06-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 16.03.86
બાપદાદા મધુબન
બાપદાદા બધાં બાળકો
ની સ્વીટ સાઇલેન્સ (શાંતિ) ની સ્થિતિ ને જોઈ રહ્યાં છે. એક સેકન્ડમાં સાઇલેન્સ ની
સ્થિતિ માં સ્થિત થઈ જવું આ પ્રેક્ટિસ (અભ્યાસ) કયા સુધી કરી છે? આ સ્થિતિ માં
જ્યારે ઈચ્છો ત્યારે સ્થિત થઈ શકો છો કે સમય લાગે છે? કારણ કે અનાદિ સ્વરુપ સ્વીટ
સાઇલેન્સ છે. આદિ સ્વરુપ અવાજ માં આવવાનું છે. પરંતુ અનાદિ અવિનાશી સંસ્કાર
સાઇલેન્સ છે. તો પોતાનાં અનાદિ સંસ્કાર, અનાદિ સ્વરુપ ને, અનાદિ સ્વભાવ ને જાણતાં,
જ્યારે ઈચ્છો ત્યારે તે સ્વરુપ માં સ્થિત થઈ શકો છો? ૮૪ જન્મ અવાજ માં આવવાના છે
એટલે સદા અભ્યાસ અવાજ માં આવવાનો છે. પરંતુ અનાદિ સ્વરુપ અને પછી આ સમયે ચક્ર પૂરું
થવાનાં કારણે પાછું સાઇલેન્સ હોમ માં જવાનું છે. હવે ઘરે જવાનો સમય સમીપ છે. હવે આદિ,
મધ્ય અને અંત ત્રણેવ કાળ નો પાર્ટ સમાપ્ત કરી પોતાનાં અનાદિ સ્વરુપ, અનાદિ સ્થિતિ
માં સ્થિત થવાનો સમય છે એટલે આ સમયે આ જ અભ્યાસ વધારે આવશ્યક છે. પોતે પોતાની તપાસ
કરો કે કર્મેન્દ્રિય જીત બન્યાં છીએ? અવાજમાં ન આવવા ઈચ્છો તો આ મુખ નો અવાજ પોતાની
તરફ ખેંચતો તો નથી. આને જ રુહાની ડ્રિલ કહેવાય છે.
જેમ વર્તમાન સમયનાં પ્રમાણે શરીર માટે સર્વ બીમારીઓનો ઈલાજ એક્સરસાઇઝ (કસરત) શીખવાડે
છે, તો આ સમયે આત્માને શક્તિશાળી બનાવવા માટે આ રુહાની એક્સરસાઇઝ નો અભ્યાસ જોઈએ.
ચારે બાજુ કેવું પણ વાતાવરણ હોય, હલચલ હોય પરંતુ અવાજ માં રહેતા અવાજ થી પરે
સ્થિતિનો અભ્યાસ હવે લાંબાકાળ નો જોઈએ. શાંત વાતાવરણ માં શાંતિ ની સ્થિતિ બનાવવી આ
કોઈ મોટી વાત નથી, અશાંતિ ની વચ્ચે તમે શાંત રહો આ જ અભ્યાસ જોઈએ. એવો અભ્યાસ જાણો
છો? ભલે પોતાની કમજોરીઓની હલચલ હોય, સંસ્કારોનાં વ્યર્થ સંકલ્પો ની હલચલ હોય. આવી
હલચલ નાં સમયે સ્વયં ને અચળ બનાવી શકો છો કે સમય લાગી જાય છે? કારણ કે સમય લાગવો આ
ક્યારેય પણ દગો આપી શકે છે. સમાપ્તિનાં સમય માં વધારે સમય નથી મળવાનો. ફાઈનલ રિઝલ્ટ
(પરિણામ) નું પેપર અમુક સેકન્ડ અને મિનિટો નું જ થવાનું છે. પરંતુ ચારે બાજુની હલચલ
નાં વાતાવરણ માં અચળ રહેવા પર જ નંબર મળવાના છે. જો લાંબોકાળ હલચલ ની સ્થિતિ થી અચળ
બનવામાં સમય લાગવાનો અભ્યાસ હશે તો સમાપ્તિ નાં સમયે રીઝલ્ટ હશે? એટલે આ રુહાની
એક્સરસાઇઝ નો અભ્યાસ કરો. મન ને જ્યાં અને જેટલો સમય સ્થિત કરવા ઈચ્છો એટલો સમય ત્યાં
સ્થિત કરી શકો. ફાઇનલ પેપર છે ખુબ જ સહજ. અને પહેલે થી જ બતાવી દે છે કે આ પેપર
આવવાનું છે. પરંતુ નંબર ખુબ થોડા સમય માં મળવાનો છે. સ્ટેજ પાવરફુલ હોય.
દેહ, દેહનાં સંબંધ, દેહ સંસ્કાર, વ્યક્તિ અથવા વૈભવ, વાયબ્રેશન, વાયુમંડળ બધું હોવા
છતાં પણ આકર્ષિત ન કરે. આને જ કહે છે નષ્ટોમોહા સમર્થ સ્વરુપ. તો એવી પ્રેક્ટિસ છે?
લોકો ચિલ્લાવતા રહે અને તમે અચળ રહો. પ્રકૃતિ પણ, માયા પણ બધાં છેલ્લો દાવ લગાવવા
માટે પોતાની તરફ કેટલું પણ ખેંચે પરંતુ તમે ન્યારા અને બાપ નાં પ્યારા બનવાની સ્થિતિ
માં લવલીન રહો, આને કહેવાય જોવા છતાં ન જુઓ, સાંભળવાં છતાં ન સાંભળો….. એવો અભ્યાસ
હોય. આને જ સ્વીટ સાઇલેન્સ સ્વરુપ ની સ્થિતિ કહેવાય છે. તો પણ બાપદાદા સમય આપી રહ્યાં
છે. જો કોઈ પણ કમી (ઉણપ) છે તો હજું પણ ભરી શકો છો કારણ કે લાંબાકાળ નો હિસાબ
સંભળાવ્યો. તો હમણાં થોડો ચાન્સ (તક) છે, એટલે આ પ્રેક્ટિસ ની તરફ પૂરું અટેન્શન
રાખો. પાસ વિદ ઓનર બનવું અથવા પાસ થવું એનો આધાર આ જ અભ્યાસ પર છે. એવો અભ્યાસ છે?
સમયની ઘંટી વાગે ત્યારે તૈયાર થશો કે હમણાં વિચારો છો તૈયાર થવું છે? આ જ અભ્યાસ
નાં કારણે અષ્ટ રત્નો ની માળા વિશેષ નાની બની છે. ખુબ થોડા સમય ની છે. જેમ તમે લોકો
કહો છો ને સેકન્ડમાં મુક્તિ કે જીવનમુક્તિ નો વારસો લેવો બધાનો અધિકાર છે. તો
સમાપ્તિ નાં સમયે પણ નંબર મળવો થોડા સમયની વાત છે. પરંતુ જરા પણ હલચલ ન હોય. બસ
બિંદી કહ્યું અને બિંદી માં ટકી જાઓ. બિંદી હલે નહીં. એવું નહીં કે તે સમયે અભ્યાસ
કરવાનું શરું કરો - હું આત્મા છું... હું આત્મા છું... આ નહીં ચાલે કારણ કે
સંભળાવ્યું, વાર પણ ચારે બાજુ નો હશે. છેલ્લી કોશિશ બધાં કરશે. પ્રકૃતિ માં પણ જેટલી
શક્તિ હશે, માયા માં પણ જેટલી શક્તિ હશે, કોશિશ કરશે. તેમની પણ છેલ્લી કોશિશ અને
તમારી છેલ્લી કર્માતીત, કર્મબંધન મુક્ત સ્થિતિ હશે. બંને તરફ નો ખુબ પાવરફુલ સીન (દૃશ્ય)
હશે. તે પણ ફુલ ફોર્સ, આ પણ ફુલ ફોર્સ. પરંતુ સેકન્ડ ની વિજય, વિજય નાં નગારાં
વગાડશે. સમજ્યાં છેલ્લું પેપર શું છે. બધાં શુભ સંકલ્પ તો આ જ રાખે પણ છે અને
રાખવાનો પણ છે કે નંબરવન આવવાનો જ છે. તો જ્યારે ચારે બાજુ ની વાતો માં વિન (જીતશો)
થશો ત્યારે વન આવશે. જો એક વાત માં જરા પણ વ્યર્થ સંકલ્પ, વ્યર્થ સમય લાગી ગયો તો
નંબર પાછળ થઈ જશે એટલે બધું ચેક (તપાસ) કરો. ચારેય તરફ તપાસ કરો. ડબલ વિદેશી બધામાં
તીવ્ર જવા ઈચ્છે છે ને એટલે જ તીવ્ર પુરુષાર્થ અથવા ફુલ અટેન્શન આ અભ્યાસ માં હમણાં
થી આપતાં રહો. સમજ્યાં! ક્વેશ્ચન (પ્રશ્ન) ને પણ જાણો છો અને સમય ને પણ જાણો છો. પછી
તો બધાં પાસ થવા જોઈએ. જો પહેલે થી ક્વેશ્ચન ની ખબર હોય છે તો તૈયારી કરી લે છે. પછી
પાસ થઈ જાય છે. આપ સર્વ તો પાસ થવા વાળા છો ને! અચ્છા.
આ સીઝન બાપદાદાએ દરેક થી મળવાનો ખુલ્લો ભંડારો ખોલ્યો છે. આગળ શું થવાનું છે, તે પછી
બતાવશે. હમણાં ખુલ્લા ભંડાર થી જે પણ લેવાં આવ્યાં છે તે તો લઈ જ લેશે. ડ્રામા નું
દૃશ્ય સદા બદલાય જ છે પરંતુ આ સીઝન માં ભલે ભારતવાસીઓ ને, ભલે ડબલ વિદેશીઓને બધાને
વિશેષ વરદાન તો મળ્યું જ છે.બાપદાદાએ જે વાયદો કર્યો છે એ તો નિભાવશે. આ સીઝન નું
ફળ ખાઓ. ફળ છે મિલન, વરદાન. બધાં સીઝનનું ફળ ખાવા આવ્યાં છો ને. બાપદાદા ને પણ
બાળકોને જોઈ ખુશી થાય છે. છતાં પણ સાકારી સૃષ્ટિ માં તો બધું જોવાનું હોય છે. હમણાં
તો મોજ મનાવી લો. પછી સિઝન નાં અંતમાં સંભળાવશે.
સેવાના સ્થાન ભલે અલગ-અલગ છે પરંતુ સેવાનું લક્ષ તો એક જ છે. ઉમંગ-ઉલ્લાસ એક જ છે
એટલે બાપદાદા બધાં સ્થાનો ને વિશેષ મહત્વ આપે છે. એવું નહીં એક સ્થાન મહત્વ વાળું
છે, બીજું ઓછું છે. ના. જે પણ ધરણી પર બાળકો પહોંચ્યા છે એનાથી કોઈને કોઈ વિશેષ
રીઝલ્ટ અવશ્ય નીકળવાનું છે. પછી ભલે કોઈનું જલ્દી દેખાય, કોઈનું સમય પર દેખાશે.
પરંતુ વિશેષતા બધી બાજુ ની છે. કેટલાં સારા-સારા રત્ન નીકળ્યાં છે. એવું નહીં સમજતાં
કે અમે તો સાધારણ છીએ. બધાં વિશેષ છો. જો કોઈ વિશેષ ન હોત તો બાપ ની પાસે ન પહોંચત.
વિશેષતા છે પરંતુ કોઈ વિશેષતા ને સેવામાં લગાવે છે કોઈ સેવા માં લગાડવા માટે હમણાં
તૈયાર થઈ રહ્યાં છે, બાકી છે બધાં વિશેષ આત્માઓ. બધાં મહારથી, મહાવીર છો. એક-એક ની
મહિમા શરું કરે તો લાંબી-પહોળી માળા બની જશે. શક્તિઓને જુઓ તો દરેક શક્તિ મહાન આત્મા,
વિશ્વ કલ્યાણકારી આત્મા દેખાશે. એવું છે ને કે ફક્ત પોત-પોતાનાં સ્થાનનાં કલ્યાણકારી
છો? અચ્છા.
૦૬-૦૯-૨૦૨૦ પ્રાતઃમુરલી ઓમ શાંતિ “અવ્યક્ત-બાપદાદા” રીવાઈઝ ૧૯-૦૩-૮૬ મધુબન
અમૃતવેલા - શ્રેષ્ઠ પ્રાપ્તિઓ ની વેળા
આજે રુહાની બાગવાન પોતાનાં રુહાની રોઝ ફ્લાવર્સ (ગુલાબ નાં ફૂલો) નો બગીચો જોઈ રહ્યાં
છે. આવો રુહાની ગુલાબનો બગીચો હમણાં આ સંગમયુગ પર જ બાપ દ્વારા જ બને છે. બાપદાદા
દરેક રુહાની ગુલાબ નાં ફૂલની રુહાનીયત ની સુગંધ અને રુહાનીયત નાં ખીલેલાં પુષ્પો ની
રોનક જોઈ રહ્યાં છે. સુગંધિત બધાં છે પરંતુ કોઈની સુગંધ સદાકાળ રહેવા વાળી છે અને
કોઈની સુગંધ થોડાં સમય માટે રહે છે. કોઈ ગુલાબ સદા ખીલેલાં છે અને કોઈ ક્યારેક
ખીલેલાં ક્યારેક થોડાક તડકા કે ઋતુનાં હિસાબ થી મુરઝાઈ પણ જાય છે. પરંતુ છે તો પણ
રુહાની બાગવાન નાં બગીચા નાં રુહાની ગુલાબ. કોઈ-કોઈ રુહાની ગુલાબ માં જ્ઞાનની સુગંધ
વિશેષ છે. કોઈમાં યાદ ની સુગંધ વિશેષ છે. તો કોઈમાં ધારણા ની સુગંધ, કોઇમાં સેવાની
સુગંધ વિશેષ છે. કોઈ-કોઈ એવાં પણ છે જે સર્વ સુગંધ થી સંપન્ન છે. તો બગીચા માં સૌથી
પહેલી નજર કોના ઉપર જશે? જેની દૂર થી જ સુગંધ આકર્ષિત કરશે. તે તરફ જ બધાની નજર
પહેલાં જાય છે. તો રુહાની બાગવાન સદૈવ બધાં રુહાની ગુલાબનાં પુષ્પો ને જુએ છે. પરંતુ
નંબરવાર. પ્રેમ પણ બધાં થી છે કારણ કે દરેક ગુલાબ પુષ્પ નાં અંદર બાગવાન પ્રતિ અતિ
પ્રેમ છે. માલિક થી પુષ્પો નો પ્રેમ છે. અને માલિક નો પુષ્પો થી પ્રેમ છે. છતાં પણ
શોકેસ માં સદા રાખવાવાળા રુહાની ગુલાબ એ જ હોય જે સદા સર્વ સુગંધ થી સંપન્ન છે અને
સદા ખીલેલાં છે. મૂરઝાયેલાં ક્યારેય નહીં. રોજ અમૃતવેલાએ બાપદાદા સ્નેહ અને શક્તિ
ની વિશેષ પાલના થી બધાં રુહાની ગુલાબ નાં પુષ્પો થી મિલન મનાવે છે.
અમૃતવેલા વિશેષ પ્રભુ પાલના ની વેળા છે. અમૃતવેલા વિશેષ પરમાત્મા મિલન ની વેળા છે.
રુહાની રુહ-રુહાન કરવાની વેળા છે. અમૃતવેલા ભોળા ભંડારી નાં વરદાનો નાં ખજાના થી
સહજ વરદાન પ્રાપ્ત થવાની વેળા છે. જે ગાયન છે મન ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું, આ, આ
સમયે અમૃતવેલા નાં સમય નું ગાયન છે. વગર મહેનતે ખુલ્લા ખજાના પ્રાપ્ત કરવાની વેળા
છે. આવાં સુખદ સમય ને અનુભવ થી જાણો છો ને. અનુભવી જ જાણે આ શ્રેષ્ઠ સુખ ને,
શ્રેષ્ઠ પ્રાપ્તિઓ ને. તો બાપદાદા બધાં રુહાની ગુલાબ ને જોઈ-જોઈ હર્ષિત થઇ રહ્યાં
છે. બાપદાદા પણ કહે છે વાહ મારાં રુહાની ગુલાબ. તમે વાહ-વાહ નાં ગીત ગાઓ તો બાપદાદા
પણ આ જ ગીત ગાએ. સમજ્યાં!
મુરલીઓ તો ઘણી સાંભળી છે. સાંભળી-સાંભળીને સંપન્ન બની ગયાં છો. હવે મહાદાની બની
વેચવાનાં પ્લાન (યોજના) બનાવી રહ્યાં છો. આ ઉમંગ ખુબ સારો છે. આજે યુ.કે. અર્થાત્
ઓ.કે. રહેવા વાળા નો ટર્ન છે. ડબલ વિદેશીઓનો એક શબ્દ સાંભળી ને બાપદાદા સદા હર્ષાતાં
રહે છે. કયો? થેંક યૂ. થેંક યૂ કરતા પણ બાપને પણ યાદ કરતા રહે છે કારણ કે સૌથી પહેલો
ધન્યવાદ દિલ થી બાપ નો જ માને છે. તો જ્યારે કોઈને પણ થેંક યૂ કરે છે તો પહેલાં બાપ
યાદ આવશે ને! બ્રાહ્મણ જીવન માં પહેલો ધન્યવાદ સ્વત:જ બાપ નાં પ્રતિ નીકળે છે.
ઉઠતાં-બેસતાં અનેક વખત થેંક યૂ કહો છો. આ પણ એક વિધિ છે બાપ ને યાદ કરવાની.
યુ.કે.વાળા સર્વ ભિન્ન-ભિન્ન હદની શક્તિઓ વાળાઓને મળાવવાનાં નિમિત્ત બનેલાં છો ને.
અનેક પ્રકાર નાં નોલેજ ની શક્તિઓ છે. ભિન્ન-ભિન્ન શક્તિ વાળા, ભિન્ન-ભિન્ન વર્ગ વાળા,
ભિન્ન-ભિન્ન ધર્મ વાળા, ભાષા વાળા બધાને મળાવીને એક જ બ્રાહ્મણ વર્ગમાં લાવવાં,
બ્રાહ્મણ ધર્મ માં, બ્રાહ્મણ ભાષામાં આવવું. બ્રાહ્મણો ની ભાષા પણ પોતાની છે. જે નવાં
સમજી પણ ન શકે કે આ શું બોલે છે. તો બ્રાહ્મણો ની ભાષા, બ્રાહ્મણો ની ડીક્ષનરી (શબ્દકોશ)
જ પોતાની છે. તો યુ.કે. વાળા બધાને એક બનાવવામાં બીઝી (વ્યસ્ત) રહો છો ને. સંખ્યા
પણ સારી છે અને સ્નેહ પણ સારો છે દરેક સ્થાન ની પોત-પોતાની વિશેષતાઓ તો છે જ પરંતુ
આજે યુ.કે. નું સંભળાવી રહ્યાં છે. યજ્ઞ સ્નેહી, યજ્ઞ સહયોગી આ વિશેષતા સારી દેખાય
છે. દરેક કદમ માં પહેલાં યજ્ઞ અર્થાત્ મધુબન નો ભાગ નીકાળવામાં સારા નંબર માં જઈ
રહ્યાં છે. ડાયરેક્ટ મધુબન ની યાદ એક સ્પેશ્યલ લિફ્ટ બની જાય છે. દરેક કાર્યમાં,
દરેક કદમ માં મધુબન અર્થાત્ બાપની યાદ છે અથવા બાપનું ભણતર છે અથવા બાપનું બ્રહ્મા
ભોજન છે અથવા બાપ થી મિલન છે. મધુબન સ્વતઃ જ બાપની યાદ અપાવવા વાળું છે. ક્યાંય પણ
રહેતાં મધુબન ની યાદ આવવી અર્થાત્ વિશેષ સ્નેહ, લિફ્ટ બની જાય છે. ચઢવાની મહેનત થી
છૂટી જાઓ. સેકન્ડ માં સ્વીચ ઓન (ચાલુ) કરી અને પહોંચ્યાં.
બાપદાદા ને બીજા કોઈ હીરા મોતી તો જોવતાં નથી. બાપને સ્નેહ ની નાની વસ્તુ જ હીરા
રત્ન છે એટલે સુદામા નાં કાચાં ચોખા ગવાયેલા છે. આનો ભાવ અર્થ એ જ છે કે સ્નેહ ની
નાની એવી સોય માં પણ મધુબન યાદ આવે છે. તો તે પણ ખુબ મોટું અમૂલ્ય રત્ન છે કારણ કે
સ્નેહ નું મૂલ્ય છે. વેલ્યુ સ્નેહ ની છે. વસ્તુ ની નહીં. જો કોઈ એમ જ ભલે કેટલું પણ
આપી દે પરંતુ સ્નેહ નથી તો તેનું જમા નથી થતું અને સ્નેહ થી થોડું પણ જમા કરે તો
તેનું પદમ જમા થઈ જાય છે. તો બાપ ને સ્નેહ પસંદ છે. તો યુ.કે. વાળા ની વિશેષતા યજ્ઞ
સ્નેહી, યજ્ઞ સહયોગી આદિ થી રહ્યાં છે. આ જ સહજયોગ પણ છે. સહયોગ, સહજયોગ છે. સહયોગ
નો સંકલ્પ આવવાથી પણ યાદ તો બાપની રહેશે ને. તો સહયોગી, સહજયોગી સ્વતઃ જ બની જાય
છે. યોગ બાપ થી હોય છે, મધુબન અર્થાત્ બાપદાદા થી. તો સહયોગી બનવા વાળા પણ સહજયોગ
ની સબ્જેક્ટ (વિષય) માં સારા નંબર લઈ લે છે. દિલનો સહયોગ બાપ ને પ્રિય છે. એટલે અહીં
યાદગાર પણ દિલવાળા મંદિર બનાવ્યું છે. તો દિલવાળા બાપને દિલનો સ્નેહ, દિલનો સહયોગ જ
પ્રિય છે. નાનાં દિલવાળા નાનો સોદો કરી ખુશ થઇ જાય અને મોટાં દિલવાળા બેહદ નો સોદો
કરે છે. ફાઉન્ડેશન મોટું દિલ છે તો વિસ્તાર પણ મોટો થઈ રહ્યો છે. જેમ કોઈ જગ્યા પર
વૃક્ષ જોયાં હશે તો વૃક્ષની શાખાઓ પણ મૂળ બની જાય છે. તો યુ.કે. નાં ફાઉન્ડેશન થી
મૂળ નીકળ્યાં, શાખાઓ નીકળી. હવે તે શાખાઓ પણ મૂળ બની ગઈ. તે મૂળ થી પણ શાખાઓ નીકળી
રહી છે. જેમ ઓસ્ટ્રેલિયા નીકળ્યું, અમેરિકા, યુરોપ, આફ્રિકા નીકળ્યું. બધાં મૂળ બની
ગયાં અને દરેક મૂળ ની શાખાઓ પણ સારી રીતે વૃદ્ધિને પામી રહી છે કારણ કે ફાઉન્ડેશન
સ્નેહ અને સહયોગ નાં પાણી થી મજબૂત છે. એટલે વિસ્તાર પણ સારો છે અને ફળ પણ સારા છે.
અચ્છા-
વરદાન :-
દેહભાન નો
ત્યાગ કરી નિક્રોધી બનવા વાળા નિર્માનચિત્ત ભવ
જે બાળકો દેહભાન નો
ત્યાગ કરે છે તેમને ક્યારેય પણ ક્રોધ નથી આવી શકતો કારણ કે ક્રોધ આવવાના બે કારણ
હોય છે. એક-જ્યારે કોઈ જુઠ્ઠી વાત કહે છે અને બીજું જ્યારે કોઈ ગ્લાની કરે છે. આ જ
બે વાતો ક્રોધને જન્મ આપે છે. આવી પરિસ્થિતિમાં નિર્માન ચિત્ત નાં વરદાન દ્વારા
અપકારી પર પણ ઉપકાર કરો, ગાળ આપવા વાળા ને ગળે લગાવો, નિંદા કરવા વાળા ને સાચાં
મિત્ર માનો-ત્યારે કહેશે કમાલ. જ્યારે આવું પરિવર્તન દેખાડો ત્યારે વિશ્વનાં આગળ
પ્રસિદ્ધ થશો.
સ્લોગન :-
મોજ નો અનુભવ
કરવા માટે માયા ની અધીનતા ને છોડી સ્વતંત્ર બનો