28-09-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે આખી દુનિયા નાં સાચાં - સાચાં મિત્ર છો , તમારી કોઇનાથી પણ શત્રુતા ન હોવી જોઈએ ”

પ્રશ્ન :-
તમે રુહાની મિલેટ્રી છો, તમને બાપનું કયું ડાયરેક્શન (માર્ગદર્શન) મળેલું છે, જેને અમલમાં લાવવાનું છે.

ઉત્તર :-
તમને ડાયરેક્શન છે કે બેજ સદા લગાવીને રાખો. કોઈ પણ પૂછે આ શું છે, તમે કોણ છો? તો બોલો, અમે છીએ આખી દુનિયાથી કામની અગ્નિ ને બુઝાવવા વાળા ફાયરબ્રિગેડ (અગ્નિશામક દળ). આ સમયે આખી દુનિયા માં કામ અગ્નિ લાગેલી છે, આપણે બધાને સંદેશ આપીએ છીએ હવે પવિત્ર બનો, દૈવીગુણ ધારણ કરો તો બેડો પાર થઈ જશે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો સહજ યાદ માં બેઠાં છે. કોઈ-કોઈને ડિફિકલ્ટ (મુશ્કેલી) લાગે છે. ખુબ મુંઝાય છે - અમે ટાઈટ (ટટ્ટાર) અથવા સ્ટ્રીક (એકાગ્ર) થઈને બેસીયે. બાપ કહે છે એવી કોઈ વાત નથી, કેવી રીતે પણ બેસો. બાપ ને ફક્ત યાદ કરવાનાં છે. આમાં મુશ્કેલાત ની કોઈ વાત નથી. તે હઠયોગી એવાં ટાઈટ થઈને બેસે છે. પગ, પગ પર ચઢાવે છે. અહીંયા તો બાપ કહે છે આરામ થી બેસો. બાપ ને અને ૮૪ નાં ચક્ર ને યાદ કરો. આ છે જ સહજ યાદ. ઉઠતાં-બેસતાં બુદ્ધિ માં રહે. જેમ જુવો આ નાનો બાળક બાપની બાજુમાં બેઠો છે, એને બુદ્ધિ માં મા-બાપ જ યાદ હશે. તમે પણ બાળકો છો ને. બાપ ને યાદ કરવાં તો ખુબ સહજ છે. આપણે બાબા નાં બાળકો છીએ. બાબા થી જ વારસો લેવાનો છે. શરીર નિર્વાહ અર્થ ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. ફક્ત બીજાઓની યાદ બુદ્ધિ થી નિકાળી દો. કોઈ હનુમાન ને, કોઈ કોઈ ને, સાધુ વગેરે ને યાદ કરતાં હતાં, તે યાદ છોડી દેવાની છે. યાદ તો કરે છે ને, પૂજા માટે પૂજારી ને મંદિર માં જવું પડે છે, આમાં ક્યાંય જવાની પણ દરકાર નથી. કોઈ પણ મળે બોલો, શિવબાબા નું કહેવું છે મુજ એક બાપ ને યાદ કરો. શિવબાબા તો છે નિરાકાર. જરુર એ સાકાર માં જ આવીને કહે છે મામેકમ્ યાદ કરો. હું પતિત-પાવન છું. આ તો રાઇટ (સાચાં) અક્ષર છે ને. બાબા કહે છે મને યાદ કરો. તમે બધાં પતિત છો. આ પતિત તમોપ્રધાન દુનિયા છે ને. એટલે બાબા કહે છે કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો. આ તો સારી વાત છે ને. કોઈ ગુરુ વગેરે ની મહિમા નથી કરતાં. બાપ ફક્ત કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. આ છે યોગબળ અથવા યોગઅગ્નિ. બેહદનાં બાપ તો સાચું કહે છે ને - ગીતા નાં ભગવાન નિરાકાર જ છે. કૃષ્ણ ની વાત નથી. ભગવાન કહે છે ફક્ત મને યાદ કરો બીજો કોઈ ઉપાય નથી. પાવન થઈને જવાથી ઉંચ પદ પામશો. નહીં તો ઓછું પદ થઈ જશે. અમે તમને બાપનો સંદેશ આપીએ છીએ. હું સંદેશી છું. આ સમજાવવા માં કોઈ તકલીફ નથી. માતાઓ, અહલ્યાઓ, કુબ્જાઓ પણ ઉંચ પદ પામી શકે છે. ભલે અહિયાં રહેવાવાળા છો કે ઘર ગૃહસ્થ માં રહેવાવાળા છો એવું નથી કે અહીંયા રહેવાવાળા વધારે યાદ કરી શકે છે. બાબા કહે છે બાહર રહેવા વાળા પણ ખુબ યાદ માં રહી શકે છે. ખુબ સર્વિસ (સેવા) કરી શકે છે. અહીંયા પણ બાપ થી રિફ્રેશ (તરોતાજા) થઈ ને પછી જાય છે તો અંદર માં કેટલી ખુશી રહેવી જોઈએ. આ છી-છી દુનિયામાં તો બાકી થોડાં દિવસ છે. પછી ચાલીશું કૃષ્ણપુરી માં. કૃષ્ણ નાં મંદિરને પણ સુખધામ કહે છે. તો બાળકોને અપાર ખુશી થવી જોઈએ. જ્યારે કે તમે બેહદનાં બાપ નાં બન્યાં છો. તમને જ સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં. તમે પણ કહો છો બાબા ૫ હજાર વર્ષ પહેલાં પણ અમે તમને મળ્યાં હતાં અને ફરી મળીશું. હવે બાપ ને યાદ કરવાથી માયા પર જીત પામવાની છે. હવે આ દુઃખધામ માં તો રહેવાનું નથી. તમે ભણો જ છો સુખધામ માં જવા માટે. બધાએ હિસાબ-કિતાબ ચૂકતું કરી પાછા જવાનું છે. હું આવ્યો જ છું નવી દુનિયા સ્થાપન કરવાં. બાકી બધી આત્માઓ ચાલી જશે મુક્તિધામ. બાપ કહે છે-હું કાળો નો કાળ છું. બધાને શરીર થી છોડાવી અને આત્માઓ ને લઈ જઈશ. બધાં કહે પણ છે અમે જલ્દી જઈએ. અહીંયા તો રહેવાનું નથી. આ તો જૂની દુનિયા, જૂનું શરીર છે. હવે બાપ કહે છે હું બધાને લઈ જઈશ. છોડીશ કોઈને પણ નહીં. તમે બધાએ બોલાવ્યો જ છે-હેં પતિત-પાવન આવો. ભલે યાદ કરતાં રહે છે પરંતુ અર્થ કાંઈ પણ નથી સમજતાં. પતિત-પાવન ની કેટલી ધૂન લગાવે છે. પછી કહે છે રઘુપતિ રાઘવ રાજા રામ. હવે શિવબાબા તો રાજા બનતાં નથી, રાજાઈ કરતાં નથી. એમને રાજા રામ કહેવું રોંગ (ખોટું) થઈ ગયું. માળા જ્યારે સિમરે છે તો રામ-રામ કહે છે. એમાં ભગવાન ની યાદ આવે છે. ભગવાન તો છે જ શિવ. મનુષ્યો નાં નામ ખુબ રાખી દીધાં છે. કૃષ્ણ ને પણ શ્યામ સુંદર, વૈકુંઠ નાથ, માખણ ચોર વગેરે-વગેરે ખુબ નામ આપે છે. તમે હમણાં કૃષ્ણ ને માખણ ચોર કહેશો? બિલકુલ નહીં. તમે હમણાં સમજો છો ભગવાન તો એક નિરાકાર છે, કોઈપણ દેહધારી ને ભગવાન કહી ન શકાય. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ નથી કહી શકતાં તો પછી મનુષ્ય પોતાને ભગવાન કેવી રીતે કહી શકે. વૈજયન્તી માળા ફક્ત ૧૦૮ ની ગવાય છે. શિવબાબાએ સ્વર્ગ સ્થાપન કર્યુ, એનાં આ માલિક છે. જરુર એનાથી પહેલા તેમણે આ પુરુષાર્થ કર્યો હશે. તેને કહેવાય છે કે કળયુગ અંત સતયુગ આદિ નો સંગમયુગ. આ છે કલ્પ નો સંગમયુગ. મનુષ્યોએ પછી યુગે-યુગે કહી દીધું છે, અવતાર નામ પણ ભૂલી પછી એમને ઠીકકર-ભિત્તર માં, કણ-કણ માં કહી દીધાં છે. આ પણ છે ડ્રામા. જે વાત પાસ્ટ (ભૂતકાળ) થઈ જાય છે તેને કહેવાય છે ડ્રામા. કોઈ થી ઝઘડો વગેરે થયો, પાસ (ભૂતકાળ) થયું, તેનું ચિંતન નથી કરવાનું. સારું કોઈ ઓછું વધારે બોલ્યાં, તમે તેમને ભૂલી જાઓ. કલ્પ પહેલાં પણ એવું બોલ્યાં હતાં. યાદ રહેવાથી પછી બગડતાં રહેશે. તે વાત પછી ક્યારેય બોલો પણ નહીં. આપ બાળકોએ સર્વિસ તો કરવાની છે ને. સર્વિસ માં કોઈ વિઘ્ન ન પડવા જોઈએ. સર્વિસ માં કમજોરી ન દેખાડવી જોઈએ. શિવબાબા ની સર્વિસ છે ને. એમાં ક્યારેય જરા પણ ના નહીં કરવી જોઈએ. નહીં તો પોતાનું પદ ભ્રષ્ટ કરી દેશો. બાપ નાં મદદગાર બન્યાં છો તો પૂરી મદદ આપવાની છે. બાપની સર્વિસ કરવામાં જરા પણ દગો નથી આપવાનો. પૈગામ બધાને પહોંચાડવાનો જ છે. બાપ કહેતાં રહે છે મ્યુઝિયમ નું નામ એવું રાખો જે મનુષ્ય જોઈ અંદર ઘુસે અને આવીને સમજે કારણ કે આ નવી વસ્તુ છે ને. મનુષ્ય નવી વસ્તુ જોઈ અંદર ઘુસે છે. આજકાલ બહાર થી આવે છે, ભારત નો પ્રાચીન યોગ શીખવાં. હવે પ્રાચીન અર્થાત્ જૂનાં માં જૂનું, એ તો ભગવાન નું જ શીખવાડેલું છે, જેને ૫ હજાર વર્ષ થયાં. સતયુગ-ત્રેતા માં યોગ હોતો નથી, જેમને શીખવાડ્યો તે તો ચાલ્યાં ગયાં પછી જ્યારે ૫ હજાર વર્ષ બાદ આવે ત્યારે જ આવીને રાજયોગ શીખવાડે. પ્રાચીન અર્થાત્ ૫ હજાર વર્ષ પહેલાં ભગવાને શીખવાડ્યો હતો. એ જ ભગવાન પછી સંગમ પર જ આવીને રાજયોગ શીખવાડશે, જેનાથી પાવન બની શકાય છે. આ સમયે તો તત્વ પણ તમોપ્રધાન છે. પાણી પણ કેટલું નુકસાન કરી દે છે. ઉપદ્રવ થતાં રહે છે, જૂની દુનિયામાં. સતયુગ માં ઉપદ્રવ ની વાત જ નથી. ત્યાં તો પ્રકૃતિ દાસી બની જાય છે. અહીંયા પ્રકૃતિ દુશ્મન બનીને દુઃખ આપે છે. આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં દુઃખ ની વાત જ નહોતી. સતયુગ હતું. હમણાં ફરી તે સ્થાપન થઈ રહ્યું છે. બાપ પ્રાચીન રાજયોગ શીખવાડી રહ્યાં છે, ફરી ૫ હજાર વર્ષ પછી શીખવાડશે, જેમનો પાર્ટ જ છે એ જ ભજવશે. બેહદનાં બાપ પણ પાર્ટ ભજવી રહ્યાં છે. બાપ કહે છે હું આમનામાં પ્રવેશ કરી, સ્થાપના કરી ચાલ્યો જાઉં છું. હાહાકાર નાં બાદ પછી જય જયકાર થઈ જાય છે. જૂની દુનિયા ખતમ થઇ જશે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો જૂની દુનિયા નહોતી. ૫ હજાર વર્ષ ની વાત છે. લાખો વર્ષ ની વાત હોઈ નથી શકતી. તો બાપ કહે છે બીજી બધી વાતોને છોડી આ સર્વિસ માં લાગી જાઓ, પોતાનું કલ્યાણ કરવાં. રિસાઈ ને સર્વિસ માં દગો ન આપવો જોઈએ. આ છે ઇશ્વરીય સર્વિસ. માયાનાં તોફાન ખુબ આવશે. પરંતુ બાપની ઈશ્વરીય સર્વિસ માં દગો નથી આપવાનો. બાપ સર્વિસ અર્થ ડાયરેક્શન (માર્ગદર્શન) તો આપતાં રહે છે. મિત્ર-સંબંધી વગેરે જે પણ આવે, બધાનાં સાચાં મિત્ર તો તમે છો. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ તો આખી દુનિયાનાં મિત્ર છો કારણ કે તમે બાપનાં મદદગાર છો. મિત્રો માં કોઈ શત્રુતા ન હોવી જોઈએ. કોઈ પણ વાત નીકળે બોલો, શિવબાબા ને યાદ કરો. બાપ ની શ્રીમત પર લાગી જવાનું છે. નહીં તો પોતાનું નુકસાન કરી દેશો. ટ્રેન માં તમે આવો છો ત્યાં તો બધાં ફ્રી છે. સર્વિસ નો ખુબ સારો ચાન્સ (તક) છે. બેજ તો ખુબ સારી વસ્તુ છે. દરેકે લગાવીને રાખવાનો છે. કોઈ પૂછે તમે કોણ છો તો બોલો, અમે છીએ ફાયર બિગ્રેડ, જેમ તે ફાયર બ્રિગેડ હોય છે, આગ ને બુઝાવવા માટે. તો આ સમયે આખી સૃષ્ટિ માં કામઅગ્નિ માં બધાં બળી રહ્યાં છે. હવે બાપ કહે છે કામ મહાશત્રુ પર જીત પહેરો. બાપ ને યાદ કરો, પવિત્ર બનો, દૈવી ગુણ ધારણ કરો તો બેડો પાર છે. આ બેજ શ્રીમત થી જ તો બને છે. ખુબ થોડાં બાળકો છે જે બેજ પર સર્વિસ કરે છે. બાબા મુરલીઓમાં કેટલું સમજાવતાં રહે છે. દરેક બ્રાહ્મણ પાસે આ બેજ હોવો જોઈએ, કોઈ પણ મળે તેમને આનાં પર સમજાવવાનું છે, આ છે બાબા, આમને યાદ કરવાનાં છે. અમે સાકાર ની મહિમા નથી કરતાં. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ નિરાકાર બાપ છે, એમને યાદ કરવાનાં છે. યાદ નાં બળ થી જ તમારાં પાપ કપાઈ જશે. પછી અંત મતી સો ગતિ થઈ જશે. દુઃખધામ થી છૂટી જશો. પછી તમે વિષ્ણુપુરી માં આવી જશો. કેટલી મોટી ખુશખબરી છે. લિટરેચર (સાહિત્ય) પણ આપી શકો છો. બોલો, તમે ગરીબ છો તો ફ્રી આપી શકીએ છીએ. સાહૂકારો એ તો પૈસા આપવાં જ જોઇએ કારણ કે આ તો ખુબ છપાવવાનાં હોય છે. આ વસ્તુ એવી છે જેનાથી તમે ફકીર થી વિશ્વનાં માલિક બની જશો. સમજણ તો મળતી રહે છે. કોઈપણ ધર્મ વાળા હોય, બોલો, વાસ્તવ માં તમે આત્મા છો, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. હવે વિનાશ સામે ઊભો છે, આ દુનિયા બદલવા વાળી છે. શિવબાબા ને યાદ કરશો તો વિષ્ણુપુરી માં આવી જશો. બોલો, આ તમને કરોડો પદ્મો ની વસ્તુ આપે છે. બાબાએ કેટલું સમજાવ્યું છે - બેજ પર સર્વિસ કરવાની છે, પરંતુ બેજ લગાવતાં નથી. લજ્જા આવે છે. બ્રાહ્મણીઓ જે પાર્ટી લઈને આવે છે અથવા ક્યાંય ઓફીસ વગેરે માં એકલી જાય છે, તો આ બેજ જરુર લગાવેલો રહેવો જોઈએ, જેમને તમે આનાં પર સમજાવશો તે ખુબ ખુશ થશે. બોલો, અમે એક બાપ ને જ માનીએ છીએ, એ જ બધાને સુખ-શાંતિ આપવા વાળા છે, એમને યાદ કરો. પતિત આત્મા તો જઈ ન શકે. હમણાં આ જૂની દુનિયા બદલાઇ રહી છે. આવી-આવી રસ્તા માં સર્વિસ કરતાં આવડવું જોઈએ. તમારું નામ ખુબ થશે, બાબા સમજે છે કદાચ લજ્જા આવે છે એટલે બેજ પહેરી સર્વિસ નથી કરતાં. એક તો બેજ, સીડી નું ચિત્ર અથવા ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડ નું ચિત્ર સાથે હોય, આપસ માં બેસી એક-બીજા ને સમજાવો તો બધાં ભેગાં થઈ જશે. પૂછશે આ શું છે? બોલો, શિવબાબા આમનાં દ્વારા આ નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. હવે બાપ કહે છે મને યાદ કરો, પવિત્ર બનો. અપવિત્ર તો પાછાં જઈ નહીં શકે. એવી મીઠી-મીઠી વાતો સંભળાવી જોઈએ. તો ખુશી થી બધાં સાંભળશે. પરંતુ કોઈ ની બુદ્ધિ માં બેસતું નથી. સેવાકેન્દ્ર પર ક્લાસ માં જાઓ છો તો પણ બેજ લગાવેલો રહે. મિલેટ્રી વાળાઓ ને અહીં બિલ્લો (બેજ) લાગેલો હોય છે. તેમને ક્યારેય લજ્જા આવે છે શું? તમે પણ રુહાની મિલેટ્રી છો ને. બાપ ડાયરેક્શન આપે છે પછી અમલ માં કેમ નથી લાવતાં. બેજ લગાવેલો હશે તો શિવબાબા ની યાદ પણ રહેશે - અમે શિવબાબા નાં બાળકો છીએ. દિવસ-પ્રતિદિવસ સેવાકેન્દ્રો પણ ખુલતાં જશે. કોઈને કોઈ નીકળી આવશે. કહેશે ફલાણા શહેર માં તમારી બ્રાંચ (શાખા) નથી. બોલો, કોઈ પ્રબંધ કરે મકાન વગેરે નો, નિમંત્રણ આપે તો અમે આવીને સર્વિસ કરી શકીએ છીએ. હિમ્મતે બાળકો મદદે બાપ, બાપ તો બાળકોને જ કહેશે સેવાકેન્દ્ર ખોલો, સર્વિસ કરો. આ બધી શિવબાબા ની દુકાન છે ને. બાળકો દ્વારા ચલાવી રહ્યાં છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય આપસ માં રિસાઈ ને સર્વિસ (સેવા) માં દગો નથી આપવાનો. વિઘ્ન રુપ નથી બનવાનું. પોતાની કમજોરી નથી દેખાડવાની. બાપનાં પૂરે-પૂરા મદદગાર બનવાનું છે.

2. ક્યારેય કોઈ થી ઝઘડો વગેરે થયો, પાસ થયું (વીતી ગયું), તેનું ચિંતન નથી કરવાનું. કોઈએ ઓછું વધારે કહ્યું, તમે તેને ભૂલી જાઓ. કલ્પ પહેલાં પણ એવું બોલ્યાં હતાં. તે વાત પછી ક્યારેય બોલો પણ નહીં.

વરદાન :-
વીતેલી ( ભૂતકાળની ) વાતો ને રહેમદિલ બની સમાવવા વાળા શુભચિંતક ભવ

જો કોઈની વીતેલી (ભૂતકાળ) કમજોરી ની વાતો કોઈ સંભળાવે તો શુભ ભાવના થી કિનારો કરી લો. વ્યર્થ ચિંતન અથવા કમજોરી ની વાતો આપસ માં ન ચાલવી જોઈએ. વીતેલી વાતોને રહેમદિલ બનીને સમાવી લો. સમાવીને શુભ ભાવનાથી તે આત્માનાં પ્રતિ મન્સા સેવા કરતાં રહો. ભલે સંસ્કારો નાં વશ કોઈ ઉલટું કહે, કરે અથવા સાંભળે છે તો તેને પરિવર્તન કરો. એક થી બીજા સુધી, બીજા થી ત્રીજા સુધી આમ વ્યર્થ વાતો ની માળા ન થઈ જાય. આવું અટેન્શન (ધ્યાન) રાખવું અર્થાત્ શુભચિંતક બનવું.

સ્લોગન :-
સંતુષ્ટમણી બનો તો પ્રભુ પ્રિય, લોકપ્રિય અને સ્વયંપ્રિય બની જશો.