10-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાનું
કલ્યાણ કરવું છે તો દરેક પ્રકારની પરહેજ રાખો , ફૂલ બનવા માટે પવિત્રનાં હાથ નું
શુદ્ધ ભોજન ખાઓ ”
પ્રશ્ન :-
આપ બાળકો હમણાં
અહીંયા જ કઈ પ્રેક્ટિસ (અભ્યાસ) કરો છો, જે ૨૧ જન્મ સુધી રહેશે?
ઉત્તર :-
સદા તન-મન થી તંદુરસ્ત રહેવાની પ્રેક્ટિસ તમે અહીંયા થી જ કરો છો. તમારે દધીચિ ઋષિની
જેમ યજ્ઞ સેવામાં હાડકાઓ પણ આપવાના છે પરંતુ હઠયોગ ની વાત નથી. પોતાનું શરીર કમજોર
નથી કરવાનું. તમે યોગ થી ૨૧ જન્મોનાં માટે તંદુરસ્ત બનો છો, એની પ્રેક્ટિસ અહીંયા
થી કરો છો.
ઓમ શાંતિ!
કોલેજ અથવા
યુનિવર્સિટી હોય છે તો શિક્ષક પણ વિદ્યાર્થી તરફ જુએ છે. ગુલાબનું ફૂલ ક્યાં છે,
ફ્રન્ટ (આગળ) માં કોણ બેઠેલાં છે. આ પણ બગીચો છે પરંતુ નંબરવાર તો છે જ. અહીંયા જ
ગુલાબનું ફૂલ જોવું છું પછી બાજુમાં રત્ન જ્યોતિ. ક્યાંય અક પણ જોઉં છું. બાગવાન ને
તો જોવું પડે ને. એ બાગવાન ને જ બોલાવે છે કે આવીને આ કાંટાનાં જંગલને ખતમ કરી ફૂલો
ની કલમ લગાવો. આપ બાળકો પ્રેક્ટિકલ માં જાણો છો કેવી રીતે કાંટા થી ફૂલો નું
સેપ્લીંગ (કલમ) લાગે છે. તમારામાં પણ ખૂબ થોડાં છે જે આ વાતોનું ચિંતન કરે છે. આ પણ
આપ બાળકો જાણો છો-એ બાગવાન પણ છે, ખેવૈયા પણ છે, બધાને લઈ જાય છે. ફૂલો ને જોઈ બાપ
પણ ખુશ થાય છે. દરેક સમજે છે અમે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. નોલેજ જુઓ કેટલું
ઊંચું છે. આને સમજવામાં પણ ખુબ વિશાળ બુદ્ધિ જોઇએ. આ છે જ કળયુગી નર્કવાસી. તમે
સ્વર્ગવાસી બની રહ્યાં છો. સન્યાસી લોકો તો ઘરબાર છોડી ભાગી જાય છે. તમારે ભાગવાનું
નથી. કોઈ-કોઈ ઘરમાં એક કાંટો છે તો એક ફૂલ છે. બાબા ને કોઈ પૂછે છે-બાબા, બાળકોનાં
લગ્ન કરાવીએ? બાબા કહેશે ભલે કરાવો. ઘર માં રાખો, સંભાળ કરો. પૂછે છે એનાથી જ સમજાય
છે-હિંમત નથી. તો બાબા પણ કહી દે છે ભલે કરો. કહે છે અમે તો બીમાર રહીએ છીએ પછી વહુ
આવશે, એનાં હાથનું ખાવું પડશે. બાબા કહેશે ભલે ખાઓ. ના કહેશે શું! સરકમસ્ટાંસ (પરિસ્થિતિ)
એવાં છે ખાવું જ પડે કારણ કે મોહ પણ છે ને. ઘરમાં વહુ આવી તો વાત નહીં પૂછો જેમકે
દેવી આવી ગઈ. એટલાં ખુશ થાય છે. હવે આ તો સમજવાની વાત છે. આપણે ફૂલ બનવાનું છે તો
પવિત્રનાં હાથનું ખાવાનું છે. એનાં માટે પોતાનો પ્રબંધ કરવાનો છે, આમાં પૂછવાનું
થોડી હોય છે. બાપ સમજાવે છે તમે દેવતા બનો છો, એમાં આ પરહેજ જોઈએ. જેટલી વધારે
પરહેજ રાખશો એટલું તમારું કલ્યાણ થશે. વધારે પરહેજ રાખવામાં કાંઈ મહેનત પણ થશે.
રસ્તામાં ભૂખ લાગે છે, ખાવાનું સાથે લઇ જાઓ. કોઈ તકલીફ થાય છે, લાચારી છે તો સ્ટેશન
વાળાઓ થી ડબલ રોટી (બ્રેડ) લઈને ખાઓ. ફક્ત બાપ ને યાદ કરો. આને જ કહેવાય છે યોગબળ.
આમાં હઠયોગની કોઈ વાત નથી, શરીર ને કમજોર નથી બનાવવાનું. દધીચિ ઋષિ ની જેમ
હડ્ડી-હડ્ડી આપવાની છે, આમાં હઠયોગની વાત નથી. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. શરીર
ને તો બિલકુલ તંદુરસ્ત રાખવાનું છે. યોગ થી ૨૧ જન્મો નાં માટે તંદુરસ્ત બનવાનું છે.
આ પ્રેક્ટિસ અહીંયા જ કરવાની છે. બાબા સમજાવે છે આમાં પૂછવાની દરકાર નથી રહેતી. હા
કોઈ મોટી વાત છે, એમાં મૂંઝાવ છો તો પૂછી શકો છો. નાની-નાની વાતો બાબા ને પૂછવામાં
કેટલો સમય જાય છે. મોટા વ્યક્તિ ખુબ થોડું બોલે છે. શિવબાબા ને કહેવાય છે-સદ્દગતિ
દાતા. રાવણને સદ્દગતિ દાતા થોડી કહેશે. જો હોત તો તેને બાળે કેમ? બાળકો સમજે છે
રાવણ તો નામીગ્રામી છે. ભલે તાકાત રાવણમાં ખુબજ છે, પરંતુ દુશ્મન તો છે ને. અડધો
કલ્પ રાવણ નું રાજ્ય ચાલે છે. પરંતુ ક્યારેય મહિમા સાંભળી છે? કાંઈ પણ નહીં. તમે
જાણો છો રાવણ ૫ વિકારોને કહેવાય છે. સાધુ-સંત પવિત્ર બને છે તો તેમની મહિમા કરો છો
ને. આ સમયનાં મનુષ્ય તો બધાં પતિત છે. ભલે કોઈ પણ આવે, સમજો કોઈ મોટા વ્યક્તિ આવે
છે, કહે છે બાબા થી મુલાકાત કરીએ, બાબા એમને શું પૂછશે? એમને તો આ જ પૂછશે કે રામ
રાજ્ય અને રાવણ રાજ્ય ક્યારેય સાંભળ્યું છે? મનુષ્ય અને દેવતા ક્યારેય સાંભળ્યું
છે? આ સમયે મનુષ્યોનું રાજ્ય છે કે દેવતાઓનું? મનુષ્ય કોણ, દેવતા કોણ? દેવતા કયા
રાજ્યમાં હતાં? દેવતા તો હોય છે સતયુગમાં. યથા રાજા રાણી તથા પ્રજા…..તમે પૂછી શકો
છો કે આ નવી સૃષ્ટિ છે કે જૂની? સતયુગમાં કોનું રાજ્ય હતું? હમણાં કોનું રાજ્ય છે?
ચિત્ર તો સામે છે. ભક્તિ શું છે, જ્ઞાન શું છે? આ બાપ જ બેસી સમજાવે છે.
જે બાળકો કહે છે બાબા ધારણા નથી થતી તેમને બાબા કહે છે અરે અલફ અને બે તો સહજ છે
ને. અલફ બાપ જ કહે છે મુજ બાપ ને યાદ કરો તો વારસો મળી જશે. ભારતમાં શિવજયંતી પણ
મનાવે છે પરંતુ ક્યારે ભારતમાં આવીને સ્વર્ગ બનાવ્યું? ભારત સ્વર્ગ હતું- આ નથી
જાણતાં, ભૂલી ગયાં છે. તમે કહેશો અમે પણ કાંઈ નહોતા જાણતાં કે અમે સ્વર્ગ નાં માલિક
હતાં. હવે બાપ દ્વારા અમે ફરીથી દેવતા બની રહ્યાં છીએ. સમજાવવા વાળો હું જ છું.
સેકન્ડમાં જીવનમુક્તિ ગવાયેલું છે. પરંતુ તેનો પણ અર્થ થોડી સમજે છે. સેકન્ડમાં તમે
સ્વર્ગ ની પરીઓ બનો છો ને! આને ઈન્દ્ર સભા પણ કહે છે, તે પછી ઇન્દ્ર સમજે છે વરસાદ
વરસાવવા વાળા ને. હવે વરસાદ વરસાવવા વાળાની કોઇ સભા લાગે છે શું? ઇન્દ્રલઠ, ઇન્દ્ર
સભા શું-શું સંભળાવે છે.
આજે ફરીથી આ પુરુષાર્થ કરી રહ્યાં છે, ભણતર છે ને. બૅરીસ્ટરી ભણે છે તો સમજે છે કાલે
અમે બૅરિસ્ટર બનીશું. તમે આજે ભણો છો, કાલે શરીર છોડી રાજાઈ માં જઈને જન્મ લેશો. તમે
ભવિષ્ય નાં માટે પ્રાલબ્ધ પામો છો. અહીંયાથી ભણીને જશો પછી આપણો જન્મ સતયુગમાં થશે.
લક્ષ્ય-હેતુ જ છે - પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) બનવાનો. રાજયોગ છે ને.
કોઈ કહે બાબા અમારી બુદ્ધિ નથી ખુલતી, આ તો તમારી તકદીર એવી છે. ડ્રામા માં પાર્ટ
એવો છે. એને બાબા ચેન્જ (બદલી) કેવી રીતે કરી શકે છે. સ્વર્ગ નાં માલિક બનવાનાં માટે
તો બધાં હકદાર છે. પરંતુ નંબરવાર તો હશે ને. એવું તો નહીં બધાં બાદશાહ બની જાય. કોઈ
કહે છે ઈશ્વરીય તાકાત છે તો સૌને બાદશાહ બનાવી દે. પછી પ્રજા ક્યાંથી આવશે. આ
સમજવાની વાત છે ને. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં તો ફક્ત નામ માત્ર
મહારાજા-મહારાણી છે. ટાઇટલ પણ આપી દે છે. લાખ બે લાખ આપી દેવાથી રાજા-રાણી નો ખિતાબ
મળી જાય છે. પછી ચાલ પણ એવી રાખવી પડે.
હમણાં આપ બાળકો જાણો છો આપણે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. ત્યાં
તો બધાં સુંદર ગોરા હશે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. શાસ્ત્રો માં કલ્પ ની
આયુ લાંબી લખી દેવાથી મનુષ્ય ભૂલી ગયાં છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો-શ્યામ
થી સુંદર બનવા. હવે દેવતાઓ કાળા હોય છે શું? કૃષ્ણને શ્યામ, રાધા ને ગોરી દેખાડે
છે. હવે સુંદર તો બંને સુંદર હશે ને. પછી કામ ચિતા પર ચઢી બંને કાળા બની જાય છે.
ત્યાં છે જ સોનેરી દુનિયા નાં માલિક, આ છે કાળી દુનિયા. આપ બાળકોને એક તો અંદર માં
ખુશી રહેવી જોઈએ અને દૈવીગુણ પણ ધારણ કરવા જોઈએ. કોઈ કહે છે બાબા બીડી નથી છૂટતી.
બાબા કહેશે સારું ખુબ પીવો. પૂછો છો તો શું કહેશે! પરહેજ માં નહિં ચાલવાથી પડશો.
પોતાને પોતાની સમજ હોવી જોઈએ ને. આપણે દેવતા બનીએ છીએ તો આપણી ચાલ-ચલન, ખાન-પાન કેવાં
હોવા જોઈએ. બધાં કહે છે અમે લક્ષ્મી ને, નારાયણ ને વરશું. સારું, પોતાનામાં જુઓ એવાં
ગુણ છે? અમે બીડી પીએ છીએ, પછી નારાયણ બની શકશો? નારદ ની પણ કથા છે ને. નારદ કોઈ એક
તો નથી ને. બધાં મનુષ્ય ભક્ત (નારદ) છે.
બાપ કહે છે-દેવતા બનવા વાળા બાળકો અંતર્મુખી બની સ્વયં સ્વયં થી વાતો કરો કે જ્યારે
અમે દેવતા બનીએ છીએ તો અમારી ચલન કેવી હોવી જોઈએ? અમે દેવતા બનીએ છીએ તો દારુ ન પી
શકાય, બીડી ન પી શકાય, વિકારમાં ના જઈ શકાય, પતિત નાં હાથનું ન ખાઈ શકાય. નહીં તો
અવસ્થા પર અસર થઇ જશે. આ વાતો બાપ બેસી સમજાવે છે. ડ્રામા નાં રહસ્ય ને પણ કોઈ નથી
જાણતું. આ નાટક છે, બધાં પાર્ટધારી છે. આપણે આત્માઓ ઉપર થી આવીએ છીએ, પાર્ટ તો આખી
દુનિયાનાં એક્ટર્સ ને ભજવવાનો છે. બધાનો પોત-પોતાનો પાર્ટ છે. કેટલાં પાર્ટધારી છે,
કેવી રીતે પાર્ટ ભજવે છે, આ વેરાયટી (વિવિધ) ધર્મોનું ઝાડ છે. એક કેરીના ઝાડ ને
વેરાઈટી ઝાડ નહીં કહીશું. એમાં તો કેરી જ થશે. આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ તો છે પરંતુ
આનું નામ છે-વેરાયટી ધર્મો નું ઝાડ. બીજ એક જ છે, મનુષ્યો ની વેરાયટી જુઓ કેટલી છે.
કોઈ કેવાં, કોઈ કેવાં. આ બાપ બેસી સમજાવે છે, મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. મનુષ્યો
ને બાપ જ પારસબુદ્ધિ બનાવે છે. આપ બાળકો જાણો છો આ જૂની દુનિયામાં બાકી થોડા દિવસ
છે. કલ્પ પહેલાં ની જેમ સેપ્લીંગ (કલમ) લાગતી રહે છે. સારી પ્રજા, સાધારણ પ્રજા નું
પણ સેપ્લીંગ લાગે છે. અહીંયા જ રાજધાની સ્થાપન થઈ રહી છે. બાળકોએ દરેક વાતમાં બુદ્ધિ
ચલાવવાની હોય છે. એવું નહીં, મુરલી સાંભળી ન સાંભળી. અહીંયા બેઠા પણ બુદ્ધિ બહાર
ભાગતી રહે છે. એવાં પણ છે-કોઈ તો સમ્મુખ મુરલી સાંભળીને ખૂબ ગદ્દગદ્દ થાય છે.
મુરલીનાં માટે ભાગે છે. ભગવાન ભણાવે છે, તો એવું ભણતર છોડવું થોડી જોઈએ. ટેપમાં
એક્યુરેટ ભરાય છે, સાંભળવું જોઈએ. સાહૂકાર લોકો ખરીદી કરશે તો ગરીબ સાંભળશે.
કેટલાઓનું કલ્યાણ થઇ જશે. ગરીબ બાળકો પણ પોતાનું ભાગ્ય ખૂબ ઊંચું બનાવી શકે છે. બાબા
બાળકોનાં માટે મકાન બનાવડાવે છે, ગરીબ બે રુપિયા પણ મનીઓર્ડર કરી દે છે, બાબા આની
એક ઈંટ મકાનમાં લગાવી દેજો. એક રુપિયો યજ્ઞ માં નાખી દેજો. પછી કોઈ તો હુંડી
ભરવાવાળા પણ હશે ને. મનુષ્ય હોસ્પિટલ વગેરે બનાવે છે, કેટલો ખર્ચો લાગે છે, સાહૂકાર
લોકો સરકારને ખુબ મદદ કરે છે, તેમને શું મળે છે! અલ્પકાળ નું સુખ. અહીંયા તો તમે જે
કરો છો ૨૧ જન્મો નાં માટે. જુવો છો બાબા એ બધુંજ આપ્યું, વિશ્વ નાં માલિક પહેલો
નંબર બન્યાં. ૨૧ જન્મો નાં માટે આવો સોદો કોણ નહિં કરે. ભોળાનાથ ત્યારે તો કહે છે
ને. હમણાંની જ વાત છે. કેટલાં ભોળા છે, કહે છે જે કંઈ કરવાનું છે કરી દો. કેટલી
ગરીબ બાળકીઓ છે, સિલાઈ કરી પેટ પાળે છે. બાબા જાણે છે આ તો ખુબ ઊંચ પદ પામવા વાળી
છે. સુદામા નું પણ દૃષ્ટાંત છે ને. ચોખા મુઠ્ઠી નાં બદલે ૨૧ જન્મોનાં માટે મહેલ
મળ્યાં. તમે આ વાતો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. બાપ કહે છે હું ભોળાનાથ પણ
છું ને. આ દાદા તો ભોળાનાથ નથી. આ પણ કહે છે ભોળાનાથ શિવબાબા છે એટલે એમને સોદાગર,
રત્નાગર, જાદુગર કહેવાય છે. તમે વિશ્વ નાં માલિક બનો છો. અહીંયા ભારત કંગાળ છે,
પ્રજા સાહૂકાર છે, ગવર્મેન્ટ (સરકાર) ગરીબ છે. હમણાં તમે સમજો છો ભારત કેટલું ઊંચું
હતું! સ્વર્ગ હતું. તેની નિશાનીઓ પણ છે. સોમનાથ નું મંદિર કેટલાં હીરા-ઝવેરાતો થી
સજાવેલું હતું. જે ઊંટ ભરી ને હીરા-ઝવેરાત લઈ ગયાં. આપ બાળકો જાણો છો હવે આ દુનિયા
બદલાવાની જરુર છે. તેનાં માટે તમે તૈયારી કરી રહ્યાં છો. જે કરશે તે પામશે. માયાનું
ઓપોજીશન (વિરોધ) ખુબ હોય છે. તમે છો ઈશ્વરનાં મુરીદ. બાકી બધાં છે રાવણનાં મુરીદ.
તમે છો શિવબાબા નાં. શિવબાબા તમને વારસો આપે છે. સિવાય બાપ નાં બીજી કોઈ વાત બુદ્ધિ
માં ન આવવી જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી
બની સ્વયં સ્વયં સાથે વાત કરવાની છે-જ્યારે કે અમે દેવતા બનીએ છીએ તો અમારી ચલન કેવી
છે! કોઈ અશુદ્ધ ખાન-પાન તો નથી!
2. પોતાનું ભવિષ્ય ૨૧
જન્મોનાં માટે ઉંચુ બનાવવાનું છે તો સુદામા ની જેમ જે કાંઈ છે ભોળાનાથ બાપનાં હવાલે
કરી દો. ભણતર માટે કોઈ પણ બહાનું નહિં આપો.
વરદાન :-
સત્યતા ,
સ્વચ્છતા અને નિર્ભયતા નાં આધાર થી પ્રત્યક્ષતા કરવાવાળા રમતાયોગી ભવ
પરમાત્મ પ્રત્યક્ષતા
નો આધાર સત્યતા છે. અને સત્યતા નો આધાર સ્વચ્છતા કે નિર્ભયતા છે. જો કોઈ પણ પ્રકારની
અસ્વચ્છતા અર્થાત્ સચ્ચાઈ સફાઈ ની કમી છે, કે પોતાનાં જ તમોગુણી સંસ્કારો પર વિજયી
બનવામાં, સંસ્કાર મળાવવામાં કે વિશ્વ સેવાનાં ક્ષેત્રમાં પોતાનાં સિદ્ધાંતો ને
સિદ્ધ કરવામાં ભય છે તો પ્રત્યક્ષતા નથી થઈ શકતી, એટલે સત્યતા અને નિર્ભયતા ને ધારણ
કરી એક જ ધૂનમાં મસ્ત રહેવાવાળા રમતા યોગી, સહજ રાજયોગી બનો તો સહજ જ અંતિમ
પ્રત્યક્ષતા થશે.
સ્લોગન :-
બેહદ ની દૃષ્ટિ,
વૃત્તિ જ યુનિટી (એકતા) નો આધાર છે, એટલે હદમાં નહીં આવો.