12-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સદા આ
જ સ્મૃતિ રહે કે અમે શ્રીમત પર પોતાની સતયુગી રાજધાની સ્થાપન કરી રહ્યાં છે , તો
અપાર ખુશી રહેશે ”
પ્રશ્ન :-
આ જ્ઞાન નું
ભોજન કયાં બાળકોને હજમ નથી થઈ શકતું?
ઉત્તર :-
જે ભૂલો કરી ને, છી-છી (પતિત) બનીને પછી ક્લાસ માં આવીને બેસે છે, તેમને જ્ઞાન હજમ
નથી થઈ શકતું. તેઓ મુખ થી ક્યારેય પણ નથી કહી શકતાં કે ભગવાનુવાચ કામ મહાશત્રુ છે.
તેમનું દિલ અંદર જ અંદર ખાતું રહેશે. તે આસુરી સંપ્રદાય નાં બની જાય છે.
ઓમ શાંતિ!
બાપ બેસી
રુહાની બાળકો ને સમજાવે છે, એ કયા બાપ છે, એ બાપની મહિમા આપ બાળકોએ કરવાની છે. ગવાય
પણ છે સત્ શિવબાબા, સત્ શિવ શિક્ષક, સત્ શિવ ગુરુ. સત્ય તો એ છે ને. આપ બાળકો જાણો
છો આપણને સત્ય શિવબાબા મળ્યાં છે. આપણે બાળકો હવે શ્રીમત પર એક મત બની રહ્યાં છીએ.
તો શ્રીમત પર ચાલવું જોઈએ ને. બાપ કહે છે એક તો દેહી-અભિમાની બનો અને બાપ ને યાદ કરો.
જેટલું યાદ કરશો, પોતાનું કલ્યાણ કરશો. તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો ફરી
થી. પહેલા પણ આપણી રાજધાની હતી. આપણે દેવી-દેવતા ધર્મવાળા જ ૮૪ જન્મ ભોગવી, અંતિમ
જન્મ માં હમણાં સંગમ પર છીએ. આ પુરુષોત્તમ સંગમયુગની, સિવાય આપ બાળકોનાં બીજા કોઈને
ખબર નથી. બાબા કેટલાં પોઇન્ટ્સ (જ્ઞાન) આપે છે - બાળકો, જો સારી રીતે યાદમાં રહેશે
તો ખુબ ખુશી માં રહેશે. પરંતુ બાપ ને યાદ કરવાનાં બદલે બીજી દુનિયાવી વાતો માં પડી
જાય છે. આ યાદ રહેવી જોઈએ કે આપણે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ.
ગવાયેલ પણ છે ઊંચે થી ઊંચા ભગવાન, એમની જ ઊંચે થી ઊંચી શ્રીમત છે. શ્રીમત શું
શીખવાડે છે? સહજ રાજ્યોગ. રાજાઈ નાં માટે ભણાવી રહ્યાં છે. પોતાનાં બાપ દ્વારા
સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણીને પછી દેવીગુણ પણ ધારણ કરવાનાં છે. બાપનો ક્યારેય
સામનો ન કરવો જોઈએ. ઘણાં બાળકો પોતાને સર્વિસએબુલ (સેવાધારી) સમજી અહંકાર માં આવી
જાય છે. એવાં ઘણાં હોય છે. પછી ક્યાંક-ક્યાંક હાર ખાઇ લે છે તો નશો જ ઉડી જાય છે.
આપ માતાઓ તો અભણ છો. ભણેલી હોત તો કમાલ કરી દેખાડત. પુરુષો માં તો પણ ભણેલાં-ગણેલાં
કોઈક છે. આપ કુમારીઓ એ કેટલું નામ રોશન કરવું જોઈએ. તમે શ્રીમત પર રાજાઈ સ્થાપન કરી
હતી. નારી થી લક્ષ્મી બની હતી તો કેટલો નશો રહેવો જોઈએ. અહીંયાં તો જુઓ પાઈ પૈસા
નાં ભણતર માં જાન કુરબાન કરી રહ્યાં છે. હવે તમે ગોરા બનો છો પછી કાળા, તમોપ્રધાન
થી કેમ દિલ લગાવો છો. આ કબ્રિસ્તાન થી દિલ નથી લગાડવાનું. આપણે તો બાપથી વારસો લઇ
રહ્યાં છીએ. જૂની દુનિયા થી દિલ લગાડવું એટલે જહન્નુમ (નર્ક, દોજક) માં જવું છે.
બાપ આવીને દોજક થી બચાવે છે તો પણ મુખ દોજક તરફ કેમ કરી દે છે. તમારું આ ભણતર કેટલું
સહજ છે. કોઈ ઋષિ-મુનિ નથી જાણતાં. ન કોઈ શિક્ષક, ન કોઈ ઋષિ-મુનિ સમજાવી શકે છે. આ
તો બાપ-શિક્ષક-ગુરુ પણ છે. તે ગુરુ લોકો શાસ્ત્ર સંભળાવે છે. તેમને શિક્ષક નહીં
કહેશું તે કોઈ એવું નથી કહેતા કે અમે દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવીએ છીએ. તે
તો શાસ્ત્રો ની વાતો જ સંભળાવશે. બાપ તમને શાસ્ત્રો નો સાર સમજાવે છે અને પછી
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી પણ બતાવે છે. હવે આ શિક્ષક સારા કે તે શિક્ષક સારા? તે
શિક્ષક થી તમે કેટલું પણ ભણો, શું કમાશો? તે પણ નસીબ. ભણતાં-ભણતાં કોઈ એક્સિડન્ટ (અકસ્માત)
થઈ જાય, મરી જાય તો ભણતર ખતમ. અહીંયાં તમે આ ભણતર જેટલું પણ ભણશો, તે વ્યર્થ જશે નહીં.
હાં, શ્રીમત પર ન ચાલી ક્યાંય ઉલ્ટા ચાલી પડે કે ગટર માં જઈને નીચે પડે તો જેટલું
ભણ્યાં તે કાંઈ ચાલ્યું નથી જતું, આ ભણતર તો ૨૧ જન્મોનાં માટે છે. પરંતુ પડવાથી
કલ્પ-ક્લ્પાન્તર નો ઘાટો ખુબ-ખુબ પડી જાય છે. બાપ કહે છે - બાળકો, કાળુ મોઢું નહીં
કરો. એવાં ખુબ છે જે કાળું મોઢું કરીને, છી-છી બનીને પછી આવીને બેસી જાય છે. તેમને
ક્યારેય આ જ્ઞાન હજમ નહીં થશે. બદ-હજમી (અપચો) થઈ જાય છે. જે સાંભળશે તે બદ-હાજમ થઈ
જશે, પછી મુખ થી કોઈને કહી નહિં શકે ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, તેનાં પર જીત
પામવાની છે. પોતે જ જીત નથી પામતા તો બીજાઓને કેવી રીતે કહેશે! અંદર ખાશે ને! તેમને
કહેવાય છે આસુરી સંપ્રદાય, અમૃત પીતા-પીતા વિષ ખાઈ લે છે તો ૧૦૦ ગુણા કાળા બની જાય
છે. હાડકે-હાડકું તૂટી જાય છે.
આપ માતાઓનું સંગઠન તો ખુબ સારું હોવું જોઈએ. લક્ષ્ય-હેતુ તો સામે છે. તમે જાણો છો આ
લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં એક દેવી-દેવતા ધર્મ હતો. એક રાજ્ય, એક ભાષા, ૧૦૦ ટકા
પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપ્રટી (સમૃદ્ધિ) હતી. તે એક રાજ્યની જ બાપ
હમણાં સ્થાપન કરી રહ્યાં છે. આ છે લક્ષ-હેતુ. ૧૦૦ ટકા પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ
ની સ્થાપના હવે થઈ રહી છે. તમે દેખાડો છો વિનાશ નાં પછી શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે.
ક્લિયર (સ્પષ્ટ) લખી દેવું જોઈએ. સતયુગી એક જ દેવી-દેવતાઓ નું રાજ્ય, એક ભાષા,
પવિત્રતા, સુખ, શાંતિ ફરી થી સ્થાપન થઈ રહી છે. ગવર્મેન્ટ (સરકાર) ઈચ્છે છે ને.
સ્વર્ગ હોય જ છે સતયુગ-ત્રેતા માં. પરંતુ મનુષ્ય પોતાને નર્કવાસી સમજે થોડી છે. તમે
લખી શકો છો - દ્વાપર-કળયુગ માં બધાં નર્કવાસી છે. હમણાં તમે સંગમયુગી છો. પહેલાં તમે
પણ કળયુગી નર્કવાસી હતાં, હવે તમે સ્વર્ગવાસી બની રહ્યાં છો. ભારત ને સ્વર્ગ બનાવી
રહ્યાં છો શ્રીમત પર. પરંતુ તે હિમ્મત, સંગઠન હોવું જોઈએ. ચક્કર પર જાય છે તો આ
ચિત્ર લક્ષ્મી-નારાયણ નાં લઈ જવા પડે. સારું છે. આમાં લખી દો આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ, સુખ-શાંતિ નું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે - ત્રિમૂર્તિ શિવબાબા ની શ્રીમત પર.
આવાં-આવાં મોટા-મોટા અક્ષર માં મોટા-મોટા ચિત્ર હોય. નાનાં બાળકો નાનાં ચિત્ર પસંદ
કરે છે. અરે, ચિત્રો તો જેટલાં મોટા હોય એટલું સારું. આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર
તો ખુબ સરસ છે. આમાં ફક્ત લખવાનું છે એક જ સત્ય ત્રિમૂર્તિ શિવબાબા, સત્ય ત્રિમૂર્તિ
શિવ શિક્ષક, સત્ય ત્રિમૂર્તિ શિવ ગુરુ. ત્રિમૂર્તિ અક્ષર નહીં લખશો તો સમજશે
પરમાત્મા તો નિરાકાર છે, એ શિક્ષક કેવી રીતે હોઈ શકે છે. જ્ઞાન તો નથી ને.
લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ટીન ની સીટ (બેઠક) પર બનાવીને દરેક જગ્યા પર રાખવાનું છે,
આ સ્થાપના થઈ રહી છે. બાપ આવ્યાં છે બ્રહ્મા દ્વારા એક ધર્મ ની સ્થાપના બાકી બધાનો
વિનાશ કરાવી દેશે. આ બાળકોને સદૈવ નશો રહેવો જોઈએ. થોડી-થોડી વાત માં એક મત નથી મળતી
તો ઝટ બગડી જાય છે. આ તો થાય જ છે. કોઈ કઈ તરફ, કોઈ કઈ તરફ, પછી મેજોરીટી (બહુમત)
વાળા ને ઉઠાવાય છે, આમાં રંજ (દુઃખી) થવાની વાત નથી. બાળકો રિસાય જાય છે. અમારી વાત
માનવામાં નથી આવી, અરે, આમાં રીસાવાની શું વાત છે. બાપ તો બધાને રીઝાવવા વાળા છે.
માયાં એ બધાને રીસાવી દીધાં છે, બધાં બાપ થી રિસાયેલા છે. રિસાય પણ શું - બાપ ને
જાણતાં જ નથી. જે બાપે સ્વર્ગની બાદશાહી આપી એમને જાણતાં જ નથી. બાપ કહે છે હું
તમારા પર ઉપકાર કરું છું. તમે પછી મારા પર અપકાર કરો છો. ભારતનો હાલ જુઓ શું છે.
તમારા માં પણ ખુબ થોડાં છે જેમને નશો રહે છે. આ છે નારાયણી નશો. એવું થોડી કહેવું
જોઈએ કે અમે તો રામ-સીતા બનીશું. તમારું લક્ષ્ય-હેતુ છે જ નર થી નારાયણ બનવાનું. તમે
પછી રામ-સીતા બનવામાં ખુશ થઇ જાઓ છો, હિમ્મત દેખાડવી જોઇએ ને. જૂની દુનિયાથી બિલકુલ
દિલ ન લગાડવું જોઈએ. કોઈથી દિલ લગાડયું અને મર્યા. જન્મ-જન્માંતર નો ઘાટો પડી જશે.
બાબા થી તો સ્વર્ગ નું સુખ મળે છે પછી આપણે નર્કમાં કેમ પડીએ. બાપ કહે છે તમે જ્યારે
સ્વર્ગ માં હતાં તો બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં ડ્રામા અનુસાર તમારો ધર્મ છે નહીં.
કોઈ પણ પોતાને દેવતા ધર્મનાં નથી સમજતાં. મનુષ્ય થઈને પણ પોતાનાં ધર્મને ન જાણે તો
શું કહેવાય. હિન્દુ કોઈ ધર્મ થોડી છે. કોણે સ્થાપન કર્યો, આ પણ નથી જાણતાં. આપ
બાળકોને કેટલું સમજાવાય છે. બાપ કહે છે હું કાળો નો કાળ હવે આવ્યો છું-બધાને પાછાં
લઈ જવાં. બાકી જે સારી રીતે ભણશે તે વિશ્વનાં માલિક બનશે. હવે ચાલો ઘરે. અહીંયાં
રહેવા લાયક નથી, ખુબ કીચડો કરી દીધો છે - આસુરી મત પર ચાલીને. બાપ તો એવું કહેશે
ને. તમે ભારતવાસી જે વિશ્વનાં માલિક હતાં, હવે કેટલાં ધક્કા ખાતાં રહો છો. લજ્જા નથી
આવતી. તમારામાં પણ કોઈ છે જે સારી રીતે સમજે છે. નંબરવાર તો છે ને. ઘણાં બાળકો તો
ઊંઘ માં રહે છે. તે ખુશી નો પારો નથી ચઢતો. બાબા આપણને ફરી થી રાજધાની આપે છે. બાપ
કહે છે - આ સાધુઓ વગેરે નો પણ હું ઉદ્ધાર કરું છું. તે પોતે ન પોતાને, ન બીજાને
મુક્તિ આપી શકે છે. સાચાં ગુરુ તો એક જ સદ્દગુરુ છે, જે સંગમ પર આવીને સર્વ ની
સદ્દગતિ કરે છે. બાપ કહે છે હું આવું છું કલ્પ નાં સંગમ યુગે યુગે, જ્યારે કે મારે
આખી દુનિયાને પાવન બનાવવાની છે. મનુષ્ય સમજે છે બાપ સર્વ શક્તિમાન્ છે, તે શું નથી
કરી શકતાં. અરે, મને બોલાવો જ છો કે અમને પતિતો ને પાવન બનાવો તો હું આવીને પાવન
બનાવું છું. બાકી બીજું શું કરીશ. બાકી તો રિદ્ધિ-સિદ્ધિ વાળા અનેક છે, મારું કામ જ
છે નર્ક ને સ્વર્ગ બનાવવાનું. તે તો દર ૫ હજાર વર્ષ પછી બને છે. આજ તમે જ જાણો છો.
આદિ સનાતન છે દેવી-દેવતા. ધર્મ બાકી તો બધાં પાછળ-પાછળ આવે છે. અરવિંદ ઘોષ તો હમણાં
આવ્યાં તો પણ જુઓ કેટલાં તેમનાં આશ્રમ બની ગયાં છે. ત્યાં કોઈ નિર્વિકારી બનવાની
વાત થોડી છે. તે તો સમજે છે ગૃહસ્થ માં રહેતાં પવિત્ર કોઈ રહી નથી શકતું. બાપ કહે
છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત એક જન્મ પવિત્ર રહો. તમે જન્મ-જન્માંતર તો પતિત
રહ્યાં છો. હવે હું આવ્યો છું તમને પાવન બનાવવાં. આ અંતિમ જન્મ પાવન બનો.
સતયુગ-ત્રેતા માં તો વિકાર હોતાં જ નથી.
આ લક્ષ્મી- નારાયણ નું ચિત્ર અને સીડી નું ચિત્ર ખુબ સરસ છે. આમાં લખેલું છે -
સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય હતું. સમજાવવાની ખુબ જ યુક્તિ જોઈએ. ઘરડી માતાઓને પણ
શીખવાડી ને તૈયાર કરવી જોઈએ, જે પ્રદર્શની માં કંઈક સમજાવી શકે. કોઈને પણ આ ચિત્ર
દેખાડીને બોલો આમનું રાજ્ય હતું ને. હમણાં તો છે નહીં. બાપ કહે છે - હવે તમે મને
યાદ કરો તો તમે પાવન બનીને પાવન દુનિયામાં ચાલ્યાં જશો. હવે પાવન દુનિયા સ્થાપન થઈ
રહી છે. કેટલું સહજ છે. ઘરડી માતાઓ બેસીને પ્રદર્શની પર સમજાવે ત્યારે નામ રોશન થાય.
કૃષ્ણનાં ચિત્ર માં પણ લખાણ ખુબ સરસ છે. બોલવું જોઈએ આ લખાણ જરુર વાંચો. આને
વાંચવાથી જ તમને નારાયણી નશો અથવા વિશ્વનાં માલિક-પણા નો નશો ચઢશે.
બાપ કહે છે હું તમને આવાં લક્ષ્મી-નારાયણ બનાવું છું તો તમારે પણ બીજાનાં ઉપર
રહેમદિલ બનવું જોઈએ. જ્યારે પોતાનું કલ્યાણ કરે ત્યારે બીજાઓનું પણ કરી શકશે. ઘરડી
માતાઓ ને એવું શીખવાડી ને હોશિયાર બનાવો જે પ્રદર્શની પર બાબા કહે કે ૮-૧૦ ઘરડી
માતાઓને મોકલો તો ઝટ આવી જાય. જે કરશે તે પામશે. સામે લક્ષ-હેતુ જોઈને જ ખુશી થાય
છે. અમે આ શરીર છોડી જઈ વિશ્વનાં માલિક બનીશું. જેટલું યાદમાં રહેશે એટલાં પાપ કપાશે.
જુઓ પરબીડિયા પર છપાયેલું છે - વન રિલિજિન, વન ડીટી કિંગડમ, વન લેંગવેજ (એક ધર્મ,
એક રાજ્ય, એક ભાષા)……..તે જલ્દી સ્થાપન થશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
પરસ્પર અથવા બાપ થી રીસાવાનું નથી, બાપ રીઝાવવા આવ્યાં છે એટલે ક્યારેય પણ રંજ (દુઃખી)
નથી થવાનું. બાપ નો સામનો નથી કરવાનો.
2. જૂની દુનિયા થી, જૂનાં દેહ થી દિલ નથી લગાડવાનું. સત બાપ, સત શિક્ષક અને સતગુરુ
ની સાથે સાચાં રહેવાનું છે. સદા એક ની શ્રીમત પર ચાલી દેહી-અભિમાની બનવાનું છે.
વરદાન :-
આદિ રત્ન ની
સ્મૃતિ થી પોતાનાં જીવન નું મૂલ્ય જાણવા વાળા સદા સમર્થ ભવ
જેમ બ્રહ્મા આદિદેવ
છે, એમ બ્રહ્માકુમાર, કુમારીઓ પણ આદિ રત્ન છે. આદિદેવ નાં બાળકો માસ્ટર આદિદેવ છે.
આદિ રત્ન સમજવાથી જ પોતાનાં જીવન નાં મૂલ્ય ને જાણી શકશો કારણ કે આદિ રત્ન અર્થાત્
પ્રભુ નાં રત્ન, ઈશ્વરીય રત્ન - તો કેટલી વેલ્યુ (મુલ્ય) થઈ ગઈ એટલે સદા પોતાને
આદિદેવ નાં બાળકો માસ્ટર આદિદેવ, આદિ રત્ન સમજી ને દરેક કાર્ય કરો તો સમર્થ ભવ નું
વરદાન મળી જશે. કાંઈ પણ વ્યર્થ જઈ નથી શકતું.
સ્લોગન :-
જ્ઞાની તૂ
આત્મા તે છે જે દગો ખાવા પહેલાં પારખીને સ્વયંને બચાવી લે.