17-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદમાં
રહો તો દૂર હોવાં છતાં પણ સાથે છો , યાદ થી સાથનો પણ અનુભવ થાય છે અને વિકર્મ પણ
વિનાશ થાય છે ”
પ્રશ્ન :-
દૂરદેશી બાપ
બાળકોને દૂરાંદેશી બનાવવા માટે કયું જ્ઞાન આપે છે?
ઉત્તર :-
આત્મા કેવી રીતે ચક્રમાં ભિન્ન-ભિન્ન વર્ણોમાં આવે છે, આનું જ્ઞાન દૂરાંદેશી બાપ જ
આપે છે. તમે જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ વર્ણનાં છીએ આનાં પહેલાં જ્યારે જ્ઞાન
નહોતું તો શૂદ્ર વર્ણનાં હતાં, તેનાં પહેલાં વૈશ્ય….વર્ણનાં હતાં. દૂરદેશમાં રહેવા
વાળા બાપ આવીને આ દૂરાંદેશી બનવાનું બધું જ્ઞાન બાળકો ને આપે છે.
ગીત :-
જો પિયા કે
સાથ હૈ …...
ઓમ શાંતિ!
જે જ્ઞાન
સાગરનાં સાથે છે એમનાં માટે જ્ઞાન વરસાદ છે. તમે બાપનાં સાથે છો ને. ભલે વિલાયતમાં
પણ છો કે ક્યાંય પણ છો, સાથે છો. યાદ તો રાખો છો ને. જે પણ બાળકો યાદ માં રહે છે,
તે સદૈવ સાથે છે. યાદ માં રહેવાથી સાથે રહે છે અને વિકર્મ વિનાશ થાય છે પછી શરું
થાય છે વિકર્માજીત સવંત. પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે ત્યારે કહે છે રાજા વિક્રમનું
સંવત. તે વિકાર્માજીત, એ વિક્રમી. હમણાં તમે વિકર્માજીત બની રહ્યાં છો. પછી તમે
વિક્રમી બની જશો. આ સમયે બધાંં અતિ વિકર્મી છે. કોઈને પણ પોતાનાં ધર્મની ખબર નથી.
આજે બાબા એક નાનો-એવો પ્રશ્ન પૂછે છે-સતયુગમાં દેવતાઓ આ જાણે છે કે અમે આદિ સનાતન
દેવી-દેવતા ધર્મનાં છીએ? જેમ તમે સમજો છો અમે હિન્દુ ધર્મનાં છીએ, કોઈ કહેશે અમે
ક્રિશ્ચિયન ધર્મનાં છીએ. એમ ત્યાં દેવતાઓ પોતાને દેવી-દેવતા ધર્મનાં સમજે છે?
વિચારની વાત છે ને. ત્યાં બીજો કોઈ ધર્મ તો છે નહીં જે સમજે કે અમે ફલાણા ધર્મનાં
છીએ. અહીંયા અનેક ધર્મ છે, તો ઓળખ આપવા માટે અલગ-અલગ નામ રાખ્યાં છે. ત્યાં તો છે જ
એક ધર્મ એટલે કહેવાની દરકાર નથી રહેતી કે અમે આ ધર્મનાં છીએ. એમને ખબર પણ નથી કે
કોઈ ધર્મ હોય છે, એમની જ રાજાઈ છે. હમણાં તમે જાણો છો આપણે આદિ સનાતન દેવી- દેવતા
ધર્મનાં છીએ. દેવી-દેવતા બીજા કોઈને કહી ન શકાય. પતિત હોવાનાં કારણે પોતાને દેવતા
કહી ન શકે. પવિત્ર ને જ દેવતા કહેવાય છે. ત્યાં એવી કોઈ વાત હોતી નથી. કોઈથી ભેંટ
નથી કરી શકાતી. હમણાં તમે સંગમયુગ પર છો, જાણો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ફરીથી
સ્થાપન થઈ રહ્યો છે. ત્યાં તો ધર્મની વાત જ નથી. છે જ એક ધર્મ. આ પણ બાળકોને
સમજાવ્યું છે, આ જે કહે છે-મહાપ્રલય થાય છે અર્થાત્ કાંઈ પણ નથી રહેતું, આ પણ ખોટું
થઈ જાય છે. બાપ બેસી સમજાવે છે - સાચું શું છે? શાસ્ત્રોમાં તો જળમય દેખાડી દીધું
છે. બાપ સમજાવે છે સિવાય ભારત બાકી જળમય થઈ જાય છે. આટલી આખી સૃષ્ટિ શું કરશું. એક
ભારતમાં જ જુઓ કેટલાં ગામ છે. પહેલાં જંગલ હોય છે પછી એનાથી વૃદ્ધિ થતી જાય છે. ત્યાં
તો ફક્ત તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં જ રહો છો. આ આપ બ્રાહ્મણોની બુદ્ધિમાં
બાબા ધારણા કરાવી રહ્યાં છે. હમણાં તમે જાણો છો ઊંચે થી ઊંચાં શિવબાબા કોણ છે? એમની
પૂજા કેમ કરાય છે? અક વગેરેનાં ફૂલ કેમ ચઢાવે છે? એ તો નિરાકાર છે ને. કહે છે નામ
રુપ થી ન્યારા છે, પરંતુ નામ રુપ થી ન્યારી કોઈ વસ્તુ તો હોતી નથી. તો શું છે-જેમને
ફૂલ વગેરે ચઢાવે છે? પહેલાં-પહેલાં પૂજા એમની થાય છે. મંદિર પણ એમનાં બને છે કારણ
કે ભારતની અને આખી દુનિયાનાં બાળકોની સર્વિસ (સેવા) કરે છે. મનુષ્યોની જ સર્વિસ
કરાય છે ને. આ સમયે તમે પોતાને દેવી-દેવતા ધર્મનાં નહીં કહી શકો. તમને ખબર પણ નહોતી
કે આપણે દેવી-દેવતા હતાં ફરી હમણાં બની રહ્યાં છીએ. હમણાં બાપ સમજાવી રહ્યાં છે તો
સમજવું જોઈએ-આ નોલેજ સિવાય બાપનાં કોઈ આપી ન શકે. એમને જ કહે છે જ્ઞાનનાં સાગર,
નોલેજફુલ. ગવાયેલું છે રચતા અને રચનાને ઋષિ-મુની વગેરે કોઈ પણ નથી જાણતું. નેતી-નેતી
કરતાં ગયાં છે. જેમ નાનાં બાળકને નોલેજ છે શું? જેમ મોટાં થતાં જશે, બુદ્ધિ ખુલતી
જશે. બુદ્ધિમાં આવતું જશે, વિલાયત ક્યાં છે, આ ક્યાં છે. આપ બાળકો પણ પહેલાં આ
બેહદનાં નોલેજ ને કંઈ પણ નહોતાં જાણતાં. આ પણ કહે છે ભલે હું શાસ્ત્ર વગેરે વાંચતો
હતો પરંતુ સમજતો કાંઈ પણ નહોતો. મનુષ્ય જ આ ડ્રામા માં એક્ટર છે ને.
આખી રમત બે વાતો પર બનેલી છે. ભારતની હાર અને ભારતની જીત. ભારતમાં સતયુગ આદિનાં સમયે
પવિત્ર ધર્મ હતો, આ સમયે છે અપવિત્ર ધર્મ. અપવિત્રતાનાં કારણે પોતાને દેવતા નથી કહી
શકતાં છતાં પણ શ્રી શ્રી નામ રાખી દે છે. પરંતુ શ્રી એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કહેવાય
જ છે પવિત્ર દેવતાઓને. શ્રીમત ભગવાનુવાચ કહેવાય છે ને. હવે શ્રી કોણ થયાં? જે બાપનાં
સમ્મુખ સાંભળીને શ્રી બને છે કે જેમણે પોતાને શ્રી શ્રી કહ્યું છે? બાપનાં કર્તવ્ય
પર જે નામ પડ્યાં છે, તે પણ પોતાનાં ઉપર રાખી દીધા છે. આ બધી છે રેજગારી વાતો. છતાં
પણ બાપ કહે છે-બાળકો, એક બાપ ને યાદ કરતાં રહો. આ જ વશીકરણ મંત્ર છે. તમે રાવણ પર
જીત પહેરી જગત જીત બનો છો. ઘડી-ઘડી પોતાને આત્મા સમજો. આ શરીર તો અહીંયા ૫ તત્વોનું
બનેલું છે. બને છે, છૂટે છે પાછું બને છે. હવે આત્મા તો અવિનાશી છે. અવિનાશી આત્માઓ
ને હવે અવિનાશી બાપ ભણાવી રહ્યાં છે સંગમયુગ પર. ભલે કેટલાં પણ વિઘ્ન વગેરે પડે છે,
માયાનાં તોફાન આવે છે, તમે બાપની યાદ માં રહો. તમે સમજો છો આપણે જ સતોપ્રધાન હતાં
પછી તમોપ્રધાન બન્યાં છીએ. તમારા માં પણ નંબરવાર જાણે છે. આપ બાળકોની બુદ્ધિ માં
છે-આપણે જ પહેલાં-પહેલાં ભક્તિ કરી છે. જરુર જેમણે પહેલાં-પહેલાં ભક્તિ કરી છે તેમને
જ શિવનું મંદિર બનાવ્યું કારણ કે ધનવાન પણ તે હોય છે ને. મોટાં રાજાને જોઈ બીજા પણ
રાજાઓ અને પ્રજા પણ કરશે. આ બધી છે વિસ્તાર ની વાતો. એક સેકન્ડમાં જીવનમુક્તિ
કહેવાય છે. પછી કેટલાં વર્ષ લાગી જાય છે સમજાવવામાં. જ્ઞાન તો સહજ છે, એમાં એટલો
સમય નથી લાગતો, જેટલો યાદ ની યાત્રા પર લાગે છે. પોકારે પણ છે બાબા આવો, આવીને અમને
પતિત થી પાવન બનાવો, એવું નથી કહેતાં કે બાબા અમને વિશ્વનાં માલિક બનાવો. બધાંં
કહેશે પતિત થી પાવન બનાવો. પાવન દુનિયા કહેવાય છે સતયુગ ને, આને પતિત દુનિયા કહેશે,
પતિત દુનિયા કહેવાં છતાં પણ પોતાને સમજતા નથી. પોતાના પ્રતિ ઘૃણા નથી રાખતાં. તમે
કોઈનાં હાથનું નથી ખાતાં, તો કહે છે અમે અછૂત છીએ શું? અરે, તમે પોતે જ કહો છો ને.
પતિત તો બધાંં છે ને. તમે કહો પણ છો અમે પતિત છીએ, આ દેવતાઓ પાવન છે. તો પતિત ને
શું કહેશું. ગાયન છે ને-અમૃત છોડી વિષ શું કામ ખાઈએ. વિષ તો ખરાબ છે ને. બાપ કહે છે
આ વિષ તમને આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે પરંતુ આને પોઈઝન (ઝેર) સમજે થોડી છે. જેમ અમલી
અમલ વગર રહી નથી શકતાં, દારુ ની આદત વાળા દારુ વગર રહી ન શકે. લડાઈ નો સમય થાય છે
તો તેમને દારુ પીવડાવીને નશો ચઢાવી ને લડાઈ પર મોકલી દે છે. નશો મળ્યો બસ, સમજશે
અમારે આમ કરવાનું છે. એ લોકોને મરવાનો ડર નથી રહેતો. ક્યાંય પણ બોમ્બસ લઈ જઈને
બોમ્બસ સહિત પડે છે. ગાયન પણ છે મૂસળો ની લડાઈ લાગી, સાચ્ચી વાત હમણાં તમે
પ્રેક્ટીકલ માં જોઈ રહ્યાં છો. પહેલાં તો ફક્ત વાંચતા હતાં, પેટ થી મૂસળ નીકાળ્યાં
પછી આ કર્યું. હમણાં તમે સમજો છો પાંડવ કોણ છે, કૌરવ કોણ છે? સ્વર્ગવાસી બનવા માટે
પાંડવોએ જીવતે જીવ દેહ-અભિમાન થી ગળવાનો પુરુષાર્થ કર્યો. તમે હમણાં આ જૂની જુત્તી
છોડવાનો પુરુષાર્થો કરો છો. કહો છો ને-જૂની જુત્તી છોડી નવી લેવી છે. બાપ બાળકોને જ
સમજાવે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું. મારું નામ છે શિવ. શિવજયંતી પણ મનાવે
છે. ભક્તિ માર્ગ માટે કેટલાં મંદિર વગેરે બનાવે છે. નામ પણ ખુબ રાખી દીધા છે.
દેવીઓનાં પણ એવાં નામ રાખી દે છે. આ સમયે તમારી પૂજા થઈ રહી છે. આ પણ આપ બાળકો જ
જાણો છો જેમની આપણે પૂજા કરતાં હતાં તે આપણને ભણાવી રહ્યાં છે. જે લક્ષ્મી-નારાયણ
નાં આપણે પુજારી હતાં તે હમણાં આપણે પોતે બની રહ્યાં છીએ. આ જ્ઞાન બુદ્ધિમાં છે.
સિમરણ કરતાં રહો પછી બીજાઓને પણ સંભળાવો. ઘણાં છે જે ધારણા નથી કરી શકતાં. બાબા કહે
છે વધારે ધારણા નથી કરી શકતાં તો વાંધો નહીં. યાદ ની તો ધારણા છે ને. બાપને જ યાદ
કરતાં રહો. જેમની મુરલી નથી ચાલતી તો અહીંયા બેસી સિમરણ કરે. અહીંયા કોઈ બંધન ઝંઝટ
વગેરે છે નહીં. ઘરમાં બાળ-બચ્ચા વગેરેનું વાતાવરણ જોઇ તે નશો લોપ થઈ જાય છે. અહીંયા
ચિત્ર પણ રાખ્યાં છે. કોઈને પણ સમજાવવું ખુબ સહજ છે. તે લોકો તો ગીતા વગેરે પૂરી
કંઠ કરી લે છે. સિક્ખ લોકો ને પણ ગ્રંથ કંઠે રહે છે. તમને શું કંઠ કરવાનું છે? બાપને.
તમે કહો પણ છો બાબા, આ છે બિલકુલ નવી વસ્તુ. આ એક જ સમય છે જ્યારે કે તમારે સ્વયંને
આત્મા સમજી એક બાપ ને યાદ કરવાનાં છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ શીખવાડ્યું હતું, બીજા
કોઈની તાકાત નથી જે આવું સમજાવી શકે. જ્ઞાન સાગર છે જ એક બાપ, બીજા કોઈ હોઈ ન શકે.
જ્ઞાન સાગર બાપ જ તમને સમજાવે છે, આજકાલ એવાં પણ ઘણાં નીકળ્યાં છે જે કહે છે અમે
અવતાર લીધો છે એટલે સત્ય ની સ્થાપના માં કેટલાં વિઘ્ન પડે છે પરંતુ ગાયન છે સચ કી
નાવ હિલેગી, ડુલેગી પરંતુ ડૂબેગી નહીં.
હવે આપ બાળકો બાપનાં પાસે આવો છો તો તમારા દિલ માં કેટલી ખુશી રહેવી જોઈએ. પહેલાં
યાત્રા પર જતા હતાં તો દિલમાં શું આવતું હતું? હમણાં ઘરબાર છોડી અહીંયા આવો છો તો
શું વિચાર આવે છે? અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. બાપે આ પણ સમજાવ્યું છે-મને ફક્ત
શિવબાબા કહે છે જેમાં પ્રવેશ કર્યો છે, તે છે બ્રહ્મા. સંપ્રદાય હોય છે ને.
પહેલી-પહેલી સંપ્રદાય બ્રાહ્મણોની છે પછી દેવતાઓની સંપ્રદાય થઈ જાય છે. હમણાં
દૂરદેશી બાપ બાળકોને દૂરાંદેશી બનાવે છે. તમે જાણો છો આત્મા કેવી રીતે આખાં ચક્રમાં
ભિન્ન-ભિન્ન વર્ણોમાં આવી છે, આનું જ્ઞાન દૂરાંદેશી બાપ જ આપે છે. તમે વિચાર કરશો
હમણાં આપણે બ્રાહ્મણ વર્ણનાં છીએ, એનાં પહેલાં જ્યારે જ્ઞાન નહોતું તો શૂદ્ર વર્ણનાં
હતાં. અમારા છે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર. ગ્રેટ શુદ્ર, ગ્રેટ વૈશ્ય, ગ્રેટ
ક્ષત્રિય….તેનાં પહેલાં ગ્રેટ બ્રાહ્મણ હતાં. હવે આ વાતો સિવાય બાપનાં બીજું કોઈ
સમજાવી ન શકે. આને કહેવાય જાય છે દૂરાંદેશ નું જ્ઞાન. દૂરદેશમાં રહેવાવાળા બાપ આવીને
દૂરાંદેશ નું બધું જ્ઞાન આપે છે બાળકોને. તમે જાણો છો અમારા બાબા દૂરદેશ થી આમનામાં
આવે છે. આ પારકો દેશ, પારકું રાજ્ય છે. શિવબાબા ને પોતાનું શરીર નથી અને એ છે
જ્ઞાનનાં સાગર, સ્વર્ગનું રાજ્ય પણ એમણે આપવાનું છે. કૃષ્ણ થોડી આપશે. શિવબાબા જ
આપશે. કૃષ્ણને બાબા નહીં કહેશે. બાપ રાજ્ય આપે છે, બાપ થી જ વારસો મળે છે. હવે હદનાં
વારસા બધાં પૂરા થાય છે. સતયુગમાં તમને આ ખબર નહીં રહેશે કે અમે આ સંગમ પર ૨૧ જન્મો
નો વારસો લીધેલો છે. આ હમણાં જાણો છો આપણે ૨૧ જન્મો નો વારસો અડધાકલ્પ માટે લઇ રહ્યાં
છીએ. ૨૧ પેઢી એટલે પૂરી આયુ. જ્યારે શરીર ઘરડું થશે ત્યારે સમય પર શરીર છોડશું. જેમ
સર્પ જૂની ખાલ છોડી નવી લઈ લે છે. આપણો પણ પાર્ટ ભજવતા-ભજવતા આ ચોલો (વસ્ત્ર) જૂનો
થઈ ગયો છે.
તમે સાચાં-સાચાં બ્રાહ્મણ છો. તમને જ ભ્રમરી કહેવાય છે. તમે કીડા ને આપસમાન
બ્રાહ્મણ બનાવો છો. તમને કહેવાય છે કે કીડા ને લઇ આવીને બેસી ભૂં-ભૂં કરો. ભ્રમરી
પણ ભૂં-ભૂં કરે છે પછી કોઈને તો પાંખ આવી જાય છે, કોઈ મરી જાય છે. દૃષ્ટાંત બધાંં
હમણાં નાં છે. તમે લાડલા બાળકો છો, બાળકોને નૂરે રત્ન કહેવાય છે. બાપ કહે છે નૂરે
રત્ન. તમને પોતાનાં બનાવ્યાં છે તો તમે પણ મારાં થયાને. આવાં બાપને જેટલાં યાદ કરશો
પાપ કપાઈ જશે. બીજા કોઈને પણ યાદ કરવાથી પાપ નહીં કપાશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જીવતે જીવ
દેહ-અભિમાનથી ગળવાનો પુરુષાર્થ કરવાનો છે. આ જૂની જુત્તી માં જરા પણ મમત્વ ન રહે.
2. સાચાં બ્રાહ્મણ બની
કીડા પર જ્ઞાનની ભૂં-ભૂં કરી તેમને આપસમાન બ્રાહ્મણ બનાવવાનાં છે.
વરદાન :-
હોપલેસ (
નિરાશાવાદી ) માં પણ હોપ ( આશા ) પેદા કરવાવાળા સાચાં પરોપકારી , સંતુષ્ટમણી ભવ .
ત્રિકાળદર્શી બની
દરેક આત્માની કમજોરીને પારખતાં, તેમની કમજોરી ને સ્વયં માં ધારણ કરવા કે વર્ણન
કરવાને બદલે કમજોરી રુપી કાંટાને કલ્યાણકારી સ્વરુપ થી સમાપ્ત કરી દેવી, કાંટા ને
ફૂલ બનાવી દેવું, સ્વયં પણ સંતુષ્ટમણી નાં સમાન સંતુષ્ટ રહેવું અને સર્વને સંતુષ્ટ
કરવાં, જેમનાં પ્રતિ બધાં નિરાશા દેખાડે, એવાં વ્યક્તિ કે એવી સ્થિતિમાં સદાનાં માટે
આશા નો દીપક પ્રગટાવવો અર્થાત્ દિલશિકસ્ત ને શક્તિવાન બનાવી દેવાં-આવું શ્રેષ્ઠ
કર્તવ્ય ચાલતું રહે તો પરોપકારી, સંતુષ્ટમણી નું વરદાન પ્રાપ્ત થઈ જશે.
સ્લોગન :-
પરીક્ષા નાં
સમયે પ્રતિજ્ઞા યાદ આવે ત્યારે પ્રત્યક્ષતા થશે.