19-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સત્ય
પન્ડા આવ્યાં છે તમને સાચી - સાચી યાત્રા શીખવાડવાં , તમારી યાત્રા માં મુખ્ય છે
પવિત્રતા , યાદ કરો અને પવિત્ર બનો ”
પ્રશ્ન :-
આપ મેસેન્જર
કે પૈગમ્બર નાં બાળકો ને કઈ એક વાત નાં સિવાય બીજી કોઇ પણ વાત માં આરગ્યુ દલીલ નથી
કરવાની?
ઉત્તર :-
આપ મેસેન્જર નાં બાળકો બધાને આ જ મેસેજ આપો કે સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ
કરો તો આ યોગઅગ્નિ થી તમારા વિકર્મ વિનાશ થશે. આ જ ઓના (ધૂન) રાખો, બાકી બીજી વાતો
માં જવાથી કોઈ ફાયદો નથી. તમારે ફક્ત બધાને બાપ નો પરિચય આપવાનો છે, જેનાથી તે
આસ્તિક બને. જ્યારે રચતા બાપ ને સમજી લેશે તો રચના ને સમજવું સહજ થઈ જશે.
ગીત :-
હમારે તીર્થ
ન્યારે હૈ.....
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો જાણે છે કે આપણે સત્ય તીર્થવાસી છીએ. સાચાં પન્ડા અને આપણે જે એમનાં
બાળકો છીએ તે પણ સાચાં તીર્થ પર જઈ રહ્યાં છીએ. આ છે જૂઠખંડ અથવા પતિતખંડ. હવે
સચખંડ કે પાવનખંડ માં જઈ રહ્યાં છીએ. મનુષ્ય યાત્રા પર જાય છે ને. કોઈ-કોઈ ખાસ
યાત્રાઓ લાગે છે, જ્યાં કોઈ ક્યારેય પણ જઈ શકે છે. આ પણ યાત્રા છે, આમાં જવાનું
ત્યારે થાય છે જ્યારે સત્ય પન્ડા સ્વયં આવે. એ આવે છે કલ્પ-કલ્પ નાં સંગમ પર. આમાં
ન ઠંડી, ન ગરમી ની વાત છે. ન ધક્કા ખાવાની વાત છે. આ તો છે યાદની યાત્રા. તે
યાત્રાઓમાં સન્યાસી પણ જાય છે. સાચી-સાચી યાત્રા કરવાવાળા જે હોય છે તે પવિત્ર રહે
છે. તમારામાં બધાં યાત્રા પર છે. તમે બ્રાહ્મણ છો. સાચાં-સાચાં
બ્રહ્માકુમાર-કુમારીઓ કોણ છે? જે ક્યારેય પણ વિકારમાં નથી જતાં. પુરુષાર્થી તો જરુર
છે. મન્સા સંકલ્પ ભલે આવે, મુખ્ય છે જ વિકાર ની વાત. કોઈ પૂછે નિર્વિકારી બ્રાહ્મણ
કેટલાં છે તમારી પાસે? આ પૂછવાથી જરુર નથી. આ વાતો થી તમારું શું પેટ ભરાશે. તમે
યાત્રી બનો. યાત્રા કરવા વાળા કેટલાં છે, આ પૂછવાથી કોઈ ફાયદો નથી. બ્રાહ્મણ તો કોઈ
સાચાં પણ છે, તો જુઠ્ઠા પણ છે. આજે સાચાં છે, કાલે જુઠ્ઠા બની જાય છે. વિકારમાં ગયાં
તો બ્રાહ્મણ ન થયાં. પછી શૂદ્ર થી શૂદ્ર થઈ ગયાં. આજે પ્રતિજ્ઞા કરે કાલે વિકાર માં
પડી અસુર બની જાય છે. હવે આ વાતો ક્યાં સુધી બેસી સમજાવે. આંનાથી પેટ તો નહિં ભરાશે
કે મુખ મીઠું નહીં થશે. અહીંયા આપણે બાપ ને યાદ કરીએ છીએ અને બાપની રચના નાં
આદિ-મધ્ય-અંત ને જાણીએ છીએ. બાકી બીજી વાતો માં કાંઈ રાખ્યું નથી. બોલો, અહીંયા
બાપની યાદ શીખવાડાય છે અને પવિત્રતા છે મુખ્ય. જે આજે પવિત્ર બની પછી અપવિત્ર બની
જાય છે, તો તે બ્રાહ્મણ જ નથી રહ્યાં. તે હિસાબ ક્યાં સુધી બેસી તમને સંભળાવે. એવાં
તો ખુબ પડતાં હશે માયાનાં તોફાનો માં, એટલે બ્રાહ્મણો ની માળા નથી બની શકતી. આપણે
તો પૈગમ્બર નાં બાળકો પૈગામ સંભળાવીએ છીએ, મેસેન્જર નાં બાળકો મેસેજ આપીએ છીએ. સ્વયં
ને આત્મા સમજી અને બાપ ને યાદ કરો તો આ યોગઅગ્નિ થી વિકર્મ વિનાશ થશે. આ ધૂન રાખો.
બાકી પ્રશ્ન તો અનેકાઅનેક મનુષ્ય પૂછશે. સિવાય એક વાત નાં બીજી કોઇ વાતો માં જવાથી
કોઈ ફાયદો જ નથી. અહીંયા તો આ જાણવાનું છે કે નાસ્તિક થી આસ્તિક, નિધન નાં થી ધન
નાં કેવી રીતે બનીએ, જે ધણી થી વારસો પામીએ - આ પૂછો. બાકી તો બધાં પુરુષાર્થી છે.
વિકાર ની વાત માં જ ખુબ ફેલ (નપાસ) થાય છે. ખુબ દિવસો પછી સ્ત્રી ને જોવે છે તો વાત
નહીં પૂછો. કોઈ ને દારુ ની આદત હોય છે, તીર્થો પર જશે તો દારુ અથવા બીડી ની જેમને
આદત હશે તે તેનાં વગર રહી નહીં શકે. છુપાવીને પણ પીવે છે. કરી જ શું શકે. ઘણાં છે
જે સાચું નથી બોલતાં. છુપાવતાં રહે છે.
બાબા બાળકોને યુક્તિયો બતાવે છે કે કેવી રીતે યુક્તિ થી જવાબ આપવો જોઈએ. એક બાપનો જ
પરિચય આપવાનો છે, જેનાથી મનુષ્ય આસ્તિક બને. પહેલાં જ્યાં સુધી બાપ ને નથી જાણ્યાં
ત્યાં સુધી કોઈ પ્રશ્ન પૂછવો જ ફાલતું છે. એવાં ઘણાં આવે છે, સમજતાં કાંઈ પણ નથી.
ફક્ત સંભળાવતાં રહે, ફાયદો કાંઈ પણ નહીં. બાબા ને લખે છે હજાર બે હજાર આવ્યાં,
એમાંથી બે-એક સમજવા માટે આવતાં રહે છે. ફલાણા-ફલાણા મોટા માણસ આવતાં રહે છે, હું
સમજી જાવું છે, તેમને જે પરિચય મળવો જોઇએ તે મળ્યો નથી. પૂરો પરિચય મળે તો સમજે આ
તો ઠીક કહે છે, આપણી આત્માઓનાં પિતા પરમપિતા પરમાત્મા છે, એ ભણાવે છે. કહે છે સ્વયં
ને આત્મા સમજી મને યાદ કરો. આ અંતિમ જન્મ પવિત્ર બનો. જે પવિત્ર નથી રહેતાં તે
બ્રાહ્મણ નથી, શૂદ્ર છે. લડાઈ નું મેદાન છે. ઝાડ વધતું રહેશે અને તોફાન પણ લાગશે.
ખુબ પાંદડા ખરતાં રહેશે. કોણ બેસી ગણતરી કરશે કે સાચાં બ્રાહ્મણ કોણ છે? સાચાં તે
જે ક્યારેય શૂદ્ર ન બને. જરા પણ દૃષ્ટિ ન જાય. અંત માં કર્માતીત અવસ્થા થાય છે. ખુબ
ઊંચી મંઝિલ છે. મન્સા માં પણ ન આવે, તે અવસ્થા અંત માં થવાની છે. આ સમયે એકની પણ એવી
અવસ્થા નથી, આ સમયે બધાં પુરુષાર્થી છે. નીચે-ઉપર થતાં રહે છે. મુખ્ય આંખો ની જ વાત
છે. આપણે આત્મા છીએ, આ શરીર દ્વારા પાર્ટ ભજવીએ છીએ - આ પાક્કો અભ્યાસ જોઈએ. જ્યાં
સુધી રાવણરાજ્ય છે, ત્યાં સુધી યુદ્ધ ચાલતું રહેશે. અંતમાં કર્માતીત અવસ્થા થશે.
આગળ ચાલીને તમને ફીલિંગ આવશે, સમજતાં જશો. હમણાં તો ઝાડ ખુબ નાનું છે, તોફાન લાગે
છે, પત્તા ખરી પડે છે. જે કાચાં છે તે નીચે પડે છે. દરેક પોતાનાથી પૂછે - મારી
અવસ્થા ક્યાં સુધી છે? બાકી જે પ્રશ્ન પૂછે છે તે વાતો માં વધારે જાઓ જ નહીં. બોલો,
અમે બાપની શ્રીમત પર ચાલી રહ્યાં છીએ. એ બેહદનાં બાપ આવીને બેહદ નું સુખ આપે છે અથવા
નવી દુનિયા સ્થાપન કરે છે. ત્યાં સુખ જ હોય છે. જ્યાં મનુષ્ય રહે છે તેને જ દુનિયા
કહેવાય છે. નિરાકારી દુનિયામાં આત્માઓ છે ને. આ કોઈની બુદ્ધિ માં નથી કે આત્મા કેવું
બિંદુ છે. આ પણ પહેલાં કોઈ નવાં ને નથી સમજાવવાનું. પહેલા-પહેલા તો સમજાવવાનું છે -
બેહદ નાં બાપ બેહદ નો વારસો આપે છે. ભારત પાવન હતું, હમણાં પતિત છે. કળયુગ નાં બાદ
પછી સતયુગ આવવાનું છે. બીજું કોઈ પણ સમજાવી ન શકે, સિવાય બી.કે. નાં. આ છે નવી રચના.
બાપ ભણાવી રહ્યાં છે - આ સમજણ બુદ્ધિ માં રહેવી જોઈએ. કોઈ ડિફિકલ્ટ (મુશ્કેલ) વાત
નથી, પરંતુ માયા ભુલાવી દે છે, વિકર્મ કરાવી દે છે. અડધાકલ્પ થી વિકર્મ કરવાની આદત
પડેલી છે. તે બધી આસુરી આદતો નીકાળવાની છે. બાબા પોતે કહે છે - બધાં પુરુષાર્થી છે.
કર્માતીત અવસ્થાને પામવામાં ખુબ સમય લાગે છે. બ્રાહ્મણ ક્યારેય વિકારમાં નથી જતાં.
યુદ્ધનાં મેદાન માં ચાલતા-ચાલતા હાર ખાઈ લે છે. આ પ્રશ્નો થી કોઈ ફાયદો નથી. પહેલા
પોતાનાં બાપ ને યાદ કરો. આપણને શિવબાબાએ કલ્પ પહેલાં માફક ફરમાન આપ્યું છે કે પોતાને
આત્મા સમજી મને યાદ કરો. આ એ જ લડાઈ છે. બાપ એક છે, કૃષ્ણ ને બાપ નહીં કહેશે. કૃષ્ણ
નું નામ નાખી દીધું છે. રોંગ (ખોટાં) થી રાઈટ (સાચાં) બનાવવા વાળા બાપ છે. ત્યારે
તો એમને ટ્રુથ (સત્ય) કહેવાય છે ને. આ સમયે આપ બાળકો જ આખી સૃષ્ટિ નાં રહસ્ય ને જાણો
છો. સતયુગ માં છે ડીટી ડિનાયસ્ટી (દૈવી રાજધાની). રાવણરાજ્ય માં પછી છે આસુરી
ડિનાયસ્ટી. સંગમયુગ ક્લિયર (સ્પષ્ટ) કરી ને દેખાડવાનો છે, આ છે પુરુષોત્તમ સંગમયુગ,
તે તરફ દેવતાઓ, આ તરફ અસુર. બાકી તેમની લડાઈ થઈ નથી. લડાઈ આપ બ્રાહ્મણો ની છે વિકારો
થી, આને પણ લડાઈ નહીં કહીશું. સૌથી મોટો છે કામ વિકાર, આ મહાશત્રુ છે. આનાં પર જીત
પામવાથી જ તમે જગતજીત બનશો. આ વિષ પર જ અબળાઓ માર ખાય છે. અનેક પ્રકાર નાં વિધ્નો
પડે છે. મૂળ વાત છે પવિત્રતાની. પુરુષાર્થ કરતા-કરતા, તોફાન આવતા-આવતા તમારી જીત થઈ
જશે. માયા થાકી જશે. કુસ્તી માં પહેલવાન જે હોય છે, તે ઝટ સામનો કરી લે છે. તેમનો
ધંધો જ છે સારી રીતે લડીને જીત પામવી. પહેલવાન નો ખુબ નામાચાર થાય છે. ઇનામ મળે છે.
તમારી તો આ છે ગુપ્ત વાત.
તમે જાણો છો આપણે આત્માઓ પવિત્ર હતી. હમણાં અપવિત્ર બન્યાં છીએ ફરી પવિત્ર બનવાનું
છે. આ જ મેસેજ બધાને આપવાનો છે બીજા કોઈ પણ પ્રશ્ન પૂછે, તમારે આ વાતો માં જવાનું
નથી. તમારો છે જ રુહાની ધંધો. આપણી આત્માઓમાં બાબાએ જ્ઞાન ભર્યુ હતું, પછી પ્રાલબ્ધ
પામી, જ્ઞાન ખતમ થઈ ગયું. હવે ફરી બાબા જ્ઞાન ભરી રહ્યાં છે. બાકી નશા માં રહો, બોલો
બાપ નો મેસેજ આપીએ છીએ કે બાપ ને યાદ કરો તો કલ્યાણ થશે. તમારો ધંધો જ આ રુહાની છે.
પહેલી-પહેલી વાત કે બાપ ને જાણો. બાપ જ જ્ઞાન નાં સાગર છે. એ કોઈ પુસ્તક થોડી
સંભળાવે છે. તે લોકો જે ડોક્ટર ઓફ ફિલોસોફી (તત્વજ્ઞાની) વગેરે બને છે, તે પુસ્તક
વાંચે છે. ભગવાન તો નોલેજફુલ છે. એમને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ છે. એ કાંઈ
ભણ્યાં છે શું? એ તો બધાં વેદો-શાસ્ત્રો વગેરે ને જાણે છે. બાપ કહે છે મારો પાર્ટ
છે તમને નોલેજ સમજાવવાનો. જ્ઞાન અને ભક્તિ નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બીજું કોઈ બતાવી
ન શકે. આ છે જ્ઞાન નું ભણતર. ભક્તિ ને જ્ઞાન નથી કહેવાતું. સર્વ નાં સદ્દગતિ દાતા
એક જ બાપ છે. વર્લ્ડ ની હિસ્ટ્રી જરુર રિપીટ (પુનરાવૃત્તિ) થશે. જૂની દુનિયાનાં પછી
નવી દુનિયા જરુર આવવાની છે. આપ બાળકો જાણો છો બાબા આપણને ફરી થી ભણાવે છે. બાપ કહે
છે મને યાદ કરો, જોર બધું આનાં પર છે. બાબા જાણે છે ખુબ સારા-સારા નામીગ્રામી બાળકો
આ યાદની યાત્રા માં ખુબ કમજોર છે અને જે નામીગ્રામી નથી, બાંધેલીઓ છે, ગરીબ છે, તે
યાદ ની યાત્રામાં ખુબ રહે છે. દરેક પોતાનાં દિલ થી પૂછે - હું બાપને કેટલો સમય યાદ
કરું છું? બાબા કહે છે - બાળકો, જેટલું થઈ શકે તમે મને યાદ કરો. અંદર માં ખુબ
હર્ષિત રહો. ભગવાન ભણાવે છે તો કેટલી ખુશી હોવી જોઈએ. બાપ કહે છે તમે પવિત્ર આત્મા
હતાં પછી શરીર ધારણ કરી પાર્ટ ભજવતા-ભજવતા પતિત બન્યાં છો. હવે ફરી પવિત્ર બનવાનું
છે. ફરી એ જ દૈવી પાર્ટ ભજવવાનો છે. તમે દૈવી ધર્મ નાં છો ને. તમે જ ૮૪ નું ચક્કર
લગાવ્યું છે. બધાં સૂર્યવંશી પણ ૮૪ જન્મ થોડી લે છે. પાછળ આવતાં રહે છે ને. નહીં તો
ફટ થી બધાં આવી જાય. સવારે ઉઠીને બુદ્ધિ થી કોઈ કામ લે તો સમજી શકે છે. બાળકોએ જ
વિચાર સાગર મંથન કરવાનું છે. શિવબાબા તો નથી કરતાં. એ તો કહે છે ડ્રામા અનુસાર જે
કાંઈ સંભળાવું છું, એવું જ સમજો કલ્પ પહેલાં માફક જે સમજાવ્યું હતું, એ જ સમજાવ્યું.
મંથન તમે કરો છો. તમને જ સમજાવવાનું છે, જ્ઞાન આપવાનું છે. આ બ્રહ્મા પણ મંથન કરે
છે. બી.કે. ને મંથન કરવાનું છે, શિવબાબાએ નહીં. મૂળ વાત કોઈ થી પણ વધારે વાત નથી
કરવાની. આરગ્યું (દલીલ) શાસ્ત્રવાદી આપસ માં ખુબ કરે છે, તમારે દલીલ નથી કરવાની.
તમારે ફક્ત પૈગામ આપવાનો છે. પહેલાં ફક્ત મુખ્ય એક વાત પર સમજાવો અને લખાવો.
પહેલા-પહેલા આ શબ્ક રાખો કે આ કોણ ભણાવે છે, તે લખો. આ વાત તમે પાછળ લઇ જાઓ છો એટલે
સંશય પડતો રહે છે. નિશ્ચયબુદ્ધિ ન હોવાનાં કારણે સમજતા નથી. ફક્ત કહી દે છે વાત ઠીક
છે. પહેલા-પહેલા મુખ્ય વાત જ આ છે. રચતા બાપ ને સમજો પછી રચના નાં રહસ્ય ને સમજજો.
મુખ્ય વાત ગીતાનાં ભગવાન કોણ? તમારી વિજય પણ આમાં થવાની છે. પહેલા-પહેલા કયો ધર્મ
સ્થાપન થયો? જૂની દુનિયાને નવી દુનિયા કોણ બનાવે છે. બાપ જ આત્માઓને નવું જ્ઞાન
સંભળાવે છે, જેનાથી નવી દુનિયા સ્થાપન થાય છે. તમને બાપ અને રચના ની ઓળખ મળે છે.
પહેલા-પહેલા તો અલફ પર પાક્કું કરાવો તો બે બાદશાહી છે જ. બાપ થી જ વારસો મળે છે.
બાપ ને જાણ્યાં અને વારસા નાં હકદાર બન્યાં. બાળક જન્મ લે છે, મા-બાપ ને જોયાં અને
બસ પાક્કું થઇ જશે. મા-બાપ નાં સિવાય કોઈની પાસે જશે પણ નહીં કારણ કે માં થી દૂધ મળે
છે. આ પણ જ્ઞાન નું દૂધ મળે છે. માતા-પિતા છે ને. આ ખુબ મહીંન (સુક્ષ્મ) વાતો છે,
જલ્દી કોઈ સમજી ન શકે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચા-સાચા
પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે, ક્યારેય શૂદ્ર (પતિત) બનવાનો મન્સા માં પણ વિચાર ન આવે,
જરા પણ દૃષ્ટિ ન જાય, એવી અવસ્થા બનાવવાની છે.
2. બાપ જે ભણાવી રહ્યાં છે, તે સમજણ બુદ્ધિ માં રાખવાની છે. જે વિકર્મ કરવાની આસુરી
આદતો પડેલી છે, તેને નીકાળવાની છે. પુરુષાર્થ કરતા-કરતા સંપૂર્ણ પવિત્રતા ની ઉંચી
મંઝિલ ને પ્રાપ્ત કરવાની છે.
વરદાન :-
પ્રવૃત્તિ માં
રહેતાં પર - વૃત્તિ માં રહેવા વાળા નિરંતર યોગી ભવ
નિરંતર યોગી બનવાનું
સહજ સાધન છે - પ્રવૃત્તિ માં રહેતાં પર-વૃત્તિ માં રહેવું. પર-વૃત્તિ અર્થાત્
આત્મિક રુપ. જે આત્મિક રુપ માં સ્થિત રહે છે તે સદા ન્યારા અને બાપ નાં પ્યારા (પ્રિય)
બની જાય છે. કાંઈ પણ કરશે પરંતુ એ મહેસૂસ થશે જેમ કામ નથી કર્યુ પરંતુ રમત રમી છે.
તો પ્રવૃત્તિ માં રહેતાં આત્મિક રુપમાં રહેવાથી બધું રમત ની જેમ સહજ અનુભવ થશે.
બંધન નહીં લાગે. ફક્ત સ્નેહ અને સહયોગ નાં સાથે શક્તિ ની એડિશન (ઉમેર) કરો તો
હાઈજમ્પ (છલાંગ) લગાવી દેશો.
સ્લોગન :-
બુદ્ધિ ની
મહીનતા અથવા આત્મા નું હલકાપણું જ બ્રાહ્મણ જીવન ની પર્સનાલિટી છે.