21-06-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  16.02.86    બાપદાદા મધુબન


“ ગોલ્ડન જુબલી ( સ્વર્ણિમ જયંતી ) નો ગોલ્ડન ( સ્વર્ણિમ ) સંકલ્પ ”
 


આજે ભાગ્યવિધાતા બાપ પોતાનાં ચારેવ બાજુનાં પદમાપદમ ભાગ્યવાન બાળકોને જોઈ રહ્યાં છે. દરેક બાળકનાં મસ્તક પર ભાગ્યનો ચમકતો તારો જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. આખાં કલ્પમાં એવાં કોઈ બાપ હોઈ ન શકે જેમનાં આટલાં બધાં બાળકો ભાગ્યવાન હોય. નંબરવાર ભાગ્યવાન હોવા છતાં પણ દુનિયાનાં આજકાલનાં શ્રેષ્ઠ ભાગ્યની આગળ લાસ્ટ નંબર ભાગ્યવાન બાળક પણ અતિ શ્રેષ્ઠ છે એટલે બેહદનાં બાપદાદા ને બધાં બાળકોનાં ભાગ્ય પર નાઝ છે. બાપદાદા પણ સદા વાહ મારા ભાગ્યવાન બાળકો, વાહ એક લગન માં મગન રહેવા વાળા બાળકો-આ જ ગીત ગાતા રહે છે. બાપદાદા આજે વિશેષ સર્વ બાળકોનો સ્નેહ અને સાહસ બંને વિશેષતાઓ ની મુબારક આપવાં આવ્યાં છે.

દરેકે યથાયોગ્ય સ્નેહનું રિટર્ન સેવામાં દેખાડ્યું. એક લગન થી એક બાપને પ્રત્યક્ષ કરવાની હિંમત પ્રત્યક્ષ રુપમાં દેખાડી. પોત-પોતાનું કાર્ય ઉમંગ-ઉત્સાહ થી સંપન્ન કર્યું. આ કાર્યની ખુશીની મુબારક બાપદાદા આપી રહ્યાં છે. દેશ-વિદેશનાં સમ્મુખ આવવાવાળા અથવા દૂર બેઠાં પણ પોતાનાં દિલનાં શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા કે શ્રેષ્ઠ સેવા દ્વારા સહયોગી બન્યાં છે, તો બધાં બાળકોને બાપદાદા સદા સફળતા ભવ, સદા દરેક કાર્યમાં સમ્પન્ન ભવ, સદા પ્રત્યક્ષ પ્રમાણ ભવ નું વરદાન આપી રહ્યાં છે. બધાનાં સ્વ પરિવર્તનની, સેવામાં હજું પણ આગળ વધવાની, શુભ ઉમંગ-ઉત્સાહ ની પ્રતિજ્ઞાઓ બાપદાદાએ સાંભળી. સંભળાવ્યું હતું ને - બાપદાદાની પાસે તમારા સાકાર દુનિયા થી ન્યારું શક્તિશાળી ટી.વી. છે. તમે ફક્ત શરીર નાં એક્ટ (પ્રવૃત્તિ) ને જોઈ શકો છો. બાપદાદા મનનાં સંકલ્પ ને પણ જોઈ શકે છે. જે પણ દરેકે પાર્ટ ભજવ્યો તે બધું સંકલ્પ સહિત, મનની ગતિ-વિધિ અને તનની ગતિ-વિધિ બંને ને જ જોઈ, સાંભળી. શું જોયું હશે? આજે તો મુબારક આપવાં આવ્યાં છે એટલે બીજી વાતો આજે નહીં સંભળાવશે. બાપદાદા અને સાથે બધાં તમારાં સેવાનાં સાથી બાળકોએ એક વાત પર ખુબ ખુશીની તાળીઓ વગાડી, હાથ ની તાળીઓ નહીં, ખુશીની તાળીઓ વગાડી, આખાં સંગઠનમાં સેવા દ્વારા હમણાં-હમણાં બાપને પ્રત્યક્ષ કરી લઈએ, હમણાં-હમણાં વિશ્વમાં અવાજ ફેલાઈ જાય...આ એક ઉમંગ અને ઉત્સાહ નો સંકલ્પ બધામાં એક હતો. ભલે ભાષણ કરવાવાળા, ભલે સાંભળવા વાળા, ભલે કોઈ પણ સ્થૂળ કાર્ય કરવાવાળા, બધામાં આ સંકલ્પ ખુશીનાં રુપમાં સારો રહ્યો એટલે ચારે બાજુ ખુશીની રોનક, પ્રત્યક્ષ કરવાનો ઉમંગ, વાતાવરણને ખુશીની લહેર માં લાવવા વાળા રહ્યો. મેજોરીટી (અધિકાંશ) ખુશી અને નિ:સ્વાર્થ સ્નેહ આ અનુભવ નો પ્રસાદ લઈ ગયાં એટલે બાપદાદા પણ બાળકોની ખુશીમાં ખુશ થઇ રહ્યાં હતાં.સમજ્યાં.

ગોલ્ડન જુબલી પણ મનાવી લીધી ને! હવે આગળ શું મનાવશો? ડાયમંડ જુબલી અહીંયા જ મનાવશો કે પોતાનાં રાજ્યમાં મનાવશો? ગોલ્ડન જુબલી શેના માટે મનાવી? ગોલ્ડન દુનિયા લાવવા માટે મનાવી ને. આ ગોલ્ડન જુબલી થી શું શ્રેષ્ઠ ગોલ્ડન સંકલ્પ કર્યો? બીજાઓને તો ગોલ્ડન વિચાર ખુબ સંભળાવ્યાં. સારા-સારા સંભળાવ્યાં. પોતાનાં પ્રતિ કયો વિશેષ સુવર્ણ સંકલ્પ કર્યો? જે પૂરું વર્ષ દર સંકલ્પ, દર ઘડી ગોલ્ડન હોય. લોકો તો ફક્ત ગોલ્ડન મોર્નિગ અથવા ગોલ્ડન નાઈટ કહી દે અથવા ગોલ્ડન ઇવનિંગ કહે છે. પરંતુ આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓની દર સેકન્ડ ગોલ્ડન હોય. ગોલ્ડન સેકન્ડ હોય, ફક્ત ગોલ્ડન મોર્નિગ અથવા ગોલ્ડન નાઈટ નહીં. દર સમયે તમારા બંને નયનોમાં ગોલ્ડન દુનિયા અને ગોલ્ડન લાઈટનું સ્વીટ હોમ હોય. તે ગોલ્ડન લાઈટ છે, તે ગોલ્ડન દુનિયા છે. એવો જ અનુભવ થાય. યાદ છે ને - શરુ-શરુમાં એક ચિત્ર બનાવતાં હતાં. એક આંખ માં મુક્તિ, બીજી આંખ માં જીવનમુક્તિ. આ અનુભવ કરાવવો, આજ ગોલ્ડન જુબલી નો ગોલ્ડન સંકલ્પ છે. એવો સંકલ્પ બધાએ કર્યો કે ફક્ત દૃશ્ય જોઈ-જોઈને ખુશ થતાં રહ્યાં. ગોલ્ડન જુબલી આ શ્રેષ્ઠ કાર્ય ની છે. કાર્યનાં નિમિત્ત આપ સર્વ પણ કાર્યનાં સાથી છો. ફક્ત સાક્ષી થઈ જોવાવાળા નહીં, સાથી છો. વિશ્વ વિદ્યાલયની ગોલ્ડન જુબલી છે. ભલે એક દિવસનો પણ વિદ્યાર્થી હોય. તેની પણ ગોલ્ડન જુબલી છે. એમાં પણ બની બનાવી જુબલી પર પહોચ્યાં છો. બનાવવાની મહેનત આમણે કરી અને મનાવવાના સમયે તમે બધાં પહોંચી ગયાં. તો બધાને ગોલ્ડન જુબલી ની બાપદાદા પણ શુભેચ્છા આપે છે. બધાં એવું સમજો છો ને! જોવાવાળા તો ફક્ત નથી ને! બનવાવાળા છો કે જોવાવાળા! જોયું તો દુનિયામાં ઘણું છે પરંતુ અહીંયાં જોવું અર્થાત્ બનવું. સાંભળવું અર્થાત્ બનવું. તો શું સંકલ્પ કર્યો? દરેક સેકન્ડ ગોલ્ડન હોય. દરેક સંકલ્પ ગોલ્ડન હોય. સદા દરેક આત્માનાં પ્રતિ સ્નેહની ખુશીની સોનેરી પુષ્પો ની વર્ષા કરતાં રહો. ભલે દુશ્મન પણ હોય પરંતુ સ્નેહની વર્ષા દુશ્મનોને પણ દોસ્ત બનાવી દેશે. ભલે કોઈ તમને માન આપે કે માને ન માને. પરંતુ તમે સદા સ્વમાનમાં રહી બીજાઓને સ્નેહી દૃષ્ટિ થી, સ્નેહી વૃત્તિ થી, આત્મિક માન આપતાં ચાલો. તે માને ન માને તમને પરંતુ તમે તેમને મીઠાભાઈ, મીઠી બહેન માનતા ચાલો. તે ન માને તમે તો માની શકો છો ને. તે પથ્થર ફેંકે તમે રત્ન આપો. તમે પણ પથ્થર નહીં ફેંકો કારણ કે તમે રત્નાગર બાપનાં બાળકો છો. રત્નોની ખાણનાં માલિક છો. મલ્ટી-મલ્ટી-મલ્ટીમિલેનિયર છો. ભિખારી નથી - જે વિચારો કે તે આપે ત્યારે આપું. આ ભિખારીનાં સંસ્કાર છે. દાતાનાં બાળકો ક્યારેય લેવાનો હાથ નહી ફેલાવે. બુદ્ધિથી પણ આ સંકલ્પ કરવો કે આ કરે તો હું કરું, આ સ્નેહ આપે તો હું આપું. આ માન આપે તો હું આપું. આ પણ હાથ ફેલાવવો છે. આ પણ રોયલ ભિખારીપણું છે, આમાં નિષ્કામ યોગી બનો, ત્યારે જ ગોલ્ડન દુનિયાની ખુશીની લહેર વિશ્વ સુધી પહોંચશે. જેમ વિજ્ઞાનની શક્તિ એ આખા વિશ્વને સમાપ્ત કરવાની સામગ્રી ખુબ શક્તિશાળી બનાવી છે, જે થોડાં સમયમાં કાર્ય સમાપ્ત થઈ જાય. વિજ્ઞાન ની શક્તિ એવી રિફાઇન વસ્તુ બનાવી રહી છે. આપ જ્ઞાનની શક્તિ વાળા એવી શક્તિશાળી વૃત્તિ અને વાયુમંડળ બનાવો જે થોડાં સમયમાં ચારેબાજુ ખુશીની લહેર, સૃષ્ટિનાં શ્રેષ્ઠ ભવિષ્યની લહેર ખુબ જ જલ્દી થી જલ્દી ફેલાઈ જાય. અડધી દુનિયા હમણાં અડધી મરેલી છે. ભય નાં મૃત્યુંની શૈય્યા પર સુતેલી પડી છે. તેમને ખુશીની લહેરનો ઓક્સિજન આપો. આ જ ગોલ્ડન જુબલી નો ગોલ્ડન સંકલ્પ સદા ઈમર્જ (જાગૃત) રુપમાં રહે. સમજ્યાં - શું કરવાનું છે. હજી વધારે ગતિને તીવ્ર બનાવવાની છે. હમણાં સુધી જે કર્યું તે પણ ખુબ સારું કર્યું. હવે આગળ હજી પણ સારા થી સારું કરતાં ચાલો. અચ્છા.

ડબલ વિદેશીઓને ખુબ ઉમંગ છે. હમણાં છે તો ડબલ વિદેશીઓનો ચાન્સ (તક). પહોંચી પણ ગયાં છે ઘણાં. સમજ્યાં! હવે બધાંને ખુશી ની ટોલી ખવડાવો. દિલખુશ મીઠાઈ હોય છે ને! તો ખુબ દિલખુશ મીઠાઈ વેંચો. સારું - સેવાધારી પણ ખુશી માં નાચી રહ્યાં છે ને! નાચવા થી થાક સમાપ્ત થઈ જાય છે. તો સેવાનો કે ખુશીનો ડાન્સ બધાને દેખાડયો? શું કર્યું? ડાન્સ દેખાડયો ને! અચ્છા!

સર્વશ્રેષ્ઠ ભાગ્યવાન, વિશેષ આત્માઓને, દર સેકન્ડ, દર સંકલ્પ સોનેરી બનાવવા વાળા બધાં આજ્ઞાકારી બાળકોને, સદા દાતાનાં બાળક બની સર્વની ઝોલી ભરવા વાળા, સંપન્ન બાળકોને, સદા વિધાતા અને વરદાતા બની સર્વને મુક્તિ કે જીવનમુક્તિ ની પ્રાપ્તિ કરાવવા વાળા, સદા ભરપૂર બાળકોને બાપદાદાનાં સોનેરી સ્નેહનાં સોનેરી ખુશીનાં પુષ્પો સહિત યાદ પ્યાર શુભેચ્છા અને નમસ્તે.

પાર્ટીઓ થી :- સદા બાપ અને વારસો બંને યાદ રહે છે? બાપ ની યાદ સ્વતઃ જ વારસા ની પણ યાદ અપાવે છે અને વારસો યાદ છે તો બાપની યાદ સ્વતઃ છે. બાપ અને વારસો બંને સાથે-સાથે છે. બાપ ને યાદ કરો છો વારસા માટે. જો વારસાની પ્રાપ્તિ ન હોય તો બાપને પણ યાદ કેમ કરો. તો બાપ અને વારસો આ જ યાદ સદા ભરપૂર બનાવે છે. ખજાના થી ભરપૂર અને દુઃખદર્દ થી દૂર. બંનેવ ફાયદા છે. દુઃખ થી દૂર થઈ જાય અને ખજાનાથી ભરપૂર થઇ જાય. એવી પ્રાપ્તિ સદાકાળ ની, બાપનાં વગર બીજું કોઈ કરાવી નથી શકતું. આ જ સ્મૃતિ સદા સંતુષ્ટ, સંપન્ન બનાવશે. જેમ બાપ સાગર છે, સદા ભરપૂર છે. કેટલો પણ સાગરને સુકાવો છતાં પણ સાગર સમાપ્ત થવા વાળો નથી. સાગર સંપન્ન છે. તો તમે બધાં સદા સંપન્ન આત્માઓ છો ને. ખાલી હશો તો ક્યાંય લેવા માટે હાથ ફેલાવવો પડશે. પરંતુ ભરપૂર આત્મા સદા જ ખુશીનાં ઝૂલામાં ઝૂલતી રહે છે, સુખનાં ઝૂલામાં ઝૂલતી રહે છે. તો એવી શ્રેષ્ઠ આત્માઓ બની ગયાં. સદા સંપન્ન રહેવાનું જ છે. ચેક (તપાસ) કરો મળેલી શક્તિઓનાં ખજાનાને ક્યાં સુધી કાર્યમાં લગાવ્યો છે?

સદા હિંમત અને ઉમંગની પાંખો થી ઉડતા રહો અને બીજાઓને ઉડાવતા રહો. હિંમત છે ઉમંગ-ઉત્સાહ નથી તો પણ સફળતા નથી. ઉમંગ છે, હિંમત નથી તો પણ સફળતા નથી. બંને સાથે રહે તો ઉડતી કળા છે એટલે સદા હિંમત અને ઉમંગની પાંખો થી ઉડતા રહો. અચ્છા.

અવ્યક્ત મુરલીથી વીણેલાં અણમોલ મહાવાક્ય
૧૦૮ રત્નોની વૈજયન્તી માળા માં આવવા માટે સંસ્કાર મિલન ની રાસ કરો .

૧) કોઈ પણ માળા જ્યારે બને છે તો એક દાણો બીજા દાણાથી મળેલો હોય છે. વૈજયન્તી માળા માં પણ ભલે કોઈ ૧૦૮ મો નંબર હોય પરંતુ દાણો દાણા થી મળેલો હોય છે. તો બધાને આ મહેસૂસતા આવે કે આ તો માળાનાં સમાન પરોવાયેલા મણકા છે. વેરાઈટી સંસ્કાર હોવા છતાં પણ સમીપ દેખાય.

૨) એકબીજાનાં સંસ્કારોને જાણીને, એકબીજાનાં સ્નેહમાં એકબીજા થી હળીમળીને રહેવું - આ માળા નાં દાણાની વિશેષતા છે. પરંતુ એકબીજાનાં સ્નેહી ત્યારે બનશો જ્યારે સંસ્કાર અને સંકલ્પોને એકબીજાથી મળાવશો, એનાં માટે સરળતાનો ગુણ ધારણ કરો.

૩) હમણાં સુધી સ્તુતિનાં આધારે સ્થિતિ છે, જે કર્મ કરો છો તેનાં ફળની ઇચ્છા રહે છે, સ્તુતિ નથી મળતી તો સ્થિતિ નથી રહેતી. નિંદા થાય છે તો ધણીને ભૂલી નિધન નાં બની જાઓ છો. પછી સંસ્કારોનો ટકરાવ શરુ થઈ જાય છે. આ જ બે વાતો માળા થી બહાર કરી દે છે. એટલે સ્તુતિ અને નિંદા બંનેમાં સમાન સ્થિતિ બનાવો.

૪) સંસ્કાર મળાવવા માટે જ્યાં માલિક થઈ ચાલવાનું છે ત્યાં બાળક નથી બનવાનું અને જ્યાં બાળક બનવાનું છે ત્યાં માલિક નહિં બનતાં. બાળકપણું અર્થાત્ નિરસંકલ્પ. જે પણ આજ્ઞા મળે, ડાયરેક્શન મળે તેના પર ચાલવું. માલિક બની પોતાની સલાહ આપો પછી બાળક બની જાઓ તો ટકરાવ થી બચી જશો.

૫) સર્વિસ (સેવા) માં સફળતાનો આધાર છે નમ્રતા. જેટલી નમ્રતા એટલી સફળતા. નમ્રતા આવે છે નિમિત્ત સમજવાથી. નમ્રતાનાં ગુણથી બધાં નમન કરે છે. જે સ્વયં ઝુકે છે તેમની આગળ બધાં ઝુકે છે. એટલે શરીરને નિમિત્ત માત્ર સમજી ચાલો અને સર્વિસ માં પોતાને નિમિત્ત સમજી ચાલો ત્યારે નમ્રતા આવશે. જ્યાં નમ્રતા છે ત્યાં ટકરાવ નથી થઈ શકતો. સ્વતઃ સંસ્કાર મિલન થઈ જશે.

૬) મનમાં જે પણ સંકલ્પ ઉત્પન્ન થાય છે તેમાં સચ્ચાઈ અને સફાઈ જોઈએ. અંદર કોઈ પણ વિકર્મ નો કચરો ન હોય. કોઈ પણ ભાવ-સ્વભાવ, જૂનાં સંસ્કારનો પણ કચરો ન હોય. જે એવી સફાઈવાળા હશે તે સાચાં હશે અને જે સાચાં હશે તે સૌનાં પ્રિય હશે. સૌનાં પ્રિય બની જાઓ તો સંસ્કાર મિલનનો રાસ થઇ જશે. સાચાં પર સાહેબ રાજી થાય છે.

૭) સંસ્કાર મિલનની રાસ કરવા માટે પોતાની નેચર (સ્વભાવ) ને ઈઝી (સરળ) અને એક્ટિવ બનાવો. ઈઝી અર્થાત્ પોતાનાં પુરુષાર્થમાં, સંસ્કારોમાં ભારેપણું ન હોય. ઈઝી છે તો એક્ટિવ છે. ઇઝી રહેવાથી બધાં કાર્ય પણ ઈઝી, પુરુષાર્થ પણ ઈઝી થઈ જાય છે. પોતે ઇઝી નથી બનતાં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પછી પોતાનાં સંસ્કાર, પોતાની કમજોરીઓ મુશ્કેલીનાં રુપમાં જોવામાં આવે છે.

૮) સંસ્કાર મિલનનો રાસ ત્યારે થાય જ્યારે દરેક ની વિશેષતા જુઓ અને સ્વયંને વિશેષ આત્મા સમજી વિશેષતાઓથી સંપન્ન બનો. આ મારાં સંસ્કાર છે, આ મારાં સંસ્કાર શબ્દ પણ ભુસાઈ જાય. આટલે સુધી ભુસવાનો છે જે કે નેચર પણ બદલાઈ જાય. જ્યારે દરેક નો નેચર બદલાય ત્યારે આપ લોકોનાં અવ્યક્ત ફિચર્સ બનશે.

૯) બાપદાદા બાળકો ને વિશ્વ મહારાજન બનાવવાનું ભણતર ભણાવે છે. વિશ્વ મહારાજન બનવાવાળા સર્વનાં સ્નેહી હશે. જેમ બાપ સર્વનાં સ્નેહી અને સર્વ એમનાં સ્નેહી છે, એવી રીતે એક-એકનાં અંદર થી તેમનાં પ્રતિ સ્નેહનાં ફૂલ વરસશે. જયારે સ્નેહનાં ફૂલ અહીંયા વરસશે ત્યારે જ ચિત્રો પર પણ ફૂલ વરસશે. તો લક્ષ રાખો કે સર્વ નાં સ્નેહનાં પુષ્પ પાત્ર બનો. સ્નેહ મળશે સહયોગ આપવાથી.

૧૦) સદૈવ આ જ લક્ષ રાખો કે અમારી ચલન દ્વારા કોઈને પણ દુઃખ ન થાય. મારી ચલન, સંકલ્પ, વાણી અને દરેક કર્મ સુખદાઈ હોય. આ છે બ્રાહ્મણ કુળ ની રીત, આ જ રીત અપનાવી લો તો સંસ્કાર મિલનનો રાસ થઇ જશે.

વરદાન :-
ઈશ્વરીય રોયલ્ટી નાં સંસ્કાર દ્વારા દરેકની વિશેષતાઓનું વર્ણન કરવા વાળા પુણ્ય આત્મા ભવ

સદા સ્વયંને વિશેષ આત્મા સમજી દર સંકલ્પ કે કર્મ કરવું અને દરેકમાં વિશેષતા જોવી, વર્ણન કરવી, સર્વનાં પ્રતિ વિશેષ બનાવવાની શુભકલ્યાણની કામના રાખવી - આ જ ઈશ્વરીય રોયલ્ટી છે. રોયલ આત્માઓ બીજા દ્વારા છોડવા વાળી વસ્તુ ને સ્વયં માં ધારણ ન કરી શકે એટલે સદા અટેન્શન રહે કે કોઈ ની કમજોરી કે અવગુણોને જોવાનું નેત્ર સદા બંધ હોય. એકબીજાનાં ગુણગાન કરો, સ્નેહ, સહયોગનાં પુષ્પોની લેણ-દેણ કરો - તો પુણ્ય આત્મા બની જશો.

સ્લોગન :-
વરદાનની શક્તિ પરિસ્થિતિ રુપી આગને પણ પાણી બનાવી દે છે.


સુચના :- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી બધાં ભાઈ બહેનો સંગઠિત રુપમાં એકત્રિત થઈ યોગ અભ્યાસમાં અનુભવ કરે કે હું ભ્રકુટી આસન પર વિરાજમાન પરમાત્મ શક્તિઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ રાજયોગી આત્મા કર્મેન્દ્રિય જીત, વિકર્માજીત છું. આખો દિવસ આ જ સ્વમાન માં રહો કે આખા કલ્પમાં હીરો પાર્ટ ભજવવા વાળી હું સર્વશ્રેષ્ઠ મહાન આત્મા છું.