10-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યા છે તમારી બેટરી ચાર્જ કરવાં , જેટલાં તમે યાદ માં રહેશો એટલી બેટરી ચાર્જ થતી
રહેશે ”
પ્રશ્ન :-
તમારી સત્ય ની
બેડી (નાવ) ને તોફાન કેમ લાગે છે.
ઉત્તર :-
કારણ કે આ સમયે આર્ટિફિશિયલ (બનાવટી) ખુબ નીકળી પડ્યાં છે. કોઇ પોતાને ભગવાન કહે,
કોઈ રિદ્ધિ-સિદ્ધિ દેખાડે, એટલે મનુષ્ય સત્ય ને પારખી નથી શકતાં સત્ય ની બેડી ને
હલાવવાની કોશિશ કરે છે. પરંતુ તમે જાણો છો કે આપણી સત્ય ની નાવ ક્યારેય ડૂબી નથી
શકતી આજે જે વિઘ્ન નાખે છે, તે કાલે સમજશે કે સદ્દગતિ નો રસ્તો અહીંયા જ મળવાનો છે.
બધાનાં માટે આ એક જ હટ્ટી (ઠેકાણું) છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ અથવા રુહો પ્રતિ કારણ કે રુહ અથવા આત્મા સાંભળે છે કાન દ્વારા. ધારણા આત્મામાં
થાય છે. બાપની આત્મામાં પણ જ્ઞાન ભરાયેલું છે. બાળકોએ આત્મ-અભિમાની બનવાનું છે આ
જન્મ માં. ભક્તિમાર્ગ નાં ૬૩ જન્મ, દ્વાપરયુગ થી તમે દેહ-અભિમાન માં રહો છો આત્મા
શું છે, આ ખબર નથી રહેતી. આત્મા છે જરુર. આત્મા જ શરીર માં પ્રવેશ કરે છે. દુઃખ પણ
આત્માને જ થાય છે. કહેવાય પણ છે પતિત આત્મા, પાવન આત્મા. પતિત પરમાત્મા ક્યારેય નથી
સાંભળ્યું. સર્વ ની અંદર પરમાત્મા જો હોત તો પતિત પરમાત્મા થઈ જાય. તો મુખ્ય વાત છે
આત્મ-અભિમાની બનવું. આત્મા કેટલી નાની છે. તેમાં કેવી રીતે પાર્ટ ભરાયેલો છે, આ
કોઈને પણ ખબર નથી. તમે તો નવી વાત સાંભળો છો. આ યાદની યાત્રા પણ બાપ જ શીખવાડે છે,
બીજા કોઈ શીખવાડી ન શકે. મહેનત પણ છે આમાં. ઘડી-ઘડી પોતાને આત્મા સમજવાનું છે. જેમ
જુઓ આ ઇમરજન્સી (તાત્કાલિન) લાઇટ આવી છે, જે બેટરી પર ચાલે છે. આને પછી ચાર્જ કરે
છે. બાપ છે સૌથી મોટી શક્તિ. આત્માઓ કેટલી અનેક છે. બધાએ તે પાવર થી ભરવાનું છે.
બાપ છે સર્વશક્તિમાન્. આપણો આત્માઓનો એમનાથી યોગ નહીં હશે તો બેટરી ચાર્જ કેવી રીતે
થાય? આખું કલ્પ લાગે છે ડિસ્ચાર્જ (ખાલી) થવામાં. હમણાં ફરી બેટરીને ચાર્જ કરવાની
હોય છે. બાળકો સમજે છે અમારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, હવે ફરી ચાર્જ કરવાની છે.
કેવી રીતે? બાબા કહે છે મારા થી યોગ લગાવો. આ તો ખુબ સહજ સમજવાની વાત છે. બાપ કહે
છે મારી સાથે બુદ્ધિયોગ લગાવો તો તમારી આત્મા પાવર ભરીને સત્તોપ્રધાન બની જશે. ભણતર
તો છે જ કમાણી. યાદ થી તમે પાવન બનો છો. આયુ મોટી થાય છે. બેટરી ચાર્જ થાય છે. દરેકે
જોવાનું છે - કેટલું બાપ ને યાદ કરીએ છીએ. બાપ ને ભૂલી જવાથી જ બેટરી ડિસ્ચાર્જ થાય
છે. કોઈનું પણ સાચું કનેક્શન નથી. સાચું કનેક્શન છે જ આપ બાળકોનું. બાપ ને યાદ કર્યા
વગર જ્યોત જાગશે કેવી રીતે? જ્ઞાન પણ ફક્ત એક બાપ જ આપે છે.
તમે જાણો છો જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. પછી રાત થી થાય છે વૈરાગ્ય, ફરી દિવસ શરું
થાય છે. બાપ કહે છે રાતને ભૂલો, હવે દિવસને યાદ કરો. સ્વર્ગ છે દિવસ, નર્ક છે રાત.
આપ બાળકો હવે ચૈતન્ય માં છો, આ શરીર તો વિનાશી છે. માટીનું બને છે, માટીમાં મળી જાય
છે. આત્મા તો અવિનાશી છે ને. બાકી બેટરી ડિસ્ચાર્જ થાય છે. હમણાં તમે કેટલાં સમજદાર
બનો છો. તમારી બુદ્ધિ ચાલી જાય છે ઘર માં. ત્યાંથી આપણે આવ્યાં છીએ. અહીંયા
સૂક્ષ્મવતન ની તો ખબર પડી ગઈ. ત્યાં ૪ ભુજાઓ વિષ્ણુ ની દેખાડે છે. અહીંયા તો ૪ ભુજા
હોતી નથી. આ કોઈની પણ બુદ્ધિમાં નહીં હશે કે બ્રહ્મા-સરસ્વતી પછી લક્ષ્મી-નારાયણ બને
છે, એટલે વિષ્ણુ ને ૪ ભુજા આપી છે. સિવાય બાપનાં કોઈ સમજાવી ન શકે. આત્મામાં જ
સંસ્કાર ભરાય છે.આત્મા જ તમોપ્રધાન થી ફરી સતોપ્રધાન બને છે. આત્માઓ જ બાપ ને પોકારે
છે-ઓ બાબા અમે ડિસ્ચાર્જ થઈ ગયાં છીએ, હવે તમે આવો, અમને ચાર્જ થવું છે. હવે બાપ કહે
છે - જેટલું યાદ કરશો એટલી તાકાત આવશે. બાપ થી ખુબ પ્રેમ હોવો જોઈએ. બાબા અમે તમારા
છીએ, તમારા સાથે જ ઘરે જવાવાળા છીએ. જેમ પિયરઘર થી સાસરઘર વાળા લઈ જાય છે ને. અહીંયા
તમને બે બાપ મળ્યાં છે, શ્રુંગાર કરાવવા વાળા. શ્રુંગાર પણ સારો જોઈએ અર્થાત્
સર્વગુણ સંપન્ન બનવાનું છે. પોતાનાથી પૂછવાનું છે. મારામાં કોઈ અવગુણ તો નથી. મન્સા
માં પણ ભલે તોફાન આવે છે, કર્મણા થી તો કંઈ નથી કરતો? કોઈને દુઃખ તો નથી આપતો? બાપ
છે દુઃખહર્તા, સુખકર્તા. આપણે પણ બધાને સુખનો રસ્તો બતાવીએ છીએ. બાબા ખુબ યુક્તિઓ
બતાવતાં રહે છે. તમે તો છો સેના. તમારું નામ જ છે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ,
કોઈપણ અંદર આવે, પહેલા-પહેલા તો આ પૂછો કે ક્યાંથી આવ્યાં છો? કોની પાસે આવ્યાં છો?
કહેશે અમે બી.કે. ની પાસે આવ્યાં છીએ. અચ્છા બ્રહ્મા કોણ છે? પ્રજાપિતા બ્રહ્માનું
નામ ક્યારેય સાંભળ્યું છે? હાં પ્રજાપિતા નાં તો તમે પણ બાળકો છો. પ્રજા તો બધાં થઈ
ગયાં ને. તમારા બાપ છે, તમે ફક્ત જાણતાં નથી. બ્રહ્મા પણ જરુર કોઈનો બાળક હશે ને.
તેમનાં બાપનું કોઈ શરીર તો જોવામાં નથી આવતું. બ્રહ્મા-વિષ્ણુ-શંકર આ ત્રણેય નાં
ઉપર છે શિવબાબા. ત્રિમૂર્તિ શિવ કહેવાય જાય છે ત્રણેય નાં રચયિતા. ઉપરમાં એક શિવબાબા,
પછી છે ત્રણ. જેમ સીઝરો (વૃક્ષ) હોય છે ને. બ્રહ્માનાં બાપ જરુર ભગવાન જ હશે. એ છે
આત્માઓનાં પિતા. અચ્છા, પછી બ્રહ્મા ક્યાંથી આવ્યાં. બાપ કહે છે હું આમનામાં પ્રવેશ
કરી, આમનું નામ રાખું છું બ્રહ્મા. આપ બાળકોનાં નામ રાખ્યાં, તો આમનું પણ નામ રાખ્યું
બ્રહ્મા. કહે છે આ મારો દિવ્ય અલૌકિક જન્મ છે. આપ બાળકોને તો એડોપ્ટ (દત્તક) કરું
છું. બાકી આમનામાં પ્રવેશ કરું છું પછી તમને સંભળાવું છું એટલે આ થઈ ગયાં બાપ-દાદા.
જેમાં પ્રવેશ કર્યો તેમની આત્મા તો છે ને. તેમની બાજુમાં આવીને બેસું છું. બે
આત્માઓ નો પાર્ટ તો અહીંયા ખુબ ચાલે છે. આત્મા ને બોલાવે છે તો આત્મા ક્યાંથી આવીને
બેસશે. જરુર બ્રાહ્મણની બાજુમાં આવીને બેસશે. આ પણ બે આત્માઓ છે બાપ અને દાદા. આમનાં
માટે બાપ કહે છે પોતાનાં જન્મો ને નથી જાણતાં. તમને પણ કહે છે તમે પોતાનાં જન્મો ને
નહોતા જાણતાં. હવે સ્મૃતિ આવી છે કલ્પ-કલ્પ ૮૪ નું ચક્ર લગાવ્યું છે, પછી પાછાં જઈએ
છીએ. આ છે સંગમયુગ. હવે ટ્રાન્સફર થઈએ છીએ. યોગ થી તમે સતોપ્રધાન બની જશો, બેટરી
ચાર્જ થઈ જશે. પછી સત્યુગ માં આવી જશો. બુદ્ધિ માં આખું ચક્ર ફરતું રહે છે. ડિટેલ (વિસ્તાર)
માં તો નહીં જઈ શકો. ઝાડની પણ આયુ હોય છે, પછી સુકાઈ જાય છે. અહીંયા પણ બધાં મનુષ્ય
જેમ સુકાઈ ગયાં છે. બધાં એક-બીજાને દુઃખ આપતાં રહે છે. હવે બધાનાં શરીર ખલાસ થઈ જશે.
બાકી આત્માઓ ચાલી જશે. આ જ્ઞાન બાપનાં સિવાય કોઈ આપી ન શકે. બાપ જ વિશ્વની બાદશાહી
આપે છે, એમને કેટલાં યાદ કરવાં જોઈએ. યાદમાં ન રહેવાથી માયાનો થપ્પડ લાગી જાય છે.
સૌથી ભારે થપ્પડ છે વિકાર નો. યુદ્ધનાં મેદાનમાં આપ બ્રાહ્મણ જ છો ને, તો તમને જ
તોફાન આવશે. પરંતુ કોઈ વિકર્મ નથી કરવાનાં. વિકર્મ કર્યા તો હાર ખાધી. બાબા થી પૂછે
છે આ કરવું પડે છે. બાળકો હેરાન કરે છે તો ગુસ્સો આવી જાય છે. બાળકોને સારી રીતે
સંભાળશું નહીં તો ખરાબ થઈ જશે. કોશિશ કરી ને થપ્પડ નહીં મારો. કૃષ્ણનાં માટે પણ
દેખાડે છે ને ઓખલી થી બાંધ્યાં. દોરડા થી બાંધો, ખાવાનું નહીં આપો. રડી-રડી ને છેવટે
કહેશે સારું હવે નહીં કરીશું. બાળક છે ફરી પણ કરશે, શિક્ષા આપવાની છે. બાબા પણ બાળકો
ને શિક્ષા આપે છે - બાળકો, ક્યારેય વિકારમાં નહીં જતાં, કુળ-કલંકિત નહી બનતાં.
લૌકિક માં પણ કોઈ કપૂત બાળકો હોય છે તો મા-બાપ કહે છે ને - આ શું કાળું મોઢું કરો
છો. કુળ ને કલંક લગાવો છો. હાર-જીત, જીત-હાર, થતા-થતા છેવટે જીત થઈ જશે. સત્ય ની
બેડી (નાવ) છે, તોફાન ખુબ આવશે કારણ કે આર્ટિફિશિયલ (બનાવટી) ખુબ નીકળી પડ્યાં છે.
કોઇ પોતાને ભગવાન કહે, કોઈ શું કહે છે. રિદ્ધિ-સિદ્ધિ પણ ખુબ દેખાડે છે.
સાક્ષાત્કાર પણ કરાવે છે. બાપ આવે જ છે સર્વ ની સદ્દગતિ કરવાં. પછી ન તો આ જંગલ
રહેશે, ન જંગલ માં રહેવા વાળા રહેશે. હમણાં તમે છો સંગમયુગ પર, જાણો છો કે આ જૂની
દુનિયા કબ્રિસ્તાન થયેલી છે. કોઈ મરવા વાળા થી દિલ થોડી લગાવે છે, આ દુનિયા તો ગઈ
કે ગઈ. વિનાશ થયો કે થયો. બાપ આવે જ ત્યારે છે જ્યારે નવી દુનિયા જૂની થાય છે. બાપ
ને સારી રીતે યાદ કરશો તો બેટરી ચાર્જ થશે. ભલે વાણી તો ખુબ સારી-સારી ચલાવે છે.
પરંતુ યાદ નું બળ નથી તો તે તાકાત નથી રહેતી. ધારદાર તલવાર નથી. બાપ કહે છે આ કોઈ
નવી વાત નથી. ૫ હજાર વર્ષ પહેલાં પણ આવ્યાં હતાં. બાપ પૂછે છે પહેલાં ક્યારે મળ્યાં
છો? તો કહે છે કલ્પ પહેલાં મળ્યાં હતાં. કોઈ પછી કહી દે છે ડ્રામા જાતે જ પુરુષાર્થ
કરાવશે. સારું હવે ડ્રામા પુરુષાર્થ કરાવી રહ્યો છે ને, તો કરો. એક જગ્યાએ બેસી તો
નથી જવાનું. જેમણે કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો છે, તે કરશે. હમણાં સુધી જે આવ્યા
નથી, તે આવવાનાં છે. જે ચાલતા-ચાલતા ભાગી ગયાં, લગ્ન વગેરે જઈને કર્યા, તેમનો પણ
ડ્રામા માં પાર્ટ હશે તો આવીને ફરી પુરુષાર્થ કરશે, જશે ક્યાં. બાપ ની પાસે જ બધાએ
પુછડી લટકાવી પડશે. લખેલું છે ભીષ્મ પિતામહ વગેરે પણ અંત માં આવે છે. હમણાં તો કેટલો
ઘમંડ છે પછી તે ઘમંડ તેમનો પૂરો થઈ જશે. તમે પણ દર ૫ હજાર વર્ષ પછી પાર્ટ ભજવો છો,
રાજાઈ લો છો, ગુમાવો છો. દિવસ-પ્રતિદિવસ સેવાકેન્દ્ર વધતાં જાય છે. ભારતવાસી જે ખાસ
દેવી-દેવતાઓનાં પુજારી છે તેમને સમજાવવાનું છે, સતયુગ માં દેવી-દેવતા ધર્મ હતો તેની
પૂજા કરે છે. ક્રિશ્ચયન લોકો ક્રાઈસ્ટ ની મહિમા કરે, આપણે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મની મહિમા કરીએ છીએ. તે કોણે સ્થાપન કર્યો. તે લોકો સમજે છે કૃષ્ણએ સ્થાપન કર્યો
ત્યારે તેમની પૂજા કરતાં રહે છે. તમારામાં પણ નંબરવાર છે. કોઈ કેટલી મહેનત કરે છે,
કોઈ કેટલી. દેખાડે છે ને ગોવર્ધન પર્વત ને આંગળી પર ઉઠાવી લીધો.
હમણાં આ જૂની દુનિયા છે, બધી વસ્તુઓથી તાકાત નીકળી ગઈ છે. સોનું પણ ખાણો થી નથી
નીકળતું, સ્વર્ગ માં તો સોના નાં મહેલ બને છે. હમણાં તો ગવર્મેન્ટ (સરકાર) હેરાન થઈ
જાય છે કારણ કે કર્જો આપવો પડે છે. ત્યાં તો અથાહ ધન છે. દિવાલો માં પણ હીરા-ઝવેરાત
લાગેલાં હોય છે. હીરા ની ઝડત નો શોખ હોય છે. ત્યાં ધન ની ખોટ છે નહીં. કારુન નો
ખજાનો રહે છે. અલ્લાહ અવલદીન ની એક રમત દેખાડે છે. ઠકા કરવાથી મહેલ નીકળી આવે છે.
અહીંયા પણ દિવ્ય-દૃષ્ટિ મળવાથી સ્વર્ગમાં ચાલ્યા જાય છે. ત્યાં પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી)
નાં પાસે મુરલી વગેરે બધી વસ્તુ હીરાની હોય છે. અહીંયા તો કોઈ એવી વસ્તુ પહેરીને
બેસે તો લૂંટીને લઈ જાય. છરી મારી ને પણ લઈ જશે. ત્યાં આ વાતો હોતી નથી. આ દુનિયા
ખુબ જૂની ગંદી છે. આ લક્ષ્મી-નારાયણ ની દુનિયા તો વાહ-વાહ હતી. હીરા-ઝવેરાતો નાં
મહેલ હતાં. એકલાં તો નહીં હશે ને. તેને કહેવાતું હતું સ્વર્ગ, તમે જાણો છો બરાબર
આપણે સ્વર્ગનાં માલિક હતાં. આપણે સોમનાથ નું મંદિર બનાવ્યું હતું. આ સમજીએ છીએ -
આપણે શું હતાં પછી ભક્તિમાર્ગ માં કેવી રીતે મંદિર બનાવીને પૂજા કરી. આત્માને પોતાનાં
૮૪ જન્મો નું જ્ઞાન છે. કેટલાં હીરા-ઝવેરાત હતાં, તે બધાં ક્યાં ગયાં. ધીરે-ધીરે બધું
ખલાસ થતું ગયું. મુસલમાન આવ્યાં, એટલું તો લૂંટી ને લઇ ગયાં જે કબરો માં જઈને હીરા
લગાવ્યાં, તાજમહેલ વગેરે બનાવ્યો. પછી બ્રિટિશ ગવર્મેન્ટ ત્યાંથી ખોદી ને લઈ ગઈ.
હમણાં તો કાંઈ પણ નથી. ભારત બેગર (કંગાળ) છે, કર્જો જ કર્જો લેતાં રહે છે. અનાજ,
સાકર વગેરે કાંઈ નથી મળતું. હવે વિશ્વને બદલવાનું છે. પરંતુ તેનાં પહેલાં આત્માની
બેટરીને સતોપ્રધાન બનાવવા માટે ચાર્જ કરવાની છે. બાપ ને યાદ જરુર કરવાનાં છે.
બુદ્ધિનો યોગ બાપની સાથે હોય, એમનાથી જ તો વારસો મળે છે. માયાની આમાં જ લડાઈ થાય
છે. પહેલાં આ વાતોને તમે થોડી સમજતાં હતાં. જેમ બીજા તેમ તમે હતાં. તમે હમણાં છો
સંગમયુગી અને તે બધાં છે કળયુગી. મનુષ્ય કહેશે આ લોકો તો જે આવડે છે તે કહેતાં રહે
છે. પરંતુ સમજાવવાની યુક્તિઓ પણ હોય છે ને. ધીરે-ધીરે તમારી વૃદ્ધિ થતી જશે. હમણાં
બાબા મોટી યુનિવર્સિટી ખોલી રહ્યાં છે. આમાં સમજાવવા માટે ચિત્ર તો જોઈએ ને. આગળ
ચાલીને તમારી પાસે આ બધાં ચિત્ર ટ્રાન્સલાઈટ નાં બની જશે તો પછી તમને સમજાવવામાં પણ
સહજ થાય.
તમે જાણો છો આપણે આપણી બાદશાહી ફરીથી સ્થાપન કરી રહ્યાં છીએ, બાપની યાદ અને જ્ઞાન
થી. માયા વચમાં દગો આપે છે. બાપ કહે છે દગા થી બચતાં રહો. યુક્તિઓ તો બતાવતાં રહે
છે. મુખ થી ફક્ત એટલું બોલો કે બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે આ
લક્ષ્મી-નારાયણ બની જશો. આ બેજ વગેરે ભગવાને પોતે બનાવ્યાં છે, તો તેની કેટલી કદર
હોવી જોઇએ. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વ ગુણો
થી પોતાનો શ્રુંગાર કરવાનો છે, ક્યારેય કોઈને દુઃખ નથી આપવાનું. બધાને સુખનો રસ્તો
બતાવવાનો છે.
2. આખી દુનિયા કબ્રિસ્તાન થયેલી છે એટલે આનાથી દિલ નથી લગાડવાનું. સ્મૃતિ રહે કે
હમણાં આપણે ટ્રાન્સફર થઈ રહ્યાં છીએ, આપણે તો નવી દુનિયામાં જવાનું છે.
વરદાન :-
પ્રવૃત્તિ માં
રહેતા મારા પણાનો ત્યાગ કરવા વાળા સાચાં ટ્રસ્ટી , માયા જીત ભવ
જેમ ગંદકી માં કીડા
ઉત્પન થાય છે તેમ જ જ્યારે મારાપણું આવે છે તો માયા નો જન્મ થાય છે. માયાજીત બનવાની
સહજ રીત છે - સ્વયં ને સદા ટ્રસ્ટી સમજો. બ્રહ્માકુમાર એટલે ટ્રસ્ટી, ટ્રસ્ટી નું
કોઈનામાં પણ અટેચમેન્ટ (લગાવ) નથી હોતું કારણ કે તેમનામાં મારાપણું નથી હોતું.
ગૃહસ્થી સમજશો તો માયા આવશે અને ટ્રસ્ટી સમજશો તો માયા ભાગી જશે એટલે ન્યારા થઈને
પછી પ્રવૃત્તિ નાં કાર્યમાં આવો તો માયાપ્રૂફ રહેશો.
સ્લોગન :-
જ્યાં અભિમાન
હોય છે ત્યાં અપમાન ની ફીલિંગ જરુર આવે છે.