02-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
છો રુહાની પન્ડા , તમારે બધાને શાંતિધામ અર્થાત્ અમરપુરી નો રસ્તો બતાવવાનો છે ”
પ્રશ્ન :-
આપ બાળકો ને
કયો નશો છે, તે નશાનાં આધાર પર કયા નિશ્ચય નાં બોલ બોલો છો?
ઉત્તર :-
આપ બાળકોને આ નશો છે કે અમે બાપ ને યાદ કરી જન્મ-જન્માંતર નાં માટે પવિત્ર બનીએ છીએ.
તમે નિશ્ચય થી કહો છો કે ભલે કેટલાં પણ વિઘ્નો પડે પરંતુ સ્વર્ગ ની સ્થાપના તો જરુર
થવાની જ છે. નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થવાનો જ છે. આ
બન્યો-બનાવેલ ડ્રામા છે, આમાં સંશય ની વાત જ નથી.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યા છે. તમે જાણો છો અમે આત્મા છે. આ સમયે આપણે રુહાની
પન્ડા બન્યા છીએ. બનીએ પણ છીએ, બનાવીએ પણ છીએ. આ વાતો સારી રીતે ધારણ કરો. માયા નું
તોફાન ભુલાવી દે છે. રોજ સવાર-સાંજ આ વિચાર કરવો જોઈએ-આ અમૂલ્ય રત્ન અમૂલ્ય જીવન
નાં માટે રુહાની બાપ થી મળે છે. તો રુહાની બાપ સમજાવે છે-બાળકો, તમે હમણાં રુહાની
પન્ડા અથવા ગાઈડસ (માર્ગદર્શક) છો-મુક્તિધામ નો રસ્તો બતાવવા માટે. આ છે સાચી-સાચી
અમર કથા, અમરપુરી માં જવાની. અમરપુરી માં જવા માટે તમે પવિત્ર બની રહ્યાં છો.
અપવિત્ર ભ્રષ્ટાચારી આત્મા અમરપુરી માં કેવી રીતે જશે? મનુષ્ય અમરનાથ ની યાત્રા પર
જાય છે, સ્વર્ગ ને પણ અમરનાથ પુરી કહેશે. એકલાં અમરનાથ થોડી હોય છે. તમે બધી આત્માઓ
અમરપુરી જઈ રહી છો. તે છે આત્માઓની અમરપુરી પરમધામ પછી અમરપુરી માં આવીએ છીએ શરીરની
સાથે. ત્યાં કોણ લઈ જાય છે? પરમપિતા પરમાત્મા બધી આત્માઓને લઈ જાય છે. તેને અમરપુરી
પણ કહી શકાય છે. પરંતુ સાચું નામ શાંતિધામ છે. ત્યાં તો બધાએ જવાનું જ છે. ડ્રામા
ની ભાવિ ટાળે ન ટળે. આ સારી રીતે બુદ્ધિમાં ધારણ કરો. પહેલા-પહેલા તો આત્મા સમજો.
પરમપિતા પરમાત્મા પણ આત્મા જ છે. ફક્ત એમને પરમપિતા પરમાત્મા કહે છે, એ આપણને સમજાવી
રહ્યાં છે. એજ જ્ઞાન નાં સાગર છે, પવિત્રતા નાં સાગર છે. હવે બાળકોને પવિત્ર બનાવવા
માટે શ્રીમત આપે છે કે મામેકમ્ યાદ કરો તો તમારાં જન્મ-જન્માંતરના પાપ કપાઈ જશે.
યાદ ને જ યોગ કહેવાય છે. તમે તો બાળકો છો ને. બાપ ને યાદ કરવાનાં છે. યાદ થી જ બેડો
પાર થાય છે. આ વિષય નગરી થી તમે શિવનગરી માં જશો પછી વિષ્ણુપુરી માં આવશો. અમે ભણીએ
જ છીએ ત્યાં નાં માટે, અહીંયા નાં માટે નહીં. અહીંયા જે રાજાઓ બને છે, તે ધન દાન
કરવાથી બને છે. ઘણાં છે જે ગરીબોની ખુબ સંભાળ કરે છે, કોઈ હોસ્પિટલ, ધર્મશાળાઓ વગેરે
બનાવે છે, કોઈ ધન દાન કરે છે. જેમ સિંધ માં મૂળચંદ હતાં, ગરીબો ની પાસે જઈને દાન
કરતાં હતાં. ગરીબોની ખુબ સંભાળ કરતાં હતાં. આવાં ઘણાં દાની હોય છે. સવારે ઉઠીને
અન્ન ની મુઠ્ઠી નીકાળે છે, ગરીબો ને દાન કરે છે. આજકાલ તો ઠગી બહુજ લાગેલી છે.
પાત્ર ને દાન આપવું જોઈએ. તે અક્કલ તો છે નહીં. બહાર જે ભીખ માંગવા વાળા બેઠાં રહે
છે તેમને આપવું, તે પણ કોઈ દાન નથી. તેમનો તો આ ધંધો છે. ગરીબોને દાન કરવા વાળા સારું
પદ પામે છે.
હવે તમે છો બધાં રુહાની પન્ડા. તમે પ્રદર્શની કે મ્યુઝિયમ ખોલો છો તો એવું નામ લખો
જે સિદ્ધ થઈ જાય ગાઈડ ટૂ હેવન અથવા નવાં વિશ્વની રાજધાની નાં ગાઈડસ. પરંતુ મનુષ્ય
કાંઈ પણ સમજતા નથી. આ છે જ કાંટાઓનું જંગલ. સ્વર્ગ છે ફૂલોનો બગીચો, જ્યાં દેવતાઓ
રહે છે. આપ બાળકોને પણ આ નશો રહેવો જોઈએ કે અમે બાપ ને યાદ કરી જન્મ-જન્માંતર નાં
માટે પવિત્ર બનીએ છીએ. તમે જાણો છો ભલે કેટલાં પણ વિઘ્ન પડે સ્વર્ગ ની સ્થાપના તો
જરુર થવાની છે. નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થવાનો જ છે. આ
બન્યો-બનાવેલ ડ્રામા છે, આમાં સંશય ની વાત જ નથી. જરા પણ સંશય ન લાવવો જોઈએ. આ તો
બધાં કહે છે પતિત-પાવન. અંગ્રેજીમાં પણ કહે છે આવીને લિબરેટ (મુક્ત) કરો દુઃખ થી.
દુઃખ છે જ ૫ વિકારો થી. તે છે જ વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), સુખધામ. હવે
આપ બાળકોએ જવાનું છે સ્વર્ગ માં. મનુષ્ય સમજે છે સ્વર્ગ ઉપર છે, તેમને એ ખબર નથી કે
મુક્તિધામ ઉપર છે. જીવનમુક્તિ માં તો અહીંયા જ આવવાનું છે. આ બાપ તમને સમજાવે છે,
તેને સારી રીતે ધારણ કરી નોલેજ નું જ મંથન કરવાનું છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ
ઘરમાં આ જ ખ્યાલ કરતાં રહે છે-આ પેપર ભરીને આપવાનું છે, આજે આ કરવાનું છે. તો આપ
બાળકોએ પોતાનાં કલ્યાણ માટે આત્માને સતોપ્રધાન બનાવવાની છે. પવિત્ર બની મુક્તિધામ
માં જવાનું છે અને નોલેજ થી પછી દેવતા બનીએ છીએ. આત્મા કહે છે ને અમે મનુષ્ય થી
બૅરીસ્ટર બનીએ છીએ. અમે આત્મા મનુષ્ય થી ગવર્નર બનીએ છીએ. આત્મા બને છે શરીરની સાથે.
શરીર ખતમ થઇ જાય છે તો પછી નવેસર ભણવું પડે છે. આત્મા જ પુરુષાર્થ કરે છે વિશ્વનાં
માલિક બનવાં. બાપ કહે છે આ પાક્કું યાદ કરી લો કે અમે આત્મા છીએ, દેવતાઓ ને એવું નથી
કહેવું પડતું, યાદ નથી કરવું પડતું કારણ કે તે તો છે જ પાવન. પ્રાલબ્ધ ભોગવી રહ્યાં
છે, પતિત થોડી છે જે બાપ ને યાદ કરે. તમે આત્મા પતિત છો એટલે બાપ ને યાદ કરવાનાં
છે. તેમને તો યાદ કરવાની દરકાર નથી. આ ડ્રામા છે ને. એક પણ દિવસ એક સમાન નથી હોતો.
આ ડ્રામા ચાલતો રહે છે. આખાં દિવસ નો પાર્ટ સેકન્ડ બાય સેકન્ડ બદલાતો રહે છે. શૂટ
થતું રહે છે. તો બાપ બાળકો ને સમજાવે છે. કોઈ પણ વાતમાં હાર્ટફેલ (હતાશ) નહીં થાઓ.
આ જ્ઞાન ની વાતો છે. ભલે પોતાનો ધંધો વગેરે પણ કરો, પરંતુ ભવિષ્ય ઉંચ પદ પામવા માટે
પૂરો પુરુષાર્થ કરો. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. કુમારીઓ તો ગૃહસ્થ માં ગઈ
જ નથી. ગૃહસ્થી તેમને કહેવાય જેમને બાળ-બચ્ચા છે. બાપ તો અધરકુમારી અને કુમારી બધાં
ને ભણાવે છે. અધરકુમારી નો પણ અર્થ નથી સમજતાં. શું અડધું શરીર છે? હમણાં તમે જાણો
છો કન્યા પવિત્ર છે અને અધર કન્યા તેમને કહેવાય છે જે અપવિત્ર બન્યાં પછી ફરી
પવિત્ર બને છે. તમારું જ યાદગાર ઉભું છે. બાપ જ આપ બાળકો ને સમજાવે છે. બાપ તમને
ભણાવી રહ્યાં છે. તમે જાણો છો આપણે આત્માઓ મૂળવતન ને પણ જાણીએ છીએ. પછી સૂર્યવંશી,
ચંદ્રવંશી કેવી રીતે રાજ્ય કરે છે. ક્ષત્રિયપણા ની નિશાની બાણ કેમ દેખાડે છે, તે પણ
તમે જાણો છો. લડાઈ વગેરેની તો વાત છે જ નહીં. ન અસુરો ની વાત છે, ન ચોરી ની વાત
સિદ્ધ થાય છે. એવો તો કોઈ રાવણ હોતો નથી જે સીતાને લઈ જાય. તો બાપ સમજાવે છે
મીઠા-મીઠા બાળકો, તમે સમજો છો આપણે છીએ હેવન (સ્વર્ગ) નાં, મુક્તિ-જીવનમુક્તિ નાં
પન્ડા. તે છે શરીરધારી પન્ડા, આપણે છીએ રુહાની પન્ડા. તે છે કળયુગી બ્રાહ્મણ.
પુરુષોત્તમ બનવા માટે ભણી રહ્યાં છીએ. આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. બાબા અનેક
પ્રકાર થી સમજાવતાં રહે છે. છતાં પણ દેહ-અભિમાન માં આવવાથી ભૂલી જાય છે. હું આત્મા
છું, બાપ નો બાળક છું, તે નશો નથી રહેતો. જેટલું યાદ કરતાં રહેશો એટલું દેહ-અભિમાન
તૂટતું જશે. પોતાની સંભાળ કરતા રહો. જુઓ, મારું દેહ-અભિમાન તૂટયું છે? આપણે હમણાં
જઈ રહ્યાં છીએ પછી વિશ્વનાં માલિક બનીશું. આપણો પાર્ટ જ હીરો-હીરોઈન નો છે.
હીરો-હીરોઈન નામ ત્યારે પડે છે જયારે કોઈ વિજય પામે છે. તમે વિજય પામો છો ત્યારે
તમારું હીરો-હીરોઈન નામ પડે છે આ સમયે, આનાથી પહેલાં નહોતું. હારવા વાળા ને
હીરો-હીરોઈન નહીં કહેશે. આપ બાળકો જાણો છો આપણે હમણાં જ જઈને હીરો-હીરોઈન બનીએ છીએ.
તમારો પાર્ટ ઊંચે થી ઉંચો છે. કોડી અને હીરામાં તો ઘણો ફર્ક છે. ભલે કોઈ કેટલાં પણ
લખપતિ કે કરોડપતિ હોય પરંતુ તમે જાણો છો આ બધાં વિનાશ થઇ જશે.
તમે આત્માઓ ધનવાન બનતી જાઓ છો. બાકી બધાં દેવાળા માં જઈ રહ્યાં છે. આ બધી વાતો ધારણ
કરવાની છે. નિશ્ચય માં રહેવાનું છે. અહીં નશો ચઢે છે, બહાર જવાથી નશો ઉતરી જાય છે.
અહીંયા ની વાતો અહીંયા રહી જાય છે. બાપ કહે છે બુદ્ધિમાં રહે-બાપ અમને ભણાવી રહ્યાં
છે. જે ભણતર થી આપણે મનુષ્ય થી દેવતા બની જઈશું. આમાં તકલીફની કોઈ વાત નથી. ધંધા
વગેરે થી પણ કંઈક સમય નીકાળી યાદ કરી શકો છો. આ પણ પોતાનાં માટે ધંધો છે ને. રજા
લઈને જઈ બાબા ને યાદ કરો. આ કોઈ જૂઠું નથી બોલતાં, આખો દિવસ આમ જ થોડી ગુમાવવાનો
છે. આપણે ભવિષ્યનો તો કંઈક ખ્યાલ કરીએ. યુક્તિયો ખુબ છે. જેટલું થઈ શકે સમય નીકાળી
બાપ ને યાદ કરો. શરીર નિર્વાહ માટે ધંધો વગેરે પણ ભલે કરો. હું તમને વિશ્વનાં માલિક
બનાવવાની ખુબ સારી સલાહ આપીએ આપું છું. આપ બાળકો પણ બધાને સલાહ આપવાવાળા થયાં. વજીર
સલાહ નાં માટે હોય છે ને. તમે એડવાઈઝર (સલાહકાર) છો. બધાને મુક્તિ-જીવન મુક્તિ કેવી
રીતે મળે, આ જન્મમાં તે રસ્તો બતાવો છો. મનુષ્ય સ્લોગન (સુવિચાર) વગેરે બનાવે છે તો
દિવાલમાં ઉપર લગાવી દે છે. જેમ તમે લખો છો ‘બી હોલી એન્ડ રાજ યોગી (પવિત્ર બનો ,
રાજયોગી બનો)’. પરંતુ આનાથી સમજશે નહીં. હમણાં તમે સમજો છો અમને બાપ થી આ વારસો મળી
રહ્યો છે. મુક્તિધામ નો પણ વારસો છે. મને તમે પતિત-પાવન કહો છો તો હું આવીને સલાહ
આપું છું, પાવન બનવાની. તમે પણ એડવાઈઝર છો. મુક્તિધામમાં કોઈ પણ જઈ નથી શકતું, જ્યાં
સુધી બાપ એડવાઇઝ ન કરે, શ્રીમત ન આપે. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ મત છે જ શિવબાબા ની.
આત્માઓને શ્રીમત મળે છે શિવબાબા ની. પાપ આત્મા, પુણ્ય આત્મા કહેવાય છે. પાપ શરીર નહિં
કહેશે. આત્મા શરીર થી પાપ કરે છે એટલે પાપ આત્મા કહેવાય છે. શરીર વગર આત્મા ન પાપ,
ન પુણ્ય કરી શકે છે. તો જેટલું થઈ શકે વિચાર સાગર મંથન કરો. સમય તો ખુબ છે. ટીચર (શિક્ષક)
કે પ્રોફેસર છે તો તેમને પણ યુક્તિ થી આ રુહાની ભણતર ભણાવવું જોઈએ, જેનાથી કલ્યાણ
થાય. બાકી આ શારીરિક ભણતર થી શું થશે. અમે આ ભણાવીએ છીએ. બાકી થોડાં દિવસ છે, વિનાશ
સામે ઉભો છે. અંદર ઉછળ આવતી રહેશે-કેવી રીતે મનુષ્યો ને રસ્તો બતાવીએ.
એક બાળકીને પેપર મળ્યું હતું જેમાં ગીતાનાં ભગવાનની વાત પૂછાઈ હતી. તો તેણે લખી દીધું
ગીતાનાં ભગવાન શિવ છે, તો તેને નાપાસ કરી દીધી. સમજતી હતી હું તો બાપ ની મહિમા લખું
છું-ગીતાનાં ભગવાન શિવ છે. એ જ્ઞાન નાં સાગર છે, પ્રેમ નાં સાગર છે. કૃષ્ણની આત્મા
પણ જ્ઞાન પામી રહી છે. આ બેસીને લખ્યું તો ફેલ થઈ ગઈ. મા-બાપ ને કહ્યું-હું આ નહીં
ભણીશ. હવે આ રુહાની ભણતર માં લાગી જઈશ. બાળકી પણ ખુબ ફર્સ્ટ ક્લાસ છે. પહેલા જ કહેતી
હતી હું આવું લખીશ, નપાસ થઈ જઈશ. પરંતુ સાચું તો લખવાનું છે ને. આગળ ચાલીને સમજશે
બરોબર આ બાળકીએ જે લખ્યું હતું તે સત્ય છે. જ્યારે પ્રભાવ નીકળશે કે પ્રદર્શની અથવા
મ્યુઝિયમ માં તેમને બોલાવશે તો ખબર પડશે અને બુદ્ધિમાં આવશે આ તો રાઇટ (સાચું) છે.
અનેકાનેક મનુષ્ય આવે છે તો વિચાર કરવાનો છે એવું કરીએ જે મનુષ્ય ઝટ સમજી જાય કે આ
કોઈ નવી વાત છે. કોઈને કોઈ જરુર સમજશે, જે અહીંયાનાં હશે. તમે બધાને રુહાની રસ્તો
બતાવો છો. બિચારા કેટલાં દુઃખી છે, તે બધાનાં દુઃખ કેવી રીતે દૂર કરીએ. ખિટપિટ તો
ખુબ જ છે ને. એક-બીજાનાં દુશ્મન બને છે તો કેવી રીતે ખલાસ કરી દે છે. હવે બાપ
બાળકોને સારી રીતે સમજાવતાં રહે છે. માતાઓ તો બિચારી અબોધ હોય છે. કહે છે અમે
ભણેલી-ગણેલી નથી. બાપ કહે છે નથી ભણ્યાં તો સારું છે. વેદ-શાસ્ત્ર જે કાંઈ વાંચ્યા
છે તે બધું અહીંયા ભૂલી જવાનું છે. હમણાં હું જે સંભળાવું છું, તે સાંભળો. સમજાવવું
જોઈએ-સદ્દગતિ નિરાકાર પરમપિતા પરમાત્મા વગર કોઈ કરી ન શકે. મનુષ્યોમાં જ્ઞાન જ નથી
તો તે પછી સદ્દગતિ કેવી રીતે કરી શકે. સદ્દગતિ દાતા જ્ઞાનનાં સાગર છે જ એક. મનુષ્ય
એવું થોડી કહેશે, જે અહીંયાનાં હશે એ જ સમજવાની કોશિશ કરશે. એક પણ કોઈ મોટો માણસ
નીકળી પડે તો અવાજ થશે. ગાયન છે તુલસીદાસ ગરીબ ની કોઈ ન સાંભળે વાત. સર્વિસ (સેવા)
ની યુક્તિયો તો બાબા ખુબ બતાવે છે, બાળકોને અમલમાં લાવવી જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ધંધો વગેરે
કરતાં ભવિષ્ય ઉંચ પદ પામવા માટે યાદ માં રહેવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. આ
ડ્રામા સેકન્ડ બાય સેકન્ડ બદલાતો રહે છે એટલે ક્યારેય કોઈ સીન (દૃશ્ય) જોઈને હાર્ટ
ફેલ (હતાશ) નથી થવાનું.
2. આ રુહાની ભણતર ભણીને બીજાઓને ભણાવવાનું છે, બધાનું કલ્યાણ કરવાનું છે. અંદર આ જ
ઉછળ આવતી રહે કે અમે કેવી રીતે બધાને પાવન બનાવવાની એડવાઇઝ (સલાહ) આપીએ. ઘર નો રસ્તો
બતાવીએ.
વરદાન :-
ડબલ સેવા
દ્વારા અલૌકિક શક્તિ નો સાક્ષાત્કાર કરાવવા વાળા વિશ્વ સેવાધારી ભવ
જેમ બાપનું સ્વરુપ જ
છે વિશ્વ સેવક, તેમ તમે પણ બાપ સમાન વિશ્વ સેવાધારી છો. શરીર દ્વારા સ્થૂળ સેવા કરતા
મન્સા થી વિશ્વ પરિવર્તન ની સેવા પર તત્પર રહો. એક જ સમય પર તન અને મન થી એકસાથે
સેવા થાય. જે મન્સા અને કર્મણા બંને સાથે-સાથે સેવા કરે છે, જેનાથી જોવા વાળા ને
અનુભવ કે સાક્ષાત્કાર થઈ જાય કે આ કોઈ અલૌકિક શક્તિ છે એટલે આ અભ્યાસ ને નિરંતર અને
નેચરલ બનાવો. મન્સા સેવાનાં માટે વિશેષ એકાગ્રતા નો અભ્યાસ વધારો.
સ્લોગન :-
સર્વ પ્રતિ
ગુણગ્રાહક બનો પરંતુ ફોલો બ્રહ્મા બાપ ને કરો.