30-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સૌથી
પહેલા - પહેલા આ જ વિચાર કરો કે મુજ આત્મા પર જે કાટ ચઢેલો છે , તે કેવી રીતે ઉતરે
, સોય પર જ્યાં સુધી કાટ ( જંક ) હશે ત્યાં સુધી ચુંબક ખેંચી નથી શકતું ”
પ્રશ્ન :-
પુરુષોત્તમ
સંગમયુગ પર તમારે પુરુષોત્તમ બનવા માટે કયો પુરુષાર્થ કરવાનો છે?
ઉત્તર :-
કર્માતીત બનવાનો. કોઈ પણ કર્મ સંબંધોની તરફ બુદ્ધિ ન જાય અર્થાત્ કર્મ બંધન પોતાનાં
તરફ ન ખેંચે. બધું કનેક્શન (સંબંધ) એક બાપ થી રહે. કોઈ થી પણ દિલ લાગેલું ન હોય. એવો
પુરુષાર્થ કરો, ઝરમુઈ ઝગમુઈ માં પોતાનો સમય વ્યર્થ નહીં કરો. યાદ માં રહેવાનો
અભ્યાસ કરો.
ગીત :-
જાગ સજનિયાઁ
જાગ …
ઓમ શાંતિ!
રુહાની બાળકો
(આત્માઓ) એ શરીર દ્વારા ગીત સાંભળ્યું? કારણ કે બાપ હમણાં બાળકોને આત્મ-અભિમાની
બનાવી રહ્યાં છે. તમને આત્મા નું પણ જ્ઞાન મળે છે. દુનિયા માં એક પણ મનુષ્ય નથી,
જેમને આત્માનું સાચું જ્ઞાન હોય. તો પછી પરમાત્માનું જ્ઞાન કેવી રીતે હોઈ શકે? આ
બાપ જ બેસી સમજાવે છે. સમજાવવાનું શરીર ની સાથે જ છે. શરીર વગર તો આત્મા કાંઈ કરી
નથી શકતી. આત્મા જાણે છે આપણે ક્યાંના નિવાસી છીએ, કોનાં બાળકો છીએ. હમણાં તમે
યથાર્થ રીતે જાણો છો. બધાં એક્ટર્સ પાર્ટધારી છે. ભિન્ન-ભિન્ન ધર્મની આત્માઓ ક્યારે
આવે છે, આ પણ તમારી બુદ્ધિ માં છે. બાપ ડિટેલ (વિસ્તાર) નથી સમજાવતાં, મુટ્ટા (હોલસેલ)
સમજાવે છે. હોલસેલ અર્થાત્ એક સેકન્ડમાં એવી સમજણ આપે છે જે સતયુગ આદિ થી લઈને અંત
સુધી ખબર પડી જાય છે કેવી રીતે આપણો પાર્ટ નોંધાયેલો છે. હમણાં તમે જાણો છો બાપ કોણ
છે, એમનો આ ડ્રામાની અંદર શું પાર્ટ છે? આ પણ જાણો છો ઊંચે થી ઊંચા બાપ છે સર્વ નાં
સદ્દગતિ દાતા, દુઃખહર્તા સુખકર્તા છે. શિવજયંતી ગવાયેલી છે. જરુર કહેશે શિવજયંતી
સૌથી ઉંચ છે. ખાસ ભારતમાં જ જયંતી મનાવે છે. જેની-જેની રાજાઈ માં જે ઉચ્ચ પુરુષ ની
ભૂતકાળ ની હિસ્ટ્રી સારી હોય છે તો તેમનો સ્ટેમ્પ (મહોર) પણ બનાવે છે. હવે શિવ ની
જયંતી પણ મનાવે છે. સમજાવવું જોઈએ સૌથી ઉંચ જયંતી કોની થઈ? કોનો સ્ટેમ્પ બનાવવો
જોઈએ? કોઈ સાધુ-સંત અથવા સિક્ખો નાં, મુસલમાનો નાં કે અંગ્રેજો નાં, કોઈ ફિલોસોફર (તત્વજ્ઞાની)
સારો હશે તો તેમનાં સ્ટેમ્પ બનાવતાં રહે છે. જેમ રાણા પ્રતાપ વગેરે નો પણ બનાવે છે.
હવે વાસ્તવ માં સ્ટેમ્પ હોવો જોઈએ બાપ નો, જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. આ સમયે બાપ
ન આવે તો સદ્દગતિ કેવી રીતે થાય કારણ કે બધાં રૌરવ નર્ક માં ગોતા ખાઈ રહ્યાં છે.
સૌથી ઊંચે થી ઊંચા છે શિવબાબા, પતિત-પાવન. મંદિર પણ શિવનાં ખુબ ઊંચા સ્થાન પર બનાવે
છે. કારણ કે ઊંચે થી ઊંચા છે ને. બાપ જ આવીને ભારત ને સ્વર્ગનાં માલિક બનાવે છે.
જ્યારે એ આવે છે ત્યારે સદ્દગતિ કરે છે. તો એ બાપની જ યાદ રહેવી જોઈએ. સ્ટેમ્પ પણ
શિવબાબા નો કેવી રીતે બનાવે? ભક્તિમાર્ગ માં તો શિવલિંગ બનાવે છે. એ જ ઊંચે થી ઊંચી
આત્મા થયી. ઊંચે થી ઊંચા મંદિર પણ શિવ નાં જ માનશે. સોમનાથ શિવનું મંદિર છે ને.
ભારતવાસી તમોપ્રધાન હોવાનાં કારણે આ પણ નથી જાણતાં કે શિવ કોણ છે જેમની પૂજા કરે
છે, એમનું ઓક્યુપેશન (કર્તવ્ય) તો જાણતાં નથી. રાણા પ્રતાપે પણ લડાઈ કરી, તે તો
હિંસા થઈ ગઈ. આ સમયે તો બધાં છે ડબલ હિંસક. વિકાર માં જવું, કામ કટારી ચલાવવી આ પણ
હિંસા છે ને. ડબલ અહિંસક તો આ લક્ષ્મી-નારાયણ છે. મનુષ્યો ને જ્યારે પૂરું જ્ઞાન
હોય ત્યારે તો અર્થ સહિત સ્ટેમ્પ નીકળે. સતયુગ માં સ્ટેમ્પ નીકળે જ આ
લક્ષ્મી-નારાયણ નાં છે. શિવબાબા નું જ્ઞાન તો ત્યાં રહેતું નથી તો જરુર ઊંચે થી ઉંચા
લક્ષ્મી-નારાયણ નો જ સ્ટેમ્પ લાગતો હશે. હમણાં પણ ભારતનો તે સ્ટેમ્પ હોવો જોઈએ. ઊંચે
થી ઊંચા છે ત્રિમૂર્તિ શિવ. તે તો અવિનાશી રહેવો જોઈએ કારણ કે ભારત ને અવિનાશી
રાજ-ગાદી આપે છે. પરમપિતા પરમાત્મા જ ભારત ને સ્વર્ગ બનાવે છે. તમારામાં પણ ઘણાં છે
જે આ ભૂલી જાય છે કે બાબા આપણને સ્વર્ગનાં માલિક બનાવે છે. આ માયા ભુલાવી દે છે.
બાપને ન જાણવાનાં કારણે ભારતવાસી કેટલી ભૂલો કરતાં આવ્યાં છે. શિવબાબા શું કરે છે,
આ કોઈને પણ ખબર નથી. શિવજયંતી નો પણ અર્થ નથી સમજતાં. આ નોલેજ સિવાય બાપ નાં બીજા
કોઈને નથી.
હમણાં આપ બાળકોને બાપ સમજાવે છે તમે બીજાઓ ઉપર પણ રહેમ કરો, પોતાનાં ઉપર પણ પોતે જ
રહેમ કરો. શિક્ષક ભણાવે છે આ પણ રહેમ કરે છે ને. આ પણ કહે છે હું શિક્ષક છું. તમને
ભણાવું છું. વાસ્તવ માં આનું નામ પાઠશાળા પણ નહીં કહેશું. આ તો ખુબ મોટી યુનિવર્સિટી
છે. બાકી તો બધાં છે જુઠ્ઠા નામ. તે કોઈ આખાં યુનિવર્સ (વિશ્વ) માટે કોલેજ તો છે નહીં.
તો યુનિવર્સિટી છે જ એક બાપની, જે આખાં વિશ્વની સદ્દગતિ કરે છે. વાસ્તવ માં
યુનિવર્સિટી આ એક જ છે. આમનાં દ્વારા જ બધાં મુક્તિ-જીવનમુક્તિ માં જાય છે અર્થાત્
શાંતિ અને સુખને પ્રાપ્ત કરે છે. યુનિવર્સ તો આ થયું ને, એટલે બાબા કહે છે ડરો નહીં
આ તો સમજાવવાની વાત છે. એવું પણ થાય છે ઇમરજન્સી (તત્કાલીન) નાં સમય પર કોઈ કોઈનું
સાંભળતાં પણ નથી. પ્રજા નું પ્રજા પર રાજ્ય ચાલે છે બીજા કોઈ ધર્મ માં શરું થી
રાજાઈ નથી ચાલતી. તેઓ તો ધર્મ સ્થાપન કરવા આવે છે. પછી જ્યારે લાખોનાં અંદાજ માં
થાય ત્યારે રાજાઈ કરી શકે. અહીંયા તો બાપ રાજાઈ સ્થાપન કરી રહ્યાં છે - યુનિવર્સ
નાં માટે. આ પણ સમજાવવાની વાત છે. દૈવી રાજધાની આ પુરુષોત્તમ સંગમયુગ પર સ્થાપન કરી
રહ્યાં છે. બાબાએ સમજાવ્યું છે - કૃષ્ણ, નારાયણ, રામ વગેરે નાં કાળા ચિત્ર પણ તમે
હાથમાં ઉપાડો પછી સમજાવો કૃષ્ણ ને શ્યામ-સુંદર કેમ કહે છે? સુંદર હતાં પછી શ્યામ
કેવી રીતે બને છે? ભારત જ હેવન (સ્વર્ગ) હતું, હવે હેલ (નર્ક) છે. હેલ અર્થાત કાળા,
હેવન અર્થાત્ ગોરા. રામ રાજ્ય ને દિવસ, રાવણ રાજ્ય ને રાત કહેવાય છે. તો તમે સમજાવી
શકો છો - દેવતાઓને કાળા કેમ બનાવ્યાં છે. બાપ બેસી સમજાવે છે - તમે છો હમણાં
પુરુષોત્તમ સંગમયુગ પર. તેઓ નથી, તમે તો અહીંયા બેઠાં છો ને. અહીંયા તમે છો જ
સંગમયુગ પર, પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. વિકારી પતિત મનુષ્યો થી
તમારું કોઇ કનેક્શન (સંબંધ) જ નથી, હાં, હમણાં કર્માતીત અવસ્થા નથી થઈ એટલે કર્મ
સંબંધો થી પણ દિલ લાગી જાય છે. કર્માતીત બનવાં માટે જોઈએ યાદ ની યાત્રા. બાપ સમજાવે
છે તમે આત્મા છો, તમારો પરમાત્મા બાપ ની સાથે કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ. ઓહો! બાબા
અમને ભણાવે છે. તે ઉમંગ કોઈ માં રહેતો નથી. માયા ઘડી-ઘડી દેહ-અભિમાન માં લાવી દે
છે. જ્યારે કે સમજો છો શિવબાબા આપણી આત્માઓથી વાત કરી રહ્યાં છે, તો તે કશિશ, તે
ખુશી રહેવી જોઈએ ને. જે સોય પર જરા પણ જંક નહીં હશે તે ચુંબકનાં આગળ તમે રાખશો તો
ફટ થી ચીટકી જશે. થોડો પણ કાટ હશે તો ચીટકશે નહીં. કશિશ નહીં થાય. જ્યાંથી નહીં હોય
પછી તે તરફ થી ચુંબક ખેંચશે. બાળકો માં કશિશ ત્યારે હશે જ્યારે યાદ ની યાત્રા પર હશે.
કાટ હશે તો ખેંચી નહીં શકે. દરેક સમજી શકે છે અમારી સોય બિલકુલ પવિત્ર થઇ જશે તો
કશિશ પણ થશે. કશિશ નથી થતી કારણ કે કાટ ચઢેલો છે. તમે ખુબ યાદ માં રહો છો તો વિકર્મ
ભસ્મ થાય છે. અચ્છા, પછી જો કોઇ પાપ કરે છે તો તે સોગણો દંડ થઈ જાય છે. કાટ ચઢી જાય
છે, યાદ નથી કરી શકતાં. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, યાદ ભૂલવાથી કાટ ચઢી જાય
છે. તો તે કશિશ, લવ (પ્રેમ) નથી રહેતો. કાટ ઉતરેલો હશે તો પ્રેમ હશે, ખુશી પણ રહેશે.
ચહેરો ખુશનુમ: (હર્ષિત) રહેશે. તમારે ભવિષ્ય માં એવા બનવાનું છે. સર્વિસ (સેવા) નથી
કરતાં તો જૂની સડેલી વાતો કરતાં રહે છે. બાપ થી બુદ્ધિયોગ જ તોડાવી દે છે. જે કાંઈ
ચમક હતી, તે પણ ગુમ થઈ જાય છે. બાપ થી જરા પણ પ્રેમ નથી રહેતો. પ્રેમ તેમનો રહેશે
જે સારી રીતે બાપ ને યાદ કરતાં હશે. બાપને પણ તેમનાથી કશિશ થશે. આ બાળક સર્વિસ પણ
સારી કરે છે અને યોગમાં રહે છે. તો બાપ નો પ્રેમ તેમનાં પર રહે છે. પોતાનાં ઉપર
ધ્યાન રાખે છે, અમારાથી કોઈ પાપ તો નથી થયું. જો યાદ નહિં કરશો તો કાટ કેવી રીતે
ઉતરશે. બાપ કહે છે ચાર્ટ રાખો તો કાટ ઉતરી જશે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે
તો કાટ ઉતરવો જોઈએ. ઉતરે પણ છે પછી ચઢે પણ છે. સોગુણા દંડ પડી જાય છે. બાપ ને યાદ
નથી કરતાં તો કાંઈ ને કાંઈ પાપ કરી લે છે. બાપ કહે છે કાટ ઉતર્યા વગર તમે મારી પાસે
આવી નહીં શકો. નહીં તો પછી સજા ખાવી પડશે. મોચરા (સજાઓ) પણ મળશે, પદ પણ ભ્રષ્ટ થઈ
જાય. બાકી બાપ થી વારસો શું મળ્યો? એવાં કર્મ ન કરવા જોઈએ જે ખુબ જ કાટ ચઢી જાય.
પહેલા તો પોતાનો કાટ ઉતારવાનો ખ્યાલ રાખો. ખ્યાલ નથી કરતાં તો પછી બાપ સમજશે આમની
તકદીર માં નથી. ક્વોલિફિકેશન (લાયકાત) જોઈએ. સારા કેરેક્ટર્સ (ચરિત્ર) જોઈએ.
લક્ષ્મી-નારાયણ નાં કેરેક્ટર તો ગવાયેલાં છે. આ સમય નાં મનુષ્યો તેમની આગળ પોતાનું
કેરેક્ટર વર્ણન કરે છે. શિવબાબા ને જાણતાં જ નથી, સદ્દગતિ કરવા વાળા તો એ જ છે,
સંન્યાસીઓની પાસે જાય છે. પરંતુ સર્વનાં સદ્દગતિ દાતા છે જ એક. બાપ જ સ્વર્ગ ની
સ્થાપના કરે છે પછી તો નીચે જ ઉતરવાનું છે. બાપનાં સિવાય કોઈ પાવન બનાવી ન શકે.
મનુષ્ય ખાડા ની અંદર જઈને બેસે છે, આનાથી તો ગંગા માં જઈને બેસે તો સાફ થઈ જાય કારણ
કે પતિત-પાવની ગંગા કહે છે ને. મનુષ્ય શાંતિ ઈચ્છે છે તો તે જ્યારે ઘરે જશે ત્યારે
પાર્ટ પૂરો થશે. આપણું આત્માઓનું ઘર છે જ નિર્વાણધામ. અહીંયા શાંતિ ક્યાંથી આવી?
તપસ્યા કરે છે, તે પણ કર્મ કરે છે ને, કરીને શાંતિ માં બેસી જશે. શિવબાબા ને તો
જાણતાં જ નથી. તે બધું છે ભક્તિમાર્ગ, પુરુષોત્તમ સંગમયુગ એક જ છે, જ્યારે કે બાપ
આવે છે. આત્મા સ્વચ્છ બની મુક્તિ-જીવનમુક્તિ માં ચાલી જાય છે. જે મહેનત કરશે તે
રાજ્ય કરશે, બાકી જે મહેનત નહીં કરશે તે સજાઓ ખાશે. શરું માં સાક્ષાત્કાર કરાવ્યો
હતો, સજાઓનો. પછી અંત માં પણ સાક્ષાત્કાર થશે. જોશે અમે શ્રીમત પર ન ચાલ્યાં ત્યારે
આ હાલ થયો છે. બાળકોએ કલ્યાણકારી બનવાનું છે. બાપ અને રચના નો પરિચય આપવાનો છે. જેમ
સોય ને માટીનાં તેલ (કેરોસીન) માં નાખવાથી કાટ ઉતરી જાય છે, એમ બાપની યાદ માં
રહેવાથી પણ કાટ ઉતરે છે. નહીં તો તે કશિશ, તે પ્રેમ બાપ માં નથી રહેતો. પ્રેમ બધો
ચાલ્યો જાય છે મિત્ર-સંબંધીઓ વગેરે માં, મિત્ર-સંબંધીઓનાં પાસે જઈને રહે છે. ક્યાં
તે કાટ ખાધેલો સંગ અને ક્યાં આ સંગ. કાટ ખાધેલી વસ્તુ નાં સંગ માં તેને પણ કાટ ચઢી
જશે. કાટ ઉતારવા માટે જ બાપ આવે છે. યાદ થી જ પાવન બનશો. અડધાકલ્પ થી ખુબ જોર થી
કાટ ચઢેલો છે. હવે બાપ ચુંબક કહે છે મને યાદ કરો. બુદ્ધિનો યોગ જેટલો મારી સાથે હશે
એટલો કાટ ઉતરશે. નવી દુનિયા તો બનવાની જ છે, સતયુગ માં પહેલાં ખુબ નાનું ઝાડ હોય છે
- દેવી-દેવતાઓનું, પછી વૃદ્ધિને પામે છે. અહીંયાથી જ તમારી પાસે આવીને પુરુષાર્થ
કરતાં રહે છે. ઉપર થી કોઈ નથી આવતાં. જેમ બીજા ધર્મવાળાઓનાં ઉપર થી આવે છે. અહીંયા
તમારી રાજધાની તૈયાર થઈ રહી છે. બધો આધાર ભણતર પર છે. બાપ ની શ્રીમત પર ચાલવા પર
છે, બુદ્ધિયોગ બહાર જતો રહે છે તો પણ કાટ લાગી જાય છે. અહીંયા આવે છે તો બધો
હિસાબ-કિતાબ ચુક્તું કરી, જીવતે જીવ બધું કંઈ ખતમ કરીને આવે છે. સન્યાસી પણ સન્યાસ
કરે છે તો પણ કેટલાં સમય સુધી બધું યાદ આવતું રહે છે.
આપ બાળકો જાણો છો હમણાં આપણને સત નો સંગ મળે છે. આપણે આપણા બાપની યાદમાં જ રહીએ છીએ.
મિત્ર-સંબંધીઓ વગેરે ને જાણો તો છો ને. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, કર્મ કરતાં બાપ
ને યાદ કરે છે, પવિત્ર બનવાનું છે, બીજાઓને પણ શીખવાડવાનું છે. પછી તકદીર માં હશે
તો ચાલી પડશે. બ્રાહ્મણ કુળ નાં જ નહીં હશે તો દેવતાકુળ માં કેવી રીતે આવશે? ખુબ
સહજ પોઇન્ટસ (જ્ઞાન) અપાય છે, જે ઝટ કોઈની બુદ્ધિ માં બેસી જાય. વિનાશકાળે વિપરીત
બુદ્ધિ વાળું ચિત્ર પણ ક્લિયર (સ્પષ્ટ) છે. હવે તે સાવરન્ટી (રાજધાની) તો છે નહીં.
દૈવી સાવરન્ટી હતી, જેને સ્વર્ગ કહેવાતું હતું. હમણાં તો પંચાયતી રાજ્ય છે,
સમજાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ કાટ નીકળેલો હોય તો કોઈને તીર લાગે. પહેલાં કાટ
નીકળવાની કોશિશ કરવી જોઈએ. પોતાનું કેરેક્ટર જોવાનું છે. રાત-દિવસ અમે શું કરીએ છીએ?
કિચન (રસોઈ) માં પણ ભોજન બનાવતાં, રોટલી ચડવતાં જેટલું થઈ શકે યાદ માં રહો, ફરવા
જાઓ છો તો પણ યાદમાં. બાપ બધાની અવસ્થા ને તો જાણે છે ને. ઝરમુઈ-ઝગમુઈ કરે છે તો
કાટ વધારે જ ચઢી જાય છે. પરચિંતન ની કોઈ વાત નહીં સાંભળો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ
શિક્ષક રુપ માં ભણાવીને બધાં પર રહેમ કરે છે, એમ પોતે પોતાનાં પર અને બીજાઓ પર પણ
રહેમ કરવાનો છે. ભણતર અને શ્રીમત પર પૂરું ધ્યાન આપવાનું છે, પોતાનાં કેરેક્ટર (ચરિત્ર)
સુધારવાનાં છે.
2. આપસ માં કોઈ જૂની સડેલી પરચિંતન ની વાતો કરીને બાપ થી બુદ્ધિયોગ નથી તોડાવવાનો.
કોઈ પણ પાપ કર્મ નથી કરવાનું, યાદમાં રહી ને કાટ ઉતારવાનો છે.
વરદાન :-
સર્વ શક્તિઓ
ને ઓર્ડર પ્રમાણે પોતાની સહયોગી બનાવવા વાળા પ્રકૃતિજીત ભવ
સૌથી મોટાં માં મોટી
દાસી પ્રકૃતિ છે. જે બાળકો પ્રકૃતિજીત બનવાનું વરદાન પ્રાપ્ત કરી લે છે તેમનાં
ઓર્ડર પ્રમાણે સર્વ શક્તિઓ અને પ્રકૃતિ રુપી દાસી કાર્ય કરે છે અર્થાત્ સમય પર
સહયોગ આપે છે. પરંતુ જો પ્રકૃતિજીત બનવાનાં બદલે અલબેલાપણા ની નિંદર માં કે અલ્પકાળ
ની પ્રાપ્તિનાં નશામાં અથવા વ્યર્થ સંકલ્પોનાં નાચ માં મસ્ત થઈને પોતાનો સમય ગુમાવો
છો તો શક્તિઓ ઓર્ડર પર કાર્ય નથી કરી શકતી એટલે ચેક (તપાસ) કરો કે પહેલાં મુખ્ય
સંકલ્પ શક્તિ, નિર્ણય શક્તિ અને સંસ્કાર ની શક્તિ ત્રણેવ ઓર્ડર માં છે?
સ્લોગન :-
બાપદાદા નાં
ગુણ ગાતાં રહો તો સ્વયં પણ ગુણમૂર્ત બની જશો.