
બીઝી રહેશે તો સમસ્યાઓનું લંગર ઉઠી જશે, કિનારો થઇ જશે. તમે બીજાઓને રસ્તો દેખાડવાનાં,
બાપનો ખજાનો આપવાનાં નિમિત્ત આધાર બનો તો કમજોરીઓનો કિનારો સ્વતઃ જ થઇ જશે. સમજ્યાં
- હમણાં શું કરવાનું છે? હવે બેહદનું વિચારો, બેહદનાં કાર્યને વિચારો. ભલે દૃષ્ટિથી
આપો, ભલે વૃત્તિથી આપો, ભલે વાણીથી આપો, ભલે સંગથી આપો, ભલે વાયબ્રેશન થી આપો, પરંતુ
આપવાનું જ છે. આમ પણ ભક્તિમાં આ નિયમ હોય છે, કોઈ પણ વસ્તુની કમી હોય છે તો કહે છે
દાન કરો. દાન કરવાથી આપવું, લેવું થઈ જાય છે. સમજ્યાં ગોલ્ડન જુબલી શું છે. ફક્ત
મનાવી લીધી આ નહીં વિચારો. સેવાનાં ૫૦ વર્ષ પૂરા થયા હવે નવો વળાંક લો. નાનાં-મોટાં
એક દિવસનો કે ૫૦ વર્ષનાં બધાં સમાધાન સ્વરુપ બનો. સમજ્યાં શું કરવાનું છે. આમ પણ ૫૦
વર્ષ પછી જીવન પરિવર્તન થાય છે. ગોલ્ડન જુબલી અર્થાત્ પરિવર્તન જુબલી, સંપન્ન બનવાની
જુબલી. અચ્છા.
સદા વિશ્વ કલ્યાણકારી
સમર્થ રહેવાવાળા, સદા વરદાની, મહાદાની સ્થિતિમાં સ્થિત રહેવાવાળા, સદા સ્વ ની
સમસ્યાઓ ને બીજાઓ પ્રતિ સમાધાન સ્વરુપ બની સહજ સમાપ્ત કરવાવાળા, દર સમય દર સંકલ્પ
ને સેવામાં સમર્પણ કરવાવાળા-એવાં રીયલ ગોલ્ડ વિશેષ આત્માઓને, બાપ સમાન શ્રેષ્ઠ
આત્માઓને બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.
ગોલ્ડન જુબલી નાં આદિ
રત્નો થી બાપદાદાની મુલાકાત :-
આ વિશેષ ખુશી સદા રહે
છે કે આદિ થી આપણે સૌ આત્માઓનો સાથે રહેવાનો અને સાથી બનવાનો બંને જ વિશેષ પાર્ટ
છે. સાથે પણ રહ્યાં અને પછી જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી સ્થિતિમાં પણ બાપ
સમાન સાથી બની રહેવાનું છે. તો સાથે રહેવું અને સાથી બનવું, આ વિશેષ વરદાન આદિ થી
અંત સુધી મળેલું છે. સ્નેહ થી જન્મ થયો, જ્ઞાન તો પહેલાં નહોતું ને. સ્નેહ થી જન્મ
થયો, જે સ્નેહ થી જન્મ થયો, એ જ સ્નેહ બધાને આપવા માટે વિશેષ નિમિત્ત છો. જે પણ સામે
આવે વિશેષ આપ સર્વ થી બાપનાં સ્નેહનો અનુભવ કરે. તમારામાં બાપ નું ચિત્ર અને તમારી
ચલન થી બાપનાં ચરિત્ર દેખાઈ આવે. જો કોઈ પૂછે કે બાપનાં ચરિત્ર શું છે તો તમારી ચલન
ચરિત્ર દેખાડે કારણ કે સ્વયં બાપનાં ચરિત્ર જોવાં અને સાથે-સાથે ચરિત્રમાં ચાલવા
વાળી આત્માઓ છો. ચરિત્ર જે પણ થયા તે એકલા બાપ નાં ચરિત્ર નથી. ગોપી વલ્લભ અને
ગોપિકાઓનાં જ ચરિત્ર છે. બાપે બાળકોની સાથે જ દરેક કર્મ કર્યા, એકલાએ નથી કર્યા. સદા
આગળ બાળકોને રાખ્યાં. તો આગળ રાખવા આ ચરિત્ર થયું. આવાં ચરિત્ર આપ વિશેષ આત્માઓ
દ્વારા દેખાઈ આવે. ક્યારેય પણ “હું આગળ રહું” આ સંકલ્પ બાપે નથી કર્યો. આમાં પણ સદા
ત્યાગી રહ્યાં અને આ જ ત્યાગ નાં ફળમાં બધાને આગળ રાખ્યાં, એટલે આગળ નું ફળ મળ્યું.
નંબરવન દરેક વાતમાં બ્રહ્મા બાપ જ બન્યાં. કેમ બન્યાં? આગળ રાખવું જ આગળ થવું, આ
ત્યાગ ભાવ થી. સંબંધ નો ત્યાગ, વૈભવ નો ત્યાગ કોઈ મોટી વાત નથી. પરંતુ દરેક કાર્યમાં,
સંકલ્પમાં પણ બીજાઓને આગળ રાખવાની ભાવના. આ ત્યાગ શ્રેષ્ઠ ત્યાગ રહ્યો. આને કહેવાય
છે સ્વયંનાં ભાન ને મટાડી દેવું. હું પણા ને મટાડી દેવું. તો ડાયરેક્ટ પાલના
લેવાવાળા માં વિશેષ શક્તિઓ છે. ડાયરેક્ટ પાલનાની શક્તિ ઓછી નથી. એજ પાલના હવે
બીજાઓની પાલના માં પ્રત્યક્ષ કરતાં ચાલો. આમ વિશેષ તો છો જ. અનેક વાતોમાં વિશેષ છો.
આદિ થી બાપની સાથે પાર્ટ ભજવવો, આ કોઈ ઓછી વિશેષતા નથી. વિશેષતાઓ તો ખુબ જ છે પરંતુ
હવે વિશેષ આત્માઓએ દાન પણ વિશેષ કરવાનું છે. જ્ઞાન દાન તો બધાં કરે છે પરંતુ તમારે
પોતાની વિશેષતાઓનું દાન કરવાનું છે. બાપની વિશેષતા સો તમારી વિશેષતાઓ. તો તે
વિશેષતાઓનું દાન કરો. જે વિશેષતાઓનાં મહાદાની છે, તે સદાનાં માટે મહાન રહે છે. ભલે
પૂજ્ય પણા માં, ભલે પુજારી પણા માં, આખું કલ્પ મહાન રહે છે. જેમ બ્રહ્મા બાપ ને જોયા
અંતમાં પણ કળયુગી દુનિયાનાં હિસાબ માં પણ મહાન રહ્યાં ને. તો આદિ થી અંત સુધી આવાં
મહાદાની મહાન રહે છે. અચ્છા-તમને જોઈને બધાં ખુશ થયા, તો ખુશી વેચીને. ખુબ સારું
મનાવ્યું, બધાને ખુશ કર્યા અને ખુશ થયાં. બાપદાદા વિશેષ આત્માઓનાં વિશેષ કાર્ય પર
હર્ષિત થાય છે. સ્નેહ ની માળા તો તૈયાર છે ને. પુરુષાર્થ ની માળા, સંપૂર્ણ થવાની
માળા તે તો સમય પ્રતિ સમય પ્રત્યક્ષ થઈ રહી છે.
જેટલા જે ફરિશ્તા
સંપૂર્ણ અનુભવ થાય છે તે સમજો મણકા માળામાં પરોવાતાં જાય છે. તો તે સમય પ્રતિ સમય
પ્રત્યક્ષ થતાં રહે છે. પરંતુ સ્નેહની માળા તો પાક્કી છે ને. સ્નેહ ની માળાનાં મોતી
સદા જ અમર છે, અવિનાશી છે. સ્નેહ માં તો બધાં પાસ માર્કસ લેવાવાળા છે. બાકી સમાધાન
સ્વરુપની માળા તૈયાર થવાની છે. સંપૂર્ણ અર્થાત્ સમાધાન સ્વરુપ. જેમ બ્રહ્મા બાપ ને
જોયાં સમસ્યા લઈ જવાવાળા પણ સમસ્યા ભૂલી જતા હતાં. શું લઈને આવ્યાં અને શું લઈને ગયાં!
આ અનુભવ કર્યો ને! સમસ્યાની વાતો બોલવાની હિંમત ન રહી કારણ કે સંપૂર્ણ સ્થિતિની આગળ
સમસ્યા જેમ કે બાળપણ ની રમત અનુભવ કરતાં હતાં એટલે સમાપ્ત થઈ જતી હતી. આને કહે છે
સમાધાન સ્વરુપ. એક-એક સમાધાન સ્વરુપ થઈ જાય તો સમસ્યાઓ ક્યાં જશે. અડધા કલ્પ માટે
વિદાય સમારોહ થઇ જશે. હમણાં તો વિશ્વની સમસ્યાઓનું સમાધાન જ પરિવર્તન છે. તો શું
ગોલ્ડન જુબલી મનાવી. મોલ્ડ થવાની જુબલી મનાવી. જે મોલ્ડ થાય છે તે જે પણ રુપ વાળવા
ઈચ્છો, તે રુપમાં વળી શકે છે. મોલ્ડ થવું અર્થાત્ સર્વના પ્રિય થવું. બધાની નજર તો
પણ નિમિત્ત બનવાવાળા ઉપર રહે છે. અચ્છા!
વરદાન :-
શ્રેષ્ઠતાનાં
આધાર પર સમીપતા દ્વારા કલ્પ ની શ્રેષ્ઠ પ્રાલબ્ધ બનાવવાળા વિશેષ પાર્ટધારી ભવ
આ મરજીવા જીવનમાં
શ્રેષ્ઠતાનો આધાર બે વાતો છે. ૧-સદા પરોપકારી રહેવું. ૨-બાળ બ્રહ્મચારી રહેવું. જે
બાળકો આ બંને વાતોમાં આદિ થી અંત સુધી અખંડ રહ્યાં છે, કોઈ પણ પ્રકારની પવિત્રતા
અર્થાત્ સ્વચ્છતા વારંવાર ખંડિત નથી થઇ તથા વિશ્વ નાં પ્રતિ અને બ્રાહ્મણ પરિવાર
નાં પ્રતિ જે સદા ઉપકારી છે એવાં વિશેષ પાર્ટધારી બાપદાદાનાં સદા સમીપ રહે છે અને
એમની પ્રાલબ્ધ આખા કલ્પ માટે શ્રેષ્ઠ બની જાય છે.
સ્લોગન :-
સંકલ્પ વ્યર્થ
છે તો બીજા બધાં ખજાના પણ વ્યર્થ થઈ જાય છે.