15-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવાં , જેનાથી તમે સૃષ્ટિ નાં આદિ - મધ્ય
- અંત ને જાણો છો ”
પ્રશ્ન :-
શેરની શક્તિઓ
જ કઈ વાત હિમ્મત ની સાથે સમજાવી શકે છે?
ઉત્તર :-
બીજા ધર્મ વાળાઓને આ વાત સમજાવવાની છે કે બાપ કહે છે તમે પોતાને આત્મા સમજો,
પરમાત્મા નહીં. આત્મા સમજીને બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે મુક્તિધામ
માં ચાલ્યાં જશો. પરમાત્મા સમજવાથી તમારા વિકર્મ વિનાશ નથી થઈ શકતાં. આ વાત ખુબ
હિમ્મત થી શેરની શક્તિઓ જ સમજાવી શકે છે. સમજાવવાનો પણ અભ્યાસ જોઈએ.
ગીત :-
નયન હીંન કો
રાહ દિખાઓ ...
ઓમ શાંતિ!
બાળકો અનુભવ
કરી રહ્યાં છે - રુહાની યાદની યાત્રા માં કઠણાઈ જોવામાં આવે છે. ભક્તિમાર્ગ માં
દર-દર ઠોકરો ખાવાની જ હોય છે. અનેક પ્રકાર નાં જપ-તપ-યજ્ઞ કરે, શાસ્ત્ર વગેરે વાંચે
છે, જે કારણે જ બ્રહ્મા ની રાત કહેવાય છે. અડધોકલ્પ રાત, અડધોકલ્પ દિવસ. બ્રહ્મા
એકલા તો નહીં હશે ને. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર તેમનાં બાળકો કુમાર-કુમારીઓ પણ
હશે. પરંતુ મનુષ્ય નથી જાણતાં. બાપ જ બાળકોને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે,
જેમનાથી તમને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન મળેલું છે. તમે કલ્પ પહેલાં પણ
બ્રાહ્મણ હતાં અને દેવતાં બન્યાં હતાં, જે બન્યાં હતાં તેજ પછી બનશે. આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ નાં તમે છો. તમે જ પૂજ્ય અને પૂજારી બનો છો. અંગ્રેજી માં પૂજ્ય ને
વર્શિપવર્ધી અને પૂજારી ને વર્શિપર કહેવાય છે. ભારત જ અડધોકલ્પ પૂજારી બને છે. આત્મા
માને છે અમે પૂજ્ય હતાં પછી અમે જ પૂજારી બન્યાં છીએ. પૂજ્ય થી પૂજારી પછી પૂજ્ય બને
છે. બાપ તો પૂજ્ય પૂજારી નથી બનતાં. તમે કહેશો અમે પૂજ્ય પાવન સો દેવી-દેવતા હતાં
પછી ૮૪ જન્મો નાં બાદ કમ્પ્લીટ (સંપૂર્ણ) પતિત પૂજારી બની જઈએ છીએ. હમણાં ભારતવાસી
જે આદિ સનાતન દેવી-દેવતાં ધર્મ વાળા હતાં, તેમને પોતાનાં ધર્મ ની કાંઈ પણ ખબર નથી.
તમારી આ વાતો ને બધાં ધર્મ વાળા નહીં સમજશે, જે આ ધર્મ નાં ક્યાંય કનવર્ટ (બદલી) થઈ
ગયાં હશે, એ જ આવશે. આવાં કનવર્ટ તો ઘણાં થઈ ગયાં છે. બાપ કહે છે જે શિવ અને
દેવતાઓનાં પુજારી છે, તેમને સહજ છે. અન્ય ધર્મ વાળા માથું ખપાવશે, જે કનવર્ટ હશે
તેમને ટચ (અનુભવ) થશે. અને આવીને સમજવાની કોશિશ કરશે. નહિં તો માનશે નહીં. આર્ય
સમાજ માંથી પણ ઘણાં આવેલાં છે. સિક્ખ લોકો પણ આવેલાં છે. આજે સનાતન દેવી-દેવતા ધર્મ
વાળા જે કનવર્ટ થઈ ગયાં છે, તેમને પોતાનાં ધર્મમાં જરુર આવવું પડશે. ઝાડમાં પણ
અલગ-અલગ સેક્શન (વિભાગ) છે. પછી આવશે પણ નંબરવાર. ડાળ-ડાળીઓ નીકળતી રહેશે. તે
પવિત્ર હોવાનાં કારણે તેમનો પ્રભાવ સારો નીકળે છે. આ સમયે દેવી-દેવતા ધર્મ નું
ફાઉન્ડેશન છે નહીં જે પછી લગાવવું પડે છે. બહેન-ભાઈ તો બનાવવા જ પડે. આપણે એક બાપનાં
બાળકો બધી આત્માઓ ભાઈ-ભાઈ છીએ. પછી ભાઈ-બહેન બનીએ છીએ. હવે જેમ કે નવી સૃષ્ટિની
સ્થાપના થઇ રહી છે, પહેલા-પહેલા છે બ્રાહ્મણ. નવી સૃષ્ટિની સ્થાપના માં પ્રજાપિતા
બ્રહ્મા તો જરુર જોઈએ. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ થશે. આને રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ
કહેવાય છે, આમાં બ્રાહ્મણ જરુર જોઈએ. પ્રજાપિતા બ્રહ્માની ઓલાદ (સંતાન) જરુર જોઈએ.
તે છે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. બ્રાહ્મણ છે પહેલા નંબર માં ચોટી વાળા. આદમ બીબી,
એડમ ઈવ ને માને પણ છે. આ સમયે તમે પૂજારી થી પૂજ્ય બની રહ્યાં છો. તમારું સૌથી સારું
યાદગાર મંદિર દેલવાડા મંદિર છે. નીચે તપસ્યા માં બેઠા છો, ઉપર માં રાજાઈ અને અહીંયા
તમે ચૈતન્ય માં બેઠા છો. આ મંદિર ખલાસ થઈ જશે પછી ભક્તિ માર્ગ માં બનશે.
તમે જાણો છો હમણાં આપણે રાજયોગ શીખી રહ્યાં છીએ પછી નવી દુનિયામાં જઈશું. તે જડ
મંદિર, તમે ચેતન્ય માં બેઠા છો. મુખ્ય મંદિર આ ઠીક બનેલું છે. સ્વર્ગ ને નહીં તો
ક્યાં દેખાડે, એટલે ઉપર માં સ્વર્ગ ને દેખાડ્યું છે. આનાં પર ખુબ સારું સમજાવી શકો
છો. બોલો, ભારત જ સ્વર્ગ હતું પછી હવે ભારત નર્ક છે. આ ધર્મ વાળા ઝટ સમજશે.
હિન્દુઓમાં પણ જોશો તો અનેક પ્રકાર નાં ધર્મો માં જઈને પડ્યાં છે. તમારે ખુબ મહેનત
કરવી પડે છે નીકાળવામાં. બાબાએ સમજાવ્યું છે સ્વયં ને આત્મા સમજી મામેકમ યાદ કરો,
બસ, બીજી કાંઈ વાત જ ન કરવી જોઈએ. જેમનો અભ્યાસ નથી, તેમને તો વાત કરવી પણ ન જોઈએ.
નહીં તો બી.કે. નું નામ બદનામ કરી દે છે. જો બીજા ધર્મવાળા છે તો સમજાવવું જોઈએ કે
જો તમે મુક્તિધામ માં જવા ઈચ્છો છો તો સ્વયં ને આત્મા સમજો, બાપ ને યાદ કરો. પોતાને
પરમાત્મા નહીં સમજો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરશો તો તમારા જન્મ-જન્માંતર નાં
પાપ કપાઈ જશે અને મુક્તિધામ માં ચાલ્યાં જશો. તમારાં માટે આ મનમનાભવ નો મંત્ર જ બસ
છે. પરંતુ વાત કરવાની હિમ્મત જોઈએ. શેરની શક્તિઓ જ સર્વિસ કરી શકે છે. સન્યાસી લોકો
બહાર જઈ ને વિલાયત વાળા ને લઈ આવે છે કે ચાલો તમને સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ
આપીએ. હવે તે બાપને તો જાણતાં જ નથી. બ્રહ્મ ને ભગવાન સમજી કહી દે છે, એને યાદ કરો.
બસ આ મંત્ર આપી દે છે, જેમ કોઇ પક્ષી ને પોતાનાં પાંજરામાં નાખી દે છે. તો આમ-આમ
સમજાવવા માં પણ સમય લાગે છે. બાબાએ કહ્યું હતું - દરેક ચિત્ર નાં ઉપર લખેલું હોય
શિવ ભગવાનુવાચ.
તમે જાણો છો આ દુનિયામાં ધણી વગર બધાં નિધન નાં છે. પોકારે છે તુમ માત - પિતા…..
અચ્છા તેનો અર્થ શું? એમ જ બોલતાં રહે તમારી કૃપા થી સુખ ઘનેરા. હવે બાપ તમને
સ્વર્ગ નાં સુખ માટે ભણાવી રહ્યાં છે, જેનાં માટે તમે પુરુષાર્થ કરી રહ્યાં છો. જે
કરશે તે પામશે. આ સમયે તો બધાં પતિત છે. પાવન દુનિયા તો એક સ્વર્ગ જ છે, અહીંયા કોઈ
પણ સતોપ્રધાન હોઈ ન શકે. સતયુગ માં જે સતોપ્રધાન હતાં, એ જ તમોપ્રધાન પતિત બની જાય
છે. ક્રાઈસ્ટની પાછળ જે તેમનાં ધર્મ વાળા આવે છે, તે તો પહેલાં સતોપ્રધાન હશે ને.
જ્યારે લાખો નાં અંદાજ માં થાઓ છો ત્યારે લશ્કર તૈયાર થાય છે, લડીને બાદશાહી લેવાં.
તેમને સુખ પણ ઓછું તો દુઃખ પણ ઓછું. તમારાં જેવું સુખ તો કોઈને મળી ન શકે. તમે હમણાં
તૈયાર થઈ રહ્યાં છો - સુખધામ માં આવવાં માટે. બાકી બધાં ધર્મ કોઈ સ્વર્ગ માં થોડી
આવે છે. ભારત જ્યારે સ્વર્ગ હતું તો તેનાં જેવો પાવન ખંડ કોઈ હોતો નથી. જ્યારે બાપ
આવે છે ત્યારે જ ઈશ્વરીય રાજ્ય સ્થાપન થાય છે. ત્યાં લડાઈ વગેરે ની વાત નથી.
લડવું-ઝઘડવું તો ખુબ પાછળ થી શરું થાય છે. ભારતવાસી એટલું નથી લડ્યાં. થોડુંક આપસ
માં લડીને અલગ થઈ ગયાં છે. દ્વાપર માં એક-બીજા પર ચડાઈ કરે છે. આ ચિત્ર વગેરે
બનાવવામાં પણ લાંબી બુદ્ધિ જોઈએ. આ પણ લખવું જોઈએ કે ભારત જે સ્વર્ગ હતું તે પછી
નર્ક જેવું કેવી રીતે બને છે, આવી ને સમજો. ભારત સદ્દગતિ માં હતું, હવે દુર્ગતિ માં
છે. હવે સદ્દગતિ ને પામવા માટે બાપ જ નોલેજ આપે છે. મનુષ્યોમાં આ રુહાની નોલેજ હોતું
નથી. આ હોય છે પરમપિતા પરમાત્મા માં. બાપ આ નોલેજ આપે છે આત્માઓને. બાકી તો બધાં
મનુષ્ય, મનુષ્યો ને જ આપે છે. શાસ્ત્ર પણ મનુષ્યોએ લખ્યાં છે, મનુષ્યોએ વાંચ્યા છે.
અહીંયા તો તમને રુહાની બાપ ભણાવે છે અને રુહ ભણે છે. ભણવાવાળી તો આત્મા છે ને. તે
લખવાં અને વાંચવા વાળા મનુષ્ય જ છે. પરમાત્મા ને શાસ્ત્ર વગેરે વાંચવાની દરકાર નથી.
બાપ કહે છે આ શાસ્ત્રો વગેરે થી કોઈ ની પણ સદ્દગતિ થઇ નથી સકતી. મારે જ આવીને બધાને
પાછાં લઈ જવાનાં છે. હમણાં તો દુનિયા માં કરોડો મનુષ્ય છે. સતયુગ માં જ્યારે આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો ત્યાં ૯ લાખ હોય છે. ખુબ નાનું ઝાડ હશે. પછી
વિચાર કરો આટલી બધી આત્માઓ ક્યાં ગઈ? બ્રહ્મ માં કે પાણી માં તો નથી લીન થઈ ગઈ. તે
બધી મુક્તિધામ માં રહે છે. દરેક આત્મા અવિનાશી છે. તેમનામાં અવિનાશી પાર્ટ નોંધાયેલો
છે જે ક્યારેય ભૂસાઈ નથી શકતો. આત્મા વિનાશ થઇ ન શકે. આત્મા તો બિંદી છે. બાકી
નિર્વાણ વગેરે માં કોઈ પણ જતું નથી, બધાએ પાર્ટ ભજવવાનો જ છે. જ્યારે બધી આત્માઓ આવી
જાય છે ત્યારે હું આવીને બધાને લઈ જાઉં છું. અંત માં છે જ બાપ નો પાર્ટ. નવી
દુનિયાની સ્થાપના પછી જૂની દુનિયાનો વિનાશ. આ પણ ડ્રામા માં નોંધ છે. તમે આર્યસમાજ
નાં ઝુંડ ને સમજાવશો તો એમાં જે કોઈ આ દેવતા ધર્મ નું હશે તેમને ટચ (સ્પર્શ) થશે.
બરાબર આ વાત તો ઠીક છે, પરમાત્મા સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે. ભગવાન તો બાપ છે,
એમનાથી વારસો મળે છે. કોઈ આર્ય સમાજી પણ તમારી પાસે આવે છે ને. તેમને જ સૈપલિંગ (કલમ)
કહેવાય છે. તમે સમજાવતાં રહો પછી તમારા કુળ નો જે હશે તે આવી જશે. ભગવાન બાપ જ પાવન
થવાની યુક્તિ બતાવે છે. ભગવાનુવાચ મામેકમ યાદ કરો. હું પતિત-પાવન છું, મને યાદ
કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે અને મુક્તિધામ માં આવી જશો. આ પૈગામ (સંદેશ) બધાં
ધર્મ વાળા માટે છે. બોલો, બાપ કહે છે દેહ નાં સર્વ ધર્મ છોડી મને યાદ કરો તો તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હું ગુજરાતી છું, ફલાણો છું - આ બધું છોડો. સ્વયં
ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. આ છે યોગ અગ્નિ. સંભાળી ને કદમ ઉઠાવવાનો છે. બધાં
નહીં સમજશે. બાપ કહે છે - પતિત-પાવન હું જ છું. તમે બધાં છો પતિત, નિર્વાણધામ માં
પણ પાવન થયાં વગર આવી ન શકાય. રચના નાં આદિ-મધ્ય-અંત ને પણ સમજવાનું છે. પૂરું
સમજવાથી જ ઉંચ પદ પામશો. થોડી ભક્તિ કરી હશે તો થોડું જ્ઞાન સમજશે. ખુબ ભક્તિ કરી
હશે તો ખુબ જ્ઞાન ઉઠાવશે. બાપ જે સમજાવે છે તેને ધારણ કરવાનું છે. વાનપ્રસ્થીઓ માટે
વધારે સહજ છે. ગૃહસ્થ વ્યવહાર થી કિનારો કરી લે છે. વાનપ્રસ્થ અવસ્થા ૬૦ વર્ષ નાં
પછી હોય છે. ગુરુ પણ ત્યારે કરે છે. આજકાલ તો નાનપણ માં જ ગુરુ કરાવી દે છે. નહીં
તો પહેલાં બાપ, પછી શિક્ષક પછી ૬૦ વર્ષનાં બાદ ગુરુ કરાય છે. સદ્દગતિ દાતા તો એક જ
બાપ છે, આ અનેક ગુરુ લોકો થોડી છે. આ તો બધી પૈસા કમાવવાની યુક્તિઓ છે, સદ્દગુરુ છે
જ એક - સૌની સદ્દગતિ કરવાવાળા. બાપ કહે છે હું તમને બધાં વેદો-શાસ્ત્રો નો સાર
સમજાવું છું. આ બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી. સીડી ઉતરવાની હોય છે. જ્ઞાન, ભક્તિ
પછી ભક્તિ નો છે વૈરાગ્ય. જ્યારે જ્ઞાન મળે છે ત્યારે જ ભક્તિ નો વૈરાગ્ય થાય છે. આ
જૂની દુનિયાથી તમને વૈરાગ્ય થાય છે. બાકી દુનિયાને છોડી ક્યાં જશો? તમે જાણો છો આ
દુનિયા જ ખતમ થવાની છે એટલે હવે બેહદની દુનિયાનો સન્યાસ કરવાનો છે. પવિત્ર બન્યાં
વગર ઘરે જઈ ન શકે. પવિત્ર બનવા માટે યાદની યાત્રા જોઈએ. ભારત માં લોહીની નદીઓ વહ્યાં
પછી દૂધ ની નદીઓ વહેશે. વિષ્ણુ ને પણ ક્ષીરસાગર માં દેખાડે છે. સમજાવાય છે - આ લડાઈ
થી મુક્તિ-જીવન મુક્તિ નાં ગેટ (દ્વાર) ખુલે છે. જેટલાં આપ બાળકો આગળ વધશો એટલો જ
અવાજ નીકળતો રહેશે. હવે લડાઈ લાગી કે લાગી. એક ચિનગારી થી જુઓ આ આગળ શું થયું હતું.
સમજે છે કે લડીશું જરુર. લડાઈ ચાલતી જ રહે છે. એક-બીજા નાં મદદગાર બનતાં રહે છે.
તમને પણ નવી દુનિયા જોઈએ તો જૂની દુનિયા જરુર ખતમ થવી જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયા હવે ખતમ થવાની છે એટલે આ દુનિયાનો સન્યાસ કરવાનો છે. દુનિયા ને છોડીને
ક્યાંય જવાનું નથી પરંતુ આને બુદ્ધિ થી ભૂલવાનું છે.
2. નિર્વાણધામ માં જવા માટે પૂરું પાવન બનવાનું છે. રચના નાં આદિ-મધ્ય-અંત ને પૂરું
સમજી ને નવી દુનિયા માં ઉંચ પદ પામવાનું છે.
વરદાન :-
અલબેલાપણા ની
નિંદ્રા ને તલાક આપવા વાળા નિદ્રાજીત , ચક્રવર્તી ભવ
સાક્ષાત્કાર મૂર્ત બની
ભક્તો ને સાક્ષાત્કાર કરાવવા માટે અથવા ચક્રવર્તી બનવા માટે નિદ્રાજીત બનો. જ્યારે
વિનાશ કાળ ભુલાય છે ત્યારે અલબેલાપણા ની નિંદર આવે છે. ભક્તો ની પોકાર સાંભળો, દુઃખી
આત્માઓનાં દુઃખની પોકાર સાંભળો, તરસી આત્માઓનો પ્રાર્થના નો અવાજ સાંભળો તો ક્યારેય
પણ અલબેલાપણા ની નિંદર નહીં આવશે. તો હવે સદા જાગતી જ્યોત બની અલબેલાપણા ની નિંદર
ને તલાક આપો અને સાક્ષાત્કાર મૂર્ત બનો.
સ્લોગન :-
તન-મન-ધન,
મન-વાણી-કર્મ - કોઈ પણ પ્રકાર થી બાપનાં કર્તવ્ય માં સહયોગી બનો તો સહજયોગી બની જશો.