05-09-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - આ બેહદનાં નાટક માં આપ આત્માઓ ને પોત - પોતાનો પાર્ટ મળેલો છે , હમણાં તમારે આ શરીરરુપી કપડાં ઉતારી ઘરે જવાનું છે , પછી નવાં રાજ્ય માં આવવાનું છે ”

પ્રશ્ન :-
બાપ કોઈ પણ કાર્ય પ્રેરણા થી નથી કરતાં, એમનું અવતરણ થાય છે, આ કઈ વાત થી સિદ્ધ થાય છે.

ઉત્તર :-
બાપ ને કહે જ છે કરનકરાવનહાર. પ્રેરણા નો તો અર્થ છે વિચાર. પ્રેરણા થી કોઈ નવી દુનિયાની સ્થાપના થતી નથી. બાપ બાળકો થી સ્થાપના કરાવે છે, કર્મેન્દ્રિયો વગર તો કાંઈ પણ કરાવી ન શકે એટલે એમને શરીર નો આધાર લેવાનો હોય છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો રુહાની બાપનાં સામે બેઠાં છે. એટલે આત્માઓ પોતાનાં બાપનાં સન્મુખ બેઠી છે. આત્મા જરુર શરીરનાં સાથે જ બેસશે. બાપ પણ જ્યારે શરીર લે છે ત્યારે જ સન્મુખ થાય છે આને જ કહેવાય છે આત્મા-પરમાત્મા અલગ રહ્યાં….આપ બાળકો સમજો છો ઊંચે થી ઊંચા બાપને જ ઈશ્વર, પ્રભુ, પરમાત્મા ભિન્ન નામ આપ્યાં છે, પરમપિતા ક્યારેય લૌકિક બાપ ને નથી કહેવાતું. ફક્ત પરમપિતા લખ્યું તો પણ વાંધો નથી. પરમપિતા અર્થાત્ તે સર્વનાં પિતા છે એક. બાળકો જાણે છે આપણે પરમપિતા ની સાથે બેઠા છીએ. પરમપિતા પરમાત્મા અને આપણે આત્માઓ શાંતિધામ નાં રહેવાવાળા છીએ. અહીંયા પાર્ટ ભજવવા આવીએ છીએ, સતયુગ થી લઈને કળયુગ અંત સુધી પાર્ટ ભજવ્યો છે, આ થઈ ગઈ નવી રચના. રચતા બાપે સમજાવ્યું છે કે આપ બાળકોએ આવી રીતે પાર્ટ ભજવ્યો છે. પહેલાં આ નહોતા જાણતાં કે આપણે ૮૪ જન્મોનું ચક્ર લગાવ્યું છે. હમણાં આપ બાળકો થી જ બાપ વાત કરે છે, જેમણે ૮૪ નું ચક્કર લગાવ્યું છે. બધાં તો ૮૪ જન્મ નથી લઈ શકતાં. આ સમજાવવાનું છે કે ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે. બાકી લાખો વર્ષ ની તો વાત જ નથી. બાળકો જાણે છે કે આપણે દર ૫ હજાર વર્ષ બાદ પાર્ટ ભજવવા આવીએ છીએ. આપણે પાર્ટધારી છીએ. ઊંચે થી ઊંચા ભગવાન નો પણ વિચિત્ર પાર્ટ છે. બ્રહ્મા અને વિષ્ણુ નો વિચિત્ર પાર્ટ નહીં કહીશું. બંનેવ ૮૪ નું ચક્ર લગાવે છે. બાકી શંકર નો પાર્ટ આ દુનિયામાં તો છે નહીં. ત્રિમૂર્તિ માં દેખાડે છે-સ્થાપના, વિનાશ, પાલના. ચિત્રો પર સમજાવવાનું હોય છે. ચિત્ર જે દેખાડો છો તેનાં પર સમજાવવાનું છે. સંગમયુગ પર જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. પ્રેરક અક્ષર પણ રોંગ (ખોટો) છે. જેમ કોઈ કહે છે આજે મને બહાર જવાની પ્રેરણા નથી, પ્રેરણા એટલે વિચાર. પ્રેરણા નો કોઈ બીજો અર્થ નથી. પરમાત્મા કોઈ પ્રેરણા થી કામ નથી કરતાં. ન પ્રેરણા થી જ્ઞાન મળી શકે છે. બાપ આવે છે આ કર્મેન્દ્રિયો દ્વારા પાર્ટ ભજવવાં. કરનકરાવનહાર છે ને. કરાવશે બાળકો થી. શરીર વગર તો કરી ન શકે. આ વાતો ને કોઈ પણ જાણતાં નથી. ન ઈશ્વર બાપ ને જાણે છે. ઋષિ-મુનિ વગેરે કહેતાં હતાં અમે ઈશ્વરને નથી જાણતાં. ન આત્મા ને, ન પરમાત્મા બાપ ને, કોઈ માં જ્ઞાન નથી. બાપ છે મુખ્ય ક્રિએટર, ડાયરેક્ટર, ડાયરેક્શન (માર્ગદર્શન) પણ આપે છે. શ્રીમત આપે છે. મનુષ્યો ની બુદ્ધિ માં તો સર્વવ્યાપી નું જ્ઞાન છે. તમે સમજો છો બાબા આપણા બાબા છે, તે લોકો સર્વવ્યાપી કહી દે છે તો બાપ સમજી જ નથી શકતાં. તમે સમજો છો આ બેહદનાં બાપ ની ફેમિલી (પરિવાર) છે. સર્વવ્યાપી કહેવાથી ફેમિલી ની સુગંધ નથી આવતી. એમને કહેવાય છે નિરાકારી શિવબાબા. નિરાકારી આત્માઓનાં બાબા. શરીર છે ત્યારે આત્મા બોલે છે કે બાબા. વગર શરીરે તો આત્મા બોલી ન શકે. ભક્તિ માર્ગમાં બોલાવતાં આવ્યાં છે. સમજાવે છે એ બાબા દુઃખહર્તા સુખકર્તા છે. સુખ મળે છે સુખધામ માં. શાંતિ મળે છે શાંતિધામ માં. અહીંયા છે જ દુઃખ. આ જ્ઞાન તમને મળે છે સંગમ પર. જૂનાં અને નવા ની વચ્ચે. બાપ આવે જ ત્યારે છે જ્યારે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. પહેલાં હંમેશા કહેવું જોઈએ નવી દુનિયાની સ્થાપના. પહેલા જુની દુનિયાનો વિનાશ કહેવું રોંગ (ખોટું) થઈ જાય છે. હમણાં તમને બેહદનાં નાટકનું નોલેજ મળે છે. જેમ તે નાટકમાં એક્ટર્સ આવે છે તો ઘરે થી સાધારણ કપડાં પહેરીને આવે પછી નાટક માં આવી ને કપડાં બદલે છે. પછી નાટક પૂરું થયું તો તે કપડાં ઉતારી ઘરે જાય છે. અહીંયા આપ આત્માઓને ઘરે થી અશરીરી આવવાનું હોય છે. અહીંયા આવીને આ શરીરરુપી કપડાં પહેરો છો. દરેક ને પોતા-પોતાનો પાર્ટ મળેલો છે. આ છે બેહદ નું નાટક. હમણાં આ બેહદની આખી દુનિયા જૂની છે પછી થશે નવી દુનિયા. તે ખુબ નાની છે, એક ધર્મ છે. આપ બાળકોએ આ જૂની દુનિયા થી નીકળી પછી હદની દુનિયામાં, નવી દુનિયામાં આવવાનું છે કારણ કે ત્યાં છે એક ધર્મ. અનેક ધર્મ, અનેક મનુષ્ય હોવાથી બેહદ થઈ જાય. ત્યાં તો છે એક ધર્મ, થોડાં મનુષ્ય. એક ધર્મની સ્થાપના માટે આવવું પડે છે. તમે બાળકો આ બેહદનાં નાટકનાં રહસ્ય ને સમજો છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે. આ સમયે જે કંઈ પ્રેકટીકલ માં થાય છે એના જ પછી ભક્તિમાર્ગ માં તહેવાર મનાવે છે. નંબરવાર કયા-કયા તહેવાર છે, આ પણ આપ બાળકો જાણો છો. ઊંચે થી ઊંચા ભગવાન શિવબાબા ની જયંતી કહેશે. એ જ્યારે આવે ત્યારે પછી બીજા તહેવાર બને. શિવબાબા પહેલા-પહેલા આવીને ગીતા સંભળાવે છે અર્થાત્ આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. યોગ પણ શીખવાડે છે. સાથે-સાથે તમને ભણાવે પણ છે. તો પહેલા-પહેલા બાપ આવ્યાં શિવજયંતી થઈ પછી કહેશે ગીતાજયંતી. આત્માઓને જ્ઞાન સંભળાવે છે તો ગીતાજયંતી થઈ ગઈ. આપ બાળકો વિચાર કરી તહેવારો ને નંબરવાર લખો. આ વાતોને સમજશે પણ આપણા ધર્મ નાં. દરેક ને પોતાનો ધર્મ પ્રિય લાગે છે. બીજા ધર્મવાળા ની વાત જ નથી. ભલે કોઈને બીજો ધર્મ પ્રિય હોય પણ પરંતુ તેમાં આવી ન શકે. સ્વર્ગમાં બીજા ધર્મવાળા થોડી આવી શકે છે. ઝાડમાં બિલકુલ સ્પષ્ટ છે. જે જે ધર્મ જે સમયે આવે છે ફરી તે સમયે આવશે. પહેલાં બાપ આવે છે, એ જ આવીને રાજયોગ શીખવાડે છે તો કહેશે શિવજયંતી સો પછી ગીતાજયંતી પછી નારાયણ જયંતી. તે તો થઈ જાય સતયુગ. તે પણ લખવું પડે નંબરવાર. આ જ્ઞાન ની વાતો છે. શિવજયંતી ક્યારે થઈ તે પણ ખબર નથી, જ્ઞાન સંભળાવ્યું, જેને ગીતા કહેવાય છે પછી વિનાશ પણ થાય છે. જગત અંબા વગેરે ની જયંતી નો કોઈ હોલીડે (રજા) નથી. મનુષ્ય કોઈની પણ તિથિ-તારીખ વગેરે ને બિલકુલ નથી જાણતાં. લક્ષ્મી-નારાયણ, રામ-સીતા નાં રાજ્ય ને જ નથી જાણતાં. ૨૫૦૦ વર્ષમાં જે આવ્યાં છે, તેમને જાણે છે પરંતુ તેનાથી પહેલાં જે આદિ સનાતન દેવી-દેવતા હતાં, તેમને કેટલો સમય થયો, કાંઈ નથી જાણતાં. ૫ હજાર વર્ષ થી મોટું કલ્પ તો હોઈ ન શકે. અડધા તરફ તો અઢળક સંખ્યા આવી ગઈ, બાકી અડધા માં આમનું રાજ્ય. પછી વધારે વર્ષોનું કલ્પ હોઈ કેવી રીતે શકે. ૮૪ લાખ જન્મ પણ નથી હોઈ શકતાં. તે લોકો સમજે છે કળયુગ ની આયુ લાખો વર્ષ છે. મનુષ્યો ને અંધકાર માં નાખી દીધાં છે. ક્યાં આખો ડ્રામા ૫ હજાર વર્ષ નો, ક્યાં ફક્ત કળયુગ નાં માટે કહે કે હમણાં ૪૦ હજાર વર્ષ શેષ (બાકી) છે. જ્યારે લડાઈ લાગે છે તો સમજે છે ભગવાને આવવું જોઈએ પરંતુ ભગવાને તો આવવું જોઈએ સંગમ પર. મહાભારત લડાઈ તો લાગે જ છે સંગમ પર. બાપ કહે છે હું પણ કલ્પ-કલ્પ સંગમયુગ પર આવું છું. બાપ આવશે નવી દુનિયાની સ્થાપના જૂની દુનિયાનો વિનાશ કરાવવાં. નવી દુનિયાની સ્થાપના થશે તો જૂની દુનિયાનો વિનાશ જરુર થશે, આનાં માટે આ લડાઈ છે. આમા શંકરની પ્રેરણા વગેરે ની તો કોઈ વાત નથી. અંડરસ્ટુડ (સમજાયું), જૂની દુનિયા ખલાસ થઈ જશે. મકાન વગેરે તો અર્થકવેક (ધરતીકંપ) માં બધું ખલાસ થઈ જશે કારણ કે નવી દુનિયા જોઈએ. નવી દુનિયા હતી જરુર. દિલ્હી પરીસ્તાન હતું, જમુના નો કાંઠો હતો. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ચિત્ર પણ છે. લક્ષ્મી-નારાયણ ને સ્વર્ગનાં જ કહેશું. આપ બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે કે કેવી રીતે સ્વયંવર થાય છે. આ બધાં પોઇન્ટ્સ (વાતો) બાબા રિવાઇઝ (પુનરાવર્તન) કરાવે છે. સારું, પોઇન્ટ્સ યાદ નથી રહેતા તો બાબાને યાદ કરો. બાપ ભૂલાઈ જાય છે તો શિક્ષક ને યાદ કરો. શિક્ષક જે શીખવાડે છે તે પણ જરુર યાદ આવશે ને. શિક્ષક પણ યાદ રહેશે, નોલેજ પણ યાદ રહેશે. ઉદ્દેશ પણ બુદ્ધિ માં છે. યાદ રાખવું જ પડે કારણ કે તમારી સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) છે ને. આ પણ જાણો છો જે આપણને ભણાવે છે તે આપણા બાપ પણ છે, લૌકિક બાપ કોઈ ગુમ નથી થઈ જતાં. લૌકિક, પારલૌકિક અને પછી આ છે અલૌકિક. આમને કોઈ યાદ નથી કરતું. લૌકિક બાપ થી તો વારસો મળે છે. અંત સુધી યાદ રહે છે. શરીર છોડ્યું પછી બીજો બાપ મળે છે. જન્મ પછી જન્મ લૌકિક બાપ મળે છે. પારલૌકિક બાપ ને પણ દુઃખ કે સુખ માં યાદ કરે છે. બાળક આવ્યું તો કહેશે ઈશ્વરે બાળક આપ્યું. બાકી પ્રજાપિતા બ્રહ્મા ને કેમ યાદ કરશે, એમનાથી કાંઈ મળે થોડી છે. આમને અલૌકિક કહેવાય છે.

તમે જાણો છો આપણે બ્રહ્મા દ્વારા શિવબાબા થી વારસો લઇ રહ્યાં છીએ. જેમ આપણે ભણીએ છીએ, આ રથ પણ નિમિત્ત બનેલો છે. અનેક જન્મોના અંત માં આમનું શરીર જ રથ બને છે. રથ નું નામ તો રાખવું પડે છે ને. આ છે બેહદ નો સંન્યાસ. રથ કાયમ જ રહે છે, બાકીનું ઠેકાણું નથી. ચાલતા-ચાલતા પછી ભાગન્તી થઈ જાય. આ રથ તો મુકરર છે ડ્રામા અનુસાર, આને કહેવાય છે ભાગ્યશાળી રથ. તમને બધાને ભાગ્યશાળી રથ નહીં કહેશે. ભાગ્યશાળી રથ એક મનાય છે, જેમાં બાપ આવીને જ્ઞાન આપે છે. સ્થાપના નું કાર્ય કરાવે છે. તમે ભાગ્યશાળી રથ નથી થયાં. તમારી આત્મા આ રથ માં બેસી ભણે છે. આત્મા પવિત્ર બની જાય એટલે બલિહારી આ તન ની છે જે આમાં બેસીને ભણાવે છે. આ અંતિમ જન્મ ખુબ વેલ્યુએબલ (મુલ્યવાન) છે પછી શરીર બદલી આપણે દેવતા બની જઈશું. આ જૂના શરીર દ્વારા જ તમે શિક્ષા પામો છો. શિવબાબા નાં બનો છો. તમે જાણો છો આપણું પહેલું જીવન વર્થ નોટ પેની (કોડીતુલ્ય) હતું. હવે પાઉન્ડ (હીરાતુલ્ય) બની રહ્યું છે. જેટલું ભણશો એટલું ઉંચ પદ પામશો. બાપે સમજાવ્યું છે યાદ ની યાત્રા છે મુખ્ય. આને જ ભારતનો પ્રાચીન યોગ કહે છે જેનાથી તમે પતિત થી પાવન બનો છો, સ્વર્ગવાસી તો બધાં બને છે પછી છે ભણતર પર આધાર. તમે બેહદની સ્કૂલ માં બેઠા છો. તમે જ પછી દેવતા બનશો. તમે સમજી શકો છો ઉંચ પદ કોણ પામી શકે છે. તેમની કવોલિફિકેશન (લાયકાત) શું હોવી જોઈએ. પહેલાં આપણામાં પણ ક્વોલિફિકેશન નહોતી. આસુરી મત પર હતાં. હવે ઈશ્વરીય મત મળે છે. આસુરી મત થી આપણે ઉતરતી કળા માં જઈએ છીએ. ઈશ્વરીય મત થી ચઢતી કળા માં જઈએ છીએ. ઈશ્વરીય મત આપવા વાળા એક છે, આસુરી મત આપવા વાળા અનેક છે. માઁ-બાપ, ભાઈ-બહેન, શિક્ષક-ગુરુ કેટલાની મત મળે છે. હમણાં તમને એક ની મત મળે છે જે ૨૧ જન્મ કામ આવે છે. તો એવી શ્રીમત પર ચાલવું જોઈએ ને. જેટલું ચાલશે એટલું શ્રેષ્ઠ પદ પામશે. ઓછું ચાલશે તો ઓછું પદ. શ્રીમત છે જ ભગવાન ની. ઊંચે થી ઊંચા ભગવાન જ છે, જેમણે કૃષ્ણ ને ઊંચે થી ઉંચા બનાવ્યાં પછી નીચે થી નીચા રાવણે બનાવ્યાં. બાપ ગોરા બનાવે પછી રાવણ શ્યામ બનાવે. બાપ વારસો આપે છે. એ તો છે જ વાઈસલેસ (નિર્વિકારી). દેવતાઓની મહિમા ગાએ છે સર્વગુણ સંપન્ન……. સન્યાસીઓને સંપૂર્ણ નિર્વિકારી નહીં કહેશે. સતયુગ માં આત્મા અને શરીર બંને પવિત્ર હોય છે. દેવતાઓને બધાં જાણે છે, તે સંપૂર્ણ નિર્વિકારી હોવાનાં કારણે સંપૂર્ણ વિશ્વનાં માલિક બને છે. હમણાં નથી, ફરી તમે બનો છો. બાપ પણ સંગમયુગ પર જ આવે છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ. બ્રહ્માનાં બાળકો તો તમે બધાં થયાં. તે છે ગ્રેટ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર. બોલો, પ્રજાપિતા બ્રહ્મા નું નામ નથી સાંભળ્યું? પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા જ સૃષ્ટિ રચશે ને. બ્રાહ્મણ કુળ છે. બ્રહ્મામુખ વંશાવલી ભાઈ-બહેન થઈ ગયાં. અહીંયા રાજા-રાણી ની વાત નથી. આ બ્રાહ્મણ કુળ તો સંગમનો થોડો સમય ચાલે છે. રાજાઈ ન પાંડવો ની છે, ન કૌરવો ની. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ૨૧ જન્મ શ્રેષ્ઠ પદ નાં અધિકારી બનવા માટે બધી આસુરી મતો ને છોડી એક ઈશ્વરીય મત પર ચાલવાનું છે. સંપૂર્ણ વાઈસલેસ બનવાનું છે.

2. આ જૂનાં શરીર માં બેસી બાપની શિક્ષાઓ ને ધારણ કરી દેવતા બનવાનું છે. આ છે ખુબ વેલ્યુએબલ (મુલ્યવાન) જીવન, આમાં વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનવાનું છે.

વરદાન :-
સર્વ સંબંધો નાં સહયોગ ની અનુભૂતિ દ્વારા નિરંતર યોગી , સહજયોગી ભવ

દર સમયે બાપ થી ભિન્ન-ભિન્ન સંબંધોનો સહયોગ લેવો અર્થાત્ અનુભવ કરવો જ સહજયોગ છે. બાપ કેવા પણ સમય પર સંબંધ નિભાવવા માટે બંધાયેલા છે. આખાં કલ્પમાં હમણાં જ સર્વ અનુભવો ની ખાણ પ્રાપ્ત થાય છે એટલે સદા સર્વ સંબંધો નો સહયોગ લો અને નિરંતર યોગી, સહજયોગી બનો કારણ કે જે સર્વ સંબંધોની અનુભૂતિ અથવા પ્રાપ્તિ માં મગન રહે છે તે જૂની દુનિયાનાં વાતાવરણ થી સહજ જ ઉપરામ થઈ જાય છે.

સ્લોગન :-
સર્વ શક્તિઓથી સંપન્ન રહેવું એ જ બ્રાહ્મણ સ્વરુપ ની વિશેષતા છે.