23-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાપ આવ્યાં છે તમને જ્ઞાન થી શુદ્ધ ખુશ્બુદાર ફૂલ બનાવવા , તમારે કાંટો નથી બનવાનું , કાંટા ને આ સભામાં નથી લાવવાનાં ”

પ્રશ્ન :-
જે બાળકો યાદની યાત્રામાં મહેનત કરે છે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
યાદની મહેનત કરવા વાળા બાળકો ખુબ ખુશી માં રહેશે. બુદ્ધિ માં રહેશે કે હમણાં અમે પાછાં જઈ રહ્યાં છીએ. ફરી અમારે ખુશ્બુદાર ફૂલોનાં બગીચામાં જવાનું છે. તમે યાદની યાત્રા થી ખુશ્બુદાર બનો છો અને બીજાઓને પણ બનાવો છો.

ઓમ શાંતિ!
બાગવાન પણ બેઠાં છે, માળી પણ છે, ફૂલ પણ છે. આ નવી વાત છે ને. કોઈ નવું જો સાંભળે તો કહેશે આ શું કહે છે. બાગવાન ફૂલ વગેરે આ શું છે. આવી વાતો તો ક્યારેય શાસ્ત્રોમાં સાંભળી નથી. આપ બાળકો જાણો છો, યાદ પણ કરે છે બાગવાન-ખેવૈયા ને. હવે અહીંયા આવ્યાં છે, અહીંયાથી પાર લઈ જવાં. બાપ કહે છે યાદની યાત્રા પર રહેવાનું છે. સ્વયં જ સ્વયંને જ જુઓ અમે કેટલાંં દુર જઈ રહ્યાં છીએ? કેટલી પોતાની સતોપ્રધાન અવસ્થા સુધી પહોંચ્યાં છીએ? જેટલી સતોપ્રધાન અવસ્થા થતી જશે તો સમજશે હવે અમે જઈ રહ્યાં છીએ. ક્યાં સુધી આપણે પહોંચ્યાં છીએ, બધો આધાર યાદની યાત્રા પર છે. ખુશી પણ ચઢી રહેશે. જે જેટલી-જેટલી મહેનત કરે છે એટલી તેને ખુશી આવશે. જેમ પરીક્ષાનાં દિવસો હોય છે તો સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સમજી જાય છે ને-અમે ક્યાં સુધી પાસ થઈશું. અહીંયા પણ એવું છે-દરેક બાળક પોતાને જાણે છે કે ક્યાં સુધી અમે ખુશ્બુદાર ફૂલ બન્યાં છીએ? કેટલાંં ખુશ્બુદાર પછી બીજાઓને બનાવીએ છીએ. આ ગવાય જ છે-કાંટા નું જંગલ. તે છે ફૂલોનો બગીચો. મુસલમાન લોકો પણ કહે છે ગાર્ડન ઓફ અલ્લાહ (ઈશ્વરનો બગીચો). સમજે છે ત્યાં એક બગીચો છે, ત્યાં જે જાય છે તેમને ખુદા (ઈશ્વર) ફૂલ આપે છે. મનમાં જે કામના હોય છે તે પૂરી કરે છે. બાકી એવું તો નથી, કોઈ ફૂલ લઇને આપે છે, જેવું જેમની બુદ્ધિમાં છે તે સાક્ષાત્કાર થઇ જાય છે. અહીંયા સાક્ષાત્કાર પર કાંઈ પણ નથી. ભક્તિમાર્ગ માં તો સાક્ષાત્કાર નાં માટે ગળું પણ કાપી નાખે છે. મીરાને સાક્ષાત્કાર થયો એનું કેટલું માન છે. તે છે ભક્તિ માર્ગ. ભક્તિને અડધો કલ્પ ચાલવાનું જ છે. જ્ઞાન છે જ નહીં. વેદો વગેરે નું ખુબજ માને છે. કહે છે વેદ તો અમારાં પ્રાણ છે. હમણાં તમે જાણો છો આ વેદ-શાસ્ત્ર વગેરે બધાં છે ભક્તિમાર્ગ માટે. ભક્તિનો કેટલો મોટો વિસ્તાર છે. મોટું ઝાડ છે. જ્ઞાન છે બીજ. હમણાં જ્ઞાન થી તમે કેટલાંં શુદ્ધ થાઓ છો. ખુશ્બુદાર બનો છો. આ તમારો બગીચો છે. અહીંયા કાંટા કોઈને પણ નહીં કહેશું કારણ કે અહીંયા વિકારમાં કોઈ જતું નથી. તો કહેશું આ બગીચામાં એક પણ કાંટો નથી. કાંટા છે કળયુગમાં. હમણાં છે પુરુષોત્તમ સંગમયુગ. આમાં કાંટા ક્યાંથી આવે. જો કોઈ કાંટો બેઠો છે તો પોતાને જ નુકસાન પહોંચાડે છે કારણ કે આ ઇન્દ્રપ્રસ્થ છે ને. આમાં જ્ઞાન પરીઓ બેઠી છે. જ્ઞાન ડાન્સ કરવાવાળી પરીઓ છે. મુખ્ય-મુખ્ય નાં નામ પોખરાજ પરી, નીલમ પરી વગેરે-વગેરે પડ્યાં છે. એ જ પછી ૯ રત્ન ગવાય છે. પરંતુ આ કોણ હતાં, આ કોઈને પણ ખબર નથી. બાપ ફક્ત કહે છે મને યાદ કરો. આપ બાળકોની બુદ્ધિ માં હવે સમજ છે, ૮૪ નું ચક્ર પણ હમણાં બુદ્ધિમાં છે. શાસ્ત્રો માં તો ૮૪ લાખ કહી દીધું છે. મીઠાં-મીઠાં સિકિલધા બાળકોને બાપે સમજાવ્યું છે તમે ૮૪ જન્મ લીધાં. હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. કેટલું સહજ છે. ભગવાનુવાચ બાળકો પ્રતિ, મામેકમ યાદ કરો. હમણાં આપ બાળકો ખુશ્બુદાર ફૂલ બનવાનાં માટે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. કાંટા નહીં બનો. અહીંયા બધાં મીઠાં-મીઠાં ફૂલ છે. કાંટા નથી. હા, માયા નાં તોફાન તો આવશે. માયા એવી કઠોર છે જે ઝટ ફસાવી દેશે. પછી પછતાશો-અમે આ શું કર્યું. અમારી તો કરેલી કમાણી બધી ચટ થઈ ગઈ.

આ છે બગીચો. બગીચામાં સારા-સારા ફૂલ પણ હોય છે. આ બગીચામાં પણ કોઈ તો ફર્સ્ટક્લાસ ફૂલ થતા જાય છે. જેમ મુગલ ગાર્ડન માં સારા-સારા ફૂલ હોય છે. બધાં જાય છે જોવાં. અહીંયા તમારી પાસે કોઈ જોવા તો આવશે નહીં. તમે કાંટાને શું મોઢું દેખાડશો. ગાયન પણ છે મૂત પલીત….. બાબા ને જપ સાહેબ, સુખમણી વગેરે બધું યાદ હતું. અખંડ પાઠ પણ કરતાં હતાં, ૮ વર્ષ નાં હતાં તો પટકા બાંધતા હતાં, રહેતાં જ મંદિર માં હતાં. મંદિર નો ચાર્જ (જવાબદારી) બધો મારાં ઉપર હતો. હમણાં સમજે છે, મૂત પલીતી કપડાં ધોવાનો અર્થ શું છે. મહિમા બધી બાબાની જ છે. હમણાં આપ બાળકોને બાપ બેસી સમજાવે છે. બાળકો ને કહે પણ છે-સારા સારા ફૂલ લાવો. જે સારા-સારા ફૂલ લાવશે તે સારા ફૂલ માનવામાં આવશે. બધાં કહે છે અમે શ્રી લક્ષ્મી-નારાયણ બનશું તો ગુલાબનાં ફૂલ થઈ ગયાં. બાપ કહે છે સરસ આપ બાળકોનાં મુખ માં ગુલાબ. હવે પુરુષાર્થ કરી સદા ગુલાબ બનો. અનેકા અનેક બાળકો છે. પ્રજા તો ઘણી બની રહી છે. ત્યાં છે જ રાજા રાણી અને પ્રજા. સતયુગ માં વજીર હોતા જ નથી કારણ કે રાજા માં જ પાવર (શક્તિ) રહે છે. વજીર વગેરે થી સલાહ લેવાની દરકાર નથી રહેતી. નહીં તો સલાહ આપવાવાળા મોટાં થઈ જાય. ત્યાં ભગવાન-ભગવતી ને સલાહ ની દરકાર નથી, વજીર વગેરે ત્યારે હોય છે, જ્યારે પતિત થાય છે. ભારત ની જ વાત છે, બીજા કોઈ ખંડ નથી, જ્યાં રાજાઓ રાજાઓને માથું ટેકવે. અહીંયા જ દેખાડાય છે જ્ઞાનમાર્ગ માં પૂજ્ય, અજ્ઞાન માર્ગમાં પુજારી. તે ડબલ તાજ, તે સિંગલ તાજ. ભારત જેવો પવિત્ર ખંડ કોઈ છે નહીં. પેરેડાઇઝ (વૈકુંઠ), બહિશ્ત હતું. તમે તેનાં માટે જ ભણો છો. હમણાં તમારે ફૂલ બનવાનું છે. બાગવાન આવ્યાં છે. માળી પણ છે. માળી નંબરવાર હોય છે. બાળકો પણ સમજે છે આ બગીચો છે, આમાં કાંટા નથી, કાંટા દુઃખ આપે છે. બાપ તો કોઈને દુઃખ નથી આપતાં. એ છે જ દુઃખહર્તા, સુખકર્તા. કેટલાંં મીઠાં બાબા છે.

આપ બાળકોને બાપ પર પ્રેમ છે. બાપ પણ બાળકો ને પ્રેમ કરે છે ને. આ ભણતર છે. બાપ કહે છે હું તમને પ્રેક્ટીકલમાં ભણાવું છું, આ પણ ભણે છે, ભણીને પછી ભણાવો તો બીજા પણ કાંટા થી ફૂલ બને. ભારત મહાદાની ગવાયેલ છે કારણ કે હમણાં આપ બાળકો મહાદાની બનો છો. અવિનાશી જ્ઞાન રત્નોનું તમે દાન કરો છો. બાબાએ સમજાવ્યું છે આત્મા જ રુપ વસંત છે. બાબા પણ રુપ વસંત છે. એમના માં બધું જ્ઞાન છે. જ્ઞાનનાં સાગર છે પરમપિતા પરમાત્મા, તે ઓથોરિટી (સત્તા) છે ને. જ્ઞાનનાં સાગર એક બાપ છે એટલે ગાયન છે આખો સમુદ્ર શાહી બનાવો તો પણ ખૂટવા વાળું નથી. અને પછી એક સેકન્ડમાં જીવનમુક્તિ નું પણ ગાયન છે. તમારી પાસે કોઈ શાસ્ત્ર વગેરે નથી. ત્યાં કોઈ પંડિત વગેરે ની પાસે જશો તો સમજે છે આ પંડિત ખુબ ભણેલાં ઓથોરિટી છે. આમણે બધાં વેદ શાસ્ત્ર કંઠ કર્યા છે પછી સંસ્કાર લઈ જાય છે તો નાનપણ થી પછી તે અધ્યન કરી લે છે. તમે સંસ્કાર નથી લઈ જતાં. તમે ભણતર નું રીઝલ્ટ (પરિણામ) લઇ જાઓ છો. તમારું ભણતર પૂરું થયું પછી રીઝલ્ટ નીકળશે અને એ પદ પામી લેશો. જ્ઞાન થોડી લઈ જશો જે કોઈને સંભળાવશો. અહીંયા તો તમારું ભણતર છે, જેની પ્રાલબ્ધ નવી દુનિયામાં મળવાની છે. આપ બાળકોને બાપે સમજાવ્યું છે-માયા પણ કોઈ ઓછી શક્તિવાન નથી. માયા ને શક્તિ છે દુર્ગતિ માં લઈ જવાની. પરંતુ તેની મહિમા થોડી કરશે. તે તો દુઃખ આપવામાં શક્તિમાન છે ને. બાપ સુખ આપવામાં શક્તિમાન છે એટલે એમનું ગાયન છે. આ પણ ડ્રામા બનેલો છે. તમે સુખ માણો છો તો દુઃખ પણ ભોગવો છો. હાર અને જીત કોની છે, તેની પણ ખબર હોવી જોઈએ ને. બાપ પણ ભારતમાં આવે છે, જયંતી પણ ભારતમાં મનાવાય છે, આ કોઈને પણ ખબર નથી કે શિવબાબા ક્યારે આવ્યાં, શું આવીને કર્યું હતું. નામ-નિશાન જ લોપ કરી દીધું છે. કૃષ્ણ બાળક નું નામ આપી દીધું છે. વાસ્તવમાં બીલવેડ (પ્રિય) બાપની મહિમા અલગ, કૃષ્ણની મહિમા અલગ છે. એ નિરાકાર, તે સાકાર છે. કૃષ્ણ ની મહિમા છે સર્વગુણ સમ્પન્ન….. શિવબાબાની આ મહિમા નહીં કરશે, જેમાં ગુણ છે તો અવગુણ પણ હશે એટલે બાપની મહિમા જ અલગ છે. બાપને અકાળમૂર્ત કહે છે ને. આપણે પણ અકાળમૂર્ત છીએ. આત્માને કાળ ખાઈ નથી શકતો. આત્મા અકાળમૂર્ત નું આ તખ્ત છે. આપણા બાબા પણ અકાળમૂર્ત છે. કાળ શરીર ને જ ખાય છે. અહીંયા અકાળમૂર્ત ને બોલાવે છે. સતયુગ માં નહિં બોલાવશે કારણ કે ત્યાં તો સુખ જ સુખ છે એટલે ગાએ પણ છે દુઃખ મેં સિમરણ સબ કરે સુખ મેં કરે ન કોઈ. હમણાં રાવણ રાજ્યમાં કેટલાં દુઃખ છે. બાપ તો સ્વર્ગનાં માલિક બનાવે છે પછી ત્યાં અડધોકલ્પ કોઈ પોકારતા જ નથી. જેમ લૌકિક બાપ બાળકોનો શ્રુંગાર કરી વારસો આપી પોતે વાનપ્રસ્થ અવસ્થા લે છે. બધુંજ બાળકોને આપીને કહેશે-હવે અમે સતસંગ માં જઈએ છીએ. કાંઈ ખાવા માટે મોકલતા રહેજો. આ બાપ તો એવું નહીં કહેશે ને. આ તો કહે છે મીઠાં-મીઠાં બાળકો હું તમને વિશ્વની બાદશાહી આપીને વાનપ્રસ્થ માં ચાલ્યો જઈશ. હું થોડી કહીશ-ખાવા માટે મોકલજો. લૌકિક બાળકોની તો ફરજ છે બાપની સંભાળ કરવી. નહીં તો ખાશે કેવી રીતે? આ બાપ તો કહે છે હું નિષ્કામ સેવાધારી છું. મનુષ્ય કોઈ નિષ્કામ હોઈ ન શકે. ભૂખે મરી જાય. હું થોડી ભૂખે મરીશ, હું તો અભોક્તા છું. આપ બાળકોને વિશ્વની બાદશાહી આપીને હું જઈને વિશ્રામ કરું છું. પછી મારો પાર્ટ બંધ થઈ જાય છે. પછી ભક્તિમાર્ગમાં શરું થાય છે. આ અનાદિ ડ્રામા બનેલો છે, જે રહસ્ય બાપ બેસી સમજાવે છે. વાસ્તવમાં તમારો પાર્ટ સૌથી વધારે છે તો વળતર પણ તમને મળવું જોઈએ. હું આરામ કરું છું, તો તમે પછી બ્રહ્માંડ નાં પણ માલિક, વિશ્વ નાં પણ માલિક બનો છો. તમારું નામ ઊંચું થાય છે. આ ડ્રામા નું રહસ્ય પણ તમે જાણો છો. તમે છો જ્ઞાનનાં ફૂલ. દુનિયા માં એક પણ નથી. રાત-દિવસનો ફરક છે. તે રાતમાં છે, તમે દિવસમાં જાઓ છો. આજકાલ જુઓ વન ઉત્સવ કરતાં રહે, હવે ભગવાન મનુષ્યો નો વનોત્સવ કરી રહ્યાં છે.

બાપ જુઓ કેવી કમાલ કરે છે જે મનુષ્ય ને દેવતા, રંક ને રાવ (રાજા) બનાવી દે છે. હવે બેહદનાં બાપ થી તમે સૌદો લેવા આવ્યાં છો, કહો છો બાબા અમને રંક થી રાવ બનાવો. આ તો ખુબ સારા ગ્રાહક છે. એમને તમે કહો પણ છો દુઃખહર્તા સુખકર્તા. આનાં જેવું દાન કોઈ હોતું જ નથી. એ છે સુખ આપવા વાળા. બાપ કહે છે ભક્તિમાર્ગ માં પણ હું તમને આપું છું. આ ડ્રામા માં નોંધ છે સાક્ષાત્કાર વગેરે ની. હવે બાપ બેસી સમજાવે છે હું શું-શું કરું છું. આગળ ચાલી સમજાવતાં રહેશે. છેલ્લે અંત માં તમે નંબરવાર કર્માતીત અવસ્થા ને પામશો. આ બધું ડ્રામા માં નોંધ છે છતાં પણ પુરુષાર્થ કરાવાય છે, બાપ ને યાદ કરો. બરાબર આ મહાભારત લડાઈ પણ છે. બધું ખતમ થઈ જશે. બાકી ભારતવાસી જ રહેશે પછી તમે વિશ્વ પર રાજ્ય કરો છો. હમણાં બાપ તમને ભણાવવા આવ્યાં છે. એ જ જ્ઞાન સાગર છે. આ પણ રમત છે, આમાં મુંઝવાની વાત જ નથી. માયા તોફાન માં લાવશે. બાપ સમજાવે છે આનાંથી ડરો નહીં. બહુજ ગંદા-ગંદા સંકલ્પ આવશે. એ પણ ત્યારે જયારે બાબાની ગોદ લેશો. જ્યાં સુધી ગોદ જ નથી લીધી તો માયા એટલું નહીં લડશે. ગોદ લેવાનાં પછી જ તોફાન લાગે છે એટલે બાપ કહે છે ગોદ પણ સંભાળીને લેવી જોઈએ. કમજોર હશે તો પછી પ્રજા માં આવી જશે. રાજાઈ પદ પામવું તો સારું છે, નહીં તો દાસ-દાસીઓ બનવું પડશે. આ સૂર્યવંશી-ચંદ્રવંશી રાજધાની સ્થાપન થઈ રહી છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત બની અવિનાશી જ્ઞાન રત્નનું દાન કરી મહાદાની બનવાનું છે. જે ભણતર ભણો છો તે બીજાઓને પણ ભણાવવાનું છે.

2. કોઈ પણ વાતમા મુંઝાવાનું કે ડરવાનું નથી, પોતાની સંભાળ કરવાની છે. સ્વયં સ્વયં થી પૂછવાનું છે હું કયા પ્રકારનું ફૂલ છું. મારામાં કોઈ દુર્ગંધ તો નથી?

વરદાન :-
ના ઉમ્મીદી ની ચિતા પર બેઠેલી આત્માઓને નવાં જીવનનું દાન આપવા વાળા ત્રિમૂર્તિ પ્રાપ્તિઓ થી સમ્પન્ન ભવ

સંગમયુગ પર બાપ દ્વારા બધાં બાળકોને એવરહેલ્દી, વેલ્દી અને હેપ્પી રહેવાનું ત્રિમૂર્તિ વરદાન પ્રાપ્ત થાય છે જે બાળકો આ ત્રણેવ પ્રાપ્તિઓથી સદા સમ્પન્ન રહે છે તેમનો ખુશનસીબ, હર્ષિતમુખ ચહેરો જોઈને માનવજીવન માં જીવવા નો ઉમંગ-ઉત્સાહ આવી જાય છે કારણ કે હમણાં મનુષ્ય જીવતા હોવાં છતાં પણ નાઉમ્મીદી ની ચિતા પર બેઠેલાં છે. હવે એવી આત્માઓને મરજીવા બનાવો. નવાં જીવન નું દાન આપો. સદા સ્મૃતિમાં રહે કે આ ત્રણેવ પ્રાપ્તિઓ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. ત્રણેવ ધારણાઓનાં માટે ડબલ અન્ડરલાઇન લગાવો.

સ્લોગન :-
ન્યારા અને અધિકારી થઈને કર્મમાં આવવું-આ જ બંધનમુક્ત સ્થિતિ છે.