03-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારે શ્રીમત પર બધાને સુખ આપવાનું છે , તમને શ્રેષ્ઠ મત મળે છે શ્રેષ્ઠ બની બીજાઓને બનાવવા માટે ”

પ્રશ્ન :-
રહેમદિલ બાળકોનાં દિલ માં કઈ લહેર આવે છે? તેમને શું કરવું જોઈએ?

ઉત્તર :-
જે રહેમદિલ બાળકો છે તેમની દિલ થાય છે-અમે ગામડે-ગામડે જઈને સર્વિસ કરીએ. આજકાલ બિચારા ખુબ દુઃખી છે, તેમને જોઇને ખુશખબરી સંભળાવીએ કે વિશ્વમાં પવિત્રતા, સુખ અને શાંતિ નું દેવી સ્વરાજ્ય સ્થાપન થઈ રહ્યું છે, આ એજ મહાભારત લડાઈ છે, બરોબર તે સમયે બાપ પણ હતાં, હમણાં પણ બાપ આવેલાં છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો અહીંયા બેઠાં છો તો આ જરુર સમજો છો કે અમે ઇશ્વરીય સંતાન છીએ. જરુર સ્વયંને આત્મા જ સમજશો. શરીર છે ત્યારે તેનાં દ્વારા આત્મા સાંભળે છે. બાપે આ શરીર લોન પર લીધું છે, ત્યારે સંભળાવે છે. હમણાં તમે સમજો છો આપણે છીએ ઇશ્વરીય સંતાન કે સંપ્રદાય પછી આપણે દેવી સંપ્રદાય બનીશું. સ્વર્ગ નાં માલિક હોય જ છે દેવતાઓ. આપણે ફરીથી ૫ હજાર વર્ષ પહેલાં માફક દેવી સ્વરાજ્ય ની સ્થાપના કરી રહ્યાં છીએ. પછી આપણે દેવતા બની જઈશું. આ સમયે આખી દુનિયા, ભારત ખાસ અને દુનિયા આમ, બધાં મનુષ્ય માત્ર એક-બીજાને દુઃખ જ આપે છે. તેમને એ પણ ખબર નથી કે સુખધામ પણ હોય છે. પરમપિતા પરમાત્મા જ આવીને બધાને સુખી-શાંત બનાવી દે છે. અહીંયા તો ઘર-ઘરમાં એક-બીજાને દુઃખ જ આપે છે. આખા વિશ્વમાં દુઃખ જ દુઃખ છે. હવે આપ બાળકો જાણો છો બાપ આપણને ૨૧ જન્મોનાં માટે સદા સુખી બનાવે છે. ક્યાર થી દુઃખ શરુ થયું છે પછી ક્યારે પૂરું થાય છે, આ બીજા કોઈની બુદ્ધિમાં ચિંતન નહીં હશે. તમને જ આ બુદ્ધિમાં છે કે આપણે બરાબર ઈશ્વરીય સંપ્રદાય હતાં, આમ તો આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ઈશ્વરીય સંપ્રદાય છે. દરેક એમને ફાધર (પિતા) કહી બોલાવે છે. હવે બાળકો જાણે છે શિવબાબા આપણને શ્રીમત આપી રહ્યાં છે. શ્રીમત મશહૂર (પ્રસિદ્ધ) છે. ઊંચે થી ઊંચા ભગવાન ની ઊંચે થી ઊંચી મત છે. ગવાય પણ છે એમની ગત-મત ન્યારી. શિવબાબા ની શ્રીમત આપણને શું થી શું બનાવે છે! સ્વર્ગ નાં માલિક. બીજા જે પણ મનુષ્ય માત્ર છે તે તો નર્ક નાં માલિક જ બનાવે છે. હમણાં તમે છો સંગમ પર. આ તો નિશ્ચય છે ને. નિશ્ચયબુદ્ધિ જ અહીંયા આવે છે અને સમજે છે બાબા અમને ફરીથી સુખધામ નાં માલિક બનાવે છે. આપણે જ ૧૦૦ ટકા પવિત્ર ગૃહસ્થ માર્ગવાળા હતાં. આ સ્મૃતિ આવી છે. ૮૪ જન્મોનો પણ હિસાબ છે ને. કોણ-કોણ કેટલાં જન્મ લે છે. જે ધર્મ પછી આવે છે, તેમના જન્મ પણ થોડાં હોય છે.

આપ બાળકોએ હવે આ નિશ્ચય રાખવાનો છે, અમે ઈશ્વરીય સંતાન છીએ. અમને શ્રેષ્ઠ મત મળે છે, સૌને શ્રેષ્ઠ બનાવવા નાં માટે. આપણાં એ જ બાબા આપણને રાજયોગ શીખવાડે છે. મનુષ્ય સમજે છે કે વેદ-શાસ્ત્ર વગેરે બધાં ભગવાન થી મળવાનાં રસ્તા છે અને ભગવાન કહે છે - આનાથી કોઈ પણ મારી સાથે મળતા નથી. હું જ આવું છું, ત્યારે તો મારી જયંતી પણ મનાવો છો, પરંતુ ક્યારે અને કોના શરીરમાં આવું છું, આ કોઈ નથી જાણતું. સિવાય આપ બ્રાહ્મણોનાં. હવે આપ બાળકોએ બધાને સુખ આપવાનું છે. દુનિયા માં બધાં એક-બીજાને દુઃખ આપે છે. તે લોકો એ નથી સમજતા કે વિકારમાં જવું દુઃખ આપવું છે. હવે તમે જાણો છો આ મહાન દુઃખ છે. કુમારી જે પવિત્ર હતી તેમને અપવિત્ર બનાવે છે. નર્કવાસી બનવા માટે કેટલી સેરેમની (કાર્યક્રમ) કરે છે. અહીંયા તો એવાં હંગામા ની કોઈ વાત જ નથી. તમે ખુબ શાંતિ થી બેઠાં છો. બધાં ખુશ હોય છે, આખા વિશ્વને સદા સુખી બનાવે છે. તમારું માન શિવશક્તિઓનાં રુપમાં છે. તમારી આગળ લક્ષ્મી-નારાયણનું તો કંઈ પણ માન નથી. શિવશક્તિઓ નું જ નામ પ્રસિધ્ધ છે કારણ કે જેમ બાપે સર્વિસ (સેવા) કરી છે, બધાને પવિત્ર બનાવી સદા સુખી બનાવ્યાં છે, એવી રીતે તમે પણ બાપનાં મદદગાર બનો છો, એટલે આપ શક્તિઓ ભારત માતાઓની મહિમા છે. આ લક્ષ્મી-નારાયણ તો રાજા-રાણી અને પ્રજા બધાં સ્વર્ગવાસી છે. તે મોટી વાત છે શું! જેમ તે સ્વર્ગવાસી છે તેમ અહીંયા નાં રાજા-રાણી બધાં નર્કવાસી છે. એવાં નર્કવાસીઓ ને સ્વર્ગવાસી તમે બનાવો છો. મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતાં. બિલકુલ જ તુચ્છબુદ્ધિ છે. શું-શું કરતાં રહે છે. કેટલી લડાઈઓ વગેરે છે. દરેક વાત માં દુઃખી જ દુઃખી છે. સતયુગમાં દરેક હાલત માં સુખ જ સુખ છે. હવે બધાને સુખ આપવા માટે જ બાબા શ્રેષ્ઠ મત આપે છે. ગવાય પણ છે શ્રીમત ભગવાનુવાચ. શ્રીમત મનુષ્યવાચ નથી. સતયુગ માં દેવતાઓને મત આપવાની દરકાર જ નથી. અહીંયા તમને શ્રીમત મળે છે. બાપની સાથે તમારું પણ ગાયન છે શિવશક્તિઓ. હમણાં ફરીથી તે પાર્ટ પ્રેક્ટીકલ માં ભજવાઈ રહ્યો છો. હવે બાપ કહે છે આપ બાળકોએ મન્સા, વાચા, કર્મણા બધાને સુખ આપવાનું છે. બધાને સુખધામ નો રસ્તો બતાવવાનો છે. તમારો ધંધો જ આ થયો. શરીર નિર્વાહ અર્થ પુરુષોએ ધંધો પણ કરવાનો હોય છે. કહે છે સાંજ નાં સમયે દેવતાઓ પરિક્રમા પર નીકળે છે, હવે દેવતાઓ અહીંયા ક્યાંથી આવ્યાં. પરંતુ આ સમયને શુદ્ધ કહે છે. આ સમય પર બધાને ફુરસદ પણ મળે છે. આપ બાળકોએ ચાલતાં, ફરતાં, ઉઠતાં, બેસતાં યાદ કરવાનાં છે. બસ કોઈ દેહધારી ની ચાકરી વગેરે નથી કરવાની. બાપનું તો ગાયન છે દ્રૌપદી નાં પગ દબાવ્યાં. તેનો અર્થ પણ નથી સમજતાં. સ્થૂળ માં પગ દબાવવાની વાત નથી. બાબાની પાસે ઘરડી માતાઓ વગેરે ખુબ આવે છે, જાણે છે ભક્તિ કરતાં-કરતાં થાકી ગઈ છે. અડધોકલ્પ ખુબ ધક્કા ખાધા છે ને. તો આ પગ દબાવવાના અક્ષર ને પકડી લીધો છે. હવે કૃષ્ણ પગ કેવી રીતે દબાવશે. શોભશે? તમે કૃષ્ણને પગ દબાવવા દેશો? કૃષ્ણને જોતાં જ તેમને ભેટી પડશો. તેમનામાં તો ખુબ ચમત્કાર રહે છે. કૃષ્ણનાં સિવાય બીજી કોઈ વાત બુદ્ધિમાં બેસતી જ નથી. તે જ બધાથી તેજોમય છે. કૃષ્ણ બાળકે પછી મુરલી ચલાવી, વાત જ નથી જચતી. અહીંયા તમે શિવબાબા થી કેવી રીતે મળશો? આપ બાળકોએ બોલવું પડે છે, શિવબાબા ને યાદ કરી પછી આમની પાસે આવો. આપ બાળકોને તો અંદરમાં ખુશી રહેવી જોઈએ અમને શિવબાબા સુખી બનાવે છે - ૨૧ જન્મો નાં માટે. આવાં બાપની પાછળ તો ન્યોછાવર થવું જોઈએ. કોઇ સપૂત બાળકો હોય છે તો બાપ ન્યોછાવર થાય છે. બાપની દરેક કામના પૂરી કરે છે. કોઈ તો એવાં બાળકો હોય છે જે બાપનું ખૂન પણ કરાવી દે છે. અહીંયા તો તમારે મોસ્ટ બિલ્વેડ (સૌથી પ્રિય) બનવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. જે રહેમદિલ બાળકો છે તેમનું દિલ થાય છે અમે ગામડા-ગામડામાં જઈને સર્વિસ કરીએ. આજકાલ બિચારા ખુબ દુઃખી છે. તેમને જોઇને ખુશખબરી સંભળાવો કે વિશ્વ માં પવિત્રતા, સુખ, શાંતિ નું દેવી સ્વરાજ્ય સ્થાપન થઈ રહ્યું છે, આ એ જ મહાભારત લડાઈ છે. બરાબર તે સમયે બાપ પણ હતાં. હમણાં પણ બાપ આવેલાં છે. તમે જાણો છો બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે. આ છે જ પુરુષોત્તમ સંગમયુગ. આપ બાળકો જાણો છો-આપણે પુરુષોત્તમ કેવી રીતે બનીએ છીએ. તમને પૂછે છે તમારો ઉદ્દેશ શું છે? બોલો, મનુષ્ય થી દેવતા બનવાનો. દેવતાઓ તો પ્રસિદ્ધ છે. બાપ કહે છે જે દેવતાઓનાં ભક્ત છે તેમને સમજાવો. ભક્તિ પણ પહેલાં-પહેલાં તમે શરુ કરી શિવ ની પછી દેવતાઓની. તો પહેલાં-પહેલાં શિવબાબા નાં ભક્તો ને સમજાવવાનું છે. બોલો શિવબાબા કહે છે મને યાદ કરો. શિવની પૂજા કરે છે પરંતુ આ થોડી બુદ્ધિમાં આવે છે કે પતિત-પાવન બાપ છે. ભક્તિ માર્ગમાં જુઓ ધક્કા કેટલાં ખાય છે. શિવલિંગ તો ઘરમાં પણ રાખી શકાય છે. એમની પૂજા કરી શકાય છે પછી અમરનાથ, બદ્રીનાથ વગેરે તરફ જવાની શું દરકાર છે. પરંતુ ભક્તિમાર્ગ માં મનુષ્યને ધક્કા જરુર ખાવાનાં છે. તમને એનાથી છોડાવે છે. તમે છો શિવશક્તિ, શિવ નાં બાળકો. તમે બાપ થી શક્તિ લો છો. તે પણ મળશે યાદ થી. વિકર્મ વિનાશ થશે. પતિત-પાવન તો બાપ છે ને. યાદ થી જ તમે વિકર્માજીત પાવન બનો છો. બધાને આ રસ્તો બતાવવાનો છે. તમે હમણાં રામનાં બન્યાં છો. રામરાજ્ય માં છે સુખ, રાવણરાજ્ય માં છે દુઃખ. ભારતમાં જ બધાનાં ચિત્ર છે, જેમની આટલી પૂજા થાય છે. અનેકાનેક મંદિર છે. કોઈ હનુમાન નાં પુજારી, કોઈ કોઈનાં! આને કહેવાય છે બ્લાઈન્ડફેથ (અંધવિશ્વાસ). હવે તમે જાણો છો આપણે પણ બ્લાઇન્ડ (અંધ) હતાં. આમને પણ ખબર નહોતી - બ્રહ્મા, વિષ્ણુ, શંકર કોણ છે, શું છે? જે પૂજ્ય હતાં તે ફરી પુજારી બન્યાં. સતયુગ માં છે પૂજ્ય, અહિયાં છે પુજારી. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. તમે જાણો છો પૂજ્ય હોય છે જ સતયુગમાં. અહીંયા છે પૂજારી તો પૂજા જ કરે છે. તમે છો શિવશક્તિઓ. હમણાં તમે ન પુજારી, ન પૂજ્ય છો. બાપ ને ભૂલી નહીં જાઓ. આ સાધારણ તન છે ને. આમનામાં ઊંચે થી ઊંચા ભગવાન આવે છે. તમે બાપ ને પોતાની પાસે નિમંત્રણ આપો છો ને. બાબા આવો, અમે ખુબ પતિત બની ગયાં છીએ. જૂની પતિત દુનિયા, પતિત શરીર માં આવીને અમને પાવન બનાવો. બાળકો નિમંત્રણ આપે છે. અહીંયા તો કોઈ પાવન છે જ નહીં. જરુર બધાં પતિતો ને પાવન બનાવીને લઇ જશે ને. તો બધાએ શરીર છોડવું પડે ને. મનુષ્ય શરીર છોડે છે તો કેટલું હાય-દોષ મચાવે છે. તમે ખુશી થી જાઓ છો. હમણાં તમારી આત્મા રેસ (દોડ) કરે છે જોઈએ કોણ શિવબાબા ને વધારે યાદ કરે છે. શિવબાબા ની યાદ માં રહેતાં-રહેતાં જ શરીર છૂટી જાય તો અહો સૌભાગ્ય. બેડો જ પાર. બધાને બાપ કહે છે એવો પુરુષાર્થો કરો. સન્યાસી પણ કોઈ-કોઈ એવાં હોય છે. બ્રહ્મ માં લીન થવા માટે અભ્યાસ કરે છે. પછી અંતમાં આમ બેઠાં-બેઠાં શરીર છોડી દે છે. સન્નાટો થઈ જાય છે.

સુખ નાં દિવસ ફરી આવશે. એનાં માટે જ તમે પુરુષાર્થ કરો છો બાબા અમે તમારી પાસે ચાલીએ. તમને જ યાદ કરતાં-કરતાં જ્યારે અમારી આત્મા પવિત્ર થઈ જશે તો તમે અમને સાથે લઈ જશો. પહેલાં જ્યારે કાશી કલવટ ખાતાં હતાં તો ખુબ પ્રેમ થી ખાતાં હતાં, બસ અમે મુક્ત થઈ જશું. એવું સમજતા હતાં. હમણાં તમે બાપ ને યાદ કરતાં ચાલ્યાં જાઓ છો શાંતિધામ. તમે બાપ ને યાદ કરો છો તો આ યાદ નાં બળ થી પાપ કપાય છે, તેઓ સમજે છે અમારા પાપ પછી પાણી થી કપાઈ જશે. મુક્તિ મળી જશે. હવે બાપ સમજાવે છે તે કાંઈ યોગબળ નથી. પાપો ની સજા ખાતાં-ખાતાં પછી જઈને જન્મ લે છે, નવેસર થી પછી પાપો નું ખાતુ શરુ થાય છે. કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ બાપ બેસી સમજાવે છે. રામરાજ્ય માં કર્મ અકર્મ હોય છે, રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ થઈ જાય છે. ત્યાં કોઈ વિકાર વગેરે હોતાં નથી.

મીઠાં-મીઠાં ફૂલ બાળકો જાણે છે બાપ અમને બધી યુક્તિયો, બધું રહસ્ય સમજાવે છે. મુખ્ય વાત આ છે કે બાપ ને યાદ કરો. પતિત-પાવન બાપ તમારી સામે બેઠાં છે, કેટલાં નિર્માણ છે. કોઈ અહંકાર નથી, બિલકુલ સાધારણ ચાલતાં રહે છે. બાપદાદા બંનેવ જ બાળકો નાં સર્વન્ટ (સેવક) છે. તમારા બે સર્વન્ટ છે ઊંચે થી ઊંચા શિવબાબા પછી પ્રજાપિતા બ્રહ્મા. તે લોકો ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. અર્થ થોડી જાણે છે. ત્રિમૂર્તિ બ્રહ્મા શું કરે છે, કાંઈ પણ ખબર નથી. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ નિશ્ચય રહે કે અમે ઈશ્વરીય સંતાન છીએ, અમારે શ્રેષ્ઠ મત પર ચાલવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બધાને સુખનો રસ્તો બતાવવાનો છે.

2. સપૂત બાળક બની બાપ પર કુરબાન થવાનું છે, બાપની દરેક કામના પૂરી કરવાની છે. જેમ બાપદાદા નિર્માણ અને નિરંહકારી છે, એવાં બાપ સમાન બનવાનું છે.

વરદાન :-
કલ્યાણકારી બાપ અને સમય નો દરેક સેકન્ડ લાભ ઉઠાવવા વાળા નિશ્ચયબુદ્ધિ , નિશ્ચિંત ભવ

જે પણ દ્રશ્ય ચાલી રહ્યું છે તેને ત્રિકાલદર્શી બની જુવો, હિંમત અને ઉલ્લાસ માં રહી સ્વયં પણ સમર્થ આત્મા બનો અને વિશ્વને પણ સમર્થ બનાવો. સ્વયં નાં તોફાનો માં હલો નહીં, અચળ બનો. જે સમય મળ્યો છે, સાથ મળ્યો છે, અનેક પ્રકારનાં ખજાનાં મળી રહ્યાં છે તેનાથી સંપત્તિવાન અને સમર્થીવાન બનો. આખાં કલ્પમાં આવાં દિવસ પાછાં આવવાનાં નથી એટલે પોતાની બધી ચિંતાઓ બાપને આપીને નિશ્ચયબુદ્ધિ બની સદા નિશ્ચિંત રહો. કલ્યાણકારી બાપ અને સમય નો દરેક સેકન્ડ લાભ ઉઠાવો.

સ્લોગન :-
બાપ નાં સંગ નો રંગ લગાવો તો ખામીઓ સ્વતઃ સમાપ્ત થઇ જશે.