01-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે તમને કર્મ - અકર્મ - વિકર્મ ની ગુહ્ય ગતિ સંભળાવવાં , જ્યારે આત્મા અને
શરીર બંને પવિત્ર છે તો કર્મ અકર્મ થાય છે , પતિત થવાથી વિકર્મ થાય છે ”
પ્રશ્ન :-
આત્મા પર કાટ
(જંક) ચઢવાનું કારણ શું છે? કાટ ચઢેલો છે તો તેની નિશાની શું હશે?
ઉત્તર :-
કાટ ચઢવાનું કારણ છે-વિકાર. પતિત બનવાથી જ કાટ ચઢે છે. જો હજું સુધી કાટ ચઢેલો છે
તો તેમને જૂની દુનિયાની કશિશ (આકર્ષણ) થતી રહેશે. બુદ્ધિ ક્રિમિનલ (વિકાર) તરફ જતી
રહેશે. યાદ માં રહી નહી શકે.
ઓમ શાંતિ!
બાળકો આનો
અર્થ તો સમજી ગયાં છે. ઓમ શાંતિ કહેવાથી જ આ નિશ્ચય થઈ જાય છે કે આપણે આત્માઓ
અહીંયાનાં રહેવાસી નથી. આપણે તો શાંતિધામ નાં રહેવાસી છીએ. આપણો સ્વધર્મ શાંત છે,
જ્યારે ઘરમાં રહીએ છીએ પછી અહીંયા આવીને પાર્ટ ભજવીએ છીએ, કારણ કે શરીરનાં સાથે
કર્મ કરવું પડે છે. કર્મ હોય છે એક સારું, બીજું ખરાબ. કર્મ ખરાબ થાય છે રાવણ રાજ્ય
માં. રાવણ રાજ્ય માં બધાનાં કર્મ વિકર્મ બની ગયાં છે. એક પણ મનુષ્ય નથી જેનાથી
વિકર્મ ન થતાં હોય. મનુષ્ય તો સમજે છે સાધુ-સન્યાસી વગેરે થી વિકર્મ ન થઈ શકે કારણ
કે તે પવિત્ર રહે છે. સન્યાસ કરેલો હોય છે. વાસ્તવ માં પવિત્ર કોને કહેવાય છે, આ
બિલકુલ નથી જાણતાં. કહે પણ છે અમે પતિત છીએ. પતિત-પાવન ને બોલાવે છે. જ્યાં સુધી એ
ન આવે ત્યાં સુધી દુનિયા પાવન બની નથી શકતી. અહીંયા આ પતિત જૂની દુનિયા છે, એટલે
પાવન દુનિયા ને યાદ કરે છે. પાવન દુનિયા માં જ્યારે જઈશું તો પતિત દુનિયા ને યાદ નહીં
કરીશું. તે દુનિયા જ અલગ છે. દરેક વસ્તુ નવી પછી જૂની થાય છે ને. નવી દુનિયામાં એક
પણ પતિત હોઈ ન શકે. નવી દુનિયાનાં રચયિતા છે પરમપિતા પરમાત્મા, એ જ પતિત-પાવન છે,
એમની રચના પણ જરુર પાવન હોવી જોઈએ. પતિત સો પાવન, પાવન સો પતિત, આ વાતો દુનિયામાં
કોઈની બુદ્ધિમાં બેસી ન શકે. કલ્પ-કલ્પ બાપ જ આવી ને સમજાવે છે. આપ બાળકોમાં પણ કોઈ
નિશ્ચયબુદ્ધિ થઈ ને પછી સંશયબુદ્ધિ થઈ જાય છે. માયા એકદમ હપ કરી લે છે. તમે મહારથી
છો ને. મહારથીઓને જ ભાષણ પર બોલાવે છે. મહારાજાઓને પણ સમજાવવાનું છે. તમે જ પહેલાં
પાવન પૂજ્ય હતાં, હમણાં તો આ છે જ પતિત દુનિયા. પાવન દુનિયામાં ભારતવાસી જ હતાં. તમે
ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં ડબલ સિરતાજ સંપૂર્ણ નિર્વિકારી હતાં.
મહારથીઓને તો આવું સમજાવવું પડશે ને. આ નશા થી સમજાવવાનું હોય છે. ભગવાનુવાચ - કામ
ચિતા પર બેસી શ્યામ બની જાય છે પછી જ્ઞાન ચિતા પર બેસવાથી ગોરા બનશે. હવે જે પણ
સમજાવે છે તે તો કામ ચિતા પર બેસી ન શકે. પરંતુ એવાં પણ છે જે બીજાઓને
સમજાવતા-સમજાવતા કામ ચિતા પર બેસી જાય છે. આજે આ સમજાવતાં કાલે વિકાર માં નીચે પડે
છે. માયા ખુબ જબરજસ્ત છે. વાત નહીં પૂછો. બીજાઓને સમજાવવાં પોતે કામ ચિતા પર બેસી
જાય છે. પછી પસ્તાય છે-આ શું થયું? બોક્સિંગ (કુસ્તી) છે ને. સ્ત્રી ને જોઈ અને
કશિશ આવી, કાળુ મોઢું કરી દીધું. માયા ખુબ દુશ્તર છે. પ્રતિજ્ઞા કરી અને પછી પડે છે
તો કેટલો સૌ ગુણા દંડ પડી જાય છે. તે તો જેમ શુદ્ર સમાન પતિત થઈ ગયાં. ગવાયેલું પણ
છે-અમૃત પીને પછી બાહર જઈને બીજાઓને સતાવતા હતાં. ગંદ કરતાં હતાં. તાળી બે હાથ થી
વાગે છે. એક થી તો વાગી ન શકે. બંને ખરાબ થઈ જાય છે. પછી કોઈ તો સમાચાર આપે છે, કોઈ
પછી શરમ નાં માર્યા સમાચાર જ નથી આપતાં. સમજે છે ક્યાંક બ્રાહ્મણ કુળમાં નામ બદનામ
ન થઈ જાય. યુદ્ધમાં કોઈ હારે છે તો હાહાકાર થઇ જાય છે. અરે આટલાં મોટા પહેલવાન ને
પણ પાડી દીધાં! આવાં ખુબ એક્સિડન્ટ (અકસ્માત) થાય છે. માયા થપ્પડ મારે છે, ખુબ મોટી
મંઝિલ છે ને.
હવે આપ બાળકો સમજાવો છો જે સતોપ્રધાન ગોરા હતાં, એજ કામ ચિતા પર બેસવાથી કાળા
તમોપ્રધાન બન્યાં છે. રામ ને પણ કાળા બનાવે છે. ચિત્ર તો અનેકોનાં કાળા બનાવે છે.
પરંતુ મુખ્ય ની વાત સમજાવાય છે. અહીંયા પણ રામચંદ્ર નું કાળું ચિત્ર છે, તેમનાથી
પૂછવું જોઈએ - કાળા કેમ બનાવ્યાં છે? કહી દેશે આ તો ઈશ્વર ની ભાવી. આ તો ચાલતું આવે
છે. કેમ થાય, શું થાય-આ કાંઈ નથી જાણતાં. હવે તમને બાપ સમજાવે છે કામ ચિતા પર
બેસવાથી પતિત દુઃખી વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બની જાય છે. તે છે નિર્વિકારી
દુનિયા. આ છે વિકારી દુનિયા. તો આમ-આમ સમજાવવું જોઈએ. આ સૂર્યવંશી, આ ચંદ્રવંશી પછી
વૈશ્ય વંશી બનવાનું જ છે. વામમાર્ગ માં આવવાથી પછી તે દેવતા નથી કહેવાતાં. જગતનાથ
નાં મંદિર માં ઉપર દેવતાઓનો કુળ દેખાડે છે. ડ્રેસ (પેહરવેશ) દેવતાઓનો છે. એક્ટિવિટી
(પ્રવૃત્તિ) ખુબ ગંદી દેખાડે છે. બાપ જે વાતો પર અટેન્શન (ધ્યાન) ખેંચાવે છે, ધ્યાન
આપવું જોઈએ. મંદિરોમાં ખુબ સર્વિસ (સેવા) થઈ શકે છે. શ્રીનાથ દ્વાર માં પણ સમજાવી
શકાય છે. પૂછવું જોઈએ આમને કાળા કેમ બનાવ્યાં છે. આ સમજાવવું તો ખુબ સારું છે. તે
છે ગોલ્ડન એજ (સતયુગ), આ છે આયરન એજ (કળયુગ). કાટ ચઢી જાય છે ને. હમણાં તમારો કાટ
ઉતરી રહ્યો છે. જે યાદ જ નથી કરતાં તો કાટ પણ નથી ઉતરતો. બહુજ કાટ ચઢેલો હશે તો તેને
જૂની દુનિયાની કશિશ થતી રહેશે. સૌથી મોટો કાટ ચઢે જ છે વિકારો થી. પતિત પણ તેનાથી
બન્યાં છે. પોતાની તપાસ કરવાની છે-અમારી બુદ્ધિ ક્રિમિનલ (વિકારો) તરફ તો નથી જતી.
સારા-સારા ફર્સ્ટ ક્લાસ બાળકો પણ ફેલ (નપાસ) થઈ જાય છે. હમણાં આપ બાળકોને આ સમજ મળી
છે. મુખ્ય વાત છે જ પવિત્રતા ની. શરું થી લઈને આનાં પર જ ઝઘડા ચાલતાં આવ્યાં છે.
બાપે જ આ યુક્તિ રચી-બધાં કહેતાં હતાં અમે જ્ઞાન અમૃત પીવા જઇએ છીએ. જ્ઞાન અમૃત છે
જ જ્ઞાનસાગર ની પાસે. શાસ્ત્રો વાંચવાથી તો કોઈ પતિત થી પાવન બની નથી શકતાં. પાવન
બની પછી પાવન દુનિયા માં જવાનું છે. અહીંયા પાવન બની પછી ક્યાં જઈશું? લોકો સમજે છે
ફલાણાએ મોક્ષ ને પામ્યો. તેમને શું ખબર, જો મોક્ષને પામી લીધો પછી તો તેમનો
ક્રિયાકર્મ વગેરે પણ ન કરી શકાય. અહીંયા જ્યોત વગેરે પ્રગટાવે છે કે તેમને કોઈ
તકલીફ ન થાય. અંધકાર માં ઠોકરો ન ખાય. આત્મા તો એક શરીર છોડી બીજું જઈને લે છે, એક
સેકન્ડ ની વાત છે. અંધકાર પછી ક્યાંથી આવ્યો? આ રસમ ચાલતી આવે છે, તમે પણ કરતાં હતાં,
હવે કાંઈ નથી કરતાં. તમે જાણો છો શરીર તો માટી થઈ ગયું. ત્યાં આવી રસમ-રિવાજ હોતી
નથી. આજકાલ રિદ્ધિ-સિદ્ધિ ની વાતો માં કાંઈ રાખ્યું નથી. સમજો કોઈને પાંખો આવી જાય
છે, ઉડવા લાગે છે-પછી શું, એનાથી ફાયદો શું મળશે? બાપ તો કહે છે મને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. આ યોગ અગ્નિ છે, જેનાથી પતિત થી પાવન બનશે. નોલેજ થી ધન મળે છે.
યોગ થી એવરહેલ્દી (સદા સ્વસ્થ) પવિત્ર, જ્ઞાન થી એવરવેલ્દી (સદા સમૃદ્ધ) ધનવાન બને
છે. યોગી ની આયુ હંમેશા મોટી હોય છે. ભોગી ની ઓછી. કૃષ્ણ ને યોગેશ્વર કહે છે. ઈશ્વર
ની યાદ થી કૃષ્ણ બન્યાં છે, તેમને સ્વર્ગમાં યોગેશ્વર નહીં કહેશે. તે તો પ્રિન્સ (રાજકુમાર)
છે. પાસ્ટ (ભૂતકાળ) જન્મ માં એવાં કર્મ કર્યા છે, જેનાથી આ બન્યાં છે.
કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ બાપે સમજાવી છે. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે
રાવણરાજ્ય. વિકાર માં જવું - આ છે સૌથી મોટું પાપ. બધાં ભાઈ-બહેન છે ને. આત્માઓ બધી
ભાઈ-ભાઈ છે. ભગવાન ની સંતાન થઈને પછી ક્રિમિનલ એસાલ્ટ (અપવિત્ર કર્મ) કેવી રીતે કરે
છે. આપણે બી.કે. વિકારમાં જઈ ન શકીએ. આ યુક્તિ થી જ પવિત્ર રહી શકાય છે. તમે જાણો
છો હમણાં રાવણ રાજ્ય ખતમ થાય છે પછી દરેક આત્મા પવિત્ર બની જાય છે. તેને કહેવાય છે
- ઘર-ઘર માં અજવાળું. તમારી જ્યોત જાગેલી છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે.
સતયુગ માં બધાં પવિત્ર જ રહે છે. આ પણ તમે હમણાં સમજો છો. બીજાઓને સમજાવવાની બાળકોમાં
નંબરવાર તાકાત રહે છે. નંબરવાર યાદ માં રહે છે. રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે.
કોઈ ની બુદ્ધિમાં આ નહીં હશે. તમે સેના છો ને. જાણો છો યાદનાં બળ થી પવિત્ર બની આપણે
રાજા રાણી બની રહ્યાં છીએ. પછી બીજા જન્મમાં ગોલ્ડન સ્પૂન ઈન માઉથ હશે. મોટી પરીક્ષા
પાસ કરવા વાળા પદ પણ ઊંચું પામે છે. ફરક પડે છે ને, જેટલું ભણતર એટલું સુખ. આ તો
ભગવાન ભણાવે છે. આ નશો ચઢેલો રહેવો જોઈએ. ચોબચીની (તાકાત નો માલ) મળે છે. ભગવાન વગર
આવાં ભગવાન-ભગવતી કોણ બનાવશે. તમે હમણાં પતિત થી પાવન બની રહ્યાં છો પછી
જન્મ-જન્માંતર નાં માટે સુખી બની જશો. ઉંચ પદ પામશો. ભણતા-ભણતા પછી ગંદા બની જાય
છે. દેહ-અભિમાન માં આવવાથી પછી જ્ઞાનનું ત્રીજું નેત્ર બંધ થઈ જાય છે. માયા ખુબ
જબરજસ્ત છે. બાપ પોતે કહે છે ખુબ મહેનત છે. હું કેટલી મહેનત કરું છું - બ્રહ્માનાં
તન માં આવીને. પરંતુ સમજીને પછી પણ કહી દે છે એવું થોડી થઈ શકે છે, શિવબાબા આવી ને
ભણાવે છે-અમે નથી માનતાં. આ ચાલાકી છે. આવું પણ બોલી દે છે. રાજાઈ તો સ્થાપન થઈ જ
જશે. કહે છે ને સત્ય ની બેડી હલે છે પરંતુ ડૂબતી નથી. કેટલાં વિઘ્નો પડે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા નૂરે રત્ન, શ્યામ થી સુંદર બનવા વાળી આત્માઓ પ્રતિ માત-પિતા
બાપદાદાનાં દિલ અને જાન, સિક અને પ્રેમ થી યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ ની
અગ્નિ થી વિકારો નાં કાટ (જંક) ને ઉતારવાનો છે. પોતાની તપાસ કરવાની છે કે અમારી
બુદ્ધિ ક્રિમિનલ તરફ તો નથી જતી?
2. નિશ્ચયબુદ્ધિ બનવા બાદ ફરી ક્યારેય કોઇ પણ વાત માં સંશય નથી ઉઠવવાનો. વિકર્મો થી
બચવા માટે કોઈ પણ કર્મ પોતાનાં સ્વધર્મ માં સ્થિત થઈને બાપની યાદ માં કરવાનું છે.
વરદાન :-
સર્વ
પ્રાપ્તિઓનાં અનુભવ દ્વારા પાવરફુલ બનવા વાળા સદા સફળતામૂર્ત ભવ
જે સર્વ પ્રાપ્તિઓનાં
અનુભવી મૂર્ત છે એ જ પાવરફુલ છે, આવી પાવરફુલ સર્વ પ્રાપ્તિઓની અનુભવી આત્માઓ જ
સફળતામૂર્ત બની શકે છે કારણ કે હવે સર્વ આત્માઓ શોધશે કે સુખ-શાંતિ નાં માસ્ટર દાતા
ક્યાં છે. તો જ્યારે તમારી પાસે સર્વ શક્તિઓનો સ્ટોક (માલ) હશે ત્યારે તો બધાને
સંતુષ્ટ કરી શકશો. જેમ આજકાલ એક જ સ્ટોર (દુકાન) થી બધી વસ્તુ મળી જાય છે, એવું
તમારે પણ બનવાનું છે. એવું નહીં સહનશક્તિ હોય સામનો કરવાની નહીં. સર્વ શક્તિઓનો
સ્ટોક જોઈએ ત્યારે સફળતામૂર્ત બની શકશો.
સ્લોગન :-
મર્યાદાઓ જ
બ્રાહ્મણ જીવનનાં કદમ છે. કદમ પર કદમ રાખવો એટલે મંઝિલનાં સમીપ પહોંચવું.
માતેશ્વરીજી ના અણમોલ
મહાવાક્ય
“ પુરુષાર્થ
અને પ્રાલબ્ધ નો બનેલો અનાદિ ડ્રામા ”
માતેશ્વરી :-
પુરુષાર્થ અને
પ્રાલબ્ધ બે વસ્તુ છે, પુરુષાર્થ થી પ્રાલબ્ધ બને છે. આ અનાદિ સૃષ્ટિનું ચક્ર ફરતું
રહે છે, જે આદિ સનાતન ભારતવાસી પૂજ્ય હતાં, એજ પછી પૂજારી બન્યાં પછી એજ પૂજારી
પુરુષાર્થ કરી પૂજ્ય બનશે, આ ઉતરવું અને ચઢવું અનાદિ ડ્રામા નો ખેલ બનેલો છે.
જિજ્ઞાસુ :-
માતેશ્વરી, મારો પણ આ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આ ડ્રામા એવો બનેલો છે તો પછી જો ઉપર
ચઢવાનું હશે તો જાતે જ ચઢશે પછી પુરુષાર્થ કરવાનો ફાયદો જ શું થયો? જે ચઢશે પછી પણ
પડશે પછી પણ આટલો પુરુષાર્થ જ કેમ કરે? માતેશ્વરી, તમારું કહેવું છે કે આ ડ્રામા
હૂબહૂ રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે તો શું ઓલ્માઈટી (સર્વશક્તિમાન) પરમાત્મા સદા આવાં
ખેલ ને જોઈ પોતે થાકતાં નથી? જેમ ચાર ઋતુઓમાં શરદી, ગરમી વગેરે નો ફરક રહે છે તો
શું આ ખેલ માં ફરક નહીં પડે?
માતેશ્વરી :-
બસ આ જ તો ખૂબી છે આ ડ્રામા ની, હૂબહૂ રિપીટ થાય છે અને આ ડ્રામામાં બીજી પણ ખૂબી
છે જે રીપીટ થતાં પણ નિત્ય નવું લાગે છે. પહેલાં તો આપણને પણ આ શિક્ષા નહોતી, પરંતુ
જ્યારે નોલેજ મળ્યું છે તો જે જે પણ સેકન્ડ બાય સેકન્ડ ચાલે છે, ભલે હૂબહૂ કલ્પ
પહેલા વાળું ચાલે છે પરંતુ જ્યારે તેને સાક્ષી સમજી જોઈએ છીએ તો નિત્ય નવું સમજાય
છે. હવે સુખ દુઃખ બંને ની ઓળખ મળી ગઈ એટલે એવું નહીં સમજતાં જો ફેલ (નપાસ) થવાનું જ
છે તો પછી ભણીએ જ કેમ? ના, પછી તો એવું પણ સમજો જો ખાવાનું મળવાનું હશે તો જાતે જ
મળશે, પછી પણ આટલી મહેનત કરી કમાવો જ કેમ છો? તેમ આપણે પણ જોઈ રહ્યાં છીએ હવે ચઢતી
કળા નો સમય આવ્યો છે, એજ દેવતા સંપ્રદાય સ્થાપન થઈ રહ્યું છે તો કેમ નહિં હમણાં જ
તે સુખ લઈ લઈએ. જેમ જુઓ હમણાં કોઇ જજ બનવા ઈચ્છે છે તો જ્યારે પુરુષાર્થ જ કરશે
ત્યારે તે ડિગ્રી ને પ્રાપ્ત કરશે ને. જો તેમાં ફેલ થઈ ગયો તો મહેનત જ બરબાદ થઈ જાય
છે, પરંતુ આ અવિનાશી જ્ઞાન માં પછી એવું નથી થતું, જરા પણ આ અવિનાશી જ્ઞાન નો વિનાશ
નથી થતો. એટલો પુરુષાર્થ ન કરી દેવી રોયલ સંપ્રદાય માં ન પણ આવે પરંતુ જો ઓછો
પુરુષાર્થ કર્યો તો પણ તે સતયુગી દેવી પ્રજામાં આવી શકે છે. પરંતુ પુરુષાર્થ કરવાનો
અવશ્ય છે કારણકે પુરુષાર્થ થી જ પ્રાલબ્ધ બનશે, બલિહારી પુરુષાર્થ ની જ ગવાયેલી છે.
“ આ ઈશ્વરીય
નોલેજ સર્વ મનુષ્ય આત્માઓનાં માટે છે ”
પહેલા-પહેલા તો આપણે એક મુખ્ય પોઇન્ટ (વાત) ખ્યાલ માં અવશ્ય રાખવાની છે, જ્યારે આ
મનુષ્ય સૃષ્ટિ ઝાડ નું બીજ રુપ પરમાત્મા છે તો એ પરમાત્મા દ્વારા જે નોલેજ પ્રાપ્ત
થઇ રહ્યું છે જે બધાં મનુષ્યોનાં માટે જરુરી છે. બધાં ધર્મ વાળાઓ ને આ નોલેજ લેવાનો
અધિકાર છે. ભલે દરેક ધર્મનું નોલેજ પોત-પોતાનું છે દરેક નું શાસ્ત્ર પોત-પોતાનું
છે, દરેક ની મત પોત-પોતાની છે દરેક નાં સંસ્કાર પોત-પોતાનાં છે પરંતુ આ નોલેજ બધાનાં
માટે છે. ભલે તે આ જ્ઞાન ને પણ ન ઉઠાવી શકે, આપણા સંપ્રદાય માં પણ ન આવે પરંતુ
સર્વનાં પિતા હોવાનાં કારણે એમનાથી યોગ લગાડવાથી છતાં પણ પવિત્ર અવશ્ય બનશે. આ
પવિત્રતાનાં કારણે પોતાનાં સેક્શન (ક્ષેત્ર) માં પદ અવશ્ય પામશે કારણ કે યોગ ને તો
બધાં મનુષ્ય માને છે, ઘણાં મનુષ્ય એવું કહે છે અમને પણ મુક્તિ જોઈએ, પરંતુ સજાઓ થી
છૂટી મુક્ત થવાની શક્તિ પણ આ યોગ દ્વારા જ મળી શકે છે. અચ્છા - ઓમ શાંતિ.