13-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાપનો પ્રેમ લેવો હોય તો આત્મ - અભિમાની થઈને બેસો , બાપ થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાંં છીએ , આ ખુશી માં રહો ”

પ્રશ્ન :-
સંગમયુગ પર તમે બ્રાહ્મણ થી ફરિશ્તા બનવા માટે કઈ ગુપ્ત મહેનત કરો છો?

ઉત્તર :-
આપ બ્રાહ્મણોને પવિત્ર બનવાની જ ગુપ્ત મહેનત કરવી પડે છે. તમે બ્રહ્માનાં બાળકો સંગમ પર ભાઈ-બહેન છો, ભાઈ-બહેન ની ગંદી દૃષ્ટિ હોઈ ન શકે. સ્ત્રી-પુરુષ સાથે રહેતાં બંને પોતાને બી.કે. સમજો છો. આ સ્મૃતિ થી જ્યારે પૂરા પવિત્ર બનો ત્યારે ફરિશ્તા બની શકશો.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો, સ્વયં ને આત્મા સમજી અહીંયા બેસવાનું છે. આ રહસ્ય આપ બાળકોએ પણ સમજાવાનું છે. આત્મ-અભિમાની થઈને બેસશો તો બાપનાં સાથે પ્રેમ રહેશે. બાબા આપણને રાજ્યોગ શીખવાડે છે. બાબા થી આપણે સ્વર્ગનો વારસો લઇ રહ્યાંં છીએ. આ યાદ આખો દિવસ બુદ્ધિમાં રહે-આમાં જ મહેનત છે. આ ઘડી-ઘડી ભૂલી જાઓ છે તો ખુશીનો પારો ડલ થઈ જાય છે. બાબા સાવધાન કરે છે કે બાળકો દેહી-અભિમાની થઈને બેસો. સ્વયંને આત્મા સમજો. હમણાં આત્માઓ અને પરમાત્મા નો મેળો છે ને. મેળો લાગ્યો હતો, ક્યારે લાગ્યો હતો? જરુર કળયુગ અંત અને સતયુગ આદિનાં સંગમ પર જ લાગ્યો હશે. આજે બાળકોને ટોપિક (વિષય) પર સમજાવે છે. તમને ટોપિક તો જરુર લેવાનો છે. ઊંચે થી ઊંચા છે ભગવાન પછી નીચે આવો તો બ્રહ્મા-વિષ્ણુ-શંકર. બાપ અને દેવતાઓ. મનુષ્યોને આ ખબર નથી શિવ અને બ્રહ્મા-વિષ્ણુ-શંકર નો સંબંધ શું છે? કોઈને પણ એમની જીવનકહાની ની ખબર નથી. ત્રિમૂર્તિ નું ચિત્ર નામીગ્રામી છે. આ ત્રણેવ છે દેવતાઓ. ફક્ત ૩ નો ધર્મ થોડી હોય છે. ધર્મ તો મોટો હોય છે, ડીટી (દેવતા) ધર્મ. આ છે સૂક્ષ્મ વતનવાસી, ઉપર માં છે શિવબાબા. મુખ્ય છે બ્રહ્મા અને વિષ્ણુ. હમણાં બાપ સમજાવે છે તમારે વિષય આપવાનો છે-બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે. જેમ તમે કહો છો અમે શુદ્ર સો બ્રાહ્મણ, બ્રાહ્મણ સો દેવતા, તેમ આમનું પણ છે, પહેલાં-પહેલાં બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. તેઓ તો કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. આ તો છે ખોટું. થઈ પણ નથી શકતું. તો આ વિષય પર સારી રીતે સમજાવાનું છે, કોઈ કહે છે પરમાત્મા કૃષ્ણ નાં તન માં આવ્યાં છે. જો કૃષ્ણ માં આવે પછી તો બ્રહ્માનો પાર્ટ ખતમ થઇ જાય છે. કૃષ્ણ તો છે સતયુગનાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર). ત્યાં પતિત હોઈ કેવી રીતે શકે, જેમને આવીને પાવન બનાવે. બિલકુલ જ ખોટું છે. આ વાતો પણ મહારથી સર્વિસએબલ (સેવાધારી) બાળકો જ સમજે છે. બાકી તો કોઈની બુદ્ધિમાં બેસતું જ નથી. આ વિષય તો ખુબ ફર્સ્ટ ક્લાસ છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે. એમની જીવનકહાની બતાવે છે કારણ કે આમનું કનેક્શન છે. શરુઆત જ એવી રીતે કરવાની છે. બ્રહ્મા સો વિષ્ણુ એક સેકન્ડમાં. વિષ્ણુ સો બ્રહ્મા બનવામાં ૮૪ જન્મ લાગે છે. આ ખુબ સમજવાની વાતો છે. હમણાં તમે છો બ્રાહ્મણ કુળ નાં. પ્રજાપિતા બ્રહ્માનો બ્રાહ્મણ કુળ ક્યાં ગયો? પ્રજાપિતા બ્રહ્માની તો નવી દુનિયા જોઈએ ને. નવી દુનિયા છે સતયુગ. ત્યાં તો પ્રજાપિતા છે નહીં. કળયુગમાં પણ પ્રજાપિતા હોઈ ન શકે. એ છે સંગમયુગ પર. તમે હમણાં સંગમ પર છો. શુદ્ર થી તમે બ્રાહ્મણ બનો છો. બાપે બ્રહ્મા ને એડોપ્ટ કર્યા છે. શિવબાબાએ આમને કેવી રીતે રચ્યાં, આ કોઈ નથી જાણતું. ત્રિમૂર્તિ માં રચતા શિવ નું ચિત્ર જ નથી, તો ખબર કેવી રીતે પડે કે ઊંચે થી ઊંચા ભગવાન છે. બાકી બધી છે એમની રચના. આ છે બ્રાહ્મણ સંપ્રદાય તો જરુર પ્રજાપિતા જોઈએ. કળયુગ માં તો હોઈ ન શકે. સતયુગ માં પણ નથી. ગવાય છે બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ. હવે બ્રાહ્મણ ક્યાં નાં છે? પ્રજાપિતા બ્રહ્મા ક્યાંનાં છે? જરુર સંગમયુગનાં કહેશું. આ છે પુરુષોત્તમ સંગમયુગ. આ સંગમયુગ નું કોઈ પણ શાસ્ત્રો માં વર્ણન નથી. મહાભારત લડાઈ પણ સંગમ પર લાગી છે, ન કે સતયુગ કે કળયુગ માં. પાંડવ અને કૌરવ, આ છે સંગમ પર. તમે પાંડવ સંગમયુગી છો, તો કૌરવ કળયુગી છે. ગીતા માં પણ ભગવાનુવાચ છે ને. તમે છો પાંડવ દેવી સંપ્રદાય. તમે રુહાની પંડા બનો છો. તમારી છે રુહાની યાત્રા, જે તમે બુદ્ધિ થી કરો છો.

બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. યાદ ની યાત્રા પર રહો. શારીરિક યાત્રામાં તીર્થો વગેરે પર જઈને પાછાં આવે છે. તે અડધોકલ્પ ચાલે છે. આ સંગમયુગ ની યાત્રા એક જ વખત ની છે. તમે જઈને મૃત્યુલોકમાં પાછાં નહીં આવો. પવિત્ર બની ફરી તમારે પવિત્ર દુનિયામાં આવવાનું છે એટલે તમે હવે પવિત્ર બની રહ્યાંં છો. તમે જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ સંપ્રદાય નાં છીએ. પછી દેવી સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય બનીએ છીએ. સતયુગમાં દેવી-દેવતાઓ વિષ્ણુ સંપ્રદાય છે. ત્યાં ચતુર્ભુજ ની પ્રતિમા રહે છે, જેનાથી ખબર પડે છે આ વિષ્ણુ સંપ્રદાય છે. અહીંયા પ્રતિમા છે રાવણની, તો રાવણ સંપ્રદાય છે. તો આ વિષય રાખવાથી મનુષ્ય વન્ડર (આશ્ચર્ય) ખાશે. હવે તમે દેવતા બનવા માટે રાજયોગ શીખી રહ્યાંં છો. બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ, તમે શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો. એડોપ્ટ કરેલાં છો. બ્રાહ્મણ પણ અહીંયા છો પછી દેવતા પણ અહીંયા બનશો. ડિનાયસ્ટી (રાજધાની) અહીંયા જ હોય છે. ડિનાયસ્ટી રાજાઈ ને કહેવાય છે. વિષ્ણુની ડિનાયસ્ટી છે. બ્રાહ્મણો ની ડિનાયસ્ટી નહીં કહેશું. ડિનાયસ્ટી માં રાજાઈ ચાલે છે. એક પછી બીજું પછી ત્રીજું. હમણાં તમે જાણો છો આપણે છીએ બ્રાહ્મણ કુલ ભૂષણ. પછી દેવતા બનીએ છીએ. બ્રાહ્મણ સો વિષ્ણુ કુળમાં, વિષ્ણુકુળ થી આવીએ છે ક્ષત્રિય ચંદ્રવંશી કુળમાં, પછી વૈશ્યકુળ માં પછી શુદ્રકુળ માં. પછી બ્રાહ્મણ સો દેવતા બનીશું. અર્થ કેટલો ક્લિયર (સ્પષ્ટ) છે. ચિત્રોમાં શું-શું દેખાડે છે. આપણે બ્રાહ્મણ સો વિષ્ણુપુરી નાં માલિક બનીએ છીએ. આમાં મૂંઝાવું ન જોઈએ. બાબા જે આવાં (નિબંધ) આપે છે તેના પર પછી વિચાર સાગર મંથન કરવું જોઈએ-કોઈને કેવી રીતે સમજાવીએ, જે મનુષ્ય વન્ડર ખાય કે આ આમની સમજાણી (જ્ઞાન) તો ખુબ સરસ છે. સિવાય જ્ઞાન સાગર બીજું તો કોઈ સમજાવી ન શકે. વિચાર સાગર મંથન કરી પછી બેસી લખવું જોઈએ. પછી વાંચો તો વિચાર માં આવશે. આ-આ અક્ષર ઉમેરવા જોઈએ. બાબા પણ પહેલાં-પહેલાં મુરલી લખી ને તમને હાથમાં આપી દેતાં હતાં. પછી સંભળાવતાં હતાં. અહીંયા તો તમે ઘરમાં બાબાની સાથે રહો છો. હવે તો તમને બહાર જઈને સંભળાવવું પડે છે. આ વિષય ખુબ વન્ડરફુલ છે, બ્રહ્મા સો વિષ્ણુ, આમને કોઈ નથી જાણતું. વિષ્ણુની નાભિ થી બ્રહ્મા દેખાડે છે. જેમ ગાંધીની નાભિ થી નહેરુ. પરંતુ ડિનાયસ્ટી તો જોઈએ ને. બ્રાહ્મણ કુળમાં રાજાઈ નથી, બ્રાહ્મણ સંપ્રદાય સો બને છે ડીટી ડિનાયસ્ટી (દેવી રાજધાની). પછી ચંદ્રવંશી ડિનાયસ્ટી માં જઈશું પછી વૈશ્ય ડિનાયસ્ટી. એવી રીતે દરેક ડિનાયસ્ટી ચાલે છે ને. સતયુગ છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), કળયુગ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). આ બે અક્ષર પણ કોઈની બુદ્ધિમાં નથી. નહીં તો આ જરુર બુદ્ધિમાં હોવું જોઈએ કે વિશશ થી વાઈસલેસ કેવી રીતે બનાય છે. મનુષ્ય ન વાઈસલેસ ને જાણે છે, ન વિશશ ને. તમને સમજાવ્યું છે, દેવતાઓ વાઈસલેસ (નિર્વિકારી) છે. એવું ક્યારેય નથી સાંભળ્યું કે બ્રાહ્મણ વાઈસલેસ છે. નવી દુનિયા છે વાઈસલેસ, જૂની દુનિયા છે વિશશ (વિકારી). તો જરુર સંગમયુગ દેખાડવો પડે. આની કોઈને પણ ખબર નથી. પુરુષોત્તમ મહિનો મનાવે છે ને. તે 3 વર્ષ પછી એક મહિનો મનાવે છે. તમારો ૫ હજાર વર્ષ પછી એક સંગમયુગ આવે છે. મનુષ્ય આત્મા અને પરમાત્મા ને યથાર્થ નથી જાણતાં ફક્ત કહી દે છે ચમકે છે-અજબ તારો. બસ જેમ દેખાડે છે, રામકૃષ્ણ પરમહંસ નાં શિષ્ય વિવેકાનંદ કહેતાં હતાં હું ગુરુની સામે બેઠો હતો, ગુરુનું પણ ધ્યાન તો કરે છે ને. હવે બાપ કહે છે મામેકમ યાદ કરો. ધ્યાન ની તો વાત જ નથી, ગુરુ તો યાદ છે જ. ખાસ બેસી ને યાદ કરવાથી યાદ આવશે શું. એમની ગુરુમાં ભાવના હતી કે આ ભગવાન છે તો જોયું કે તેમની આત્મા નીકળી મારા માં લીન થઈ ગઈ. એમની આત્મા ક્યાં જઈને બેઠી પછી શું થયું, કાંઈ પણ વર્ણન નથી, બસ. ખુશ થયા અમને ભગવાનનો સાક્ષાત્કાર થયો. ભગવાન શું છે, તે નથી જાણતાં. બાપ સમજાવે છે સીડી નાં ચિત્ર પર તમે સમજાવો. આ છે ભક્તિમાર્ગ. તમે જાણો છો એક છે ભક્તિની બોટ (નાવ), બીજી છે જ્ઞાનની. જ્ઞાન અલગ, ભક્તિ અલગ છે. બાબા કહે છે મેં તમને કલ્પ પહેલાં જ્ઞાન આપ્યું હતું, વિશ્વ નાં માલિક બનાવ્યાં હતાં. હવે તમે ક્યાં છો. આપ બાળકોની બુદ્ધિમાં બધું જ્ઞાન છે, કેવી રીતે બીજી ડિનાયસ્ટી આવે છે, કેવી રીતે ઝાડ વધે છે. જેમ ગુલદસ્તો હોય છે ને. આ સૃષ્ટિ રુપી ઝાડ પણ ફૂલદાની છે. વચમાં તમારો ધર્મ પછી એનાથી બીજા ૩ ધર્મ નીકળે છે પછી તેનાથી વૃદ્ધિ થતી જાય છે. તો આ ઝાડને પણ યાદ કરવાનું છે. કેટલી ટાલ-ટાલીઓ વગેરે નીકળતી રહે છે. અંતમાં આવવા વાળા નું માન પણ થઇ જાય છે. વડ નું ઝાડ હોય છે ને, થુર (થડ) છે નહીં. બાકી આખું ઝાડ ઊભું છે. દેવી-દેવતા ધર્મ પણ ખતમ થયેલો છે. બિલકુલ સડી ગયો છે. ભારતવાસી પોતાનાં ધર્મને બિલકુલ નથી જાણતાં અને બધાં પોતાનાં ધર્મને જાણે છે, આ કહે છે અમે ધર્મને માનતાં જ નથી. મુખ્ય છે જ ૪ ધર્મ. બાકી નાનાં-નાનાં તો અનેક છે. આ ઝાડ અને સૃષ્ટિ ચક્રને તમે હમણાં જાણો છો. દેવી-દેવતા ધર્મનું નામ જ ગુમ કરી દીધું છે. ફરી બાપ તેની સ્થાપના કરી બાકી બધાં ધર્મનો વિનાશ કરી દે છે. ગોળા નાં ચિત્ર પણ જરુર લઈ જવું જોઈએ. આ સતયુગ, આ કળયુગ. કળયુગમાં કેટલાં ધર્મ છે, સતયુગમાં છે એક ધર્મ. એક ધર્મની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ કોણ કરતું હશે? ભગવાન પણ જરુર કોઈનાં દ્વારા તો કરાવશે ને. બાપ કહે છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરાવું છું. બ્રાહ્મણ સો વિષ્ણુ પુરી નાં દેવતા બનો છો.

સંગમ પર આપ બ્રાહ્મણોએ પવિત્ર બનવાની જ ગુપ્ત મહેનત કરવી પડે છે. આપ બ્રહ્માનાં બાળકો સંગમ પર ભાઈ-બહેન છો. ગંદી દૃષ્ટિ ભાઈ-બહેનની થઇ ન શકે. સ્ત્રી-પુરુષ બંને પોતાને બી.કે. સમજે છે. આમાં ખુબ મહેનત છે. સ્ત્રી-પુરુષ ની કશિશ એવી છે જે બસ, હાથ લગાવ્યાં વગર રહી ન શકે. અહીંયા ભાઈ-બહેને હાથ તો લગાડવાનો જ નથી, નહીં તો પાપની ફીલિંગ આવે છે. આપણે બી.કે. છીએ, આ ભૂલી જાય છે તો પછી ખતમ થઇ જાય છે. આમાં ખુબ ગુપ્ત મહેનત છે. ભલે યુગલ થઈ રહો છો કોઈને શું ખબર, તે પોતે જાણે છે અમે બી.કે. છીએ, ફરિશ્તા છીએ. હાથ લગાડવાનો નથી. એમ કરતાં-કરતાં સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બની જશો. નહીં તો ફરિશ્તા બની નહીં શકો. ફરિશ્તા બનવું છે તો પવિત્ર રહેવું પડે, એવી જોડી નીકળે તો નંબરવન જાય. કહે છે દાદા એ તો બધાં અનુભવ કર્યા, અંતમાં જઇને સંન્યાસ કર્યો, વધારે મહેનત તો એમને છે જે જોડી બની જાય છે. પછી તેમાં જ્ઞાન અને યોગ પણ જોઈએ. અનેકોને આપસમાન બનાવે ત્યારે ઊંચ રાજા બને. ફક્ત એક વાત તો નથી ને. બાપ કહે છે તમે શિવબાબા ને યાદ કરો. આ છે પ્રજાપિતા. ઘણાં એવાં પણ છે જે કહે છે અમારું કામ તો શિવબાબા થી છે. અમે બ્રહ્માને યાદ જ કેમ કરીએ! એમને પત્ર જ કેમ લખીએ! એવાં પણ છે. તમારે યાદ કરવાનાં છે શિવબાબાને એટલે બાબા ફોટો વગેરે પણ નથી આપતાં. આમનાં માં શિવબાબા આવે છે, આ તો દેહધારી છે ને. હમણાં તો આપ બાળકોને બાપ થી વારસો મળે છે. તેઓ પોતાને ઈશ્વર કહે છે પછી એનાથી શું મળે છે, કેટલું નુકશાન થયું છે ભારતવાસીઓનું. એકદમ ભારતવાસીઓ એ દેવાળું માર્યું છે. પ્રજા થી ભીખ માંગતાં રહે છે. ૧૦-૨૦ વર્ષ ની લોન લે છે પછી આપવાની થોડી છે. લેવા વાળા, આપવા વાળા બંને જ ખતમ થઇ જશે. ખેલ જ ખતમ થઈ જવાનો છે. અનેક મુસીબતો માથા પર છે. દેવાળું, બીમારીઓ વગેરે ખુબ છે. કોઈ સાહૂકારો ની પાસે રાખી દે છે અને તે દેવાળું મારી દે છે તો ગરીબોને કેટલું દુઃખ થાય છે. કદમ-કદમ પર દુઃખ જ દુઃખ છે. અચાનક બેઠાં-બેઠાં મરી જાય છે. આ છે જ મૃત્યુલોક. અમરલોક માં તમે હમણાં જઇ રહ્યાંં છો. અમરપુરીનાં બાદશાહ બનો છો. અમરનાથ આપ પાર્વતીઓ ને સાચી-સાચી અમરકથા સંભળાવી રહ્યાંં છે. તમે જાણો છો અમર બાબા છે, એમનાથી આપણે અમરકથા સાંભળી રહ્યાંં છીએ. હવે અમરલોક જવાનું છે. આ સમયે તમે છો સંગમયુગ પર. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિચાર સાગર મંથન કરી “બ્રહ્મા સો વિષ્ણુ” કેવી રીતે બને છે, આ વિષય પર સંભળાવવાનું છે. બુદ્ધિ ને જ્ઞાન મંથનમાં બીઝી (વ્યસ્ત) રાખવાની છે.

2. રાજાઈ પદ પ્રાપ્ત કરવાનાં માટે જ્ઞાન અને યોગની સાથે-સાથે આપસમાન બનાવવાની સર્વિસ (સેવા) પણ કરવાની છે. પોતાની દૃષ્ટિ ખુબ શુદ્ધ બનાવવાની છે.

વરદાન :-
નામ અને માન નાં ત્યાગ દ્વારા સર્વ નો પ્રેમ પ્રાપ્ત કરવાવાળા વિશ્વનાં ભાગ્ય વિધાતા ભવ

જેમ બાપ ને નામ રુપ થી ન્યારા કહે છે પરંતુ સૌથી અધિક નામ નું ગાયન બાપનું છે, તેમ જ તમે પણ અલ્પકાળ નાં નામ અને માન થી ન્યારા બનો તો સદાકાળનાં માટે સર્વનાં પ્રિય સ્વતઃ બની જશો. જે નામ-માન નાં ભિખારીપણા નો ત્યાગ કરે છે તે વિશ્વ નાં ભાગ્યવિધાતા બની જાય છે. કર્મનું ફળ તો સ્વતઃ તમારી સામે સંપન્ન સ્વરુપ માં આવશે એટલે અલ્પકાળ ની ઈચ્છા માત્રમ અવિદ્યા બનો. કાચું ફળ નહીં ખાઓ, તેનો ત્યાગ કરો તો ભાગ્ય તમારી પાછળ આવશે.

સ્લોગન :-
પરમાત્મ બાપ નાં બાળકો છો તો બુદ્ધિ રુપી પગ સદા તખ્તનશીન હોય.