04-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જ્યારે
તમે ફૂલ બનશો , ત્યારે આ ભારત કાંટા નાં જંગલ થી સંપૂર્ણ ફૂલોનો બગીચો બનશે , બાબા
આવ્યાં છે તમને ફૂલ બનાવવાં ”
પ્રશ્ન :-
મંદિર લાયક
બનવા માટે કઈ વાતો પર વિશેષ ધ્યાન આપવાનું છે.
ઉત્તર :-
મંદિર લાયક બનવું છે તો ચલન પર વિશેષ ધ્યાન આપો - ચલન ખુબ મીઠી અને રોયલ હોવી જોઈએ.
એટલી મીઠાશ હોય જે બીજાઓને તેની મહેસૂસતા આવે. અનેકોને બાપનો પરિચય આપો. પોતાનું
કલ્યાણ કરવા માટે સારી રીતે પુરુષાર્થ કરી સર્વિસ (સેવા) પર લાગ્યાં રહો.
ગીત :-
બદલ જાયે
દુનિયા ન બદલેંગે હમ …..
ઓમ શાંતિ!
રુહાની બાળકો
જાણે છે કે બાપ બ્રહ્મા દ્વારા સમજાવી રહ્યાં છે. બ્રહ્માનાં રથ દ્વારા જ સમજાવતાં
રહે છે. આપણે આ પ્રતિજ્ઞા કરીએ છીએ કે શ્રીમત પર આપણે આ ભારતની ભૂમિને પતિત થી પાવન
બનાવીશું. ભારત ખાસ અને આમ દુનિયા, બધાને આપણે પતિત થી પાવન બનવાનો રસ્તો બતાવીએ
છીએ. આટલો ખ્યાલ દરેકે પોતાની બુદ્ધિ માં રાખવાનો છે. બાપ કહે છે ડ્રામા અનુસાર
જ્યારે તમે ફૂલ બની જશો અને જ્યારે સમય આવી જશે તો સંપૂર્ણ બગીચો બની જશે. બાગવાન
પણ નિરાકાર ને કહેવાય છે, માળી પણ નિરાકાર ને કહેવાય છે, સાકાર ને નહીં. માળી પણ
આત્મા છે, ન કે શરીર. બાગવાન પણ આત્મા છે. બાપ સમજાવશે તો જરુર શરીર દ્વારા ને.
શરીર ની સાથે જ એમને માળી બાગવાન કહેવાય છે, જે આ વિશ્વને ફૂલોનો બગીચો બનાવે છે.
બગીચો હતો જ્યાં આ દેવતાઓ રહેતાં હતાં. ત્યાં કોઈ દુઃખ નહોતું. અહીંયા આ કાંટાઓનાં
જંગલ માં તો દુઃખ છે, રાવણ નું રાજ્ય છે, કાંટાઓનું જંગલ છે. ફટ થી કોઈ ફૂલ નથી બનતાં.
દેવતાઓની આગળ જઈને ગાએ પણ છે કે અમે જન્મ-જન્માંતર નાં પાપી છીએ, અજામિલ છીએ. એવી
પ્રાર્થના કરે છે, હવે આવીને અમને પુણ્ય આત્મા બનાવો. સમજે છે હમણાં અમે પાપ આત્મા
છીએ. કોઈ સમયે પુણ્ય આત્મા હતાં. હમણાં આ દુનિયામાં પુણ્ય આત્માઓનાં ફક્ત ચિત્ર છે.
રાજધાની નાં મુખ્યનાં ચિત્ર છે અને તેમને એવા બનાવવા વાળા નિરાકાર છે શિવ. તેમનું
ચિત્ર છે, બસ. બીજા કોઈ ચિત્ર છે નહીં. આમાં પણ શિવ નું તો મોટું લિંગ બનાવી દે છે.
કહે પણ છે કે આત્મા સ્ટાર માફક છે, તો જરુર બાપ પણ એવા હશે ને. પરંતુ એમની પૂરી ઓળખ
નથી. આ લક્ષ્મી-નારાયણનું વિશ્વમાં રાજ્ય હતું. આમનાં માટે ક્યાંય પણ કોઈ ગ્લાની ની
વાત નથી લખતાં. બાકી કૃષ્ણ ને ક્યારેક દ્વાપર માં, ક્યારેક ક્યાં લઈ જાય છે.
લક્ષ્મી-નારાયણ નાં માટે બધાં કહેશે સ્વર્ગનાં માલિક હતાં. આ છે તમારું લક્ષ્ય-હેતુ.
રાધે-કૃષ્ણ કોણ છે-મનુષ્ય બિચારા એકદમ મૂંઝાયેલાં છે, કાંઈ નથી સમજતાં. જે બાપ
દ્વારા સમજે છે, તે સમજાવવાં લાયક પણ બને છે. નહીં તો લાયક બની નથી શકતાં. દેવીગુણ
ધારણ કરી નથી શકતાં. ભલે કેટલું પણ સમજાવો. પરંતુ ડ્રામા અનુસાર એવું થવાનું જ છે.
તમે હમણાં સ્વયં સમજો છો આપણે બધાં બાળકો બાપની શ્રીમત પર ભારત ની રુહાની સર્વિસ
કરીએ છીએ પોતાનાં જ તન-મન-ધન થી. પ્રદર્શની અથવા મ્યુઝિયમ વગેરે માં પૂછે છે તમે
ભારત ની શું સેવા કરો છો? તમે જાણો છો આપણે ભારત ની ખુબ સારી સર્વિસ કરીએ છીએ, જંગલ
થી બગીચો બનાવી રહ્યાં છીએ. સતયુગ છે ગાર્ડન. આ છે કાંટાઓનું જંગલ. એક-બીજા ને દુઃખ
આપતાં રહે છે. આ તમે સારી રીતે સમજાવી શકો છો. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પણ ખુબ સારા
બનાવવા જોઈએ. મંદિરોમાં ખુબ જ સુંદર ચિત્ર બનાવે છે. ક્યાંક ગોરા, ક્યાંક શ્યામ
ચિત્ર બનાવે છે, તેનું શું રહસ્ય છે આ પણ સમજતાં નથી. આપ બાળકોને હમણા આ બધું જ્ઞાન
છે. બાપ કહે છે હું આવીને બધાને મંદિર લાયક બનાવું છું, પરંતુ બધાં મંદિર લાયક નથી
બનતાં. પ્રજાને તો મંદિર લાયક નહીં કહેશું ને. પ્રજા તેમની જ હશે જે પુરુષાર્થ કરી
ખુબ જ સર્વિસ કરે છે.
આપ બાળકોએ રુહાની સોશિયલ સર્વિસ પણ કરવાની છે, આ સેવામાં પોતાનું જીવન સફળ કરવાનું
છે. ચલન પણ ખુબ મીઠી સુંદર હોવી જોઈએ, જે બીજાઓને પણ મીઠાશ થી સમજાવી શકે. પોતે જ
કાંટા હશે તો કોઈને ફૂલ કેવી રીતે બનાવશે, તેમનું તીર પૂરું લાગશે નહીં. બાપ ને યાદ
નહીં કરતા હશે તો તીર કેવી રીતે લાગશે. પોતાનાં કલ્યાણ માટે સારી રીતે પુરુષાર્થ કરી
સર્વિસ માં લાગ્યાં રહો. બાપ પણ સર્વિસ પર છે ને. આપ બાળકો પણ દિવસ-રાત સર્વિસ પર
રહો.
બીજી વાત, સમજાવે છે શિવ જયંતી પર ઘણાં બાળકો તાર મોકલી દે છે, તેમાં પણ એવું લખાણ
લખવું જોઈએ જે તે તાર કોઈને પણ દેખાડે તો સમજી જાય. આગળનાં માટે શું કરવાનું છે,
તેનો પુરુષાર્થ કરાવાય છે. સેમિનાર પણ એટલે કરે છે કે શું-શું સર્વિસ કરીએ જે
અનેકોને બાપ નો પરિચય મળે. તાર અસંખ્ય રાખ્યાં છે, આનાથી ઘણું કામ લઈ શકો છો.
એડ્રેસ (સરનામું) નાખે છે શિવબાબા કેયર ઓફ બ્રહ્મા. પ્રજાપિતા બ્રહ્મા પણ છે, એ
રુહાની પિતા, તે શરીરધારી. તેમનાથી શરીરધારી રચના રચાય છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિનાં
રચતા. કેવી રીતે રચના રચે છે, આ દુનિયાભર માં કોઈ નથી જાણતું. બાપ બ્રહ્મા દ્વારા
હવે નવી રચના રચી રહ્યાં છે. બ્રાહ્મણ છે ચોટી. પહેલા-પહેલા બ્રાહ્મણ જરુર જોઈએ.
વિરાટ રુપ ની છે આ ચોટી. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. પહેલા શુદ્ર તો
નથી થઈ શકતાં. બાપ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચે છે. શુદ્ર કેવી રીતે અને કોના દ્વારા
રચશે?
આપ બાળકો જાણો છો કેવી રીતે નવી રચના રચે છે, આ એડોપ્શન છે બાપ ની. કલ્પ-કલ્પ બાપ
આવીને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે પછી બ્રાહ્મણ થી દેવતા બનાવે છે. બ્રાહ્મણોની
સર્વિસ ખુબ ઊંચી છે. તે બ્રાહ્મણ લોકો પોતે જ પવિત્ર નથી તો બીજા ને પવિત્ર કેવી
રીતે બનાવશે. કોઈ પણ બ્રાહ્મણ સન્યાસીને ક્યારેય રાખડી નહી બાંધશે. તે કહેશે અમે તો
છીએ જ પવિત્ર. તમે પોતાનું મોઢું જોવો. આપ બાળકો પણ કોઈ થી રાખડી નથી બંધાવી શકતાં.
દુનિયામાં તો બધાં એક-બીજા ને બાંધે છે. બહેન-ભાઈ ને બાંધે છે, આ રિવાજ હમણાં
નીકળ્યો છે. હમણાં તમે શુદ્ર થી બ્રાહ્મણ બનવા માટે પુરુષાર્થ કરો છો. સમજાવવું પડે
છે. મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) બંને પવિત્રતા ની પ્રતિજ્ઞા કરે છે, બંને બતાવી શકે
છે કે અમે કેવી રીતે બાપની શ્રીમત થી પવિત્ર રહીએ છીએ. અંત સુધી આ કામ વિકાર પર જીતી
રહ્યાં તો પવિત્ર જગતનાં માલિક બનીશું. પવિત્ર દુનિયા સતયુગ ને કહેવાય છે, જે હવે
સ્થાપન થઈ રહી છે. તમે બધાં પવિત્ર છો. વિકારમાં પડવા વાળા ને રાખડી બાંધી શકો છો.
પ્રતિજ્ઞા કરી અને પછી પતિત બન્યાં તો કહેશે તમે રાખડી બંધાવવા આવ્યાં હતાં પછી શું
થયું? કહેશે માયા થી હાર ખાઈ લીધી, આ છે યુદ્ધનું મેદાન. વિકાર મોટો દુશ્મન છે. તેના
પર જીત પામવાથી જ જગતજીત અર્થાત્ રાજા-રાણી બનવાનું છે, પ્રજા ને જગતજીત નહીં કહેશે.
મહેનત તો રાજા-રાણી કરે છે ને. કહે પણ છે અમે તો લક્ષ્મી-નારાયણ બનીશું. તે પછી
રામ-સીતા પણ બનશે. લક્ષ્મી-નારાયણ નાં પછી તેમના તખ્ત પર જીત, તેમનાં બાળકોની હોય
છે. તે લક્ષ્મી-નારાયણ પછી બીજા જન્મ માં નીચે ચાલ્યાં જશે. ભિન્ન નામ-રુપ થી બાળકો
ને ગાદી મળે છે તો ઊંચ નંબર ગણાશે. પુનર્જન્મ તો લે છે ને. બાળક તખ્ત પર બેસશે તો
તે સેકન્ડ ગ્રેડ થઈ જશે. ઉપર વાળા નીચે, નીચેવાળા ઉપર આવી જશે. તો હવે બાળકોએ એવાં
ઉંચ બનવાનું છે તો સર્વિસ માં લાગી જવું જોઈએ. પવિત્ર થવું પણ ખુબ જરુરી છે. બાપ કહે
છે હું પવિત્ર દુનિયા બનાવું છું. સારો પુરુષાર્થ થોડાં કરે છે, પવિત્ર તો આખી
દુનિયા બની જાય છે. તમારા માટે સ્વર્ગ ની સ્થાપના કરે છે. આ ડ્રામા અનુસાર થવાનું જ
છે, આ રમત બનેલી છે. તમે પવિત્ર બની જાઓ છો પછી વિનાશ શરું થઈ જાય છે. સતયુગ ની
સ્થાપના થઈ જાય છે. ડ્રામા ને તો તમે સમજી શકો છો. સતયુગમાં હતું દેવતાઓનું રાજ્ય.
હમણાં નથી, ફરી થવાનું છે.
તમે છો રુહાની મિલેટ્રી. તમે ૫ વિકારો પર જીત પામવાથી જગતજીત બનવા વાળા છો.
જન્મ-જન્માન્તર નાં પાપ કપાવવા માટે બાબા યુક્તિઓ બતાવે છે. બાપ એક જ વખત આવી ને
યુક્તિ બતાવે છે. જ્યાં સુધી રાજધાની સ્થાપન ન થઈ જાય ત્યાં સુધી વિનાશ નહીં થશે.
તમે બહુજ ગુપ્ત વારિયર્સ (યોધ્ધાઓ) છો. સતયુગ થવાનું જ છે કળયુગ નાં બાદ. પછી સતયુગ
માં ક્યારેય લડાઈ થતી નથી. આપ બાળકો જાણો છો બધી આત્માઓ જે પણ પાર્ટ ભજવે છે, તે બધું
નોંધાયેલું છે. જેમ કટપુતલીઓ હોય છે ને, એમ નાચતી રહે છે. આ પણ ડ્રામા છે, દરેક નો
આ ડ્રામા માં પાર્ટ છે. પાર્ટ ભજવતા-ભજવતા તમે તમોપ્રધાન બન્યાં છો. પછી હવે ઉપર
જાઓ છો, સતોપ્રધાન બનો છો. નોલેજ તો સેકન્ડ નું છે. સતોપ્રધાન બને છે પછી પડતા-પડતા
તમોપ્રધાન બને છે. પછી બાપ ઉપર લઈ જાય છે. વાસ્તવમાં તે માછલીઓ તાર માં લટકે છે, આ
તાર માં મનુષ્યો ને નાખવા જોઈએ. આમ ઉતરતી કળા પછી ચઢતી કળા થાય છે. તમે પણ એવી રીતે
ચઢો છો પછી ઉતરતા-ઉતરતા નીચે આવી જાઓ છો. ૫ હજાર વર્ષ લાગે છે ઉપર જઈને પછી ઉતરવા
માં. આ ૮૪ નું ચક્ર તમારી બુદ્ધિ માં છે. ઉતરતી કળા અને ચઢતી કળા નું રહસ્ય બાપે જ
સમજાવ્યું છે. તમારામાં પણ નંબરવાર જાણે છે અને પછી પુરુષાર્થ કરે છે, જે બાપ ને
યાદ કરે છે તે જલ્દી ઉપર જાય છે. આ પ્રવૃત્તિ માર્ગ છે. જેમ જોડીને દોડાવે છે તો
જોડી નો એક-એક પગ બાંધે છે પછી દોડે છે. આ પણ તમારી દોડ છે ને. કોઈ નો અભ્યાસ નથી
હોતો તો પડી જાય છે, આમાં પણ આવું થાય છે. એક આગળ વધે છે, તો બીજો રોકી લે છે,
ક્યાંક બંને પડી જાય છે. બાબા વન્ડર (આશ્ચર્ય) ખાય છે - ઘરડાઓને પણ કામ ની આગ લાગે
છે તો તે પણ પડી જાય છે. એવું થોડી તેમને પાડ્યાં. પડવું, ન પડવું પોતાનાં હાથ માં
છે. કોઈ ધક્કો થોડી આપે છે, આપણે પડ્યા કેમ? કાંઈ પણ થઈ જાય આપણે પડશું નહીં. પડયાં
તો ખાવાનું ખરાબ, જોર થી ચમાટ લાગે છે. પછી પસ્તાય પણ છે, હાડકે-હાડકું તૂટી જાય
છે. ખુબ ચોટ (માર) લાગે છે. બાબા ભિન્ન-ભિન્ન પ્રકાર થી સમજાવતાં રહે છે.
આ પણ સમજાવ્યું શિવજયંતી પર તાર એવાં આવવાં જોઈએ જે મનુષ્ય વાંચવાથી સમજી જાય.
વિચાર સાગર મંથન કરવા માટે બાબા સમય આપે છે. કોઈ જુએ તો વન્ડર ખાય. કેટલી ચિઠ્ઠીઓ
આવે છે, બધાં લખે છે બાપદાદા. તમે સમજાવી પણ શકો છો શિવબાબા ને બાપ, બ્રહ્મા ને દાદા
કહે છે. એક ને ક્યારેય કોઈ બાપદાદા કહે છે શું? આ તો વન્ડરફુલ વાત છે, આમાં
સાચું-સાચું જ્ઞાન છે. પરંતુ યાદમાં રહે ત્યારે કોઈને તીર પણ લાગે. ઘડી-ઘડી
દેહ-અભિમાન માં આવી જાય છે. બાપ કહે છે આત્મ-અભિમાની બનો. આત્મા જ શરીર ધારણ કરી
પાર્ટ ભજવે છે. કોઈ મરે છે તો પણ કોઈ વિચાર નહીં. આત્મા માં જે પાર્ટ ની નોંધ છે
તેને આપણે સાક્ષી થઈને જોઈએ છીએ. તેમને એક શરીર છોડી બીજો લઇ પાર્ટ ભજવવાનો છે. આમાં
આપણે કરી શું શકીએ છે? આ જ્ઞાન પણ તમારી બુદ્ધિમાં છે. તે પણ નંબરવાર. ઘણાઓની
બુદ્ધિમા તો બેસતું જ નથી એટલે કોઈ ને સમજાવી નથી શકતાં. આત્મા બિલકુલ જ ગરમ તવી,
તમોપ્રધાન પતિત છે. તેના પર જ્ઞાન અમૃત નખાય છે તો રહેતું નથી. જેમણે ખુબ ભક્તિ કરી
છે, તેમને જ તીર લાગશે, ઝટ ધારણા થશે. હિસાબ જ વન્ડરફુલ છે-પહેલાં નંબર માં પાવન,
એજ પછી પતિત બને છે. આ પણ કેટલી સમજાવવાની વાતો હોય છે. કોઈની તકદીરમાં નથી તો ભણતર
ને છોડી દે છે. જો નાનપણ થી જ નોલેજ માં લાગી જાય તો ધારણા થતી જશે. સમજશે આમણે ખુબ
ભક્તિ કરેલી છે, ખુબ હોશિયાર થઈ જાય, કારણ કે ઓર્ગન્સ (અવયવો) મોટા થવાથી પછી સમજ
પણ વધારે આવે છે. શરીરધારી, રુહાની બંને તરફ અટેન્શન (ધ્યાન) આપવાથી પછી તે અસર
નીકળી જાય છે. આ છે ઇશ્વરીય ભણતર. ફરક છે ને. પરંતુ જ્યારે તે લગન પણ લાગે ને. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
મિલેટ્રી બની ૫ વિકારો પર જીત પામવાની છે, પવિત્ર જરુર બનવાનું છે. શ્રીમત પર ભારતને
પાવન બનાવવાની સેવા કરવાની છે.
2. આ બેહદ નાટક માં દરેક પાર્ટ આત્મ-અભિમાની થઈને ભજવવાનો છે, ક્યારેય પણ
દેહ-અભિમાન માં નથી આવવાનું. સાક્ષી થઈને દરેક એક્ટર નો પાર્ટ જોવાનો છે.
વરદાન :-
સ્વમાન દ્વારા
અભિમાન ને સમાપ્ત કરવા વાળા સદા નિર્માન ભવ
જે બાળકો સ્વમાન માં
રહે છે તેમને ક્યારેય પણ અભિમાન નથી આવી શકતું, તે સદા નિર્માન હોય છે. જેટલું ઊંચું
સ્વમાન એટલાં જ હા જી માં નિર્માન. નાના-મોટા, જ્ઞાની-અજ્ઞાની, માયાજીત કે માયાવશ,
ગુણવાન હોય અથવા કોઈ એક-બે અવગુણવાન પણ હોય અર્થાત્ ગુણવાન બનવાના પુરુષાર્થી હોય
પરંતુ સ્વમાન વાળા બધાને માન આપવા વાળા દાતા હોય છે અર્થાત્ સ્વયં સંપન્ન હોવાનાં
કારણે સદા રહેમદિલ હોય છે.
સ્લોગન :-
સ્નેહ જ સહજ
યાદ નું સાધન છે એટલે સદા સ્નેહી રહેજો અને સ્નેહી બનાવજો.