08-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાનાં
દિલ પર હાથ રાખી ને પૂછો કે બાબા જે સંભળાવે છે શું આપણે બધાં પહેલાં જાણતાં હતાં ,
જે સાંભળ્યું છે તે અર્થ સહિત સમજી ને ખુશી માં રહો ”
પ્રશ્ન :-
તમારા આ
બ્રાહ્મણ ધર્મ માં સૌથી અધિક તાકાત છે - કઈ અને કેવી રીતે?
ઉત્તર :-
તમારો આ બ્રાહ્મણ ધર્મ એવો છે જે આખાં વિશ્વની સદ્દગતિ શ્રીમત પર કરી દે છે.
બ્રાહ્મણ જ આખાં વિશ્વને શાંત બનાવી દે છે. તમે બ્રાહ્મણ કુલભૂષણ દેવતાઓથી પણ ઉંચ
છો, તમને બાપ દ્વારા આ તાકાત મળે છે. તમે બ્રાહ્મણ બાપનાં મદદગાર બનો છો, તમને જ
સૌથી મોટી પ્રાઈઝ (ઇનામ) મળે છે. તમે બ્રહ્માંડનાં પણ માલિક અને વિશ્વનાં પણ માલિક
બનો છો.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની સિકિલધા બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે. રુહાની બાળકો જાણે છે રુહાની
બાપ એક જ વખત દર ૫ હજાર વર્ષ બાદ આવે છે જરુર. કલ્પ નામ રાખી દીધું છે જે કહેવું પડે
છે. આ ડ્રામાની અથવા સૃષ્ટિ ની આયુ ૫ હજાર વર્ષ છે, આ વાતો એક જ બાપ બેસી સમજાવે
છે. આ ક્યારેય પણ કોઈ મનુષ્ય નાં મુખથી નથી સાંભળી શકતાં. આપ રુહાની બાળકો બેઠાં
છો. તમે જાણો છો બરાબર આપણા સર્વ આત્માઓનાં બાપ એ એક છે. બાપ જ બાળકોને બેસી પોતાનો
પરિચય આપે છે. જે કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતાં. કોઈને ખબર નથી ગોડ કે ઇશ્વર શું
વસ્તુ છે જ્યારે કે એમને ગોડફાધર બાપ કહે છે તો ખુબ પ્રેમ હોવો જોઈએ. બેહદ નાં બાપ
છે તો જરુર એમનાથી વારસો પણ મળતો હશે. અંગ્રેજી માં અક્ષર સારા કહે છે હેવનલી ગોડ
ફાધર. હેવન (સ્વર્ગ) કહેવાય છે નવી દુનિયાને અને હેલ (નર્ક) કહેવાય છે જૂની દુનિયાને.
પરંતુ સ્વર્ગ ને કોઈ જાણતું નથી. સન્યાસી તો માનતા જ નથી. તે ક્યારેય એવું નહીં
કહેશે કે બાપ સ્વર્ગ નાં રચયિતા છે. હેવનલી ગોડફાધર-આ અક્ષર ખુબ મીઠા છે અને હેવન
પ્રખ્યાત પણ છે. આપ બાળકોની બુદ્ધિ માં હેવન અને હેલ નું આખું ચક્ર સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત નું બુદ્ધિ માં ફરે છે, જે-જે સર્વિસએબુલ (સેવાધારી) છે, બધાં તો એકરસ
સર્વિસએબુલ નથી બનતાં.
તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો ફરીથી. તમે કહેશો અમે રુહાની બાળકો બાપની
શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત પર ચાલી રહ્યાં છીએ. ઊંચેથી ઊંચા બાપની જ શ્રીમત છે. શ્રીમદ
ભગવદગીતા પણ ગવાયેલી છે. આ છે પહેલા નંબર નું શાસ્ત્ર. બાપનું નામ સાંભળવાથી જ ઝટ
વારસો યાદ આવી જાય છે. આ દુનિયામાં કોઈ પણ નથી જાણતાં કે ગોડફાધર થી શું મળે છે.
અક્ષર કહે છે પ્રાચીન યોગ. પરંતુ સમજતાં નથી કે પ્રાચીન યોગ કોણે શીખવાડ્યો? તે તો
કૃષ્ણ જ કહેશે કારણ કે ગીતામાં કૃષ્ણ નું નામ આપી દીધું છે. હમણાં તમે સમજો છો બાપે
જ રાજયોગ શીખવાડ્યો, જેનાથી બધાં મુક્તિ-જીવનમુક્તિ ને પામે છે. આ પણ સમજો છો કે
ભારતમાં જ શિવબાબા આવ્યાં હતાં, એમની જયંતી પણ મનાવે છે પરંતુ ગીતામાં નામ ગુમ થવાથી
મહિમા પણ ગુમ થઈ ગઈ છે. જેનાથી આખી દુનિયાને સુખ-શાંતિ મળે છે, એ બાપ ને ભૂલી ગયાં
છે. આને કહેવાય જ છે એકજ ભૂલ નું નાટક. મોટામાં મોટી ભૂલ આ છે જે બાપને નથી જાણતાં.
ક્યારેક કહે એ નામ-રુપ થી ન્યારા છે પછી કહે કચ્છ-મચ્છ અવતાર છે. ઠીકકર-ભિત્તર માં
છે. ભૂલમાં ભૂલ થતી જાય છે. સીડી નીચે ઉતરતાં જાય છે. કળા ઓછી થતી જાય છે,
તમોપ્રધાન બનતાં જાય છે. ડ્રામા નાં પ્લાન અનુસાર જે બાપ સ્વર્ગ નાં રચયિતા છે.
જેમણે ભારતને સ્વર્ગનાં માલિક બનાવ્યાં, એમને ઠીકકર-ભિત્તર માં કહી દે છે. હવે બાપ
સમજાવે છે તમે સીડી કેવી રીતે ઉતરતાં આવ્યાં છો, કાંઈ પણ કોઈને ખબર નથી. ડ્રામા શું
છે, પૂછતાં રહે છે. આ દુનિયા ક્યાર થી બની છે? નવી સૃષ્ટિ ક્યારે હતી તો કહી દેશે
લાખો વર્ષ પહેલાં. સમજે છે જૂની દુનિયામાં તો હમણાં ખુબ વર્ષ બાકી છે, આને અજ્ઞાન
અંધકાર કહેવાય છે. ગાયન પણ છે જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. તમે
સમજો છો રચયિતા બાપ જરુર સ્વર્ગ જ રચશે. બાપ જ આવીને નર્ક ને સ્વર્ગ બનાવે છે.
રચયિતા બાપ જ આવી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. આવે પણ છે અંત માં.
સમય તો લાગે છે ને. આ પણ બાળકોને સમજાવ્યું છે જ્ઞાન માં એટલો સમય નથી લાગતો, જેટલો
યાદની યાત્રામાં લાગે છે. ૮૪ જન્મો ની કહાની તો જેમ એક કહાની છે, આજ થી ૫ હજાર વર્ષ
પહેલાં કોનું રાજ્ય હતું, તે રાજ્ય ક્યાં ગયું?
આપ બાળકોને હવે બધું નોલેજ છે. તમે છો કેટલાં સાધારણ, અજામિલ જેવાં પાપી, અહલ્યાઓ,
કુબ્જાઓ, ભીલનીઓ તેઓને કેટલાં ઉંચ બનાવો છો. બાપ સમજાવે છે - તમે શું થી શું બની ગયાં
છો. બાપ આવી ને સમજાવે છે - જૂની દુનિયાની હવે હાલત જુઓ શું છે? મનુષ્ય કાંઈ પણ નથી
જાણતાં કે સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? બાપ કહે છે તમે પોતાનાં દિલ પર હાથ
રાખી ને પૂછો - પહેલાં આ કાંઈ જાણતાં હતાં? કાંઈ પણ નહીં. હમણાં જાણો છો બાબા ફરી
થી આવીને આપણને વિશ્વની બાદશાહી આપે છે. કોઈની બુદ્ધિ માં નહીં આવે કે વિશ્વની
બાદશાહી શું હોય છે. વિશ્વ એટલે આખી દુનિયા. તમે જાણો છો બાપ આપણને એવું રાજ્ય આપે
છે જે આપણા થી અડધોકલ્પ સુધી કોઈ છીનવી નથી શકતું. તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ.
બાપ થી કેટલી વખત રાજ્ય લીધું છે. બાપ સત્ય છે, સત્ય શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે.
ક્યારેય સાંભળ્યું જ નથી. હમણાં અર્થ સહિત તમે સમજો છો. તમે બાળકો છો, બાપને તો યાદ
કરી શકો છો. આજકાલ નાનપણ માં જ ગુરુ કરે છે. ગુરુ નું ચિત્ર બનાવી પણ ગળા માં નાખે
છે કે ઘર માં રાખે છે. અહીંયા તો વન્ડર છે - બાપ, શિક્ષક, સદ્દગુરુ બધાં એક જ છે.
બાપ કહે છે હું સાથે લઈ જઈશ. તમારા થી પૂછશે શું ભણો છો? બોલો, અમે નવી દુનિયામાં
રાજાઈ પ્રાપ્ત કરવા માટે રાજયોગ ભણીએ છીએ. આ છે જ રાજયોગ. જેમ બેરિસ્ટર યોગ હોય છે
તો જરુર બુદ્ધિ નો યોગ બેરિસ્ટર તરફ જશે. શિક્ષક ને જરુર યાદ તો કરશે ને. તમે કહેશો
અમે સ્વર્ગની રાજાઈ પ્રાપ્ત કરવાને માટે જ ભણીએ છીએ. કોણ ભણાવે છે? શિવબાબા ભગવાન.
એમનું નામ તો એક જ છે જે ચાલ્યું આવે છે. રથ નું નામ તો છે નહીં. મારું નામ છે જ
શિવ. બાપ શિવ અને રથ બ્રહ્મા કહેશું. હમણાં તમે જાણો છો આ કેટલું વન્ડરફુલ છે, શરીર
તો એક જ છે. આમને ભાગ્યશાળી રથ કેમ કહે છે? કારણ કે શિવબાબા ની પ્રવેશતા છે તો જરુર
બે આત્માઓ થયી. આ પણ તમે જાણો છો બીજા કોઈને તો આ ખ્યાલ માં પણ નથી આવતું. હવે
દેખાડે છે ભાગીરથે ગંગા લાવી. શું પાણી લાવ્યાં? હમણાં તમે પ્રેક્ટીકલ જુઓ છો-શું
લાવ્યા છે, કોણ લાવ્યું છે? કોણે પ્રવેશ કર્યો છે? બાપે કર્યો ને. મનુષ્ય માં પાણી
થોડી પ્રવેશ કરશે. જટાઓ થી પાણી થોડી આવશે. આ વાતો પર મનુષ્ય ક્યારેય વિચાર પણ નથી
કરતાં. કહેવાય જ છે- રિલીજન ઈઝ માઈટ (ધર્મ એજ શક્તિ). રિલીજન માં તાકાત છે. બતાવો,
સૌથી વધારે કયા ધર્મ માં તાકાત છે? (બ્રાહ્મણ ધર્મ માં) હાં આ ઠીક છે, જે કાંઈ
તાકાત છે બ્રાહ્મણ ધર્મ માં જ છે, બીજા કોઈ ધર્મ માં કોઈ તાકાત નથી. તમે હમણાં
બ્રાહ્મણ છો. બ્રાહ્મણોને તાકાત મળે છે બાપ થી, જે પછી તમે વિશ્વનાં માલિક બનો છો.
તમારા માં કેટલી મોટી તાકાત છે. તમે કહેશો અમે બ્રાહ્મણ ધર્મ નાં છીએ. કોઈની
બુદ્ધિમાં નહીં બેસશે. વિરાટ રુપ ભલે બનાવ્યું છે પરંતુ તે પણ અડધું છે. મુખ્ય રચતા
અને તેમની પહેલી રચના ને કોઈ નથી જાણતું. બાપ છે રચતા, પછી બ્રાહ્મણ છે ચોટી, આમાં
તાકાત છે. બાપ ને ફક્ત યાદ કરવાથી તાકાત મળે છે. બાળકો તો જરુર નંબરવાર જ બનશે ને.
તમે આ દુનિયામાં સર્વોત્તમ બ્રાહ્મણ કુળ ભૂષણ છો. દેવતાઓથી પણ ઉંચ છો તમને હવે
તાકાત મળે છે. સૌથી વધારે તાકાત છે બ્રાહ્મણ ધર્મ માં. બ્રાહ્મણ શું કરે છે? આખાં
વિશ્વને શાંત બનાવી દે છે. તમારો ધર્મ એવો છે જે સર્વની સદ્દગતિ કરે છે શ્રીમત
દ્વારા. ત્યારે બાપ કહે છે તમને પોતાનાથી પણ ઉંચ બનાવું છું. તમે બ્રહ્માંડ નાં પણ
માલિક, વિશ્વ નાં પણ માલિક બનો છો. આખાં વિશ્વ પર તમે રાજાઈ કરશો. હમણાં ગાએ છે ને-ભારત
અમારો દેશ છે. ક્યારેક મહિમા નાં ગીત ગાતાં, ક્યારેક પછી કહે ભારત ની શું હાલત
છે…….! જાણતાં નથી કે ભારત આટલો ઉંચ ક્યારે હતો! મનુષ્ય તો સમજે છે સ્વર્ગ અથવા
નર્ક અહીંયા છે. જેમને ધન મોટર વગેરે છે, તે સ્વર્ગ માં છે. આ નથી સમજતા કે સ્વર્ગ
કહેવાય જ છે નવી દુનિયા ને. અહીંયા બધુંજ શીખવાનું છે. સાયન્સ (વિજ્ઞાન) નો હુનર (કુશળતા)
પણ પછી ત્યાં કામ માં આવે છે. આ સાયન્સ પણ ત્યાં સુખ આપે છે. અહીંયા તો આ બધાથી છે
અલ્પકાળ નું સુખ. ત્યાં આપ બાળકો માટે આ સ્થાઈ સુખ થઈ જશે. અહીંયા બધું શીખવાનું છે
જે પછી સંસ્કાર લઈ જઈશું. કોઈ નવી આત્માઓ નહિં આવે, જે શીખશે. અહીંયા નાં બાળકો જ
સાયન્સ શીખીને ત્યાં આવે છે. ખુબ હોશિયાર થઈ જશે. બધાં સંસ્કાર લઈ જશે પછી ત્યાં
કામમાં આવશે. હમણાં છે અલ્પકાળ નું સુખ. પછી આ બોમ્બસ વગેરે જ બધાને ખલાસ કરી દેશે.
મોત નાં વગર શાંતિ નું રાજ્ય કેવી રીતે થાય. અહીંયા તો અશાંતિ નું રાજ્ય છે. આ પણ
તમારા માં નંબરવાર છે જે સમજે છે, અમે પહેલા-પહેલા પોતાનાં ઘરે જઈશું પછી સુખધામ
માં આવીશું. સુખ માં બાપ તો આવતાં જ નથી. બાપ કહે છે મને પણ વાનપ્રસ્થ રથ જોઈએ ને.
ભક્તિમાર્ગ પણ બધાની કામનાઓ પૂરી કરતો આવ્યો છું. સંદેશીઓ ને પણ દેખાડ્યું છે-કેવી
રીતે ભક્ત લોકો તપસ્યા પૂજા વગેરે કરે છે, દેવીઓને સજાવી, પૂજા વગેરે કરી પછી
સમુદ્ર માં ડુબાડી દે છે. કેટલો ખર્ચ થાય છે. પૂછો આ ક્યાર થી શરું થયું છે? તો
કહેશે પરંપરા થી ચાલ્યું આવ્યું છે. કેટલું ભટકતાં રહે છે. આ પણ બધો ડ્રામા છે.
બાપ વારંવાર બાળકો ને સમજાવે છે હું તમને ખુબ મીઠા બનાવવા આવ્યો છું. આ દેવતાઓ કેટલાં
મીઠા છે. હમણાં તો મનુષ્ય કેટલાં કડવા છે. જેમણે બાપને ખુબ મદદ કરી હતી, તેમની પૂજા
કરતાં રહે છે. તમારી પૂજા પણ થાય છે, પદ પણ તમે ઉંચ પ્રાપ્ત કરો છો. બાપ સ્વયં કહે
છે હું તમને પોતાનાથી પણ ઉંચ બનાવું છું. ઊંચે થી ઊંચા ભગવાનની છે શ્રીમત. કૃષ્ણની
તો નહીં કહેશે. ગીતામાં પણ શ્રીમત પ્રસિદ્ધ છે. કૃષ્ણ તો આ સમયે બાપ થી વારસો લઇ
રહ્યાં છે. કૃષ્ણની આત્મા નાં રથ માં બાપે પ્રવેશ કર્યો છે. કેટલી વન્ડરફુલ વાત છે.
ક્યારેય કોઈની બુદ્ધિ માં આવશે નહીં. સમજવા વાળા ને પણ સમજાવવામાં ખુબ મહેનત લાગે
છે. બાપ કેટલું સારી રીતે બાળકો ને સમજાવે છે. બાબા લખે છે સર્વોત્તમ બ્રહ્મા મુખ
વંશાવલી બ્રાહ્મણ. તમે ઉંચ સર્વિસ (સેવા) કરો છો તો આ પ્રાઈઝ (ઇનામ) મળે છે. તમે
બાપનાં મદદગાર બનો છો તો બધાને પ્રાઈઝ મળે છે-નંબરવાર પુરુષાર્થ અનુસાર. તમારા માં
પણ ખુબ તાકાત છે. તમે મનુષ્ય ને સ્વર્ગનાં માલિક બનાવી શકો છો. તમે રુહાની સેના છો.
તમે આ બેજ નહીં લગાવશો તો મનુષ્ય કેવી રીતે સમજશે કે આ પણ રુહાની મિલેટ્રી (સેના)
છે. મિલેટ્રી વાળાઓનો હંમેશા બેજ લાગેલો હોય છે. શિવબાબા છે નવી દુનિયાનાં રચયિતા.
ત્યાં આ દેવતાઓનું રાજ્ય હતું, હમણાં નથી. પછી બાપ કહે છે મનમનાભવ. દેહ સહિત સર્વ
સંબંધ છોડી મામેકમ્ યાદ કરો તો કૃષ્ણની ડિનાયસ્ટી (રાજધાની) માં આવી જશો. આમાં લજ્જા
ની તો વાત જ નથી. બાપની યાદ રહેશે. બાપ આમનાં માટે પણ બતાવે છે આ નારાયણની પૂજા કરતાં
હતાં, નારાયણ ની મૂર્તિ સાથે રહેતી હતી. ચાલતા-ફરતા તેને જોતાં હતાં. હમણાં આપ
બાળકોને જ્ઞાન છે, બેજ તો જરુર લગાવેલો રહેવો જોઈએ. તમે છો નર ને નારાયણ બનાવવા વાળા.
રાજયોગ પણ તમે જ શીખવાડો છો. નર થી નારાયણ બનાવવાની સર્વિસ કરો છો. પોતાને જોવાનું
છે અમારા માં કોઈ અવગુણ તો નથી?
આપ બાળકો બાપદાદાની
પાસે આવો છો, બાપ છે શિવબાબા, દાદા છે તેમનો રથ. બાપ જરુર રથ દ્વારા જ મળશે ને. બાપ
ની પાસે આવે છે રિફ્રેશ થવાં. સમ્મુખ બેસવાથી યાદ આવે છે. બાબા આવ્યાં છે લઈ જવા
માટે. બાપ સમ્મુખ બેઠા છે તો વધારે યાદ આવવી જોઈએ. પોતાની યાદની યાત્રાને ત્યાં પણ
તમે રોજ વધારી શકો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાને
જોવાનું છે કે અમારા માં કોઈ અવગુણ તો છે નહીં! જેમ દેવતાઓ મીઠા છે, એવો મીઠો બન્યો
છું?
2. બાપની શ્રેષ્ઠ થી
શ્રેષ્ઠ મત પર ચાલી પોતાની રાજધાની સ્થાપન કરવાની છે. સર્વિસએબુલ બનવા માટે સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત નું, હેવન અને હેલ નું જ્ઞાન બુદ્ધિ માં ફરાવવાનું છે.
વરદાન :-
શ્રેષ્ઠ ભાવના
નાં આધાર થી સર્વ ને શાંતિ , શક્તિ ની કિરણો આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જેમ બાપનાં સંકલ્પ કે
બોલ માં, નયનો માં સદા જ કલ્યાણ ની ભાવના કે કામના છે એમ આપ બાળકોનાં સંકલ્પ માં
વિશ્વ કલ્યાણની ભાવના કે કામના ભરેલી હોય. કોઈ પણ કાર્ય કરતાં વિશ્વ ની સર્વ આત્માઓ
ઈમર્જ (જાગૃત) હોય. માસ્ટર જ્ઞાન સૂર્ય બની શુભભાવના કે શ્રેષ્ઠ કામના નાં આધાર થી
શાંતિ અને શક્તિની કિરણો આપતાં રહો ત્યારે કહેશે વિશ્વ કલ્યાણકારી. પરંતુ આને માટે
સર્વ બંધનો થી મુક્ત, સ્વતંત્ર બનો.
સ્લોગન :-
“હું પણું અને
મારાં પણું”, આ જ દેહ-અભિમાન નો દરવાજો છે. હવે આ દરવાજા ને બંધ કરો.