17-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
આ પુરુષોત્તમ સંગમયુગ પર જ ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનવાનું છે , સૌથી ઉત્તમ પુરુષ છે
આ લક્ષ્મી - નારાયણ ”
પ્રશ્ન :-
આપ બાળકો બાપની
સાથે-સાથે કયું એક ગુપ્ત કાર્ય કરી રહ્યાં છો?
ઉત્તર :-
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ અને દેવી રાજધાની ની સ્થાપના - તમે બાપની સાથે ગુપ્ત રુપ
થી આ કાર્ય કરી રહ્યાં છો. બાપ બાગવાન છે જે આવીને કાંટાઓનાં જંગલ ને ફૂલોનો બગીચો
બનાવી રહ્યાં છે. તે બગીચામાં કોઈ પણ ખોફનાક (ભયાનક) દુઃખ આપવા વાળી વસ્તુઓ હોતી નથી.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ …
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. સમજાવશે તો જરુર શરીર દ્વારા. આત્મા શરીર વગર કોઈ
પણ કાર્ય કરી નથી શકતી. રુહાની બાપ ને પણ એક જ વખત પુરુષોત્તમ સંગમયુગ પર શરીર લેવું
પડે છે. આ સંગમયુગ પણ છે, આને પુરુષોત્તમ યુગ પણ કહેશું કારણ કે આ સંગમયુગ નાં પછી
ફરી સતયુગ આવે છે. સતયુગ ને પણ પુરુષોત્તમ યુગ કહેશે. બાપ આવીને સ્થાપના પણ
પુરુષોત્તમ યુગ ની કરે છે. સંગમયુગ પર આવે છે તો જરુર તે પણ પુરુષોત્તમ યુગ થયો.
અહીંયા જ બાળકો ને પુરુષોત્તમ બનાવે છે. પછી તમે પુરુષોત્તમ નવી દુનિયામાં રહો છો.
પુરુષોત્તમ અર્થાત્ ઉત્તમ થી ઉત્તમ પુરુષ આ રાધે-કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ છે. આ
જ્ઞાન પણ તમને છે. બીજા ધર્મવાળા પણ માનશે બરાબર આ હેવન નાં માલિક છે. ભારત ની ખુબ
ભારે મહિમા છે. પરંતુ ભારતવાસી પોતે નથી જાણતાં. કહે પણ છે ને - ફલાણા સ્વર્ગવાસી
થયાં પરંતુ સ્વર્ગ શું વસ્તુ છે, એ સમજતાં નથી. જાતે જ સિદ્ધ કરે છે સ્વર્ગ ગયાં,
તેનો અર્થ નર્ક માં હતાં. હેવન તો જ્યારે બાપ સ્થાપન કરે. તે તો નવી દુનિયાને જ
કહેવાય છે. બે વસ્તુ છે ને - સ્વર્ગ અને નર્ક. મનુષ્ય તો સ્વર્ગ ને લાખો વર્ષ કહી
દે છે. આપ બાળકો સમજો છો કાલે સ્વર્ગ હતું, આમની રાજાઈ હતી ફરી બાપ થી વારસો લઈ
રહ્યાં છો.
બાપ કહે છે - મીઠા લાડલા બાળકો, તમારી આત્મા પતિત છે એટલે હેલ માં જ છે. કહે પણ છે
હમણાં કળયુગ નાં ૪૦ હજાર વર્ષ બાકી છે, તો જરુર કળયુગ વાસી કહેશું ને. જૂની દુનિયા
તો છે ને. મનુષ્ય બિચારા ઘોર અંધકાર માં છે. અંત માં જ્યારે આગ લાગશે તો આ બધાં ખતમ
થઇ જશે. તમારી પ્રીત બુદ્ધિ છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. જેટલી પ્રીત બુદ્ધિ હશે
એટલું ઉંચ પદ પામશે. સવારે ઉઠીને ખુબ પ્રેમ થી બાપ ને યાદ કરવાનાં છે. ભલે પ્રેમ
નાં આંસુ પણ આવે કારણ કે ખુબ સમય નાં પછી બાપ આવીને મળે છે. બાબા આપ આવીને અમને
દુઃખ થી છોડાવો છો. આપણે વિષય સાગર માં ગોતાં ખાતાં કેટલા દુઃખી થતાં આવ્યાં છીએ.
હમણાં આ છે રોરવ નર્ક. હમણાં તમને બાબાએ આખાં ચક્રનું રહસ્ય સમજાવ્યું છે. મૂળવતન
શું છે-તે પણ આવીને બતાવ્યું છે. પહેલા તમે નહોતાં જાણતાં, આને કહે જ છે કાંટાઓનું
જંગલ. સ્વર્ગને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ, ફૂલોનો બગીચો. બાપ ને બાગવાન પણ કહે છે
ને. તમને ફૂલ થી પછી કાંટા કોણ બનાવે છે? રાવણ. આપ બાળકો સમજો છો ભારત ફૂલોનો બગીચો
હતો, હવે જંગલ છે. જંગલ માં જનાવર, વીંછી વગેરે રહે છે. સતયુગ માં કોઈ ખોફનાક જનાવર
વગેરે હોતાં નથી. શાસ્ત્રો માં તો ખુબ વાતો લખી દીધી છે. કૃષ્ણ ને સાપે ડંખ્યો, આ
થયું. કૃષ્ણ ને પછી દ્વાપર માં લઈ ગયાં છે. બાપે સમજાવ્યું છે ભક્તિ બિલકુલ અલગ
વસ્તુ છે, જ્ઞાન સાગર એક જ બાપ છે. એવું નહીં કે બ્રહ્મા-વિષ્ણુ-શંકર જ્ઞાન નાં
સાગર છે. ના, પતિત-પાવન એક જ જ્ઞાન સાગર ને કહેશે. જ્ઞાન થી જ મનુષ્ય ની સદ્દગતિ
થાય છે. સદ્દગતિ નાં સ્થાન છે બે - મુક્તિધામ અને જીવન મુક્તિધામ. હમણાં આપ બાળકો
જાણો છો આ રાજધાની સ્થાપન થઈ રહી છે, પરંતુ ગુપ્ત. બાપ જ આવીને આદિ સનાતન દેવી-દેવતા
ધર્મની સ્થાપના કરે છે, તો બધાં પોત-પોતાનાં મનુષ્ય ચોલા (શરીર) માં આવે છે. બાપને
પોતાનું શરીર તો છે નહીં, એટલે એમને નિરાકાર ગોડફાધર કહેવાય છે. બાકી બધાં છે સાકારી.
આમને કહેવાય છે ઇનકોરપોરિયલ ગોડફાધર (નિરાકાર પરમપિતા), ઇનકોરપોરિયલ આત્માઓનાં. આપ
આત્માઓ પણ ત્યાં રહો છો. બાપ પણ ત્યાં રહે છે. પરંતુ છે ગુપ્ત. બાપ જ આવીને આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. મૂળવતન માં કોઈ દુઃખ નથી. બાપ કહે છે
તમારું કલ્યાણ છે જ એક વાત માં - બાપ ને યાદ કરો, મનમનાભવ. બસ, બાપનાં બાળક બન્યાં,
બાળક ને વારસો અંડરસ્ટુડ (નિશ્ચિત) છે. અલફ ને યાદ કર્યા તો વારસો જરુર છે - સતયુગી
નવી દુનિયાનો. આ પતિત દુનિયાનો વિનાશ પણ જરુર થવાનો જ છે. અમરપુરી માં જવાનું જ છે.
અમરનાથ આપ પાર્વતીઓને અમરકથા સંભળાવી રહ્યાં છે. તીર્થો પર કેટલાં મનુષ્ય જાય છે -
અમરનાથ પર કેટલાં જાય છે. ત્યાં છે કાંઈ પણ નહીં. બધાં છે ઠગી. સાચું રત્તી માત્ર
પણ નથી. ગવાય પણ છે જુઠી કાયા જુઠી માયા…. આનો પણ અર્થ હોવો જોઈએ. અહીંયા છે જ
જુઠ્ઠું. આ પણ જ્ઞાન ની વાત છે. એવું નહીં કે ગ્લાસ ને ગ્લાસ કહેવું જૂઠું છે. બાકી
બાપનાં માટે જે કંઈ બોલે છે તે જુઠ્ઠું બોલે છે. સાચું બોલવા વાળા એક જ બાપ છે. હમણાં
તમે જાણો છો બાબા આવીને સાચી-સાચી સત્ય નારાયણ ની કથા સંભળાવે છે. જુઠ્ઠા હીરા-મોતી
પણ હોય છે ને. આજકાલ જુઠ્ઠા નો ખુબ શો (દેખાવ) છે. તેની ચમક એવી હોય છે સાચાં થી પણ
સારી. આ જુઠ્ઠા પથ્થર પહેલાં નહોતાં. અંત માં વિલાયત થી આવ્યાં છે. જુઠ્ઠા સાચાં
સાથે મળાવી દે છે, ખબર નથી પડતી. પછી એવી વસ્તુ પણ નીકળી જેનાથી પારખે છે. મોતી પણ
એવાં જુઠ્ઠા નીકળ્યાં છે જે જરા પણ ખબર નથી પડી શકતી. હવે આપ બાળકોને કોઇ સંશય નથી
રહેતો. સંશય વાળા પછી આવતાં જ નથી. પ્રદર્શની માં કેટલાં અનેકાનેક આવે છે. બાપ કહે
છે હવે મોટી-મોટી દુકાન નીકાળો, આ એક જ તમારી સાચી દુકાન છે. તમે સાચી દુકાન ખોલો
છો. મોટા-મોટા સન્યાસીઓની મોટી-મોટી દુકાન હોય છે, જ્યાં મોટા-મોટા મનુષ્ય જાય છે.
તમે પણ મોટા-મોટા સેવાકેન્દ્ર ખોલો. ભક્તિમાર્ગ ની સામગ્રી બિલકુલ અલગ છે. એવું નહીં
કહેશું કે ભક્તિ શરું થી જ ચાલી આવી છે. ના. જ્ઞાન થી થાય છે સદ્દગતિ અર્થાત્ દિવસ.
ત્યાં સંપૂર્ણ નિર્વિકારી વિશ્વ નાં માલિક હતાં. મનુષ્યો ને આ પણ ખબર નથી કે આ
લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતાં. સૂર્યવંશી અને ચંદ્રવંશી, બીજો કોઈ ધર્મ હોતો
નથી. બાળકોએ ગીત પણ સાંભળ્યું. તમે સમજો છો છેવટે તે દિવસ આવ્યો આજે સંગમ નો, જે
આપણે આવીને પોતાનાં બેહદનાં બાપ થી મળ્યાં. બેહદ નો વારસો પામવા માટે પુરુષાર્થ
કરીએ છીએ. સતયુગ માં તો એવું નહીં કહેશે - છેવટે તે દિવસ આવ્યો આજે. તે લોકો સમજે
છે-ખુબ અનાજ હશે, આ હશે. સમજે છે સ્વર્ગની સ્થાપના અમે કરીએ છીએ. સમજે છે સ્ટુડન્ટ
(વિદ્યાર્થી) નું નવું લોહી છે, આ ખુબ મદદ કરશે એટલે ગવર્મેન્ટ (સરકાર) ખુબ મહેનત
કરે છે તેમનાં પર. અને પછી પથ્થર વગેરે પણ તે જ મારે છે. હંગામો કરવામાં પહેલા-પહેલા
સ્ટુડન્ટ જ આગળ હોય છે. તે ખુબ હોશિયાર હોય છે. તેમનું નવું લોહી કહે છે. હવે નવાં
લોહી ની તો વાત નથી. તે છે બ્લડ કનેક્શન (લોહીનો સંબંધ), હમણાં તમારું આ છે રુહાની
કનેક્શન (આત્મિક સંબંધ). કહે છે ને બાબા હું તમારો બે મહિનાં નો બાળક છું. ઘણાં
બાળકો રુહાની બર્થ ડે મનાવે છે. ઈશ્વરીય બર્થ ડે જ મનાવવો જોઈએ. તે શરીર નો બર્થ ડે
કેન્સલ (અમાન્ય) કરી દેવો જોઈએ. આપણે બ્રાહ્મણોને જ ખવડાવીશું. મનાવવો તો આ જોઈએ
ને. તે છે આસુરી જન્મ, આ છે ઇશ્વરીય જન્મ. રાત-દિવસનો ફર્ક છે, પરંતુ જ્યારે નિશ્ચય
માં બેસે. એવું નહીં, ઈશ્વરીય જન્મ મનાવીને પછી જઈ આસુરી જન્મ માં પડીએ. એવું પણ
થાય છે. ઈશ્વરીય જન્મ મનાવતાં-મનાવતાં પછી રફૂ-ચક્કર થઈ જાય છે. આજકાલ તો મેરેજ ડે
(લગ્ન દિવસ) પણ મનાવે છે, લગ્નને જેમ કે સારું શુભકાર્ય સમજે છે. જહન્નુમ માં જવાનો
પણ દિવસ મનાવે છે. વન્ડર છે ને. બાપ બેસી આ બધી વાતો સમજાવે છે. હવે તમારે તો
ઈશ્વરીય બર્થ ડે બ્રાહ્મણોની સાથે જ મનાવવાનો છે. આપણે શિવબાબા નાં બાળકો છીએ, આપણે
બર્થ ડે મનાવીએ છીએ તો શિવબાબા ની જ યાદ રહેશે. જે બાળકો નિશ્ચય બુદ્ધિ છે તેમને
જન્મ દિવસ મનાવવો જોઈએ. તે આસુરી જન્મ જ ભૂલાઈ જાય. આ પણ બાબા સલાહ આપે છે. જો
પાક્કા નિશ્ચયબુદ્ધિ છે તો. બસ આપણે તો બાબાનાં બની ગયાં, બીજું ન કોઈ પછી અંત મતિ
સો ગતિ થઈ જશે. બાપ ની યાદ માં જ મર્યા તો બીજો જન્મ પણ એવો મળશે. નહીં તો અંતકાળ
જે સ્ત્રી સિમરે……. આ પણ ગ્રંથ માં છે. અહીંયા પછી કહે છે અંત સમયે ગંગા નો તટ હોય.
આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. તમને બાપ કહે છે શરીર છૂટે તો પણ સ્વદર્શન ચક્રધારી
હોવ. બુદ્ધિ માં બાપ અને ચક્ર યાદ હોય. તે જરુર જ્યારે પુરુષાર્થ કરતાં રહેશો ત્યારે
તો અંતકાળે યાદ આવશે. સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો કારણ કે આપ બાળકોએ હવે
પાછાં જવાનું છે અશરીરી થઈને. અહીંયા પાર્ટ ભજવતા-ભજવતા સતોપ્રધાન થી તમોપ્રધાન
બન્યાં છો. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. આ સમયે આત્મા જ ઇમપ્યોર (અપવિત્ર) છે, તો
શરીર પ્યોર પછી કેવી રીતે મળી શકે? બાબાએ ખુબ દૃષ્ટાંત સમજાવ્યાં છે છતાં પણ ઝવેરી
છે ને. ખાદ દાગીના માં નહીં, સોના માં પડે છે. ૨૪ કેરેટ થી ૨૨ કેરેટ બનાવવાનું હશે
તો ચાંદી નાખશે. હમણાં તો સોનું છે નહીં. બધાથી લેતાં રહે છે. આજકાલ નોટ પણ જુઓ કેવી
રીતે બનાવે છે. કાગળ પણ નથી. બાળકો સમજે છે કલ્પ-કલ્પ આવું થતું આવ્યું છે. પૂરી
સંભાળ રાખે છે. લોકર્સ વગેરે ખોલાવે છે. જેમ કોઈ ની તલાશી વગેરે લેવાય છે ને. ગાયન
પણ છે-કિનકી દબી રહી ધૂલ મેં ……. આગ પણ જોર થી લાગે છે. આપ બાળકો જાણો છો આ બધું
થવાનું છે એટલે બેગ-બેગેજ તમે ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યાં છો. બીજા કોઈને ખબર થોડી
છે, તમને જ વારસો મળે છે ૨૧ જન્મ માટે. તમારા જ પૈસા થી ભારતને સ્વર્ગ બનાવી રહ્યાં
છે, જેમાં પછી તમે જ નિવાસ કરશો.
આપ બાળકો પોતાનાં જ પુરુષાર્થ થી પોતે જ રાજતિલક લો છો. ગરીબ નિવાઝ બાબા સ્વર્ગ નાં
માલિક બનાવવા આવ્યાં છે પરંતુ બનશે તો પોતાનાં ભણતર થી. કૃપા અથવા આશીર્વાદ થી નહીં.
શિક્ષક નો તો ભણાવવાનો ધર્મ છે. કૃપા ની વાત નથી. શિક્ષક ને ગવર્મેન્ટ થી પગાર મળે
છે. તો તે જરુર ભણાવશે. આટલો મોટો ઇજાફો મળે છે. પદ્માપદમપતિ બનો છો. કૃષ્ણ નાં પગમાં
પદમ ની નિશાની આપે છે. તમે અહીંયા આવ્યાં છો ભવિષ્ય માં પદમપતિ બનવાં. તમે ખુબ જ
સુખી, સાહૂકાર, અમર બનો છો. કાળ પર વિજય પામો છો. આ વાતો ને મનુષ્ય સમજી ન શકે તમારી
આયુ પૂરી થઈ જાય છે, અમર બની જાઓ છો. તેમણે પછી પાંડવોનાં ચિત્ર લાંબા-પહોળા બનાવી
દીધાં છે. સમજે છે પાંડવ આટલાં લાંબા હતાં. હવે પાંડવ તો તમે છો. કેટલો રાત-દિવસ નો
ફર્ક છે. મનુષ્ય કોઈ વધારે લાંબા તો હોતાં નથી. ૬ ફૂટ નાં જ હોય છે. ભક્તિમાર્ગ માં
પહેલા-પહેલા શિવબાબા ની ભક્તિ થાય છે. તે તો મોટા બનાવશે નહિં. પહેલાં શિવબાબા ની
અવ્યભિચારી ભક્તિ ચાલે છે. પછી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. તેમનાં પછી મોટા-મોટા
ચિત્ર બનાવે છે. પછી પાંડવો નાં મોટા-મોટા ચિત્ર બનાવે છે. આ બધાં પૂજાનાં માટે
ચિત્ર બનાવે છે. લક્ષ્મી ની પૂજા ૧૨ મહિનામાં એક વખત કરે છે. જગતઅંબા ની પૂજા રોજ
કરતાં રહે છે. આ પણ બાબાએ સમજાવ્યું છે તમારી ડબલ (બમણી) પૂજા થાય છે. મારી તો ફક્ત
આત્મા એટલે લિંગ ની જ થાય છે. તમારી સાલિગ્રામ નાં રુપ માં પણ પૂજા થાય છે અને પછી
દેવતાઓનાં રુપમાં પણ પૂજા થાય છે. રુદ્ર યજ્ઞ રચે છે તો કેટલાં સાલિગ્રામ બનાવે છે
તો કોણ મોટું થયું? ત્યારે બાબા બાળકોને નમસ્તે કરે છે. કેટલું ઉંચ પદ પ્રાપ્ત કરાવે
છે.
બાબા કેટલી ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવે છે, તો બાળકો ને કેટલી ખુશી હોવી જોઈએ. આપણને
ભગવાન ભણાવે છે ભગવાન-ભગવતી બનાવવા માટે. કેટલો ધન્યવાદ માનવો જોઈએ. બાપની યાદ માં
રહેવાથી સ્વપ્ન પણ સારા આવશે. સાક્ષાત્કાર પણ થશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનો
ઇશ્વરીય રુહાની બર્થ ડે મનાવવાનો છે, રુહાની કનેક્શન રાખવાનું છે, બ્લડ કનેક્શન નહીં.
આસુરી શરીર નો બર્થ ડે પણ કેન્સલ. તે પછી યાદ પણ ન આવે.
2. પોતાનાં બેગ-બેગેજ ભવિષ્ય માટે તૈયાર કરવાનાં છે. પોતાનાં પૈસા ભારત ને સ્વર્ગ
બનાવવાની સેવા માં સફળ કરવાનાં છે. પોતાનાં પુરુષાર્થ થી પોતાને રાજતિલક આપવાનું
છે.
વરદાન :-
સ્મૃતિ ની
સ્વીચ ઓન ( બટન ચાલું ) કરી સેકન્ડ માં અશરીરી સ્થિતિનો અનુભવ કરવાવાળા પ્રીત બુદ્ધિ
ભવ
જ્યાં પ્રભુ પ્રીત છે
ત્યાં અશરીરી બનવું એક સેકન્ડ ની રમત નાં સમાન છે. જેમ સ્વીચ ઓન કરતાં જ અંધકાર
સમાપ્ત થઈ જાય છે. એમ પ્રીત બુદ્ધિ બની સ્મૃતિ ની સ્વીચ ઓન કરો તો દેહ અને દેહની
દુનિયાની સ્મૃતિ ની સ્વીચ ઓફ થઈ જશે. આ સેકન્ડ ની રમત છે. મુખ થી બાબા કહેવામાં પણ
સમય લાગે છે પરંતુ સ્મૃતિ માં લાવવામાં સમય નથી લાગતો. આ બાબા શબ્દ જ જૂની દુનિયાને
ભૂલવાનો આત્મિક બોમ્બ છે.
સ્લોગન :-
દેહભાન ની માટી
નાં બોઝ થી પરે રહો તો ડબલ લાઈટ ફરિશ્તા બની જશો.