24.06.2020 પ્રાતઃમુરલી ઓમ શાંતિ "અવ્યક્ત-બાપદાદા” રીવાઈઝ ૨૬-૦૪-૬૫ મધુબન


" આપ આત્માઓ જ્યારે સ્વચ્છ બનો ત્યારે સંસાર સુખદાયી બને , દુઃખો નું કારણ - વિકારો નાં વશીભૂત થઈને કરેલા કર્મ ” ( માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય )

પોતાનાં બેહદ બાપની મહિમા સાંભળી. સામાન્ય મનુષ્યની આવી મહિમા નથી થઈ શકતી. આ એ એકની મહિમા છે જે આ મહિમા નાં અધિકારી છે કારણ કે એમની મહિમા એમનાં કર્તવ્ય અનુસાર ગવાય છે. એમનું કર્તવ્ય બધાં મનુષ્ય આત્માઓથી મહાન છે કારણ કે બધાં મનુષ્ય આત્માઓનાં માટે જ એમનું કર્તવ્ય છે. તો સૌથી ઊંચા થઈ ગયા ને કારણ કે સર્વ નાં માટે સર્વ નાં ગતિ સદ્દગતિ દાતા એક. એવું નહીં કહશું કે થોડા ની ગતિ સદ્દગતિ કરી. એ છે સર્વ નાં ગતિ સદ્દગતિ દાતા. તો બધાની ઓથોરિટી થઈ ગઈ ને. આમ પણ કોમન (સામાન્ય) રીતે થી જોવાં જઈએ તો મહિમા ત્યારે જ થાય છે જ્યારે કોઈ કર્તવ્ય કરે છે. જેમણે કાંઈ ને કાંઈ થોડું-ઘણું એવું કામ કર્યું છે તો એમની જુઓ મહિમા છે. તો બાપની પણ જે મહિમા છે તે ઊંચે થી ઊંચા છે, તો જરુર એમણે અહીંયા આવીને મહાન કર્તવ્ય કર્યું છે અને એ આપણા માટે, મનુષ્ય સૃષ્ટીનાં માટે મહાન ઊંચું કર્તવ્ય કર્યું કારણ કે આ સૃષ્ટિનાં હર્તા કર્તા એમને કહેવાય છે. તો એમણે આવીને મનુષ્ય સૃષ્ટિને ઉંચી બનાવી છે. પ્રકૃતિ સહિત બધાને પરિવર્તન માં લાવ્યું છે. પરંતુ કઈ યુક્તિ થી લાવ્યું છે? તે બેસી ને સમજાવે છે કારણ કે એવું નહીં પહેલાં મનુષ્ય આત્મા, આત્મામાં પરિવર્તન લાવવાથી પછી આત્માનાં બળથી પોતાનાં કર્મનાં બળ થી પછી આ બધાં પ્રકૃતિ તત્વ વગેરે પર પણ એમનું બળ કામ કરે છે. પરંતુ બનાવવાવાળા તો એ થઈ ગયા ને, એટલે બનાવવા વાળા એ પરંતુ બનાવે કેવી રીતે છે? જ્યાં સુધી મનુષ્ય આત્મા ઉંચી ન બને ત્યાં સુધી આત્માનાં આધાર થી શરીર પ્રકૃતિ તત્વ વગેરે આ બધું નંબરવાર એજ તાકાત માં આવે છે, એનાથી પછી આખી સૃષ્ટિ હરી-ભરી સુખદાયી બને છે.

તો મનુષ્ય સૃષ્ટિને સુખદાયી બનાવવા વાળા બાપ જાણે છે કે મનુષ્ય સૃષ્ટિ સુખદાયી કેવી રીતે બનશે? જ્યાં સુધી આત્માઓ સ્વચ્છ નથી બની ત્યાં સુધી સંસાર સુખદાયી નથી થઈ શકતો એટલે એ આવીને પહેલાં-પહેલાં આત્માઓને જ સ્વચ્છ બનાવે છે. હમણાં આત્મા ને ઈમ્પ્યોરિટી (અસ્વચ્છતા ) લાગી છે. પહેલાં તે ઈમ્પ્યોરીટી ને નીકાળવાની છે. પછી આત્માનાં બળ થી દરેક વસ્તુ થી તેમની તમો પ્રધાનતા બદલાઈ ને સતો પ્રધાનતા થશે, જેમને કહેશું કે બધાં ગોલ્ડન એજ્ડ (સ્વર્ણિમયુગ) માં આવી જાય છે, તો આ તત્વ વગેરે બધાં સતો પ્રધાન અવસ્થા માં આવી જાય છે. પરંતુ પહેલાં આત્માની અવસ્થા બદલાય છે. તો આત્માઓને બદલવા વાળા અર્થાત્ આત્માઓને પ્યોરીફાઇડ (શુદ્ધ) બનાવવા વાળા પછી ઓથોરિટી (સત્તા) એ જ થઈ ગયાં. તમે જુઓ છો ને કે હમણાં જ દુનિયા બદલાતી જઈ રહી છે. પહેલાં તો સ્વયં ને બદલવાનું છે, જ્યારે આપણે પોતાને બદલશું ત્યારે તેનાં આધાર થી દુનિયા બદલાશે. જો હમણાં સુધી આપણામાં ફરક નથી આવ્યો, પોતાને જ નથી બદલ્યા તો પછી દુનિયા કેવી રીતે બદલાશે એટલે પોતાની તપાસ રોજ કરો. જેમ પોતામેલ રાખવાવાળા રાત્રે પોતાનું ખાતું જુએ છે ને કે આજે શું જમા થયું? બધાં પોતાનો હિસાબ રાખે છે. તો આ પણ પોતાનો પોતામેલ રાખવાનો છે કે આખા દિવસમાં અમારો કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું? જો નુકસાન માં કંઈ વધારે ગયું તો પછી બીજા દિવસ માટે પછી ખબરદાર રહેવાનું છે. આવી રીતે પોતાનું એટેન્શન (ધ્યાન) રાખવાથી પછી આપણે ફાયદામાં જતાં-જતાં પોતાની જે પોઝિશન (સ્થિતિ) છે તેને પકડીને ચાલશું. તો એવી તપાસ રાખતા પોતાને બદલાયેલા મહેસૂસ કરવું જોઈએ. એવું નહીં કે અમે તો દેવતા બનશું, તે તો પછી બનીશું, હમણાં જેમ છે તેમ ઠીક છે…. નહીં. હમણાં થી તે દેવતાઈ સંસ્કાર બનાવવાનાં છે. હમણાં સુધી જે ૫ વિકારોનાં વશ સંસ્કાર ચાલતા હતાં, હમણાં જોવાનું છે કે તે વિકારો થી અમે છૂટતાં જઈ રહ્યાં છીએ? અમારામાં જે ક્રોધ વગેરે હતો તે નીકળતો જઈ રહ્યો છે? લોભ અથવા મોહ વગેરે જે હતો તે બધાં વિકારી સંસ્કાર બદલાતા જઈ રહ્યાં છે? જો બદલાતા જઈ રહ્યાં છે, છૂટતાં જઈ રહ્યા છે તો માનો આપણે બદલાતા જઈ રહ્યાં છીએ. જો નથી છૂટતાં તો સમજો કે હમણાં અમે બદલાયાં નથી. તો બદલાવાનો ફરક મહેસૂસ થવો જોઈએ, પોતાના માં ચેન્જ (પરિવર્તન) આવવું જોઈએ. એવું નહીં કે આખો દિવસ વિકારી ખાતામાં જ ચાલતો રહે, બાકી સમજો કે અમે સારું કોઈ દાન-પુણ્ય કર્યું, બસ. નહીં. આપણું જે કર્મ નું ખાતું ચાલે છે, તેમાં આપણે સંભાળવાનું છે. આપણે જે કંઈ કરીએ છીએ તેમાં કોઇ વિકારનાં વશ થઈ પોતાનું વિકર્મી ખાતું તો નથી બનાવતાં? એમાં પોતે પોતાને સંભાળવાનું છે. આ બધો પોતામેલ રાખવાનો છે અને સૂતાં પહેલાં ૧૦-૧૫ મિનિટ પોતાને જોવું જોઇએ કે આખો દિવસ અમારો કેવી રીતે વીત્યો? કોઈ તો નોટ (નોંધ) પણ કરે છે કારણ કે પાછલાં પાપોનો જે માથા પર બોજો છે તેને પણ ઉતારવાનો છે, તેનાં માટે બાપનું ફરમાન છે મને યાદ કરો, તો તે પણ અમે કેટલો સમય યાદમાં આપ્યો? કારણ કે આ ચાર્ટ રાખવાથી બીજા દિવસ માટે સાવધાન રહેશો. આમ સાવધાન રહેતાં-રહેતાં પછી સાવધાન થઈ જશો પછી આપણા કર્મ સારા થતા જશે અને પછી એવાં કોઈ પાપ નહીં થશે. તો પાપો થી જ તો બચવાનું છે ને.

આપણને આ વિકારોએ જ ખરાબ બનાવ્યાં છે. વિકારોનાં કારણે જ આપણે દુ:ખી થયા છીએ. હમણાં આપણે દુઃખ થી છૂટવું છે તો આ જ મુખ્ય વસ્તુ છે. ભક્તિ માં પણ પરમાત્મા ને આપણે પોકારીએ છીએ, યાદ કરીએ છીએ પણ કાંઈ યત્ન (પુરુષાર્થ) કરીએ છીએ, એ શા માટે કરીએ છીએ? સુખ અને શાંતિ નાં માટે કરીએ છીએ ને! તો એની આ પ્રેક્ટીકલ પ્રેક્ટીસ હમણાં કરાવાય છે. આ પ્રેક્ટીકલ કરવાની કોલેજ છે, આની પ્રેક્ટીસ કરવાથી આપણે સ્વચ્છ અથવા પવિત્ર બનતાં જઈશું. પછી આપણું જે આદિ સનાતન પવિત્ર પ્રવૃત્તિ નું લક્ષ્ય છે એ આપણે પામી લઈશું. જેમ કોઈ ડોક્ટર બનવા માટે ડોકટરી કોલેજ માં જશે, તો ડોકટરી પ્રેક્ટીસ થી ડોક્ટર બનતાં જશે. એવી રીતે આપણે પણ આ કોલેજ માં આ ભણતર થી અથવા આ પ્રેક્ટીસ થી આ વિકારો થી અથવા પાપ કર્મ કરવાથી છૂટતાં સ્વચ્છ થતા જઈશું. પછી સ્વચ્છ ની ડીગ્રી શું છે? દેવતા.

આ દેવતાઓ તો ગવાયેલા છે ને, એમની મહિમા છે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી…. તો એવાં કેવી રીતે બનશે? એવું નહિં અમે તો બન્યા બનેલા છીએ, નહીં. બનવાનું છે કારણકે આપણે જ બગડયા છીએ આપણે જ બનવાનું છે. એવું નહીં દેવતાઓની કોઈ બીજી દુનિયા છે. આપણે મનુષ્ય જ દેવતા બનવાનાં છીએ. તે દેવતાઓ જ ઉતર્યા છે, હવે ફરી ચઢવાનું છે. પરંતુ ચઢવાનો ઢંગ બાપ શીખવાડી રહ્યાં છે. હવે એમની સાથે આપણે પોતાનું રિલેશન (સંબંધ) જોડવાનું છે. હવે બાપે આવીને પ્રકાશ આપ્યો છે, છેવટે તમે મારા છો હવે મારા થઈને કેવી રીતે રહો. જેમ લૌકિક માં બાપ બાળકોનાં, બાળક બાપનાં કેવી રીતે થઈને રહે છે. એમ તમે તન, મન, ધન થી મારા બનીને ચાલો. કેવી રીતે ચાલો! એનો આદર્શ (પ્રમાણ) આ (બાબા) છે જેમનાં તન માં આવે છે, તે પોતાનું તન મન ધન બધુંજ એમનાં હવાલે કરી એમનાં થઈને ચાલી રહ્યાં છે. એમ ફોલો ફાધર. આમાં બીજું કંઈ પુછવાની અને મૂંઝવાની વાત નથી. સીધી સ્પષ્ટ વાત છે. તો હમણાં ચાલતા રહો. એવું નહીં સાંભળો ઘણું અને ધારણ કરો થોડું. નહીં. સાંભળો થોડું ધારણ કરો વધારે. જે સાંભળો છો તેને પ્રેક્ટીકલ માં કેવી રીતે લાવીએ તેનો પૂરો ખ્યાલ રાખતા રહો. પોતાની પ્રેક્ટીસ ને આગળ વધારતા રહો. એવું નહીં સાંભળતા રહીએ, સાંભળતા રહીએ….નહીં. આજે જે સાંભળ્યું તેને જો કોઈ પ્રેક્ટીકલ માં લાવે, બસ અમે આજ થી તે સ્ટેજ (અવસ્થા) માં ચાલશું. વિકારોનાં વશ થઈને કોઈ એવું કામ નહીં કરશું અને પોતાની એવી દિનચર્યા બનાવશું, પોતાનો એવો ચાર્ટ રાખશું. જો આને કોઈ પ્રેક્ટીકલ પ્રેક્ટીસમાં લાવે તો જુઓ શું થઈ જશે. તો હમણાં જે કહ્યું ને, એને પ્રેક્ટીકલ માં લાવજો. જે કહો છો, જે સાંભળો છો તે કરો. બસ. બીજી વાત નહીં. ફક્ત કરવાનાં ઉપર જોર આપો. સમજ્યાં. જેમ બાપ અને દાદા બંને ને સારી રીતે જાણો છો ને, એવું હવે ફોલો (અનુસરણ) કરો. એવાં ફોલો કરવાવાળા જે સપૂત બાળકો છે અથવા મીઠા-મીઠા બાળકો છે, એવાં બાળકો પ્રતિ યાદપ્યાર અને ગુડ મોર્નિંગ.

બીજી મુરલી :- ૧૯૫૭

ગીત:- મેરા છોટા - સા દેખો યે સંસાર હૈ ……….

આ ગીત કયા સમયનું ગવાયેલું છે કારણ કે આ સંગમ સમયે જ આપણા બ્રાહ્મણ કુળનો આ નાનો એવો સંસાર છે. આ આપણો કયો પરિવાર છે, તે નંબરવાર બતાવે છે. આપણે પરમપિતા પરમાત્મા શિવનાં પૌત્ર છીએ, બ્રહ્મા સરસ્વતી ની મુખ સંતાન છીએ અને વિષ્ણુ શંકર આપણા તાયાજી છે અને આપણે આપસમાં બધાં ભાઈ-બહેન થયાં. આ છે આપણો નાનો એવો સંસાર…..આનાં આગળ બીજા સંબંધ રચાયાં જ નથી, આ સમય ના આટલાં જ સંબંધ કહેશું. જુઓ આપણો સંબંધ કેટલી મોટી ઓથોરિટી (સત્તા) થી છે. આપણા ગ્રાન્ડ પપ્પા છે શિવ, એમનું નામ કેટલું ઊંચું છે, એ આખી મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. સર્વ આત્માઓ નાં કલ્યાણકારી હોવાનાં કારણે એમને કહેવાય છે હર હર ભોલેનાથ શિવ મહાદેવ. એ આખી સૃષ્ટીનાં દુ:ખહર્તા, સુખકર્તા છે, એમનાં દ્વારા આપણને સુખ-શાંતિ-પવિત્રતા નો ઉંચો હક મળે છે, શાંતિ માં પછી કોઈ કર્મ બંધન નો હિસાબ-કિતાબ નથી રહેતો. પરંતુ આ બંને વસ્તુ પવિત્રતાનાં આધાર પર રાખે છે. જ્યાં સુધી પિતા ની પરવરિશ નો પૂર્ણ વારસો લે, પિતા થી સર્ટીફીકેટ નથી મળ્યું, ત્યાં સુધી તે વારસો મળી નથી શકતો. જુઓ, બ્રહ્માનાં ઉપર કેટલું મોટું કામ છે - મલેચ્છ ૫ વિકારો માં મેલી અપવિત્ર આત્માઓને ગુલગુલ બનાવે છે, જે અલૌકિક કાર્યનું ફળ પછી સતયુગ નો પહેલો નંબર શ્રી કૃષ્ણ પદ મળે છે. હવે જુઓ તે પિતાની સાથે તમારો કેવો સંબંધ છે! તો કેટલાં બેફિકર અને ખુશ થવું જોઈએ. હવે દરેક પોતાનાં દિલ થી પૂછે અમે એમના પૂર્ણ રીતે થઈ ચૂક્યા છીએ?

વિચારવું જોઈએ કે જ્યારે પરમાત્મા બાપ આવ્યા છે તો એમનાથી અમે કમ્પ્લીટ (પૂરો) વારસો લઈ લઈએ. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નું કામ છે સંપૂર્ણ પુરુષાર્થ કરી સ્કોલરશીપ લેવી, તો આપણે પહેલો નંબર લોટરી કેમ ન જીતીએ! તે છે વિજય માળામાં પરોવાઈ જવું. બાકી કોઈ છે જે બે લાડું પકડી ને બેઠા છે, અહીંયાનું પણ હદનું સુખ લઉં અને ત્યાં પણ વૈકુંઠમાં કાંઈને કાંઈ સુખ લઈ લઈશું, એવા વિચારવાન ને મધ્યમ અને કનિષ્ઠ પુરુષાર્થી કહીશું, ન કે સર્વોત્તમ પુરુષાર્થી. જ્યારે બાપ આપવામાં આનાકાની નથી કરતાં તો લેવાવાળા કેમ કરે છે? ત્યારે ગુરુનાનક એ કહ્યું પરમાત્મા તો દાતા છે, સમર્થ છે પરંતુ આત્માઓને લેવાની પણ તાકાત નથી, કહેવત છે દેન્દા દે, લેંદા થક પાવે. (આપવાવાળા આપે છે પરંતુ લેવાવાળા થાકી જાય છે) તમારા દિલમાં આવતું હશે અમે કેમ નહીં ઇચ્છીએ કે અમે પણ આ પદ પામીએ પરંતુ જુઓ, બાબા કેટલી મહેનત કરે છે, તો પણ માયા કેટલાં વિઘ્ન નાખે છે, કેમ? હવે માયાનું રાજ્ય સમાપ્ત થવાનું છે. હવે માયા એ બધો સાર નીકાળી દીધો છે ત્યારે જ પરમાત્મા આવે છે. એમનામાં બધો રસ સમાયેલો હોય છે, એમનાથી બધાં સંબંધો ની રસના મળે છે ત્યારે જ ત્વમેવ માતાશ્ચ પિતા….. વગેરે આ મહિમા તે પરમાત્મા ની ગવાયેલી છે. તો બલિહારી તે સમયની છે જે એવો સંબંધ થયો છે.

તો પરમાત્માની સાથે એટલો સંપૂર્ણ સંબંધ જોડવાનો છે જે ૨૧ જન્મોનાં માટે સુખ પ્રાપ્ત થઈ જાય, આ છે પુરૂષાર્થની સિદ્ધિ. પરંતુ ૨૧ જન્મનું નામ સાંભળી ઠંડા નહીં પડી જતાં. એવું નહિં વિચારતાં કે ૨૧ જન્મોનાં માટે આટલો આ સમયે પુરુષાર્થ પણ કરીએ, તો પણ ૨૧ જન્મોનાં પછી ઉતરવાનું જ છે તો સિદ્ધિ શું થઈ? પરંતુ ડ્રામા ની અંદર આત્માઓની જેટલી સર્વોત્તમ સિદ્ધિ મુકરર (નિશ્ચિત) છે તે તો મળશે ને! બાપ આવી ને આપણને સંપૂર્ણ સ્ટેજ ઉપર પહોંચાડી દે છે, પરંતુ આપણે બાળકો બાબા ને ભૂલી જઈએ છીએ તો જરૂર પડશું, એમાં બાપનો કોઈ દોષ નથી. હવે કમી થઈ તો આપણી બાળકોની, સતયુગ ત્રેતા નું બધું સુખ આ જન્મનાં પુરુષાર્થ પર આધાર રાખે છે તો કેમ નહિં સંપૂર્ણ પુરુષાર્થ કરી પોતાનો સર્વોત્તમ પાર્ટ ભજવીએ! કેમ નહિં પુરુષાર્થ કરી તે વારસો લઈએ. પુરુષાર્થ મનુષ્ય સદા સુખનાં માટે જ કરે છે, સુખ દુઃખ થી ન્યારા થવાનાં માટે કોઈ પુરુષાર્થ નથી કરતાં, તે તો ડ્રામાનાં અંતમાં પરમાત્મા આવી બધી આત્માઓને સજા આપી, પવિત્ર બનાવી પાર્ટ થી મુક્ત કરશે. આ તો પરમાત્મા નું કાર્ય છે તે પોતાનાં મુકરર (નિશ્ચિત) સમય પર પોતે જ આવીને બતાવે છે. હવે જ્યારે આત્માઓને ફરી પણ પાર્ટમાં આવવું જ પડશે તો કેમ નહિં સર્વોત્તમ પાર્ટ ભજવીએ.

અચ્છા - મીઠા-મીઠા બાળકો પ્રતિ માં નો યાદપ્યાર. ઓમ શાંતિ.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

વરદાન :-

બાબા શબ્દ ની સ્મૃતિ થી કારણ ને નિવારણ માં પરિવર્તન કરવાવાળા સદા અચળ અડોલ ભવ

કોઈ પણ પરિસ્થિતિ જે ભલે હલચલવાળી હોય પરંતુ બાબા કહ્યું અને અચળ બન્યાં. જ્યારે પરિસ્થિતિઓના ચિંતનમાં ચાલ્યા જાઓ છો તો મુશ્કેલીનો અનુભવ થાય છે. જો કારણ નાં બદલે નિવારણ માં ચાલ્યા જાઓ તો કારણ જ નિવારણ બની જાય કારણ કે માસ્ટર સર્વશક્તિમાન બ્રાહ્મણોની આગળ પરિસ્થિતિઓ કીડી સમાન પણ નથી. ફક્ત શું થયું, કેમ થયું આ વિચારવાનાં બદલે, જે થયું તેમાં કલ્યાણ ભરેલું છે, સેવા સમાયેલી છે…. ભલે રુપ સરકમસ્ટશ (પરિસ્થિતિ) નું હોય પરંતુ સમાયેલી સેવા છે-આ રુપ થી જોશો તો સદા અચળ અડોલ રહેશો.

સ્લોગન :-

એક બાપ નાં પ્રભાવમાં રહેવાવાળા કોઈ પણ આત્મા નાં પ્રભાવમાં આવી નથી શકતાં.