12-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હમણાં તમે ઈશ્વરીય સંતાન બન્યાં છો , તમારા માં કોઇ આસુરી ગુણ ન હોવાં જોઈએ , પોતાની ઉન્નતિ કરવાની છે , ગફલત નથી કરવાની ”

પ્રશ્ન :-
આપ સંગમયુગી બ્રાહ્મણ બાળકોને કયો નિશ્ચય અને નશો છે?

ઉત્તર :-
આપણને બાળકોને નિશ્ચય અને નશો છે કે હમણાં આપણે ઈશ્વરીય સંપ્રદાયનાં છીએ. આપણે સ્વર્ગવાસી વિશ્વનાં માલિક બની રહ્યાં છીએ. સંગમ પર આપણે ટ્રાન્સફર થઇ રહ્યાં છીએ. આસુરી સંતાન થી ઈશ્વરીય સંતાન બની ૨૧ જન્મોનાં માટે સ્વર્ગવાસી બનીએ છીએ, આનાથી ઉંચી કોઈ વસ્તુ હોતી નથી.

ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો ને સમજાવે છે, વધારે કરીને મનુષ્ય શાંતિ ને પસંદ કરે છે. ઘરમાં જો બાળકો ની ખિટ-ખિટ છે, તો અશાંતિ રહે છે. અશાંતિથી દુઃખ ભાસે છે. શાંતિ થી સુખ ભાસે છે. અહીંયા આપ બાળકો બેઠા છો, તમને સાચી શાંતિ છે. તમને કહેલું છે બાપ ને યાદ કરો. પોતાને આત્મા સમજો. આત્મા માં જે અડધાકલ્પ થી અશાંતિ છે, તે નીકળવાની છે શાંતિનાં સાગર બાપને યાદ કરવાથી. તમને શાંતિ નો વારસો મળી રહ્યો છે. આ પણ તમે જાણો છો શાંતિ ની દુનિયા અને અશાંતિ ની દુનિયા બિલકુલ અલગ છે. આસુરી દુનિયા, ઈશ્વરીય દુનિયા, સતયુગ, કળયુગ કોને કહેવાય છે, આ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતાં. તમે કહેશો અમે પણ નહોતા જાણતાં. ભલે કેટલી પણ પોઝિશન (પદ) વાળા હતાં. પૈસા વાળા ને પોઝિશન વાળા કહેવાય છે. ગરીબ અને સાહૂકાર સમજી તો શકાય છે ને. તેમ તમે પણ સમજી શકો છો બરાબર ઈશ્વરીય સંતાન અને આસુરી સંતાન. હમણાં આપ મીઠા બાળકો સમજો છો અમે ઈશ્વરીય સંતાન છીએ. આ પાક્કો નિશ્ચય છે ને. તમે બ્રાહ્મણ સમજો છો અમે ઈશ્વરીય સંપ્રદાય સ્વર્ગવાસી વિશ્વનાં માલિક બની રહ્યા છીએ. દરેક સમયે તે ખુશી રહેવી જોઈએ. ખુબ જ થોડા છે જે યથાર્થ રીતે સમજે છે. સતયુગમાં છે ઇશ્વરીય સંપ્રદાય. કળયુગ માં છે આસુરી સંપ્રદાય. પુરુષોત્તમ સંગમયુગ પર આસુરી સંપ્રદાય બદલી થાય છે. હમણાં આપણે શિવબાબા ના સંતાન બન્યાં છીએ. વચમાં ભૂલી ગયા હતાં. હમણાં ફરી આ સમયે જાણ્યું છે કે આપણે શિવબાબા ના સંતાન છીએ. ત્યાં સતયુગમાં કોઈ પોતાને ઈશ્વરીય સંતાન નથી કહેતાં. ત્યાં છે દૈવી સંતાન. એનાં પહેલાં આપણે આસુરી સંતાન હતાં. હમણાં ઈશ્વરીય સંતાન બન્યાં છીએ. આપણે બ્રાહ્મણ બી.કે. છીએ. રચના છે એક બાપની. તમે બધાં ભાઈ-બહેન છો અને ઈશ્વરીય સંતાન છો. તમે જાણો છો બાબા થી રાજ્ય મળી રહ્યું છે. ભવિષ્ય માં જઈને અમે દૈવી સ્વરાજ્ય પામીશું, સુખી હોઈશું. બરાબર સતયુગ છે સુખનું ધામ, કળિયુગ છે દુઃખ ધામ. આ ફક્ત તમે સંગમયુગી બ્રાહ્મણ જાણો છો. આત્મા જ ઈશ્વરીય સંતાન છે. આ પણ જાણો છો બાબા સ્વર્ગની સ્થાપના કરે છે. તે રચતા છે ને. નર્ક નાં ક્રિએટર (રચયિતા) તો નથી. એને કોણ યાદ કરશે. આપ મીઠા-મીઠા બાળકો જાણો છો-બાપ સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છે. એ આપણા ખુબ મીઠા બાપ છે. આપણને ૨૧ જન્મોનાં માટે સ્વર્ગવાસી બનાવે છે, આનાંથી ભારે વસ્તુ કોઈ હોતી નથી. આ સમજ રાખવી જોઈએ. આપણે ઈશ્વરીય સંતાન છીએ, તો આપણા માં કોઇ આસુરી અવગુણ હોવાં ન જોઈએ. પોતાની ઉન્નતિ કરવાની છે. સમય બાકી થોડો છે, આમાં ગફલત ન કરવી જોઈએ. ભૂલી નહીં જાઓ. જુઓ છો બાપ સમ્મુખ બેઠા છે, જેમનાં આપણે સંતાન છીએ. આપણે ઈશ્વર બાપ થી ભણી રહ્યાં છીએ દૈવી સંતાન બનવાનાં માટે, તો કેટલી ખુશી હોવી જોઈએ. બાબા ફક્ત કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. બાપ આવ્યાં જ છે બધાને લઈ જવાં. જેટલું-જેટલું યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. અજ્ઞાન માં જેમ કન્યા ની સગાઈ થાય છે તો યાદ બિલકુલ છપાઈ જાય છે. બાળક જન્મ્યો અને યાદ છપાઈ જાય છે. આ યાદ તો સ્વર્ગમાં પણ છપાઈ જાય, નર્ક માં પણ છપાઈ જાય. બાળક કહેશે આ મારા પિતા છે, હવે આ તો છે બેહદ નાં બાપ. જેમનાં થી સ્વર્ગનો વારસો મળે છે તો એમની યાદ છપાઈ જવી જોઈએ. બાપ થી આપણે ભવિષ્ય ૨૧ જન્મોનો ફરીથી વારસો લઇ રહ્યાં છીએ. બુદ્ધિ માં વારસો જ યાદ છે.

આ પણ જાણો છો મરવાનું તો બધાએ છે. એક પણ રહેવાનો નથી જે પણ ડીયરેસ્ટ થી ડીયરેસ્ટ (પ્રિય થી પ્રિય) છે, બધાં ચાલ્યા જશે. આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો કે આ જૂની દુનિયા હવે ગઈ કે ગઈ. એનાં જવાના પહેલાં પૂરો પુરુષાર્થ કરવાનો છે. જ્યારે કે ઈશ્વરીય સંતાન છે તો અથાહ ખુશી હોવી જોઈએ. બાપ કહેતા રહે છે-બાળકો, પોતાનું જીવન હીરા જેવું બનાવો. તે છે ડીટી (દૈવી) વર્લ્ડ, આ છે ડેવિલ (આસુરી) વર્લ્ડ. સતયુગ માં કેટલું અથાહ સુખ રહે છે. તે બાપ જ આપે છે. અહીંયા તમે બાપની પાસે આવ્યાં છો. અહીંયા બેસી તો નહીં જશો. એવું તો નથી બધાં ભેગા રહેશે કારણ કે બેહદ (અનેક) બાળકો છે. અહીંયા તમે ખુબ ઉમંગ થી આવો છો. અમે જઈએ છીએ બેહદનાં બાપ પાસે. અમે ઈશ્વરીય સંતાન છીએ. ગોડ ફાધર (પરમપિતા) નાં બાળક છીએ. તો અમે કેમ ન સ્વર્ગમાં હોવા જોઈએ. ગોડફાધર તો સ્વર્ગ રચે છે ને. હવે તમારી બુદ્ધિ માં આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી છે. જાણો છો હેવનલી ગોડફાધર અમને હેવન (સ્વર્ગ) નાં લાયક બનાવી રહ્યાં છે. કલ્પ-કલ્પ ફરી બનાવે છે. એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર હોય કે અમે એક્ટર છીએ. ગોડફાધર નાં બાળકો પછી આપણે દુ:ખી કેમ છીએ! આપસમાં લડીએ કેમ છીએ! આપણે આત્માઓ બધાં બ્રધર્સ (ભાઈ) છીએ ને. બ્રધર્સ આપસમાં કેવી રીતે લડતાં રહે છે. લડી ને ખતમ થઇ જશે. અહીંયા આપણે બાપ થી વારસો લઇ રહ્યાં છીએ. ભાઈઓએ આપસમાં ક્યારે લૂણ-પાણી ન થવું જોઈએ. અહીંયા તો બાપ થી પણ લૂણ-પાણી થાય છે. સારા-સારા બાળકો લૂણ-પાણી થઈ જાય છે. માયા કેટલી જબરજસ્ત છે. જે સારા-સારા બાળકો છે એ બાપ ને યાદ તો આવે છે. બાપ નો કેટલો લવ (પ્રેમ) છે બાળકો પર. બાપને તો સિવાય બાળકો નાં બીજું કોઈ છે નહીં જેમને યાદ કરે. તમારા માટે તો ઘણાં છે. તમારી બુદ્ધિ અહીંયા-ત્યાં જાય છે. ધંધા વગેરેમાં પણ બુદ્ધિ જાય છે. અમારા માટે તો કોઈ ધંધો વગેરે પણ નથી. આપ બાળકોનાં અનેક ધંધા છે. મારો તો એક જ ધંધો છે. હું આવ્યો જ છું બાળકોને સ્વર્ગનો વારિસ બનાવવા. બેહદનાં બાપની પ્રોપર્ટી (મિલકત) ફક્ત આપ બાળકો છો. ગોડફાધર છે ને. બધી આત્માઓ એમની પ્રોપર્ટી છે. માયાએ છી-છી બનાવી દીધા છે. હવે ગુલ-ગુલ બનાવે છે બાપ. બાપ કહે છે મારા તો તમે જ છો. તમારા ઉપર મારો મોહ પણ છે. ચિઠ્ઠી નથી લખતાં તો ઓના (ફિકર) થઈ જાય છે. સારા-સારા બાળકોની ચિઠ્ઠી નથી આવતી. સારા-સારા બાળકોને એકદમ માયા ખતમ કરી દે છે. જરુર દેહ-અભિમાન છે. બાપ કહેતાં રહે છે પોતાની ખુશખેરાફત લખો. બાબા બાળકો થી પૂછે છે બાળકો તમને માયા હેરાન તો નથી કરતી? બહાદુર બની માયા પર જીત પહેરી રહ્યાં છો ને! તમે યુદ્ધ નાં મેદાનમાં છો ને. કર્મેન્દ્રિયો એવી વશ કરવી જોઈએ જે કાંઈ પણ ચંચળતા ન હોય. સતયુગ માં બધી કર્મેન્દ્રિયો વશ માં રહે છે. કર્મેન્દ્રિયો ની કોઈ ચંચળતા નથી હોતી. ન મુખની, ન હાથની, ન કાનની….કોઈ પણ ચંચળતા ની વાત નથી હોતી. ત્યાં કોઈ પણ ગંદી વસ્તુ હોતી નથી. અહીંયા યોગબળ થી કર્મેન્દ્રિયો પર જીત પામો છો. બાપ કહે છે કોઈ પણ ગંદી વાત નહીં. કર્મેન્દ્રિયો ને વશ કરવાની છે. સારી રીતે પુરુષાર્થ કરવાનો છે. સમય ખૂબ થોડો છે. ગાયન પણ છે બહુત ગઈ થોડી રહી. હમણાં થોડી રહી જાય છે. નવું મકાન બનતું રહે છે તો બુદ્ધિ માં રહે છે ને-બાકી થોડો સમય છે. હમણાં આ તૈયાર થઈ જશે, બાકી આ થોડું કામ છે. તે છે હદ ની વાત, આ છે બેહદ ની વાત. આ પણ બાળકોને સમજાવ્યું છે તેમનું છે સાયન્સ બળ, તમારું છે સાઈલેન્સ બળ છે. છે તેમનું પણ બુદ્ધિ બળ, તમારું પણ બુદ્ધિ બળ. સાયન્સ ની કેટલી ઇન્વેન્શન (સંશોધન) નીકાળતા રહે છે. હમણાં તો એવાં બોમ્સ બનાવતા રહે છે જે કહે છે ત્યાં બેઠા-બેઠા છોડીશું તો આખું શહેર ખતમ થઇ જશે. પછી આ સેનાઓ, એરોપ્લેન વગેરે પણ કામમાં નહીં આવશે. તો તે છે સાયન્સ બુદ્ધિ. તમારી છે સાઈલેન્સ બુદ્ધિ. તેઓ વિનાશ માટે નિમિત્ત બનેલાં છે. તમે અવિનાશી પદ પામવા માટે નિમિત્ત બન્યાં છો. આ પણ સમજવાની બુદ્ધિ જોઈએ ને.

આપ બાળકો સમજી શકો છો-બાપ કેટલો સહજ રસ્તો બતાવે છે. ભલે કેટલી પણ અહિલ્યાઓ, કુબ્જાઓ હોય, ફક્ત બે અક્ષર યાદ કરવાના છે-બાપ અને વારસો. પછી જેટલું જે યાદ કરે. બીજા સંગ તોડી એક બાપ ને યાદ કરવાનાં છે. બાપ કહે છે જ્યારે હું પોતાનાં ઘરે પરમધામમાં હતો તો ભક્તિમાર્ગ માં તમે પોકારતા હતાં-બાબા તમે આવશો તો અમે બધુંજ કુરબાન કરશું. આ થયું જેમ કરનીઘોર, કરનીઘોર ને જૂનો સામાન અપાય છે. તમે બાપને શું આપશો? આમને (બ્રહ્મા ને) તો નથી આપતાં ને. આમણે પણ બધુંજ આપી દીધું. આ થોડી અહીંયા બેસી મહેલ બનાવશે. આ બધુંજ શિવબાબાનાં માટે છે. એમનાં ડાયરેક્શન થી કરી રહ્યાં છે. એ કરનકરાવનહાર છે, ડાયરેક્શન (મર્ગદર્શન) આપતા રહે છે. બાળકો કહે છે બાબા તમે અમારા માટે એક જ છો. તમારા માટે તો ઘણાં બાળકો છે. બાબા પછી કહે છે મારાં માટે ફક્ત તમે બાળકો છો. તમારા માટે તો ઘણાં છે. કેટલાં દેહ નાં સંબંધીઓ ની યાદ રહે છે. મીઠા-મીઠા બાળકો ને બાપ કહે છે જેટલું થઈ શકે બાપ ને યાદ કરો બીજા બધાને ભૂલતા જાઓ. સ્વર્ગની રાજાઈ નું માખણ તમને મળે છે. જરા વિચાર તો કરો, કેવી આ રમત ની રચના છે. તમે ફક્ત બાપ ને યાદ કરો છો અને સ્વદર્શન ચક્રધારી બનવાથી ચક્રવર્તી રાજા બનો છો. હમણાં આપ બાળકો પ્રેક્ટીકલમાં અનુભવી છો. મનુષ્ય તો સમજે છે ભક્તિ પરંપરા થી ચાલી આવી છે. વિકાર પણ પરંપરા થી ચાલ્યાં આવે છે. આ લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણ ને પણ તો બાળકો હતા ને. અરે હા, બાળકો કેમ નહોતા પરંતુ તેમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી. અહીંયા છે સંપૂર્ણ વિકારી. એક-બીજાને ગાળો આપતા રહે છે. હવે આપ બાળકો ને બાપ શ્રી શ્રી ની શ્રીમત મળે છે. તમને શ્રેષ્ઠ બનાવે છે. જો બાપનું કહેવું નહીં માનશે તો પછી થોડી બનશે. હવે માનો કે ન માનો. સપૂત બાળકો તો તરત માનશે. પૂરી મદદ નથી આપતા તો પોતાનો ઘાટો કરે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું. કેટલો પુરુષાર્થ કરાવું છું. કેટલું ખુશીમાં લઈ આવું છું. બાપ થી પૂરો વારસો લેવામાં જ માયા ગફલત કરાવે છે. પરંતુ તમારે તે ફંદામાં નથી ફસાવાનું. માયા થી જ લડાઈ થાય છે. ખુબ મોટા-મોટા તોફાન આવશે. એમાં પણ વારીસદાર પર વધારે માયા વાર કરશે. રુસતમ થી રુસતમ થઇને લડશે. જેમ વૈદ્ય દવા આપે છે તો બીમારી બધી બહાર નીકળી આવે છે. અહીંયા પણ મારા બનશો તો પછી બધાની યાદ આવવા લાગશે. તોફાન આવશે, આમાં લાઇન ક્લિયર જોઈએ. અમે પહેલાં પવિત્ર હતાં પછી અડધો કલ્પ અપવિત્ર બન્યાં. હવે ફરી પાછાં જવાનું છે. બાપ કહે છે મને યાદ કરો તો આ યોગ અગ્નિ થી તમારા વિકર્મ વિનાશ થશે. જેટલું યાદ કરશો એટલું ઉચ્ચ પદ પામશો. યાદ કરતાં-કરતાં તમે ઘરે ચાલ્યાં જશો, આમાં બિલકુલ અંતર્મુખતા જોઈએ. નોલેજ પણ આત્મા માં ધારણ થાય છે ને. આત્મા જ ભણે છે. આત્માનું જ્ઞાન પણ પરમાત્મા બાપ જ આવીને આપે છે. આટલું ઊંચું જ્ઞાન તમે લો છો વિશ્વ નાં માલિક બનવા માટે. મને તમે કહો જ છો - પતિત-પાવન, જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર. જે મારી પાસે છે તે તમને બધું આપું છું. બાકી ફક્ત દિવ્ય દૃષ્ટિ ની ચાવી નથી આપતો. એનાં બદલે પછી તમને વિશ્વનાં માલિક બનાવું છું. સાક્ષાત્કારમાં કાંઈ છે નહીં. મુખ્ય છે ભણતર. ભણતર થી તમને ૨૧ જન્મનું સુખ મળે છે. મીરાની ભેંટ માં તમે પોતાનાં સુખની ભેંટ કરો. તે તો કળયુગમાં હતી, દીદાર કર્યો પછી શું. ભક્તિ ની માળા જ અલગ છે. જ્ઞાનમાર્ગની માળા અલગ છે. રાવણ ની રાજાઈ અલગ, તમારી રાજાઈ અલગ. એને દિવસ, આને રાત કહેવાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદનાં બળ થી પોતાની કર્મેન્દ્રિયોં એવી વશ કરવાની છે જે કોઈ પણ ચંચળતા ન રહે. સમય ખુબ થોડો છે એટલે સારી રીતે પુરુષાર્થ કરી માયાજીત બનવાનું છે.

2. બાપ જે જ્ઞાન આપે છે તેને અંતર્મુખી બની ધારણ કરવાનું છે. ક્યારેય પણ આપસમાં લૂણ-પાણી નથી થવાનું. બાપને પોતાની ખુશખેરાફત નાં સમાચાર જરુર આપવાનાં છે.

વરદાન :-
દરેક આત્માને ભટકવા કે ભિખારીપણા થી બચાવવા વાળા નિષ્કામ રહેમદિલ ભવ

જે બાળકો નિષ્કામ રહેમદિલ છે તેમનાં રહેમ નાં સંકલ્પ થી અન્ય આત્માઓ ને પોતાનાં રુહાની રુપ કે રુહ ની મંજિલ સેકન્ડમાં સ્મૃતિ માં આવી જશે. તેમનાં રહેમ નાં સંકલ્પ થી ભિખારીને સર્વ ખજાના ની ઝલક દેખાશે. ભટકતી આત્માઓને મુક્તિ કે જીવનમુક્તિ નો કિનારો કે મંજિલ સામે દેખાશે. તે સર્વના દુઃખ હર્તા સુખ કર્તા નો પાર્ટ ભજવશે, દુઃખીને સુખી કરવાની યુક્તિ કે સાધન સદા એમની પાસે જાદુની ચાવી ની જેમ હશે.

સ્લોગન :-
સેવાધારી બની નિ:સ્વાર્થ સેવા કરો તો સેવા નો મેવો મળવાનો જ છે.