18-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાનાં નિમિત્ત છો , એટલે તમારે ક્યારેય અશાંત ન થવું જોઈએ
”
પ્રશ્ન :-
બાપ કયા
બાળકોને ફરમાનબરદાર (આજ્ઞાકારી) બાળકો કહે છે?
ઉત્તર :-
બાપ નું જે મુખ્ય ફરમાન છે કે બાળકો અમૃતવેલા (સવારે) ઉઠીને બાપ ને યાદ કરો, આ
મુખ્ય ફરમાન નું પાલન કરે છે, સવારે-સવારે સ્નાન વગેરે કરી ફ્રેશ થઈ મુકરર સમય પર
યાદ ની યાત્રા માં રહે છે, બાબા તેમને સપૂત કે ફરમાનબરદાર કહે છે, તે જ જઈને રાજા
બનશે. કપૂત બાળકો તો ઝાડૂ લગાવશે.
ઓમ શાંતિ!
આનો અર્થ તો
બાળકોને સમજાવ્યો છે. ઓમ અર્થાત્ હું આત્મા છું. એવું બધાં કહે છે જીવ આત્મા છે
જરુર અને બધી આત્માઓનાં એક બાપ છે. શરીરો નાં બાપ અલગ-અલગ હોય છે. આ પણ બાળકોની
બુદ્ધિ માં છે, હદ નાં બાપ થી હદ નો અને બેહદ નાં બાપ થી બેહદ નો વારસો મળે છે. હવે
આ સમયે મનુષ્ય ઈચ્છે છે વિશ્વ માં શાંતિ થાય. જો ચિત્રો પણ સમજાવાય તો શાંતિનાં માટે
કળયુગ અંત સતયુગ આદિ નાં સંગમ પર લઈ આવવા જોઈએ. આ છે સતયુગ નવી દુનિયા, તેમાં એક
ધર્મ હોય છે તો પવિત્રતા-શાંતિ-સુખ છે. તેને કહેવાય છે હેવન (સ્વર્ગ). આ તો બધાં
માનશે. નવી દુનિયા માં સુખ છે, દુઃખ હોઈ ન શકે. કોઈને પણ સમજાવવું ખુબ સહજ છે. શાંતિ
અને અશાંતિ ની વાત અહીંયા વિશ્વ પર જ થાય છે. તે તો છે જ નિર્વાણધામ, જ્યાં
શાંતિ-અશાંતિ નો પ્રશ્ન જ નથી ઉઠી શકતો. બાળકો જ્યારે ભાષણ કરે છે તો પહેલા-પહેલા
વિશ્વમાં શાંતિની વાત જ ઉઠાવવી જોઈએ. મનુષ્ય શાંતિનાં માટે ખુબ પ્રયાસ કરે છે, તેમને
પ્રાઈઝ (ઇનામ) પણ મળતું રહે છે. વાસ્તવમાં આમાં દોડા-દોડી કરવાની વાત છે નહીં. બાપ
કહે છે ફક્ત પોતાનાં સ્વધર્મ માં ટકો તો વિકર્મ વિનાશ થઇ જશે. સ્વધર્મ માં ટકશો તો
શાંતિ થઈ જશે. તમે છો જ સદા શાંત બાપનાં બાળકો. આ વારસો એમનાથી મળે છે. એમને કોઈ
મોક્ષ નહીં કહેશું. મોક્ષ તો ભગવાનને પણ નથી મળી શકતો. ભગવાને પણ પાર્ટ માં જરુર
આવવાનું છે. કહે છે કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે હું આવું છું. તો ભગવાન ને પણ
મોક્ષ નથી તો બાળકો પછી મોક્ષ ને કેવી રીતે પામી શકે છે. આ વાતો આખો દિવસ વિચાર
સાગર મંથન કરવાની છે. બાપ તો આપ બાળકોને જ સમજાવે છે. આપ બાળકોને સમજાવાની
પ્રેક્ટિસ વધારે છે. શિવબાબા સમજાવે છે તો તમે બધાં બ્રાહ્મણ જ સમજો છો. વિચાર સાગર
મંથન તમારે કરવાનું છે. સર્વિસ પર આપ બાળકો છો. તમારે તો ખુબ સમજાવવાનું હોય છે.
દિવસ-રાત સર્વિસ માં રહો છો. મ્યુઝિયમ માં આખો દિવસ આવતાં જ રહેશે. રાત્રે ૧૦-૧૧
સુધી પણ ક્યાંક આવે છે. સવારે ૪ વાગ્યા થી પણ ક્યાંય-ક્યાંય સર્વિસ કરવા લાગી જાય
છે. અહીંયા તો ઘર છે, જ્યારે ઈચ્છો ત્યારે બેસી શકો છો. સેવાકેન્દ્ર માં તો બહાર થી
દૂર-દૂર થી આવે છે તો સમય મુકરર (નિશ્ચિત) રાખવો પડે છે. અહીંયા તો કોઈ પણ સમયે
બાળકો ઊઠી શકે છે. પરંતુ એવા સમયે તો નથી ભણવાનું જે બાળકો ઉઠે અને ઝુટકા ખાય એટલે
સવાર નો સમય રખાય છે. જે સ્નાન વગેરે કરી ફ્રેશ થઈ આવે છતાં પણ સમય પર નથી આવતાં તો
તેમને ફરમાનબરદાર નથી કહી શકાતું. લૌકિક બાપને પણ સપૂત અને કપૂત બાળકો હોય છે ને.
બેહદ નાં બાપ ને પણ હોય છે. સપૂત જઈને રાજા બનશે, કપૂત જઈને ઝાડૂ લગાવશે. ખબર તો બધી
પડી જાય છે ને.
કૃષ્ણ જન્માષ્ટમી પર પણ સમજાવ્યું છે. કૃષ્ણનો જન્મ જયારે થાય છે ત્યારે તો સ્વર્ગ
છે. એક જ રાજ્ય હોય છે. વિશ્વ માં શાંતિ છે. સ્વર્ગમાં ખુબ થોડાં મનુષ્ય હશે. તે છે
જ નવી દુનિયા. ત્યાં અશાંતિ હોઈ નથી શકતી. શાંતિ ત્યારે છે જ્યારે એક ધર્મ છે. જે
ધર્મ બાપ સ્થાપન કરે છે. પછી જ્યારે બીજા-બીજા ધર્મ આવે છે તો અશાંતિ થાય છે. ત્યાં
છે જ શાંતિ, ૧૬ કળા સંપૂર્ણ છે ને. ચંદ્રમા પણ જ્યારે સંપૂર્ણ હોય છે તો કેટલો શોભે
છે, તેને ફુલ મુન (પૂર્ણિમા) કહેવાય છે. ત્રેતામાં ૩/૪ કહેશે, ખંડિત થઈ ગયાં ને. બે
કળા ઓછી થઈ ગઈ. સંપૂર્ણ શાંતિ સતયુગ માં હોય છે. ૨૫ ટકા જૂની સૃષ્ટિ થશે તો કાંઈ ને
કાંઈ ખિટ-ખિટ થશે. બે કળા ઓછી થવાથી શોભા ઓછી થઈ ગઈ. સ્વર્ગ માં બિલકુલ શાંતિ, નર્ક
માં છે બિલકુલ અશાંતિ. આ સમય છે જ્યારે મનુષ્ય વિશ્વ માં શાંતિ ઈચ્છે છે, આનાથી
પહેલાં આ અવાજ નહોતો કે વિશ્વમાં શાંતિ હોય. હમણાં અવાજ નીકળ્યો છે કારણ કે હવે
વિશ્વ માં શાંતિ થઈ રહી છે. આત્મા ઈચ્છે છે કે વિશ્વમાં શાંતિ હોવી જોઈએ. મનુષ્ય તો
દેહ-અભિમાન માં હોવાનાં કારણે ફક્ત કહેતાં રહે છે-વિશ્વ માં શાંતિ થાય. ૮૪ જન્મ હવે
પૂરા થયાં છે. આ બાપ જ આવીને સમજાવે છે. બાપ ને જ યાદ કરે છે. તે ક્યારે ક્યાં રુપમાં
આવીને સ્વર્ગની સ્થાપના કરશે, એમનું નામ જ છે હેવનલી ગોડફાધર. આ કોઈને પણ ખબર નથી -
હેવન કેવી રીતે રચે છે. શ્રી કૃષ્ણ તો રચી ન શકે. તેમને કહેવાય છે દેવતા. મનુષ્ય
દેવતાઓને નમન કરે છે. તેમનામાં દેવી ગુણ છે એટલે દેવતા કહેવાય છે. સારા ગુણ વાળા ને
કહે છે ને - આ તો જેમ દેવતા છે. લડવા-ઝઘડવા વાળાને કહેશે આ તો જેમ અસુર છે. બાળકો
જાણે છે અમે બેહદ નાં બાપનાં સામે બેઠા છીએ. તો બાળકો ની ચલન કેટલી સારી હોવી જોઈએ.
અજ્ઞાન કાળમાં પણ બાપે જોયેલું હોય છે ૬-૭ કુટુંબ ભેગા રહે છે, એકદમ ક્ષીરખંડ થઈ
ચાલે છે. ક્યાંક તો ઘર માં ફક્ત બે વ્યક્તિ હશે તો પણ લડતા-ઝઘડતા રહેશે. તો તમે છો
ઈશ્વરીય સંતાન. ખુબ-ખુબ ક્ષીરખંડ થઇ રહેવું જોઈએ. સતયુગ માં તો ક્ષીરખંડ હોય છે,
અહીંયા ક્ષીરખંડ થવાનું તમે શીખો છો તો ખુબ પ્રેમ થી રહેવું જોઈએ. બાપ કહે છે અંદર
માં તપાસ કરો અમે કોઈ વિકર્મ તો નથી કર્યુ? કોઈને દુઃખ તો નથી આપ્યું? આવું કોઈ
બેસીને પોતાને તપાસતા નથી. આ ખુબ સમજ ની વાત છે. આપ બાળકો વિશ્વ માં શાંતિ સ્થાપન
કરો છો. જો ઘરમાં જ અશાંતિ કરવાવાળા હશે તો શાંતિ પછી કેવી રીતે કરશે. લૌકિક બાપ નો
બાળક હેરાન કરે છે તો કહેશે આ તો મૂવો ભલો. કોઈ આદત પડી જાય છે તો પાક્કી થઇ જાય
છે. આ સમજ નથી રહેતી કે અમે તો બેહદનાં બાપનાં બાળક છીએ, અમારે તો વિશ્વમાં શાંતિ
સ્થાપન કરવાની છે. શિવબાબા નાં બાળક થઇ જો અશાંત થાઓ છો તો શિવબાબા ની પાસે આવો. એ
તો હીરો છે, એ ઝટ તમને યુક્તિ બતાવશે - આમ શાંતિ થઈ શકે છે. શાંતિ નો પ્રબંધ આપશે.
એવા ઘણાં છે ચલન દૈવી ઘરાના જેવી નથી. તમે હવે તૈયાર થાઓ છો ગુલ-ગુલ દુનિયા માં જવાં.
આ છે જ ગંદી દુનિયા વૈશ્યાલય, આનાથી તો નફરત આવે છે. વિશ્વ માં શાંતિ થશે તો નવી
દુનિયાં માં. સંગમ પર થઇ નથી શકતી. અહીંયા શાંત બનવાનો પુરુષાર્થ કરે છે. પૂરો
પુરુષાર્થ નથી કરતાં તો પછી સજા ખાવી પડશે. મારી સાથે તો ધર્મરાજ છે ને. જ્યારે
હિસાબ-કિતાબ ચૂકતું થવાનો સમય આવશે તો ખુબ માર ખાશે. કર્મ નો ભોગ જરુર છે. બીમાર
થાય છે, તે પણ કર્મ ભોગ છે ને. બાપનાં ઉપર તો કોઈ છે નહીં. સમજાવે છે - બાળકો
ગુલ-ગુલ બનો તો ઉંચ પદ પામશો. નહીં તો કોઈ ફાયદો નથી. ભગવાન બાપ જેમને અડધોકલ્પ યાદ
કર્યા એમનાથી વારસો નથી લીધો તો બાળકો શું કામનાં. પરંતુ ડ્રામા અનુસાર આ પણ થવાનું
છે જરુર. તો સમજાવવાની યુક્તિઓ ખુબ છે. વિશ્વ માં શાંતિ તો સતયુગ માં હતી, જ્યાં આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. લડાઈ પણ જરુર લાગશે કારણ કે અશાંતિ છે ને. કૃષ્ણ પછી
આવશે સતયુગ માં. કહે છે કળયુગ માં દેવતાઓનો પડછાયો નથી પડી શકતો. આ વાતો આપ બાળકો જ
હવે સાંભળી રહ્યાં છો. તમે જાણો છો શિવબાબા આપણને ભણાવે છે. ધારણા કરવાની છે, પૂરી
આયુ જ લાગી જાય છે. કહે છે ને-પૂરી આયુ સમજાવ્યું છે તો પણ સમજતાં નથી.
બેહદ નાં બાપ કહે છે - પહેલા-પહેલા મુખ્ય વસ્તુ તો સમજાવો - જ્ઞાન અલગ અને ભક્તિ
અલગ વસ્તુ છે. અડધોકલ્પ છે દિવસ, અડધોકલ્પ છે રાત. શાસ્ત્રો માં કલ્પ ની આયુ જ ઉલટી
લખી દીધી છે. તો અડધું-અડધું પણ થઇ નથી શકતું. તમારામાં કોઈએ શાસ્ત્ર વગેરે વાંચેલા
નથી તો સારું છે. વાંચેલા હશે તો સંશય ઉઠાવશે, પ્રશ્ન પૂછતાં રહેશે. વાસ્તવમાં
જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે ભગવાન ને યાદ કરે છે. કોઈને કોઈ ની મત થી.
પછી જેમ ગુરુ શીખવાડશે. ભક્તિ પણ શીખવાડે છે. એવું કોઈ નથી જે ભક્તિ ન શીખવાડે.
તેમનામાં ભક્તિ ની તાકાત છે ત્યારે તો આટલાં ફોલોઅર્સ (અનુયાયી) બને છે. ફોલોઅર્સ
ને ભક્ત પૂજારી કહેશે. અહીંયા બધાં છે પૂજારી. ત્યાં પૂજારી કોઈ હોતું નથી. ભગવાન
ક્યારેય પૂજારી નથી બનતાં. અનેક પોઇન્ટસ સમજાવાય છે, ધીરે-ધીરે આપ બાળકોમાં પણ
સમજાવવાની તાકાત આવતી જશે.
હમણાં તમે કહો છો કૃષ્ણ આવી રહ્યાં છે. સતયુગ માં જરુર કૃષ્ણ હશે. નહિં તો વર્લ્ડ
ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપિટ (પુનરાવૃત્તિ) થશે. ફક્ત એક કૃષ્ણ તો નહિં હશે,
યથા રાજા-રાણી તથા પ્રજા હશે ને. આમાં પણ સમજની વાત છે. આપ બાળકો સમજો છો આપણે તો
બાપનાં બાળકો છીએ. બાપ વારસો આપવા આવ્યાં છે. સ્વર્ગ માં તો બધાં નહીં આવશે. ન
ત્રેતા માં બધાં આવી શકે છે. ઝાડ ધીરે-ધીરે વૃદ્ધિને પામતું રહે છે. મનુષ્ય સૃષ્ટિ
રુપી ઝાડ છે. ત્યાં છે આત્માઓ નું ઝાડ. અહીંયા બ્રહ્મા દ્વારા સ્થાપના, પછી શંકર
દ્વારા વિનાશ પછી પાલના….. અક્ષર પણ આ કાયદેસર બોલવા જોઈએ. બાળકોની બુદ્ધિ માં આ નશો
છે, આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ચાલે છે. રચના કેવી રીતે થાય છે. હમણાં નવી નાની
રચના છે ને. આ જેમ બાજોલી છે. પહેલાં શુદ્ર છે અનેક, પછી બાપ આવીને રચના રચે છે -
બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ની. બ્રાહ્મણ થઈ જાય છે ચોટી. ચોટી અને પગ આપસ માં મળે
છે. પહેલાં બ્રાહ્મણ જોઈએ. બ્રાહ્મણો નો યુગ ખુબ નાનો હોય છે. પછી છે દેવતાઓ. આ
વર્ણો વાળું ચિત્ર પણ કામ નું છે. આ ચિત્ર સમજવામાં ખુબ ઇઝી (સહજ) છે. વેરાયટી (વિવિધ)
મનુષ્યો નું વેરાયટી રુપ છે. સમજાવવા માં કેટલી મજા આવે છે. બ્રાહ્મણ જ્યારે છે તો
બધાં ધર્મ છે. શુદ્રો થી બ્રાહ્મણો નું સૈપલિંગ (કલમ) લાગે છે. મનુષ્ય તો ઝાડ નાં
સૈપલિંગ લગાવે છે. બાપ પણ સૈપલિંગ લગાવે છે જ્યાં વિશ્વમાં શાંતિ થાય. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા સ્મૃતિ
રાખવાની છે કે આપણે છીએ ઇશ્વરીય સંતાન. આપણે ક્ષીરખંડ થઇને રહેવાનું છે. કોઈને પણ
દુઃખ નથી આપવાનું.
2. અંદર માં પોતાની તપાસ કરવાની છે કે અમારા થી કોઈ વિકર્મ તો નથી થતું! અશાંત થવાની
તથા અશાંતિ ફેલાવવા ની આદત તો નથી?
વરદાન :-
“ એક બાપ બીજું
ન કોઈ ” આ સ્મૃતિ થી બંધનમુક્ત , યોગયુક્ત ભવ
હવે ઘરે જવાનો સમય છે
એટલે બંધનમુક્ત અને યોગયુક્ત બનો. બંધનમુક્ત અર્થાત્ લુઝ ડ્રેસ, ટાઈટ નહીં. ઓર્ડર
મળ્યો અને સેકન્ડમાં ગયાં. આવું બંધનમુક્ત, યોગયુક્ત સ્થિતિ નું વરદાન પ્રાપ્ત કરવા
માટે સદા આ વાયદો સ્મૃતિ માં રહે કે “એક બાપ બીજું ન કોઈ” કારણ કે ઘરે જવા માટે કે
સતયુગી રાજ્ય માં આવવા માટે આ જૂનાં શરીરને છોડવું પડશે. તો ચેક કરો એવાં એવરરેડી (સદા
તૈયાર) બન્યાં છીએ કે હજું સુધી કંઈક રસ્સીયો બંધાયેલી છે? આ જૂનું વસ્ત્ર ટાઈટ તો
નથી?
સ્લોગન :-
વ્યર્થ સંકલ્પ
રુપી એક્સ્ટ્રા ભોજન નહીં કરો તો મોટાપન ની બીમારીઓથી બચી જશો.