03-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદ
થી સતોપ્રધાન બનવાની સાથે - સાથે ભણતર થી કમાણી જમા કરવાની છે , ભણતર નાં સમયે
બુદ્ધિ અહીંયા - ત્યાં ન ભાગે ”
પ્રશ્ન :-
આપ ડબલ અહિંસક,
અનનોન વારિયર્સ (ગુપ્ત યોધ્ધાઓ) ની કઈ વિજય નિશ્ચિત છે અને કેમ?
ઉત્તર :-
આપ બાળકો જે માયા પર જીત પામવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો, તમારું લક્ષ્ય છે કે અમે
રાવણ થી પોતાનું રાજ્ય લઈને જ છોડીશું…... આ પણ ડ્રામામાં યુક્તિ રચાયેલી છે. તમારી
વિજય નિશ્ચિત છે કારણ કે તમારી સાથે સાક્ષાત્ પરમપિતા પરમાત્મા છે. તમે યોગબળ થી
વિજય પામો છો. મનમનાભવ નાં મહામંત્ર થી તમને રાજાઈ મળે છે. તમે અડધોકલ્પ રાજ્ય કરશો.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
બાળકો જ્યારે સામે બેસી રહે છે તો સમજે છે બરાબર અમારા કોઈ સાકાર શિક્ષક નથી, અમને
ભણાવવા વાળા જ્ઞાન નાં સાગર બાબા છે. આ તો પાક્કો નિશ્ચય છે એ આપણા બાપ પણ છે,
જ્યારે ભણીએ છીએ તો ભણતર પર અટેન્શન (ધ્યાન) રહે છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પોતાની
સ્કૂલ માં બેઠા હશે તો શિક્ષક યાદ આવશે, ન કે બાપ કારણ કે સ્કૂલમાં બેઠાં છે. તમે
પણ જાણો છો બાબા શિક્ષક પણ છે. નામ ને તો નથી પકડવાનું ને. ધ્યાન માં રાખવાનું છે-આપણે
આત્મા છીએ, બાપ થી સાંભળી રહ્યાં છીએ. આ તો ક્યારેય થતું જ નથી. ન સતયુગમાં, ન
કળયુગમાં થાય છે. ફક્ત એક જ વખત સંગમ પર થાય છે. તમે પોતાને આત્મા સમજો છો. આપણા
બાપ આ સમયે શિક્ષક છે કારણ કે ભણાવે છે, બંને કામ કરવા પડે છે. આત્મા ભણે છે શિવબાબા
થી. આ પણ યોગ અને ભણતર થઈ જાય છે. ભણે આત્મા છે, ભણાવે પરમાત્મા છે. આમાં હજું વધારે
ફાયદો છે જ્યારે કે તમે સન્મુખ છો. ઘણાં બાળકો સારી રીતે યાદ માં રહેશે. કર્માતીત
અવસ્થામાં પહોંચશે તો તે પણ જેમ પવિત્રતા ની તાકાત મળે છે. તમે જાણો છો શિવબાબા
આપણને ભણાવે છે. આ તમારો યોગ પણ છે, કમાણી પણ છે. આત્માને જ સતોપ્રધાન બનવાનું છે.
તમે સતોપ્રધાન પણ બની રહ્યાં છો, ધન પણ લઈ રહ્યાં છો. સ્વયંને આત્મા જરુર સમજવાનું
છે. બુદ્ધિ ભાગવી ન જોઈએ. અહીંયા બેસો છો તો બુદ્ધિમાં આ રહે કે શિવબાબા ભણાવવા માટે
શિક્ષક રુપમાં આવ્યાં કે આવ્યાં. એ જ નોલેજફુલ છે, આપણને ભણાવી રહ્યાં છે. બાપ ને
યાદ કરવાનાં છે. સ્વદર્શન ચક્રધારી પણ આપણે છીએ. લાઈટ હાઉસ પણ છીએ. એક આંખ માં
શાંતિધામ, એક આંખ માં જીવનમુક્તિધામ છે. આ આંખો ની વાત નથી. આત્મા નું ત્રીજું
નેત્ર કહેવાય છે. હમણાં આત્માઓ સાંભળી રહી છે, જ્યારે શરીર છોડશે તો આત્મામાં આ
સંસ્કાર હશે. હમણાં તમે બાપ થી યોગ લગાવો છો. સતયુગ થી લઈને તમે વિયોગી હતાં અર્થાત્
બાપ થી યોગ નહોતો. હમણાં તમે યોગી બનો છો, બાપ સમાન. યોગ શિખવાડવા વાળા છે ઈશ્વર
એટલે એમને કહેવાય છે યોગેશ્વર. તમે પણ યોગેશ્વર નાં બાળકો છો. તેમને યોગ લગાડવાનો
નથી. એ છે યોગ શિખવાડવા વાળા પરમપિતા પરમાત્મા. તમે એક-એક યોગેશ્વર, યોગેશ્વરી બનો
છો પછી રાજ-રાજેશ્વરી બનશો. એ છે યોગ શિખવાડવા વાળા ઈશ્વર. પોતે નથી શીખતાં, શીખવાડે
છે. કૃષ્ણની જ આત્મા અંતનાં જન્મ માં યોગ શીખી ફરી કૃષ્ણ બને છે. એટલે કૃષ્ણને પણ
યોગેશ્વર કહી દે છે કારણ કે તેમની આત્મા હમણાં શીખી રહી છે. યોગેશ્વર થી યોગ શીખી
કૃષ્ણ પદ પામે છે. આમનું નામ પછી બાપે બ્રહ્મા રાખ્યું છે. પહેલાં તો લૌકિક નામ હતું
પછી મરજીવા બન્યાં છે. આત્માએ જ બાપનું બનવાનું છે. બાપનાં બન્યાં તો મરી ગયાં ને.
તમે પણ બાપ દ્વારા યોગ શીખો છો. આ સંસ્કારો થી જ તમે જશો શાંતિધામ માં. પછી નવો
પાર્ટ પ્રાલબ્ધનો ઈમર્જ (જાગૃત) થશે. ત્યાં આ વાતો યાદ નહીં રહેશે. આ હમણાં બાપ
સમજાવે છે. હમણાં પાર્ટ પૂરો થાય છે. ફરી નવેસર થી શરું થશે. જેમ બાપને સંકલ્પ ઉઠ્યો
કે હું જાઉં તો બાપ કહે છે હું આવું છું અને મારી વાણી ચાલવાની શરું થઈ જાય છે. ત્યાં
તો શાંતિમાં છે. પછી ડ્રામા અનુસાર તેમનો પાર્ટ શરું થાય છે. આવવાનો તો સંકલ્પ ઉઠે
છે. પછી અહીંયા આવીને પાર્ટ ભજવે છે. તમારી આત્માઓ પણ સાંભળે છે. નંબરવાર પુરુષાર્થ
અનુસાર કલ્પ પહેલાં માફક. દિવસ-પ્રતિ દિવસ વૃદ્ધિને પણ પામતાં જશો. એક દિવસ તમને
મોટા રોયલ હોલ પણ મળશે, જેમાં મોટા-મોટા લોકો પણ આવશે. બધાં સાથે બેસી સાંભળશે.
દિવસ-પ્રતિદિવસ સાહૂકાર પણ રંક થતાં જશે, પેટ પીઠ થી લાગી જશે. એવી આફતો આવવાની છે,
મુશળધાર વરસાદ પડશે તો બધી ખેતી વગેરે પાણીમાં ડૂબી જશે. નેચરલ કેલામીટીઝ (કુદરતી
આપદાઓ) તો આવવાની જ છે. વિનાશ થવાનો છે, આને કહેવાય છે કુદરતી આપદાઓ. બુદ્ધિ કહે છે
વિનાશ થવાનો જરુર છે. તે તરફ માટે બોમ્બસ પણ તૈયાર છે, નેચરલ કેલામીટીઝ વગેરે પછી
છે અહીંયા નાં માટે. આમાં ખુબ હિમ્મત જોઈએ. અંગદનું પણ દૃષ્ટાંત છે ને, તેને કોઈ
હલાવી ન શક્યું. આ અવસ્થા પાક્કી કરવાની છે-હું આત્મા છું, શરીરનું ભાન તૂટતું જાય.
સતયુગમાં તો જ્યારે ઓટોમેટિકલી (આપોઆપ) સમય પૂરો થાય છે તો સાક્ષાત્કાર થાય છે. હવે
અમારે આ શરીર છોડી જઈ બાળક બનવાનું છે. એક શરીર છોડી જઈ બીજા માં પ્રવેશ કરે છે,
સજાઓ વગેરે તો ત્યાં કાંઈ છે નહીં. દિવસ-પ્રતિદિવસ તમે નજીક આવતાં જશો. બાપ કહે છે
મારામાં જે પાર્ટ ભરેલો છે તે ખૂલતો જશે. બાળકોને બતાવતાં રહેશે. પછી પણ બાપનો
પાર્ટ પૂરો થશે તો તમારો પણ પૂરો થઈ જશે. પછી તમારો સતયુગ નો પાર્ટ શરું થશે. હમણાં
તમારે પોતાનું રાજ્ય લેવાનું છે, આ ડ્રામા ખુબ યુક્તિ થી બનેલો છે. તમે માયા પર જીત
પામો છો, આમાં પણ સમય લાગે છે. તે લોકો તો એક તરફ સમજે છે કે અમે સ્વર્ગમાં બેઠા
છીએ. આ સુખધામ બની ગયું છે, બીજી તરફ પછી ગીત માં પણ ભારત ની હાલત સંભળાવે છે. તમે
જાણો છો આ તો વધારે જ તમોપ્રધાન થઈ ગયાં છે. ડ્રામા અનુસાર તમોપ્રધાન પણ જોર થી થતાં
જાય છે. તમે હમણાં સતોપ્રધાન બની રહ્યાં છો. હવે નજીક આવતા જાઓ છો, છેવટે વિજય તો
તમારી થવાની જ છે. હાહાકાર નાં પછી ફરી જયજયકાર થશે. ઘી ની નદીઓ વહેશે. ત્યાં ઘી
વગેરે ખરીદી કરવું નહીં પડે. બધાની પાસે પોતાની ગાયો ફર્સ્ટ ક્લાસ હોય છે. તમે કેટલાં
ઉંચ બનો છો. તમે જાણો છો વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી ફરી રિપીટ (પુનરાવર્તન) થાય
છે. બાપ આવીને વર્લ્ડ ની હિસ્ટ્રી રિપીટ કરે છે. એટલે બાબાએ કહ્યું આ પણ લખી દો
વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે, આવી ને સમજો. જે સેન્સિબલ (સમજદાર)
હશે, કહેશે હમણા આયરન એજ (કળયુગ) છે, તો જરુર ગોલ્ડન એજ (સતયુગ) રિપીટ થશે. કોઈ તો
કહેશે સૃષ્ટિનું ચક્ર લાખો વર્ષનું છે, હમણાં કેવી રીતે રિપીટ થશે. અહીંયા
સૂર્યવંશી-ચંદ્રવંશી ની હિસ્ટ્રી તો છે નહીં. અંત સુધી આ ચક્ર કેવી રીતે રિપીટ થાય
છે. તે પણ જાણતાં નથી કે આમનું રાજ્ય પછી ક્યારે હશે. રામ રાજ્યને જાણતાં નથી. હમણાં
તમારી સાથે બાપ છે. જે તરફ સાક્ષાત્ પરમપિતા પરમાત્મા બાપ છે તેમની જરુર વિજય થવાની
છે. બાપ કોઈ હિંસા થોડી કરાવશે. કોઈને મારવું હિંસા છે ને. સૌથી મોટી હિંસા છે કામ
કટારી ચલાવવી. હમણાં તમે ડબલ અહિંસક બની રહ્યાં છો. ત્યાં છે જ અહિંસા પરમો
દેવી-દેવતા ધર્મ. ત્યાં ન લડે છે, ન વિકાર માં જાય છે. હમણાં તમારું છે યોગબળ, પરંતુ
આને ન સમજવાનાં કારણે શાસ્ત્રો માં અસુરો અને દેવતાઓની લડાઈ લખી દીધી છે, અહિંસાને
કોઈ જાણતું નથી. આ તમે જ જાણો છો. તમે છો ઇનકાગનીટો વારિયર્સ (ગુપ્ત યોધ્ધાઓ).
અનનોન બટ વેરી વેલ નોન. તમને કોઈ વારિયર્સ સમજશે? તમારા દ્વારા બધાને મનમનાભવ નો
પૈગામ (સંદેશ) મળશે. આ છે મહામંત્ર. મનુષ્ય આ વાતો ને સમજતા નથી. સતયુગ-ત્રેતા માં
આ હોતું નથી. મંત્ર થી તમે રાજાઈ પામી પછી દરકાર નથી. તમે જાણો છો આપણે કેવી રીતે
ચક્ર લગાવીને આવ્યાં છીએ. હવે ફરી પછી બાપ મહામંત્ર આપે છે. પછી અડધોકલ્પ રાજ્ય કરશું.
હવે તમારે દેવી ગુણ ધારણ કરવાનાં અને કરાવવાનાં છે. બાબા સલાહ આપે છે-પોતાનો ચાર્ટ
રાખવાથી ખુબ મજા આવશે. રજીસ્ટર માં સારું, ઉત્તમ, અને શ્રેષ્ઠ હોય છે ને. પોતે પણ
ફીલ (અનુભવ) કરે છે. કોઈ સારું ભણે છે, કોઈનું અટેન્શન નથી રહેતું તો ફેલ (નપાસ) થઈ
જાય છે. આ પછી છે બેહદ નું ભણતર. બાપ શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સાથે ચાલે છે. આ એક
જ બાપ છે જે કહે મરજીવા બનો. તમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ કહે છે હું
તમારો બાપ છું. બ્રહ્મા દ્વારા રાજ્ય આપું છું. આ થઈ ગયાં વચ્ચે દલાલ, આમનાથી યોગ
નથી લગાડવાનો. હમણાં તમારી બુદ્ધિ લાગી છે એ આપણા પતિઓનાં પતિ શિવ સાજન ની સાથે.
આમનાં દ્વારા એ તમને પોતાનાં બનાવે છે. કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો. આપણે
આત્માઓએ પાર્ટ પૂરો કર્યો હવે બાપની પાસે જવાનું છે ઘરે. હમણાં તો આખી સૃષ્ટિ
તમોપ્રધાન છે. ૫ તત્વ પણ તમોપ્રધાન છે. ત્યાં બધુંજ નવું હશે. અહીંયા તો જુઓ
હીરા-ઝવેરાત વગેરે કાંઈ પણ નથી, સતયુગ માં પછી ક્યાંથી આવે છે? ખાણો જે હવે ખાલી થઈ
ગઈ છે તે બધી ફરી થી હવે ભરતું થઈ જાય છે. ખાણો થી ખોદી લઈ આવે છે. વિચાર કરો બધી
નવી વસ્તુઓ હશે ને. લાઈટ વગેરે પણ જેમ નેચરલ રહે છે, સાયન્સ (વિજ્ઞાન) થી અહીંયા
શીખતા રહે છે. ત્યાં પણ કામ માં આવે છે. હેલિકોપ્ટર (વિમાન) ઉભા હશે, બટન દબાવ્યું
આ ચાલ્યું. કોઈ તકલીફ નથી. ત્યાં બધું ફુલપૂફ હોય છે, ક્યારેય મશીન વગેરે ખરાબ થઇ ન
શકે. ઘરમાં બેઠા સેકન્ડ માં સ્કૂલમાં કે હરવા-ફરવા પહોંચે છે. પ્રજાનાં માટે પછી
એનાથી ઓછાં હશે. તમારા માટે ત્યાં બધાં સુખ હોય છે. અકાળે મૃત્યુ થઈ નથી શકતું. તો
આપ બાળકોએ કેટલું અટેન્શન આપવું જોઈએ. માયાનું પણ ખુબ જોર છે. આ છે માયા નો અંતિમ
પામ્પ. લડાઈમાં જુવો કેટલાં મરે છે. લડાઈ બંધ થતી જ નથી. ક્યાં આટલી આખી દુનિયા,
ક્યાં ફક્ત એક જ સ્વર્ગ હશે. ત્યાં એવું થોડી કહેશે ગંગા પતિત-પાવની છે. ત્યાં ભક્તિ
માર્ગ ની કોઈ વાત જ નથી. અહીંયા ગંગામાં જુઓ આખાં શહેરનો કચરો પડતો રહે છે. બોમ્બે
નો બધો કચરો સાગરમાં વહી જાય છે.
ભક્તિ માં તમે મોટા-મોટા મંદિર બનાવો છો. હીરા-ઝવેરાતો નાં તો સુખ રહે છે ને. પોણો
ભાગ સુખ છે, બાકી ક્વાર્ટર (પા ભાગ) છે દુઃખ. અડધું-અડધું હોય પછી તો મજા ન રહે.
ભક્તિમાર્ગ માં પણ તમે ખુબ સુખી રહો છો. પાછળ મંદિરો વગેરે ને આવી લુંટે છે. સતયુગમાં
તમે કેટલાં સાહૂકાર હતાં તો આપ બાળકોને ખુબ ખુશી થવી જોઈએ. લક્ષ્ય અને હેતુ તો સામે
ઊભું છે. મા-બાપ નું તો સર્ટેન (નિશ્ચિત) છે. ગવાય છે ખુશી જેવો ખોરાક નહીં. યોગ થી
આયુ વધે છે.
હમણાં આત્માને સ્વ નું દર્શન થયું છે કે અમે ૮૪ નું ચક્કર લગાવીએ છીએ. આટલો પાર્ટ
ભજવીએ છીએ. બધી આત્માઓ એક્ટર્સ નીચે આવી જશે તો બાપ બધાને લઈ જશે. શિવની બારાત કહે
છે ને. આ બધું તમે જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. જેટલાં તમે યાદ માં રહેશો એટલાં
ખુશી માં રહેશો. દિવસ-પ્રતિ દિવસ ફીલ (અનુભવ) કરતાં રહેશો, કારણ કે શીખવાડવા વાળા
તો એ બાપ છે ને. આ પણ શીખવાડતાં રહે છે. આમને (બ્રહ્મા ને) પૂછવાની દરકાર નથી રહેતી.
પૂછો તો તમે છો. આ તો સાંભળે જ છે. બાપ રેસપોન્ડ (પ્રતિઉત્તર) આપે છે અને આ પણ
સાંભળે છે, આમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) કેટલી વન્ડરફુલ (અદ્દભુત) છે. આ પણ યાદ માં
રહે છે. પછી બાળકોને વર્ણન કરી સંભળાવે છે. બાબા આપણને ખવડાવે છે. હું એમને પોતાનો
રથ આપું છું, સવારી કરું છે તો કેમ નહીં ખવડાવીશ. આ માનવ અશ્વ છે. શિવબાબા નો રથ
છું-આ ખ્યાલ રહેવાથી પણ શિવબાબા ની યાદ રહેશે. યાદ થી જ ફાયદો છે. ભંડારા માં ભોજન
બનાવો છો તો પણ સમજો અમે શિવબાબા નાં બાળકો માટે બનાવીએ છીએ. પોતે પણ શિવબાબાનાં
બાળક છે તો આમ યાદ કરવાથી પણ ફાયદો જ છે. સૌથી વધારે પદ તેમને મળશે જે યાદ માં રહી
કર્માતીત અવસ્થાને પામે છે અને સર્વિસ (સેવા) પણ કરે છે. આ બાબા પણ ખુબ સર્વિસ કરે
છે ને. આમની બેહદની સર્વિસ છે તમે હદની સર્વિસ કરો છો. સર્વિસ થી જ આમને પણ પદ મળે
છે. શિવબાબા કહે - આમ-આમ કરો, આમને પણ સલાહ આપે છે. તોફાન તો બાળકોને આવે છે, સિવાય
યાદનાં કર્મેન્દ્રિયો વશ થવી મુશ્કેલ છે. યાદ થી જ બેડો પાર થવાનો છે, આ શિવબાબા કહે
છે અથવા બ્રહ્મા બાબા કહે છે, આ સમજવું પણ મુશ્કેલ થઈ જાય છે. આમાં ખુબ મહીન (સુક્ષ્મ)
બુદ્ધિ જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમયે
પૂરે-પૂરું મરજીવા બનવાનું છે. ભણતર સારી રીતે ભણવાનું છે, પોતાનો ચાર્ટ કે રજીસ્ટર
રાખવાનું છે. યાદ માં રહી પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની છે.
2. અંતિમ વિનાશનું સીન (દૃશ્ય) જોવા માટે હિમ્મતવાન બનવાનું છે. હું આત્મા છું-આ
અભ્યાસ થી શરીરનું ભાન તૂટતું જાય.
વરદાન :-
કોઈ પણ વિકરાળ
સમસ્યા ને શીતળ બનાવવા વાળા સંપૂર્ણ નિશ્ચયબુદ્ધિ ભવ
જેમ બાપ માં નિશ્ચય
છે તેમ સ્વયં માં અને ડ્રામામાં પણ સંપૂર્ણ નિશ્ચય હોય. સ્વયં માં જો કમજોરી નો
સંકલ્પ ઉત્પન્ન થાય છે તો કમજોરી નાં સંસ્કાર બની જાય છે, એટલે વ્યર્થ સંકલ્પ રુપી
કમજોરી નાં જમર્સ (કીટાણું) પોતાની અંદર પ્રવેશ થવા નહીં દેતાં. સાથે-સાથે જે પણ
ડ્રામાનો સીન જોવો છો, હલચલનાં સીન માં પણ કલ્યાણ નો અનુભવ થાય, વાતાવરણ હલાવવા વાળું
હોય, સમસ્યા વિકરાળ હોય પરંતુ સદા નિશ્ચયબુદ્ધિ વિજયી બનો તો વિકરાળ સમસ્યા પણ શીતળ
થઈ જશે.
સ્લોગન :-
જેમનો બાપ અને
સેવા થી પ્રેમ છે તેમને પરિવાર નો પ્રેમ સ્વતઃ મળે છે.