22-09-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી અમે પાવન નથી બન્યાં , ત્યાં સુધી બાપ ને યાદ કરતાં રહીશું , એક બાપ ને જ પ્રેમ કરીશું ”

પ્રશ્ન :-
સમજદાર બાળકો સમય ને જોતાં કયો પુરુષાર્થ કરશે?

ઉત્તર :-
અંત માં જ્યારે શરીર છૂટે તો બસ એક બાબાની જ યાદ રહે બીજું કાંઈ પણ યાદ ન આવે. એવો પુરુષાર્થ સમજદાર બાળકો હમણાં થી કરતાં રહેશે કારણ કે કર્માતીત બનીને જવાનું છે આનાં માટે આ જૂની ખાલ થી મમત્વ નીકાળતાં જાઓ, બસ અમે જઈ રહ્યાં છીએ બાબાની પાસે.

ગીત :-
ન વહ હમ સે જુદા હોંગે …….

ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો ને સમજાવે છે, બાળકો પ્રતિજ્ઞા કરે છે બેહદનાં બાપ થી. બાબા અમે તમારાં બન્યાં છીએ, અંત સુધી જ્યાં સુધી અમે શાંતિધામ માં પહોંચીયે, તમને યાદ કરવાથી અમારાં જન્મ-જન્માંતર નાં પાપ જે માથા પર છે, તે બળી જશે. આને જ યોગ અગ્નિ કહેવાય છે, બીજો કોઈ ઉપાય નથી. પતિત-પાવન અથવા શ્રી શ્રી ૧૦૮ જગતગુરુ એકને જ કહેવાય છે. એ જ જગત નાં બાપ, જગત નાં શિક્ષક, જગત નાં ગુરુ છે. રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બાપ જ આપે છે. આ પતિત દુનિયા છે, આમાં એક પણ પાવન હોય તે અસંભવ છે. પતિત-પાવન બાપ જ સર્વ ની સદ્દગતિ કરે છે. તમે પણ એમનાં બાળક બન્યાં છો. તમે શીખી રહ્યાં છો કે જગત ને પાવન કેવી રીતે બનાવીએ? શિવ ની આગળ ત્રિમૂર્તિ જરુર જોઈએ. આ પણ લખવાનું છે ડીટી સાવરન્ટી (દૈવી રાજ્ય) તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. તે પણ હમણાં કલ્પ નાં સંગમયુગે. સ્પષ્ટ લખ્યાં વગર મનુષ્ય કાંઈ સમજી નથી શકતાં. અને બીજી વાત ફક્ત બી.કે. નામ જે પડે છે, તેમાં પ્રજાપિતા અક્ષર જરુરી છે કારણ કે બ્રહ્મા નામ પણ અનેકોનું છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય લખવાનું છે. તમે જાણો છો પથ્થર જેવાં વિશ્વ ને પાવન, પારસ તો એક બાપ જ બનાવશે. આ સમયે એક પણ પાવન છે નહીં. બધાં એક-બીજા માં લડતા, ગાળો આપતાં રહે છે. બાપનાં માટે પણ કહી દે છે - કચ્છ-મચ્છ અવતાર. અવતાર કોને કહેવાય છે આ પણ સમજતાં નથી. અવતાર તો હોય જ એક નો છે. તે પણ અલૌકિક રીતે શરીર માં પ્રવેશ કરી વિશ્વ ને પાવન બનાવે છે. બીજા આત્માઓ તો પોતા-પોતાનાં શરીર લે છે, એમને પોતાનું શરીર છે નહીં. પરંતુ જ્ઞાન નાં સાગર છે તો જ્ઞાન કેવી રીતે આપશે? શરીર જોઈએ ને. આ વાતોને તમારા સિવાય બીજું કોઈ નથી જાણતું. ગૃહસ્થ વ્યવહાર માં રહી પવિત્ર બનવું - આ બહાદુરી નું કામ છે. મહાવીર અર્થાત્ વીરતા દેખાડી. આ પણ વીરતા છે, જે કામ સન્યાસી નથી કરી શકતાં, તે તમે કરી શકો છો. બાપ શ્રીમત આપે છે તમે આવી રીતે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનો ત્યારે જ ઉંચ પદ પામી શકશો. નહીં તો વિશ્વની બાદશાહી કેવી રીતે મળશે. આ છે જ નર થી નારાયણ બનવાનું ભણતર. આ પાઠશાળા છે. ઘણાં વાંચે છે એટલે લખો “ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય.” આ તો બિલકુલ રાઈટ (સાચાં) અક્ષર છે. ભારતવાસી જાણે છે કે અમે વિશ્વનાં માલિક હતાં, કાલ ની વાત છે. હમણાં સુધી રાધે-કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ નાં મંદિર બનતાં રહે છે. કોઈ તો પછી પતિત મનુષ્ય નાં પણ બનાવે છે. દ્વાપર થી લઈને તો છે જ પતિત મનુષ્ય. ક્યાં શિવનું, ક્યાં દેવતાઓનું મંદિર બનાવવું, ક્યાં આ પતિત મનુષ્યોનું. આ કોઈ દેવતા થોડી છે. તો બાપ સમજાવે છે આ વાતો પર ઠીક રીતે વિચાર સાગર મંથન કરવાનું છે. બાબા તો સમજાવતાં રહે છે દિવસ-પ્રતિ દિવસ લખાણ ચેન્જ (રૂપાંતર) થતું રહેશે, એવું નહીં પહેલાં કેમ નહીં એવું બનાવ્યું. એવું નહીં કહેશું પહેલાં કેમ નહીં મનમનાભવ નો અર્થ આવી રીતે સમજાવ્યો. અરે પહેલાં થોડી આવી યાદ માં રહી શકશો. ખુબ જ થોડાં બાળકો છે જે દરેક વાત નો રેસપોન્ડ પૂરી રીતે કરી શકે છે. તકદીર માં ઉંચ પદ નથી, તો શિક્ષક પણ શું કરશે. એવું તો નથી આશીર્વાદ થી ઉંચા બનાવી દેશે. પોતાને જોવાનું છે અમે કેવી સર્વિસ (સેવા) કરીએ છીએ. વિચાર સાગર મંથન ચાલવું જોઈએ. ગીતા નાં ભગવાન કોણ, આ ચિત્ર ખુબ મુખ્ય છે. ભગવાન છે નિરાકાર, તે બ્રહ્મા નાં શરીર વગર તો સંભળાવી ન શકે. એ આવે જ છે બ્રહ્મા નાં તન માં સંગમ પર. નહીં તો બ્રહ્મા-વિષ્ણુ-શંકર શા માટે છે. બાયોગ્રાફી (જીવનકહાની) જોઈએ ને. કોઈ પણ જાણતાં નથી. બ્રહ્માનાં માટે કહે છે ૧૦૦ ભુજાવાળા બ્રહ્મા પાસે જાઓ, ૧૦૦૦ ભુજાવાળા પાસે જાઓ. આનાં પર પણ એક કહાની (વાર્તા) બનેલી છે. પ્રજાપિતા બ્રહ્માનાં આટલાં અનેક બાળકો છે ને. અહીંયા આવે જ છે પવિત્ર બનવાં. જન્મ-જન્માંતર અપવિત્ર બનતાં આવ્યાં છે. હવે પૂરું પવિત્ર બનવાનું છે. શ્રીમત મળે છે મામેકમ યાદ કરો. કોઈ-કોઈ ને તો હજું સુધી પણ સમજ માં નથી આવતું કે અમે યાદ કેવી રીતે કરીએ. મુંઝાય પડે છે. બાપ નાં બની ને અને વિકર્માજીત ન બને, પાપ ન કપાય, યાદની યાત્રા માં ન રહે તો તે શું પદ પામશે. ભલે સરેન્ડર (સમર્પિત) છે પરંતુ તેનાથી શું ફાયદો. જ્યાં સુધી પુણ્ય આત્મા બની બીજાઓને ન બનાવે ત્યાં સુધી ઉંચ પદ પામી નથી શકતાં. જેટલું થોડું મને યાદ કરશે, ઓછું પદ પામશે. ડબલ તાજધારી કેવી રીતે બનશે, પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર મોડે થી આવશે. એવું નહીં અમે બધુંજ સરેન્ડર કરી દીધું છે એટલે ડબલ સિરતાજ બનીશું. ના. પહેલા દાસ-દાસીઓ બનતા-બનતા પછી પાછળ માં થોડું મળી જશે. અનેકો ને આ અહંકાર રહે છે કે હું તો સરેન્ડર છું. અરે યાદ વગર શું બની શકશો. દાસ-દાસી બનવાથી તો સાહૂકાર પ્રજા બનવું સારું છે. દાસ-દાસી પણ કાંઈ શ્રીકૃષ્ણ ની સાથે થોડી ઝૂલી શકશે. આ ખુબ સમજવાની વાતો છે, આમાં ખુબ મહેનત કરવી પડે. થોડા માં ખુશ નથી થવાનું. આપણે પણ રાજા બનીશું. આમ તો પછી અનેક રાજાઓ બની જાય. બાપ કહે છે પહેલી મુખ્ય છે યાદની યાત્રા. જે સારી રીતે યાદ માં રહે છે, તેમને ખુશી રહે છે. બાપ સમજાવે છે આત્મા એક શરીર છોડી બીજું લે છે. સતયુગ માં ખુશી થી એક શરીર છોડી બીજું લે છે. અહીંયા તો રડવા લાગી જાય છે, સતયુગ ની વાતો જ ભૂલી ગયાં છે. ત્યાં તો શરીર એવી રીતે છોડે છે, જેમ સાપ નું દૃષ્ટાંત છે ને. આ જુનું શરીર હવે છોડવાનું છે. તમે જાણો છો આપણે આત્મા છીએ, આ તો જુનું શરીર હવે છોડવાનું જ છે. સમજદાર બાળકો જે બાપની યાદ માં રહે છે, તે તો કહે છે બાપ ની યાદમાં જ શરીર છોડીએ, પછી જઈને બાપ થી મળીએ. કોઈ પણ મનુષ્ય માત્ર ને આ ખબર નથી કે કેવી રીતે મળી શકે છે. આપ બાળકોને રસ્તો મળ્યો છે. હવે પુરુષાર્થ કરી રહ્યાં છો, જીવતે જીવ મર્યા તો છો પરંતુ જયારે કે આત્મા પવિત્ર પણ બને ને. પવિત્ર બની પછી આ જૂનું શરીર છોડી જવાનું છે. સમજે છે ક્યારે કર્માતીત અવસ્થા થઈ જાય તો આ શરીર છૂટે પરંતુ કર્માતીત અવસ્થા થશે તો જાતે જ શરીર છૂટી જશે. બસ અમે બાબાની પાસે જઈને રહીએ. આ જૂનાં શરીર થી જેમ કે નફરત આવે છે. સાપ ને જૂની ખાલ થી નફરત થતી હશે ને. તમારી નવી ખાલ તૈયાર થઈ રહી છે. પરંતુ જ્યારે કર્માતીત અવસ્થા થાય, અંત માં તમારી એવી અવસ્થા થશે. બસ હમણાં આપણે જઈ રહ્યાં છીએ. લડાઈની પણ પૂરી તૈયારી થશે. વિનાશ નો બધો આધાર તમારી કર્માતીત અવસ્થા થવા પર છે. અંત માં કર્માતીત અવસ્થા ને નંબરવાર બધાં પહોંચી જશે. કેટલો ફાયદો છે. તમે વિશ્વ નાં માલિક બનો છો તો કેટલું બાપ ને યાદ કરવું જોઈએ. તમે જોશો ઘણાં એવાં પણ નીકળશે જે બસ ઉઠતાં-બેસતાં બાપ ને યાદ કરતાં રહેશે. મોત સામે ઉભું છે. સમાચાર પત્ર માં એવું દેખાડે છે, જેમ કે હમણાં-હમણાં લડાઈ છેડાવાની છે. મોટી લડાઈ છેડાશે તો બોમ્બસ લાગી જશે. વાર નહીં લાગશે. સમજદાર બાળકો સમજે છે, બેસમજ જે છે, કાંઈ નથી સમજતાં. જરા પણ ધારણા નથી થતી. હાં-હાં ભલે કરતાં રહે છે, સમજતાં કાંઈ પણ નથી. યાદ માં નથી રહેતાં. જે દેહ-અભિમાન માં રહે છે, આ દુનિયા યાદ રહે છે, તે શું સમજી શકશે. હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. દેહ ને ભૂલી જવાનું છે. અંત માં તમે ખુબ કોશિશ કરવા લાગી પડશો, હમણાં તમે સમજતાં નથી. અંત માં ખુબ-ખુબ પછતાશે. બાબા સાક્ષાત્કાર પણ કરાવશે. આ-આ પાપ કર્યા છે. હવે ખાઓ સજા. પદ પણ જુઓ. શરું માં પણ આવાં સાક્ષાત્કાર કરતાં હતાં પછી અંત માં પણ સાક્ષાત્કાર કરશે.

બાપ કહે છે પોતાની ઈજ્જત નહીં ગુમાવો. ભણતર માં લાગી જવાનો પુરુષાર્થ કરો. પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. એ જ પતિત-પાવન છે. દુનિયા માં કોઈ પતિત-પાવન છે નહીં. શિવ ભગવાનુવાચ, જ્યારે કે કહે છે સર્વ નાં સદ્દગતિ દાતા પતિત-પાવન એક. એમને જ બધાં યાદ કરે છે. પરંતુ જ્યારે પોતાને આત્મા બિંદી સમજે ત્યારે બાપ ની યાદ આવે. તમે જાણો છો આપણી આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે, તે ક્યારેય વિનાશ થવાનો નથી. આ સમજવું કોઈ માસી નું ઘર નથી, ભૂલી જાય છે એટલે કોઈ ને સમજાવી નથી શકતાં. દેહ-અભિમાને બિલકુલ બધાં ને મારી નાખ્યાં છે. આ મૃત્યુલોક બની ગયું છે. બધાં અકાળે મરતાં રહે છે. જેમ જનાવર-પક્ષી વગેરે મરી જાય તેમ મનુષ્ય પણ મરી જાય, ફર્ક કાંઈ નથી. લક્ષ્મી-નારાયણ તો અમરલોક નાં માલિક છે ને. અકાળે મૃત્યુ ત્યાં થતું નથી. દુઃખ જ નથી. અહીંયા તો દુઃખ થાય છે તો જઈને મરે છે. અકાળે મૃત્યુ જાતે જ લઈ આવે છે, આ મંઝિલ ખુબ ઊંચી છે. ક્યારેય પણ ક્રિમિનલ (અપવિત્ર) આંખ ન બને, આમાં મહેનત છે. આટલું ઉંચ પદ પામવું કોઈ માસીનું ઘર નથી. બહાદુરી જોઈએ. નહીં તો થોડી વાતમાં જ ડરી જાય છે. કોઈ બદમાશ અંદર ઘૂસી આવે, હાથ લગાવે તો ડંડો લગાવીને ભગાવી દેવો જોઈએ. ડરપોક થોડી બનવાનું છે. શિવ શક્તિ પાંડવ સેના ગવાયેલી છે ને. જે સ્વર્ગ નાં દ્વાર ખોલે છે. નામ પ્રખ્યાત છે તો પછી એવી બહાદુરી પણ જોઈએ. જ્યારે સર્વ શક્તિમાન બાપની યાદ માં રહેશો ત્યારે તે શક્તિ પ્રવેશ કરશે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, આ યોગઅગ્નિ થી જ વિકર્મ વિનાશ થશે પછી વિકર્માજીત રાજા બની જશો. મહેનત છે યાદની, જે કરશે તે પામશે. બીજાને પણ સાવધાન કરવાનાં છે. યાદની યાત્રા થી જ બેડો પાર થશે. ભણતર ને યાત્રા નથી કહેવાતું. તે છે શારીરિક યાત્રા, આ છે રુહાની યાત્રા, સીધા શાંતિધામ પોતાનાં ઘરે ચાલ્યાં જઈશું. બાપ પણ ઘર માં રહે છે. મને યાદ કરતા-કરતા તમે ઘરે પહોંચી જશો. અહીંયા બધાએ પાર્ટ ભજવવાનો છે. ડ્રામા તો અવિનાશી ચાલતો જ રહે છે. બાળકો ને સમજાવતાં રહે છે એક તો બાપની યાદ માં રહો અને પવિત્ર બનો, દૈવી ગુણ ધારણ કરો અને જેટલી સર્વિસ કરશે એટલું ઉચ્ચ પદ પામશે. કલ્યાણકારી જરુર બનવાનું છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા યાદ રહે સર્વશક્તિમાન્ બાપ આપણી સાથે છે, આ સ્મૃતિ થી શક્તિ પ્રવેશ કરશે, વિકર્મ ભસ્મ થશે. શિવશક્તિ પાંડવ સેના નામ છે, તો બહાદુરી દેખાડવાની છે, ડરપોક નથી બનવાનું.

2. જીવતે જીવ મર્યા પછી આ અહંકાર ન આવે કે હું તો સરેન્ડર (સમર્પિત) છું. સરેન્ડર થઇ પુણ્ય આત્મા બની બીજાઓને બનાવવાનાં છે, આમ જ ફાયદો છે.

વરદાન :-
પોતાની શુભ ભાવના દ્વારા નિર્બળ આત્માઓમાં બળ ભરવા વાળા સદા શક્તિ સ્વરુપ ભવ

સેવાધારી બાળકોની વિશેષ સેવા છે-સ્વયં શક્તિ સ્વરુપ રહેવું અને સર્વ ને શક્તિ સ્વરુપ બનાવવાં અર્થાત્ નિર્બળ આત્માઓમાં બળ ભરવું. આનાં માટે સદા શુભભાવના અને શ્રેષ્ઠકામના સ્વરુપ બનો. શુભભાવના નો અર્થ આ નથી કે કોઇમાં ભાવના રાખતા-રાખતા તેમાં ભાવવાન થઈ જાઓ. આ ભૂલ નહીં કરતાં. શુભભાવના પણ બેહદની હોય. એક નાં પ્રતિ વિશેષ ભાવના પણ નુકસાનકારક છે એટલે બેહદમાં સ્થિતિ થઈ નિર્બળ આત્માઓને પોતાની પ્રાપ્ત થયેલ શક્તિઓનાં આધાર થી શક્તિ સ્વરુપ બનાવો.

સ્લોગન :-
અલંકાર બ્રાહ્મણ જીવન નો શ્રુંગાર છે એટલે અલંકારી બનો, દેહ અહંકારી નહીં.