29-09-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારાં ભણતર નો પૂરો આધાર છે યોગ પર , યોગ થી જ આત્મા પવિત્ર બને છે , વિકર્મ વિનાશ થાય છે ”

પ્રશ્ન :-
ઘણાં બાળકો બાપ નાં બનીને પછી હાથ છોડી દે છે, કારણ શું હોય છે?

ઉત્તર :-
બાપ ને પૂરી રીતે ન ઓળખવાનાં કારણે, પૂરા નિશ્ચયબુદ્ધિ ન હોવાનાં કારણે ૮-૧૦ વર્ષ પછી પણ બાપ ને ફારકતી આપી દે છે, હાથ છોડી દે છે. પદ ભ્રષ્ટ થઈ જાય છે. ૨- ક્રિમિનલ (અપવિત્ર) આંખ થવાથી માયાની ગ્રહચારી બેસી જાય છે, અવસ્થા નીચે ઉપર થતી રહે છે તો પણ ભણતર છૂટી જાય છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. હમણાં સમજો છો કે, અમે બધાં રુહાની બેહદનાં બાપ નાં બાળકો છીએ, આમને બાપદાદા કહેવાય છે. જેમ તમે રુહાની બાળકો છો તેમ આ(બ્રહ્મા) પણ રુહાની બાળક છે શિવબાબા નાં. શિવબાબા ને રથ તો જરુર જોઈએ ને એટલે જેમ આપ આત્માઓને ઓર્ગન્સ (અવયવો) મળેલાં છે કર્મ કરવાનાં માટે, તેમ શિવબાબા નો પણ આ રથ છે, કારણ કે આ કર્મક્ષેત્ર છે જ્યાં કર્મ કરવાનું હોય છે. તે છે ઘર જ્યાં આત્માઓ રહે છે. આત્માએ જાણ્યું છે આપણું ઘર શાંતિધામ છે, ત્યાં આ ખેલ નથી હોતો. બત્તીઓ (વીજળી) વગેરે કાંઈ નથી હોતી, ફક્ત આત્માઓ રહે છે. અહીંયા આવે છે પાર્ટ ભજવવાં. તમારી બુદ્ધિ માં છે - આ બેહદ નો ડ્રામા છે. જે એક્ટર્સ છે તેમનું એક્ટ (કર્મ) શરું થી લઈને અંત સુધી આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. અહીંયા કોઈ સાધુ-સંત વગેરે નથી સમજાવતાં. અહીંયાં અમે બાળકો બેહદ નાં બાપ ની પાસે બેઠા છે. હવે અમારે પાછા જવાનું છે. પવિત્ર તો જરુર બનવાનું છે આત્માએ. એવું નથી કે શરીર પણ અહીંયા પવિત્ર બનવાનું છે, ના. આત્મા પવિત્ર બને છે. શરીર તો પવિત્ર ત્યારે બને જ્યારે ૫ તત્વ પણ સતોપ્રધાન હોય. હવે તમારી આત્મા પુરુષાર્થ કરી પાવન બની રહી છે. ત્યાં આત્મા અને શરીર બંને પવિત્ર હોય છે. અહીંયા નથી થઈ શકતાં આત્મા પવિત્ર બની જાય છે તો પછી જુનું શરીર છોડે છે, પછી નવાં તત્વો થી નવાં શરીર બને છે. તમે જાણો છો આપણી આત્મા બેહદનાં બાપ ને યાદ કરે છે કે નથી કરતી? આ તો દરેકે પોતાનાથી પૂછવાનું છે. ભણતર નો બધો આધાર છે યોગ પર. ભણતર તો સહજ છે, સમજી ગયાં છો કે ચક્ર કેવી રીતે ફરે છે, મુખ્ય છે જ યાદ ની યાત્રા. આ અંદર ગુપ્ત છે. જોવામાં થોડી આવે છે. બાબા ન કહી શકે કે આ વધારે યાદ કરે છે કે ઓછું. હાં, જ્ઞાન માટે બતાવી શકે છે કે આ જ્ઞાન માં ખુબ હોશિયાર છે. યાદ નું તો કંઈ જોવામાં નથી આવતું. જ્ઞાન મુખ થી બોલાય છે. યાદ તો છે અજપાજાપ. જાપ અક્ષર ભક્તિમાર્ગ નો છે, જાપ એટલે કોઈનું નામ જપવું. અહીંયા તો આત્માએ પોતાનાં બાપને યાદ કરવાનાં છે.

તમે જાણો છો આપણે બાપ ને યાદ કરતાં-કરતાં પવિત્ર બનતાં-બનતાં મુક્તિધામ-શાંતિધામ માં જઈને પહોંચશું. એવું નહીં કે ડ્રામા થી મુક્ત થઈ જઈશું. મુક્તિનો અર્થ છે-દુ:ખ થી મુક્ત થઇ, શાંતિધામ જઈ પછી સુખધામ આવશે. પવિત્ર જે બને છે તે સુખ ભોગવે છે. અપવિત્ર મનુષ્ય તેમની ખિદમત (સેવા) કરે છે. પવિત્ર ની મહિમા છે, આમાં જ મહેનત છે. આંખો ખુબ જ દગો આપે છે, નીચે પડે છે. નીચે-ઉપર તો બધાને થવું પડે છે. ગ્રહચારી બધાને લાગે છે. ભલે બાબા કહે, બાળકો પણ સમજાવી શકે છે. પછી કહે છે માતા ગુરુ જોઈએ કારણ કે હવે માતા ગુરુ ની સિસ્ટમ (પ્રથા) ચાલે છે. પહેલાં પિતાઓની હતી. હવે પહેલા-પહેલા કળશ માતાઓને મળે છે. માતાઓ મેજોરીટી (અધિકાંશ) માં છે, કુમારીઓ રાખડી બાંધે છે, પવિત્રતા માટે. ભગવાન કહે છે કામ મહાશત્રુ છે, આનાં પર જીત પહેરો. રક્ષાબંધન પવિત્રતાની નિશાની છે, તે લોકો રાખડી બાંધે છે. પવિત્ર તો બનતાં નથી. તે બધી છે આર્ટિફિશિયલ (બનાવટી) રાખડી, કોઈ પાવન બનાવવા વાળા નથી આમાં તો જ્ઞાન જોઈએ. હમણાં તમે રાખડી બાંધો છો અર્થ પણ સમજાવો છો. આ પ્રતિજ્ઞા કરાવે છે. જેમ સિક્ખ લોકો નું કંગન (કડું) નિશાની હોય છે પરંતુ પવિત્ર તો બનતાં નથી. પતિત ને પાવન બનાવવા વાળા, સર્વ નાં સદ્દગતિ દાતા એક છે, તે પણ દેહધારી નથી. પાણી ની ગંગા તો આંખો થી જોવામાં આવે છે. બાપ જે સદ્દગતિ દાતા છે, એમને આ આંખોથી નથી જોઈ શકાતાં. આત્માને કોઈપણ જોઈ નથી શકતાં કે આ શું વસ્તુ છે. કહે પણ છે અમારા શરીર માં આત્મા છે, તેને જોઈ છે? કહેશે ના. બીજી બધી વસ્તુ જેમનું નામ છે તે જોવામાં જરુર આવે છે. આત્માનું પણ નામ તો છે. કહે પણ છે ભ્રકુટીની વચ માં ચમકે છે અજબ તારો. પરંતુ જોવામાં નથી આવતો. પરમાત્માને પણ યાદ કરે છે, જોવામાં કાંઈ નહીં આવે. લક્ષ્મી-નારાયણ ને જોવાય છે આ આંખો થી. લિંગની ભલે પૂજા કરે છે પરંતુ તે કોઈ યથાર્થ રીતે તો નથી ને. જોવાં છતાં પણ જાણતાં નથી, પરમાત્મા શું? આ કોઈ નથી જાણી શકતું. આત્મા તો ખુબ નાની બિંદી છે. જોવામાં નથી આવતી. ન આત્મા ને, ન પરમાત્માને જોઈ શકાય છે, જાણી શકાય છે. હમણાં તમે જાણો છો અમારાં બાબા આવેલાં છે આમનામાં. આ શરીરની પોતાની આત્મા પણ છે, પછી પરમપિતા પરમાત્મા કહે છે-હું આમનાં રથ પર વિરાજમાન છું એટલે બાપદાદા કહો છો. હવે દાદા ને તો આ આંખોથી જુઓ છો, બાપ ને નથી જોતાં. જાણો છો બાબા જ્ઞાન નાં સાગર છે, એ આ શરીર દ્વારા આપણને જ્ઞાન સંભળાવી રહ્યાં છે. એ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે. નિરાકાર રસ્તો કેવી રીતે બતાવશે? પ્રેરણા થી તો કોઈ કામ નથી થતું. ભગવાન આવે છે આ કોઈને પણ ખબર નથી. શિવજયંતી પણ મનાવે છે તો જરુર અહીંયા આવતાં હશે ને. તમે જાણો છો હમણાં એ આપણને ભણાવી રહ્યાં છે. બાબા આમનામાં આવીને ભણાવે છે. બાપ ને પૂરી રીતે ન ઓળખવાનાં કારણે, નિશ્ચય બુદ્ધિ ન હોવાનાં કારણ ૮-૧૦ વર્ષનાં પછી પણ ફારકતી આપી દે છે. માયા બિલકુલ જ આંધળા બનાવી દે છે. બાપ નાં બનીને પછી છોડી દે છે તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. હવે આપ બાળકોને બાપનો પરિચય મળ્યો છે તો બીજાઓને પણ આપવાનો છે. ઋષિ-મુનિ વગેરે બધાં નેતી-નેતી કરતાં ગયાં. પહેલાં તમે પણ જાણતાં નહોતાં. હમણાં તમે કહેશો હાં અમે જાણીએ છીએ તો આસ્તિક થઈ ગયાં. સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે, આ પણ તમે જાણો છો. આખી દુનિયાં અને તમે પોતે આ ભણતરનાં પહેલાં નાસ્તિક હતાં. હવે બાપે સમજાવ્યું છે તો તમે કહો છો અમને પરમપિતા પરમાત્મા બાપે સમજાવ્યું છે, આસ્તિક બનાવ્યાં છે. આપણે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નહોતાં જાણતાં. બાપ છે રચતા, બાપ જ સંગમ પર આવીને નવી દુનિયાની સ્થાપના પણ કરે છે અને જૂની દુનિયાનો વિનાશ પણ કરે છે. જૂની દુનિયાનાં વિનાશ માટે આ મહાભારત લડાઈ છે, જેનાં માટે સમજે છે, તે સમયે કૃષ્ણ હતાં. હમણાં તમે સમજો છો-નિરાકાર બાપ હતાં, તેમને જોઈ નથી શકાતાં. કૃષ્ણનું તો ચિત્ર છે, જોવામાં આવે છે. શિવ ને જોઈ નથી શકતાં. કૃષ્ણ તો છે સતયુગ નો પ્રિન્સ (રાજકુમાર). એ જ ફીચર્સ (ચહેરો) ફરી હોઈ ન શકે. કૃષ્ણ પણ ક્યારે કેવી રીતે આવ્યાં, આ પણ કોઈ નથી જાણતું. કૃષ્ણ ને કંસ ની જેલમાં દેખાડે છે. કંસ સતયુગ માં હતો શું? આ થઇ કેવી રીતે શકે. કંસ અસુર ને કહેવાય છે. આ સમયે આખી આસુરી સંપ્રદાય છે ને. એક-બીજા ને મારતાં-કાપતાં રહે છે. દૈવી દુનિયા હતી, આ ભૂલી ગયાં છે. ઈશ્વરીય દૈવી દુનિયા ઈશ્વરે સ્થાપન કરી. આ પણ તમારી બુદ્ધિમાં છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. હમણાં તમે છો ઈશ્વરીય પરિવાર, પછી ત્યાં હશે દૈવી પરિવાર. આ સમયે ઈશ્વર તમને લાયક બનાવી રહ્યાં છે સ્વર્ગ નાં દેવી-દેવતા બનાવવાં. બાપ ભણાવી રહ્યાં છે. આ સંગમયુગ ને કોઈ પણ નથી જાણતાં. કોઈ પણ શાસ્ત્ર માં આ પુરુષોત્તમ યુગ ની વાત નથી. પુરુષોત્તમ યુગ અર્થાત્ જ્યાં પુરુષોત્તમ બનવાનું હોય છે. સતયુગ ને કહેશે પુરુષોત્તમ યુગ. આ સમયે તો મનુષ્ય પુરુષોત્તમ નથી. આને તો કનિષ્ટ તમોપ્રધાન કહેશે, આ બધી વાતો સિવાય આપ બ્રાહ્મણોનાં બીજા કોઈ નથી સમજી શકતાં. બાપ કહે છે આ છે આસુરી ભ્રષ્ટાચારી દુનિયા. સતયુગ માં આવું કોઈ વાતાવરણ નથી હોતું. તે હતી શ્રેષ્ઠાચારી દુનિયા. તેમનાં ચિત્ર છે. બરાબર આ શ્રેષ્ઠાચારી દુનિયાનાં માલિક હતાં. ભારતનાં રાજાઓ થઈને ગયાં છે જે પૂજાય છે. પૂજ્ય પવિત્ર હતાં, એજ પછી પૂજારી બન્યાં. પૂજારી ભક્તિમાર્ગ ને, પૂજ્ય જ્ઞાનમાર્ગ ને કહેવાય છે. પૂજ્ય સો પુજારી, પૂજારી પછી પૂજ્ય કેવી રીતે બને છે. આ પણ તમે જાણો છો આ દુનિયામાં પૂજ્ય એક પણ હોઈ ન શકે. પૂજ્ય પરમપિતા પરમાત્મા અને દેવતાઓને જ કહેવાય છે. પરમપિતા પરમાત્મા છે બધાનાં પૂજ્ય. બધાં ધર્મવાળા તેમની પૂજા કરે છે. આવાં બાપ નો જન્મ અહીંયા જ ગવાય છે. શિવ જયંતી છે ને. પરંતુ મનુષ્યો ને કાંઈ ખબર નથી કે એમનો જન્મ ભારત માં થાય છે, આજકાલ તો શિવજયંતી ની હોલી ડે (રજા) પણ નથી કરતાં. જયંતી મનાવો, ન મનાવો, તમારી મરજી. ઓફિશિયલ હોલી ડે (કાયદેસર રજા) નથી. જે શિવજયંતી ને નથી માનતાં, તે તો પોતાનાં કામ પર ચાલ્યાં જાય છે. અનેક ધર્મ છે ને. સતયુગ માં આવી વાતો હોતી નથી. ત્યાં આ વાતાવરણ જ નથી. સતયુગ છે જ નવી દુનિયા, એક ધર્મ. ત્યાં આ ખબર નથી પડતી કે અમારી પાછળ ચંદ્રવંશી રાજ્ય હશે. અહીંયા તમે બધું જાણો છો - આ-આ પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું છે. સતયુગ માં તમે હશો, ત્યાં કયાં પાસ્ટ ને યાદ કરશે? પાસ્ટ તો થયું કળયુગ. તેમની હિસ્ટ્રી-જોગ્રોફી સાંભળવા થી શું ફાયદો.

અહીંયા તમે જાણો છો આપણે બાબાની પાસે બેઠાં છીએ. બાબા શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. બાપ આવ્યાં છે સર્વ ની સદ્દગતિ કરવાં. બધી આત્માઓને જરુર લઈ જશે. મનુષ્ય તો દેહ-અભિમાન માં આવીને કહે છે, બધું માટીમાં મળી જવાનું છે. આ નથી સમજતાં આત્માઓ તો ચાલી જશે, બાકી આ શરીર માટીનાં બનેલાં છે, આ જૂનું શરીર ખતમ થઈ જાય. આપણે આત્મા એક શરીર છોડી બીજું જઈ લઈએ છીએ. આ, આ દુનિયામાં આપણો અંતિમ જન્મ છે, બધાં પતિત છે, સદૈવ પાવન તો કોઈ રહી નથી શકતું. સતોપ્રધાન સતો, રજો, તમો થાય જ છે. તે લોકો તો કહી દે છે બધાં ઈશ્વર નાં જ રુપ છે, ઈશ્વરે પોતાનાં અનેક રુપ બનાવ્યાં છે, ખેલપાલ કરવાં માટે. હિસાબ-કિતાબ કાંઈ નથી જાણતાં. ન ખેલપાલ કરવા વાળા ને જાણે છે. બાપ જ બેસીને વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવે છે. ખેલ માં દરેક નો પાર્ટ અલગ-અલગ છે. બધાની પોઝિશન (પદ) અલગ-અલગ છે, જે જેવી પોઝિશન વાળા હોય છે, તેમની મહિમા થાય છે. આ બધી વાતો બાપ સંગમ પર જ સમજાવે છે. સતયુગ માં પછી સતયુગ નો પાર્ટ ચાલશે. ત્યાં આ વાતો નહીં હશે. અહીંયા તમને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન બુદ્ધિ માં ફરતું રહે છે. તમારું નામ જ છે સ્વદર્શન ચક્રધારી. લક્ષ્મી-નારાયણ ને થોડી સ્વદર્શન ચક્ર અપાય છે. આ છે જ અહીંયાનું. મૂળવતન માં ફક્ત આત્માઓ રહે છે, સૂક્ષ્મવતન માં કાંઈ નથી. મનુષ્ય, જનાવર, પશુ પક્ષી વગેરે બધાં અહીંયા હોય છે. સતયુગ માં મોર વગેરે દેખાડે છે. એવું નહીં કે ત્યાં મોર નાં પીછાં કાઢીને પહેરે છે, મોર ને થોડી દુઃખ આપશે. એવું પણ નહીં મોર નું પડેલું પીછું તાજ (મુગટ) માં લગાવશે. ના, તાજ માં પણ જુઠ્ઠી નિશાની આપી દીધી છે. ત્યાં બધી સુંદર વસ્તુઓ હોય છે. ગંદી કોઈ વસ્તુ નું નામ-નિશાન નથી. એવી કોઈ વસ્તુ નથી હોતી જેને જોઈ ને ઘૃણા આવે. અહીંયા તો ઘૃણા આવે છે ને. ત્યાં જનાવરોને પણ દુઃખ નથી હોતું. સતયુગ કેટલું ફર્સ્ટ ક્લાસ હશે. નામ જ છે સ્વર્ગ, હેવન, નવી દુનિયા. અહીંયા તો જૂની દુનિયામાં જુઓ વરસાદ નાં કારણે મકાન પડતાં રહે છે. મનુષ્ય મરી જાય છે. અર્થકવેક (ધરતીકંપ) થશે બધાં દબાઈ ને મરી જશે. સતયુગ માં ખુબ થોડાં હશે પછી પાછળ થી વૃદ્ધિ ને પામતાં રહેશે. પહેલા સૂર્યવંશી હશે. જ્યારે દુનિયા ૨૫ ટકા જૂની થશે તો પાછળ ચંદ્રવંશી થશે. સતયુગ ૧૨૫૦ વર્ષ છે, તે છે ૧૦૦ ટકા નવી દુનિયા. જ્યાં દેવી-દેવતા રાજ્ય કરે છે. તમારામાં પણ ઘણાં આ વાતોને ભૂલી જાય છે. રાજધાની તો સ્થાપન થવાની જ છે. હાર્ટફેલ (દિલશિકસ્ત) નથી થવાનું. પુરુષાર્થ ની વાત છે. બાપ બધાં બાળકો થી એક સમાન તદબીર (પુરુષાર્થ) કરાવે છે. તમે પોતાનાં માટે વિશ્વ પર સ્વર્ગ ની બાદશાહી સ્થાપન કરો છો. પોતાને જોવાનું છે અમે શું બનીશું? અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પુરુષોત્તમ યુગ માં સ્વર્ગ નાં દેવી-દેવતા બનવાનું ભણતર ભણીને સ્વયં ને લાયક બનાવવાનાં છે. પુરુષાર્થ માં હાર્ટફેલ (દિલ શિકસ્ત) નથી થવાનું.

2. આ બેહદ નાં ખેલ માં દરેક એક્ટર નો પાર્ટ અને પોઝિશન અલગ-અલગ છે, જેવી જેમની પોઝિશન તેવું તેને માન મળે છે, આ બધું રહસ્ય સમજી વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી નું સિમરણ કરી સ્વદર્શન ચક્રધારી બનવાનું છે.

વરદાન :-
શ્રીમત થી મનમત અને જનમત ની મિલાવટ ને સમાપ્ત કરવા વાળા સાચાં સ્વ કલ્યાણી ભવ

બાપે બાળકો ને બધાં ખજાનાઓ સ્વ કલ્યાણ અને વિશ્વ કલ્યાણ નાં પ્રતિ આપ્યાં છે પરંતુ તેને વ્યર્થ તરફ લગાવવાં, અકલ્યાણનાં કાર્યમાં લગાવવાં, શ્રીમત માં મનમત અને જનમત ની મિલાવટ કરવી-આ અમાનત માં ખયાનત છે. હવે આ ખયાનત અને મિલાવટ ને સમાપ્ત કરી રુહાનિયત અને રહેમ ને ધારણ કરો. પોતાનાં ઉપર અને સર્વનાં ઉપર રહેમ કરી સ્વ કલ્યાણી બનો. સ્વ ને જુઓ, બાપ ને જુઓ બીજાઓને નહીં જુઓ.

સ્લોગન :-
સદા હર્ષિત એ જ રહી શકે છે જે ક્યાંય પણ આકર્ષિત નથી થતાં.