14-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
હમણાં સાચ્ચી - સાચ્ચી પાઠશાળા માં બેઠાં છો , આ સતસંગ પણ છે , અહીંયા તમને સત બાપ
નો સંગ મળ્યો છે , જે પાર લગાવી દે છે ”
પ્રશ્ન :-
હિસાબ-કિતાબ
નાં ખેલ માં મનુષ્યો ની સમજ અને તમારી સમજ માં કયું અંતર છે.
ઉત્તર :-
મનુષ્ય સમજે છે-આ જે દુઃખ-સુખ નો ખેલ ચાલે છે, આ દુ:ખ-સુખ બધું પરમાત્મા જ આપે છે
અને આપ બાળકો સમજો છો કે આ દરેક નાં કર્મોનાં હિસાબ નો ખેલ છે. બાપ કોઈને પણ દુઃખ
નથી આપતાં. એ આવે જ છે સુખનો રસ્તો બતાવવાં. બાબા કહે છે - બાળકો, મેં કોઈને પણ
દુઃખી નથી કર્યા. આ તો તમારા જ કર્મો નું ફળ છે.
ગીત :-
ઇસ પાપ કી
દુનિયા સે ……
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. કોને પોકારે છે? બાપ ને. બાબા આવીને આ પાપ ની કળયુગી
દુનિયાથી સતયુગી પુણ્ય ની દુનિયામાં લઈ ચાલો. હમણાં જીવાત્માઓ બધી કળયુગી છે. તેઓની
બુદ્ધિ ઉપર જાય છે. બાપ કહે છે હું જે છું, જેવો છું, એવું કોઈ નથી જાણતાં. ઋષિ-મુનિ
વગેરે પણ કહે છે અમે રચયિતા માલિક અર્થાત્ બેહદનાં બાપ અને એમની બેહદની રચનાનાં
આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. આત્માઓ જ્યાં રહે છે તે છે બ્રહ્મ મહતત્વ, જ્યાં સૂર્ય
ચંદ્ર નથી હોતાં. ન મૂળવતન, ન સૂક્ષ્મવતન માં. બાકી આ માંડવા માં તો વીજળીઓ વગેરે
જોઈએ ને. તો આ માંડવા ને વીજળી મળે છે - રાત નાં ચંદ્ર-તારાઓ, દિવસ માં સૂર્ય. આ છે
બત્તીઓ. આ બત્તીઓનાં હોવા છતાં પણ અંધકાર કહેવાય છે. રાત્રે તો છતાં પણ બત્તીઓ
પેટાવવી પડે છે. સતયુગ ત્રેતા ને કહેવાય છે દિવસ અને ભક્તિમાર્ગ ને કહેવાય છે રાત.
આ પણ સમજની વાત છે. નવી દુનિયાથી પછી જૂની જરુર બનશે. ફરી નવી હશે તો જૂની નો જરુર
વિનાશ થશે. આ છે બેહદ ની દુનિયા. મકાન પણ કોઈ ખુબ મોટા-મોટા હોય છે રાજાઓ વગેરે
નાં. આ છે બેહદ નું ઘર, માંડવો અથવા સ્ટેજ, આને કર્મક્ષેત્ર પણ કહેવાય છે. કર્મ તો
જરુર કરવાનું હોય છે. બધાં મનુષ્યો નાં માટે આ કર્મક્ષેત્ર છે. બધાએ કર્મ કરવાનું જ
છે, પાર્ટ ભજવવાનો જ છે. પાર્ટ દરેક આત્માને પહેલે થી મળેલો છે. તમારામાં પણ કોઈ છે
જે આ વાતોને સારી રીતે સમજી શકે છે. વાસ્તવમાં આ ગીતા પાઠશાળા છે. પાઠશાળા માં
ક્યારેય ઘરડા વગેરે ભણે છે શું? અહીંયાં તો ઘરડા, જવાન વગેરે બધાં ભણે છે. વેદો ની
પાઠશાળા નહીં કહેશું. ત્યાં કોઈ પણ લક્ષ-હેતુ હોતો નથી. અમે આટલાં વેદ-શાસ્ત્ર વગેરે
ભણીએ છીએ, આનાથી શું બનશું - તે જાણતાં નથી. કોઈ પણ જે સતસંગ છે, લક્ષ-હેતુ કાંઈ નથી.
હવે તો તેને સતસંગ કહેવાથી લજ્જા આવે છે. સત્ તો એક બાપ જ છે, જેમનાં માટે કહેવાય
છે સંગ તારે…કુસંગ બોરે… કુસંગ કળયુગી મનુષ્યો નો. સત્ નો સંગ તો એક જ છે. હમણાં
તમને વન્ડર (આશ્ચર્ય) લાગે છે. આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કેવી રીતે બાપ
આપે છે, તમને તો ખુશી થવી જોઈએ, તમે સાચ્ચી-સાચ્ચી પાઠશાળા માં બેઠાં છો. બાકી બધી
છે જુઠ્ઠી પાઠશાળાઓ, તે સતસંગો વગેરે થી કાંઈ પણ બનીને નીકળતાં નથી. સ્કૂલ-કોલેજ
વગેરે થી તો પણ કાંઈ બનીને નીકળે છે. કારણ કે ભણે છે. બાકી ક્યાંય પણ ભણતર નથી.
સતસંગ ને ભણતર નહીં કહેશે. શાસ્ત્ર વગેરે તો ભણીને પછી દુકાન ખોલી બેસે છે, પૈસા
કમાય છે. ગ્રંથ થોડાં શીખીને, ગુરુદ્વારા ખોલી બેસી જાય છે. ગુરુદ્વારાઓ પણ કેટલાં
ખોલે છે. ગુરુનો દ્વાર અર્થાત્ ઘર કહેશે ને. ફાટક ખુલે છે, ત્યાં જઈને શાસ્ત્ર વગેરે
વાંચે છે. તમારો ગુરુદ્વાર છે - મુક્તિ અને જીવનમુક્તિ ધામ, સતગુરુ દ્વાર. સદ્દગુરુ
નું નામ શું છે? અકાળમૂર્ત. સદ્દગુરુ ને અકાળ મૂર્ત કહે છે, એ આવીને
મુક્તિ-જીવનમુક્તિ નો દ્વાર ખોલે છે. અકાળમૂર્ત છે ને. જેમને કાળ પણ ખાઇ નથી શકતો.
આત્મા છે જ બિંદુ, તેને કાળ કેવી રીતે ખાશે. તે આત્મા તો શરીર છોડીને ભાગી જાય છે.
મનુષ્ય સમજે થોડી છે કે આ જૂનું શરીર છોડી પછી જઈ બીજું લેશે પછી એમાં રડવાની શું
દરકાર છે. આ તમે જાણો છો - ડ્રામા અનાદિ બનેલો છે. દરેક ને પાર્ટ ભજવવાનો જ છે. બાપે
સમજાવ્યું છે - સતયુગ માં છે નષ્ટોમોહા. મોહજીત ની પણ વાર્તા છે ને. પંડિત લોકો
સંભળાવે છે, માતાઓ પણ સાંભળી-સાંભળી ને પછી ગ્રંથ રાખી બેસી જાય છે - સંભળાવવા માટે.
ઘણાં મનુષ્ય જઈને સાંભળે છે. તેને કહેવાય છે કનરસ. ડ્રામા પ્લાન અનુસાર મનુષ્ય તો
કહેશે અમારો દોષ શું છે. બાપ કહે છે તમે મને બોલાવો છો કે દુઃખ ની દુનિયાથી લઈ જાઓ.
હવે હું આવ્યો છું તો મારું સાંભળવું જોઈએ ને. બાપ બાળકોને બેસી સમજાવે છે, સારી મત
મળે છે તો તે લેવી જોઈએ ને. તમારો પણ કોઈ દોષ નથી. આ પણ ડ્રામા હતો. રામ રાજ્ય,
રાવણ રાજ્ય નો ખેલ બનેલો છે. ખેલ માં કોઈ હારી જાય છે તો તેનો દોષ થોડી છે. જીત અને
હાર થાય છે, આમાં આ લડાઈ ની વાત નથી. તમને બાદશાહી હતી. આ પણ આગળ તમને ખબર નહોતી,
હમણાં તમે સમજો છો જે સર્વિસએબુલ (સેવાધારી) છે, જેમનું નામ પ્રસિદ્ધ છે. દિલ્હી
માં સૌથી નામીગ્રામી સમજાવવા વાળું કોણ છે? તો ઝટ નામ લેશે જગદીશ નું. તમારા માટે
મેગેઝીન (પત્રિકા) પણ નીકાળે છે. તેમાં બધુંજ આવી જાય છે. અનેક પ્રકારની પોઇન્ટસ (વાત)
લખે છે, બ્રિજમોહન પણ લખે છે. લખવું કોઈ માસીનું ઘર થોડી છે. જરુર વિચાર સાગર મંથન
કરે છે, સારી સર્વિસ (સેવા) કરે છે. કેટલાં લોકો વાંચી ને ખુશ થાય છે. બાળકોને પણ
રીફ્રેશમેન્ટ મળે છે. કોઈ કોઈ પ્રદર્શની માં ખુબ માથું મારે છે, કોઈ-કોઈ કર્મબંધન
માં ફસાયેલાં છે, એટલે એટલું ઉઠાવી નથી શકતાં. આ પણ કહેશું ડ્રામા, અબળાઓ પર પણ
અત્યાચાર થવાનો ડ્રામા માં પાર્ટ છે. એવો પાર્ટ કેમ ભજવ્યો, આ પ્રશ્ન જ નથી ઉઠતો. આ
તો અનાદિ બન્યો-બનેલો ડ્રામા છે. તેમને કાંઈ કરી થોડી શકાય છે. કોઈ કહે છે અમે ગુનો
શું કર્યો છે આવો પાર્ટ રાખ્યો છે. હવે ગુના ની તો વાત નથી. આ તો પાર્ટ છે. અબળાઓ
કોઈ તો નિમિત્ત બનશે, જેમનાં પર જુલમ થશે. આમ તો પછી બધાં કહેશે અમને આ પાર્ટ કેમ?
ના, આ બન્યો-બનેલ ડ્રામા છે. પુરુષો પર પણ અત્યાચાર થાય છે. આ વાતો માં સહનશીલતા
કેટલી રાખવી પડે છે. ખુબ જ સહનશીલતા જોઈએ. માયા નાં વિઘ્ન તો ખુબ જ પડશે. વિશ્વની
બાદશાહી લો છો તો કાંઈ મહેનત કરવી પડે. ડ્રામા માં આપદાઓ, ખિટપિટ વગેરે કેટલી છે.
અબળાઓ પર અત્યાચાર લખેલું છે. લોહીની નદીઓ પણ વહેશે. ક્યાંય પણ સેફટી (સુરક્ષા) નહીં
રહેશે. હમણાં તો સવાર નાં ક્લાસ વગેરે માં જાઓ છો, સેવાકેન્દ્ર પર. તે પણ સમય આવશે
જે તમે બહાર નીકળી પણ નહીં શકો. દિવસ-પ્રતિદિવસ જમાનો બગડતો જાય છે અને બગડવાનો છે.
દુઃખ નાં દિવસ ખુબ જોર થી આવશે. બીમારી વગેરે માં પણ દુઃખ થાય છે તો પછી ભગવાન ને
યાદ કરે, પોકારે છે. હવે તમને ખબર છે બાકી થોડાં દિવસ છે. પછી આપણે પોતાનાં
શાંતિધામ, સુખધામ માં જરુર જઈશું. દુનિયાને તો આ પણ ખબર નથી. હમણાં આપ બાળકો ફીલ (અનુભવ)
કરો છો ને. હમણાં બાપને પૂરી રીતે જાણી ગયાં છો. તે બધાં તો સમજે છે પરમાત્મા લિંગ
છે. શિવલિંગ ની પૂજા પણ કરે છે. તમે શિવનાં મંદિર માં જતાં હતાં, ક્યારેય આ ખ્યાલ
કર્યો કે શિવલિંગ શું વસ્તુ છે? જરુર આ જડ છે તો ચૈતન્ય પણ હશે! આ ત્યારે શું છે?
ભગવાન તો રચતા છે ઉપર માં. એમની નિશાની છે ફક્ત પૂજા માટે. પૂજ્ય હશે તો પછી આ વસ્તુ
નહીં હશે. શિવકાશી નાં મંદિર માં જાય છે, કોઈને ખબર થોડી છે ભગવાન નિરાકાર છે. આપણે
પણ એમનાં બાળકો છીએ. બાપનાં બાળકો થઈને પછી આપણે દુઃખી કેમ છીએ? વિચાર કરવાની વાત
છે ને. આત્મા કહે છે અમે પરમાત્મા ની સંતાન છીએ પછી આપણે દુ:ખી કેમ છીએ? બાપ તો છે
જ સુખ આપવા વાળા. બોલાવે પણ છે-હેં ભગવાન, અમારા દુઃખ મટાડો. તે કેવી રીતે મટાડે?
દુઃખ-સુખ આ તો પોતાનાં કર્મો નો હિસાબ છે. મનુષ્ય સમજે છે સુખનાં બદલે સુખ, દુઃખનાં
બદલે દુઃખ પરમાત્મા જ આપે છે. એમનાં પર નાખી દે છે, બાપ કહે છે હું ક્યારેય દુઃખ નથી
આપતો. હું તો અડધાકલ્પ માટે સુખ આપીને જાઉં છું. આ પછી સુખ અને દુઃખ નો ખેલ છે.
ફક્ત સુખ નો જ ખેલ હોત પછી તો આ ભક્તિ વગેરે કાંઈ ન હોય, ભગવાન થી મળવા માટે જ આ
ભક્તિ વગેરે બધાં કરે છે ને. હવે બાપ બેસી બધાં સમાચાર સંભળાવે છે. બાપ કહે છે આપ
બાળકો કેટલાં ભાગ્યશાળી છો. તે ઋષિ-મુનિઓ વગેરે નું કેટલું નામ છે. તમે છો રાજઋષિ,
તે છે હઠયોગ ઋષિ. ઋષિ અર્થાત્ પવિત્ર. તમે સ્વર્ગનાં રાજા બનો છો તો પવિત્ર જરુર
બનવું પડે. સતયુગ-ત્રેતા માં જેમનું રાજ્ય હતું તેમનું જ પછી હશે. બાકી બધાં પાછળ
આવશે. તમે હમણાં કહો છો અમે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. જૂની
દુનિયાનો વિનાશ થવામાં પણ સમય તો લાગશે ને. સતયુગ આવવાનું છે, કળયુગ જવાનું છે.
કેટલી મોટી દુનિયા
છે. એક-એક શહેર મનુષ્યોથી કેટલું ભરેલું છે. ધનવાન વ્યક્તિ દુનિયાનું ચક્કર લગાવે
છે. પરંતુ અહીંયાં આખી દુનિયાને કોઈ જોઈ ન શકે. હાં સતયુગમાં જોઈ શકે છે કારણ કે
સતયુગ માં છે જ એક રાજ્ય, એટલાં થોડા રાજાઓ હશે, અહીંયા તો જુઓ કેટલી મોટી દુનિયા
છે. આટલી મોટી દુનિયાનું ચક્કર કોણ લગાવે. ત્યાં તમારે સમુદ્ર માં જવાનું નથી. ત્યાં
સિલોન, બર્મા વગેરે હશે? ના, કાંઈ પણ નહીં. આ કરાંચી નહીં હશે. તમે બધાં મીઠી નદીઓનાં
કિનારા પર રહો છો. ખેતી વાડી વગેરે બધું હોય છે, સૃષ્ટિ તો મોટી છે. મનુષ્ય ખુબ થોડાં
રહે છે પછી પાછળ વૃદ્ધિ થાય છે. પછી ત્યાં જઈને પોતાનું રાજ્ય સ્થાપન કર્યુ.
ધીરે-ધીરે હપ કરતા ગયાં. પોતાનું રાજ્ય સ્થાપન કરી દીધું. હમણાં તો બધાને છોડવું પડે
છે. એક ભારત જ છે, જેણે કોઈનું પણ રાજ્ય છીનવ્યું નથી કારણ કે ભારત અસલ માં અહિંસક
છે ને. ભારત જ આખી દુનિયાનો માલિક હતો અને બધાં પછી આવ્યાં છે જે ટુકડા-ટુકડા લેતા
ગયાં છે. તમે કોઈ ને હપ નથી કર્યા, અંગ્રેજોએ હપ કરી લીધું છે. આપ ભારતવાસીઓને તો
બાપ વિશ્વનાં માલિક બનાવે છે. તમે ક્યાંય ગયાં થોડી છો. આપ બાળકોની બુદ્ધિ માં આ બધી
વાતો છે, ઘરડી માતાઓ તો આટલું બધું સમજી ન શકે. બાપ કહે છે સારું છે જે તમે કાંઈ પણ
ભણી નથી. ભણેલું બધું બુદ્ધિ થી કાઢવું પડે છે, એક વાત ફક્ત ધારણ કરવાની છે - મીઠા
બાળકો બાપ ને યાદ કરો. તમે કહેતાં પણ હતાં ને બાબા તમે આવશો તો અમે વારી જઈશું,
કુરબાન જઈશું. તમારે પછી મારા પર કુરબાન જવાનું છે. લેણ-દેણ હોય છે ને. લગ્નનાં સમયે
સ્ત્રી-પુરુષ એક-બીજાનાં હાથમાં મીઠું આપે છે. બાપને પણ કહે છે. અમે જૂનું બધુંજ
તમને આપીએ છીએ. મરવાનું તો છે, આ બધું ખતમ થવાનું છે. તમે અમને પછી નવી દુનિયામાં
આપજો. બાપ આવે જ છે બધાને લઈ જવાં. કાળ છે ને. સિંધ માં કહેતાં હતાં - આ કયો કાળ છે
જે બધાને ભગાવીને લઈ જાય છે, આપ બાળકો તો ખુશ થાઓ છો. બાપ આવે જ છે લઈ જવાં. આપણે
તો ખુશી થી પોતાનાં ઘરે જઈશું. સહન પણ કરવું પડે છે. સારા-સારા મોટા-મોટા ઘરની
માતાઓ માર ખાય છે. તમે સાચી કમાણી કરો છો. મનુષ્ય થોડી જાણે છે, તે છે જ કળયુગી
શુદ્ર સંપ્રદાય. તમે છો સંગમયુગી, પુરુષોત્તમ બની રહ્યાં છો. જાણો છો પહેલા નંબરમાં
પુરુષોત્તમ આ લક્ષ્મી-નારાયણ છે ને. પછી ડિગ્રી ઓછી થતી જશે. ઉપર થી નીચે આવતાં
રહેશે. પછી ધીરે-ધીરે પડતા રહેશે. આ સમયે બધાં પડી ચૂક્યાં છે. ઝાડ જૂનું થઈ ચૂક્યું
છે, મૂળ સડી ગયું છે. હવે ફરી સ્થાપના થાય છે. ફાઉન્ડેશન લાગે છે ને. કલમ કેટલી નાની
હોય છે પછી એનાથી કેટલું મોટું ઝાડ વધી જાય છે. આ પણ ઝાડ છે, સતયુગ માં ખુબજ નાનું
ઝાડ હોય છે. હવે કેટલું મોટું ઝાડ છે. વેરાઈટી (વિવિધ) ફૂલ કેટલાં છે, મનુષ્ય સૃષ્ટિ
નાં. એક જ ઝાડ માં કેટલી વેરાઈટી છે. અનેક વેરાયટી ધર્મોનું ઝાડ છે મનુષ્યો નું. એક
ચહેરો ન મળે બીજા થી. બન્યો-બનેલ ડ્રામા છે ને. એક જેવો પાર્ટ કોઈનો હોઈ નથી શકતો.
આને કહેવાય છે કુદરતી બન્યો-બનેલ બેહદ નો ડ્રામા, આમાં પણ બનાવટ ખુબ છે. જે વસ્તુ
રીયલ હોય છે તે ખતમ પણ થાય છે. પછી ૫ હજાર વર્ષ પછી રિયલ્ટી માં આવશે. ચિત્ર વગેરે
પણ કોઈ રીયલ બનેલા થોડી છે. બ્રહ્માનો પણ ચહેરો ફરી ૫ હજાર વર્ષ પછી તમે જોશો. આ
ડ્રામાનાં રહસ્ય ને સમજવામાં બુદ્ધિ ખુબ વિશાળ જોઈએ. બીજું કાંઇ નહી સમજો ફક્ત એક
વાત બુદ્ધિ માં રાખો - એક શિવબાબા બીજું ન કોઈ. આ આત્માએ કહ્યું - બાબા, અમે તમને જ
યાદ કરીશું. આ તો સહજ છે ને. હાથે થી કર્મ કરતાં રહો અને બુદ્ધિ થી બાપ ને યાદ કરતાં
રહો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સહનશીલતા
નો ગુણ ધારણ કરી માયાનાં વિઘ્નો માં પાસ થવાનું છે. અનેક આપદાઓ આવશે, અત્યાચાર
થશે-એવાં સમય પર સહન કરતાં બાપની યાદ માં રહેવાનું છે. સાચી કમાણી કરવાની છે.
2. વિશાળ બુદ્ધિ બની
આ બન્યા-બનેલ ડ્રામાને સારી રીતે સમજવાનો છે, આ કુદરતી ડ્રામા બનેલો છે એટલે પ્રશ્ન
ઉઠી નથી શકતો. બાપ જે સારી મત આપે છે, એનાં પર ચાલતા રહેવાનું છે.
વરદાન :-
બાપ સમાન
વરદાની બની દરેક નાં દિલ ને આરામ આપવા વાળા માસ્ટર દિલારામ ભવ
જે બાપ સમાન વરદાની
મૂર્ત બાળકો છે તે ક્યારેય કોઈ પણ કમજોરી ને નથી જોતાં, તે બધાનાં ઉપર રહેમદિલ હોય
છે. જેમ બાપ કોઈની કમજોરીઓ દિલ પર નથી રાખતાં એમ વરદાની બાળકો પણ કોઈની કમજોરી દિલ
માં ધારણ નથી કરતાં, તે દરેક નાં દિલ ને આરામ આપવા વાળા માસ્ટર દિલારામ હોય છે એટલે
સાથી હોય કે પ્રજા બધાં તેમનાં ગુણગાન કરે છે. સર્વ નાં અંદર થી આજ આશીર્વાદ નીકળે
છે કે આ અમારા સદા સ્નેહી, સહયોગી છે.
સ્લોગન :-
સંગમયુગ પર
શ્રેષ્ઠ આત્મા તે છે જે સદા બેફિકર બાદશાહ છે.