02-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
આખા વિશ્વ પર શાંતિનું રાજ્ય સ્થાપન કરવાવાળા બાપ નાં મદદગાર છો , હમણાં તમારી સામે
સુખ - શાંતિ ની દુનિયા છે ”
પ્રશ્ન :-
બાપ બાળકોને
શેનાં માટે ભણાવે છે, ભણતર નો સાર શું છે?
ઉત્તર :-
બાપ પોતાનાં બાળકોને સ્વર્ગનાં પ્રિન્સ (રાજકુમાર), વિશ્વનાં માલિક બનાવવા માટે
ભણાવે છે, બાપ કહે છે બાળકો ભણતર નો સાર છે દુનિયાની બધી વાતોને છોડી દો, એવું
ક્યારેય નહીં સમજો અમારી પાસે કરોડ છે, લાખ છે. કાંઈ પણ હાથમાં નહીં આવશે એટલે સારી
રીતે પુરુષાર્થ કરો, ભણતર પર ધ્યાન આપો.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ……...
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું-છેવટે વિશ્વ પર શાંતિ નો સમય આવ્યો. બધાં કહે છે વિશ્વમાં કેવી રીતે શાંતિ
થાય પછી જે ઠીક સલાહ આપે છે તેમને ઇનામ આપે છે. નેહરુ પણ સલાહ આપતાં હતાં, શાંતિ તો
થઈ નહીં. ફક્ત સલાહ આપીને ગયાં. હમણાં આપ બાળકોની બુદ્ધિ માં છે કે કોઈ સમયે આખા
વિશ્વભરમાં સુખ, શાંતિ, સંપત્તિ વગેરે હતી. તે હમણાં નથી. હવે ફરી થવાની છે. ચક્ર
તો ફરશે ને. આ આપ સંગમયુગી બ્રહ્મણો ની બુદ્ધિ માં છે. તમે જાણો છો ભારત પાછું
સોનાનું બનવાનું છે. ભારતને જ ગોલ્ડન સ્પૈરો (ચકલી) કહેવાય છે. ભલે મહિમા તો કરે છે
પરંતુ ફક્ત કહેવા માત્ર. તમે તો હમણાં પ્રેક્ટીકલ માં પુરુષાર્થ કરી રહ્યાં છો. જાણો
છો બાકી થોડા દિવસ છે તો આ બધી નર્ક નાં દુઃખની વાતો ભૂલી જવાય છે. તમારી બુદ્ધિ
માં હવે સુખની દુનિયા સામે ઉભી છે. જેમ પહેલાં વિલાયત થી આવતા હતાં તો સમજતા હતાં
હવે બાકી થોડો સમય છે પહોંચવામાં કારણ કે પહેલાં વિલાયત થી આવવામાં ખુબ સમય લાગતો
હતો. હમણાં તો એરોપ્લેન (વિમાન) માં જલ્દી પહોંચી જવાય છે. હવે આપ બાળકોની બુદ્ધિ
માં છે કે હવે અમારા સુખ નાં દિવસો આવવાના છે, જેનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ.
બાબાએ પુરુષાર્થ પણ ખુબ સહજ બતાવ્યો છે. ડ્રામા અનુસાર કલ્પ પહેલાં માફક, આ સરટેન (નિશ્ચિત)
છે. તમે દેવતા હતાં, દેવતાઓનાં કેટલાં અનેકાઅનેક મંદિર બની રહ્યાં છે. બાળકો જાણે
છે આ મંદિર વગેરે બનાવી ને શું કરશે! બાકી દિવસ કેટલાં છે! આપ બાળકો નોલેજની ઓથોરિટી
છો. કહેવાય પણ છે પરમપિતા પરમાત્મા સર્વ શક્તિમાન ઓલમાઈટી ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા)
છે. તમે જ્ઞાનની ઓથોરિટી છો. તેઓ છે ભક્તિની ઓથોરિટી. બાપને કહેવાય છે ઓલમાઈટી
ઓથોરિટી. આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર બની રહ્યાં છો. તમને સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ બાપ થી વારસો
પામવાનો. જે ભક્તિ ની ઓથોરિટી છે તે બધાને ભક્તિ જ સંભળાવે છે. તમેં જ્ઞાનની ઓથોરિટી
છો તો જ્ઞાન જ સંભળાવો છો. સતયુગમાં ભક્તિ હોતી જ નથી. પૂજારી એક પણ હોતો નથી,
પૂજ્ય જ પૂજ્ય છે. અડધો કલ્પ છે પૂજ્ય, અડધો કલ્પ છે પુજારી. ભારતવાસીઓનાં માટે જ
છે, પૂજ્ય હતાં તો સ્વર્ગ હતું. હમણાં ભારત પૂજારી નર્ક છે. આપ બાળકો હવે
પ્રેક્ટીકલ લાઇફ બનાવી રહ્યાં છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાને સમજાવતાં રહો છો
અને વૃદ્ધિને પામતા રહો છો. ડ્રામા માં પહેલાથી જ નોંધ છે. ડ્રામા તમને પુરુષાર્થ
કરાવતો રહે છે, તમે કરતા રહો છો. જાણો છો ડ્રામા માં આપણો અવિનાશી પાર્ટ છે, દુનિયા
આ વાતોને શું જાણે. આપણો જ ડ્રામામાં પાર્ટ છે. જે કહેશે તે સમજશે ને કે કેવી રીતે
આપણો ડ્રામા માં પાર્ટ છે. આ સૃષ્ટિ ચક્ર ફરતું જ રહે છે. આ વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી તમારા સિવાય બીજા કોઈને ખબર જ નથી. ઊંચે થી ઊંચા કોણ છે, દુનિયામાં
કોઈ નથી જાણતું. ઋષિ-મુની વગેરે પણ કહેતા હતાં-અમે નથી જાણતાં. નેતી-નેતી કહેતાં હતાં
ને. હમણાં આપ બાળકો તો જાણો છો એ રચતા બાપ છે અને આપણને ભણાવી રહ્યાં છે. આ પણ બાબા
એ વારંવાર સમજાવ્યું છે કે અહીંયા જ્યારે બેસો છો તો દેહી-અભિમાની થઈને બેસો. એક
બાપ જ રાજયોગ શીખવાડે છે અને વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવે છે. બાપ કહે છે
હું કોઈ થોટ રીડર (વિચારો ને વાંચનાર) નથી, આટલી મોટી દુનિયા છે, તેને શું બેસીને
રીડ કરશે (વાંચશે). બાપ તો પોતે કહે છે હું ડ્રામાની નોંધ અનુસાર આવું છું તમને
પાવન બનાવવાં. ડ્રામા માં મારો જે પાર્ટ છે તેજ ભજવવા આવું છું. બાકી હું કોઈ થોટ
રીડ નથી કરતો, બતાવું છું મારો શું પાર્ટ છે અને તમે શું પાર્ટ ભજવી રહ્યાં છો. તમે
આ નોલેજ શીખી ને બીજાઓને શીખવાડી રહ્યાં છો. મારો પાર્ટ જ છે પતિતો ને પાવન બનાવવાનો.
આ પણ આપ બાળકો જાણો છો, તમે તિથિ તારીખ વગેરે બધું જાણો છો. દુનિયામાં કોઈ થોડી જાણે
છે. તમને બાપ શીખવાડી રહ્યા છે પછી જ્યારે આ ચક્ર પૂરું કરશો ત્યારે ફરી બાબા આવશે.
તે સમય જે સીન (દ્રશ્ય) ચાલે તે ફરી કલ્પ પછી ચાલશે. એક સેકન્ડ ન મળે બીજાથી. આ
નાટક ફરતું રહે છે. આપ બાળકોને બેહદ નાં નાટક ની ખબર છે. તો પણ તમે ઘડી-ઘડી ભૂલી
જાઓ છો. બાબા કહે છે તમે ફક્ત યાદ કરો, આપણાં બાબા, બાબા છે, એજ શિક્ષક છે, ગુરુ
છે. તમારી બુદ્ધિ એ તરફ ચાલી જવી જોઈએ. આત્મા ખુશ થાય છે બાપની મહિમા સાંભળીને. બધાં
કહે છે અમારા બાબા, બાબા છે, શિક્ષક છે, એ જ સાચા છે. ભણતર પણ સાચું અને પૂરું છે.
તે મનુષ્યનાં ભણતર અધૂરા છે. તો આપ બાળકોની બુદ્ધિ માં કેટલી ખુશી હોવી જોઈએ. મોટી
પરીક્ષા પાસ કરવાવાળા ની બુદ્ધિ માં વધારે ખુશી રહે છે. તમે કેટલું ઊંચુ ભણો છો તો
કેટલી અત્યંત ખુશી હોવી જોઈએ. ભગવાન, બાબા, બેહદ નાં બાપ આપણને ભણાવી રહ્યાં છે.
તમારા રોમાંચ ઊભા થઈ જવા જોઈએ. એજ એપિસોડ (અધ્યાય) રીપિટ થઇ રહ્યો છે, સિવાય તમારા
કોઈને ખબર નથી. કલ્પની આયુ જ વધારી દીધી છે. તમારી બુદ્ધિ માં હવે ૫ હજાર વર્ષની આખી
કથા ચક્ર લગાવતી રહે છે, જેને જ સ્વદર્શન ચક્ર કહેવાય છે.
બાળકો કહે છે બાબા તોફાન ખૂબ આવે છે, અમે ભૂલી જઈએ છીએ. બાબા કહે છે તમે કોને ભૂલી
જાઓ છો? બાપ જે તમને ડબલ સિરતાજ વિશ્વનાં માલિક બનાવે છે એમને તમે કેવી રીતે ભૂલો
છો! બીજા કોઈને નથી ભૂલતાં. સ્ત્રી, બાળ-બચ્ચા, કાકા, મામા, મિત્ર-સંબંધી વગેરે બધાં
યાદ છે. બાકી આ વાતને તમે ભૂલો કેમ છો. તમારું યુદ્ધ આ યાદમાં છે, જેટલું થઈ શકે
યાદ કરવાનું છે. બાળકોને પોતાની ઉન્નતિ માટે સવારે-સવારે ઉઠી બાપ ની યાદ માં યાત્રા
કરવાની છે. તમે અગાસી પર કે બહાર ઠંડી હવામાં ચાલ્યા જાઓ. અહીંયા જ આવીને બેસવાનું
કંઈ જરુરી નથી. બહાર પણ જઈ શકો છો , સવારનાં સમયે કોઈ ડર વગેરેની વાત નથી રહેતી.
બહાર માં જઈને ચાલતા યાદ કરો. આપસમાં આ જ વાતો કરતાં રહો, જોઈએ કોણ બાબા ને વધારે
યાદ કરે છે, પછી બતાવવું જોઈએ કેટલો સમય અમે યાદ કર્યા. બાકી નો સમય અમારી બુદ્ધિ
ક્યાં-ક્યાં ગઈ. આને કહેવાય છે-એક-બીજામાં ઉન્નતિને પામવું. નોંધ કરો કેટલો સમય બાપ
ને યાદ કર્યા. બાબાની જે પ્રેક્ટિસ છે તે બતાવે છે. યાદ માં તમે એક કલાક પગપાળા કરો
તો પગ થાકશે નહીં. યાદ થી તમારા કેટલા પાપ કપાઈ જશે. ચક્ર ને તો તમે જાણો છો,
રાત-દિવસ તમને હવે આ જ બુદ્ધિ માં છે કે આપણે હવે ઘરે જઈએ છીએ. પુરુષાર્થ કરો છો,
કળયુગી મનુષ્યો ને જરા પણ ખબર નથી-મુક્તિ માટે કેટલી ભક્તિ કરતાં રહે છે. અનેક મતો
છે. આપ બ્રાહ્મણોની છે જ એક મત, જે બ્રાહ્મણ બને છે, તે બધાની છે શ્રીમત. તમે બાપની
શ્રીમત થી દેવતા બનો છો. દેવતાઓની કોઇ શ્રીમત નથી. શ્રીમત હમણાં જ આપ બ્રાહ્મણો ને
મળે છે. ભગવાન છે જ નિરાકાર. જે તમને રાજયોગ શીખવાડે છે, જેમનાથી તમે પોતાનું
રાજ્ય-ભાગ્ય લઈ કેટલાં ઉંચા વિશ્વ નાં માલિક બનો છો. ભક્તિ માર્ગ નાં વેદ-શાસ્ત્ર
વગેરે કેટલાં અસંખ્ય છે. પરંતુ કામની ફક્ત એક ગીતા જ છે. ભગવાન આવીને રાજયોગ શીખવાડે
છે. તેને જ ગીતા કહેવાય છે. હમણાં તમે બાપથી ભણો છો, જેનાથી સ્વર્ગનું રાજ્ય પામો
છો. જે ભણ્યા તેમણે લીધું. ડ્રામા માં પાર્ટ છે ને. જ્ઞાન સંભળાવવા વાળા જ્ઞાન સાગર
એક જ બાપ છે. એ ડ્રામા પ્લાન અનુસાર કળયુગ નાં અંત સતયુગ નાં આદિ નાં સંગમ પર જ આવે
છે. કોઈ પણ વાતમાં મૂંઝાશો નહિં. બાપ આમનામાં આવી ને ભણાવે છે બીજું કોઈ પણ ભણાવી ન
શકે. આ (દાદા) પણ આગળ કોઈથી ભણેલાં હોત તો બીજા પણ ઘણાં તેમનાથી ભણેલાં હોત. બાપ તો
કહે છે આ ગુરુઓ વગેરે બધાનો ઉદ્ધાર કરવા હું આવું છું. હમણાં આપ બાળકોનો લક્ષ-હેતુ
સામે ઉભો છે. આપણે આ બનીએ છીએ, આ છે જ નર થી નારાયણ બનવાની સત્ય કથા. આની પછી
ભક્તિમાર્ગમાં મહિમા ચાલે છે. ભક્તિમાર્ગ ના રીવાજ ચાલતા આવે છે. હવે આ રાવણ રાજ્ય
પૂરું થવાનું છે. તમે હવે દશેરા વગેરે માં થોડી જશો. તમે તો સમજાવશો આ શું કરો છો.
આ તો બેબીઝ નું કામ છે. મોટા-મોટા વ્યક્તિઓ જોવા જાય છે. રાવણ ને કેવી રીતે બાળે
છે, આ છે કોણ, કોઈ બતાવી ન શકે. રાવણ રાજ્ય છે ને. દશેરા વગેરે માં કેટલી ખુશી મનાવે
છે, જેમાં રાવણને બાળતા આવ્યાં છે. દુઃખ પણ ચાલતું આવ્યું છે, કાંઈ પણ સમજ નથી. હમણાં
તમે સમજો છો આપણે કેટલાં બેસમજ હતાં. રાવણ બેસમજ બનાવી દે છે. હમણાં તમે કહો છો બાબા
અમે લક્ષ્મી-નારાયણ જરુર બનીશું. અમે કંઈ ઓછો પુરુષાર્થ થોડી કરીશું. આ એક જ સ્કૂલ
છે, ભણતર ખુબ સહજ છે. ઘરડી-ઘરડી માતાઓ બીજું કાંઈ નથી યાદ કરી શકતી તો ફક્ત બાપ ને
યાદ કરે. મુખથી હે રામ તો કહો છો ને. બાબા આ ખુબ સહજ બતાવે છે તમે આત્મા છો,
પરમાત્મા બાપ ને યાદ કરો તો તમારો બેડો પાર થઇ જશે. ક્યાં ચાલ્યાં જશો?
શાંતિધામ-સુખધામ. બીજું બધું ભૂલી જાઓ. જે કંઈ સાંભળ્યું છે, વાંચ્યું છે તે બધું
ભૂલી ને પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો બાપ થી વારસો જરુર મળશે. બાપ ની યાદ
થી જ પાપ કપાઈ જાય છે. કેટલું સહજ છે. કહે પણ છે ભ્રકુટી નાં મધ્યમાં ચમકે છે તારો.
તો જરુર આટલી નાની આત્મા હશે ને. ડોક્ટર લોકો ખુબ કોશિશ કરે છે, આત્મા ને જોવાની.
પરંતુ તે ખુબ સૂક્ષ્મ છે. હઠ વગેરે થી કોઇ જોઇ ન શકે. બાપ પણ એવા જ બિંદી છે. કહે
છે-જેમ તમે સાધારણ છો, હું પણ સાધારણ બની તમને ભણાવું છું. કોઈને શું ખબર કે આમને
ભગવાન કેવી રીતે ભણાવતા હશે. કૃષ્ણ ભણાવે તો આખા અમેરિકા, જાપાન વગેરે બધા તરફ થી
આવી જાય. તેમનાં માં એટલી કશિશ છે. કૃષ્ણની સાથે પ્રેમ તો બધાનો છે ને. હમણાં તો આપ
બાળકો જાણો છો આપણે તે બની રહ્યાં છીએ. કૃષ્ણ છે પ્રિન્સ, કૃષ્ણને ખોળામાં લેવા
ઈચ્છો છો તો પુરુષાર્થ કરવો પડે, કોઈ મોટી વાત નથી. બાપ પોતાનાં બાળકોને સ્વર્ગ નાં
પ્રિન્સ, વિશ્વ નાં માલિક બનાવવા માટે ભણાવે છે.
બાપ કહે છે-બાળકો, ભણતરનો સાર છે-દુનિયાની બધી વાતોને છોડી દો. એવું ક્યારેય નહીં
સમજો કે અમારી પાસે કરોડ છે, લાખ છે. કાંઈ પણ હાથમાં નહિં આવશે એટલે સારી રીતે
પુરુષાર્થ કરો. બાપ ની પાસે આવો છો તો બાપ ફરિયાદ કરે છે, ૮ મહિનાથી આવો છો અને બાપ
જેનાથી સ્વર્ગની બાદશાહી મળે છે એનાથી આટલો સમય મળ્યા પણ નહિ. કહે છે બાબા ફલાણું
કામ હતું. અરે, તમે મરી જાત તો પછી અહીંયા કેવી રીતે આવત! આ બહાના થોડી ચાલી શકશે.
બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે અને તમે શીખતા નથી, જેમણે ખુબ ભક્તિ કરી હશે તેમને ૭
દિવસ તો શું એક સેકન્ડમાં પણ તીર લાગી જાય. સેકન્ડમાં વિશ્વનાં માલિક બની શકે છે. આ
પોતે અનુભવી બેઠાં છે, વિનાશ જોયો, ચતુર્ભુજ રુપ જોયું, બસ સમજવા લાગ્યા ઓહો, હું
વિશ્વનો માલિક બનું છું. સાક્ષાત્કાર થયો, ઉમંગ આવ્યો અને બધું છોડી દીધું. અહીંયા
આપ બાળકો ને ખબર પડી બાપ આવ્યાં છે, વિશ્વની બાદશાહી આપવાં. બાબા પૂછે છે નિશ્ચય
ક્યારે થયો? તો કહે છે ૮ મહિના. બાબા એ સમજાવ્યું છે મૂળ વાત છે યાદ અને જ્ઞાન. બાકી
તો દીદાર કોઈ કામનો નથી. બાપ ને ઓળખી લીધા તો પછી ભણવાનું શરુ કરો તો તમે પણ આ બની
જશો. પોઈન્ટસ મળે છે જે કોઈને પણ સમજાવી શકો છો. ખુબ મીઠાશ થી સમજાવો. શિવબાબા જે
પતિત-પાવન છે, કહે છે મને યાદ કરો તો પાવન બની પાવન દુનિયાનાં માલિક બની જશો. યુક્તિ
થી સમજાવવાનું છે. તમે ઈચ્છો છો ને-ગોડફાધર લીબરેટ કરી સ્વીટ હોમ (પરમપિતા મુક્ત કરી
શાંતિધામ) પાછાં લઈ જાય. સારું, હવે તમારા ઉપર જે કાટ (જંક) ચઢેલો છે તેનાં માટે
બાપ કહે છે મને યાદ કરો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે-સવારે
ઉઠી ચાલતી વેળાએ બાપ ને યાદ કરો, આપસમાં આ જ મીઠી રુહરિહાન કરો કે જોઈએ કોણ કેટલો
સમય બાબા ને યાદ કરે છે, પછી પોતાનો અનુભવ સંભળાવો.
2. બાપ ને ઓળખી લીધા
તો પછી કોઈ બહાનું નથી આપવાનું, ભણતરમાં લાગી જવાનું છે, મુરલી ક્યારેય પણ મિસ નથી
કરવાની.
વરદાન :-
રીયલ્ટી (
સચ્ચાઈ ) દ્વારા દરેક કર્મ અથવા બોલમાં રોયલ્ટી દેખાડવા વાળા ફર્સ્ટ ડિવિઝન નાં
અધિકારી ભવ
રિયલ્ટી અર્થાત્
પોતાનાં અસલી સ્વરુપ ની સદા સ્મૃતિ, જેનાથી સ્થૂળ સૂરત (ચહેરા) માં પણ રોયલ્ટી નજર
આવશે. રિયલ્ટી અર્થાત્ એક બાપ બીજું ન કોઈ. આ સ્મૃતિ થી દરેક કર્મ અથવા બોલમાં
રોયલ્ટી દેખાશે. જે પણ સંપર્કમાં આવશે તેમને દરેક કર્મમાં બાપ સમાન ચરિત્ર અનુભવ થશે,
દરેક બોલમાં બાપ નાં સમાન ઓથોરિટી અને પ્રાપ્તિની અનુભૂતિ થશે. એમનો સંગ રીયલ હોવાનાં
કારણે પારસ નું કામ કરશે. એવી રિયલ્ટી વાળી રોયલ આત્માઓ જ ફર્સ્ટ ડિવિઝન નાં અધિકારી
બને છે.
સ્લોગન :-
શ્રેષ્ઠ કર્મો
નું ખાતું વધારો તો વિકર્મો નું ખાતું સમાપ્ત થઈ જશે.