26-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
જે તમને હીરા જેવા બનાવે છે , તેમાં ક્યારેય પણ સંશય ન આવવો જોઈએ , સંશયબુદ્ધિ બનવું
એટલે પોતાનું નુકસાન કરવું ”
પ્રશ્ન :-
મનુષ્ય થી
દેવતા બનવાનાં ભણતર માં પાસ થવાનો મુખ્ય આધાર શું છે?
ઉત્તર :-
નિશ્ચય. નિશ્ચયબુદ્ધિ બનવાનું સાહસ જોઈએ. માયા આ સાહસને તોડે છે. સંશયબુદ્ધિ બનાવી
દે છે. ચાલતા-ચાલતા જો ભણતર માં કે ભણાવવા વાળા સુપ્રીમ (સર્વોચ્ચ) શિક્ષક માં સંશય
આવ્યો તો પોતાનું અને બીજાનું ખુબ નુકસાન કરે છે.
ગીત :-
તૂ પ્યાર કા
સાગર હૈ …
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ શિવબાબા સમજાવી રહ્યાં છે, આપ બાળકો બાપની મહિમા કરો છો, તૂ પ્યાર કા સાગર
હૈ. એમને જ્ઞાન નો સાગર પણ કહેવાય છે. જ્યારે કે જ્ઞાન નો સાગર એક છે તો બાકી ને
કહેશે અજ્ઞાન કારણ કે જ્ઞાન અને અજ્ઞાન નો ખેલ છે. જ્ઞાન છે જ પરમપિતા પરમાત્મા ની
પાસે. આ જ્ઞાન થી નવી દુનિયા સ્થાપન થાય છે. એવું નહીં કે કોઈ નવી દુનિયા બનાવે છે.
દુનિયા તો અવિનાશી છે જ. ફક્ત જૂની દુનિયાને બદલી નવી બનાવે છે. એવું નહીં કે પ્રલય
થઈ જાય છે. આખી દુનિયા ક્યારેય વિનાશ નથી થતી. જૂની છે તે બદલાઈ ને નવી બની રહી છે.
બાપે સમજાવ્યું છે આ જૂનું ઘર છે, જેમાં તમે બેઠાં છો. જાણો છો આપણે નવાં ઘર માં
જઈશું. જેમ જુનું દિલ્હી છે. હવે જુનું દિલ્હી ખતમ થવાનું છે, તેનાં બદલે હવે નવું
બનવાનું છે. હવે નવું કેવી રીતે બને છે? પહેલાં તો તેમાં રહેવાવાળા લાયક જોઈએ. નવી
દુનિયામાં તો હોય છે સર્વગુણ સંપન્ન…… આપ બાળકોનું આ લક્ષ-હેતુ પણ છે. પાઠશાળા માં
લક્ષ-હેતુ તો રહે છે ને. ભણવા વાળા જાણે છે-હું સર્જન બનીશ, બેરિસ્ટર બનીશ…. અહીંયા
તમે જાણો છો આપણે આવ્યાં છીએ - મનુષ્ય થી દેવતા બનવાં. પાઠશાળા માં લક્ષ-હેતુ વગર
તો કોઈ બેસી ન શકે. પરંતુ આ એવી વન્ડરફુલ પાઠશાળા છે જે લક્ષ-હેતુ સમજતાં, ભણતાં પછી
પણ ભણતર ને છોડી દે છે. સમજે છે આ રોંગ (ખોટું) ભણતર છે. આ લક્ષ-હેતુ છે નહીં, આવું
ક્યારેય થઈ ન શકે. ભણાવવા વાળામાં પણ સંશય આવી જાય છે. તે ભણતર માં તો ભણી નથી શકતાં
અથવા પૈસા નથી, હિમ્મત નથી તો ભણવાનું છોડી દે છે. એવું તો નહીં કહેશે કે બેરિસ્ટરી
નું નોલેજ રોંગ છે, ભણાવવા વાળા રોંગ છે. અહીંયા તો મનુષ્યો ની વન્ડરફુલ બુદ્ધિ છે.
ભણતર માં સંશય પડી જાય છે તો કહી દે છે આ ભણતર રોંગ છે. ભગવાન ભણાવતાં જ નથી,
બાદશાહી વગેરે કાંઈ નથી મળતી…... આ બધાં ગપોડા છે. આવાં પણ ઘણાં બાળકો ભણતા-ભણતા પછી
છોડી દે છે. બધાં પૂછશે તમે તો કહેતાં હતાં અમને ભગવાન ભણાવે છે, જેનાથી મનુષ્ય થી
દેવતા બનાય છે પછી આ શું થયું? ના, ના તે બધાં ગપોડા હતાં. કહે આ લક્ષ-હેતુ અમને
સમજમાં નથી આવતું. ઘણાં છે જે નિશ્ચય થી ભણતાં હતાં, સંશય આવવાથી ભણતર છોડી દીધું.
નિશ્ચય કેવી રીતે થયો પછી સંશયબુદ્ધિ કોણે બનાવ્યાં? તમે કહેશો આ જો ભણત તો ખુબ ઉંચ
પદ પામી શકત. ખુબ ભણતાં રહે છે. બેરિસ્ટરી ભણતા-ભણતા અડધા પર છોડી દે છે, બીજા તો
ભણીને બેરિસ્ટર બની જાય છે. કોઈ ભણીને પાસ થાય છે, કોઈ નપાસ થઈ જાય છે. પછી કાંઈ ને
કાંઈ ઓછું પદ પામી લે છે. આ તો મોટી પરીક્ષા છે. આમાં ખુબ સાહસ જોઈએ. એક તો
નિશ્ચયબુદ્ધિ નું સાહસ જોઈએ. માયા એવી છે હમણાં-હમણાં નિશ્ચય, હમણાં સંશય બુદ્ધિ
બનાવી દે છે. આવે ઘણાં છે ભણવા માટે પરંતુ કોઈ ડલ બુદ્ધિ હોય છે, નંબરવાર પાસ થાય
છે ને. સમાચાર માં પણ લિસ્ટ (સુચિ) નીકળે છે. આ પણ એવું છે, આવે ઘણાં છે ભણવા માટે.
કોઈ સારી બુદ્ધિ વાળા છે, કોઈ ડલ બુદ્ધિ છે. ડલ બુદ્ધિ થતા-થતા પછી કોઇને કોઇ સંશય
માં આવી ને છોડી દે છે. પછી બીજાઓનું પણ નુકસાન કરાવી દે છે. સંશયબુદ્ધિ વિનશન્તી
કહેવાય છે. તે ઉંચ પદ પામી ન શકે. નિશ્ચય પણ છે પરંતુ પૂરું ભણતાં નથી તો થોડી પાસ
થશે કારણ કે બુદ્ધિ કોઈ કામ ની નથી. ધારણા નથી થતી. હું આત્મા છું આ ભૂલી જાય છે.
બાપ કહે છે હું આપ આત્માઓનો પરમપિતા છું. આપ બાળકો જાણો છો બાપ આવ્યાં છે. કોઈને
ખુબ વિઘ્ન પડે છે તો તેમને સંશય આવી જાય છે, કહી દે છે અમને ફલાણી બ્રાહ્મણી થી
નિશ્ચય નથી બેસતો. અરે બ્રાહ્મણી કેવી પણ હોય તમારે તો ભણવું જોઈએ ને. શિક્ષક સારું
નથી ભણાવતાં તો વિચારે છે આમને ભણવાથી છોડાવી દઈએ. પરંતુ તમારે તો ભણવાનું છે ને. આ
ભણતર છે બાપ નું. ભણાવવા વાળા એ સુપ્રીમ શિક્ષક છે. બ્રાહ્મણી પણ એમનું નોલેજ
સંભળાવે છે તો અટેન્શન (ધ્યાન) ભણતર પર હોવું જોઈએ ને. ભણતર વગર પરીક્ષા પાસ નહી કરી
શકશો. પરંતુ બાપ થી નિશ્ચય જ તૂટી પડે છે તો પછી ભણતર છોડી દે છે. ભણતા-ભણતા શિક્ષક
માં સંશય આવી જાય છે કે આમનાથી આ પદ મળશે કે નહીં તો પછી છોડી દે છે. બીજાઓને પણ
ખરાબ કરી દે છે, ગ્લાની કરવાથી વધારે જ નુકસાન કરી દે છે. ખુબ ઘાટો પડી જાય છે. બાપ
કહે છે કે અહીંયા જો કોઈ પાપ કરે છે તેમને સોગુણા દંડ પડી જાય છે. એક નિમિત્ત બને
છે, અનેકો ને ખરાબ કરવાં. તો જે કંઈ પુણ્ય આત્મા બન્યાં પછી પાપ આત્મા બની જાય છે.
પુણ્ય આત્મા બને જ છે આ ભણતર થી અને પુણ્ય આત્મા બનાવવા વાળા એક જ બાપ છે. જો કોઈ
નથી ભણી શકતાં તો જરુર કોઇ ખરાબી છે. બસ કહી દે છે જે નસીબ, અમે શું કરીએ. જેમ કે
હાર્ટ ફેલ થઈ જાય છે. તો જે અહીંયા આવીને મરજીવા બને છે, તે પછી રાવણ રાજ્ય માં જઈને
મરજીવા બને છે. હીરા જેવું જીવન બનાવી નથી શકતાં. મનુષ્ય હાર્ટ ફેલ થાય છે તો જઈને
બીજો જન્મ લેશે. અહીંયા હાર્ટ ફેલ થાય તો આસુરી સંપ્રદાય માં ચાલ્યાં જાય. આ છે
મરજીવા જન્મ. નવી દુનિયામાં ચાલવા માટે બાપનાં બને છે. આત્માઓ જશે ને. આપણે આત્માઓ
આ શરીરનું ભાન છોડી દઈશું તો સમજશે આ દેહી-અભિમાની છે. આપણે બીજી વસ્તુ છીએ, શરીર
બીજી વસ્તુ છે. એક શરીર છોડી બીજું લે છે તો જરુર અલગ વસ્તુ થઈ ને, તમે સમજો છો અમે
આત્માઓ શ્રીમત પર આ ભારતમાં સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છીએ. આ મનુષ્ય ને દેવતા
બનાવવાની કળા શીખવાની હોય છે. આ પણ બાળકોને સમજાવ્યું છે, સતસંગ કોઈ પણ નથી. સત્ય
તો એક જ પરમાત્માને કહેવાય છે. એમનું નામ છે શિવ, એ જ સતયુગ ની સ્થાપના કરે છે.
કળયુગ ની આયુ જરુર પૂરી થવાની છે. આખી દુનિયાનું ચક્ર કેવી રીતે ફરે છે, આ ગોળા નાં
ચિત્ર માં ક્લિયર (સ્પષ્ટ) છે. દેવતા બનવા માટે સંગમ પર બાપનાં બને છે. બાપ ને
છોડ્યાં તો પછી કળયુગ માં ચાલ્યાં જશે. બ્રાહ્મણપણા માં સંશય આવી ગયો તો જઈને શૂદ્ર
ઘરાના માં પડશે. પછી દેવતા બની ન શકે.
બાપ આ પણ સમજાવે છે - કેવી રીતે હમણાં સ્વર્ગની સ્થાપના નું ફાઉન્ડેશન (પાયો) પડી
રહ્યું છે. ફાઉન્ડેશન ની સેરેમની પછી ઓપનિંગ ની પણ સેરેમની થાય છે. અહીંયા તો છે
ગુપ્ત. આ તમે જાણો છો આપણે સ્વર્ગનાં માટે તૈયાર થઈ રહ્યાં છીએ. પછી નર્ક નું નામ
નહીં રહેશે. અંત સુધી જ્યાં જીવવાનું છે, ભણવાનું છે જરુર. પતિત-પાવન એક જ બાપ છે
જે પાવન બનાવે છે.
હમણાં આપ બાળકો સમજો છો આ છે સંગમયુગ, જ્યારે બાપ પાવન બનાવવા આવે છે. લખવાનું પણ
છે પુરુષોત્તમ સંગમયુગ માં મનુષ્ય નર થી નારાયણ બને છે. આ પણ લખેલું છે - આ તમારો
ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. બાપ હમણાં તમને દિવ્ય દૃષ્ટિ આપે છે. આત્મા જાણે છે
આપણું ૮૪ નું ચક્ર હવે પૂરું થયું છે. આત્માઓને બાપ બેસી સમજાવે છે. આત્મા ભણે છે
ભલે દેહ-અભિમાન ઘડી-ઘડી આવી જશે કારણ કે અડધાકલ્પ નું દેહ-અભિમાન છે ને. તો
દેહી-અભિમાની બનવામાં સમય લાગે છે. બાપ બેઠાં છે, સમય મળેલો છે. ભલે બ્રહ્માની આયુ
૧૦૦ વર્ષ કહે છે અથવા ઓછી પણ હોય. સમજો બ્રહ્મા ચાલ્યાં જાય, એવું તો નહીં સ્થાપના
નહીં થશે. તમે સેના તો બેઠી છો ને. બાપે મંત્ર આપી દીધો છે, ભણવાનું છે. સૃષ્ટિનું
ચક્ર કેવી રીતે ફરે છે, આ પણ બુદ્ધિ માં છે. યાદ ની યાત્રા પર રહેવાનું છે. યાદ થી
જ વિકર્મ વિનાશ થશે. ભક્તિમાર્ગ માં બધાથી વિકર્મ થયાં છે. જૂની દુનિયા અને નવી
દુનિયા બંનેવ નાં ગોળા તમારી સામે છે. તો તમે લખી શકો છો જૂની દુનિયા રાવણ રાજ્ય
મુર્દાબાદ, નવી દુનિયા જ્ઞાન માર્ગ રામ રાજ્ય જિંદાબાદ. જે પૂજ્ય હતાં તે જ પૂજારી
બન્યાં છે. કૃષ્ણ પણ પૂજ્ય ગોરા હતાં પછી રાવણ રાજ્ય માં પુજારી શ્યામ બની જાય છે.
આ સમજાવવું તો સહજ છે. પહેલા-પહેલા જ્યારે પૂજા શરું થાય છે તો મોટા-મોટા હીરાઓનું
લિંગ બનાવે છે, મોસ્ટ વેલ્યુબલ (ખુબ મુલ્યવાન) હોય છે કારણ કે બાપે એટલાં સાહૂકાર
બનાવ્યાં છે ને. એ પોતે જ હીરો છે, તો આત્માઓને પણ હીરા જેવી બનાવે છે, તો એમને હીરા
બનાવીને રાખવા જોઈએ ને. હીરો હંમેશા વચમાં રાખે છે. પુખરાજ વગેરે નાં સાથે તો તેનું
મુલ્ય નહીં રહેશે એટલે હીરા ને વચમાં રખાય છે. આમનાં દ્વારા ૮ રત્ન વિજય માળા નાં
દાણા બને છે, સૌથી વધારે વેલ્યુ હોય છે હીરા ની. બાકી તો નંબરવાર બને છે. બનાવે
શિવબાબા છે, આ બધી વાતો બાપ વગર તો કોઈ સમજાવી ન શકે. ભણતા-ભણતા આશ્ચર્યવત બાબા-બાબા
કહન્તી પછી ચાલ્યાં જાય છે. શિવબાબા ને બાબા કહે છે, તો એમને ક્યારેય ન છોડવા જોઈએ.
પછી કહેવાય તકદીર. કોઈની તકદીર માં વધારે નથી તો પછી કર્મ જ એવાં કરે છે તો સોગુણા
દંડ ચઢી જાય છે. પુણ્ય આત્મા બનવા માટે પુરુષાર્થ કરી અને પછી પાપ કરવાથી સોગુણા
પાપ થઈ જાય છે પછી જામડા (બટકા) રહી જાય છે, વૃદ્ધિ ને પામી નથી શકતાં. સોગુણા દંડનો
ઉમેરો થવાથી અવસ્થા જોર નથી ભરતી. બાપ જેમનાથી તમે હીરા જેવા બનો છો એમનામાં સંશય
કેમ આવવો જોઈએ. કોઈ પણ કારણ થી બાપ ને છોડ્યાં તો કમબખ્ત કહેશે. ક્યાંય પણ રહીને
બાપને યાદ કરવાનાં છે, તો સજાઓ થી છૂટી જાય. અહીંયા તમે આવો જ છો પતિત થી પાવન બનવાં.
પાસ્ટ (ભૂતકાળ) નાં પણ કોઈ એવાં કર્મ કરેલાં છે તો શરીર ની પણ કર્મ ભોગના કેટલી ચાલે
છે. હવે તમે તો અડધાકલ્પ માટે આનાથી છૂટો છો. પોતાને જોવાનું છે અમે ક્યાં સુધી
પોતાની ઉન્નતિ કરીએ છીએ, બીજાઓની સર્વિસ (સેવા) કરીએ છીએ? લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર
પર પણ ઉપર માં લખી શકાય છે કે આ છે વિશ્વમાં શાંતિની રાજાઈ, જે હવે સ્થાપન થઈ રહી
છે. આ છે લક્ષ-હેતુ. ત્યાં ૧૦૦ ટકા પવિત્રતા, સુખ-શાંતિ છે. એમનાં રાજ્ય માં બીજો
કોઈ ધર્મ હોતો નથી. તો હમણાં જ જે આટલાં ધર્મ છે તેનો જરુર વિનાશ થશે ને. સમજાવવામાં
મોટી (વિશાળ) બુદ્ધિ જોઈએ. નહીં તો પોતાની અવસ્થા અનુસાર જ સમજાવે છે. ચિત્રો ની
આગળ બેસી વિચાર ચલાવવા જોઈએ. સમજણ તો મળેલી છે. સમજો છો તો જરુર સમજાવવાનું છે એટલે
બાબા મ્યુઝિયમ ખોલાવતાં રહે છે. ગેટ વે ટૂ હેવન (સ્વર્ગ નાં દ્વાર) ,આ નામ પણ સારું
છે. તે છે દિલ્હી ગેટ, ઈન્ડિયા ગેટ. આ પછી છે સ્વર્ગ નો ગેટ. તમે હવે સ્વર્ગ નાં
ગેટ ખોલી રહ્યાં છો. ભક્તિમાર્ગ એવાં મૂંઝાઈ જાય છે જેમ ભૂલ-ભૂલૈયા માં મૂંઝાઇ જાય
છે. રસ્તો કોઈને મળતો નથી. બધાં અંદર ફસાઈ જાય છે - માયા નાં રાજ્ય માં. પછી બાપ
આવીને નીકાળે છે. કોઈને નીકળવાનું દિલ નથી થતું તો બાપ પણ શું કરશે એટલે બાપ કહે છે
મહાન કમબખ્ત પણ અહીંયા જુઓ, જે ભણતર ને છોડી દે છે. સંશય બુદ્ધિ બની જન્મ-જન્માંતર
નાં માટે પોતાનું ખૂન કરી દે છે. તકદીર બગડે છે તો પછી એવું થાય છે. ગ્રહચારી
બેસવાથી ગોરા બનવાનાં બદલે કાળા બની જાય છે. ગુપ્ત આત્મા ભણે છે, આત્મા જ શરીર થી
બધુંજ કરે છે, આત્મા શરીર વગર તો કંઇ કરી નથી શકતી. આત્મા સમજવાની જ મહેનત છે. આત્મા
નિશ્ચય નથી કરી શકતાં તો પછી દેહ-અભિમાન માં આવી જાય છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સુપ્રીમ
શિક્ષક નું ભણતર આપણને નર થી નારાયણ બનાવવા વાળું છે, આ જ નિશ્ચય થી અટેન્શન (ધ્યાન)
આપીને ભણતર ભણવાનું છે. ભણાવવા વાળા શિક્ષક ને જોવાનાં નથી.
2. દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરવાનો છે, મરજીવા બન્યાં છો તો આ શરીર નાં ભાન
ને છોડી દેવાનું છે. પુણ્ય આત્મા બનવાનું છે, કોઈ પણ પાપ કર્મ નથી કરવાનું.
વરદાન :-
સ્વ - સ્થિતિ
ની સીટ પર સ્થિત રહી પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા માસ્ટર રચતા ભવ
કોઈ પણ પરિસ્થિતિ,
પ્રકૃતિ દ્વારા આવે છે એટલે પરિસ્થિતિ રચના છે અને સ્વ-સ્થિતિ વાળા રચયિતા છે.
માસ્ટર રચતા અથવા માસ્ટર સર્વશક્તિવાન ક્યારેય હાર ખાઈ નથી શકતાં. અસંભવ છે. જો કોઈ
પોતાની સીટ છોડે છે તો હાર થાય છે. સીટ છોડવી અર્થાત્ શક્તિહીન બનવું. સીટ નાં આધાર
પર શક્તિયો સ્વતઃ આવે છે. જે સીટ થી નીચે આવી જાય તેમને માયા ની ધૂળ લાગી જાય છે.
બાપદાદાનાં લાડલા, મરજીવા જન્મધારી બ્રાહ્મણ ક્યારેય દેહ-અભિમાન ની માટીમાં રમી ન
શકે.
સ્લોગન :-
દૃઢતા કઠોર
સંસ્કારો ને પણ મીણ ની જેમ પીગાળી (ખતમ કરી) દે છે.