27-09-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  27.03.86    બાપદાદા મધુબન


“ સદા નાં સ્નેહી બનો ”
 


આજે સ્નેહ નાં સાગર બાપ પોતાનાં સ્નેહી બાળકો થી મળવા માટે આવ્યાં છે. આ રુહાની સ્નેહ દરેક બાળકને સહજયોગી બનાવી દે છે. આ સ્નેહ આખાં જૂનાં સંસાર ને સહજ ભૂલાવવાનું સાધન છે. આ સ્નેહ દરેક આત્માને બાપનાં બનાવવામાં એકમાત્ર શક્તિશાળી સાધન છે. સ્નેહ બ્રાહ્મણ જીવન નું ફાઉન્ડેશન (પાયો) છે. સ્નેહ શક્તિશાળી જીવન બનાવવાનું, પાલના નો આધાર છે. સર્વ જે પણ શ્રેષ્ઠ આત્માઓ બાપ ની પાસે સમ્મુખ પહોંચી છે, તે સર્વ નાં પહોંચવાનો આધાર પણ સ્નેહ છે. સ્નેહ ની પાંખો થી ઉડતાં આવીને મધુવન નિવાસી બને છે. બાપદાદા સર્વ સ્નેહી બાળકોને જોઈ રહ્યાં હતાં કે સ્નેહી તો બધાં બાળકો છે પરંતુ અંતર શું છે! નંબરવાર કેમ બને છે, કારણ? સ્નેહી બધાં છે પરંતુ કોઈ છે સદા સ્નેહી અને કોઈ છે સ્નેહી. અને ત્રીજા છે સમય પ્રમાણે સ્નેહ નિભાવવા વાળા. બાપદાદાએ ત્રણ પ્રકાર નાં સ્નેહી જોયાં.

જે સદા સ્નેહી છે તે લવલીન (પ્રેમ માં મગન) હોવાનાં કારણે મહેનત અને મુશ્કેલી થી સદા ઊંચા રહે છે. ન મહેનત કરવી પડે, ન મુશ્કેલી નો અનુભવ થાય કારણ કે સદા સ્નેહી હોવાનાં કારણે તેમની આગળ પ્રકૃતિ અને માયા બંને હમણાં થી દાસી બની જાય અર્થાત્ સદા સ્નેહી આત્મા માલિક બની જાય તો પ્રકૃતિ, માયા સ્વત: જ દાસી રુપ માં આવી જાય. પ્રકૃતિ, માયા ની હિમ્મત નથી જે સદા સ્નેહી નો સમય કે સંકલ્પ પોતાની તરફ કરે. સદા સ્નેહી આત્માઓનો દરેક સમય, દરેક સંકલ્પ છે જ બાપ ની યાદ અને સેવા નાં પ્રતિ એટલે પ્રકૃતિ અને માયા પણ જાણે છે કે આ સદા સ્નેહી બાળકો સંકલ્પ થી પણ ક્યારેય અમારા અધીન નથી થઈ શકતાં. સર્વ શક્તિઓની અધિકારી આત્માઓ છે. સદા સ્નેહી આત્માની સ્થિતિ નું જ ગાયન છે. એક બાપ બીજું ન કોઈ. બાપ જ સંસાર છે.

બીજો નંબર :- સ્નેહી આત્માઓ, સ્નેહ માં રહે જરુર છે પરંતુ સદા ન હોવાનાં કારણે ક્યારેક-ક્યારેક મન નાં સંકલ્પ દ્વારા પણ ક્યાંય બીજી તરફ સ્નેહ જાય છે. ખુબ થોડું વચ્ચે-વચ્ચે સ્વયંને પરિવર્તન કરવાનાં કારણે ક્યારેક મહેનત નો, ક્યારેક મુશ્કેલી નો અનુભવ કરે. પરંતુ ખુબ થોડોક. જ્યારે પણ કોઈ પ્રકૃતિ કે માયાનો સૂક્ષ્મ વાર થઈ જાય છે તો તે સમયે સ્નેહનાં કારણે યાદ જલ્દી આવી જાય છે અને યાદની શક્તિ થી પોતાને ખુબ જ જલ્દી પરિવર્તન પણ કરી લે છે. પરંતુ થોડોક સમય અને છતાં પણ સંકલ્પ મુશ્કેલ અથવા મહેનત માં લાગી જાય છે. ક્યારેક-ક્યારેક સ્નેહ સાધારણ થઈ જાય. ક્યારેક-ક્યારેક સ્નેહ માં લવલીન રહે. સ્ટેજ (અવસ્થા) માં ફરક પડતો રહે. પરંતુ છતાં પણ વધારે સમય અથવા સંકલ્પ વ્યર્થ નથી જતો એટલે સ્નેહી છે પરંતુ સદા સ્નેહી ન હોવાનાં કારણે સેકન્ડ (બીજો) નંબર થઈ જાય.

ત્રીજા છે :- સમય પ્રમાણે સ્નેહ નિભાવવા વાળા. એવી આત્માઓ સમજે છે કે સાચ્ચો સ્નેહ સિવાય બાપનાં બીજા કોઈ થી મળી નથી શકતો અને આ જ રુહાની સ્નેહ સદા નાં માટે શ્રેષ્ઠ બનાવવા વાળો છે. જ્ઞાન અર્થાત્ સમજ પૂરી છે અને આ જ સ્નેહી જીવન પ્રિય પણ લાગે છે. પરંતુ કોઈ પોતાનાં દેહનાં લગાવ નાં સંસ્કાર અથવા કોઈ પણ વિશેષ જૂનાં સંસ્કાર અથવા કોઈ વ્યક્તિ કે વસ્તુ નાં સંસ્કાર અથવા વ્યર્થ સંકલ્પો નાં સંસ્કાર વશ કંટ્રોલિંગ પાવર ન હોવાનાં કારણે વ્યર્થ સંકલ્પો નો બોજ છે. અથવા સંગઠન ની શક્તિની ખોટ હોવાનાં કારણે સંગઠનમાં સફળ નથી થઈ શકતાં. સંગઠન ની પરિસ્થિતિ સ્નેહ ને સમાપ્ત કરી પોતાની તરફ ખેંચી લે છે. અને કોઈ સદા જ દિલ-શિકસ્ત જલ્દી થાય છે. હમણાં-હમણાં ખુબ સારા ઉડતાં હશે અને હમણાં-હમણાં જુઓ તો પોતાને પોતાથી જ દિલશિકસ્ત. આ સ્વયં થી દિલશિકસ્ત થવાનાં સંસ્કાર પણ સદા સ્નેહી બનવા નથી દેતાં. કોઈને કોઈ પ્રકાર નાં સંસ્કાર પરિસ્થિતિની તરફ, પ્રકૃતિની તરફ આકર્ષિત કરી દે છે. અને જ્યારે હલચલ માં આવી જાય છે તો સ્નેહ નો અનુભવ હોવાનાં કારણે, સ્નેહી જીવન પ્રિય લાગવાનાં કારણે પછી બાપ ની યાદ આવે છે. પ્રયત્ન કરે છે કે હમણાં ફરી થી બાપનાં સ્નેહ માં સમાઈ જઈએ. તો સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે હલચલ માં આવવાનાં કારણે ક્યારેક યાદ કરે છે, ક્યારેક યુદ્ધ કરે છે. યુદ્ધ વાળું જીવન વધારે હોય અને સ્નેહ માં સમાવવા વાળું જીવન તેનાં અંતરમાં ઓછું હોય છે એટલે ત્રીજો નંબર બની જાય છે. છતાં પણ વિશ્વની સર્વ આત્માઓથી ત્રીજો નંબર પણ અતિ શ્રેષ્ઠ જ કહેશું કારણ કે બાપ ને ઓળખ્યાં, બાપનાં બન્યાં, બ્રાહ્મણ પરિવાર નાં બન્યાં. ઊંચે થી ઊંચી બ્રાહ્મણ આત્માઓ બ્રહ્માકુમાર, બ્રહ્માકુમારી કહેવાઓ એટલે દુનિયાનાં અંતરમાં તે પણ શ્રેષ્ઠ આત્માઓ છે. પરંતુ સંપૂર્ણતા નાં અંતર માં ત્રીજો નંબર છે. તો સ્નેહી બધાં છે પરંતુ નંબરવાર છે. નંબરવન સદા સ્નેહી આત્માઓ સદા કમળ પુષ્પ સમાન ન્યારી અને બાપની અતિ પ્યારી છે. સ્નેહી આત્માઓ ન્યારી છે પ્યારી પણ છે પરંતુ બાપ સમાન શક્તિશાળી વિજયી નથી. લવલીન નથી પરંતુ સ્નેહી છે. તેમનું વિશેષ આ જ સ્લોગન (મંત્ર) છે - તમારા છીએ, તમારા રહીશું. સદા આ ગીત ગાતાં રહે. તો પણ સ્નેહ છે એટલે ૮૦ ટકા સેફ (સુરક્ષિત) રહે છે. પરંતુ છતાં પણ ક્યારેક-ક્યારેક શબ્દ આવી જાય. સદા શબ્દ નથી આવતો. અને ત્રીજા નંબર વાળી આત્માઓ ઘડી-ઘડી સ્નેહ નાં કારણે પ્રતિજ્ઞાઓ પણ સ્નેહ થી કરતાં રહે. બસ હવે થી આવું બનવું છે. હવે થી આ કરીશું કારણ કે અંતર તો જાણે છે ને. પ્રતિજ્ઞા પણ કરે, પુરુષાર્થ પણ કરે પરંતુ કોઇને કોઇ વિશેષ જૂનાં સંસ્કાર લગન માં મગન રહેવા નથી દેતાં. વિઘ્ન મગન અવસ્થા થી નીચે લઈ આવે એટલે સદા શબ્દ નથી આવી શકતો પરંતુ ક્યારેક કાંઈ, ક્યારેક કાંઈ હોવાનાં કારણે કોઇને કોઇ વિશેષ કમજોરી રહી જાય છે. એવી આત્માઓ બાપદાદાની આગળ રુહરુહાન પણ ખુબ મીઠી કરે છે. હુજ્જત (ઉત્સાહ) ખુબ દેખાડે છે. કહે છે ડાયરેક્શન (માર્ગદર્શન) તો તમારું છે, પરંતુ અમારી તરફ થી કરો પણ તમે અને પામીએ અમે. હુજ્જત થી સ્નેહ થી કહે જ્યારે તમે પોતાનાં બનાવ્યાં છે તો તમે જ જાણો. બાપ કહે છે બાપ તો જાણે પરંતુ બાળકો માને તો ખરા. પરંતુ બાળકો હુજ્જત થી એ જ કહે કે અમે માનીએ કે ન માનીએ તમારે માનવું જ પડશે. તો બાપ ને તો પણ બાળકો પર રહેમ આવે છે કે છે તો બ્રાહ્મણ બાળકો એટલે સ્વયં પણ નિમિત્ત બનેલી આત્માઓ દ્વારા વિશેષ શક્તિ આપે છે. પરંતુ કોઈ શક્તિ લઈને બદલાઈ પણ જાય અને કોઈ શક્તિ મળતાં પણ પોતાનાં સંસ્કારો માં મસ્ત હોવાનાં કારણે શક્તિ ને ધારણ નથી કરી શકતાં. જેમ કોઇ તાકાત ની વસ્તુ ખવડાવો અને તે ખાય જ નહીં, તો શું કરશું!

બાપ વિશેષ શક્તિ આપે પણ છે અને કોઈ-કોઈ ધીરે-ધીરે શક્તિશાળી બનતા-બનતા ત્રીજા નંબર થી બીજા નંબર માં આવી પણ જાય છે. પરંતુ કોઈ-કોઈ ખુબ અલબેલા હોવાનાં કારણે જેટલું લેવું જોઈએ એટલું નથી લઈ શકતાં. ત્રણેય પ્રકાર નાં સ્નેહી બાળકો છે. ટાઈટલ બધાનું સ્નેહી બાળકો છે પરંતુ નંબરવાર છે.

આજે જર્મની વાળાઓનો ટર્ન છે. આખું જ ગ્રુપ નંબરવન છે ને. નંબરવન સમીપ રત્ન છે કારણ કે જે સમાન હોય છે તે જ સમીપ રહે છે. શરીર થી ભલે કેટલાં પણ દૂર હોય પરંતુ દિલ થી એટલાં નજીક છે જે રહે જ દિલ માં છે. સ્વયં બાપ નાં દિલતખ્ત પર રહે છે તેમનાં દિલ માં સ્વતઃ જ બાપ નાં સિવાય બીજું કોઈ નથી કારણ કે બ્રાહ્મણ જીવન માં બાપે દિલ નો જ સોદો કર્યો છે. દિલ લીધું અને દિલ આપ્યું. દિલનો સોદો કર્યો છે ને. દિલ થી બાપનાં સાથે રહો છો. શરીર થી તો કોઈ ક્યાં, કોઈ ક્યાં રહે. બધાને અહીંયા રાખે તો શું બેસીને કરશે! સેવાનાં માટે તો મધુબન માં સાથે રહેવાવાળા ને પણ બહાર મોકલવા પડ્યાં. નહીં તો વિશ્વની સેવા કેવી રીતે થાત. બાપ થી પણ પ્રેમ છે તો સેવા થી પણ પ્રેમ છે એટલે ડ્રામા અનુસાર ભિન્ન-ભિન્ન સ્થાનો પર પહોંચી ગયાં છો અને ત્યાંની સેવાનાં નિમિત્ત બની ગયાં છો. તો આ પણ ડ્રામામાં પાર્ટ નોંધાયેલો છે. પોતાનાં હમજીન્સ ની સેવાનાં નિમિત્ત બની ગયાં. જર્મની વાળા સદા ખુશ રહેવા વાળા છે ને. જ્યારે બાપ થી સદા નો વારસો આટલો સહજ મળી રહ્યો છે તો સદા ને છોડી થોડોક કે ક્યારેક-ક્યારેક નો કેમ લઈએ! દાતા આપી રહ્યાં છે તો લેવાવાળા ઓછું કેમ લે એટલે સદા ખુશીનાં ઝૂલામાં ઝુલતાં રહો. સદા માયાજીત, પ્રકૃતિજીત વિજયી બની વિજય નાં નગારાં વિશ્વ ની આગળ જોર-શોર થી વગાડો.

આજકાલ ની આત્માઓ વિનાશી સાધનો માં અથવા તો ખુબ મસ્ત નશા માં ચૂર છે અને કાં તો દુઃખ અશાંતિ થી થાકેલાં એવી ગહેરી નિંદ્રામાં સૂતેલાં છે જે નાનો અવાજ સાંભળવા વાળા નથી. નશા માં જે ચૂર હોય છે તેમને હલાવવા પડે છે. ગહેરી નિંદ્રાવાળા ને પણ હલાવીને ઉઠાડવા પડે છે. તો હેમ્બર્ગ વાળા શું કરી રહ્યાં છે? સરસ જ શક્તિશાળી ગ્રુપ છે. બધાની બાપ અને ભણતર થી પ્રીત સારી છે. જેમની ભણતર થી પ્રીત છે તે સદા શક્તિશાળી રહે. બાપ અર્થાત્ મુરલીધર થી પ્રીત એટલે મુરલી થી પ્રીત. મુરલી થી પ્રીત નથી તો મુરલીધર થી પણ પ્રીત નથી. કેટલું પણ કોઈ કહે કે મને બાપ થી પ્રેમ છે પરંતુ ભણવાં માટે સમય નથી. બાપ નથી માનતાં. જ્યાં લગન હોય છે ત્યાં કોઈ વિઘ્ન રહી નથી શકતાં. સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. ભણતર ની પ્રીત, મુરલી થી પ્રીત વાળા, વિઘ્નો ને સહજ પાર કરી લે છે. ઉડતી કળા દ્વારા સ્વયં ઊંચા થઈ જાય. વિઘ્ન નીચે રહી જાય. ઉડતી કળા વાળા માટે પહાડ પણ એક પત્થર સમાન છે. ભણતર થી પ્રીત રાખવા વાળાઓ માટે બહાનું કોઈ નથી હોતું. પ્રીત, મુશ્કેલી ને સહજ કરી દે છે. એક મુરલી થી પ્રેમ, ભણતર થી પ્રેમ અને પરિવાર નો પ્રેમ કિલ્લો બની જાય છે. કિલ્લા માં રહેવાવાળા સેફ (સુરક્ષિત) થઇ જાય છે. આ ગ્રુપને આ બંને વિશેષતાઓ આગળ વધારી રહી છે. ભણતર અને પરિવાર નાં પ્રેમનાં કારણે એકબીજા ને પ્રેમ નાં પ્રભાવ થી સમીપ બનાવી દે છે. અને પછી નિમિત્ત આત્મા (પુષ્પાલ) પણ પ્રેમવાળી મળી છે. સ્નેહ, ભાષા ને પણ નથી જોતો. સ્નેહ ની ભાષા બધી ભાષાઓથી શ્રેષ્ઠ છે. બધાં તેમને યાદ કરી રહ્યાં છે. બાપદાદા ને પણ યાદ છે. સારું જ પ્રત્યક્ષ પ્રમાણ જોઈ રહ્યાં છે. સેવાની વૃદ્ધિ થઈ રહી છે. જેટલી વૃદ્ધિ કરતાં રહેશે એટલાં મહાન પુણ્ય આત્મા બનવાનું ફળ સર્વ નાં આશીર્વાદ પ્રાપ્ત થતાં રહેશે. પુણ્ય આત્મા જ પૂજ્ય આત્મા બને છે. હમણાં પુણ્ય આત્મા નથી તો ભવિષ્ય માં પૂજ્ય આત્મા નહીં બની શકો. પુણ્ય આત્મા બનવું પણ જરુરી છે. અચ્છા!

અવ્યક્ત મુરલીઓ થી પસંદ કરેલાં પ્રશ્ન - ઉત્તર

પ્રશ્ન :- બ્રાહ્મણ જીવન નો વિશેષ ગુણ, શ્રુંગાર અથવા ખજાનો કયો છે?

જવાબ :- “સંતુષ્ટતાં”. જેમ કોઈ પ્રિય વસ્તુ હોય છે તો પ્રિય વસ્તુ ને ક્યારે છોડતાં નથી, સંતુષ્ટતા વિશેષતા છે, બ્રાહ્મણ જીવનનાં પરિવર્તન નો વિશેષ દર્પણ છે. જ્યાં સંતુષ્ટતા છે ત્યાં ખુશી જરુર છે. જો બ્રાહ્મણ જીવન માં સંતુષ્ટતા નથી તો તે સાધારણ જીવન છે.

પ્રશ્ન :- સંતુષ્ટમણિઓ ની વિશેષતાઓ શું હશે?

જવાબ :- સંતુષ્ટમણિઓ ક્યારેય કોઈ પણ કારણ થી સ્વયં થી, અન્ય આત્માઓ થી, પોતાનાં સંસ્કારો થી, વાયુમંડળ નાં પ્રભાવ થી અસંતુષ્ટ નથી થઈ શકતી. તે એવું ક્યારેય નહીં કહેશે કે અમે તો સંતુષ્ટ છીએ પરંતુ બીજા અસંતુષ્ટ કરે છે. કાંઈ પણ થઈ જાય સંતુષ્ટમણિઓ પોતાને સંતુષ્ટતાની વિશેષતા ને છોડી નથી શકતી.

પ્રશ્ન :- જે સદા સંતુષ્ટ રહે છે તેમની નિશાનીઓ શું હશે?

જવાબ :-

૧- જે સદા સંતુષ્ટ રહે છે તેમનાં પ્રતિ સ્વતઃ સર્વ નો સ્નેહ રહે છે કારણ કે સંતુષ્ટતા બ્રાહ્મણ પરિવાર નાં સ્નેહી બનાવી દે છે.

૨- સંતુષ્ટ આત્માને બધાં સ્વયં: જ સમીપ લાવવાં અથવા દરેક શ્રેષ્ઠ કાર્ય માં સહયોગી બનાવવાનો પ્રયત્ન કરશે.

૩- સંતુષ્ટતા ની વિશેષતા સ્વયં જ દરેક કાર્યમાં ગોલ્ડન ચાન્સલર બનાવી દે છે. તેમને કહેવું કે વિચારવું પણ નથી પડતું.

૪- સંતુષ્ટતા સદા સર્વ નાં સ્વભાવ સંસ્કારને મળાવવા વાળી હોય છે. તેઓ ક્યારેક કોઈનાં સ્વભાવ-સંસ્કાર થી ગભરાવવા વાળા નથી હોતાં.

૫- એમનાથી બધાનો સ્વતઃ દિલ નો પ્રેમ હોય છે. તે પ્રેમ લેવાનાં પાત્ર હોય છે. સંતુષ્ટતા જ તે આત્માની ઓળખ કરાવે છે. દરેકની દિલ થશે તેમનાથી વાત કરીએ, એમની સાથે બેસીએ.

૬- સંતુષ્ટ આત્માઓ સદા માયાજીત છે જ કારણ કે આજ્ઞાકારી છે, સદા મર્યાદાની લકીર નાં અંદર રહે છે. માયાને દૂર થી જ ઓળખી લે છે.

પ્રશ્ન :- જો સમય પર માયા ને ઓળખી નથી શકતાં, વારંવાર દગો ખાઈ લે છે તો તેનું કારણ શું?

જવાબ :- ઓળખ ઓછી હોવાનું કારણ છે-સદા બાપની શ્રેષ્ઠ મત પર નથી ચાલતાં. કોઈ સમયે ચાલે છે, કોઈ સમયે નહીં. કોઈ સમયે યાદ કરે છે, કોઈ સમયે નહીં. કોઈ સમયે ઉમંગ-ઉત્સાહ માં રહેશે, કોઈ સમયે નહીં. સદા આજ્ઞા ની લકીર નાં અંદર નથી રહેતાં એટલે માયા સમય પર દગો આપી દે છે. માયા માં પારખવાની શક્તિ ખુબ છે, માયા જોવે છે કે આ સમયે આ કમજોર છે, તો તે કમજોરી દ્વારા પોતાનાં બનાવી દે છે. માયા નો આવવાનો રસ્તો છે જ કમજોરી.

પ્રશ્ન :- માયાજીત બનવાનું સહજ સાધન કયું છે?

જવાબ :- સદા બાપનાં સાથે રહો, સાથે રહેવું અર્થાત્ સ્વતઃ મર્યાદાઓની લકીર ની અંદર રહેવું. પછી એક-એક વિકાર ની પાછળ વિજયી બનવાની મહેનત કરવાથી છૂટી જશો. સાથે રહો તો જેવાં બાપ તેવાં આપ. સંગ નો રંગ સ્વતઃ જ લાગી જશે એટલે બીજ ને છોડી ફક્ત શાખાઓ (ડાળીઓ) ને કાપવાની મહેનત નહીં કરો. આજે કામજીત બની ગયાં, કાલે ક્રોધજીત બની ગયાં. ના, સદા વિજયી. ફક્ત બીજરુપ ને સાથે રાખો તો માયા નું બીજ એવું ભસ્મ થઈ જશે જે પછી ક્યારેય પણ તે બીજ થી અંશ પણ નથી નીકળી શકતો.

વરદાન :-
દરેક આત્મા ને હિમ્મત , ઉલ્લાસ અપાવવા વાળા , રહેમદિલ , વિશ્વ કલ્યાણકારી ભવ

ક્યારેય પણ બ્રાહ્મણ પરિવાર માં કોઈ કમજોર આત્મા ને, તમે કમજોર છો - એવું નહીં કહેતાં. આપ રહેમદિલ વિશ્વ કલ્યાણકારી બાળકો નાં મુખ થી સદૈવ દરેક આત્માનાં પ્રતિ શુભબોલ નીકળવાં જોઈએ, દિલશિકસ્ત બનાવવા વાળા નહીં. ભલે કોઈ કેટલાં પણ કમજોર હોય, તેમને ઈશારો અથવા શિક્ષા પણ આપવી હોય તો પહેલાં સમર્થ બનાવીને પછી શિક્ષા આપો. પહેલાં ધરણી પર હિમ્મત અને ઉત્સાહ નું હળ ચલાવો પછી બીજ નાખો તો સહજ દરેક બી નું ફળ નીકળશે, આનાથી વિશ્વ કલ્યાણની સેવા તીવ્ર થઇ જશે.

સ્લોગન :-
બાપ ની દુવાઓ લેતાં સદા ભરપૂરતા નો અનુભવ કરો.