09-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - દરેક
વાત માં યોગબળ થી કામ લો , બાપ થી કાંઈ પણ પૂછવાની વાત નથી , તમે ઈશ્વરીય સંતાન છો
એટલે કોઈ પણ આસુરી કામ ન કરો ”
પ્રશ્ન :-
તમારા આ યોગબળ
ની કરામત શું છે?
ઉત્તર :-
આ જ યોગબળ છે જેનાથી તમારી બધી કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે. યોગબળ નાં સિવાય તમે
પાવન બની નથી શકતાં. યોગબળ થી જ આખી સૃષ્ટિ પાવન બને છે.એટલે પાવન બનવા માટે અથવા
ભોજન ને શુદ્ધ બનાવવા માટે યાદની યાત્રા માં રહો. યુક્તિ થી ચાલો. નમ્રતા થી
વ્યવહાર કરો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવે છે. દુનિયામાં કોઈને ખબર નથી કે રુહાની બાપ આવીને સ્વર્ગની
કે નવી દુનિયાની સ્થાપના કેવી રીતે કરે છે. કોઈ પણ નથી જાણતાં. તમે બાપ થી કોઈ પણ
પ્રકાર ની માંગણી નથી કરી શકતાં. બાપ બધુંજ સમજાવે છે. કાંઈ પણ પૂછવાની દરકાર નથી
રહેતી, બધું જાતે જ સમજાવતાં રહે છે. બાપ કહે છે મારે કલ્પ-કલ્પ આ ભારતખંડ માં આવી
ને શું કરવાનું છે, તે હું જાણું છું, તમે નથી જાણતાં. રોજ-રોજ સમજાવતાં રહે છે.
કોઈ ભલે એક અક્ષર પણ ન પૂછે તો પણ બધુંજ સમજાવતાં રહે છે. ક્યારેક પૂછે છે ખાન-પાન
ની તકલીફ થાય છે. હવે આ તો સમજની વાત છે. બાબા એ કહી દીધું છે દરેક વાત માં યોગબળ
થી કામ લો, યાદ ની યાત્રા થી કામ લો અને ક્યાંય પણ જાઓ તો મુખ્ય વાત બાપ ને જરુર
યાદ કરવાનાં છે. બીજા કોઈ પણ આસુરી કામ નથી કરવાનાં. આપણે ઈશ્વરીય સંતાન છીએ એ છે
સર્વ નાં બાપ, બધાનાં માટે શિક્ષા એક જ આપશે. બાપ શિક્ષા આપે છે-બાળકો સ્વર્ગ નાં
માલિક બનવાનું છે. રાજાઈ માં પણ પોઝિશન (પદ) તો હોય છે ને. દરેક નાં પુરુષાર્થ
અનુસાર પદ હોય છે. પુરુષાર્થ બાળકોએ કરવાનો છે અને પ્રારબ્ધ પણ બાળકોએ પામવાની છે.
પુરુષાર્થ કરાવવા માટે બાપ આવે છે. તમને કાંઈ પણ ખબર નહોતી કે બાપ ક્યારે આવશે, શું
આવીને કરશે, ક્યાં લઈ જશે. બાપ જ આવી ને સમજાવે છે, ડ્રામા નાં પ્લાન અનુસાર તમે
ક્યાંથી પડ્યાં છો. એકદમ ઊંચી ચોટી થી. જરા પણ બુદ્ધિમાં નથી આવતું કે અમે કોણ છીએ.
હવે મહેસૂસ (અનુભવ) કરો છો ને. તમને સ્વપ્ન માં પણ નહોતું કે બાપ આવીને શું કરશે.
તમે પણ કાંઈ નહોતા જાણતાં. હવે બાપ મળેલાં છે તો સમજો છો આવાં બાપની ઉપર તો
ન્યોછાવર થવું પડે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય છે તો પતિ પર કેટલી ન્યોછાવર થાય છે.
ચિતા પર ચઢવામાં પણ ડર નથી હોતો. કેટલી બહાદુર હોય છે. પહેલાં ચિતા પર ખુબ ચઢતી હતી.
અહીંયા બાબા તો એવી કોઈ તકલીફ નથી આપતાં. ભલે નામ જ્ઞાન ચિતા છે પરંતુ બળવાની કોઈ
વાત નથી. બાપ બિલકુલ એવું સમજાવે છે જેમ માખણ થી વાળ. બાળકો સમજે છે બરાબર
જન્મ-જન્માતર નો માથા પર બોજો છે. કોઈ એક અજામિલ નથી. દરેક મનુષ્ય એક-બીજા થી વધારે
અજામિલ છે. મનુષ્યો ને શું ખબર પાછલાં જન્મ માં શું-શું કર્યુ છે. હમણાં તમે સમજો
છો પાપ જ કર્યા છે, વાસ્તવ માં પુણ્ય આત્મા એક પણ નથી. બધાં છે પાપ આત્માઓ. પુણ્ય
કરે તો પુણ્ય આત્મા બની જાય. પુણ્ય આત્માઓ હોય છે સતયુગ માં. કોઈએ હોસ્પિટલ વગેરે
બનાવી તો શું થયું. સીડી ઉતરવાથી થોડી બચી જશે. ચઢતી કળા તો નથી થતી ને. પડતા જ જાય
છે. આ બાપ તો એવાં બિલ્વેડ (પ્રિય) છે જેમનાં પર કહે છે જીવતે જીવ ન્યોછાવર થઈએ
કારણ કે પતિઓનાં પતિ, બાપો નાં બાપ સૌથી ઊંચા છે.
બાળકોને હમણાં બાપ જગાડી રહ્યાં છે. આવાં બાબા જે સ્વર્ગનાં માલિક બનાવે છે, કેટલાં
સાધારણ છે. શરું માં બાળકીઓ જ્યારે બીમાર પડતી હતી તો બાબા પોતે તેમની સેવા કરતાં
હતાં. અહંકાર કાંઈ પણ નહીં. બાપદાદા ઊંચે થી ઊંચા છે. કહે છે જેવાં કર્મ હું આમનાથી
કરાવીશ, અથવા કરીશ. બંને જેમ એક થઈ જાય છે. ખબર થોડી પડે છે. બાપ શું કરે છે, દાદા
શું કરે છે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બાપ જ બેસી ને સમજાવે છે. બાપ ખુબ ઊંચા છે.
માયા નો પણ કેટલો પ્રભાવ છે. ઈશ્વર બાપ કહે છે આવું નહીં કરો તો પણ નથી માનતાં.
ભગવાન કહે છે-મીઠા બાળકો, આ કામ નથી કરવાનું, તો પણ ઉલટું કામ કરી દે છે. ઉલટા કામ
માટે જ મનાઈ કરશે ને. પરંતુ માયા પણ ખુબ જબરજસ્ત છે. ભૂલે-ચુકે પણ બાપને નથી ભૂલવાનાં.
કાંઈ પણ કરે, મારે અથવા કૂટે. એવું કાંઈ બાપ કરતાં નથી પરંતુ અતિ માં કહેવાય છે.
ગીત પણ છે તમારા દર ને ક્યારેય પણ નહીં છોડશું. ભલે કાંઈ પણ કરો. બાહર રાખ્યું જ
શું છે. બુદ્ધિ પણ કહે છે જઈશું ક્યાં? બાપ બાદશાહી આપે છે પછી થોડી ક્યારે મળે છે.
એવું થોડી છે બીજા જન્મ માં કાંઈ મળી શકે છે. ના. આ પારલૌકિક બાપ છે જે બેહદ સુખધામ
નાં તમને માલિક બનાવે છે. બાળકોએ દેવીગુણ પણ ધારણ કરવાનાં છે, તે પણ બાપ સલાહ આપે
છે. પોતાનું પોલીસ વગેરેનું કામ પણ કરો, નહીં તો ડિસમિસ (નીકાળી) કરી દેશે. પોતાનું
કામ તો કરવાનું જ છે, આંખ દેખાડવી પડે છે. જેટલું થઈ શકે પ્રેમ થી કામ લો. નહિં તો
યુક્તિ થી આંખ દેખાડો. હાથ નથી ચલાવવાનાં. બાબા નાં કેટલાં અસંખ્ય બાળકો છે. બાબા
ને પણ બાળકોનો ખ્યાલ રહે છે ને. મૂળ વાત છે પવિત્ર રહેવું. જન્મ-જન્માંતર તમે
પોકાર્યુ છે ને - હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. પરંતુ અર્થ કાંઈ પણ નથી
સમજતાં. બોલાવે છે તો જરુર પતિત છે. નહીં તો બોલાવવાની દરકાર નથી. પૂજાની પણ દરકાર
નથી. બાપ સમજાવે છે આપ અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે, સહન કરવાનું જ છે. યુક્તિઓ
પણ બતાવતાં રહે છે. ખુબ નમ્રતા થી ચાલો. બોલો, તમે તો ભગવાન છો પછી આ શું માંગો છો?
હથિયાલો બાંધતા સમયે કહે છે-હું તમારો પતિ ઈશ્વર ગુરુ બધુંજ છું, હવે હું પવિત્ર
રહેવા ઈચ્છું છું, તો તમે રોકો કેમ છો. ભગવાન ને તો પતિત-પાવન કહેવાય છે ને. તમે જ
પાવન બનાવવા વાળા બની જાઓ. આમ પ્રેમ થી નમ્રતા થી વાત કરવી જોઈએ. ક્રોધ કરે તો
ફૂલોની વર્ષા કરો. મારે છે પછી અફસોસ પણ કરે છે. જેમ દારુ પીવે છે તો ખુબ નશો ચઢી
જાય છે. પોતાને બાદશાહ સમજે છે. તો આ વિષ પણ એવી વસ્તુ છે જે વાત નહીં પૂછો. પસ્તાય
પણ છે પરંતુ આદત પડી છે તો તૂટતી નથી. એક-બે વખત વિકાર માં ગયાં, બસ નશો ચઢ્યો પછી
પડતાં રહેશે. જેમ નશા ની વસ્તુ ખુશી માં લાવે છે, વિકાર પણ એવાં છે. અહીંયા પછી ખુબ
મહેનત છે. સિવાય યોગબળ નાં કોઈ પણ કર્મેન્દ્રિયો ને વશ નથી કરી શકતાં. યોગબળ ની જ
કરામત છે, ત્યારે તો નામ પ્રસિદ્ધ છે, બહાર થી આવે છે અહીંયા યોગ શીખવાં. શાંતિ માં
બેઠા રહેશે. ઘરબાર થી દૂર થઈ જાય છે. તે તો છે અડધાકલ્પ માટે આર્ટિફિશિયલ (બનાવટી)
શાંતિ. કોઈ ને સાચી શાંતિ ની ખબર જ નથી. બાપ કહે છે બાળકો, તમારો સ્વધર્મ જ છે શાંત,
આ શરીર થી તમે કર્મ કરો છો. જ્યાં સુધી શરીર ધારણ ન કરે ત્યાં સુધી આત્મા શાંત રહે
છે. પછી ક્યાય ને ક્યાંય જઈને પ્રવેશ કરે છે. અહીંયા તો પછી કોઈ-કોઈ સૂક્ષ્મ શરીર
થી ધક્કા ખાતી રહે છે. તે છાયા નાં શરીર હોય છે, કોઈ દુઃખ આપવા વાળા હોય છે, કોઈ
સારા હોય છે, અહીંયા પણ કોઈ ભલા મનુષ્ય હોય છે જે કોઈને દુઃખ નથી આપતાં. કોઈ તો ખુબ
જ દુઃખ આપે છે. કોઈ જેમ સાધુ મહાત્મા હોય છે.
બાપ સમજાવે છે મીઠા-મીઠા સિકિલધા બાળકો તમે ૫ હજાર વર્ષ બાદ ફરીથી આવી ને મળ્યાં
છો. શું લેવા માટે? બાપે બતાવ્યું છે તમને શું મળવાનું છે. બાબા આપ થી શું મળવાનું
છે, આ તો પ્રશ્ન જ નથી. આપ તો છો જ હેવનલી ગોડફાધર. નવી દુનિયાનાં રચયિતા. તો જરુર
આપ થી બાદશાહી જ મળશે. બાપ કહે છે થોડું પણ કંઈ સમજી ને જાય છે તો સ્વર્ગ માં જરુર
આવી જશે. હું સ્વર્ગ ની સ્થાપના કરવાં આવ્યો છું. મોટામાં મોટી આસામી છે ભગવાન અને
પ્રજાપિતા બ્રહ્મા. તમે જાણો છો વિષ્ણુ કોણ છે? બીજા કોઈને પણ ખબર છે નહીં. તમે તો
કહેશો અમે આમનાં કુળનાં છીએ, આ લક્ષ્મી-નારાયણ તો સતયુગ માં રાજ્ય કરે છે. આ ચક્ર
વગેરે વાસ્તવ માં વિષ્ણુ ને થોડી છે. આ અલંકાર આપણા, બ્રાહ્મણો નાં છે. હમણાં આ
નોલેજ છે. સતયુગ માં થોડી આ સમજાવશે. આવી વાતો બતાવવાની કોઈ માં તાકાત નથી. તમે આ
૮૪ નાં ચક્ર ને જાણો છો. આનો અર્થ કોઈ સમજી ન શકે. બાળકોને બાપે સમજાવ્યું છે. બાળકો
સમજી ગયાં છે. અમને તો આ અલંકાર શોભતાં નથી. આપણે હમણાં શિક્ષા મેળવી રહ્યાં છીએ.
પુરુષાર્થ કરી રહ્યાં છીએ. પછી એવાં બની જઈશું. સ્વદર્શન ચક્ર ફરાવતા-ફરાવતા આપણે
દેવતા બની જઈશું. સ્વદર્શન ચક્ર અર્થાત્ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણવું
છે. આખી દુનિયામાં કોઈ પણ આ સમજાવી નથી શકતું કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે
છે. બાપ કેટલું સહજ કરી સમજાવે છે - આ ચક્ર ની આયુ એટલી મોટી તો હોઈ ન શકે. મનુષ્ય
સૃષ્ટિનાં જ સમાચાર સંભળાવાય છે કે આટલાં મનુષ્ય છે. એવું થોડી બતાવાય છે કે કાચબા
કેટલાં છે, માછલીઓ વગેરે કેટલી છે, મનુષ્યો ની જ વાત છે. તમારા થી પણ પ્રશ્ન પૂછે
છે, બાપ બધુંજ બતાવતા રહે છે. ફક્ત તેનાં પર પૂરું ધ્યાન આપવાનું છે.
બાબા એ સમજાવ્યું છે-યોગબળ થી તમે સૃષ્ટિને પાવન બનાવો છો તો શું યોગબળ થી ખાવાનું
શુદ્ધ નથી થઈ શકતું? અચ્છા, તમે તો એવાં બન્યાં છો. પછી કોઈને આપ સમાન બનાવો છો?
હમણાં આપ બાળકો સમજો છો કે બાપ આવ્યાં છે સ્વર્ગની બાદશાહી ફરી થી આપવાં. તો આને
રિફ્યુજ (ના) નથી કરવાનું. વિશ્વની બાદશાહી રિફ્યુજ કરી તો ખતમ. પછી રિફ્યુજ (કચરા
નાં ડબ્બા) માં જઈને પડશે. આ આખી દુનિયા છે કચરો. તો આને રિફ્યુજ જ કહેશું. દુનિયાનો
હાલ જુઓ શું છે. તમે તો જાણો છો આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ. આ કોઈને ખબર નથી કે
સતયુગ માં એક જ રાજ્ય હતું, માનશે નહીં. પોતાનો ઘમંડ રહે છે તો પછી જરા પણ સાંભળતાં
નથી, કહી દે છે આ બધી તમારી કલ્પના છે. કલ્પના થી જ આ શરીર વગેરે બનેલું છે. અર્થ
કાંઈ નથી સમજતાં. બસ આ ઈશ્વરની કલ્પના છે, ઈશ્વર જે ઈચ્છે તે બનીએ છીએ, તેમની આ રમત
છે. એવી વાતો કરે છે, વાત નહીં પૂછો. હમણાં આપ બાળકો જાણો છો બાબા આવેલાં છે. ડોશીઓ
પણ કહે છે - બાબા દર ૫ હજાર વર્ષ પછી અમે તમારા થી સ્વર્ગ નો વારસો લઈએ છીએ. આપણે
હમણાં આવ્યાં છીએ સ્વર્ગની રાજાઈ લેવાં. તમે જાણો છો કે બધાં એક્ટર્સ નો પોતાનો
પાર્ટ છે. એક પાર્ટ ના મળે બીજાથી. તમે પછી આ જ નામ રુપમાં આવીને આ સમયે બાપ થી
વારસો લેવાનો પુરુષાર્થ કરશો. કેટલી અથાહ કમાણી છે. ભલે બાબા કહે છે થોડું પણ
સાંભળ્યું છે તો સ્વર્ગ માં આવી જશે. પરંતુ દરેક મનુષ્ય પુરુષાર્થ તો ઉંચ બનવાનો જ
કરે છે ને. તો પુરુષાર્થ છે ફર્સ્ટ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાબા
બાળકો ની સેવા કરે છે, કોઈ અહંકાર નથી, એમ ફોલો (અનુસરણ) કરવાનું છે. બાપની શ્રીમત
પર ચાલીને વિશ્વની બાદશાહી લેવાની છે, રિફ્યુજ (ના) નથી કરવાનું.
2. બાપો નાં બાપ, પતિઓનાં પતિ જે સૌથી ઊંચા છે, બિલવેડ (પ્રિય) છે એમનાં પર જીવતે
જીવ ન્યોછાવર થવાનું છે. જ્ઞાન-ચિતા પર બેસવાનું છે. ક્યારેય ભૂલે-ચૂકે પણ બાપ ને
ભૂલી ઉલટું કામ નથી કરવાનું.
વરદાન :-
માસ્ટર જ્ઞાન
સાગર બની જ્ઞાન ની ગહેરાઇ માં જવા વાળા અનુભવ રુપી રત્નો થી સંપન્ન ભવ
જે બાળકો જ્ઞાનની
ગહેરાઇમાં જાય છે તે અનુભવ રુપી રત્નો થી સંપન્ન બને છે. એક છે જ્ઞાન સાંભળવું અને
સંભળાવવું, બીજું છે અનુભવી મૂર્ત બનવું. અનુભવી સદા અવિનાશી અને નિર્વિઘ્ન રહે છે.
તેમને કોઈ પણ હલાવી નથી શકતું. અનુભવી ની આગળ માયા ની કોઈ પણ કોશિશ સફળ નથી થતી.
અનુભવી ક્યારેય દગો નથી ખાઈ શકતાં એટલે અનુભવો ને વધારતા દરેક ગુણ નાં અનુભવી મૂર્ત
બનો. મનન શક્તિ દ્વારા શુદ્ધ સંકલ્પો નો સ્ટોક જમા કરો.
સ્લોગન :-
ફરિશ્તા તે છે
જે દેહ નાં સૂક્ષ્મ અભિમાન નાં સંબંધ થી પણ ન્યારા છે.