11-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
ડ્રામા ની રમત એક્યુરેટ ચાલી રહી છે , જેમનો જે પાર્ટ જે ઘડી થવો જોઈએ , તે રીપિટ
થઇ રહ્યો છે , આ વાત યથાર્થ રીતે સમજવાની છે ”
પ્રશ્ન :-
આપ બાળકો નો
પ્રભાવ ક્યારે નીકળશે? હમણાં સુધી કઈ શક્તિ ની ખોટ છે?
ઉત્તર :-
જ્યારે યોગ માં મજબૂત થશો ત્યારે પ્રભાવ નીકળશે. હમણાં તે બળ નથી. યાદ થી જ શક્તિ
મળે છે. જ્ઞાન તલવાર માં યાદ નું બળ જોઈએ, જે હમણાં સુધી ઓછું છે. જો પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરતાં રહો તો બેડો પાર થઈ જશે. આ સેકન્ડ ની જ વાત છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
રુહાની બાપ બેસી સમજાવે છે. રુહાની બાપ એકને જ કહેવાય છે. બાકી બધી છે આત્માઓ. એમને
પરમ આત્મા કહેવાય છે. બાપ કહે છે હું પણ છું આત્મા. પરંતુ હું પરમ સુપ્રિમ સત્ય
છું. હું જ પતિત-પાવન, જ્ઞાન નો સાગર છું. બાપ કહે છે હું આવું જ છું ભારત માં,
બાળકોને વિશ્વનાં માલિક બનાવવાં. તમે જ માલિક હતાં ને. હવે સ્મૃતિ આવી છે. બાળકોને
સ્મૃતિ અપાવે છે - તમે પહેલા-પહેલા સતયુગ માં આવ્યાં પછી પાર્ટ ભજવતાં, ૮૪ જન્મ
ભોગવી હવે અંત માં આવી ગયાં છો. તમે પોતાને આત્મા સમજો. આત્મા અવિનાશી છે, શરીર
વિનાશી છે. આત્મા જ દેહની સાથે આત્માઓથી વાત કરે છે. આત્મ-અભિમાની થઈ ને નથી રહેતાં
તો જરુર દેહ-અભિમાન છે. હું આત્મા છું, આ બધાં ભૂલી ગયાં છે. કહે પણ છે પાપ આત્મા,
પુણ્ય આત્મા, મહાન આત્મા. તે પછી પરમાત્મા તો બની નથી શકતાં. કોઈ પણ પોતાને શિવ કહી
ન શકે. શરીરો ના શિવ નામ તો અનેકો નાં છે. આત્મા જ્યારે શરીર માં પ્રવેશ કરે છે તો
નામ પડે છે કારણ કે શરીર થી જ પાર્ટ ભજવવાનો હોય છે. તો મનુષ્ય પછી શરીર નાં ભાનમાં
આવી જાય છે, હું ફલાણો છું. હમણાં સમજે છે - હાં હું આત્મા છું. અમે ૮૪ નો પાર્ટ
ભજવ્યો છે. હવે હું આત્મા ને જાણી ગયો છું. હું આત્મા સતોપ્રધાન હતી, પછી હવે
તમોપ્રધાન બની છું. બાપ આવે જ ત્યારે છે જ્યારે બધી આત્માઓ પર કાટ લાગેલો હોય છે.
જેમ સોનામાં ખાદ પડે છે ને. તમે પહેલાં સાચું સોનું છો પછી ચાંદી, તાંબુ, લોઢું પડી
ને તમે બિલકુલ કાળા થઈ ગયા છો. આ વાત બીજું કોઈ સમજાવી ન શકે. બધાં કહી દે છે આત્મા
નિર્લેપ છે. ખાદ કેવી રીતે પડે છે, આ પણ બાપે સમજાવ્યું છે બાળકોને. બાપ કહે છે હું
આવું જ છું ભારત માં. જ્યારે બિલકુલ તમોપ્રધાન બની જાય છે, ત્યારે આવું છું.
એક્યુરેટ (નિશ્ચિત) સમય પર આવે છે. જેમ ડ્રામા માં એક્યુરેટ રમત ચાલે છે ને જે
પાર્ટ જે સમયે થવાનો હશે તે સમયે ફરી રિપીટ થશે, તેમાં જરા પણ ફર્ક પડી નથી શકતો.
તે છે હદનાં ડ્રામા, આ છે બેહદ નો ડ્રામા. આ બધી ખુબ મહીન (સુક્ષ્મ) સમજવાની વાતો
છે. બાપ કહે છે તમારો જે પાર્ટ ભજવાયો, તે ડ્રામા અનુસાર. કોઈ પણ મનુષ્ય માત્ર ન
રચયિતા ને, ન રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે? ઋષિ-મુનિ પણ નેતી-નેતી કરતા ગયાં.
હવે તમારાથી કોઈ પૂછે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો? તો તમે ઝટ કહેશો
હાં, તે પણ તમે ફક્ત હમણાં જ જાણી શકો છો પછી ક્યારેય નહીં. બાબાએ સમજાવ્યું છે તમે
જ મુજ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. અચ્છા, આ લક્ષ્મી-નારાયણ નું
રાજ્ય ક્યારે હશે, આ જાણતા હશે? ના, આમનામાં કોઈ જ્ઞાન નથી. આ તો વન્ડર છે. તમે કહો
છો અમારા માં જ્ઞાન છે, આ પણ તમે સમજો છો. બાપ નો પાર્ટ જ એક વખત નો છે. તમારો
લક્ષ્ય અને હેતુ જ છે - આ લક્ષ્મી-નારાયણ બનવાનો. બની ગયાં પછી તો ભણતર ની દરકાર નહીં
રહેશે. બૅરિસ્ટર બની ગયાં તો બની ગયાં. બાપ જે ભણાવવા વાળા છે એમને તો યાદ કરવા
જોઈએ. તમને બધું સહજ કરી આપ્યું છે. બાબા વારંવાર તમને કહે છે પહેલાં પોતાને આત્મા
સમજો. હું બાબા નો છું. પહેલા તમે નાસ્તિક હતાં, હવે આસ્તિક બન્યાં છો. આ
લક્ષ્મી-નારાયણે પણ આસ્તિક બનીને જ આ વારસો લીધો છે, જે હમણાં તમે લઈ રહ્યાં છો.
હમણાં તમે આસ્તિક બની રહ્યાં છો. આસ્તિક-નાસ્તિક આ અક્ષર આ સમય નાં છે. ત્યાં આ
અક્ષર જ નથી. પૂછવાની વાત જ નથી રહી શકતી. અહીંયા પ્રશ્ન ઉઠે છે ત્યારે તો પૂછે છે
- રચતા અને રચના ને જાણો છો? તો કહી દે છે ના.બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે અને
રચના નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. બાપ છે બેહદ નાં માલિક રચતા. બાળકોને
સમજાવ્યું છે બીજા ધર્મ સ્થાપક પણ અહીંયા જરુર આવે છે. તમને સાક્ષાત્કાર કરાવ્યો હતો
- ઈબ્રાહીમ, ક્રાઈસ્ટ વગેરે કેવી રીતે આવે છે. તે તો અંત માં જ્યારે ખુબ અવાજ નીકળશે
ત્યારે આવશે. બાપ કહે છે - બાળકો, દેહ સહિત દેહનાં સર્વ ધર્મો ને ત્યાગી મને યાદ કરો.
હમણાં તમે સમ્મુખ બેઠા છો. પોતાને દેહ નથી સમજવાનું, હું આત્મા છું. પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરતાં રહો તો બેડો પાર થઈ જશે. સેકન્ડ ની વાત છે. મુક્તિ માં જવા
માટે જ ભક્તિ અડધોકલ્પ કરે છે. પરંતુ કોઈ પણ આત્મા પાછી જઈ નથી શકતી.
૫ હજાર વર્ષ પહેલાં પણ બાપે આ સમજાવ્યું હતું, હમણાં પણ સમજાવે છે. શ્રીકૃષ્ણ આ વાતો
સમજાવી ન શકે. તેમને બાપ પણ નહીં કહેશે. બાપ છે લૌકિક, અલૌકિક અને પારલૌકિક. હદ નાં
બાપ લૌકિક, બેહદ નાં બાપ છે - પારલૌકિક, આત્માઓ નાં. અને એક આ છે સંગમયુગી વન્ડરફુલ
બાપ, આમને અલૌકિક કહેવાય છે. પ્રજાપિતા બ્રહ્મા ને કોઈ યાદ જ નથી કરતું. તે આપણા
ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ફાધર છે, આ બુદ્ધિ માં નથી આવતું. કહે પણ છે આદિ દેવ, એડમ……
પરંતુ કહેવા માત્ર. મંદિરોમાં પણ આદિદેવ નાં ચિત્ર છે ને. તમે ત્યાં જશો તો સમજશો આ
તો અમારું યાદગાર છે. બાબા પણ બેઠાં છે, આપણે પણ બેઠા છીએ. અહીંયા બાપ ચૈતન્ય માં
બેઠાં છે, ત્યાં જડ ચિત્ર રાખ્યાં છે. ઉપર માં સ્વર્ગ પણ ઠીક છે, જેમણે મંદિર જોયું
છે તે જાણે છે કે બાબા અમને હવે ચૈતન્યમાં રાજયોગ શીખવાડી રહ્યાં છે. પછી પાછળ થી
મંદિર બનાવે છે. આ સ્મૃતિ માં આવવું જોઈએ કે આ બધાં આપણા યાદગાર છે. આ
લક્ષ્મી-નારાયણ હવે આપણે બની રહ્યાં છીએ. હતાં, પછી સીડી ઉતરતા આવ્યાં છીએ, હવે ફરી
આપણે ઘરે જઈને રામરાજ્ય માં આવીશું. પછી થાય છે રાવણરાજ્ય પછી આપણે વામમાર્ગ માં
ચાલ્યા જઈએ છીએ. બાપ કેટલું સારી રીતે સમજાવે છે-આ સમયે બધાં મનુષ્ય માત્ર પતિત છે
એટલે પોકારે છે - હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. દુઃખ હરીને સુખ નો રસ્તો
બતાવો. કહે પણ છે ભગવાન જરુર કોઈ વેષ માં આવી જશે. હવે કુતરા-બિલાડી, ઠીકકર-ભિત્તર
વગેરે માં તો નહિં આવશે. ગવાયેલું છે ભાગ્યશાળી રથ પર આવે છે. બાપ સ્વયં કહે છે હું
આ સાધારણ રથ માં પ્રવેશ કરું છું. આ પોતાનાં જન્મો ને નથી જાણતાં, તમે હમણાં જાણો
છો. આમનાં અનેક જન્મોનાં અંત માં જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે હું પ્રવેશ
કરું છું. ભક્તિમાર્ગ માં પાંડવો નાં ખુબ મોટા-મોટા ચિત્ર બનાવ્યાં છે, રંગૂન માં
બુદ્ધ નું પણ ખુબ મોટું ચિત્ર છે. આટલાં મોટા કોઈ મનુષ્ય થોડી હોય છે. બાળકોને તો
હવે હસવું આવતું હશે, રાવણ નું ચિત્ર કેવું બનાવ્યું છે. દિવસ-પ્રતિદિવસ મોટું કરતાં
જાય છે. આ શું વસ્તુ છે, જે દર વર્ષે બાળે છે. એવો કોઈ દુશ્મન હશે! દુશ્મનનું જ
ચિત્ર બનાવીને બાળે છે. અચ્છા, રાવણ કોણ છે, ક્યારે દુશ્મન બન્યો છે જે દર વર્ષે
બાળતા આવે છે? આ દુશ્મન ની કોઈને પણ ખબર નથી. તેનો અર્થ કોઈ બિલકુલ નથી જાણતું. બાપ
સમજાવે છે આ છે જ રાવણ સંપ્રદાય, તમે છો રામ સંપ્રદાય. હવે બાપ કહે છે - ગૃહસ્થ
વ્યવહાર માં રહેતા કમળ ફૂલ સમાન બનો અને મને યાદ કરતાં રહો. કહે છે બાબા હંસ અને
બગલા ભેગા કેવી રીતે રહી શકીએ, ખિટ-ખિટ થાય છે. એ તો જરુર થશે, સહન કરવું પડશે. આમાં
ખુબ યુક્તિઓ પણ છે. બાપને કહેવાય છે રાન્ઝું રમજબાજ. બધાં એમને યાદ કરે છે ને - હેં
ભગવાન દુઃખ હરો, રહેમ કરો, લિબરેટ (મુક્ત) કરો. એ લિબરેટર (મુક્તિદાતા) બાપ બધાનાં
એક જ છે. તમારી પાસે કોઈ પણ આવે છે તો તેમને અલગ-અલગ સમજાવો, કરાંચી માં એક-એક ને
અલગ-અલગ બેસી સમજાવતાં હતાં.
આપ બાળકો જ્યારે યોગ માં મજબૂત થઈ જશો તો પછી તમારો પ્રભાવ નીકળશે. હમણાં હજું તે
બળ નથી. યાદ થી શક્તિ મળે છે. ભણતર થી શક્તિ નથી મળતી. જ્ઞાન તલવાર છે, તેમાં યાદનું
બળ ભરવાનું છે. તે શક્તિ ઓછી છે. બાપ રોજ કહેતા રહે છે - બાળકો, યાદની યાત્રા માં
રહેવાથી તમને તાકાત મળશે. ભણતર માં એટલી તાકાત નથી. યાદ થી તમે આખાં વિશ્વનાં માલિક
બનો છો. તમે પોતાનાં માટે જ બધું કરો છો. ઘણાં આવ્યાં પછી ગયાં. માયા પણ દુશ્તર છે.
વધારે નથી આવતાં, કહે છે જ્ઞાન તો ખુબ સારું છે, ખુશી પણ થાય છે. બહાર ગયા ખલાસ. જરા
પણ ઠરવા નથી દેતી. કોઈ-કોઈને ખુબ ખુશી થાય છે. ઓહો! હવે બાબા આવ્યાં છે, અમે તો
ચાલ્યા પોતાનાં સુખધામ. બાપ કહે છે-હમણાં પૂરી રાજધાની સ્થાપન જ ક્યાં થઈ છે. તમે આ
સમયે છો ઈશ્વરીય સંતાન પછી બનશો દેવતા. ડિગ્રી ઓછી થઈ ગઈ ને. મીટર માં પોઇન્ટ હોય
છે, આટલાં પોઇન્ટ ઓછાં. તમે હમણાં એકદમ ઉંચ બનો છો પછી ઓછું થતાં-થતાં નીચે આવી જાઓ
છો. સીડી નીચે ઉતરવાની જ છે. હવે તમારી બુદ્ધિમાં સીડી નું જ્ઞાન છે. ચઢતી કળા,
સર્વ નું ભલુ. પછી ધીરે-ધીરે ઉતરતી કળા થાય છે. શરુથી લઈને આ ચક્રને સારી રીતે
સમજવાનું છે. આ સમયે તમારી ચઢતી કળા થાય છે કારણ કે બાપ સાથે છે ને. ઈશ્વર જેમને
મનુષ્ય સર્વવ્યાપી કહી દે છે, એ બાબા મીઠા-મીઠા બાળકો કહેતાં રહે છે અને બાળકો પછી
બાબા-બાબા કહેતાં રહે છે. બાબા આપણને ભણાવવા આવ્યાં છે, આત્મા ભણે છે. આત્મા જ કર્મ
કરે છે. હું આત્મા શાંત સ્વરુપ છું. આ શરીર દ્વારા કર્મ કરું છું. અશાંત અક્ષર જ
ત્યારે કહેવાય છે જ્યારે દુઃખ થાય છે. બાકી શાંતિ તો આપણો સ્વધર્મ છે. ઘણાં કહે છે
મનની શાંતિ મળે. અરે આત્મા તો સ્વયં શાંત સ્વરુપ છે, તેમનું ઘર જ છે શાંતિધામ. તમે
પોતાને ભૂલી ગયા છો. તમે તો શાંતિધામ નાં રહેવા વાળા હતાં, શાંતિ ત્યાં જ મળશે.
આજકાલ કહે છે એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા હોય. વન કાસ્ટ, વન રિલિજિન, વન ગોડ. હવે
ગવર્મેન્ટ (સરકાર) લખે પણ છે વન ગોડ (ભગવાન એક) છે, પછી સર્વવ્યાપી કેમ કહે છે? વન
ગોડ તો કોઈ માનતું જ નથી. તો હવે તમારે પછી આ લખવાનું છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર
બનાવો છો, ઉપર માં લખી દો સતયુગ માં જ્યારે આમનું રાજ્ય હતું તો એક ભગવાન, એક દૈવી
ધર્મ હતો. પરંતુ મનુષ્ય કાંઈ સમજતાં નથી, અટેન્શન (ધ્યાન) નથી આપતાં. અટેન્શન તેમનું
જશે જે આપણા બ્રાહ્મણ કુળ નાં હશે. બીજા કોઈ નહીં સમજશે એટલે બાબા કહે છે અલગ-અલગ
બેસાડો પછી સમજાવો. ફોર્મ ભરાવો તો ખબર પડશે કારણ કે કોઈ કોને માનવાવાળા હશે, કોઈ
કોને. બધાંને સાથે કેવી રીતે સમજાવશો. પોતા-પોતાની વાત સંભળાવવા લાગી જશે.
પહેલા-પહેલા તો પૂછવું જોઈએ ક્યાં આવ્યાં છો? બી.કે. નું નામ સાંભળ્યું છે?
પ્રજાપિતા બ્રહ્મા તમારા શું લાગે છે? ક્યારેય નામ સાંભળ્યું છે? તમે પ્રજાપિતા
બ્રહ્માની સંતાન નથી, અમે તો પ્રેક્ટિકલ માં છીએ. છો તમે પણ પરંતુ સમજતાં નથી.
સમજાવવાની ખુબ જ યુક્તિ જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મંદિરો
વગેરે ને જોતાં સદા આ જ સ્મૃતિ રહે કે આ બધાં આપણા જ યાદગાર છે. હવે આપણે આવાં
લક્ષ્મી-નારાયણ બની રહ્યાં છીએ.
2. ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે. હંસ અને બગલા સાથે છે તો
ખુબ યુક્તિ થી ચાલવાનું છે. સહન પણ કરવાનું છે.
વરદાન :-
માયા નાં બંધનો
થી સદા નિર્બન્ધન રહેવા વાળા યોગયુક્ત , બંધનમુક્ત ભવ
બંધનમુક્ત ની નિશાની
છે સદા યોગયુક્ત. યોગયુક્ત બાળકો જવાબદારીઓનાં બંધન કે માયાનાં બંધન થી મુક્ત હશે.
મનનું પણ બંધન ન હોય. લૌકિક જવાબદારી તો રમત છે, એટલે ડાયરેક્શન (માર્ગદર્શન)
પ્રમાણે રમત ની રીતે હસીને રમો તો ક્યારેય નાની-નાની વાતો માં થાકશો નહીં. જો બંધન
સમજો છો તો હેરાન થાઓ છો. શું, કેમ નો પ્રશ્ન ઉઠે છે. પરંતુ જવાબદાર બાપ છે તમે
નિમિત્ત છો. આ સ્મૃતિ થી બંધનમુક્ત બનો તો યોગયુક્ત બની જશો.
સ્લોગન :-
કરનકરાવનહાર
ની સ્મૃતિ થી ભાન અને અભિમાન ને સમાપ્ત કરો.