29-06-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ભવિષ્ય ઉંચ કુળમાં આવવાનો આધાર છે ભણતર , આ ભણતર થી જ તમે બેગર ટૂ પ્રિન્સ બની શકો છો ”

પ્રશ્ન :-
ગોલ્ડન સ્પૂન ઈન માઉથ (મુખમાં સોનાની ચમચી) બે પ્રકાર થી પ્રાપ્ત થઇ શકે છે, કેવી રીતે?

ઉત્તર :-
એક ભક્તિ માં દાન-પુણ્ય કરવાથી, બીજું જ્ઞાન માં ભણતર થી. ભક્તિમાં દાન-પુણ્ય કરે છે તો રાજા અથવા સાહૂકાર ની પાસે જન્મ લે છે પરંતુ તે થઈ ગયું હદનું. તમે જ્ઞાન માં ભણતર થી ગોલ્ડન સ્પૂન ઈન માઉથ પામો છો. આ છે બેહદ ની વાત. ભક્તિમાં ભણતર થી રાજાઈ નથી મળતી. અહીંયા તો જેટલું સારી રીતે ભણે છે, એટલું ઉંચ પદ પામે છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકોને રુહાની બાપ બેસી સમજાવે છે, આને કહેવાય છે રુહાની જ્ઞાન. બાપ આવીને ભારતવાસી બાળકો ને સમજાવે છે, સ્વયંને આત્મા સમજો અને બાપ ને યાદ કરો, આ બાપ એ ખાસ ફરમાન કર્યું છે તો તે માનવું જોઈએ ને. ઊંચેથી ઊંચા બાપની શ્રીમત પ્રસિદ્ધ છે. આ પણ આપ બાળકોને જ્ઞાન છે કે ફક્ત શિવબાબા ને જ શ્રી શ્રી કહી શકાય છે. એજ શ્રી શ્રી બનાવે છે, શ્રી એટલે શ્રેષ્ઠ. આપ બાળકોને હમણાં ખબર પડી છે કે આમને બાપે આવાં બનાવ્યાં. આપણે હમણાં નવી દુનિયાનાં માટે ભણી રહ્યાં છીએ. નવી દુનિયાનું નામ જ છે સ્વર્ગ, અમરપુરી. મહિમા નાં માટે નામ ખુબ છે. કહે પણ છે સ્વર્ગ અને નરક. ફલાણા સ્વર્ગવાસી થયાં તો ગોયા નર્કવાસી હતાં ને. પરંતુ મનુષ્યોમાં આટલી સમજ નથી. સ્વર્ગ-નર્ક, નવી દુનિયા, જૂની દુનિયા કોને કહેવાય છે, કાંઈ પણ જાણતા નથી. બહાર નો ભપકો કેટલો છે. આપ બાળકોમાં પણ થોડાં છે જે સમજે છે બરોબર અમને બાપ ભણાવે છે. અમે આ લક્ષ્મી-નારાયણ બનવા માટે આવ્યાં છીએ. આપણે બેગર ટૂ પ્રિન્સ (રાજકુમાર) બનશું. પહેલાં-પહેલાં આપણે જઈને રાજકુમાર બનશું. આ ભણતર છે, જેમ એન્જીનીયરી, બેરિસ્ટરી વગેરે ભણે છે તો બુદ્ધિમાં રહે છે કે અમે ઘર બનાવશું પછી આ કરશું….દરેક ને પોતાનું કર્તવ્ય સ્મૃતિમાં આવે છે. આપ બાળકોએ જઈને બહુજ ઊંચા ઘરમાં જન્મ લેવાનો છે આ ભણતર થી. જે જેટલું વધારે ભણશે તેટલું ખુબ ઊંચ ઘરમાં જન્મ લેશે. રાજાના ઘરમાં જન્મ લઇ પછી રાજાઈ ચલાવવાની છે. ગવાય પણ છે ગોલ્ડન સ્પૂન ઈન માઉથ. એક તો જ્ઞાન દ્વારા આ ગોલ્ડન સ્પૂન ઈન માઉથ મળી શકે છે. બીજું, જો દાન-પુણ્ય સારી રીતે કરે તો પણ રાજાની પાસે જન્મ મળશે. તે થઈ ગયું હદનું. આ છે બેહદનું. દરેક વાત સારી રીતે સમજો. કાંઈ પણ સમજ માં ન આવે તો પૂછી શકો છો. નોંધ કરો આ-આ વાતો બાબા થી પૂછવાની છે. મુખ્ય છે જ બાપની યાદની વાત. બાકી કોઈ સંશય વગેરે છે તો તેને ઠીક કરી દેશે. આ પણ બાળકો જાણે છે જેટલું ભક્તિમાર્ગ માં દાન-પુણ્ય કરે છે તો સાહૂકાર ની પાસે જન્મ લે છે. જો કોઈ ખરાબ કર્મ કરે છે તો પછી એવો જન્મ મળે છે, બાબાની પાસે આવે છે. કોઈ-કોઈનાં તો એવાં કર્મબંધન છે જે વાત નહીં પૂછો. આ બધું છે પાસ્ટ (ભૂતકાળ) નાં કર્મબંધન. રાજાઓ પણ કોઈ-કોઈ એવાં હોય છે, ખુબ કર્મબંધન આકરા હોય છે. આ લક્ષ્મી-નારાયણ ને તો કોઈ બંધન નથી. ત્યાં છે જ યોગબળ ની રચના. જ્યારે કે યોગબળ થી આપણે વિશ્વની રાજાઈ લઈ શકીએ છીએ તો શું બાળક પેદા નથી થઈ શકતાં! પહેલે થી જ સાક્ષાત્કાર થઈ જાય છે. ત્યાં તો આ કોમન (સામાન્ય) વાત છે. ખુશીમાં વાજા વાગતા રહે છે. ઘરડા થી બાળક બની જઈએ છીએ. મહાત્મા થી પણ બાળક ને વધારે માન અપાય છે કારણ કે તે મહાત્મા તો છતાં પણ આખું જીવન પસાર કરી મોટાં થયાં છે. વિકારોને જાણે છે. નાનાં બાળકો નથી જાણતાં એટલે મહાત્મા થી પણ ઊંચા કહેવાય છે. ત્યાં તો બધાં મહાત્માઓ છે. કૃષ્ણને પણ મહાત્મા કહે છે. તે છે સાચાં મહાત્મા. સતયુગમાં જ મહાન આત્માઓ હોય છે. તેમનાં જેવા અહીંયા કોઈ થઇ ન શકે.

આપ બાળકોને અંદર માં ખુબ ખુશી થવી જોઈએ. હવે અમે નવી દુનિયામાં જન્મ લઈશું. આ જૂની દુનિયા ખતમ થવાની છે. ઘર જૂનું થાય છે તો નવાં ઘર ની ખુશી હોય છે ને. કેટલાં સારા-સારા માર્બલ વગેરે નાં ઘર બનાવે છે. જૈન લોકો ની પાસે પૈસા ખુબ હોય છે, તેઓ પોતાને ઊંચ કુળનાં સમજે છે. વાસ્તવ માં અહીંયા કોઈ ઊંચ કુળ તો છે નહીં. ઉંચા કુળમાં લગ્ન માટે ઘર શોધે છે. ત્યાં કુળ વગેરેની વાત નથી હોતી. ત્યાં તો એક જ દેવતાઓનો કુળ હોય છે, બીજો ન કોઈ. એનાં માટે તમે સંગમ પર અભ્યાસ કરો છો કે અમે એક બાપનાં બાળકો બધાં આત્મા છીએ. આત્મા છે પહેલાં, પછી છે શરીર. દુનિયા માં બધાં દેહ-અભિમાની રહે છે. તમારે હમણાં દેહી-અભિમાની બનવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં પોતાની અવસ્થા ને જમાવવાની છે. બાબાનાં કેટલાં બાળકો છે, કેટલો મોટો ગૃહસ્થ છે, કેટલાં ખ્યાલાત રહેતાં હશે. આમણે પણ મહેનત કરવી પડે છે. હું કોઈ સંન્યાસી નથી. બાપે આમનામાં પ્રવેશ કર્યો છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર નું ચિત્ર પણ છે ને. બ્રહ્મા છે સૌથી ઊંચા. તો તેમને છોડી બાપ કોનામાં આવશે. બ્રહ્મા કોઈ નવાં પેદા નથી થતાં. જુઓ છો ને-આમને કેવી રીતે એડોપ્ટ કરું છું. તમે કેવી રીતે બ્રાહ્મણ બનો છો. આ વાતોને તમે જ જાણો બીજા શું જાણે. કહે છે આ તો ઝવેરી હતાં, આમને તમે બ્રહ્મા કહો છો. તેમને શું ખબર આટલાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ કેવી રીતે પેદા થશે. એક-એક વાતમાં કેટલું સમજાવવું પડે છે. આ ખુબ ગુહ્ય વાતો છે ને. આ બ્રહ્મા વ્યક્ત, તે અવ્યક્ત. આ પવિત્ર બની પછી અવ્યક્ત થઈ જાય છે. આ કહે છે - હું આ સમય પવિત્ર નથી. એવો પવિત્ર બની રહ્યો છું. પ્રજાપિતા તો અહીંયા હોવાં જોઈએ ને. નહીં તો ક્યાંથી આવે. બાપ પોતે સમજાવે છે હું પતિત શરીરમાં આવું છું, જરુર આમને જ પ્રજાપિતા કહેશું. સૂક્ષ્મવતન માં નહીં કહેશું. ત્યાં પ્રજા શું કરશે. આ ઇન્ડિપેન્ડન્ટ પવિત્ર બની જાય છે. જેમ આ પણ પુરુષાર્થ કરે છે તેમ તમે પુરુષાર્થ કરી ઇન્ડિપેન્ડન્ટ પવિત્ર બની જાઓ છો. વિશ્વનાં માલિક બનો છો ને. સ્વર્ગ અલગ, નર્ક અલગ છે. હમણાં તો કેટલાં ટુકડા-ટુકડા થઈ ગયાં છે. ૫ હજાર વર્ષ પહેલાંની વાત છે જ્યારે કે આમનું રાજ્ય હતું. તે લોકો પછી લાખો વર્ષ કહી દે છે. આ વાતો સમજશે પણ તેજ જેમણે કલ્પ પહેલાં સમજી હશે. તમે જુઓ છો અહીંયા મુસલમાન, પારસી વગેરે બધાં આવે છે. પોતે મુસલમાન પછી હિન્દુઓને નોલેજ આપી રહ્યાં છે. વન્ડર છે ને. સમજો કોઈ સિક્ખ ધર્મનાં છે, તે પણ બેસી રાજ્યોગ શીખવાડે છે. જે કનવર્ટ (બદલી) થયા છે તે પછી ટ્રાન્સફર થઇ દેવતા કુળમાં આવી જશે. સૈપલિંગ (કલમ) લાગે છે. તમારી પાસે ક્રિશ્ચિયન, પારસી પણ આવે છે, બૌદ્ધી પણ આવશે. આપ બાળકો જાણો છો જ્યારે સમય નજીક આવશે ત્યારે ચારે બાજુથી આપણું નામ નીકળશે. એક જ ભાષણ તમે કરશો તો અનેક તમારી પાસે આવી જશે. બધાને સ્મૃતિ આવી જશે અમારો સાચો ધર્મ આ છે. જે આપણા ધર્મનાં હશે તે બધાં આવશે તો ખરા ને. લાખો વર્ષની વાત નથી. બાપ બેસી સમજાવે છે તમે કાલે દેવતા હતાં, હવે ફરી દેવતા બનવા માટે બાપ થી વારસો લઈ રહ્યાં છો.

તમે સાચાં-સાચાં પાંડવ છો, પાંડવ અર્થાત્ પન્ડા. તે છે શરીરધારી પન્ડા. તમે બ્રાહ્મણ છો રુહાની પન્ડા. તમે હમણાં બેહદનાં બાપ થી ભણી રહ્યાં છો. આ નશો તમને ખુબ હોવો જોઈએ. અમે બાપની પાસે જઈએ છીએ, જેમનાથી બેહદ નો વારસો મળે છે. તે અમારા બાપ શિક્ષક પણ છે, આમાં ભણવા માટે કોઈ ટેબલ ખુરશી વગેરે ની દરકાર નથી. આ તમે લખો છો તે પણ પોતાનાં પુરુષાર્થ નાં માટે. વાસ્તવ માં આ સમજવાની વાત છે. શિવબાબા તમને પત્ર લખવા માટે આ પેન્સિલ વગેરે ઉઠાવે છે, બાળકો સમજશે શિવબાબાનાં લાલ અક્ષર આવ્યાં છે. બાપ લખે છે રુહાની બાળકો. બાળકો પણ સમજે છે રુહાની બાબા. એ ખુબ ઊંચે થી ઊંચા છે, તેમની મત પર ચાલવાનું છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળું છે. તે ભૂતના વશ નહીં થાઓ. પવિત્ર બનો. બોલાવો પણ છો હેં પતિત-પાવન. આપ બાળકોને હમણાં ખુબ તાકાત મળે છે, રાજ્ય કરવાની. જે કોઈ જીત પામી ન શકે. તમે કેટલાં સુખી બનો છો. તો આ ભણતર પર કેટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. આપણને બાદશાહી મળે છે. તમે જાણો છો આપણે શું થી શું બની રહ્યાં છીએ. ભગવાનુવાચ છે ને. હું તમને રાજયોગ શીખવાડું છું, રાજાઓનાં રાજા બનાવું છું. ભગવાન કોને કહેવાય છે, આ પણ કોઈને ખબર નથી. આત્મા પોકારે છે - ઓ બાબા! તો ખબર હોવી જોઈએ ને - તે ક્યારે અને કેવી રીતે આવશે? મનુષ્ય જ તો ડ્રામાનાં આદિ-મધ્ય-અંત, ડયુરેશન (સમયગાળા) વગેરેને જાણશે ને. જાણવાથી તમે દેવતા બની જાઓ છો. જ્ઞાન છે જ સદ્દગતિ નાં માટે. આ સમયે છે કળયુગ નો અંત. બધાં દુર્ગતિ માં છે. સતયુગ માં હોય છે સદ્દગતિ. હમણાં તમે જાણો છો બાબા આવેલાં છે-સર્વની સદ્દગતિ કરવાં. બધાને જગાડવા આવ્યાં છે. કોઈ કબ્ર થોડી છે. પરંતુ ઘોર અંધકાર માં પડ્યાં છે, તેમને જગાડવાં આવે છે. જે બાળકો ઘોર નિંદ્રા થી જાગી જાય છે તેમની અંદર ખુશી ખુબ થાય છે, અમે શિવબાબાનાં બાળક છીએ, કોઈ પ્રકાર ની ફિકર નથી. બાપ અમને વિશ્વનાં માલિક બનાવે છે. રડવાનું નામ નથી. આ છે રડવાની દુનિયા. તે છે હર્ષિત રહેવાની દુનિયા. તેમનાં ચિત્ર જુવો કેવાં શોભનિક હસમુખ બનાવે છે. તે ફિચર્સ તો અહીંયા દોરી ન શકાય. બુદ્ધિ થી સમજે છે એમના જેવાં ફિચર્સ જોવામાં આવે છે. આપ મીઠાં-મીઠાં બાળકોને હમણાં સ્મૃતિ આવી છે કે ભવિષ્ય માં અમરપુરીનાં આપણે પ્રિન્સ બનશું. આ મૃત્યુલોકને, આ ભંભોરને આગ લાગવાની છે. સિવિલ વોર (ગૃહ યુદ્ધ) માં પણ એક-બીજાને મારે કેવી રીતે છે, કોને અમે મારીએ છે તે પણ ખબર નથી પડતી. હાહાકાર નાં પછી જયજયકાર થવાની છે. તમારી વિજય, બાકી બધાં વિનાશ થઇ જશે. રુદ્રની માળામાં પરોવાઈ ને પછી વિષ્ણુની માળામાં પરોવાઈ જશો. હમણાં તમે પુરુષાર્થ કરો છો પોતાનાં ઘરે જવા માટે. ભક્તિ નો કેટલો ફેલાવ છે. જેમ ઝાડનાં અનેક પત્તા હોય છે તેમ ભક્તિનો ફેલાવ છે. બીજ છે જ્ઞાન. બીજ કેટલું નાનું છે. બીજ છે બાબા, આ ઝાડ ની સ્થાપના, પાલના અને વિનાશ કેવી રીતે થાય છે, આ તમે જાણો છો. આ વેરાઈટી (વિવિધ) ધર્મોનું ઉલટું ઝાડ છે. દુનિયામાં એક પણ નથી જાણતાં. હવે બાળકોએ ખુબ મહેનત કરવાની છે બાપ ને યાદ કરવાની, તો વિકર્મ વિનાશ થાય. તે ગીતા સંભળાવવા વાળા પણ કહે છે મનમનાભવ. બધાં દેહનાં ધર્મ છોડી સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. મનુષ્ય આનો અર્થ થોડી સમજે છે. તે છે જ ભક્તિ માર્ગ. આ છે જ્ઞાન માર્ગ. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. ફિકર ની કોઈ વાત નથી. જેમણે થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો પ્રજા માં આવી જશે. જ્ઞાન નો વિનાશ નથી થતો. બાકી જે યથાર્થ જાણી પુરુષાર્થ કરે છે એજ ઊંચું પદ પામે છે. આ બુદ્ધિમાં સમજ છે ને. અમે પ્રિન્સ બનવા વાળા છીએ, નવી દુનિયામાં. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પરીક્ષા પાસ કરે છે તો તેમને કેટલી ખુશી થાય છે. તમને તો હજાર વખત વધારે અતીન્દ્રિય સુખ હોવું જોઈએ. આપણે આખા વિશ્વનાં માલિક બનીએ છીએ. કોઈ પણ વાતમાં ક્યારેય રીસાવાનું નથી. બ્રાહ્મણી થી નથી બનતું, બાપ થી રિસાય છે, અરે તમે બાપ થી બુદ્ધિ નો યોગ લગાવો ને. એમને તો પ્રેમ થી યાદ કરો. બાબા બસ તમને જ યાદ કરતાં-કરતાં અમે ઘરે આવી જઈશું. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાતની ફિકર નથી કરવાની, સદા હર્ષિત રહેવાનું છે. સ્મૃતિ રહે આપણે શિવબાબા નાં બાળક છીએ. બાપ આવ્યાં છે આપણને વિશ્વનાં માલિક બનાવવાં.

2. પોતાની અવસ્થા ને એકરસ બનાવવા માટે દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આ જૂનાં ઘરથી મમત્વ નીકાળી દેવાનું છે.

વરદાન :-
બંધનો નાં પીંજરા ને તોડી ને જીવનમુક્ત સ્થિતિનો અનુભવ કરવાવાળા સાચાં ટ્રસ્ટી ભવ

શરીરનું અથવા સંબંધનું બંધન જ પીંજરું છે. ફર્જઅદાઈ (જવાબદારી) પણ નિમિત્ત માત્ર નિભાવવાની છે, લગાવ થી નહીં ત્યારે કહેશું નિર્બન્ધન. જે ટ્રસ્ટી બની ચાલે છે એ જ નિર્બન્ધન છે જો કોઈ પણ મારાપણું છે તો પીંજરા માં બંધ છે. હવે પીંજરા ની મેના થી ફરિશ્તા બની ગયાં એટલે ક્યાંય જરા પણ બંધન ન હોય. મનનું પણ બંધન નહીં. શું કરું, કેવી રીતે કરું, ઈચ્છું છું થતું નથી - આ પણ મન નું બંધન છે. જ્યારે મરજીવા બની ગયાં તો બધાં પ્રકારનાં બંધન સમાપ્ત, સદા જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ થતો રહે.

સ્લોગન :-
સંકલ્પો ને બચાવો તો સમય, બોલ બધું સ્વતઃ બચી જશે.